Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
૨૯૪
પૃવોચંદ્ર અને ગુણસાગર રેગી, શેક, ભય, સુધા, દુર્ભગ, દુઃસ્વર એ બધાંય જીવહિંસાનાં ફળ છે. જે પ્રાણીઓ હિંસા થકી વિરામ પામતા નથી તે અતિ દુ:ખને પામે છે, ને જે હિંસાને ત્યાગ કરે છે તે સુખી થાય છે. જે હિંસક હોય છે, તે નિર્દયપણે પિતાના પિતાને પણ ઘાત કરીને નરકાદિ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. તેઓ શત્રુંજયરાજા અને શુરકુમારની માફક દુઃખને ભજનારા થાય છે. - “એ શકુંજય ને શૂર કેણ હતા ને હિંસાથી તેમને શું ફળ મલ્યું તે કહે.” સ્ત્રીઓના પૂછવાથી મુનિએ શ જયરાજા અને શ્રેરકુમારપિતાપુત્રનું દષ્ટાંત કહેવું શરૂ કર્યું
પૂર્વે આ વિજયમાં વિજયપુર નામે નગર હતું તે નગરના અધિપતિ શજયરાજાને પૂર અને ચંદ્ર નામે અને પુત્રો હતા, વડીલ પુત્ર ઘરને યુવરાજપદ આપ્યું ને ચંદ્રને કાંઈ પણ ન આપવાથી રિસાઇવિદેશ ચાલે ગયે..
ચંદ્ર વિદેશમાં ભમતો અનુક્રમે રત્નપુરનગરના ઉદ્યાનમાં આવ્યા ત્યાં એક મુનિને જોઈ તેમને નમસ્કાર કરી તેમની આગળ બેઠે, મુનિએ દયાધર્મનો ઉપદેશ આપ્યો. - જીવદયાને ઉપદેશ સાંભળી બેધ પામેલા ચંદ્દે સંગ્રામ સિવાય પંચિંદ્રિય જીવને વધન કરવાનો નિયમ ગ્રહણ કર્યો તે પછી તે રત્નપુરનગરના રાજા જયસેન નરપતિની સેવા કરવા લાગ્યો, અનુક્રમે તે રાજાને વિશ્વાસુ થવાથી એક દિવસે રાજાએ ખાનગીમાં કહ્યું કુંભ નામને સામંત મહા બળવાન અને અભિમાની થઈ ગયો છે માટે ગુપ્ત રીતે ત્યાં જઈને એને મારી નાખ” રાજાનાં વચન સાંભળી ચંદ્ર બે .
" “મહારાજ ! એ પાપ મારાથી નહી થાય, સંગ્રામ સિવાય કઈ પણ પ્રાણવધ ન કરવાને મેં ગુરૂ પાસે નિયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com