Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પોતાનો કોઈ અપરાધ દર્શાવ્યા વિના પોતાને છોડી જતાં નેમિનાથને મનમાં આટલો ક્રોધ કેમ રાખ્યો છે? એવો રાજુલ વેધક પ્રશ્ન પૂછે છે અને નવ ભવના સ્નેહને આમ તત્કાળ “ત્રટકે છોડી દીધો, અને નિરાશામય અસ્તિત્વ બની ગયું – એમ રાજુલની ઉક્તિમાં તેની વિરહવ્યથા સુચારુ રીતે વ્યક્ત કરી છે.
આવી ભાવાભિવ્યક્તિની સાથે જ પરમાત્માએ કષાય-આદિને દૂર કર્યા, તેનું ચિત્રણ મધ્યકાળમાં પ્રચલિત હરિયાળીની રીતિએ કર્યું છે.
અજિત જિણેસર સાહિબ ઓલપું, જિણ કીયા અરીદલ જેર. મહાભડ આઠ નાંખ્યા ઉન મુલને, ત્રેવીસ હયા તેર. અ. ૧ વૈરી અઢાર કિયા અતિ વેગલા, ઉદીયો પુન્ય અંકુર.
સોલાં ભણી વલિ દીધી શીખડી, ચાર કીયા ચકચૂર. ભ. ૧ અ. અજિતનાથ ભગવાને શત્રુદળને જીતી લીધા છે. આ શત્રુદળના અગ્રેસર એવા આઠ કર્મરૂપી અતિ બળવાન યોદ્ધાઓને નષ્ટ કર્યા છે, તેમજ પાંચ ઇંદ્રિયોના ત્રેવીસ વિષયોને દૂર કર્યા છે, તેમ જ તેર આળસ વગેરે કાઠિયાઓને પણ નષ્ટ કર્યા છે. અઢાર પાપસ્થાનરૂપ વૈરીઓને એકદમ દૂર કરી દીધા હોવાથી પુણ્યના અંકુર ફૂટ્યા છે. સોળ ઉપકષાયોને વિદાય કરવા માટે સીખ દીધી છે, તેમજ ચાર કષાયોને તો ચકચૂર કરી દીધા છે.
કવિએ સિદ્ધ પરમાત્મા જ્ઞાનેન્દ્રિયરહિત હોવા છતાં જ્ઞાનના પ્રબળ પ્રકાશ વડે ઇન્દ્રિયધારીઓ કરતાં અનેકઘણું જ્ઞાનને ધરાવનારા છે. તેનું વર્ણન આઠમા સ્તવનમાં સુંદર રીતે કર્યું છે.
નયણ વિના પિણ નિરમૈ, સબ જુગરા મન તું પરબૈ હો. રસના વિણ સુવિલાસ, લોકાલોકરા ભેદ પ્રકાર હો. સા.
(૮, ૩) આંખો વિના પણ ભૂત, ભાવિ, વર્તમાનકાળ – ત્રમે કાળના સર્વે મનુષ્યોના મનને પારખનારા છો. રસના (જીભ) વિના પણ સર્વ રસોના વિલાસને ભોગવનારા છો, તેમજ લોકાલોકના ભેદનો પ્રકાશ કરનારા છો.
અંતે, કવિ પોતે કળશમાં પોતાની સમગ્ર ચોવીશીને કાલાવાલા' કહીને ઓળખાવે છે, તેમાં તેમનો નમ્ર ભક્તિભાવ પ્રગટ થાય છે. કવિએ પ્રત્યેક સ્તવનને ઢાળ' તરીકે પણ ઓળખાવેલ છે, પરંતુ રચનાદૃષ્ટિએ દરેક સ્તવનો સ્વતંત્ર એકમ છે, એક જ બૃહદ્ સ્તવનની ઢાળ નથી. કવિએ પ્રત્યેક રચનાને અંતે નામછાપમાં પોતાનું સુંદર એવું ઉપનામ સૂચવ્યું છે. અંતે કળશમાં પોતાની ગુરુપરંપરા અને પોતાનું “સુમતિપ્રભ સૂરિ એવું નામ સૂચવ્યું છે.
આ રચના ભાવાભિવ્યક્તિની સરળતા, કેટલાક રમ્ય અલંકારો આદિને કારણે એક સરળ, ભક્તિભાવ પ્રધાન ચોવીશી તરીકે નોંધપાત્ર છે.
મામા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ક ૩૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org