________________
૫૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અને અહીં જે બહિઃ કોટિકોટી શત્રુઓનો જય કરવામાં સમર્થ છે તે પણ આંતર વૈરીઓને જ્ઞાન વગર જય કરવામાં સમર્થ નથી. II૨૯।।
શ્લોક ઃ
तन्नास्य वत्स ! दोषोऽयं, नाप्येषां शेषदेहिनाम् ।
यतोऽत्र परमार्थेन, ज्ञानाऽभावोऽपराध्यति ।। ३० ।।
શ્લોકાર્થ
=
તે કારણથી હે વત્સ પ્રકર્ષ ! આનો=રિપુકંપનનો, આ દોષ નથી. વળી, આ શેષ જીવોનો નથી=દોષ નથી. જે કારણથી અહીં=મિથ્યાભિમાનને શત્રુરૂપે જાણવામાં, પરમાર્થથી જ્ઞાનનો અભાવ અપરાધ પામે છે. II3I/
શ્લોક ઃ
यस्मादज्ञानकामान्धाः, किञ्चिदासाद्य कारणम् ।
यान्ति मिथ्याभिमानस्य, ध्रुवमस्य वशं नराः ।।३१।।
શ્લોકાર્થ :
જે કારણથી અજ્ઞાન અને કામથી અંધ જીવો કોઈક કારણ પામીને આ મિથ્યાભિમાનના વશ મનુષ્યો નક્કી થાય છે. ।।૩૧।।
શ્લોક ઃ
तेनाभिभूतचित्तास्ते, बाला इव जनैः सह ।
विडम्बयन्ति चात्मानं, यथैष रिपुकम्पनः ।। ३२।।
શ્લોકાર્થ :
તેનાથી અભિભૂત થયેલા ચિત્તવાળા=મિથ્યાભિમાનથી પરાભૂત થયેલા ચિત્તવાળા, તેઓ બાલની જેમ લોકોની સાથે પોતાના આત્માને વિડંબિત કરે છે. જેમ આ રિપુકંપન. અર્થાત્ નગરના લોકોની સાથે પોતાના આત્માની જે પ્રમાણે આ રિપુકંપને વિડંબના કરી તેમ મૂર્ખની જેમ લોકો મિથ્યાભિમાનથી પોતાના આત્માની વિડંબના કરે છે. II૩૨।।
શ્લોક ઃ
ज्ञानावदातबुद्धीनां, पुत्रे राज्ये धनेऽपि वा । लोकाश्चर्यकरे जाते, महत्यप्यस्य कारणे ||३३||