Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 495
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ ૪૮૭ રત્ન જે રામ હતો, બાંધવાએ સમજાવવા છતાં કેશવ સમજે નહિ તેમ બાંધવ સમાન સાધમિકની શિખામણ છતાં જીવ સમજતો નથી. કેશવે બધું ઘર ખોદી નાખ્યું. તેમ જીવ વિષયરૂપી સુખને માટે મર્યાદા રૂપી મકાન ખોદી નાખે તે કેશવની માફક બેઆબરૂ થઈ લેકે વડે નિંદાય છે. ને કપિલાની માફક કર્મપરિણતિથી છવની કાંઈ ઓછી હીલના થતી નથી. વિષયના પાપથી જીવ અનેક દુઃખોને ભોક્તા થાય છે, એવાં નિર્વિવેકી જનનાં ચારિત્ર જોઈ કેના ચિત્તને વૈરાગ્ય થતું નથી ?” પૃથ્વીચંદકુમારની વાણી સાંભળી સંસારની અસારતા ચિંતવતી સંવેગના રંગે રંગાયેલી એ લલનાઓ બેલી, “હે સ્વામી ! તમે કહ્યું તે બધું સત્ય છે. સંસાર બધો એજ છે. સંસારનાં વિષયજન્ય સુખોમાં આ લાલચુ જીવ પિતાને ભૂલી ગયો છે પણ હવે એને ત્યાગ શી રીતે કરવો ? તમે સદગુરૂને આરાધી ધર્મસેવન કરો. ગુરૂ પણ એવાજ હોય કે જે કંચન કામિનીના ત્યાગી હોય, મેક્ષના ઉદ્યમી હોય.” કુમારે કહ્યું. “હે પ્રભે! અમને સબોધ આપી વૈરાગ્ય પમાડના તમેજ અમારા ગુરૂ છો અમે તમારી ગૃહિણી શબ્દથી કૃતાર્થ થઈ હવે અમારી ભેગ તૃષ્ણા આપના ઉપદેશથી નાશ પામી છે. તે અમને ધર્મની પ્રાપ્તિ થાય તેમ કરે, હે આર્યપુત્ર! તમારે પણ અગ્નિથી પ્રદીપ્ત એવા મકાનની જેમ આ સંસારમાં રહેવું યોગ્ય નથી. અથવા તે તમને અમે વિશેષ શું કહીયે? તમે તો તત્વના જાણકારી છે. સ્ત્રીઓનાં એ પ્રમાણેનાં વચન સાંભળી હર્ષિત થયેલ કુમાર બેલ્યો, . .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536