________________
વાત્સલ્યનિધિ સ‘ઘનાયક
[૧૧]
ભલે અસ્પષ્ટ રીતે પણુ, નરોત્તમના મનમાં આ સમજણ અવશ્ય જાગી ચૂકી હતી. અને એટલે જ, હવે એમણે દીક્ષા માટેના પ્રયાસે આરંભવા માંડયા હતા.
એમના મનમાં એક વાત ચોક્કસ સ્થિર થઈ હતી કે, ‘દીક્ષા લેવી, અને તે સૂરિસમ્રાટ પાસે જ, ખીજે નહિ. ’
એોટાદમાં દેસાઈ કુટુંબના અમૃતભાઈ (પૃ. આ. શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ) નરોત્તમથી ઉ’મરે મેાટા હતા. એમની પણ દીક્ષાની ભાવના હતી. એ પણ સૂરિસમ્રાટ પાસે જ દીક્ષા લેવાના વિચારના હતા. નરોત્તમ ‘કરવું એ કરવુ, એમાં ઝાઝી લપુછપ ન રાખવી, ' એવા વિચારના હતા. અને, ‘ભાગ્યશાળીને ભૂત રળે' એમ નોત્તમને એમના માર્ગોમાં એક પુષ્ટ આલંબન પણ મળી ગયુ. એક સાધ્વીજી હતાં. સુમતિશ્રીજી એમનુ નામ. એમનાં એક શિષ્યા સાધ્વીજી વિખ્યાત વૈદ્યરાજ શ્રી ઈશ્વર ભટ્ટ પાસે વિજયપ્રશસ્તિમહાકાવ્ય ભણતાં, અને એ માટે તેઓ એટાદ રહેલાં. એ સાધ્વીજીને નાત્તમ તરફ ઘણું હેત. એમને કાગળ લખવા હાય તો નરાત્તમને ખેલાવે, ને એની પાસે લખાવે. બીજું કાંઈ કામ હોય તે! તે પણ નરાત્તમ પાસે જ કરાવે. નરોત્તમને પણ એમના પર એવું જ હેત. એ એમને ‘મા’ જેવાં ગણતા. એમનું બધું કામ ખૂબ હાંશથી કરી આપે.
એ સાધ્વીજીને નરોત્તમ પેાતાના મનની બધી વાત કરે. પેાતાની દીક્ષાની ભાવના પણ ત્યાં વ્યક્ત કરે. એ માટે પાતે કત્યારે શુ કરવા વિચારે છે, એ પણ એમને જ કહે. દીક્ષાની ભાવના થયા પછી દીક્ષા લેતાં સુધી જે જે પ્રવૃત્તિ કે વિચાર કરે, એ બધું આ સાધ્વીજીને ખૂબ સરળભાવે કહી દે, ને પછી જ જે કરવુ હાય તે કરે.
66
આ સાધ્વીજીએ એમને એકવાર કહેલુ' : · તું ઉદયવિજય મહારાજના ચેલા થજે. એ નાના છે ને બહુ વિદ્વાન છે.”
એ વખતે નાત્તમે દીકરાને પેાતાની મા ઉપર હોય, તેવી શ્રદ્ધાથી હા પાડેલી. પણ, એક વાત ચાક્કસ હતી કે, દીક્ષાની વાત ઘરમાં ઉચ્ચારાય તેમ ન હતું. અને ઘરેથી આ માટે રજા મળે, એ તે આકાશકુસુમ જેવી વાત હતી. ત્યારે કરવું શું ?
આમ ને આમ બે-અઢી વરસ વહી ગયાં. નાત્તમના સ્વભાવની એક ખાસિયત એ હતી કે પેાતાને જે સારુ' ને સાચુ લાગ્યુ, તે પ્રાણાંતે પણ છેડવું નહિ; પૂરુ કરીને જ જવું.... ' આ ખાસિયત એમના છેલ્લા શ્વાસ સુધી ટકી રહી. અને એ ખાસિયતે જ્યારે ખળવે પે!કાર્યા, ત્યારે તેમનાથી ન રહેવાયુ. તેમણે મનેામન નિર્ણય કર્યો : ‘ ભાગી છૂટવું ! ?
આ નિર્ણયની સાથે જ એ તપાસ આદરી કે, સૂરિસમ્રાટ અત્યારે કયાં છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org