Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૪૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જ્ઞાની ગુરૂની વાણી સાંભળી રાજ શ્રી કેતુ (ચપપતિ)નાં મિથ્યાત્વ પડલ દૂર થતાં એનાં જ્ઞાન ને ખુલી ગયાં. “હે ભગવન ! એમનાં જીવિતને ધન્ય છે કે જેમનાં વૃત્તાંત પણ એકાંતે હિતકારી અને મનોહર છે, હું તે. પાપરસિક, સતીને સંતાપનાર, મહાન દુરાચારી છું છતાંય મારું પુણ્ય જાગ્રત છે કે આપને ધર્મોપદેશ સાંભળવાને હું લાગ્યવાન થયો છું. હે ભગવન ! આજથી એ દુર્થર શીલશત મારે છે. યાવત જીવન પર્યત મારે એ વ્રત મંજુર છે.”
વિનયધર શેઠ હાથ જોડી . “હે ભગવન! આપના ધર્મોપદેશથી અમારે સાંસારિક મેહ નષ્ટ થયેઅમને ચારિત્રરત્ર આપીને અમારે ઉદ્ધાર કરે !
“તમારે માટે તે યોગ્ય છે માટે સારા કાર્યમાં વિલંબ કર નહિ” ગુરૂએ અનુમતિ આપી. ગુરૂને વાદીને સર્વે પોતપોતાને સ્થાને ગયા વિનયંધર શેઠ ચારે પ્રિયાએ સાથે દીક્ષાની તૈયારી કરવા લાગ્યા. આ અપૂર્વ અવસર જોઈ શ્રી કેતુની દીક્ષાની ભાવના પણ વૃદ્ધિ પામી. મંત્રીઓએ સમજાવવા છતાં એની ઉત્તમ ભાવનાને વેગ અટકી શકશે નહિ. છમાસના ગર્ભવાળી પટ્ટરાણુ વૈજયવતીને રાજગાદી ઉપર અભિષેક કરી રાજાએ પણ વિનયંધરની સાથે દીક્ષા ગ્રહણ કરી.
રાજા, વિનયંધર, એની ચારે પ્રિયાઓ તેમજ બીજા કેટલાક ભાવિક પુરૂષની એ પ્રમાણે દીક્ષા થઈને જયજયકાર વર્તી રહ્યો. પછી તો ગુરૂ મહારાજ પરિવાર સાથે વિહાર કરી ગયા.
ગર્ભનું પાલન કરતાં વૈજયવંતી રાણીને એક પુત્રીને પ્રસવ થયે પુત્રીના જન્મથી દુખી થયેલી રાણીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com