Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૯૫
-
-
-
-
-
- -
-
-
-
- -
-
-
- -
- -
-
કરવું એ નીતિ છે માટે તારું રક્ષણ કરી આ નરને મને આપી દે... સિંહની વાણી રત્નસારે માન્ય કરી નહિ ને કહ્યું કે “તારી યુધાની વેદના તારે દૂર કરવી હોય તે મારે કળી કરીને કર !”
રાજકુમારના સત્વથી પ્રસન્ન થયેલો સિંહ બે. હે પોપકારી! માગ, કંઇક મારી પાસે વરદાન માગ. * સિંહની વાણીથી તાજુબ થયેલે રત્નસાર બે, “કહો. તે ખરા ભલા તમે કોણ છો?”
“હું આ નગરને અધિપતિ દેવ છું.” સિંહની વાણી સાંભળી કુમાર રત્નસાર બોલ્યા, “તમે અધીશ્વર છતાં આ નગરી જનશૂન્ય કેમ છે, તેને ઇતિહાસ કહે ” કુમારની ઈચ્છાને સંતોષતે સિંહ પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને બોલ્યો,
ગાંધારપુર નગરના રાજા રવિચંદ્રને બે પુત્રે હતા, રતિચંદ્ર અને કીર્નિચંદ્ર, અન્યદા વૈરાગ્યવાન રાજા રતિચંદ્રને રાજ્યપદે સ્થાપન કરીને કીર્તિ ચંદ્રને યુવરાજ પદ આપી વનમાં તપ કરવાને ચાહે ગયે. રતિચંદ્ર પણ પિતાના બંધુ કીર્નિચંદ્રને રાજ્યકારોબાર સમર્પણ કરી ગીત ને ગાનતાનમાં સમય વ્યતીત કરવા લાગ્યા, રાજ્ય લેબી કીર્તિચંદ્ર સામંત મંત્રીઓને વશ કરી પોતે રાજ્યને માલિક થશે ને રતિચંદ્રને બાંધી પિતાની સામે હાજર કર્યો. મારાઓને લાવી તેને શિરછેદ કરવાને હુકમ કર્યો
રાજ્યભી કીર્તિચંદ્રને સમજાવવાને રતિ ખુબ પ્રયાસ કર્યો. બાંધવ! પિતાસમાન જેણે બંધુને મારી આપણા નિર્મળ કુળને લંક્તિ ના કર. આ રાજ્ય તારંજ છે ને તુંજ ભેગવા, મને છુ કર, કે જેથી પિતાના માર્ગે ચાલી તપવન જઈ તપ કરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com