Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસ» ધ
૪૦૧
સાંભળી રાજા સકલ પરિવાર સાથે ગુરૂને વાંઢવાને આબ્યા. ગુરૂને વાંદી યથાસ્થાને ધર્મોપદેશ શ્રવણ કરવાને બેઠા. ગુરૂએ પણ રાજાની આગળ ધર્મોપદેશ શરૂ કર્યો.
“શુભ અને અશુભ કર્મોથી પ્રાણીઓ ઉચ્ચ અને નીચકુળમાં જન્મ ધારણ કરે છે. દેવ તે નારકી, રાજા અને રંક, વિદ્વાન અને મૂખ, સુખી અને દુ:ખી, રૂપવાન અને રૂપા, એ બધા શુભ અશુભ કર્મોના ભેદો સમજવા યાદિક વડે કરીને માણસ પુણ્ય ઉપાર્જન કરે છે જેથી સ્વર્ગાદિક અદ્ભૂત સુખને મેળવે છે. તેમજ ચારિત્રધનુ: આરાધન કરી સ્વ ઉપરાંત અપવર્ગોની લક્ષ્મી પણ શું તે નથી મેળવતા ? માટે શુદ્ધ એવા જીનેશ્વર ભગવાને કહેલા ધમ હે પ્રાણીએ ! તમે આરાધા...”
ગુરૂના ઉપદેશ સાંભળી રાજા શ્રીખલે ગિરિસર અને રત્નસારને પૂર્વ ભવ પૂછ્યા. જેના ઉત્તરમાં ગુરૂએ શખરાજા અને કલાવતીથી શરૂ કરીને સર્વે ભવ રહી સભળાવ્યા. ત્રૈવેયકનાં સુખ ભાગવી તેઓ બન્ને તારા કુળમાં ઉત્પન્ન થયા છે. એ બધા ચારિત્રરૂપી વૃક્ષનાં મના હર કુલ જાણવાં મુક્તિને આપનારા એ ધર્મનાં રાજ્યાનિક પ્રાપ્તિરૂપ ફલ એ તા. સામાન્ય ફૂલ છે. અનાજને માટે ખેતી કરનારા ખેડૂતને તૃણની સમાન છે. પણ આશ્ચર્યની વાત તેા એ છે કે એક મુનિને શુદ્ધ આહાર આપવાથી તમને ચારેને આ અદ્દભૂત રાજ્ય પ્રાપ્ત થયું.”
ગુરૂનાં વચન સાંભળી રાજા વિસ્મય પામતા ખેલ્યા હે ભગવન્! શી રીતે એ બધુ થયુ' ? આપ જરા સ્પષ્ટ સાથી કહે છ
ગુરૂએ શ્રીમલ રાના પૂર્વભવ કહેવા શરૂ કર્યાં. પ્રતિષ્ઠાનપુર નગરમાં સુમૈલ નામે પુત્રને વિમ્ અને
૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com