Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૭૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
સાધના કરતા જૈનશાસનની શોભા વધારતો પ્રભાવનાનાં અનેક કાર્યો કરવા લાગ્યા, - નરપતિએ અનેક જીનેશ્વર ભગવાનના પ્રાસાદ કરાવ્યાઅનેક જીનપ્રતિમાઓ ભરાવી, સમ્યક્ત્વની શુદ્ધિને માટે અનેક રથયાત્રાના મહોત્સવ કર્યા ચતુર્વિધ સંઘની સાથે અનેક વાર તીર્થયાત્રાઓ કરી. સાધર્મિકની ભક્તિ કરીને રાજાએ અનેક દીન, દુખી અને ગરીબ જૈનબંધુઓના ઉદ્ધાર કર્યો ને શાસનની નિંદા કરનારા, જૈન શાસનની ઝિંભાવનામાં અંતરાય કરનાર અનેકને નિવાર્યા. પિતાના રાજ્યમાંથી સાતે વ્યસનને નાશ કરાવી નાખ્યો. રાજ્યનું રૂડી રીતે પાલન કરતો અને ધર્મની પ્રભાવનાનાં કાર્ય કરતો રાજા પિતાને પાછલે કાલ નિગમન કરતે હતો
મહારાણી રત્નાવલીને ધવલ નામે કુમાર અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયો ત્યારે રાજાને આ ભવ ઉપર વૈરાગ્ય પેદા થયે સંસારની અનિત્યતાનું ચિંતવન કરતો રાજા રાજ્ય ગાદીપર ધવલકુમારને સ્થાપન કરી રાજ્યભારથી ચુત થયે - રાજા રાજ્યભારથી મુક્ત તે થયે છતાં વીર્યાન્તરાય કર્મના ઉદયથી ચારિત્રને ગ્રહણ કરવાને અશક્ત હેવાથી સંસારની ઉપાધિથી મુક્ત રહીને એકાંતે ધર્મ સાધન કરવા લાગ્યો ને ચતુર્વિધ સંઘની પૂજા કરવા લાગ્યો, તેમજ પૌષધમાં અને શાસ્ત્ર અભ્યાસમાં પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યો આવશ્યકાદિક ક્રિયામાં પ્રીતિવાળો રાજા સાધુની સમાન જીવનની મર્યાદાવાળો થઈ ગયે, એ ધર્મારાધન કરવામાં પ્રતિવાળા રાજાને કેટલાક સમય ચાલ્યો ગયે - તપ કહેવાથી જેણે કાયાને ગાળી નાખી છે એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com