Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૪૯૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
તમાં સ્ત્રીઓને જો આ પતિ ન મલે તો એમને અવતાર એિળે ગયે સમજ આપણે પણ પરણશું તો આ નવ
જવાનને, નહી તે અગ્નિ શરણ, પણ અન્ય વરને વરશું નહિ
એ આઠે કન્યાના માતા પિતાએ કન્યાને નિશ્ચય જાણ પ્રસન્ન થઈ પોતપોતાની પુત્રીઓને નિશ્ચય રત્નસંચય શ્રેષ્ઠીને જણાવ્યું. એ શ્રેષ્ઠીઓની વિનંતી રત્નસંચય શેઠે ' સ્વીકારી લીધી ને આઠે કન્યાઓ સાથે વિવાહ નક્કી થયા.
પિતાના વિશાળ અને રમણીય મહાલયની અટારીયે ઉભે ઉભે ગુણસાગર કુમાર ત્યાર પછીના એક દિવસે નગરીનું અવલોકન કરી રહ્યો હતો ત્યારે તપથી કૃશથયેલા એક મુનિને ગેચરી અર્થે નગરમાં ભ્રમણ કરતા જોઈ ગુણસાગર કુમારની નજર તે મુનિ ઉપર પડી અને ત્યાં જ સ્થંભી ગઈ. “આ મુનિનો વેષ કેવો આનંદકારી છે. ભૂમિ તરફ દષ્ટિને સ્થાપન કરતા તેઓ ઇદ્ધિને ગોપવી મંદ ગતિએ કેવા ગમન કરી રહ્યા છે? આવું મુનિ પણ મેં પણ ક્યાંક અનુભવેલું છે.” મુનિને જોઈ વિચાર કરતે ગુણસાગર ત્યાંજ એકદમ મૂચ્છિત થઈ ગયા - માતાપિતાદિક પરિવાર ઝટ દેડી આવી મૂછ વાળદવાના અનેક પ્રયત્ન કરવા લાગે કે શિતલ જલથી સિંચન કરવા લાગ્યા. કેઈ વિઝણા વડે પવન નાખવા લાગ્યા. એવી રીતે અનેક ઉપચાર વડે જ્યારે ગુણસાગર સ્વસ્થ થયો ત્યારે દુ:ખી થયેલા તેના પિતાએ પૂછયું,
હે પુત્ર! અકાળે તારા શરીરને આ શું થયું ? નગરમાં વિહાર કરતી કેઈ રૂપવતી લલિત લલનાને જોઈ તને મૂછી આવી કે શું ? અથવા સામંત કન્યા કે મંત્રીની કન્યાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com