Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સનેહસંબંધ
૧૨૭ હતી તે દરમિયાન રૂદ્ધિસુંદરી અને સુધર્મની નજર એક બીજા તરફ આકર્ષાઈ - સખીઓની મીઠી મશ્કરીથી મુંઝાયેલી રૂદ્ધિસુંદરી પિતાને મકાને ચાલી ગઈ. જતાં જતાંય સુધર્મ તરફ દષ્ટિ કરતાં સુધર્મને છીંક આવવાથી નમો નેંકાય એ શબ્દ તેના મુખથી નિકળેલ દ્વિસુંદરીએ સાંભળ્યો. એ સુરૂપ વ્યવહારીયાને જનધર્મ-પિતાને સાધર્મિક સમજી વિશેષ રાજી થઈ સખીઓએ આ વાત ઋદ્ધિના માતાપિતાને સમજાવી દેવાથી એના પિતાએ સુધર્મના કુલ, વ્યવહારની ખાતરી કરી,
સુધર્મ પણ ઋદ્ધિસુંદરીને જોતાં એના સ્વરૂપરૂપી દીપકના તેજમાં પતંગીયાની માફક વિવશ થઈ ગયે, એ
સ્વરૂપનિશામાંજ ચકચુર થઈ ગયો, એ સુંદરીના ધ્યાનમાં બીજા વ્યાપારના વિચારે ય ભૂલી ગયે, “વિધિએ કુરસદે ઘડેલી શું એ દેહલતા! એ સૌંદર્યની સુવાસ હજી પણ જીગરમાંથી ભુસાતી નથી. જગતમાં એ બાળાને જે પતિ થશે તે એકજ ધન્યવાદને પાત્ર છે. આ જીવનમાં જે એ મનહર બાળ ન મળે તે કાંઈ નથી, તે જીવન એળે ગયું સમજવું. અરે! આ બાળ મને શી રીતે મળે?
સુમિવશેઠ પાસે ઋદ્ધિસુંદરીનાં અનેક માગા આવવા લાગ્યાં પણ શેઠની દષ્ટિ કેઇના પર કરતી નહિ. ઘણે ભાગે તે પિતે જૈનધર્માનુરાગી હેવાથી પુત્રી મિથ્યાવીને-પરધમને ત્યાં જઈ ધર્મભેદના કારણે દુઃખી થાય તેથી અન્ય ધર્મને તે ઘસીને સાફ ના પાડતા તેમજ બીજા કેઈ કારણે પણ શેઠની પસંદગી ઉતરતી નહિ,
દ્વિસુંદરીનું સુધર્મ તરફ આકર્ષણ જાણીને શેઠે સુધર્મના સંબંધમાં ખાતરી કરી લીધી. જૈનધમી તેમજ રૂપ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com