________________
પ્રશ્નોત્તરરત્નમાળા
કહેવાય છે. સમિતિ (સમ્યફ પ્રવર્તન) ગુપ્તિ (મન વચન અને કાયાનું ગેપન), પરિસહ (અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસગાદિક) અને ક્ષમાદિક દશ મહાશિક્ષાનું પાલન કરવું, દ્વાદશ ભાવના અને સામાયકાદિક ચારિત્રવડે પૂર્વોકત આશ્રવ ટાળી શકાય છે.
૧૯ નિર્મળ હંસ અંશ જિહાહય, નિર્જરા દ્વાદશવિધ તપ જોય–જેમ હંસ ક્ષીર-નીરની વહેચણ કરી શકે છે, તેમ જેના ઘટમાં નિર્મળ જ્ઞાન વૈરાગ્ય પ્રગટયાં છે તે બાહા અને અત્યંતર તપવડે નિર્જરા-પૂર્વભવનાં સચેલાં કર્મને ક્ષય કરી શકે છે. ખાનપાન વિના નિરાહાર રહેવું, આહારમાં ઓછાશ કરવી, નિયમિતપણે ખાનપાન વિગેરે કરવું, નાના પ્રકારના રસને ત્યાગ કરે, સમજીને સ્વાધીનપણે શીત તાપાદિકને સહવા, અને નાના પ્રકારના આસનજય પ્રમુખથી દેહને દમવું, એ સર્વ બાહ્ય તારૂપ છે. એ બાહ્ય તપ ઉત્તમ લક્ષ્યથી કરવામાં આવે તે તે અત્યંતર તપની પુષ્ટિને માટે થાય છે. જાણતાં અણજાણતાં ગુપ્ત કે પ્રગટ કરેલાં પાપની નિષ્કપટપણે ગુરુ સમીપે શુદ્ધિ કરવી, ગુણ જનેનું બહુમાન સાચવવું, સદ્દગુણની સેવા-ચાકરી બજાવવી, અભિનવ શાસ્ત્રનું પઠન-પાઠનાદિક કરવું, અરિહંતાદિક પદનું સ્વરૂપ સમજી તેમાં પિતાની વૃત્તિ સ્થિર કરવી, અને દેહમૂચ્છાને ત્યાગ કરીને પર માત્મસ્વરૂપમાં તલ્લીન બની સૂવું, એ અત્યંતર તપ કહેવાય છે. સમતામૂલક શાસ્ત્ર આજ્ઞાનુસારે પૂર્વોક્ત તપ કરવાથી અનેક જન્મનાં સંચેલાં કઠણુ કર્મ પણ ક્ષય પામે છે, માટે મેક્ષાથી જનેએ આત્મવિશુધ્ધિ કરવા માટે ઉક્ત ઉભય પ્રકારને તપ અવશ્ય સેવ યેગ્ય છે. તીર્થકરેએ પણ ઉક્ત તપને આશ્રય લીધેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com