________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) અન્ય ઈશ્વર નથી. જે વસ્તુ અનાદિ છે. તેને બનાવનાર કોઈ હોતે, નથી. પ્રત્યેક પ્રરમાણુમાં સમય સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. પુગલ દ્રવ્ય જીવદ્રવ્યની સાથે પરિ
મી જાય છે, તેથી પુદ્ગલ દ્રવ્ય પરિણામી કહેવાય છે. પુદ્ગલ દ્રવ્ય વ્યવહારથી જીવની સાથે પરિણામી છે. પણ નિશ્ચયથી પરિણામી હત, તે પુગલ દ્રવ્યથી ભિન્ન કોઈ આત્મા થાત નહિ. અનેક જીવો પુગલ દ્રવ્યથી ભિન્ન થાય છે, માટે પુગલ દ્રવ્ય છે, તે વ્યવહારથી જીવની સાથે પરિણમે છે. જેમ દુધ અને જલ પરસ્પર એક બીજામાં મળી જાય છે, તેમ આત્મા અને પુલ પરસ્પર પરિણમે છે. અનાદિકાળથી આત્માની સાથે કર્મરૂપ પુગલ પરિણમ્યું છે, કર્મ પુદ્ગલ સ્કંધ અનિત્ય છે. કારણકે તે મળે છે, અને વિખરે છે. પુગલ પરમાણુંઓ જડ છે. અન્ય દ્રવ્યનું પોતાનું સ્વરૂપ જાણવાને પુદ્ગલ દ્રવ્યમાં સ્વભાવ નથી. પુગલ દ્રવ્યરૂપ અનંત પરમાણુઓમાં નિત્યપણું અને અનિત્યપણું કહ્યું છે. નિયાચિકેએ પરમાણુઓને એકાંતે નિત્યપણું અને અનિત્યપણું રહ્યું છે. દ્રવ્યાથિકનયની અપેક્ષાએ નિત્યસ્વપણું છે, અને પર્યાયાથિકનયની અપેક્ષાએ અનિત્યત્વપણું ૨હ્યું છે. એમ સર્વ કહ્યું છે–એકજ પરમાણુમાં એક સમયે નિયત્વપણું અને અનિત્યત્વપણું રહ્યું છે. પરમાણુમાં રહેલા વર્ણ ગધરસ અને સ્પર્શના પર્યાય ફરે છે, માટે અનિત્યપણું
For Private And Personal Use Only