Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૯૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જો છે??? એમ કહી એ મુસાફરે પોતાની વાત પૂરી કરી.
બધાય મુસાફરે એ વાત સાંભળીને ખુશી થયા પણ ગિરિસુંદરની ભાળ સમાચાર કેઈ આપી શક્યું નહિ, પણ સામાન્ય વેશમાં રહેલ ગિરિસુંદર બો. કહે પથિક! તને ધન્ય છે. તારી મિત્રતાને ધન્ય છે કે જે મિત્રને માટે તું આટલો બધો કલેશ સહન કરે છે. તું મને એ દેવપ્રસાદ ભૂપનું દર્શન કરાવ, મારા સમાગમથી એ રાજા પિતાના બંધુના વિરહને ભૂલી જશે-તે સારૂં થશે.”
“જો એમ હોય તો ચાલે ઝટ” તે બન્ને મિત્રો બનેલા ત્યાંથી ગાંધારપુરના રસ્તે પડ્યા,
પરદેશમાં ચંદ્રહાસ ખર્ગના પ્રભાવથી ગિરિસુંદર પેલા મુસાફર સાથે ગાંધારપુરમાં ખુબ શીઘતાથી આવી પહોંચ્યો મિત્રો થયેલા તેઓ બન્ને રાજસભામાં આવી પહોંચ્યા ત્યારે દેવપ્રસાદ પોતાના મિત્રની સાથે આવેલા આ પુરૂ 'ષને જોઈ ઘણે ખુશી થયો એના મિત્રે કહ્યું. “દેવ! આપના દર્શનની અભિલાષાવાળા આ પુરૂષ વિદ્યાવાન
અને ગુણવાન નર છે.” - દેવપ્રસાદે બનેનું સ્વાગત કર્યું. રાજાને સામાન્ય વેશ ધારી ગિરિસુંદર ઉપર પરમ સ્નેહ થયો. રૂપ, પરાવ
ન હેવાથી પિતાના ભાઈ તરીકે એ પુરૂષને રાજા જાણી શકશે નહિ. કેટલાક સમય જવા છતાં સિરિસુંદર ત આવવાથી રાજા વિચાર કરવા લાગ્યો “ભાઈના નહી આવવાથી દેવવાણી પણ વ્યર્થ થઈ કે શું? અથવા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com