Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કરે છે.
શ્રી સુપાર્શ્વનાથ સ્તવનમાં પરમાત્માના અતિશય સુંદર રૂપનું વર્ણન કરેલ છે. પરમાત્માનું રૂપ જ્યોતિષ, ભવનપતિ, વૈમાનિકના ઇંદ્રોથી ચઢિયાતા એવા અનુત્તર દેવો (અહમિંદ્ર દેવો)ના રૂપ કરતાં પણ અનેકગણું ચઢિયાતું છે. પરમાત્માના પગના અંગૂઠાનું રૂપ પણ આ દેવતાઓના રૂપ કરતાં અનેક ગણું શોભાયમાન છે. પરંતુ આ રૂપની વિશેષતા એ છે કે, આ રૂપના દર્શન કરી ભવ્ય જીવો પોતાનાં કાર્યો સિદ્ધ કરે છે. પરમાત્મદર્શન દ્વારા સમ્યકત્વ નિર્મળ કરે છે, નિર્મળ સમ્યકત્વ દ્વારા જ્ઞાન પણ નિર્મળ થાય છે અને પરંપરાએ ઉત્તમ-ચારિત્રની પ્રાપ્તિ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વાસુપૂજ્ય સ્વામી સ્તવનમાં પરમાત્મા પ્રત્યેના પોતાના સ્નેહને અભિવ્યક્ત કરતાં કહે છે;
વાસુપૂજ્ય મુજ મન વસ્યા, જિનશાસનના શિણગાર. જિર્ણોદ માહરો હે સાહિબીઊ કેમ વીસરે.'
(૧૨, ૧). પ્રભુ ભલે મોક્ષમાં વસ્યા છે અને પોતે સંસારમાં દૂરહોવા છતાં દઢ સ્નેહ ધરાવે છે એ અંગે ઉપમા (દગંત) પ્રયોજતાં કહે છે;
નલિની દિનકર કુમુદિની ચંદ્ર ચંદ્રિકા જિમ રસ રીતિ તિમ અલગથી જાણજ્યો, મુજ થિર છે થાસ્તું પ્રીતિ.”
(૧૨, ૪). અહીં કવિની પરંપરાગત ઉપમાઓને પણ નાવિન્યસભર રીતે આલેખવાની સૂઝનો પરિચય થાય છે.
કવિએ ઋષભદેવ સ્તવનમાં પ્રથમ રાજવી, પ્રથમ જિનેશ્વર, પ્રથમ કેવળજ્ઞાની, પ્રથમ ધર્મચક્રવર્તી અને જગતપૂજ્ય ઋષભદેવ સ્વામીના આ પાંચે નામોનો ભક્તિભાવસભર ઉલ્લેખ કર્યો છે. તેમજ યુગલાધર્મ નિવારણ કરી લોકોને વિદ્યા, વિનય, વિવેક, ચાતુરી આદિ શિખવાડી જે લોકોપકાર કર્યો છે એનો ઋણસ્વીકાર કર્યો છે. તેમજ તીર્થકર તરીકે ધર્મમાર્ગ પ્રવર્તાવ્યો એ ઉપકારનું આલેખન કરતાં કહે છે;
સુપર વિવેચન શિક્ષા ભવ્યને રે, સમજાવી જિનધર્મની નીતિ રત્નત્રયી રંગી પ્રાણી કર્યા રે, જિનપદ નામની એ રીતિ.
(૧, ૬) આવા ઉપકારી પરમાત્માના ચરણકમળની કવિ રંગપૂર્વક સેવા કરવા ઇચ્છે છે. કવિએ પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામીના ઉપકારનો જેમ આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે, તેમ અંતિમ તીર્થંકર મહાવીરસ્વામીના ઉપકારનો પણ ભાવસભર ઉલ્લેખ કરતાં કહે છે;
“તીરથપતિ સઘલા છે સરિખા, ગુણ અનંતાને લેખે તેહમાં વીર નિકટ ઉપકારી, તીર્થેશ્વર નિઃશેષે.”
| (૨૪, ૫) આમ, કવિ નિકટ-ઉપકારી મહાવીરસ્વામીના દીર્ઘ-તપશ્ચર્યા આદિ ગુણોના ઉલ્લેખ સાથે ભક્તિભાવપૂર્ણ રીતે ચોવીશી સમાપ્ત કરે છે.
૨૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org