Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
1
એકવીશ ભવને નેહસંબંધ
૩૫૫ - મનુષ્યમાં લેગ સામગ્રી હોવા છતાં પ્રિય વિજોગ, રેગાદિ તેમજ અલ્પ કાળ માટેના ભાગો હોય છે. દેવતાએને પણ ભોગ સામગ્રી શાશ્વતી હોતી નથી. એ ભોગે પંડિતના મનને મેહ પમાડી શકતા નથી તે એ અસાર ભોગે ત્યાગ કરી તમારે આત્મહિત સાધી લેવું
મુનિની વાણું સાંભળી રાજા નગરમાં ચાલ્યો ગયો. મુનિના ગુણને નિશા સમયે પણ યાદ કરતો રાજા નિકા વશ થઇ ગયે, બ્રાહ્મ મુહૂર્ત દેવ દુદુભિથી રાજાની નિકા નાશ પામી. મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયેલું જાણી રાજા મોટા આડંબરથી મુનિને વાંદવા આવ્યો,
દેવતાઓથી મહત્સવ પૂર્વક પૂજાતા મુનિને જોઇ રાજા અધિક હર્ષવાન થઈ કેવલીને નમી સ્તુતિ કરી છે હાથ જોડી મુનિના મુખમાંથી નિકળતા વાક્યામૃતનું પાન કરવા લાગે, . એ સમયે કે તેજસ્વી અને જય જય શબ્દ કરતો દેવપુરૂષ મુનિના ચરણમાં નમ્યો તેને જોઈને ખુશી થયેલા રાજાએ કેવલી ભગવાનને પૂછયું, “હે ભગવન ! આ કેણ પુરૂષ છે? આપની ઉપર અત્યંત ભક્તિવાળે છે એનું કારણ શું ?
૨જાને પ્રશ્ન સાંભળી કેવલી ભગવાને એ પુરૂષનું ચરિત્ર પર્ષદા આગળ સર્વના લાભને માટે કહેવું શરૂ કર્યું.
રાત્રિલેજનનું ફલ. જેમ જેમ સમ્યકત્વ શુદ્ધ થાય છે તેમ તેમ દેવગુર અને ધર્મ ઉપર શુદ્ધ ભક્તિરાગ જાગે છે. તેમાંય વળી આ પુરૂષની ભક્તિનું કારણ હે રાજન! તું સાંભળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com