Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવન નેહસંબંધ
એન રાજાએ વાણિયા કરી
એની હિતવાર્તાને અનાદર કરવો નહિ, ઈત્યાદિક ઉપદેશ આપી રાજાએ જીનમંદિરમાં અષ્ટાક્ષિક ઉત્સવ કરી શ્રાવકના સમુહને, વસ્ત્ર, રૂપું, સુવર્ણ, મણિ માણેક વગેરેનું દાન આપી ચંદ્રસેન રાજાએ મહોત્સવ કર્યો છે એવા રાજાએ ગુરૂપાસે આવી પ્રિયા સહિત દીક્ષા ગ્રહણ કરી.
અનુકમે તેઓ રાજારાણી અગીયાર અંગનાં જ્ઞાતા થયાં. નિરતિચારપણે ચારિત્ર પામતાં રૂડી ભાવના વડે આત્માને નિર્મળ કરવા લાગ્યાં. તરૂપી અગ્નિ વડે કરીને તેમણે મહાન ગાઢ કર્મ પણ બાળી નાખ્યા ને આત્માને પાપથી રહિત-શુદ્ધ કર્યો. જીનમતના જાણ એવા તેમણે મિથ્યાત્વ રૂપી વૃક્ષને નાશ કરી રાગ અને દ્વેષરૂપ બને શત્રુઓને નાશ કર્યો.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપી ચેરે ચારિત્ર રૂપી ધનનું હરણ કરી જતા હતા. તેમને જીતીને વશ કરી લીધા, સંયમરૂપી સામ્રાજ્યલક્ષ્મીને પામતાં ત્રણ ગાવ રૂપી અરિત્રિકનો નિર્મમત્વરૂપી શસ્ત્ર વડે નાશ કરી નાખે, ક્રોધાદિક ચારે કષાયને પિતાના ચારિત્રના પ્રભાવે મંદ પ્રતાપવાળા કરી દીધા. કામદેવના માહાભ્યને વિદ્વસ કરી દીધો ને પ્રમાદાદિ દોષોને હટાવી દૂર કર્યો. એ પ્રમાણે અપ્રમત્તપણે ચારિત્ર ધર્મનું આરાધન કરતા મોક્ષની લક્ષ્મી તેમણે નજીક કરી. દીર્ઘકાલપર્યત ચારિત્રને પાળી અંત સમયે તેમણે એક માસનું અણસણ કરી દીધું.
નર ભવનું આયુષ્ય પૂર્ણ કરી રૂડા ચારિત્રના પ્રતાપે પ્રથમ શૈવેયકને વિષે વીશ સાગરોપમના આયુષ્યવાળા અનુક્રમે તે બને ઉત્તમ દેવ થયા અને ઈકની પદવીને પ્રાપ્ત થયા,
ચૌદ રાજલોકરૂપી પુરૂષના ગાળા સ્થાનકે રૈવેયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com