Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૮૪.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અન્ય સ્થળે જવાના સ્વભાવવાળા હોતા નથી. પોતાના વિમાનમાં રહ્યા થકા જેના સકળ મનેર સિદ્ધ થાય છે, આ લોકમાં પણ બાર દેવલોકથી ઉપરના દેવતાઓનું આવાગમન હોતું નથી તેમજ સ્વામી સેવક સહિત ત્યાં સર્વે દેવતાઓ પોતપોતાના વિમાનમાં સમાન રદ્ધિ સિદ્ધિ વાળા હોય છે ગમે તેવી દિવ્ય શકિતઓ છતાં તેમને શક્તિ ફેરવવાની–પ્રગટ કરવાની જરૂર પડતી નથી. શાસ્ત્રની વાતમાં સંદેહ પડે છે તે વારે પોતાના વિમાનમાં રહ્યા
હ્યા કેવલી ભગવાનને મને વર્ગણા દ્વારા પૂછીને સમાધાન કરી લે છે. દેવાંગનાઓને સહવાસ ન હોવા છતાં તેમને અનંતગણું સુખ હોય છે. લગભગ બે હાથના શરીરવાળા તે દેવતાઓ પોતાના વિમાનમાં દિવ્ય સુખને ભાગવતા જતા એવા કાળને પણ જાણતા નથી - પદ્યોત્તર રાજા અને હરિગ વિદ્યાધરેંદ્ર પિતાના અપૂર્વ ચારિત્રના પ્રભાવથી એવી અનુપમ સમૃદ્ધિવાળા અહી ઈકના સામર્થ્યપણાને પ્રાપ્ત થયા, એ દેવતાઓના અનુપમ સુખનું વર્ણન આપણે મનુષ્યો શું કરી શકીએ ? કેટલું કરી શકીયે? આપણે તો એટલું જ કહી શકીએ કે તેમને એક બીજાથી અનંતગણ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ હોય છે.
પરિચ્છેદ ૮ મે ગિરિસુંદર અને રત્નસાર
રાજકુમાર ગિરિસુંદર वर्धमान जिनो जीयाद् वर्धमान गुणान्तिः वर्जते सांप्रतं यस्य, शासनं पापनाशनम् ॥१॥
1
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com