Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ - 17 હોય, ગુંડાઓ ગૂંડાગીરી કરતા હોય, ત્યારે “હું તટસ્થ છું” એમ કહીને કંઈ પણ કર્યા વગર બેસી રહેવું એ તો તદ્દન નિર્માલ્ય ભાવના છે. શક્તિ હેવા છતાં અનિષ્ટો પ્રતિ આંખ આડા કાન ન કરવાં અને હું તો તટસ્થ છું એમ કહીને બેસી ન રહેવું જોઈએ; પણ એને દૂર કરવા સક્રિય પ્રયત્ન કરવો જોઈએ. - અહીં ગાંધીજીએ મિલમાલિક અને મજૂરે વચ્ચે અમદાવાદમાં જે ઘર્ષણ થયું તેનું સમાધાન કરાવ્યું તેને દાખલો ટાંકી શકાય છે. તેમણે “મારે શું” એમ કહીને બેસી રહેવું યોગ્ય ન ગયું પણ જાતે જઈ વચમાં પડ્યા અને બન્નેનું સહિયારું સંગઠન ઊભું કર્યું. એને સાચી મધ્યસ્થતા કહી શકાય. સામાજિક જીવનનાં મૂલ્યો બગડતાં હોય, સંસ્કૃતિનાં તો નષ્ટ થતાં હોય ત્યારે વિશ્વ વાત્સલ્યને સાધક શી રીતે ચૂપ રહી શકશે? માધ્યરધ્ધ ભાવનામાં જ્યાં સુધી કારૂણ્ય ને સક્રિય રૂપે પ્રગટાવવામાં ન આવે તો તે પણ પંગુ જ ગણાશે. માધ્યશ્ય ભાવનાની સક્રિયતા તો સારા નરસાં તત્ત્વોમાં સારાં તત્ત્વોને તારવી તેને ઉત્તેજન આપવું અને નરસાં તો દૂર થાય તેવો પ્રયત્ન કરવામાં રહેલી છે. એક રીતે એણે સમાજની અદાલતમાં સાચો ન્યાય કરવાને છે. કેટલાક એમ કહેશે કે આમ તો (ખરાબ લોકોની પ્રતિષ્ઠા તોડવાથી) ખરાબ લોકોનું મનદુ:ખ થાય છે તેથી વિશ્વ વાત્સલ્ય સાધના અટકે છે પણ આમ માનવું એ ભૂલ ભરેલું છે. એક ડૉકટર છે. તેને દર્દીનું ઓપરેશન કરવાનું છે. જે તે એમ માને કે ઓપરેશન કરવાથી દર્દીને દુઃખ થશે તેને ચેપ મને લાગશે તો તે ઓપરેશન નહીં . કરી શકે. એવી જ ભૂલ અનિષ્ટોને પ્રતિકાર કરવાથી આપણામાં અનિષ્ટ આવશે, એમ સમજવામાં છે. સમાજમાં કે રાજ્યસંસ્થામાં જ્યારે અનિષ્ટને સડે પ્રસર્યો કે પ્રસરતો હોય ત્યારે તે સડાની શુદ્ધિ માટે સમાજના જવાબદાર સાધકને તે અનિષ્ટકારને અડવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust