Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
:
૩૧.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
વિજયમાં ચંદાભા નગરીના શ્રેષ્ઠી પુરંદરને ત્યાં પુત્રપણે. ઉત્પન્ન થયે. તેનું નામ સ્થાપન કર્યું સિદ્ધદત્ત, તે કળામાં કુશલ થઈને અનુક્રમે યૌવનવયમાં આવ્યું,
વસુદત્ત પણ કુકમથી આજીવિકા ચલાવતે મરણ પામીને કેઈ બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયો તેનું નામ કપિલ દરિટી હોવા છતાં કપિલને એના માતાપિતાએ પરણાવ્યા તેની સાથે વિષયસુખ ભોગવતાં તેને બહુ પુરો થયા
માતાપિતાના મરણ પામવા પછી દારિદ્રથી દુ:ખી થયેલો કપિલ સીના તિરસ્કારથી દ્રવ્ય ઉપાર્જન કરવાને ચાલ્યો ગયે, પણ પાપના ઉદયથી તેને કોઇ લાભ થયે નહિ-દુઃખી દુઃખી થઈ ગયો.
પારાવાર દુ:ખમાં ભટકતા એ કપિલને એક દિવસે કેઈ કાપાલિક સાથે ભેટે થયે, ધનને અર્થી જાણીને કપિલને તે કાપાલિકે કહ્યું. “જો તારે ધનની જ જરૂર હોય તે ચંદ્રભા નગરના ઉદ્યાનમાં રહેલી આશાપૂરિકા દેવીની આરાધના કર, તે તારી આશા સફલ થશે.' - કાપાલિકાનાં વચન સાંભળી કપિલ ચંદાભા નગરીએ આવી પુષ્પાદિકથી દેવીની પૂજા કરી ધ્યાન, મૌન અને ઉપવાસથી દેવીની આરાધના કરવા લાગ્યો, ત્રણ દિવસ વહી ગયા ત્યારે રાત્રીને સમયે દેવી બોલી. “તું શા માટે અહીં બેઠો છે?
ધન માટે ટુંકમાં કપિલ
કઈ દિવસ તે કઈને કાંઈ આપ્યું છે કે તું ઘન માગે છે. દેવીના કહેવા છતાં તે કપિલ બેલે. “હે દેવી! ધન વગર આ દુનિયામાં જીવતર ઝેર સમાન છે માટે ધન નહી આપે તે તારા દ્વારે હું તે મરીશ તેને નિશ્ચય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com