Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૨૩૫
અથવા તો ભવિતવ્યતા બલવાન છે, છતાં આ બાળા એક સામાન્ય પુરૂષ સાથે તે નજ રમે, રાજલક્ષ્મી ક્યારે પણ તુચ્છ પુણ્યવાળાની ઈચ્છા કરે છે શું ? અત્યારે તે એણે જે નરને પસંદ કર્યો તેનું મારે ગૌરવ કરવું જોઈએ.” - રણજંગ સમાવી પિલા વીણાધારીને હણી નાખવાને તૈયાર થયેલા રાજકુમારોને નિવારી કેટલાક ડાહ્યા રાજવંશી રાજાની પાસે આવી કહેવા લાગ્યા. “રાજન ! જો તમારે આ વીણધારીનેજ કન્યા આપવાની હતી તે રાજકુમારને બોલાવી તેમનાં અપમાન કરવાની જરૂર નહતી, રાજવંશીઓની નજર સમક્ષ કન્યા વિણાધારીને વરી શકશે નહી. માટે કન્યાએ કરેલી ભૂલ તમે સુધારી કેઈ રાજવંશી કન્યા આપે.”
એ રાજવંશીનાં વચન સાંભળીને શાંતિને ધારણ કરતે રાજા રવિ તેજ છે . “અરે, સ્વયંવરમાં કન્યા પિતાની મરજીથી ગમે તેને વરે એમાં બીજાની માનહાની ને સવાલજ કયાં છે? છતાંય તમારો કોઇ કાબુમાં ન રહેતો હેય તો લડવાને હું પણ તૈયાર છું.”
અરે ભાઈઓ ! ખોટા અભિમાનથી ઉદ્ધત બની પિતાના કુળને કલંકિત કરે નહિ, આ સામાન્ય વીણાધારી જણાતે નર કેઈ અસામાન્ય નર સમજી તમારાં બધા કરતાં એનું પુણ્ય જ્વલંત હોવાથી બધાય રાજવંશી અને ભપકાબંધ રાજકુમારને છડી કન્યાનું ચિત્ત ત્યાં આર્જાયું છે તેટલુંય નથી સમજતા, આ ગુણવાન અને કલાવાન તેમજ પ્રતાપી નરને દ્વેષ કરી તમે સાર કાઢશે નહિ.” રાજકુમાર દેવરથના મિત્ર, નકલી દેવરથે એ લડવા. તૈયાર થયેલા રાજવંશીઓને સમજાવતાં કહ્યું,
બળથી પિતાને ઉદ્ધત અને પરાક્રમી માનતા સર્વે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com