Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૫૭
અને તેમાંય પાછી સાંભળવાની જીજ્ઞાસા જાગૃત થઇ પાપતા ઉદ્ભય છતાં દુ:ખમાં પણ મહાન પુરૂષનું પુણ્ય ગુપ્તપણે કોઇ અજબ રીતે કામ કરે છે.
રાજાની આતુરતા જાણી ગુરૂ મહારાજે કહ્યું, “રાજન! એ પદ્મરાજાનું કથાનક પણ તારે સાંભળવા જેવું છે, તારા નિમિત્ત કરીને આ બધી પદ્માને પણ એ કથાનક સાંભળવાથી લાભ થશે,
૭
પદ્મરાજા
कोहो पीइं पणासेर, माणो विजयनासणो । माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो ॥६॥
ભાવા—જગતમાં ક્રોધ પ્રીતિના નાશ કરે છે, માન વિનયના નાશ કરે છે, માયા મિત્રતાના નાશ કરે છે, ત્યારે લાભ સર્વનાશ કરે છે.
પૂર્વ પદ્મપુર નગરમાં લક્ષ્મીને પ્રિય, ન્યાયપરાયણ પદ્મ નામે રાજા હતા. એક દિવસે રાજયારિકાએ ફરવા જતા રાજાએ વણશેઠની અદ્દભૂત લાવણ્યવતી અને સખીઓ સાથે ક્રીડા કરતી કન્યાને જોઇ. અંત:પુરમાં અનેક રાણીઓ હાવા છતાં પદ્મરાજ એ કન્યાના સૌંદર્યાં. ઉપર દિવાના થઈ ગયા-માગણી કરી પરણી ગયા.
પરણીને રાજકાર્યના વ્યવસાયને અગે કહા કે કન્યાના દુર્ભાગ્યે કહા રાજા કન્યાને ભૂલી ગયા. અનેક વર્ષોનાં વ્હાણાં વહી ગયા પછી રાજાએ ફરી એ માર્ગે જતાં એ કન્યા પ્રૌઢ યુવતીને જોઈ. સુદર વજ્ર અને આભૂષણ
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com