Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રભુ પદ વળગ્યાં તે તાજા, અલગ અંગ ન સાજા રે. વાચક જસ કહે અવર ન ધ્યાઉં રે, એ પ્રભુના ગુણ ગાઉં રે.”
(, ૧૮, ૫) આથી જ કવિ ભાવપૂર્ણ હૃદયથી પ્રભુની પોતાના મનમંદિરમાં પ્રતિષ્ઠા કરવા ઇચ્છે છે. વીતરાગ એવા પરમાત્માને પણ સાધક ભક્તિના બળથી આકર્ષી મન-મંદિરમાં લાવવા ઇચ્છે છે.
વીતરાગ એવા પરમાત્મા ભક્તના હૃદયગૃહમાં કેવી રીતે આવે? જ્યારે ભક્ત ભગવાનના ગુણોનું ધ્યાન ધરતાં ધરતાં સ્વયં સ્વ-આત્મામાં એવા જ ઉજ્વળ ગુણોની પ્રાપ્તિ કરે છે અને તે પોતે જ પરમાત્મસ્વરૂપ થઈ જાય છે. ત્યારે એને જ પરમાત્માનું હૃદય-મંદિરમાં આગમન કહી શકાય. કવિ પરમાત્માને ભક્તિબળે આકર્ષવાની વાત કરતાં કહે છે;
સ્વામી! તમે કાંઈ કામણ કીધું, ચિતડું અમારું ચોરી લીધું. સાહિબા ! વાસુપૂજ્ય જિર્ણદા, મોહના વાસુપૂજ્ય જિર્ણદા. અમે પણ તુમશું કામણ કરશું, ભગતે રહી મનઘરમાં ધરશું.
(, ૧૨, ૧) જો પરમાત્મા પોતાના હૃદયમંદિરમાં પધારે તો ભક્ત કેવો સામર્થ્યવંત બને એવું ચિત્ર આલેખતાં
સિંહ નિશિ દીહ જો હૃદયગિરિ મુજ રમેં તું સુગુણ લીહ અવિચલ નિરીહો. તો કુમતરંગ માતંગના યૂથથી, મુજ નહીં કોઈ લવલેશ બીહો.'
(, ૨૪, ૬) હે પ્રભુ! જો તું મારા હૃદયમાં સિંહ સમાન વસતો હોય તો અન્ય કુમતરૂપી હાથીઓના ટોળાથી મને અંશમાત્ર ભય નથી. એથી જ કવિ પરમાત્માને મનમંદિરમાં પધારવાની વિનંતી કરતાં કહે છે;
હવે મુજ મનમંદિરમાં પ્રભુ, આવી વસો રે ન પામું પામું પરમાનંદ રે.'
(૩, ૨૪, ૧). પોતે પરમાત્મા સમાન મહાન પરોણાને માટે મનમંદિરને કઈ રીતે સુશોભિત કર્યું છે તેનું વર્ણન કરતાં કહે છે;
- પીઠબંધ ઈહાં કીધો સંમતિ વજનો રે,.
કાઢ્યો કાઢ્યો કચરોને ભ્રાંતિ રે. ઈહાં અતિ ઊંચા સોહે ચારિત્ર ચંદરૂઆ રે,
રૂડી રૂડી સંવર - ભાતિ રે.
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) * ૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org