Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસ અધ
૩૪૯
જયવેગ વિદ્યાધરની હકીકત સાંભળી રાજા મેલ્યા પ્રમાદીને અથવા તા કાઈને છેતરીને ઘા કરવા એ સજ્જનનું કામ નથી. ”
፡ “ હશે” તમારા જેવાનાં દશન થવાથી મારે તા આપદા પણ સંપદા રૂપ થઇ. ” રાજા એ પ્રકારે ઉપકાર માનતા વિદ્યાધરને તેની પ્રિયા સહિત પાતાના સ્થાનકે તેડી લાબ્યા, ત્યાં તેમના સારી રીતે સત્કાર કર્યો. પટ્ટરાણી અને તે વિદ્યાધરીને સહીપણાં થયાં. રાજાની મહેમાનીના સ્વાદ ચાખી વિદ્યાધર પાતાની પ્રિયા સહિત પાતાના સ્થાનકે ચાલ્યા ગયા.
પૂર્ણ સમયે સારા ગ્રહના યાગ થયે છતે પટ્ટરાણીએ પુત્રના જન્મ આપ્યા. વધામણિ આપનાર ચેટીને રાજાએ મુગુટને વઈને સર્વે આભરણ આપી દીધાં. રાજાએ માટા જન્મ મહાત્સવ કર્યાં. દીન અને ૨ કજાને ખુબ દાન દીધાં. સ્વને અનુસારે રાજાએ સગાં સમધીની સાક્ષીએ એ પુત્રનું નામ રાખ્યુ. શૂરસેન,
પાતાના મિત્રને ત્યાં પુત્રના જન્મ જાણી જયવેગ વિદ્યાધર પાતાની પ્રિયા સાથે ત્યાં આવી પહેાચ્યા. એમને જોઇને રાજારાણી પણ ખૂબ ખુશી થયાં. કુમારના અદ્દભૂત રૂપથી પ્રસન્ન થયેલી રવિકાંતા વિદ્યાધરી પેાતાના દ્રિવ્ય આભરણથી એને શણગારવા લાગી હતી રાણીને કહેવા લાગી. “ સખી ! કોઈ નિમિત્તિયે મને કહ્યું છે કે તારે પ્રથમ ગલે કન્યા આવશે, તેથી જો મારે પુત્રીને જન્મ થશે તા એ કન્યાને હું આ કુમાર સાથે પરણાવીશ. ”
વિદ્યાધરીનું વચન સાંભળી રાણી મેલી. “ પ્રિય સખી ! દેહ માત્રથીજ આપણે જુદા છીએ મનથી નહિ, માટે તને જેમ રૂચે તેમ કરજે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com