Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજન ! જે તમે પરાણુને ત્યાગ કર્યો. તે કલ્પલતા છેદાઈ ભૂમિપર પડેલી સમજવી. એ લત્તા ફળવાળી થઈ એટલે રાણી પુત્રવતી સમજવી ને કલ્પવૃક્ષ ને પાછી વળગીગઈ એટલે તમને પટ્ટરાણી આજે મળવી જોઈએ. ચોથા પ્રહરે તેમાંય પરેઢમાં આવેલું સ્વપ્ન તે દિવસે જ ફળને આપનારું થાય છે માટે આજે તમને પુત્ર સહિત કલાવતી મલશે !”
ગુરૂની વાણી સાંભળી રાજા ઘણે ખુશી થયે પિતાને આનંદ પ્રગટ કરતો તે બોલ” ભગવાન ! આપના. પ્રભાવથી મારું સારંજ થશે,
સૂરિને વંદન કરી શંખરાજ નંદનવનમાં પોતાને ઉતારે સ્થાનકે આવ્યો. રાજાએ વિચાર કરી દત્તને પોતાની સન્મુખ બોલાવી આજ્ઞા કરી. “મિત્ર! જે કે લજજાથી હું તને કહેવાને અસમર્થ છું, દુર્બુદ્ધિવાળા મેં તારી ધર્મભગિનીનું ઘણું અનર્થ કર્યું છે, મારા એ પાપને ભૂલી જઇતુ શીધ્ર ગતિએ ભદને સાથે લઈ તપાસ કરી તારી બહેનને તેડી લાવ ! અન્યથા ગુરૂએ આશ્વાસન આપ્યા છતાં એ જે નહિ મળે તે અવશ્ય હું આવતી કાલે કાષ્ટભક્ષણ કરીશ. માટે ગમે તેમ કરી એને સમજાવીને હે દત્ત! તું મોટા માન સહિત તેને તેડી લાવ, ”
“જેવી આશા દેવ !” દતે રાજાનું વચન અંગીકાર કર્યું. પ્રાત:કાળમાંજ દત્તષિ ભટ્ટ તેમજ બીજા છેડા પરિવાર સાથે મારતે ઘડે ભકના બતાવેલા માર્ગે જગલ તરફ રવાને થયે,
ભટે ભયંકર જંગલમાં કલાવતીને છોડી હતી ત્યાં આવી પહોંચ્યા, જંગલમાં ચારે બાજુએ તેઓ શોધ કરવા લાગ્યા એટલામાં કાષ્ટ વીણી રહેલા તાપસ ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com