Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૫૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પધખંડ નગરમાં ધનવાન ઈશ્વર અને ધનેશ્વર નામે બે વણિક મિા રહેતા હતા, ઇશ્વર જૈન ધર્મમાં પ્રીતિ વાળા તેમજ રાત્રીભોજનના ત્યાગરૂ૫ વતવાળા ધર્માનુરાગી હતા ત્યારે મિથ્યાત્વધર્મથી દુષિત ધનેશ્વર વિપરીત બુદ્ધિનો હેવા છતાં પણ બને વચ્ચે કંઈક મિત્રતા હતી,
પ્રતિદિવસ દિવસના આઠમા ભાગે ભોજન કરવામાં તત્પર ઇશ્વરને જાણીને કદાગ્રહી ધનેશ્વર ધર્મની નિંદા કરવા લાગે છે ! આ અજ્ઞાની ઈશ્વરની ચેષ્ટા તો જુઓ ! દિવસમાં બે વાર ભોજન કરે છે પરંતુ શાસ્ત્રમાં સદા પવિત્ર કહેલું નક્તવ્રત (રાત્રીભોજન) ક્યારે પણ કરતા નથી.”
ધનેશ્વરની વાત સાંભળી ઈશ્વર બોલ્યા, “મિત્ર! કદાગ્રહમાં સાવધાન પણે ધર્મની નિંદા કરી આત્માને ભવ સાગરમાં ડુબાવનાર નિવિડ પાપકર્મ વડે તું શા માટે બંધાય છે? બુદ્ધિમાનોએ તે વિચાર કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ, અલ્પ દોષ વાળાને આદરી બહુ દોષવાળું છોડી. દેવું જોઈએ. આદનાદિક અલ્પષ વાળું ભોજન કરી મહાદેષવાળા માંસાદિકને ત્યાગ કરવો, પરવ્ય હરણ, અને પરસ્ત્રી સેવન એ બહુ દેદિયા પાપને પણ ત્યાગ કરી શ્રાવકે સ્વદ્રવ્ય અને સ્વસ્ત્રીમાંજ સંતોષ ધારણ કરે તેમજ રાત્રી ભોજન (વક્તવ્રત)માં તે પારાવાર દોષ હેવાથી વિવેકી પુરૂષે તેને અવશ્ય ત્યાગ કરે છે, - રાત્રી ભોજનના દેને તે પાર નથી જ્યારે ગુણ એક પણ નથી અને અનેક જીવોની વિરાધના રાત્રી ભોજનમાં રહેલી છે. દિવસે ભોજન કરવાથી તૃપ્તિ ન થઈ તે રાત્રી ભોજન કરનારને તૃપ્તિ થશે નહિ, - રવિ ભજન જે પ્રાણી કરતું નથી તેનું જીવતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com