Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૧૩ હતો. પાપથી રહિત, નિર્દોષ રમત ગમતમાં તે બને પોતાને સમય પસાર કરતા હતા. રાધાવેધ આદિ અનેક પ્રયોગ કરીને પોતાની કળાને સાર્થક કરી રહ્યા હતા. એવા નાના છતાં સજનેને પણ તેઓ માન્ય હતા.
એક દિવસે નગરીની બહાર ઉદ્યાનમાં મિત્રાદિક પરિવાર સમક્ષ રાધાવેધનો પ્રયોગ કરતા હતા તે સમયે બે વિદ્યાધરે ત્યાં થઈને આકાશ માર્ગે કેઈ કાર્ય પસંગે જઈ રહ્યા હતા તેમણે ભૂમિ તરફ દષ્ટિ કરતાં આ બન્નેને. રાધાવેધને પ્રવેગ કરતા જે પ્રસન્ન થઈને તેમની ઉપર પુષ્પવૃષ્ટિ કરીને આગળ ચાલ્યા ગયા. પુષ્પ વૃષ્ટિ જોઈ તેમને પરિવાર રાજી થયે “વાહ! આ બન્નેની દેવતાઓએ પણ પૂજા કરી.”
એકદા રાજા સુમંગલ રાજસભા ભરીને બેઠો હતો ત્યારે ઉત્તર દિશા તરફ મટે કોલાહલ થતે સંભળાય એ જગતને ભકારી ખળભળાટ સાંભળી સભા સહિત રાજા વિસ્મય પામે. “અરે મટી સેનાવાળે કઈ રાજા ચઢી આવ્યું કે શું ?” રાજપુરૂષ અને સુભટે પણ ક્ષોભ પામી ગયા. અનેક પ્રકારના વાજિંત્રના નાદ સાંભળી બધા આકાશ તરફ જેવા લાગ્યા. અરેઆ બધુ તેફાન આકાશમાં જણાય છે કે શું ? દેવતા અને દાનનું યુદ્ધ જાગ્યું શું ?”
સુંદર સ્વરૂપવાળા બે વિદ્યાધરે બધી રાજ સભાની દષ્ટિને આકર્ષતા આકાશમાંથી રાજસભામાં ઉતર્યા સિંહાસને બિરાજેલા સુમંગલ રાજાને બે હાથ જોડી વિનંતિ કરવા લાગ્યા. હે રાજન! ઉત્તરદિશામાં અનેક ગ્રામ, નગર અને આરામ (બગીચા)થી શોભતા વૈતાઢથ. પર્વતની અને શ્રેણિનું પાલન કરતા સુરવેગ અને સુવેગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com