Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 355
________________ ૩૪૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે ભગવંત ! ખરેખર લોકમાં જેવા પ્રકારનો આ રિપુદારણ છે, જ્ઞાનરૂપી પ્રકાશવાળા એવા તમારા જેવાને વિદિત જ છે. II૪૦૮II શ્લોક : तदस्य सत्कुले जन्म, सामग्रीयं मनोहरा । संजाता किं पुनर्जातं, तादृशं चरितं पुरा? ।।४०९।। શ્લોકાર્થ: તે કારણથી આનો રિપુદારણનો, સસ્કુલમાં જન્મ, મનોહર આ સામગ્રી થઈ. વળી પૂર્વમાં તેવું ચરિત કેમ થયું? I૪૦૯ll શ્લોક - सूरिणाऽभिहितं भूप! न दोषोऽस्य तपस्विनः । शैलराजमृषावादौ, तस्य सर्वस्य कारणम् ।।४१०।। શ્લોકાર્ચ - સૂરિ વડે કહેવાયું - હે રાજા ! આ તપસ્વીનો દોષ નથી. માન અને મૃષાવાદ આ સર્વનું કારણ છે=રિપદારણના સર્વ દોષોનું કારણ છે. I૪૧૦|| શ્લોક : तातेनोक्तंअनर्थसार्थहेतुभ्यां, भदन्तेह कदा पुनः । आभ्यां पापवयस्याभ्यां, वियोगोऽस्य भविष्यति ।।४११।। શ્લોકાર્ચ - પિતા વડે કહેવાયું. હે ભદંત ! અનર્થ સમૂહના હેતુ એવા આ બે પાપી મિત્રોથી અહીં=સંસારમાં, વળી આનો વિયોગ ક્યારે થશે ? Il૪૧૧TI. શ્લોક : सूरिराह महाराज! वियोगोऽद्यापि दुर्लभः । शैलराजमृषावादौ, यतोऽस्यात्यन्तवल्लभौ ।।४१२।। શ્લોકાર્થ : સૂરિ કહે છે – હે મહારાજ ! હજી પણ વિયોગ દુર્લભ છે. જે કારણથી આને=રિપુદારણને, શેલરાજ અને મૃષાવાદ અત્યંત વલ્લભ છે. ll૪૧ચો.

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386