Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ત્રીજ અને પુષ્ય નક્ષત્રમાં જન્મ્યા. તેમનું લાંછન વજનું હતું અને વર્ણ તપ્ત સુવર્ણ જેવો શોભાયમાન હતો. બાળપણથી નિસ્પૃહ હોવા છતાં ભોગ કર્મોની પ્રબળતાને જાણી ગૃહસ્થજીવનનાં સુખો ભોગવ્યાં અને પાંચ લાખ વર્ષ સુધી રાજ્યવૈભવને ભોગવ્યો.
જન્મથી જ વૈરાગ્યવંત પ્રભુ પોતાનો દીક્ષાયોગ્ય કાળ આવેલો જાણી રત્નપુરીનગરીના સમીપવર્તી અનેક વૃક્ષો વડે સુશોભિત પ્રકાંચનવનમાં મહા સુદ તેરસ અને પુષ્ય નક્ષત્રમાં ચાર મહાવ્રતોનો સ્વીકાર કરી સાધુ થયા. દીક્ષા સમયે છઠનો તપ ધારણ કરનારા જગતના સ્વામીએ ધર્મસિંહ રાજવીના ઘરે ખીરથી પ્રથમ પારણું કર્યું. બે વર્ષની સાધના પશ્ચાતું સકલ ઘાતી કર્મોનો ક્ષય થવાથી પોષ સુદ ૧૫ અને પુષ્ય નક્ષત્રના શુભ યોગે રત્નપુરી સમીપના ઉદ્યાનમાં દધિપર્ણ વૃક્ષ નીચે કેવળજ્ઞાનનો ઉદય થયો. પરમાત્મા પાસે અરિષ્ટ નામે પ્રથમ સાધુ અને અંજુના નામે પ્રથમ સાધ્વી દીક્ષિત થયાં. પ્રભુનાં ગણધરો ૪૩ થયા, ચોસઠ હજાર સાધુઓ, બાસઠ હજાર સાધ્વીઓ, બે લાખ છ હજાર શ્રાવકો, ચાર લાખ બાર હજાર શ્રાવિકાઓ હતાં. બે લાખ ઓગણપચાસ હજાર નવસો અઠ્ઠાણું વર્ષ સુધી ધર્મનાથ પ્રભુએ ધર્મદેશના દ્વારા મોક્ષમાર્ગ દર્શાવ્યો. અંતે સમેતશિખર પર્વત પર એક માસનું અનશન કરી જેઠ સુદ પાંચમ અને પુષ્ય નક્ષત્રમાં પરમ સિદ્ધિગતિને પામ્યા. શ્રી ધર્મનાથ ભગવાનનું કુલ આયુષ્ય ૧૦ લાખ વર્ષનું હતું અને ઊંચાઈ ૫૦ ધનુષ્યની હતી. તેમનાં અધિષ્ઠાયક યક્ષ કિન્નર અને યક્ષિણી કંદર્પી પ્રજ્ઞપ્તિ) છે. શ્રી ધર્મનાથ ભગવાનનાં તીર્થોમાં રત્નપુરી, અમદાવાદ (હઠીસિંહનું દેરું) પ્રસિદ્ધ છે.
સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન શ્રી ધર્મનાથ ભગવાનના નિર્વાણ પછી પોણા પલ્યોપમના અંતરે થયા. તેમનો જન્મ હસ્તિનાપુરનગરના રાજા વિશ્વસેનની અચિરાદેવી નામની રાણીના પુત્રરૂપે વૈશાખ વદ ૧૩ના રોજ ભરણી નક્ષત્રમાં થયો હતો. તેઓ મૃગ લાંછનવાળા અને સુવર્ણ સમાન વર્ણ ક્રાંતિને ધરાવનારા હતા. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી જ સમગ્ર રાજ્યના રોગોમાં શાંતિ ફેલાઈ હોવાથી ગુણસૂચક “શાંતિ એવું નામ રખાયું હતું. શાંતિનાથ ભગવાન તીર્થંકર ઉપરાંત છઠ્ઠા ચક્રવર્તી પણ હોવાથી યુવાવસ્થામાં રાજ્યાભિષેક થયા પછી ભરતક્ષેત્રના છ ખંડના સર્વ રાજાઓને જીત્યા. ચક્રવર્તી તરીકે અનેક સ્ત્રીઓને પરણ્યા. ૫૦ હજાર વર્ષ સુધી રાજ્યપાલન કર્યું, પરંતુ આવા અખૂટ વૈભવ પ્રત્યે પણ નિસ્પૃહ રહી વૈશાખ વદ ૧૪ અને ભરણી નક્ષત્રના સમયે હસ્તિનાપુરનગરની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠ્ઠનો તપ હતો અને પ્રથમ પારણું સુમિત્ર નામના રાજાને ત્યાં ખીર દ્વારા કર્યું. બીજે વર્ષે પોષ સુદ નોમના દિને હસ્તિનાપુરની બહાર આવેલા ઉદ્યાનમાં નંદીવૃક્ષ નીચે ઘાતિ કર્મક્ષય દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાં ચક્રાયુધ નામે પ્રથમ ગણધર (સાધુ) અને ભાવિતા (સૂચિ-શ્રુતિ) નામે પ્રથમ સાધ્વી શિષ્યા થયાં. પ્રભુનાં ૩૬ ગણધરો હતા, બાસઠ હજાર સાધુઓ, એકસઠ હજાર છસો સાધ્વીઓ, એક લાખ નેવું હજાર શ્રાવકો, ત્રણ લાખ ત્રાણું હજાર શ્રાવિકાઓ હતાં. શાંતિનાથ ભગવાને ચોવીસ હજાર નવસો નવ્વાણું વર્ષ સુધી લોકોપકાર માટે ધર્મદેશના દીધી. તે પછી સમેતશિખર પર્વત પર એક માસનું અનશન કરી વૈશાખ વદ ૧૩, ભરણી નક્ષત્રમાં મોક્ષે ગયા. શાંતિનાથ ભગવાનનું કુલ આયુષ્ય એક લાખ વર્ષનું અને ઊંચાઈ ૪૦ ધનુષ્ય હતી. પરમાત્મા હસ્તિનાપુર, શિયાણી (સૌરાષ્ટ્ર) ભોપાવર ભપ્ર.), અદ્ભુતજી (રાજસ્થાન) ૨૪૬ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org