Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 502
________________ ૪૯૪ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તમાં સ્ત્રીઓને જો આ પતિ ન મલે તો એમને અવતાર એિળે ગયે સમજ આપણે પણ પરણશું તો આ નવ જવાનને, નહી તે અગ્નિ શરણ, પણ અન્ય વરને વરશું નહિ એ આઠે કન્યાના માતા પિતાએ કન્યાને નિશ્ચય જાણ પ્રસન્ન થઈ પોતપોતાની પુત્રીઓને નિશ્ચય રત્નસંચય શ્રેષ્ઠીને જણાવ્યું. એ શ્રેષ્ઠીઓની વિનંતી રત્નસંચય શેઠે ' સ્વીકારી લીધી ને આઠે કન્યાઓ સાથે વિવાહ નક્કી થયા. પિતાના વિશાળ અને રમણીય મહાલયની અટારીયે ઉભે ઉભે ગુણસાગર કુમાર ત્યાર પછીના એક દિવસે નગરીનું અવલોકન કરી રહ્યો હતો ત્યારે તપથી કૃશથયેલા એક મુનિને ગેચરી અર્થે નગરમાં ભ્રમણ કરતા જોઈ ગુણસાગર કુમારની નજર તે મુનિ ઉપર પડી અને ત્યાં જ સ્થંભી ગઈ. “આ મુનિનો વેષ કેવો આનંદકારી છે. ભૂમિ તરફ દષ્ટિને સ્થાપન કરતા તેઓ ઇદ્ધિને ગોપવી મંદ ગતિએ કેવા ગમન કરી રહ્યા છે? આવું મુનિ પણ મેં પણ ક્યાંક અનુભવેલું છે.” મુનિને જોઈ વિચાર કરતે ગુણસાગર ત્યાંજ એકદમ મૂચ્છિત થઈ ગયા - માતાપિતાદિક પરિવાર ઝટ દેડી આવી મૂછ વાળદવાના અનેક પ્રયત્ન કરવા લાગે કે શિતલ જલથી સિંચન કરવા લાગ્યા. કેઈ વિઝણા વડે પવન નાખવા લાગ્યા. એવી રીતે અનેક ઉપચાર વડે જ્યારે ગુણસાગર સ્વસ્થ થયો ત્યારે દુ:ખી થયેલા તેના પિતાએ પૂછયું, હે પુત્ર! અકાળે તારા શરીરને આ શું થયું ? નગરમાં વિહાર કરતી કેઈ રૂપવતી લલિત લલનાને જોઈ તને મૂછી આવી કે શું ? અથવા સામંત કન્યા કે મંત્રીની કન્યાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536