Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૪૦૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પણ થાડીજ કાંઇ કાઈની કાયમ ટકી રહે છે ? એ યુવાની ગઇ. મસ્તકના શ્યામ કેશ પણ શ્વેત વર્ણ ધારણ કરવાની હરીફાઈ કરી રહ્યા હતા. સુખ ' અને ભેગા ભાગવીનેય થાકી ગયા હતા. એવા સુખમાં પણ એ ભાગ્યવાનને એક દિવસે વૈરાગ્ય આવ્યેા.
પાતાના પ્રતાપ તેજથી પૃથ્વી મડળના શત્રુઓને જીતી લીધેલા હોવાથી આજે જગત ઉપર શાંતિનું માનું ફરી રહ્યું હતું. પૃથ્વી મંડળના રાજા શુ` કે સુભાશુ સર્વે રંગ રાગમાં પડી ગયા હતા. લક્ષ્મીના સદ્વ્યયી અનેક દારિદ્ર રૂપી વૃક્ષને છેદી દાનનું અનુપમ ફળ ભાગવી રહ્યા હતા. જીનેશ્વરના પ્રાસાઢા કરાવી જિન પ્રતિમાની સ્થાપના કરી જૈન શાસનના ઉદ્યાત કરી રહ્યા હતા. દેવ ગુરૂ અને ધમની સેવા કરતા તે સાતેક્ષેત્રોમાં ધનને વ્યય કરતા તેઓ બની શકે તે પ્રમાણે શ્રાવક ધર્મની આરાધના કરી રહ્યા હતા.
રાજા ગિરિસુંદર એક દ્વિવસે નિશાના ચતુર્થાં પ્રહરે સ્વપ્રમાં પતના શિખર ઉપર રહેલા પેાતાને જોયા. એ સ્વમ જોઇ જાગ્રત થયેલા રાજાના વિચારો કેવા નિર્દેળ અને પવિત્ર હતા. પરમેથ્રીમંત્રનુ સ્મરણ કરતા રાજા પ્રાત:કાલે જાગ્રત થઇ જીનમદિરમાં ગયા. જીનેશ્વરની સેવા પૂજા કરી નગરની બહાર ઉદ્યાનમાં એક આમ્રવૃક્ષની છાયાના આશ્રય લઇ રહેલા મુનિને જોઈ વાંદવા આવ્યેા. મુનિએ ધર્માંતે યાગ્ય જાણી તેને ધર્મોપદેશ આપ્યા.
મુનિના ઉપદેશથી વૈરાગ્યવંત થયેલા રાજા ગુરૂને નમી ઘેર આવ્યા. દીક્ષાની ભાવનાવાળા રાજાએ પાતાના અભિપ્રાય રત્નસારને કહી સભળાવ્યેા. રાજાની દીક્ષાની ભાવના જાણી રત્નસારે કહ્યુ, “હું બધા ! ભૂખ પુરૂષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com