Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
-
૭૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સભાસ્થાનમાં રાજા મંત્રી, સામતને મલી ભેટી ડીવારે પોતાના નિવાસસ્થાને આવ્યો. અનેક દીપિકાએથી ઝગઝગી રહેલા તેજમાં કલાવતીનું પવિત્ર મુખારવિંદ જોયું, એ મુખાવિંદને જેવાને પણ અસમર્થ એ રાજા મંદમંદ ડગલાં ભરતો કલાવતીની પાસે આવ્યો ક્રોધથી અધોવદનવાળી કલાવતીએ રાજાની સામે દૃષ્ટિ પણ કરી નહિરાજાએ પોતાના હાથે એનું ગૌરવદન ઉંચુ કરી પિતાની સામે સ્થિર કર્યું. “પ્રિયે ! જરા મારી સામે તો જે ?
નિર્ભાગિણી એવી મારી સ્તુતિ કરવાથી શું ? રાજન !
નિર્ભાગી અને નિર્ગણિ તો હું છું કે જેણે તારા જેવી સતીમાં શિરમણિ નારીને વિડંબના પમાડી-દુ:ખી કરી એ મારું અવિચારી કૃત્ય ક્ષમા કરશે
“સ્વામિન ! એમાં તમારે શું દોષ, તમારામાં પ્રીતિવાળી મારે કાંઈ પણ દોષ ન હોવા છતાં તમે મારી કર્થના કરી એ મારા કર્મને જ દોષ હશે, અન્યથા બીજું શું હોઈ શકે?” કલાવતીએ પોતાના કર્મને દેષ જણાવી રાજાનું મન શાંત કર્યું
પતિમાં એક ભક્તિવાળી કુલવંતી નારીઓ પતિના છતા દોષને પણ ન જોતાં પિતાના કર્મને જ દોષ કાઢી આત્મનિંદા કરે છે તે તેં સત્ય કરી બતાવ્યું.
“હશે! એ વાત જવાદો. રાજા ગુન્હેગારને તો ઉગ્ર શિક્ષા પણ કરે! પણ કહે તો ખરા કે તમે મને મારા ક્યા અપરાધની શિક્ષા કરી?
કલાવતીને પ્રશ્ન સાંભળી રાજા ઝંખવાણો પડી ગયે. જે વાતે રાજાના હૃદયમાં શંકા જન્માવી હતી તે બાબત કહેવાને પણ અસમર્થ રાજા વિચારમાં પડી ગયો પ્રિયે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com