Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૫
એકવીશ ભવને સ્નેહસંબંધ ઑલી “વત્સ! તું અમને મુકીને જતો રહ્યો પણ તારા જવા છતાં તારા વિશે પણ અમેં જીવીએ છીએ તે અમે વજમાફક કઠોર હૈયાનાં છીએ તેથી જ આજે અમારા મેટા પણ તારો મેલાપ થ. રે પુત્ર ! વડલાની શાખા-- ઓની પેઠે તું રાજ્ય દ્ધિ, પુત્ર, કલત્ર સહિત વૃદ્ધિ પામ, જય પામ!
પિતાની માતાની આશિષ મેળવી બીજી માતાઓને પણ નમે તે પછી પ્રધાનાદિક સર્વેને મલી ભેટી કુશ લતાં પૂછી. વૃદ્ધજને સંતોષ પામ્યા.
રાજસભામાં રાજાએ કમલસેનને પૂછયું, “હે પુત્ર અહીંથી નિકળી ગયા પછી તને આ બધી સાહેબી શી રીતે મલી તે સર્વે સ્પષ્ટતાપૂર્વક કહે ?' ' - વડીલનું વચન અલંધ્ય જાણી કમલસેને પિતાની હકીકત બધી કહી સંભળાવી, મલસેનની હકીકત સાંભળી બધા સંભે આશ્ચર્ય પામ્યા. કુમારની વાત સાંભળી શત્રુંજય રાજા પણ મસ્તકને કંપાવતો બોલે
અહો! આશ્ચર્યની વાત છે. જુઓ તો ખરા? જગતમાં કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિથી ય અધિક મહિમાવાળો ધર્મ જયવંતો વર્તે છે, કે જેના પ્રભાવથી મનુષ્યપણુંએ સર્વે સમાન હોવા છતાં ધર્મથી મનુષ્ય કે મહાન બની શકે છે. પ્રાણીને ધર્મના પ્રભાવથી શું નથી મલતું ? નિષ્કલંક અને ઉચ્ચ કુળમાં જન્મ, અખંડિત દીર્ઘ આયુ
ષ્ય, એશ્વર્ય, ભૂજાબળ, શરીરે નિગીપણું, અપરિમિત લક્ષ્મી, અનુપમ ભેગો, યશ અને કીર્તિ, એ બધુંય ધર્મ થકી મલે છે, એવા કલ્યાણકારી ધર્મથી જગતમાં કે મહાન છે? એવા ધર્મને ઉપાર્જન કરવામાં આળસુ મારે હવે આ રાજ્યપિંજરમાં પૂરાઈ રહેવું શું યોગ્ય છે?”
જગતમાં
વૉ , મણિથી આ
અને સમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com