Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૨૦૮ ]
ધમબિન્દુ દેષ સહિત આત્માને ગુણમાં વાસ કરાવવો તે ઉપવાસ છે. પરંતુ શરીરનું શોષણ એ ઉપવાસ નથી.
૪. અતિથિ સંવિભાગ : વીતરાગ પરમાત્માએ કહેલ ધર્મને આચરનારા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા તે અતિથિ કહેવાય છે. તેઓને ન્યાય પૂર્વક મેળવેલા ધન વડે કલ્પનીય ભજન પાન વિગેરેનું યોગ્ય રીતે દાન કરવું તે અતિથિ સંવિભાગ કહેવાય છે. | શ્રી ઉમાસ્વાતિ વાચક પ્રણીત શ્રાવક પ્રજ્ઞતિ સૂત્રમાં કહ્યું છે કે સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ અતિથિ ઘરે આવે ત્યારે ભક્તિ પૂર્વક ઉભા થવું; આસન આપવું, પગ પુંજવા, નમસ્કાર કરવા વિગેરે યોગ્ય સત્કાર કરીને, પિતાને વૈભવ અને શક્તિ અનુસાર ભજન, પાન, વસ્ત્ર, ઔષધ અને મકાન વિગેરે આપવું તે અતિથિ સંવિભાગ. ततश्च-एतदारोपणं दानं यथाऽहे साकल्यवै कल्याभ्यामिति॥१९॥
અર્થ –ઉપરના બાર અને યોગ્ય વ્યક્તિને સંપૂર્ણ અથના બે ચાર વ્રતનું દાન કહેવાય.
ભાવાર્થ:-હવે સમ્યકત્વમૂલ આ અણુવ્રતને ગ્રહણ કર્યા બાદ શું કરવું જોઈએ તે કહે છે.
અર્થ –-વનુગ્રહણ કર્યાબાદ અતિચાર રહિતપણે પાલન કરવું.
ભાવાર્થ-સમ્યફ દર્શનાદિ ગુણેને ગ્રહણ કર્યા બાદ તેની વિરાધના ન થાય તે રીતે તેને પાળવા જોઈએ. ખરાબ પવનના કારણે હણાયેલા બણું ફળ ફૂલનાં વૃક્ષ જેમ ઓછા ફળ આપે છે, તેમ અતિચાસ્થી હણાયેલી વ્રત પૂર્ણ ફળ આપી શકતા નેથી.