Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મુહૂર્તને દિવસે સર્વ રાજકુમારે મણિરત્ન જડીત સ્વયંવર મંડ૫માં પોત પોતાના આસને બિરાજ્યા. સ્વયં વર મંડપની મધ્યમાં રાધાએ કરીને યુક્ત સ્તષ્ણની રચના કરી હતી. લલિતાગ કુમાર પણ ત્યાં હાજર હતાતેણે સર્વેની અજાયબી વચ્ચે રાધાવેધની સાધના કરી. લલિ તાંગને જોઈ ભવાંતરના સ્નેહથી રાજકુમારી અત્યંત સંતુષ્ટ થયેલી હર્ષ પામી. રાજકુમારી મનથી લલિતાંગને વરી ચકી, લલિતાંગ સાથેના લગ્ન ઉપાયને ચિંતવતી મનમાં કંઇક શેચ કરવા લાગી
રાજબાળાને જેવા માત્રથી કામાતુર થયેલ કેઈક બેચર મોહનીમથી યુધ્ધ કરતે રાજબાળાને હરાને ચાલ્યો ગયો.
ક્ષણવારમાં બધુ વ્યવસ્થિત થતાં રાજકુમારી અદશ્ય થયેલી જણાઈ રાજા વગેરે પરિવાર હાહાકાર કરવા લાગે બધા રાજકુમારે એકત્ર થઈ રાજકુમારીની શોધ માટે વિચાર કરવા લાગ્યા. તેમને ઉદ્દેશીને રાજા બોલ્યા, “હે રાજકુમારે! કઈ દુષ્ટ વિદ્યાધર રાજકુમારીને હરી ગયો છે ને હર્ષ સ્થાને અત્યારે વિષાદ છવાઈ રહ્યો છે કિંતુ જે બળવાન પુરૂષ તે વિદ્યાધર પાસેથી મારી કન્યાને પાછી લાવશે તેને હું મારી કન્યા આપીશ તો તે માટે તમે સૌ તમારી શક્તિ પ્રમાણે ઉદ્યમ કરે ?
રાજાની ઉદ્દષણા સાંભળીને પોતાની બળવાન ભૂજાઓને જેતે લલિતાગ બે- અરે! કેઈ એ પુરૂષ છે કે મને તે દુષ્ટ ક્યાં છે તે બતાવે ?”
- લલિતાંગ કુમારની વાત સાંભળીને એક બીજો રાજકમાર બોલ્યા, “જોતિષ લગ્નના બળથી તે હું જાણી શકું છું કે રાજકુમારીને લઇને તે વિદ્યાધર ખુબ દૂર જતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com