________________
પ્રશ્નોત્તરરત્નમાળા
એટલે આપણી આત્મશક્તિનું યથાર્થ ભાન(જ્ઞાન) અને યથાર્થ શ્રધ્ધાન પ્રતીતિ) થાય તે આપણને પિતાને પૂર્ણ ખાત્રી થાય કે આપણે આપણા કટ્ટા શત્રુઓના પાશમાં આપણું જ ભૂલથી સપડાયા છીએ અને આપણે જાગૃત થઈ આપણી ભૂલ સુધારીને તે શત્રુઓની પુંઠ પકડીએ તે તેમને ભાર નથી કે તે આપણને વધારે વખત પજવી શકે. મતલબ કે આપણને આત્મજાગૃતિની ખરી જરૂર છે, એટલે કે આપણે આપણું ચરિત્ર બહુ ઉંચા પ્રકારે સુધારી લેવાની જરુર છે, અને એમ થયે મહાદિક શત્રએ આપોઆપ આપણાથી ત્રાસ પામીને પલાયન કરી જશે.
૮૦. સુખમેં મિત્ત સકલ સંસાર, દુઃખમેં ચિત્ત નામ આધાર-પૂર્વ પુણ્યગે જ્યારે સકળ સુખસામગ્રી સંપ્રાપ્ત થઈ હોય છે ત્યારે તે બધા ય મિત્ર થવા માગે છે, પણ જ્યારે કેઈ અંતરાયગે સુખસામગ્રીને વિયોગ થાય છે ત્યારે આપદા સમયે આવી ઊભા રહેનાર, તેમાં મદદગાર થનાર યાવત્ તે આપદાથી મુક્ત કરવા પિતાથી બનતી દરેક કેશીશ કરનાર જે સખાઓ નીકળે તે જ ખરા મિત્ર છે. પ્રશ્નોત્તર રત્નમાલિકામાં આ પ્રશ્નને આપેલે ઉત્તર મનન કરવા યોગ્ય છે, અને તે એ છે કે “જીવને ભવિષ્યમાં ભયંકર દુઃખ આપે એવા પાપથી આપણને અળગા કરે, સદુપદેશવડે થનારાં દુઃખની સમજ આપી આપણને પાપ આચરણથી નિવતવે અને સન્માર્ગમાં સ્થાપે, યાવત્ સન્માર્ગમાં જ સ્થિત કરે એ જ આપણે ખરે મિત્ર સમજ.” જ્યારે બીજા મિત્ર આ ભવમાં જ સહાયભૂત થાય છે ત્યારે ઉપર જણાવેલા સન્મિત્ર પરલોકમાં પણ સહાયભૂત થાય છે, માટે મેક્ષાથી જનેએ મિત્ર કરવા તે આવા જ મિત્ર કરવા લક્ષ્ય રાખવું. વતઃ ફ્રિ मित्रं यन्निवत्तयति पापात् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com