Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ગુણચંદ્રગણિત સ્તવનચોવીશી
પ્રતપરિચય
મસ્જિદબંદર શ્રી અનંતનાથજી જૈન જ્ઞાનભંડારની વક્ર-૨૧૮૧ ક્રમાંકની આ હસ્તપ્રત કુલ આઠ પત્રો ધરાવે છે. પ્રતના અક્ષરો બાજુબાજુમાં લખાયેલા અને અસ્વચ્છ છે, તેમજ પ્રત પણ વચ્ચેથી કેટલેક સ્થળે ખંડિત છે. પ્રતની સાઈઝ ૨૫x૧૧ સે.મી. છે અને પડિમાત્રાનો ક્યાંક ઉપયોગ થયો છે. અંતે પ્રતની પુષ્પિકા ન હોવાથી લેખન સંવત, લિપિકાર આદિનો પરિચય જાણી શકાતો નથી. કવિ પરિચય
ગુજરાતી સાહિત્ય કોશ – ખંડ-૧માં ગુણચંદ્ર-૧ના નામે ઉલ્લેખાયેલ કવિ તે જ આ ગુણચંદ્રજી છે. કવિ જયચંદ્રની પરંપરામાં ગુલાલચંદ્રના શિષ્ય તરીકે ઉલ્લેખાયા છે. સાહિત્યકોશમાં કવિના ગચ્છનો ઉલ્લેખ નથી, પરંતુ જયચંદ્ર નામના ત્રણ કવિઓનો પરિચય સાહિત્યકોશમાં અપાયો છે. તેમાં એક તપાગચ્છીય, એક ખરતરગચ્છીય, એક પાર્જચંદ્રગચ્છીય છે. “ચંદ્ર એવી નામ પરંપરા પાર્થચંદ્રગચ્છમાં વ્યાપક હોવાથી કવિ પાર્જચંદ્રગચ્છના હોય એવી સંભાવના વિશેષ છે. કવિનો સમય ઈ.ની ૧૮મી સદીનો મધ્યભાગ ધારવામાં આવ્યો છે. કવિની આ રચના ઉપરાંત ૧૩ કડીનું શ્રી સીમંધરસ્વામી સ્તવન (રચના સં. ૧૭૯૩) ૧૧ કડીનું ગોડી પાર્શ્વનાથ સ્તવન (સં. ૧૮૨૪) અને ૨૧ કડીનું જ્ઞાનપંચમી સ્તવન ઉપલબ્ધ થાય છે. કવિની આ ચોવીશીનો સાહિત્યકોશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ આ પ્રમાણમાં મોટી કહી શકાય તેવી રચનાને આધારે કહી શકાય કે, કવિમાં વિદ્વત્તા અને કવિત્વશક્તિનો સુમેળ સધાયો છે. કૃતિપરિચય
ગુણચંદ્રજી પ્રતિભાશાળી, વિદ્વાન સાધુ છે. તેમણે જેને આધ્યાત્મિક ગ્રંથો (દ્રવ્યાનુયોગ)નો ઊંડો અભ્યાસ કર્યો છે તેની સાથે જ સંસ્કૃત-ભાષા, કાવ્યપરંપરાનું જ્ઞાન ધરાવતા હોવાની અનુભૂતિ તેમની કાવ્યરચનાઓ વાંચતાં અનુભવાય છે.
કવિએ સંભવનાથ સ્તવનમાં પરમાત્માના દેવાધિદેવ સ્વરૂપનું વર્ણન કર્યું છે તે વર્ણન કવિની શક્તિનું એક સુંદર ઉદાહરણ છે. પરમાત્મા સિદ્ધ-અવસ્થારૂપ સિંહાસન પર બિરાજમાન છે અને ગણધરોરૂપી પ્રધાનો ૨૮૮ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org