Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
E
૧૩૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રમાંથી હું જે સલામત કેઈ શહેરમાં જાઉ તો તે કે સાવીને વેગ પામી સંયમને આચરીશ, માટે એટલે સમય કાલ વિલંબ કરીને આ પાપીને ભાવું તો કેમ?” | મનમાં વિચાર કરીને ઋદ્ધિ બોલી “હે સાર્થવાહ! અત્યારે પતિના મરણથી મારૂં ચિત્ત અસ્વસ્થ છે. સાગ રને પાર પામ્યા પછી કોઈ શહેરમાં જવા પછી સમયને ઉચિત હું કરીશ” રૂદ્ધિસુંદરની આશાપાશથી બંધાયેલો. સાર્થવાહ એટલે સમય ધીરજ ધરીને રહ્યો “મારા કબજામાં રહેલી આ ગરીબ વરાકી હવે ક્યાં જશે ? '
માણસ શું વિચાર કરે છે? ભાવી શું હોય છે? માનવીના વિચાર અને ભાવીનું વિધાન ભાગ્યેજ એક બીજાને અનુકૂળ હોય છે. સુલોચનના પાપથી સમુદ્ર દેવતા. કે પાયમાન થયા હોય, વાયુ કે હાય તેમ ભયંકરવાયુ ઉકત્ર થયે ને સાગરે પણ માઝા મુકવા માંડી. એ ઉછળતાં મોજાઓના મારાથી વહાણ ભાંગીને ભુકે થઈ ગયું. ભાગ્યવશાત ઋદ્ધિસુંદરીના હાથમાં એક પાટીયું આવી ગયું એ પાટીયાના અવલંબનથી સમુદ્રને તરતી સમુદ્રના કાંઠે આવી પહોચી. ત્યાં પાટીયાનું અવલંબન પામીને સમુદ્ર તરી ગયેલે એનો પતિ પુણ્યાનુગથી મેલે. બન્ને એક બીજાને જોઈને ખુશી થયાં, એકબીજાનું વૃત્તાંત - એ કહી સંભળાવ્યું, અને પોતાની ઉપર અપકાર કરનાર સુલોચન સાર્થવાહની આપદા સાંભળીને ધર્મશ્રેણી મનમાં દુ:ખ પામે. કારણકે સજ્જન પુરૂ અપકારી ઉપર પણ ઉપકાર કરનારા હોય છે, અથવા તે એમને સ્વભાવજ એ હોય છે કે તે દુશમનનું ભલું ચિંતવે.
“હે પ્રિયે! અરિહંત અને ગણધર ભગવાન આદિક મહાપુરૂષોને ધન્ય છે કે જેમની નિશ્રામાં રહેલા પાપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com