________________
૧૪૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
अतस्तां जीविकां हत्वा, मृतिरेषा सुदारुणा ।
लोकं स्वस्थानतोऽन्यत्र, प्रेषयत्येव लीलया ।।१८४ ।। શ્લોકાર્ચ -
આથી તે જીવિકાને હણીને સુદારુણ એવી આ કૃતિ લોકને સ્વસ્થાનથી અન્યત્ર લીલાથી મોકલે જ છે. ll૧૮૪ll શ્લોક :
प्रहिताश्च तथा यान्ति, दृश्यन्ते न यथा पुनः ।
नीयन्ते च तथा केचिद्यथाऽसौ रिपुकम्पनः ।।१८५।। શ્લોકાર્ચ -
અને મોકલાયેલા=મૃતિથી પરસ્થાનમાં મોકલાયેલા, તે પ્રકારે જાય છે જે પ્રકારે ફરી દેખાતા નથી. અને તે પ્રકારે કેટલાક લઈ જવાય છે જે પ્રમાણે આ રિપકંપન. ll૧૮પી શ્લોક :
व्रजन्तश्च धनं गेहं, बन्धुवर्गं परिच्छदम् ।
सर्वं विमुच्य गच्छन्ति, मृत्यादेशेन ते जनाः ।।१८६।। શ્લોકાર્ચ - મૃત્યુના આદેશથી જતા=પરલોકમાં જતા, તે જીવો ધન, ગૃહ, બંધુવર્ગ, પરિવાર સર્વને છોડીને જાય છે. II૧૮૬ll શ્લોક :
एकाकिनः कृतोद्योगाः, सुकृतेतरशम्बलाः ।
दीर्घ मार्गं प्रपद्यन्ते, सुखदुःखसमाकुलम् ।।१८७।। શ્લોકાર્ચ -
એકાકી, કૃત ઉધોગવાળા, સુકૃતના અને ઈતરના દુકૃતના ભાતાવાળા, સુખ-દુઃખથી સમાકુલ એવા દીર્ઘમાર્ગને પ્રાપ્ત કરે છે=મૃતિના આદેશથી જે જીવો વર્તમાનના ભવને છોડીને જાય છે તેઓએ આ ભવમાં જે ઉઘોગ કરેલ છે તેને અનુરૂપ પુણ્ય અને પાપ રૂપે ભાતું પ્રાપ્ત કર્યું છે અને તે પ્રમાણે જન્માંતરમાં સુખ-દુઃખથી યુક્ત દીર્ઘમાર્ગને પ્રાપ્ત કરે છે. ll૧૮૭ll