Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૨૩ નગરમાં ગયો. તે દિવસથી પ્રતિ દિવસ ધર્મની આચરણ કરતા રાજા અનુક્રમે શુદ્ધ શ્રાવક થયે
એ વસંતપુર નગરમાં જીવાજીવાદિક તત્વનો જાણકાર જનપ્રિય નામે શ્રાવક રહેતો હતો. કદાગ્રહ સહિત અને માર્ગાનુસારી એવા તે શ્રાવક પ્રતિ દિવસ રાજા પાસે આવી શાસ્ત્રની વાત સંભળાવી રાજાને ધર્મમાં સ્થિર કરતો હતો રાજા પણ એ શ્રાવકનું બહુમાન કરતો હતો. એ શ્રાવકની સહાયથી સામાયિક, પૌષધ, જીનપૂજાદિક કાર્ય નિરંતર શુદ્ધપણે કરતો હતો. કારણકે સંસારમાં સાધર્મિક્ષણાની સગાઈ તે જ ખરી સગાઈ છે કે જે સગાઈ ભવાંતરમાં પણ આત્માને સુખ આપે છે.
તે નગરમાં સ્વજન પરિવારથી રહિત, નિધન, મોહન નામે કઈ વિપ્ર રહેતો હતો. તે નાસ્તિક હોવા છતાં આજીવિકા ખાતર જૈન ધર્મને પાળો, લોકેને જૈન ધર્મને ઉપદેશ કરતો ને પોતાનું ગુજરાન ચલાવતો હતે. એણે જીન પ્રિય સાથે કપટ મૈત્રી કરી. એકદા એની સાથે તે રાજાની પાસે આવ્ય, રાજની આગવી જૈનધર્માની પ્રશંસાના પુષ્પને વેરત રાજાના વિશ્વાસનું પાત્ર થયો. રાજાએ તેને પિતાના મુખ્ય જીનમંદિરમાં પૂજારી તરીકે રાખે કે જેથી નગરના મહાજનેને પણ તે માનને યોગ્ય થયે
સંસાર૫ર વૈરાગ્યવાન રાજાએ દીક્ષા ગ્રહણ કરવાને નિશ્ચય કરી મોહનને કહ્યું. “હે ભગુણવાન એવા કેઈક ધર્માચાર્યને તેડી લાવ કે જેમની પાસે હું પરલોકમાં હિતકારી એવા વ્રતને ગ્રહણ કરે, તેમની સેવા કરી સંસાર સમુદ્ર તરી જાઉ. 2
રાજાની વાત અંગીકાર કરી મેહન ચાલ્યો ગયો. પણ તે મનમાં વિચાર કરવા લાગ્યા. “આ રાજા જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com