Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રથમ ગણધરે (સાધુ) અને બીજા ૯૩ ગણધરો દીક્ષિત થયા, તેમ જ વારુણી નામની પ્રથમ સાધ્વી શિષ્યા થઈ. પ્રભુનો સાધુપરિવાર બે લાખ ઓગણત્રીસ હજાર, ચાર લાખ બોતેર હજાર સાધ્વીપરિવાર, બે લાખ ઓગણત્રીસ હજાર શ્રાવકો અને ચાર લાખ બોતેર હજાર શ્રાવિકાઓનો પરિવાર હતો. અનેક વર્ષો સુધી સંસારસાગરથી પાર ઉતારનારી ધર્મમાર્ગની દેશના આપી ભાદરવા સુદ ૯, મૂળ નક્ષત્રના દિવસે સમેતશિખર પર્વત પર એક માસનું અનશન કરી મોક્ષે ગયા. તેમનું કુલ આયુષ્ય બે લાખ પૂર્વ હતું અને ઊંચાઈ ૧૦૦ ધનુષ્ય હતી. તેમનાં અજિત યક્ષ અને સુતારા નામે યક્ષિણી અધિષ્ઠાયક રૂપે સ્થાપિત છે. તેમની તીર્થભૂમિ કાકન્દીનગરી પ્રસિદ્ધ છે.
દશમાં તીર્થકર શ્રી શીતલનાથનો જન્મ થયો. શ્રી સુવિધિનાથ ભગવાનના નિર્વાણ પછી એક કોટિ સાગરોપમ કાળ વીત્યા બાદ થયો. ભકિલપુરનગરમાં દઢરથ રાજાની રાણી નંદાદેવીના ઘરે પરમ પુણ્યનિધાન શીતલનાથ ભગવાન પોષ વદ ૧૨, પૂર્વાષાઢા નક્ષત્રમાં જન્મ્યા. શીતલનાથ ભગવાન દેદીપ્યમાન સુવર્ણ જેવા તેજસ્વી અને શ્રીવત્સલાંછનને ધારણ કરનારા હતા. યુવાવસ્થામાં આવતાં તેમનો સુંદર રાજપુત્રી જોડે લગ્ન મહોત્સવ થયો અને પોતાના પિતાની જેમ જ રાજા બની ૫૦ હજાર પૂર્વ સુધી રાજ્યનું પાલન કર્યું. ત્યાર બાદ પોષ વદ ૧૨, પૂર્વાષાઢા નક્ષત્રમાં એક વર્ષ સુધી દાન દઈ ધામધૂમપૂર્વક ભદ્રિલપુરનગરની સમીપે આવેલા સહસ્ત્રાપ્રવનમાં ચારિત્ર ગ્રહણ કર્યું. દીક્ષા સમયે છઠનો તપ કર્યો હતો અને પુનર્વસુ નામના ભાગ્યવંત આત્માને ઘરેથી ખીર દ્વારા પ્રથમ પારણું કર્યું હતું. બે માસ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા બાદ માગશર વદ ૧૪ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ભદ્રિલપુરનગર સમીપે ઉદ્યાનમાં પ્રિયંગુ વૃક્ષ નીચે પ્રભુ સર્વજ્ઞ અવસ્થાને પામ્યા. તેમના પ્રથમ શિષ્ય આનંદ થયા અને સાધ્વી શિષ્યા સુલસા થયાં. ગણધરો ૮૧, સાધુ એક લાખ, સાધ્વી એક લાખ છ હજાર, શ્રાવક બે લાખ નેવ્યાસી હજાર, શ્રાવિકા ચાર લાખ અઠ્ઠાવન હજાર થયાં. અનેક વર્ષો સુધી ધર્મદેશના દીધા બાદ એક માસનું અનશન કરી ચૈત્ર વદ બીજે પૂર્વાષાઢા નક્ષત્રમાં સમેતશિખર પર્વત પરથી શેષ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી મોક્ષે ગયા. પ્રભુનું કુલ આયુષ્ય એક લાખ પૂર્વ હતું અને ઊંચાઈ ૯૦ ધનુષ્ય હતી. પ્રભુનાં શાસન અધિષ્ઠાયક બ્રહ્મ યક્ષ અને અશોકા યક્ષિણી સુપ્રસિદ્ધ છે. શ્રી શીતલનાથ સ્વામીની તીર્થભૂમિમાં ભદ્રિલપુર આદિ મુખ્ય છે.
અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનનો જન્મ શ્રી શીતલનાથ ભગવાનના મોક્ષગમન પછી ૫૪ સાગરોપમના કાળ પૂર્ણ થયા બાદ થયો. તેઓ સિંહપુરીનગરીના રાજા વિષ્ણુની પત્ની વિષ્ણુદેવીના પુત્ર હતા. પ્રભુનો જન્મ મહા વદ ૧૨ અને શ્રાવણ નક્ષત્રમાં થયો હતો. પ્રભુનો વર્ણ દેદીપ્યમાન સુવર્ણ જેવો હતો અને ખગી ગેંડા)નું લાંછન હતું. પ્રભુ બાલ્યાવસ્થાથી રાગરહિત હોવા છતાં યોગ્ય વયમાં આવતાં માતા-પિતાના આગ્રહથી પોતાનાં ભોગકર્મોને જાણી લગ્નબંધનમાં બંધાયા. ૪૨ લાખ વર્ષ સુધી રાજ્યને સંભાળી મહા વદ ૧૩ના દિને શ્રવણ નક્ષત્રમાં સિંહપુરનગરીની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે પ્રભુને છઠ્ઠનો તપ હતો અને બીજે દિવસે નંદ નામના રાજાને ત્યાં ખીરથી પારણું કર્યું. પોષ વદ અમાસના દિવસે સિંહપુરીનગરી સમીપવર્તી ઉદ્યાનમાં તંદુક વૃક્ષ તળે શ્રવણ નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન બાદ ગૌસ્તુભ (કચ્છપ) નામના પ્રથમ ગણધર અને ધારિણી (ધરણી) નામની શિષ્યા
આ ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી - ૨૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org