Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
-
૪૩૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુમિત્રની વાણી સાંભળી બધા નાસભાગમાં પડ્યા. સુમિત્ર પણ એ સાર્થને સંકેલી લઈને ઝટપટ ત્યાંથી નાશી ગયે, પછી તે એ કરીયાણાના શકટ–ગાડાનો માલેક બની સુમિત્ર રાજી થયો.
બીજો દિવસ થયો તે દિવસના મધ્યાહ્ન સમયે સુમિત્રના પાપથી પ્રેરાયેલ દાવાનળ પ્રગટ થયા. દાવાનળથી ભય પામેલે સાર્થ બૂમો પાડતો નાચવા લાગ્યા, માલ ભરેલાં ગાડાં દાવાનળથી દગ્ધ થઈ ગયાં ને ચાકરે પણ નાશી ગયા. સુમિત્ર નશીબને હાથ દેતા નાઠે તે એક ગુફામાં પેસી ગયે ત્યાં તેને ભિલેએ પકડ્યો ત્રણ દિવસ રાખીને એને છોડી મુકયે મહાકષ્ટથી તે પિતાને ઘેર ગયે.
સાયંકાળે મૃગયા રમવા નિકળેલો શેખરનામે પલીપતિ ત્યાં આવી ચડ્યો. ગુણધરને પોતાના માણસો દ્વારા જાગૃત કરી તેની હકીક્ત જાણું પોતાના સ્થાનકે તેલ લાવી ખાન, પાનથી તેની આગતા સ્વાગતા કરી, - પિતાના માણસે મોકલી શેખર પદ્ધીપતિએ ગુણધરના સાથેની તેમજ તેના મિત્ર સુમિત્રની તપાસ કરાવી પણ તેને પત્તો લાગ્યો નહી. બીજે દિવસે પલ્લી પતિએ ગુણધરને સિદ્ધ રસનું તુંબડું આપીને રવાને કર્યો, પિતાના બે માણસો ગુણધરની સાથે તેને યોગ્ય સ્થાનકે પહેચાડવાને મોકલ્યા. ગુણધર પદ્ધીપતિનો આભાર માનતો તેના સ્નેહ અને સૌજન્યનાં વખાણ કરતાં અનુક્રમે વીરપુર નગરમાં આવ્યું ત્યાં જીણું વણકને ઘેર સુખપૂર્વક રહેવા લાગ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com