Page #1
--------------------------------------------------------------------------
________________
અનેક પૂર્વાચાર્યાવિચિત શ્રીપ્રકરણરત્નસંગ્રહ અર્થ સહિત
પ્રસિદ્ધકર્તા— શા. કુંવરજી આણંદજી
ભાવનગર
Page #2
--------------------------------------------------------------------------
________________
૩.
અનેક પૂર્વાચાર્યાવિરચિત
શ્રી પ્રકરણરત્નસંગ્રહ
( ગાથાના પ્રતિક સાથે અનુવાદયુક્ત )
શ્રી સમ્યક્ત્વપંચવિશતિ, કાયસ્થિતિ, કાળસમતિકા વિગેરે ૧૬ પ્રકરણાના સંગ્રહ
ગુરુણીજી લાભશ્રીજીની પ્રેરણાથી, પ્રયાસથી અને આર્થિક સહાય મેળવવાથી બનતા પ્રયાસે શુદ્ધિપૂર્વક તૈયાર કરી છપાવી
પ્રસિદ્ધ કરનાર:
વીર
આણંદજી
સાગર
::
પ્રથમાવૃત્તિ
મૂલ્ય રુ. ૧-૪-૦
| વિક્રમ સંવત ૧૯૯૩
Page #3
--------------------------------------------------------------------------
________________
' મળવાનું ઠેકાણું – શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર,
0ook ૦ ૦eeeeeeeeeoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
૦૦૦૦૦
၁ဝဝဝဝnee
૨
safe
- પૂજ્ય ઉપકારી શાસનપ્રભાવક ગુરુમહારાજનું
ખાસ સ્મરણ અને અર્પણ
on Twitter
us
શુદ્ધ મુનિમાર્ગપ્રવર્તક મુનિરાજશ્રી બુરાયજી (બુદ્ધિવિજયજી ) મહારાજના મુખ્ય શિષ્ય મુનિરાજશ્રી મૂળચંદજી (મુક્તિવિજયજી) ગણિ, તચ્છિષ્ય ત્યાગમૂર્તિ મુનિરાજશ્રી ભક્તિવિજયજી, ગુરુબંધુ શાંતમૂર્તિ પરમ ઉપકારી મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રછ ( વૃદ્ધિવિજયજી) મહારાજ તચ્છિષ્ય પંન્યાસજી શ્રી ગંભીરવિજ્યજી ગણિનું આ ગ્રંથ પ્રકાશનરૂપ શુભ પ્રસંગે ખાસ સ્મરણ કરી, આ જ્ઞાનપ્રસાદી તેમના કરકમલમાં અર્પણ કરું છું.
છે . લધુકિંકરી લાભશ્રી
માગતા હow
કરવા
ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
oooooooooooo
venomena
error in
મુદ્રકે:શા. ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહદય પ્રિન્ટીંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર
Page #4
--------------------------------------------------------------------------
________________
૩૦૦૦
પ્રસ્તા વ ના
ભાવનગરના શ્રાવિકા વર્ગના પરમ ઉપકારી ગુણીજી લાભશ્રીજીની ઈચ્છા બહુ દિવસથી ૧૦–૧૫ પ્રકરણે ગાથાના પ્રતિક સાથે અર્થ લખવાની અને તેવી રીતે છપાવીને પ્રગટ કરવાની હોવાથી તેઓ સાહેબ જાતે તેમજ શાસ્ત્રીજી જેઠાલાલ હરિભાઈ પાસે અને અન્ય શ્રાવિકાઓ પાસે તેવી રીતે પ્રકરણ તૈયાર કરાવતા હતા; તેમજ તે કાર્ય પર જે શ્રાવિકાઓને સહાય કરવાની ઈચ્છા થાય તે રકમ મેળવી શ્રી જૈન ધર્મ પ્રસારક સભામાં તેને સંચય કરાવી રહ્યા હતા. તેમની ઈચ્છાને ફળવતી કરવાની મને પ્રેરણું કરતાં મને પણ તે કાર્ય ઉપયોગી જણાયું તેથી ઘણે ભાગે સમજવા મુશ્કેલ એવા પ્રકરણો તેમણે તૈયાર કરાવેલા તે મારી નજરતળે કાઢી, બનતી શુદ્ધિ કરીને તેમજ શાસ્ત્રી જેઠાલાલ પાસે શુદ્ધ કરાવીને આ પ્રકરણરત્નસંગ્રહ છપાવી બહાર પાડેલ છે.
આ સંગ્રહમાં ૧ પ્રકરણને સમાવેશ કરવામાં આવેલ છે તેમાં એક છેલું જ સંસ્કૃત શ્લોકબદ્ધ છે, બાકી બધા માગધી ગાથાબદ્ધ છે. તેમાં માત્ર બે પ્રકરણે નાના એટલે કે નવ ને બે ગાથાના છે; બીજા બધા વિસ્તૃત છે. નિદષત્રિશિકા અને લેકનાળિકા જેવા પ્રકરણમાં તેમજ છેવટે હૃદયપ્રદીપષત્રિશિકામાં અર્થવિસ્તાર વિશેષ કર્યો છે અને ભાવપ્રકરણમાં ને સિદ્ધદંડિકામાં નાના નાના યંત્ર પણ મૂક્યા છે. લેકનાળિકા પ્રકરણને અગે ત્રણ યંત્ર મોટા મૂક્યા છે. તેમાંના બે તે ખાસ આર્ટ પેપર ઉપર છપાવીને મૂક્યા છે.
આ સંગ્રહમાં આવેલા ૧૬ પ્રકરણેના કર્તાનું નામ ને ગાથા પ્રમાણ અનુક્રમણિકામાં આપેલ છે, પરંતુ તેમાં માત્ર ૯ પ્રકરણમાં જ કર્તાના નામ મળ્યા છે. ૭ પ્રકરણમાં મળ્યા નથી. પ્રથમ પ્રકરણમાં ગુરુનું નામ છે પરંતુ પિતાનું નથી. બે પ્રકરણ (ભાવપ્રકરણ ને વિચારપંચાશિકા) શ્રી વિજયવિમળગણિ ઉર્ફે વાનરર્ષિના રચેલા છે. બે શ્રી દેવેંદ્રસૂરિ વિરચિત છે; બીજા અન્યાન્ય મહાપુરુષાવિરચિત છે.
૧ સમ્યકત્વસ્તવ. તેનું બીજું નામ સમ્યકત્વપંચવિંશતિકા પ્રકરણ છે. તેમાં જીવ સમકિત કેમ પામે ? તેને અંગે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણનું સ્વરૂપ બહુ વિસ્તારથી આપ્યું છે. પ્રાસંગિક ગાથાઓ (૫૨) જુદા જુદા ગ્રંથમાંથી લઈને દાખલ કરી છે, અર્થ માં પણ ઘણો વિસ્તાર કર્યો છે. સમકિતની પ્રાપ્તિનું સ્વરૂપ કહ્યા પછી સમકિતના એક, બે, ત્રણ, ચાર ને પાંચ પ્રકાર બતાવ્યા છે. એકવિધ તો જિક્તતત્ત્વચિરૂ૫ સમ્યગ શ્રદ્ધાન કહેલ છે. દ્રિવિધ ત્રણ પ્રકારે કહેલ છે: દ્રવ્ય-ભાવ નિશ્ચયવ્યવહાર ને નિસર્ગ–અધિગમ. ત્રણ પ્રકાર બે રીતે કહેલ છે-ઉપશમ, ક્ષાયોપશમ ને ક્ષાયિક, તેમ જ કારક, રોચક ને દી૫ક. ચાર પ્રકારમાં પ્રથમના ત્રણમાં સાસ્વાદન ઉમેરેલ છે ને
Page #5
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રકારમાં વેદક ઉમેરેલ છે. આ બધા પ્રકાર વિસ્તારથી બતાવેલ છે. ત્યારબાદ દશ પ્રકારમાં દશ પ્રકારની રુચિરૂપ સમક્તિ કહ્યું છે. તે દશ પ્રકાર પણ જુદી જુદી ગાથાઓથી બતાવેલ છે. પ્રાંતે સમકિતના ૬૭ બોલ પણ આપેલ છે. એકંદર સમકિતનું સ્વરૂપ એવું સ્પષ્ટ કરેલું છે કે જેને માટે અન્ય સ્થળ જવાની જરૂર રહે નહીં. - ૨ બીજું કાળસંતતિકા નામનું પ્રકરણ શ્રી ધર્મઘોષસૂરિવિરચિત ૭૫ ગાથા પ્રમાણ છે. તેના પ્રારંભમાં ત્રણ પ્રકારના પલ્યોપમ ને સાગરોપમનું સ્વરૂપ આપ્યું છે. ત્યારપછી અવસર્પિણ ને ઉત્સર્પિણીના બાર આરાનું પ્રમાણ, તેમાં ઉત્પન્ન થનારા મનુષ્ય ને તિર્ય ચોના આયુષ્ય, ત્રેસઠ શલાકા પુરુષોના નામ વિગેરે તથા આગામી ઉત્સર્પિણીમાં થનારા ૨૪ તીર્થકરોના પૂર્વભવ વિગેરેનું સ્વરૂપ, ભાવી ત્રેસઠ શલાકા પુરુષોના નામ વિગેરે એકંદર એક કાળચક્રના બાર આરાનું સ્વરૂપ ઘણું વિસ્તારથી આપ્યું છે. અર્થમાં વિસ્તાર સાર કર્યો છે.
૩ ત્રીજું કાયસ્થિતિ પ્રકરણ શ્રીકુળમંડનસૂરિવિરચિત ૨૪ ગાથા પ્રમાણે આપેલું છે. તેમાં પ્રથમ પિતાપિતાની કાયમ-જાતિમાં જીવ વધારેમાં વધારે કેટલાક કાળ સુધી ઉપજે તેનું પ્રમાણ આપ્યું છે અને પછી ઉત્તરાર્ધમાં આ ભવ ને પરભવના જઘન્ય ને ઉત્કૃષ્ટ આયુરૂપ ચેર ભંગી સાથે ભવસધ આપે છે. આ વિષય ખાસ લક્ષપૂર્વક વાંચવા સમજવા લાયક છે. અર્થમાં સમજણ સારી આપી છે.
૪ ચોથું શ્રીભાવપ્રકરણ શ્રી વિજયવિમળગણિવિરચિત પણ અવચૂરીના અર્થ સાથે આપેલ છે. તેની ગાથાઓ ૩૦ છે. તેમાં ઉપશમ, ક્ષાયોપશમ, ક્ષાયિક, ઔદયિક ને પરિણામિક એ પાંચે ભાવના ભેદે કહેવાના પ્રારંભમાં એ ભાવ જે આઠ દ્વાર પર ઉતારવાના છે તેના નામ ને વર્ણન આપેલ છે. પછી પાંચ ભાવના, સાન્નિપાતિક (સંગી) ભાવના ૨૬ ભેદ બતાવ્યા છે. કાળને અંગે થતી ચભંગીનું યંત્ર આપ્યું છે. પાંચે ભાવના ઉત્તરભેદો બતાવ્યા છે. આઠ પ્રકારના કર્મોમાં ક્યા કયા ભાવ લાભે તે બતાવેલ છે. ચૌદ ગુણઠાણે દરેક ભાવના ઉત્તરભેદ કેટલા કેટલા લાભે તે પણ બતાવેલ છે. પછી એકંદર પાંચે ભાવોના ઉત્તરભેદ ૧૪ ગુણઠાણે ગણાવ્યા છે. ગુણઠાણાનું ટૂંકું વર્ણન આપ્યું છે અને સ્પષ્ટ સમજુતી માટે ૪ યંત્રો પણ આપ્યા છે. શ્રી લેકપ્રકાશમાં આવેલા ભાવલેકપ્રકાશનો પ્રાયે સર્વ ભાવ આ પ્રકરણમાં સમાવેલો છે. વિશેષ જાણવા માટે ભાવલકપ્રકાશ વાંચવાની જરૂર છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ તેનું ભાષાંતર જુદું છપાવ્યું છે.
૫ પાંચમું શ્રી મહેંદ્રસૂરિવિરચિત વિચારસપ્રતિકા પ્રકરણ આપેલ છે. તેની ગાથા ૮૧ છે. વધારાની ૧૧ ગાથા પ્રક્ષેપ હોવા સંભવ છે. આ પ્રકરણમાં ૧ શાશ્વતી પ્રતિમાની સંખ્યા, ૨ ઇર્યાપથિકના મિથ્યાદુષ્કતની સંખ્યા, ૩ કેટિશિલાને વિચાર, ૪ શાશ્વતા ચૈત્યેની સંખ્યા, ૫ દેવોને વિમાનના-પ્રાસાદના આકારને વિચાર, ૬ છએ દિશામાં સૂર્યના કિરણોના પ્રસારનો જંબુદ્વીપ શ્રી વિચાર, ૭ પર્યાપ્તિ સંબંધી ત્રણે શરીરને અંગે વિચાર, ૮ પાંચમા દેવલોકમાં આવેલી કૃષ્ણરાજીનો વિચાર, ૯ વલયાકાર ૩ પર્વતને વિચાર, ૧૦ નંદીશ્વરદ્વીપનું સ્વરૂપ, ૧૧ શ્રાવકને કરવાના ધર્મકાર્યોને વિચાર
Page #6
--------------------------------------------------------------------------
________________
ને ૧૨ ચંદ ગુણઠાણને વિચાર-એમ કુલ બાર વિચારો આપેલા છે. તેમાં શાશ્વત પ્રતિમા ને ચેત્યોની સંખ્યામાં જે ભેદ છે તેને કારણનોટમાં બતાવ્યા છે. શાશ્વતી પ્રતિમાઓના પ્રસંગે અશાશ્વત પ્રતિમાઓનો વિચાર પણ આપેલ છે. ઈરિયાવહીના મિચ્છાદુક્કડ કહેવાના પ્રસંગે જીવના ૫૬૩ ભેદ ગણાવ્યા છે. શાશ્વતી પ્રતિમાના વિચારમાં તિવ્હલેકના ચના
સ્થાનનું વિવરણ અને તે ચૈત્યોનું જુદું જુદું પ્રમાણ બતાવ્યું છે. સૂર્યકિરણના પ્રસ્તાવની વિશેષ હકીકત જાણવા માટે મંડળ પ્રકરણ વાંચવાની ભલામણ કરી છે. કૃષ્ણરાજીના વિચારમાં નવ લોકાંતિકનું સ્વરૂપ આપ્યું છે. ચક નામના વલય પર્વતને અંગે દિશાકુમારિકાના સ્થાન બતાવ્યા છે. ગૃહસ્થને કરવાના ધર્મકાર્યો મન્નત જિણાણું આણુની પાંચ ગાથાવડે બતાવ્યા છે પણ તેમાં પાછલી બે ગાથામાં અન્યાન્ય કૃત્યો કહેલા છે. ચૌદ ગુણસ્થાનક સંબંધી વિચારમાં તેના કાળનું પ્રમાણ વિગેરે ચાર દ્વારા આપેલા છે. એકંદર આખું પ્રકરણ વાંચવા, વિચારવા તેમજ સમજવા યોગ્ય છે.
૬ શ્રી આનંદવિમળસૂરિ શિષ્ય વાનરર્ષિવિરચિત વિચારપંચાશિકા પ્રકરણ આપેલ છે. કર્તાનું બીજું નામ વિજયવિમળ છે. આ પ્રકરણની ગાથા ૫૧ છે. તેમાં ૧ પાંચ શરીર સંબંધી વિચાર, ૨ ગર્ભસ્થિતિ વિચાર, ૩ પુદગલી અપુદગલી વિચાર, ૪ સંમૂચ્છિમમનુષ્ય વિચાર, ૫ પર્યાપ્તિ વિચાર, ૬ જીવાદિકનું અલ્પબહુત્વ, ૭ પ્રદેશ અપ્રદેશ પુદગલ વિચાર, ૮ કડજુમ્માદિ વિચાર અને ૮ પૃથ્વી આદિનું પરિમાણ-આ નવ વિચાર આપ્યા છે. પ્રથમ શરીર સંબંધી વિચાર નવ દ્વારવડે કહેલ છે. તે ખાસ સમજવા જેવો છે. ગર્ભસ્થિતિના વિચારમાં અપ્રસિદ્ધ હકીકત જણાવેલ છે. અલ્પબહુ વિચાર જુદી જુદી રીતે બતાવેલ છે, તે સંબંધી વિશેષ જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્રનું ત્રીજું પદ વાંચવા ગ્ય છે. કડજુમ્માના વિચારમાં કઈ વસ્તુ ક્યા જુમ્માએ છે તે બતાવ્યું છે. તેમાં ૫૦ મી ગાથા તે ખાસ ધ્યાન ખેંચનારી છે. તેમાં એકેક અક્ષરથી ૨૧ જીવ ભેદ અને દશ બીજી વસ્તુઓ બતાવી છે. આ પ્રકરણ પણ ખાસ વાંચવા લાયક છે.
૭ સાતમું શ્રીદેવેંદ્રસૂરિવિરચિત સિદ્ધદંડિકાસ્તવ નામનું પ્રકરણ આપેલું છે. તેની ગાથા ૧૩ જ છે. તેમાં સગર ચક્રવર્તીના પુત્ર ને સુબુદ્ધિ મંત્રીએ ભરતચક્રીના વંશના રાજાઓ શત્રુંજય ઉપર કેટલા સિદ્ધિપદને પામ્યા તેની સંખ્યાનું અષ્ટાપદ પર કરેલું વિવરણ છે. તેમાં ૧ અનુલમસિદ્ધદંડિકા, ૨ પ્રતિમસિદ્ધદંડિકા, ૩ સમસંખ્યસિદ્ધદંડિકા, ૪ એકાત્તરા સિદ્ધાંડિકા, ૫ દિત્તરાસિદ્ધદંડિકા, ૬ ત્રિકોત્તરાસિદ્ધદંડિકા, ૭ પ્રથમાવિષમોત્તરાસિદ્ધદંડિકા અને ૮ દ્વિતીયાવિષમોત્તરાસિદ્ધદંડિકા યંત્ર સાથે આપેલ છે અને પછી એ પ્રમાણે વિષમોત્તરાસિદ્ધાંડિકા યાવત્ શ્રી અજિતનાથ પ્રભુના પિતા જિતશત્રુ થયા ત્યાં સુધી અસંખ્યાતી સમજવી એમ કહ્યું છે. આ પ્રકરણ પણ ખાસ સમજવા લાયક છે.
૮ આઠમું સિદ્ધપંચાશિકા નામનું પ્રકરણ પણ શ્રીદેવેંદ્રસૂરિનું રચેલું જ છે. તેની ગાથા ૫૦ છે. એ પ્રકરણમાં સંતપદાદિક આઠ ધારેવડે (છતાપદની પ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણે, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વવડે ) અનંતરસિદ્ધનું અને સન્નિકર્ષયુક્ત
Page #7
--------------------------------------------------------------------------
________________
નવ દ્વારાવડે પર પરિસદ્ધનું સ્વરૂપ કહેવામાં આવ્યુ છે. આ દરેક દ્વાર સમજવા માટે ૧૫ પેટાદ્વાર કહ્યા છે. તેમાં પણ અમુક સ્થાને સિદ્ધ થવાના સંબંધમાં ક્ષેત્રદ્વારમાં ધણા વિસ્તાર કર્યાં છે. એકંદર સિદ્ધના સંબંધની અનેક હકીકતાના આ પ્રકરણમાં સમાવેશ કર્યો છે.
૯ નવમું પંચનિગ્રંથી પ્રકરણ શ્રીઅભયદેવસૂરિવિરચિત આપ્યું છે. તે શ્રીભગવતીસૂત્રના પચવીશમા શતકમાંથી ઉદ્ધરેલું છે. તેની ગાથાઓ ૧૦૬ છે. તેમાં પુલાક, બકુશ, કુશીલ ( પ્રતિસેવા તે કષાય ), નિગ્રંથ અને સ્નાતક એ પાંચે પ્રકારના નિથા ઉપર પ્રજ્ઞાપન, વેદ, રાગ, કલ્પ, ચારિત્ર, પ્રતિસેવના, જ્ઞાન, તીર્થ, લિંગ, શરીર, ક્ષેત્ર, કાળ, ગતિ, સંયમ, નિક`, યાગ, ઉપયાગ, કષાય, લેફ્સા, પરિણામ, બધ, વેદન, ઉદીરણા, ઉપÁપ્પજહન, સંજ્ઞા, આહાર, ભવ, આકર્ષ, કાળ, અંતર, સમુદ્ધાત, ક્ષેત્ર, સ્પર્શીના, ભાવ, પરિમાણ, તે અલ્પબહુત્વ–એ ૩૬ દ્વારા ઉતાર્યા છે. તેમાં પ્રથમ દ્વારમાં ને ખીજા પણ કેટલાક દ્વારામાં તે બહુ વિસ્તારથી વિવેચન કર્યુ છે. આ પ્રકરણ ઘણા મેધ આપે તેવુ છે.
૧૦ દશમું શ્રી પૂર્વાચાર્ય'પ્રણીત નિશાદશિકા પ્રકરણ આપેલું છે. તે શ્રી ભગવતીસૂત્રના ૧૧ મા શતકમાંથી ઉદ્ભરેલુ છે. ગાથા ૩૬ છે. એમાં નિગેાનું સ્વરૂપ બહુ ખારીકીથી બતાવ્યું છે. ખાસ સૂક્ષ્મ બધ આપે તેવુ' છે. ગુજરાતી ભાષામાં અર્થ આપેલ છે છતાં ગુરુગમથી જ વાંચવા લાયક છે. પ્રાયે ખીજા બધા પ્રકરણા કરતાં આ પ્રકરણ વિશેષ કઠિન છે. અર્ધું લખવામાં બનતા પ્રયાસ કર્યાં છે છતાં સંતાષકારક લખાયા છે એમ ચેાસ કરી શકાતું નથી.
૧૧ અગ્યારમુ શ્રીસમવસરણ પ્રકરણ અથવા સ્તવ પૂર્વાચાર્ય પ્રણીત આપેલુ છે. ગાથા ૨૪ છે. આ પ્રકરણના વિષય ઘણા પરિચિત છે, છતાં તેના અર્થ લખતાં કેટલાક જરૂરી ખુલાસા બતાવવામાં આવેલ છે. પરમાત્માને કેવળજ્ઞાન થાય ત્યારે તેના મહિમા તરીકે ચારે નિકાયના દેવા તરફથી મળીને કરાતી આ અપૂર્વ કૃતિ છે.
૧૨ બારમું ક્ષમાકુલક ૨૫ ગાથા પ્રમાણુ પૂર્વાચા'વિરચિત આપવામાં આવ્યું છે. તેની અંદર ક્રોધ કષાયના ત્યાગ માટે ઘણા સચેાટ અને અસરકારક ઉપદેશ આપેલા છે. જો લક્ષપૂર્વક વાંચવામાં આવે તે જરૂર તે પ્રાણીને ક્રોધષાય મદ પડે તેમ છે. ખીજા તેની કુલકામાં આ કુલક શ્રેષ્ઠતા ધરાવે છે.
૧૩ તેરમું ઇંદ્રિયવિકારનિરોધ કુલક માત્ર નવ ગાથાનુ જ આપેલું છે. તેમાં પાંચે ઇંદ્રિયાના વિષયેાથી—તેમાં આસક્ત થવાથી પ્રાણને નાશ મેળવનારા જીવાની હકીકત આપી છે. ઉપરાંત ચારે કષાયના નિરોધ માટે પણ સારા ઉપદેશ આપ્યા છે. કુલક નાનું છતાં અભ્યાસ કરવા યેાગ્ય છે. તેની છેલ્લી ગાથા રહસ્યપૂર્ણ છે—
जत्थ य विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ । किरियासु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ ।। ९ ।।
Page #8
--------------------------------------------------------------------------
________________
“ જે ધર્મામાં વિષયથી વિરાગ છે, કષાયને ત્યાગ છે તે ગુણના અનુરાગ છે તેમજ ક્રિયામાં અપ્રમાદ છે તે જ ધર્મી મેાક્ષસુખના ઉપાયભૂત છે. ''
આ એક ગાથા પણ વારંવાર સંભારવામાં આવે તેા કલ્યાણ કરે તેવી છે.
૧૪ ચૌદમુલાકનાલિકાદ્વાત્રિંશિકા પ્રકરણ આપવામાં આવ્યું છે. તે પ્રકરણમાં કર્તાનુ નામ નથી. ગાથા નામ પ્રમાણે ૩૨ જ છે. એમાં લેાકનાળિકાનું સ્વરૂપ, એના ખંડુ, સૂચીર, પ્રતરરજ્જુ, ધનરન્તુ વિગેરેનું ઊર્ધ્વ, અધા ને તિતિલાક આશ્રી બહુ ચોક્કસ પ્રકારે વન આપેલુ છે. એનું ચિત્ર ખડુની સંખ્યા સાથે તેમ જ મધ્યની ત્રસનાડીના ૧૪ રન્નુમાં શુ શુ આવેલ છે તે અમે ખાસ જુદા આ પેપર ઉપર છપાવીને યંત્રરૂપે આપેલ છે. પ્રાંતે ખંડુ વિગેરેની સંખ્યાનું યંત્ર પણ આપેલ છે. લેાકસ્વરૂપ સમજવા માટે આ પ્રકરણ ખાસ ઉપયાગી છે; તેમજ તેમાં ગણિતાનુયોગને પણ સમાવેશ છે.
૧૫ પદરમું માત્ર એ ગાથાનું' લઘુઅપમહુત્વ પ્રકરણ આપ્યુ છે. તેમાં ચારે દિશાને આશ્રયીને જળ, વનસ્પતિ, એઇંદ્રિય, તેઇંદ્રિય, ચૌરે દ્રિય, અસની પચેંદ્રિય ને સત્તિ પ ંચેન્દ્રિય એ સાતે પ્રકારના જીવાનું અલ્પબહુત્વ સકારણ બતાવેલું છે. પ્રકરણ નાનુ` છતાં એક પ્રકારની ખાસ સમજણું આપનારું છે.
૧૬ સેાળમુ હૃદયપ્રદીપષત્રિશિકા નામનુ ૩૬ સંસ્કૃત શ્લાક પ્રમાણુ પ્રકરણ આપેલું છે. આને પ્રકરણ ન કહેતાં ખીજુ ં નામ આપીએ તેા પણ આપી શકાય તેમ છે. એના છત્રીશે શ્લોક બહુ ઊંચા પ્રકારના ઉપદેશ આપનારા છે અને તે બધા શ્લાક અર્થાં સાથે વિચારતાં જરૂર હૃદયરૂપ મદિરમાં દીપક તુલ્ય પ્રકાશ થાય તેમ છે. કર્તાએ નામ આપેલું નથી પરંતુ કાઇ અધ્યાત્મરસિક અનુભવી મહાત્માની કૃતિ જણાય છે. આ ષત્રિશિકા પ્રથમ શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ તેની સંસ્કૃત ટીકા કરાવીને અ સાથે પ્રગટ કરેલી છે. તે અત્યારે અલભ્ય હાવાથી અને અપૂર્વાં ઉપદેશ આપનાર હેાવાથી અમે આ પ્રકરણેાની બુકમાં સાધ્વીજી લાભશ્રીજીની ખાસ ઇચ્છાથી દાખલ કરેલ છે.
ઉપર પ્રમાણે આ ઝુકની અંદર આપવામાં આવેલા ૧૬ પ્રકરણાનું ટૂંકું સ્વરૂપ છે. બાકી તેના વાસ્તવિક ોધ તા તે પ્રકરણા અર્થ સાથે લક્ષપૂર્વક સાધત વાંચવાથી જ થઇ શકે તેમ છે. આ તા માત્ર દિગૂદન કરાવવા માટે જ પ્રયાસ કર્યાં છે.
આ બધા પ્રકરણેા પ્રાયે અ સાથે છપાયેલા છે. કેટલાક તેા એકથી વધારે વાર પણ છપાયા હશે, પરંતુ અમે આ સંગ્રહમાં એક જ વિશિષ્ટતા વાપરી છે કે ગાથા ઉપરથી અર્થાં સમજવાની ઇચ્છાવાળા માટે ગાયાના પ્રતિક અન્વયથી કૌંસમાં મૂકીને તેના અર્ધાં લખ્યા છે. તેમ જ અ વિસ્તાર પણ કર્યાં છે. આવી રીતે પ્રાયે કાઇક જ પ્રકરણ સંગ્રહ છપાયેલ છે.
આમાં ૧૬ પ્રકરા પૈકી પ્રથમ પ્રકરણની અને એ કુલકની ટીકા કે અવચરી લભ્ય
Page #9
--------------------------------------------------------------------------
________________
.
થઇ નથી. બાકીના ૧૨ પ્રકરણેા અવસૂરિ સાથે શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર તરફથી મુનિરાજ શ્રી ચતુરવિજયજીના પ્રયાસથી છપાયેલા છે. તે અમને અર્થ લખવામાં અત્યંત ઉપયોગી થઇ પડેલ છે તેથી અમે તેના આભારી છીએ. છેલ્લા પ્રકરણની ટીકા માટે તે ઉપર જણાવેલું છે.
એકંદર બધા પ્રકરણો અપૂર્વી બેધ આપનારા છે. દ્રવ્યાનુયાગને એધ પ્રાપ્ત કરવા માટે અપૂર્વ સાધન છે.
મૂળ ગાથાઓની શુદ્ધિ માટે તેમજ અ યથા થવા માટે બનતા પ્રયાસ કર્યાં છે, શાસ્ત્રી જેઠાલાલ હિરભાઇની સહાય લીધી છે, છતાં અલ્પજ્ઞપણાને લને સ્ખલના રહેવાના સંભવ છે, તેથી સુજ્ઞ વિદ્વાનોએ આ પ્રકરણો વાંચીને તેમાં થયેલી ક્ષિત જણાવવા કૃપા કરવી કે જેથી બીજી આવૃત્તિને અવસર પ્રાપ્ત થાય ત્યારે અથવા તેની અગાઉ પણ તેને ઉપયેાગ કરી શકાય. એવા પ્રયાસ કરનાર મહાશયને અમે અંતઃકરણથી આભાર માનશું. આશા છે કે આ વિજ્ઞપ્તિના અવશ્ય સુજ્ઞ મુનિરાજો તે વિદ્વાના સ્વીકાર કરશે.
પ્રાંતે આવા પ્રગટ ને અપ્રગટ ખીજા અનેક પ્રકરણાના લાભ જૈન સમુદાયને આપવાને પ્રયાસ કરવાની વિધૂને પ્રાર્થના કરી આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે.
સં. ૧૯૯૩ માશી` શુકલા ૯
અપન
કુંવરજી આણંદજી
Page #10
--------------------------------------------------------------------------
________________
-<3 अनुक्रमणिका
--
૧૧૮
૧૩૭
ONOSCO અક નામ
ગાથા પૃષ્ઠ ૧ સમ્યક્ત્વસ્તવ પ્રકરણ
(શ્રી જ્ઞાનસાગરગુરુ શિષ્ય) ૨૫ ૨ કાળસપ્તતિકા પ્રકરણ
(શ્રી ધર્મઘોષસૂરિ) ૭૪ ૩ કાયસ્થિતિ પ્રકરણ
(શ્રી કુળમંડનસૂરિ) ૨૪ ૪ ભાવપ્રકરણ
(શ્રી વિજયવિમળગણિ) ૩૦ ૫ વિચારસપ્રતિકા
(શ્રી મહેંદ્રસૂરિ) ૮૧ ૬ વિચારપંચાશિકા
(શ્રી વિજયવિમળસૂરિ) ૫૧ ૭ સિદ્ધદંડિકા સ્તવ
(શ્રી દેવેંદ્રસૂરિ) ૧૩ ૮ સિદ્ધપંચાશિકા
(શ્રી દેવેંદ્રસૂરિ)
૧૪૫ ૯ પંચનિર્ચથી પ્રકરણ
(શ્રી અભયદેવસૂરિ) ૧૦૬ ૧૦ નિગોદષત્રિશિકા
(પૂર્વાચાર્યપ્રણીત )
૨૧૧ ૧૧ સમવસરણ પ્રકરણ
(પૂર્વાચાર્યપ્રણીત) ૧૨ ક્ષમા કુલક
. (પૂર્વાચાર્યપ્રણીત) ૨૫ ૨૩૯ ૧૩ ઇંદ્રિયવિકાર (વિષયકષાય) નિરોધકુલક (પૂર્વાચાર્યપ્રણીત) ૧૪ લેકનાલિકાઠાત્રિશિક
(પૂર્વાચાર્ય પ્રણીત) ૩૨ ર૪૯ ૧૫ લઘુઅ૯પબહુ–પ્રકરણ
(પૂર્વાચાર્યપ્રણીત) ૨ ર૬૭ ૧૬ હદયપ્રદીપષáિશિકા
(સંસ્કૃત) લોક ૩૬ ૨૭૦
યંત્રો. ૧ લેકનાળિકાનું ખંડના અંક સાથે સપ્રમાણ યંત્ર ૨ લેકનાળિકાંતર્ગત રસનાડીમાં ૧૪ રાજમાં શું શું છે? ૩ લેકનાળિકાંતર્ગત ખંડુ, સુચિરજજુ, પ્રતરરજજુ, ઘનરજજુ યંત્ર ૪ ભાવ પ્રકરણમાં આપેલા નાના નાના ૪ યંત્રો ૫ સિદ્ધદંડિકા પ્રકરણમાં અનુલમસિદ્ધદંડિકા વિગેરેના ૮ યંત્રો
૨૨૯
૨૪૬
Page #11
--------------------------------------------------------------------------
________________
ગુરૂણીજી લાભશ્રીજીના જાતિપ્રયાસથી, પ્રેરણાથી અને આર્થિક સહાય પ્રાપ્ત કરવાથી શ્રી જૈન ધર્મ પ્રસારક
સભા મારફત અહાર પાડેલા સૂત્રેા, ગ્રંથા વિગેરેનું લીસ્ટ.
×૧ યંત્રપૂર્વક ક ગ્રંથાદિ વિચાર ( અત્યંત ઉપયાગી ) ×૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. વિભાગ છે. મૂળ અર્થ વિવેચન યુક્ત. (પ્રતાકાર)
૩ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર-વિભાગ એ
,,
×૪ શ્રી વિપાકસૂત્ર–અને શ્રુતસ્ક ંધ
"9
૫ શ્રી અંતકૃદ્ઘશાંગ ને અનુત્તરાપપાતિક સૂત્ર ( આઠમું ને... નવમું અંગ ) ૬ શ્રી નિરયાવળી સૂત્ર ( ૮ થી ૧૨ પાંચ ઉપાંગ ),, X૭ શ્રી લઘુક્ષેત્રસમાસ. મૂળ અર્થ સહિત
22
""
૮ શ્રી વૃહત્સ ંગ્રહણ પ્રકરણ મૂળ અર્થ સહિત ૯ શ્રી પ્રકરણરત્નસ ંગ્રહ. (૧૬ પ્રકરા સાથે ) ×૧૦ શ્રી ઉપદેશમાળા. મૂળ, અર્થ, કથાએ સહિત ૧૧ પ્રકરણાદિ વિચારગભિત સ્તવન સંગ્રહ ૧૨ પતિથિ ચૈત્યવંદનાદિ સંગ્રહ
૧૩ શ્રી ઉપદેશસસતિકા ભાષાંતર ૪૧૪ સંવેગમાળા મૂળ. ×૧૫ આત્મનિંદાદ્વાત્રિંશિકા. અનુવાદ યુક્ત ×૧૬ સ ંવેગમાળા, આત્મનિંદ્યાદ્વાત્રિંશિકા વિગેરે ×૧૭ ચતુર્વિશતિ જિન છંદ સ્તવનાદિ સંગ્રહ ૧૮ શ્રી પંચસૂત્ર ભાષાંતર
× ૧૯ શિયલ વિષે સજ્ઝાય વિગેરેના સંગ્રહ X૨૦ સજ્ઝાય તથા સ્તવનાને ટૂંક સંગ્રહ ૨૧ શ્રી ગૈાતમકુલક બાળાવાધ યુક્ત X૨૨ હૃદયપ્રદીપષત્રિશિકા. ટીકા અર્થ યુક્ત ૨૩ ક્ષમાકુલકાદિ સંગ્રહ સા
૪૨૪ માન એકાદશી દેવવદન ગુણાદિ સંગ્રહ X૨૫ ચઉસરણાદિ ચાર પયન્ના—મૂળ.
૪૨૬ લઘુદેવવંદન માળા (ચાર દેવવંદન )
Pays —
19
29
99
""
""
22
""
£
99
'
99
36
× આવી નિશાનીવાળી મુકેા સીલકમાં નથી, થઇ રહેલ છે. સહાયક મળે તે આવૃત્તિ કરવા ધારણા છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
આ બુક છપાવવાના સંબંધમાં આર્થિક સહાયકાના નામ
ભાવનગર
૫૫) શ્રી ભાવનગર શ્રાવિકા સમુદાય તરફથી ૪૦) વેારા સાકરચંદ ખુશાલની પુત્રી બહેન ઉજમ
૩૦) શા. ભાગીલાલ લલ્લુભાઈ પટણી
૩૦) બેન હરકાર તે શા. માણેકચંદ વેલચંદની વિધવા
૨૬) શા. ભાગીલાલ ન્યાલચંદ
૨૫) બાઈ લાડકી તે શા. સાંકળચંદ મહાસુખની વિધવા ૨૫) સાધ્વી ઉત્તમશ્રીના ઉદ્દેશથી એક શ્રાવિકા.
૨૫) બાઇ ચંપા શા. અમૃતલાલ ચાંપશીની ધર્મપત્ની
૨૫) આઈ દીવાળી આનંદીવાળા
૨૫) એન ચંચળ શા. ગગલભાઈ હાથીભાઇની પુત્રી ૨૫) મ્હેન ગુણી વેારા ભાનુચ'દ અમરચંદની ધર્મપત્ની
૨૫) શા. હીરાચંદ માતીચંદ
૨૫) શા. મૂળજીભાઇ હંસરાજ
૨૦) શા. હરિચંદ મીઠાભાઈ તથા ઠાકરશી મીઠાભાઇ
૨૦) શા. વાડીલાલ મહેાકમચંદ
૧૫) ખાઇ મેણી શા. મણિલાલ સાંકળચંદની વિધવા ૧૫) એન ચંદન શા. વનમાળી દેવચંદની વિધવા ૧૫) શા. કીલાભાઇ રામજી
૧૫) ખાઇ વસ્તુ શા. માણેકચંદ જેચંદની માતુશ્રી ૧૧) એન વસંત શેઠ નરેાત્તમદાસ ભાણુજીની પુત્રી ૧૧) સાધ્વી પ્રમાદશ્રીના સ્મરણાર્થે એક શ્રાવિકા ૧૦) સાધ્વી કમળશ્રીના ઉપદેશથી
૧૦) ખાઇ લાડકી તે શા. ગાવિંદજી નારણની વિધવા ૧૦) ખાઇ સુરજ
૧૦) મ્હેન સાંકળી ડીશ'ગ
૯) બાઇ હરકાર શા. તેચંદ ઝવેરચંદની ધર્મપત્ની ૯) સાધ્વી જખૂશ્રીના ઉપદેશથી વડવાની શ્રાવિકાઓ ૭) શેઠ હરજીવન દીપચંદની પુત્રી મ્હેન મનહર ૭) શા. મણિલાલ દુલભની ધ`પત્ની વ્હેન મનહર ૫) બાજી ગણપત
૫) બાઇ સમરત શા. જમનાદાસ શામજીની ધર્મપત્ની
૫) બહેન ચંચળ મગનલાલ
૫) બાઇ ધાળી શા. હેમચંદ ભીમચંદની વિધવા
૫) બાઇ અંબા શા. માવજી હરજીવનની વિધવા
૫) બાઇ હરી શા. દીઆળ ગેાબરની વિધવા
""
29
.. અમદાવાદ
..
પુના
""
આકાલા
પુના ભાવનગર
29
*
અમદાવાદ
ભાવનગર
99
K
22
11
સાણંદ ભાવનગર
શીહાર
27
99
ભાવનગર
નવાજાલિંગાવાળા
ભાવનગર
""
22
99
Page #13
--------------------------------------------------------------------------
________________
ભાવનગર
૧ર ૫) સા. અનંતરાય તિલકભાઈ ૫) બહેન સેંધી અમૃતલાલ
બાઈ લખમી શા. જાદવજી દામજીની ધર્મપત્ની ૫) બાઈ દીવાળી વોરા દામોદર હરખચંદની વિધવા ૫) સા. હરગોવન લખમીચંદની માતુશ્રી બાઈ હેમકેર ૫) બહેન કુસુમ મણિલાલ. ૫) વેરા ચંદ્રકાન્ત છોટાલાલ ૫) બાઈ હરખ વેરા છગન દેવચંદની વિધવા ૫) બહેન ધીરૂ નરોત્તમ. ૫) બહેન ચંપા મૂળચંદ ૫) બાઈ અચરત શા. ભાઈચંદ મગનની વિધવા ૫) વ્હેન પ્રભાવતી. વોરા.ગોરધન હરખચંદની પુત્રી ૫) બાઈ જમનાતે શા. ઝવણ જેચંદની ધર્મપત્ની ૫) બાઈ ચંપા શા. નથુ ગુલાબચંદની વિધવા ૫) બાઈ લહેરીતે શા. કુલચંદ ગોપાળજીની માતુશ્રી ૫) બાઈ હરકેટર શા. મુળચંદ કરશનની ધર્મપત્ની ૫) બાઈ સમરત શા. હરજીવન કરશનની વિધવા ૫) બહેન મોંધી શા. પરભુદાસ મોતીચંદની પુત્રી ૫) બાઈ મણું શા. નાનાલાલ હરીચંદની ધર્મપત્ની ૫) બહેન સમરત આણંદજી. ૫) બહેન રંભા પનાલાલ ૫) બાઈ વિજયા શા. મનસુખલાલ મેઘજીની વિધવા ૫) બાઈ રૂપાળી શા.વિઠ્ઠલદાસ મૂળચંદની ધર્મપત્ની ૫) શા. બટુકભાઈ મેઘજી ૫) બાઈ વીજ શા. જાદવજી ઝવેરભાઈની ધર્મપત્ની ૫) બાઈ હેમકોર શેઠ અનોપચંદ નરશીદાસની ધર્મપત્ની ૫) બાઈ જાનકી શા. સાકરચંદ બાલુશાની વિધવા ૫) બાઈ જાસુદ ગાંધી પરશોતમ સોમચંદની ધર્મપત્ની ૫) બાઈ ચંપા વકીલ ભીખાભાઈ રતનચંદની વિધવા ૫) બાઈ ગંગા શા. સારાભાઈ મહાસુખની ધર્મપત્ની ૫) બહેન વિમળા શા. ભોગીલાલ સાંકળચંદની પુત્રી ૫) બહેન જાસુદ મણિલાલ ૫) બહેન માણેક શા. લાલભાઈ મણિલાલની ધર્મપત્ની ૫) બાઈ ગંગા ઝવેરી ભોગીલાલ મોહેલાલની વિધવા ૫) બાઈ જડી કપાસી ખીમચંદ છવણની ધર્મપત્ની ૫) બાઈ મેતી શા. નતમ હાઉની વિધવા ૫) બાઈ ચંપા શા. કાનજી આણંદજીની ધર્મપત્ની .
એવલા
પુના
અમદાવાદ
Page #14
--------------------------------------------------------------------------
________________
प्रकरणसंग्रह
(अर्थ सहित)
सम्यक्त्व स्तव प्रकरण . (बालावबोध युक्त)
श्रीमद्वीरजिनं नत्वा, गुरुश्रीज्ञानसागरम् । श्रीसम्यक्त्वस्तवस्यार्थो, लिखामि लोकभाषया ॥ गुरूपदेशतः सम्यक्, किश्चिच्छास्त्रानुसारतः। वृद्धपरंपराज्ज्ञात्वा, क्रियते बोधिसंग्रहः ॥
અર્થ–શ્રી વીરજિનેશ્વરને નમીને તથા શ્રી જ્ઞાનસાગર નામના ગુરુને નમસ્કાર કરીને હું શ્રી સમ્યકત્વ સ્તવનો અર્થ લોકભાષાએ લખું છું. સમ્ય પ્રકારે ગુરુના ઉપદેશથી તથા શાસ્ત્રને અનુસરવાથી અને વૃદ્ધપરંપરાથી કાંઈક જાણીને હું બેધિ (સમકિત) ને સંગ્રહ કરું છું એટલે સમકિતની પ્રાપ્તિ કેમ થાય? તે કહું છું.
પ્રથમ સૂત્રકારની ગાથા मूळ-जह सम्मत्तसरूवं, परूवियं वीरजिणवरिदेण । . तह कित्तणेण तमहं, थुणामि सम्मत्तसुद्धिकए ॥१॥
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
અર્થ–() જેમ (સમરસ) ઉપશમ, ક્ષાયિક અને ક્ષપશમાદિ સમ્યકત્વનું સ્વરૂપ (વનાવળિ) શ્રી વીર જિનવરે (વિદ્ય) પ્રરૂપ્યું છે. (ત૬) તેમ (પિત્તળ ) કીર્તન કરવાવડે કરીને એટલે જેવી રીતે શ્રી વીર જિનેશ્વરે સમ્યકત્વપ્રાપ્તિની પ્રણાલિકા ઉપદેશી છે (i) તે વીર પરમાત્માને તે જ રીતે (રમાણુશિપ) સમ્યત્વની શુદ્ધિ થવાને માટે એટલે ક્ષાયિકભાવે સમ્યક્ત્ર થવા માટે (કદં) હું (શુorfમ) સ્તુતિ કરું છું. (૧)
આગમને વિષે કહ્યું છે કે—“ જાણુમંા મં!િ જિં જોયા! નાણાવાત્તવોદિલ્હામં કorg. ”
અર્થ—ગતમસ્વામીએ પૂછ્યું કે-(ભક્તિ) હે ભગવન્! (શા ) સ્તવન અને (શુદ) સ્તુતિરૂપ (મંevi ) મંગળ કરવાવડે જીવ ( રપ૬ ) શું પ્રાપ્ત કરે ? (જોમા) હે ગતમ! (નાન ) જ્ઞાન, (હંસા) દર્શન, (વારિત) ચારિત્ર અને (વોઢામ ) સમ્યકત્વના લાભને (૩૬) પ્રાપ્ત કરે.
- હવે સમ્યકત્વપ્રાપ્તિની અગાઉ જેવી જીવની અવસ્થા હોય તે વ્યતિકર ગર્ભિત બીજી ગાથા કહે છે – मू०-सामि ! अणाइअणंते, चउगइसंसारघोरकांतारे ।
मोहाइ कम्मगुरुठिइ, विवागवसओ भमइ जीवो ॥२॥
અર્થ– તામિ!) હે સ્વામી ! (સUTગળતે ) જેની આદિઅંત નથી એવી (૩૬) ચાર ગતિરૂપ ( સલાઘોરાંતારે) સંસારરૂ૫ મહાભયંકર અટવીને વિષે ( મૌદા પુટ ) મેહનીય આદિક આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના (વિવાવાઝો) વિપાક ઉદયના પરવશપણાથકી (વી ) જીવ (મHE ) ભ્રમણ કરે છે. ૨.
આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે– " मोहे कोडाकोडी, सत्तरि वीसं च नामगोयाणं । તીસાયરાળ વડપણું, તિરસારારૂ મારૂ ”.
( નો રોકોલી સંત્તર) મોહનીય કર્મની સીતેર કડાકડિ સાગરોપમની સ્થિતિ છે, (વી = રામાનં) નામકર્મ અને ત્રિકર્મની વીશ કેડાકેડિ સાગરોપમની સ્થિતિ છે, (તીજાવરાળ વડv) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ત્રીશ કોડાકોડિ સાગરોપમની સ્થિતિ છે, તથા (
તિરરાફ્ટ રાષ૪) આયુકર્મની તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે.”
Page #16
--------------------------------------------------------------------------
________________
સમ્યકૃત્વ સ્તવ પ્રકરણ હવે સમ્યકત્વપ્રાપ્તિનો ઉપાય બતાવે છે. मू०-पल्लोवमाइ अहा-पवित्तिकरणेण को वि जइ कुणइ ।
पलियअसंखभागूण-कोडिकोडि अयरठिइ सेसं ॥३॥
અર્થ-સભ્યત્વ પામવાના ત્રણ કરણ છે. ૧ યથાપ્રવૃત્તિકરણ, ૨ અપૂર્વકરણ અને ૩ અનિવૃત્તિકરણ (વિમg ) પાલા વિગેરેના દષ્ટાંતવડે (માવિત્તિશાળા ) યથાપ્રવૃત્તિકરણે કરીને ( વિ ક૬) જે કોઈ જીવ (ચિવમાળ) આયુકર્મ વર્જીને બાકીના સાતે કર્મની એટલે એક એક કર્મની પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ન્યૂન ( રોહિતિ અરિ ) એક એક કડાકોડિ સાગરોપમની શેષ સ્થિતિને ( Urt ) કરે-રાખે. ૩.
સાત કર્મની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હતી તે ઘટાડે અને ઉપર પ્રમાણે રાખે ત્યાંસુધી યથાપ્રવૃત્તિ-કરણ કહીએ.
યથાપ્રવૃત્તિકરણ કરતાં બે દષ્ટાંત લાભે. તે દષ્ટાંતની આવશ્યકમાં કહેલી ગાથા– " पल्लयगिरिसरिउवला-पिविलियापुरिर्सपहजरगहिया ।।
વટવર્કાળ , સામાયામઢિંતા છે" --
( 9 ) પહેલું ધાન્યના પાલાનું દષ્ટાંત, ( જિજિવિવા) બીજું પર્વતથી પડતી નદીમાં રહેલા પાષાણુનું દષ્ટાંત, ( વિઢિયા) ત્રીજું કીડીનું દષ્ટાંત, (જુરિસપદ ) ચોથું ત્રણ પથિક પુરુષનું દષ્ટાંત, (કાચા ) પાંચમું
વરગ્રહીતનું દષ્ટાંત, (૪ોદ્દવ) છઠ્ઠ મદનકેદ્રવાનું દષ્ટાંત, (૪૪) સાતમું મશીન જળનું દષ્ટાંત, તથા (તથા જ) આઠમું મલીન વસ્ત્રનું દષ્ટાંત. (સામયિત્રામદિંતા) આ આઠ દષ્ટાંતે સમ્યક્ત્વસામાયિકને લાભ હોય છે. તે યથાસ્થાને કહેશું.
અહીં યથાપ્રવૃત્તિકરણે તેમાંનાં પહેલા બે દષ્ટાંત લાભે છે. તે કહે છે – ( યથાપ્રવૃત્તિ ) જેમ અનાદિની ચાલ છે તેમ ને તેમ જીવપરિણામનું જેમાં પ્રવતન છે તેને યથાપ્રવૃત્તિકરણ કહીએ. પાલાના દષ્ટાંતે-જેમ પૂર્વે ભરેલો ધાન્ય પાલે. તેમાં થોડું ધાન્ય નાંખીએ અને ઘણું ધાન્ય કાઢીએ ત્યારે તે પાલે કાળાંતરે ખાલી થાય, તેમ કર્મરૂપ ધાન્ય કરી ભલે આત્મપ્રદેશરૂપ પાલે છે, તે જીવને ઈચ્છા વિના સહેજે અકામનિજેરાથી છેદન-ભેદનાદિકથી અશુભ કમ ભેગવવાના અવસરે કર્મનિર્જરા ઘણી થાય અને કર્મબંધ ઓછો થાય ત્યારે જેમ ખાલી થાય-ઓછો થાય તેમ. (૧).
હવે બીજું દષ્ટાંત નદીના પાષાણનું–જેમ પર્વત પરથી નદીની ધાર પડે ત્યાં નીચે રહેલો પાષાણુ નદીની ધારા પડવાથી આમતેમ અથડાઈને તેમ જ પાણીના
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ પ્રવાહ સાથે ઘસડાઈને ગોળ અને સુંવાળો થાય તેમ પાષાણુરૂપ જીવ અને નદીના પાણીના પ્રવાહનરૂપ કર્મનો ઉદય, તે કર્મના ઉદયના પ્રવાહમાં પડતાં પૂર્વે કહેલા ન્યાયે ઘણી અકામનિર્જરાએ કરી કોઈક જીવ ધર્મ પ્રવૃત્તિ યોગ્ય ઘાટમાં આવી જાય. એ રીતે યથાપ્રવૃત્તિકરણે કરી ગ્રંથિદેશ પ્રત્યે આવે ખરે; પણ એ કરણરૂપ ગપરિણામે આગળ ન જવાય. તેને માટે બીજા બે કરણની જરૂર પડે.
હવે બીજું અપૂર્વકરણ તે સંસારમાં પરિભ્રમણ કરતો એવો જે જીવ તેના પરિણામવિશેષ, જેવા પૂર્વે થયેલ નથી એવા અપૂર્વ પરિણામવડે નિવિડ રાગદ્વેષના પરિણામમયી ગ્રંથિ ભેદવા સમર્થ થાય તે અધ્યવસાયને અપૂર્વકરણ કહીએ.
ત્રીજું અનિવૃત્તિકરણ. પૂર્વે જે અપૂર્વ અધ્યવસાય થયા તેથી ગ્રંથિભેદ કર્યો એટલે હવે સમકિત પામ્યા વિના પાછો જાય નહીં, તે અનિવૃત્તિકરણ કહીએ.
અહીં ત્રણ કરણની સાક્ષી આપવાને કલ્પભાષ્યની ગાથાઓ કહે છે – " अंतिमकोडाकोडि, सबकम्माण आउवजाणं ।
पलियाअसंखिज्जइ-भागे खीणे हवइ गंठी ॥" (આgવાજે) આયુષ્યકર્મ વજીને (સમાજ) સર્વ–સાતે કર્મની જુદી જુદી (તિમોરારી) છેલ્લી કડાકોડીની સ્થિતિ (રિજાશક્ષિકા) પત્યે પમના અસંખ્યાતમ ( મા રહીને દુવ૬ ) ભાગે ન્યૂન રહે, ઉપરની સર્વ ખપી જાય ત્યારે જીવ ગ્રંથિદેશે આવે.”
ગ્રંથિ કેવી છે? તે કહે છે – " गठि त्ति सुदुब्भेओ, कक्खडघणगूढमूढगंठि व ।
जीवस्स कम्मजणिओ, घणरागदोसपरिणामो॥"
(દિ જિ) ગાંઠ કેવી છે? (૪૬મેળો) અત્યંત દુઃખે ભેદવા યોગ્ય, ( ૪) કર્કશ (વા) અત્યંત કઠણ (દ) ગુપ્ત અને (કૂવાંકિg ) વક વાંસની ગાંઠ જેવી-જેમ તેમ ભેદાય નહીં એવી, (કવર સ્મગજ) એ ઉપમા અનાદિની જીવને કર્મ જનિત (Trોરપરિણામો) નિવિડ રાગદ્વેષની પરિણતિરૂપ ગ્રંથિ તે વાવત્ દુર્ભેદ્ય છે.”
ના બંટી તા પદ, નંદિમફથસ એવે વીર્થ - નિયવાળું પુખ, સમૃત્તપુરવરવડે નીવે છે ”
Page #18
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ સ્તવ પ્રકરણ “(જ્ઞા ટી તા મં) જ્યાં ગાંઠ છે ત્યાં સુધી આવે તેને પહેલું યથાપ્રવૃત્તિકરણ હોય (દિમથકમ વીઘં) સામર્થ્યવંત થઈ ગ્રંથિ ભેદતાં બીજુ અપૂર્વકરણ હોય. (સમતપુનવરે ) અને સમ્યક્ત્વ પામવું જેની સન્મુખ રહ્યું છે તે જીવને (વિટ્ટી પુન) ત્રીજું અનિવૃત્તિકરણ હોય.” मू०-तत्थ वि गंठी घणराग-दोसपरिणइमयं अभिदंतो।
गंठिए जीवो वि हहा, न लहइ तुह दंसणं नाह !॥४॥
( તજ રિ) તિહાં પણ કાંઈક ઊણી એક કડાકડિ સાગરોપમ દરેક કર્મની સ્થિતિ કરી તે પણ (વરી ધારાવોufમચં) નિવિડ રાગ-દ્વેષના પરિ. સુમમયી ગાંઠને ગમતો ) અણભેદો થકા (હિ વો વિ) ગ્રંથિદેશને પામેલો જીવ પણ (દા) ઈતિ ખેદે (નહિ!) હે નાથ! (સુદ ચંf) તારું દર્શન શ્રીમુખે કહેલ સમ્યકત્વને (ર ) પામી શકે નહીં, કેમકે આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે-અભવ્ય પણ અનેક વખત અકામનિર્ભર કરતો ગ્રંથિદેશ સુધી આવે છે. ૪.”
હવે જીવ જે રીતે ગ્રંથિભેદ કરે છે તે કહે છે – मू०-पहिलिय पिविलिय नाएण, को वि पज्जत्तसंनिपंचिंदि।
भवो अवड्डपुग्गल-परिअत्तावसेससंसारो ॥ ५॥
“(dસ્ટિા રિવિસ્ટિક નાપા) અહીં ગ્રંથિદેશ પામ્યા પછી પંથો અને કીડીઓના દષ્ટાંતે કરીને (વો વિ પSSત્તનિચિંદ્રિ) કેઈક પર્યાપ્ત સંજ્ઞી પંચેંદ્રિય એવો (મgો અવદુપુરાત્ત્વત્રિવિણેલા ) અર્ધપુદગલપરાવર્ત બાકી સંસાર છે જેને એવો ભવ્ય જીવ હોય તે. ૫.
ભવ્ય જીવ શું કરે? તે ભાષ્યની ગાથાવડે લખે છે – "जह इह तिन्नि मणुस्सा, जंति पहं सहावगमणेणं ।
સ્ટાફનમીયા, તુવંતિ પર હો વો . ” “( ૪) જેમ અહીં કોઈક (તિ મજુસ્સા) ત્રણ મનુષ્ય (રવિમોજ ) સહેજે પ્રયજન વિના ગમન કરવાવડે (નંતિ પર્દ) અટવી માળે જાય છે. તેમાં ઘણી અટવી ઓળંગી ગયા. (શસ્ટિીફિશ્ચમમી) કાળ અતિક્રમ કરી અસુર વખતે ભય પામ્યા. એટલામાં તો ( તુતિ પત્તા જ રો રોત્ત) તુરત જ બે ચાર આવીને પ્રાપ્ત થયા.”
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ " दटुं मग्गतडत्थे, एगो मग्गाउ पडिनिअत्तो।।
बीओ गहिओ तइओ, समइकंतो पुरं पत्तो॥” ? “ ( दटुं मग्गतडत्थे ) भागना भुणे दु४ मे यार हेभान ( एगो मग्गाउ पडिनिअत्तो) ते त्रशुभांथा मे तो भायही पाछ। ४ qणी गयो (बीओ गहिओ) मीन योर वामे ५४0 बीघा. (तइओ) श्रीन मनुष्य ( समइकंतो पुरं पत्तो) સમ્યક્ પ્રકારે બળવીર્ય ફેરવી ચેરને હતપ્રહત કરી ઈચ્છિત સ્થાનકે પહેઓ.” “ अडविभवो मणुस्सा, जीवा कम्मठिईपहो दीहो ।
गंठी य भयठाणं, राग दोसा य दो चोरा ॥"
" ( अडविभवो मणुस्सा ) सश्रम ३५ सटवी ४ी. तमा भनुष्य ते a तिना ससारी ( जीवा ) । ४डी ( कम्मठिईपहो दीहो ) भनी स्थिति त भोट खiमो मार्ग ४डी. ( गंठी य भयठाणं ) प्रथिदेश त भयनु स्थान ४डीये. ( राग दोसा य दो चोरा ): रागद्वेष३५ मे यार ४ी." " भग्गो ठिइपरिवुड्डि, गहिओ पुणो गांठओ गओ तइओ।
सम्मत्तपुरं एवं, जोइजा तिन्नि करणाइं ॥” ।
" ( भग्गो ठिइपरिखुड्डि ) २ रागद्वेष३५० यारने न न न ते १ श माडनीय विगेरे भीनी उत्कृष्ट स्थिति मधे. ( गहिओ पुण गंठिओ ) બીજે જે રાગદ્વેષરૂપી ચોરે ગ્રહો તે ત્યાં ઊભે રહ્યો. તે કેટલાક કાળ સુધી એ જ मध्यवसाये प्रथिदेशन विषे २७ ( गओ तइओ ) भने त्रीने गयो ते अपूर्व ४२९४३थी माघरे ४२रीन रागद्वेष३५० यारने तहत ४२ ते ( सम्मत्तपुरं एवं ) सभडित३थी नारने पाभ्यो Myो. ( जोइजा तिन्नि करणाइ ) से प्रमाणे ત્રણે કરણને ઉપનય જાણવે.
હવે ત્રણ ગાથાવડે કીડીઓનું દષ્ટાંત દેખાડે છે. " खिइ सहाविय गमणं, ठाणु सरणं तओ समुप्पयणं । ठाणं ठाणुसिरे वा, उहरणं जाण मुअंगीणं॥"
" (खिइ सहाविय गमणं ) 11 पृथ्वी ५२ स४४ स्वभावे गमन કરે છે, પણ કેઈની પ્રેરણું નથી. એ કીડી તો ફરતીફરતી ખીલા પાસે અથવા ભીંત પાસે આવીને પાછી ફરી જાય અથવા ચડીને અધવચથી પાછી ઉતરે
Page #20
--------------------------------------------------------------------------
________________
w
સભ્યત્વ સ્તવ પ્રકરણ ( રાજુ સરળ ) કોઈક કીડી તો ખીલા ઉપર કે ભીંત ઉપર ચડીને બેસી રહે ( સ ) તે વાર પછી (કા કાળુતિરે વા) કોઈક કીડી સ્થાન ઉપર ચડીને (રમુvgar ) તે સ્થાનકથી ઊડી જાય, (૩f મુનr) આ પ્રમાણે કીડીઓનું દષ્ટાંત જાણવું. - હવે તેને ઉપનય કહે છે. " खिइगमणं पिव पढम, ठाणु सरणं च करणमपुव्वं । उप्पयणं पिव तत्तो, जीवाणं करणमनियहि ॥"
(મિ વિવ પઢમં ) કીડીનું પૃથ્વી ઉપર ફરવું-ખીલાના મૂળ સુધી આવવું તે પહેલું યથાપ્રવૃત્તિકરણ છે. ( ટાપુ ) કેઈ કીડી ખીલા ઉપર ચડીને બેસી રહી ( Hપુવૅ) તે સરખું બીજું અપૂર્વકરણ છે; ( તત્તો ) તથા (૩ur fપા ) કોઈ કીડી ખીલા ઉપર ચડીને ખીલા ઉપરથી ઊડી ગઈ તેના સરખું (વા જઇનિદ) જીવને અનિવૃત્તિકરણ જાણવું. ”
તે જ વાત કહે છે“ટાણુ કa મંદિરો, ગંદવત્તર તરશેવ ટાઇi
ओसरणं पिव तत्तो, पुणो वि कम्मठिइविवुड्डि ॥"
“ ( કાજુ ૨ કરિો ) જે ખીલે છે ત્યાં જ ટકી રહેવું, તે ગ્રંથિદેશે રહેવું જાણવું. તે ( ટિપત્તર્ણ તથ્થવ ટi ) ગ્રંથિગત જીવનું કેટલાક કાળ સુધી ત્યાં રહેવું થાય તેને સરખું છે. ( ગોલi fપવ તો) તે ગ્રંથિદેશથી પાછો ફરે ( પુort વિ જન્મદિવgટ્ટ ) તે જીવ ફરી કમૅસ્થિતિની પણ વૃદ્ધિ કરે એટલે ઉત્કૃષ્ટિ કર્મસ્થિતિ બાંધે. मू०-अपुव्वकरणमुग्गर-घायलिहियदुट्ठगंठिभेओ सो।
अंतमुहुत्तेण गओ, नियट्टिकरणे विसुज्झंतो ॥ ६ ॥ અર્થત અપુરાવળમુજE ) હવે જે પૂર્વોક્ત લક્ષણવંત જીવ ગ્રંથિદેશ સુધી આવે ત્યાં કોઈવાર પરિણામ પામ્યા નથી એવો અપૂર્વ પરિણામ, તે રૂપી મુદુગર એટલે જ સરખો (વાયન્ટિદિયદુટિએ) પૂવોક્ત ગ્રંથિ તેને ભેદવાને મુદુગરના ઘાતે કરીને કર્યો છે દુષ્ટ ગ્રંથિનો ભેદ જેણે ( ર ) તથાભૂત તે જીવ ( વિકુસંતો ) વિશુદ્ધમાન પરિણામની નિર્મળતા વધતે થકે ( અંતમુહુ ) અંતમુહૂર્ત માત્રમાં ( નિયદિ ) અનિવૃત્તિકરણે ગયેલો જાણવો. ૬.
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
અનિવૃત્તિકરણે ગયે થકો જીવ જે કરે તે કહે છેमू०-सो तत्थ रणे सुहडो व, वयरिजयजणियपरमआणंदं।
सम्मत्तं लहइ जीवो, सामन्नण तुह पसाया ॥७॥ અર્થ– સા ) તે જીવ ત્યાં અનિવૃત્તિકરણે વિશુદ્ધ પરિણામના જેરથી મિથ્યાત્વના પુજની બે સ્થિતિ કરે. પહેલી સ્થિતિ એક અંતર્મુહૂર્તમાં વેદ્ય લઘુસ્થિતિ-મિથ્યાત્વમેહનીયન દળીયાં કે જે કડાકોડિ સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન છે તે સ્થિતિમાંથી ખેંચી લે છે. એટલે મેટી સ્થિતિમાંથી અંતમુહૂર્ત પ્રમાણ વેદ્ય સ્થિતિના દળ ખેંચીને જુદા કરે છે. પછી તેને ઉદયાવળીમાં નાખીને વેદી લેય એટલે ત્યારપછી વચમાં જે જગ્યા ખાલી રહી તેને અંતરકરણ કહીએ. હવે તે અંતરકરણના પ્રથમ સમયે ( સુદ પસાયા ) હે નાથ ! તારા પ્રસાદે કરી ક્ષાયિકસમ્યકત્વની પેઠે વિશિષ્ટ તે નહીં પરંતુ (સામા સમજે ૮૬ ) સામાન્યપણે અલ્પકાલીન એવું ઉપશમ સમતિ જીવ પામે. શી ઉપમાએ ? (ાને જુદો ) જેમ સુભટ સંગ્રામમાં (વરિયાળથપુરમા ) વૈરીને જીતવાથી પરમ આનંદ પામે તેના સરખું જીવ ઉપશમ સમતિ પામે એટલે તેને પરમ આનંદ થાય. ૭. " पावंति खवेऊणं, कम्माइ अहापवित्तीकरणेणं ।
उवलनाएण कहमवि, अभिन्नपुर्दिव तओ गंठिं ॥" " तं गिरिवरं च भेत्तुं, अपुवकरणुग्गवजधाराए।
अंतोमुत्तकालं, गंतुमनियट्टिकरणम्मि ॥"
( સ્માર સાવિત્તીવાળf) યથાપ્રવૃત્તિકરણે કરીને મિથ્યાત્વાદિ કર્મોને (૩) ખપાવીને (૩૮નાપા) નદીના પાષાણના દષ્ટાંતે કરી (રાવ) કઈ પ્રકારે ગ્રંથિપાસે આવે. પછી ( ગમનપુfધે તો ) પૂર્વે નહીં તેડેલી એવી રાગદ્વેષ પરિણતિમય મિથ્યાત્વની તે ગ્રંથિને (ાિવિાં ત્ર) પર્વતને (7) ભેદવાને (૩Yપુષgવધાનg) અપૂર્વકરણરૂપ ઉગ્ર-તીર્ણ વાની ધારાએ કરીને જીવ ગ્રંથિને ભેદતો (અંતમુહુરાઈ ) અંતર્મુહૂર્તકાળમાં ( i/નિવેદિજિ) અનિવૃત્તિકરણે ગયે થક.
ત્યાં શું કરે તે કહે છે– “વફતમાં સુતો, વર વન્માડું તથ વગાડું मिच्छत्तम्मि उइन्ने, खीणे अणुदियम्मि उवसंतं ॥"
Page #22
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ સ્તવ પ્રકરણ
(gઉત્તમ) સમય સમય પ્રત્યે (તુષતો) વિશુદ્ધમાન પરિણામી થકો (વિડ વ૬ તથ વગ૬) ત્યાં ઘણા કર્મોને ખપાવે. (મિ છત્તમ ૩ રહીને) તે વખતે જે મિથ્યાત્વના દળીયાં ઉદય આવ્યા હોય તેને ક્ષય કરે (ગgલિમિ સંત ) અને જે ઉદય ન આવ્યા હોય તેને ઉપશમાવે. એટલે ઉદીરદિ કરણ, વિપાકઉદય અને પ્રદેશઉદય થઈ શકે નહીં તેવા કરે તેને ઉપશમ કહીએ. અંતરકરણ કરતાં જે થયું તે આગલી ગાથાએ કરી કહે છે – “ संसारगिम्मतविओ, तत्तो गोसीसचंदणरसो व।।
ગરૂપનિષ્ણુફા, તતંતે ૪૬ સમજે છે ” . 3 જેમ કેઈક પથિક જન ઉનાળામાં મધ્યાન્હ સમયે નિર્જળ વનમાં સૂર્યના પડેલા તાપે કરી આકુળવ્યાકુળ થયો હોય તેને શીતળ સ્થાન મળે, બાવનાચંદનનો રસ છાંટે ત્યારે તે પથિક સાતા પામે તેમ ભવ્ય જીવરૂપ પથિક (સંપાદિw) અનાદિ સંસારરૂપ ઉગ્ર ગ્રીષ્મકાળે (વ) જન્મમરણાદિરૂપ નિજળ વનમાં કષાયરૂપ ઉગ્ર તાપે પીડ્યો તો રોગશોકાદિરૂપ લૂએ દગ્ધ થયેલ, તૃષ્ણારૂપ મટી પિપાસાએ પરાભવ પામે થકે (તત્ત) ત્યારપછી અનિવૃત્તિકરણરૂપ શુદ્ધ સરલ માર્ગ પામી, દૂરથી અંતરકરણરૂપ શીતળ સ્થાન દેખી હર્ષવંત થકે ઉતાવળો ત્યાં પહોંચે એટલે (પ) અતિ ઉત્કૃષ્ટ (નિશુt) અનિવૃત્તિકરણ કરી (ત ) તેને અંતે અંતરકરણને પ્રથમ સમયે (જોલીસવંજે ૪) ગશીર્ષચંદનના રસ જેવું શીતળ (રમત્ત ૪) સમ્યક્ત્વ પામે.
મિથ્યાત્વના ત્રણ ભાંગા કહે છે અભવ્યને અનાદિઅનંતરૂપ પહેલે ભાગે જાણો. ભવ્ય જીવને અનાદિસાંત બીજો ભાગો જાણ. જે જીવ સમ્યકૃત્વ પામી, પાછો વમન કરી મિથ્યાત્વે જાય, વળી શુભ સામગ્રીના જેગથી સમ્યકત્વ પામે, મિથ્યાત્વનો અંત કરે તેને ત્રીજો સાદિસાત ભાંગે જાણવો. ચોથા સાદિઅનંત ભાંગ મિથ્યાત્વને માટે ન હોય. જેને ક્ષાયિક સમક્તિાદિક ગુણ પ્રગટ થાય તેને સમકિતને અંગે હોય.
તે જ વાત કહે છે – " मिच्छत्तमभवाणं, तमणाइमणतयं मुणेयवं ।
भवाणं तमणाइ-सपज्जवसियं तु सम्मत्ते ॥"
(મિઝામવાળ) અભવ્યને મિથ્યાત્વ (તમામiતાં) અનાદિ અનંત ભાંગે ( કુચ ) જાણવું (મથાળ) ભવ્યને (તમUTદત્તપન્નવસાં તુ સત્તે)
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રકરણસ ગ્રહ
તે મિથ્યાત્વ અનાદિ સપ વસિત ભાંગે જાણવું. એટલે મિથ્યાત્વના અંત થાય અને સમ્યક્ત્વ પામે ત્યારે એમ સમજવુ.
27
હવે સમ્યકૃત્વ કેટલે ભેદે હાય ? તે કહે છે:
मू० - तं चेगावहं दुविहं, तिविहं तह चउविहं च पंचविहं । તસ્થેવિદ્ નું સુદ્દ—પળીયમાવેલુ તત્તક્ ॥ ૮॥
અ— તં ચેવિદ ) વળી તે સમ્યક્ત્વ એક પ્રકારે, ( તુવિદ્દ ) એ પ્રકારે, ( તિવિદ્દે ) ત્રણ પ્રકારે, ( તદ્ઘ ) તથા ( વર્ણવતૢ ) ચાર પ્રકારે ( 7 ) અને ( પંચવિતૢ ) પાંચ પ્રકારે પણ આગમમાં કહ્યુ છે. તે ભેદોનુ સ્વરૂપ વિસ્તારથી કહે છે—( તત્ત્વવિદું ) તેમાં એક પ્રકારનું સમ્યક્ત્વ તે કહીએ કે (i) જે હે ભગવન્ ! ( સુદ્ઘ ) તમારા ( પીયમાવેલુ ) પ્રકાશ્યા જે જીવાદિક ભાવ-પદાર્થ તેને વિષે ( સત્તર ) તત્ત્વની રૂચિ હાય અર્થાત્ પરમાર્થ બુદ્ધિ હાય-અરિહંત દેવે જે તત્ત્વ ભાખ્યું તે જ સત્ય છે એવી શ્રદ્ધા હેાય તે જાણવુ. ૮
તે વિષે ચેાગશાસ્ત્રમાં કહ્યું છે કેઃ—
""
रुचिर्जिनोक्ततत्त्वेषु, सम्यक् श्रद्धानमुच्यते । जायते तन्निसर्गेण गुरोरधिगमेन च ॥
""
66
( ત્તિનો તત્ત્વપુ ) જિનેશ્વરે કહેલા તત્ત્વને વિષે ( વિ ) જે રુચિ તે (સમ્યક્ શ્રદ્ધાનમુત્તે) સમ્યક્ શ્રદ્ધાન કહેવાય છે. ( તત્ત ) તે શ્રદ્ધાન (નિસTMળ ) સ્વાભાવિકપણે—પેાતાની મેળે ( ૨ ) અને ( ગુત્તષિવમેન ) ગુરુના ઉપદેશથી એમ એ પ્રકારે ( જ્ઞાયતે ) થાય છે.
""
હવે દ્વિવિધ સમ્યક્ત્વ ત્રણ પ્રકારે થાય છે તે કહે છે:
मू० - दुविहं तु दवभावा, निच्छं ववहारओ वि अहवा वि । મૂત્તુવિદ્ ધમાવા, निस्सग्गुवएसाओ, तुहवयणविऊहिं निद्दिट्टं ॥ ९ ॥
અ—( ૩ ) વળી ( દુષિતૢ ) એ પ્રકારનું સમ્યક્ત્વ તે ( ઘમાવા ) દ્રવ્યથી અને ભાવથી હાય છે, ( નિ ં વવદાઓ વિ) તથા નિશ્ચય અને વ્યવહારથી પણ હાય છે, ( અવા વિ ) અથવા ( નિમ્નજીવત્તા ) સ્વભાવથી અને બીજાના ઉપદેશથી પણ હેાય છે. એમ ( તુT ) તમારા ( વયવિહિં ) વચનને જાણનાર પુરુષાએ ( નિદ્દિકૢ ) કહ્યું છે–દેખાડયુ છે. ૯
હવે દ્વિવિધ સમ્યક્ત્વના જે ત્રણ પ્રકાર કહ્યાં તેનું લક્ષણ કહે છે:—
Page #24
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ સ્તવ પ્રકરણ
११
मू-तुह वयणे तत्तरुई, परमट्ठमजाणओ वि दवगयं ।
सम्मं भावगयं पुण, परमट्ठवियाणओ होइ ॥१०॥
मर्थ-डे प्रभु ! ( परमट्ठमजाणओ वि ) ५२भार्थने नहीं otyai wai ५ ( तुह ) तमा। ( वयणे ) क्यनने विषे रे ( तत्तरुई ) तत्व३थि छे, ते (दधगय) द्रव्यात (सम्म) सभ्यत्व ४वाय छे. (पुण) 4जी (परमट्टवियाणओ) ५२मार्थ ना२। पुरुषन (भावगयं ) मावत सभ्यत्व (होइ) डाय छे. १०
આ વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે – " जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं ।
भावेण सद्दहंतो, अयाणमाणे वि सम्मत्तं ॥”
" (जीवाइ) 04, 244 विगेरे (नव ) 14 ( पयत्थे ) पहन (तत्त्वान) ( जो ) २ ७१ ( जाणइ ) on छ, ( तस्स ) तेने ( सम्मत्तं ) सभ्यत्व ( होइ ) डेय छे. तथा ( भावेण ) माथी ( सहिंतो) श्रद्धा ४२नारने ( अयाणमाणे वि ) नहीं तो छतi 4 ( सम्मत्तं ) द्रव्यसभ्यत्व डाय छे."
હવે નિશ્ચય અને વ્યવહાર એ બે પ્રકારના સમ્યકત્વનું લક્ષણ કહે છે – मू-निच्छयओ सम्मत्तं, नाणाइमयप्पसुहपरिणामो ।
इयरं पुण तुह समये, भणियं सम्मत्तहेऊहिं ॥ ११ ॥
मथ-(नाणाइमयप्प) ज्ञानाहि मेट ज्ञान, नि, यास्त्रिमय मात्माना २ ( सुहपंरिणामो ) शुभ परिणाम, ते ( निच्छयओ) निश्चयथी ( सम्मत्तं ) सभ्यत्व उपाय छे. ( पुण ) जी ( इयरं ) भीमेट व्यवहार सभ्यत्व ते ( तुह समये ) तमा। सिद्धांतभा ( सम्मत्तहेऊहिं ) मिथ्यात्वीन संस्तव ( પરિચય ) વિગેરે અતિચારાદિક દેષને ત્યાગ અને દેવગુરુની ભક્તિ બહુમાન વડે शासननी जन्नति३५ सभ्यत्वना तुममे ४शन (भणियं ) छ. ११ નિશ્ચય સમ્યક્ત્વ વિષે ગશાસ્ત્રમાં કહ્યું છે કે – " आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतेः ।
यस्तदात्मैव स्वगुणैः, शरीरमधितिष्ठति ॥” " ( यतेः ) साधुन। ( आत्मैव ) आत्मा ४ ( दर्शनशानचारित्राणि )
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે તે ( ૩૪થવા) અથવા તે ( પત્તવાનૈવ) જે તેને આત્મા છે તે જ (ગુૌર ) પિતાના જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણે કરીને (શરીર) શરીરમાં ( તિતિ ) રહેલ છે. તેથી રત્નત્રયીના શુદ્ધ ઉપગે વર્તતા જીવને જ નિશ્ચય સમ્યકત્વ કહીએ.
વ્યવહાર સમ્યકત્વ વિષે ગુણસ્થાનકવિચારમાં કહ્યું છે કે" देवे गुरौ च सङ्घ च, सद्भक्तिशासनोन्नतिम् ।
સત્રતો િવરો, સ્થિતિં તૂ ગુણો ”
( ) દેવને વિષે, (ૌ ) ગુરુને વિષે અને ( ૪) સંઘને વિષે (સવિસ્તરતોતિ) બહુમાન સહિત ભક્તિ કરે, શાસનની ઉન્નતિ કરે, તે તે જીવ (ત્રતtsfપ) વ્રત રહિત છતો પણ (તૂર્વે) ચોથા ( ) ગુણસ્થાનકને વિષે ( થિર્તિ ) સ્થિતિને ( કાવ) કરે છે અર્થાત્ સમકિત પામે છે. ' હવે નિસર્ગ સમ્યક્ત્વ અને ઉપદેશજન્ય સમ્યક્ત્વ કહે છે – मू-जल १ वत्थ २ मग्ग ३ कुद्दव ४ जराइ ५ नाएण जेण पन्नत्तं ।
निसग्गुवएसभवं, सम्मत्तं तस्स तुज्झ नमो ॥१२॥
અર્થ–(૧૮) જળ ૧. (વસ્થ ) વસ્ત્ર ૨, ( IT ) માર્ગ ૩, ( ફુવ ) કેદ્રવ ૪ અને (૩૬) જવર–તાવ વિગેરે ૫ (નાપા ) આ પાંચ દષ્ટાંતે કરીને ( ૧ ) હે પ્રભુ ! જે તમે (
નિવામચં) નિસર્ગ અને ઉપદેશથી ઉત્પન્ન થયેલું ( સ ) સમ્યકત્વ ( પત્ર નં ) કહ્યું છે, (તા તુક્ષ) તેવા તમને (નમો ) નમસ્કાર થાઓ. ૧૨
આ ગાથામાં પાંચ દષ્ટાંતે કહ્યા છે. તેમાં જળ, વસ્ત્ર અને કદ્રવ એ ત્રણ દણત આગળ ઉપર પુંજત્રયની ભાવના અવસરે કહેવાશે, બાકીના માર્ગ અને વર એ બે દષ્ટાંત આ પ્રમાણે –
જેમ કેઈક પથિક માર્ગમાં ભૂલે પડ્યો, તે બીજા કોઈના ઉપદેશ વિના જ ભમતો ભમતો પિતાની મેળે માર્ગે ચડી જાય અને કેઈક પથિક તથાવિધ પાપના ઉદયથી સનને વેગ ન પામવાથી માર્ગ પામે જ નહીં અને કેઈક પથિક બીજાને પૂછી તેના કહેવાથી–બતાવવાથી માર્ગને પામે.
વળી કેઈને જ્વર આવ્યું હોય તે ઐષધ કર્યા વિના જ સાજો થાય, કેઈને જવર ઔષધાદિક કરવાથી જાય અને કેઈને જવર ઓષધાદિક કરવાથી પણ ન જાય. આ પ્રમાણે આદિશબ્દથી બીજા વ્યાધિઓ માટે પણ સમજવું.
Page #26
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ
૧૩
એ જ રીતે કાઇક શુક્લપાક્ષિક ભવ્ય જીવ કાળાદિક કારણાને પામીને પેાતાની મેળે જ વિચારતા થકા સમ્યક્ત્વ પામે, તે નિસર્ગ સમ્યક્ત્વ કહેવાય છે, તથા કાઇક ભવ્ય જીવ પૂર્વોક્ત કાળાદિક કારણ હાય પણ સદ્ગુરુના ચેાગે ઉપદેશ સાંભળી, મિથ્યાત્વના ત્યાગ કરી દેવ, ગુરુ અને ધર્મની સદ્ગુણારૂપ સમ્યક્ત્વને પામે તેને ઉપદેશસમ્યક્ત્વ કહીએ.
હવે ત્રણ પ્રકારે સમ્યકૃત્વ કહે છે.મૂ—તિવિનું ારા—રોગન—ટીવનમેન્હેં તુમાવવું। વાઝોવસમો વામય-વાદ્યમેદું વા હિયં ॥ ૩ ॥
અ—હે નાથ ! ( સુદ્ઘમવિર્દિ ) તમારા મતને જાણનારા ગણધરાદિકે ( T ) કારક, ( ત્તેન ) રોચક અને ( ટીવામે ) દીપક એ ભેદ્દે કરીને ( તિવિદ્યું ) ત્રણ પ્રકારનુ` સમ્યકૃત્વ કહ્યુ છે ( વા ) અથવા તેા (વાઓવલમ ) ક્ષાયેાપશમિક, ( સમિય ) ઔપમિક અને ( લાયમેદું) ક્ષાયિક એ ભેદ્દે કરીને પણ ત્રણ પ્રકારનું સમ્યક્ત્વ ( ર ) કહ્યુ છે. ૧૩
હવે કારકાદિક સમ્યકૃત્વનાં લક્ષણા કહે છે.
मू० - जं जह भणियं तुमए, तं तह करणम्मि कारगो होइ । रोअगसम्मत्तं पुण, रुइमित्तकरं तु तुह धम्मे ॥ १४॥
અ—હે નાથ ! ( તુમદ્દ ) તમે ( i ) જે ક્રિયાનુષ્ઠાનાદિક ( હ્રદૂ ) જે પ્રકારે કરવાનું ( અળિય ) કહ્યું છે, ( i ) તે ક્રિયાનુષ્ઠાનાદિ ( ૪૪ ) તે જ પ્રકારે ( મા ) કરવાથી ( જાને) કારક સમ્યક્ત્વ ( ોર ) હૈાય છે. ( ઘુળ ) વળી બીજી ( જ્ઞેશલમ્મત્ત ) રોચક સમ્યક્ત્વ તે ( તુટ્ટુ ધમ્મે ) તમારા ધર્મને વિષે ( મિત્તાં તુ ) રુચિમાત્રને કરનારું છે એટલે કે જિનેાક્ત ધર્મ કરવાની ઇચ્છા કરે, શુદ્ધ શ્રદ્ધા રાખે, કાઇને ધર્મક્રિયા કરતા જોઈને સારું માને, પરંતુ પાતે ભારેક હાવાથી ક્રિયાનુષ્ઠાનાદિક કરી શકે નહીં, તેને રાચક સમ્યક્ત્વ કહીએ-કારક સમક્તિમાં ચારિત્રના પણ સમાવેશ જાણવા. ( ૧૪ )
હવે દીપક સમ્યક્ત્વ કહે છે.—
मू० - सायमिह मिच्छद्दिट्ठी, धम्मक हाईहिं दीवइ परस्स । दीवगसम्मत्तमिणं, भणंति तुह समयमईणो ॥ १५ ॥ અ—( સર્વામર્દ ) અહીં પોતે ( મિીિ ) મિથ્યાદષ્ટિ હાય એટલે
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રકરણસંગ્રહ
કે અભવ્ય કે દૂરભવ્ય હોય, પણ અંગારમઈકાદિક અભવ્યની જેમ (ધાર્દિ) ધર્મકથાદિકે કરીને (પરલ્સ ) બીજા ભવ્ય જીવને ધર્મ કરીને (ફીવર) દીપાવેધર્મ પમાડે (સુ) તેને (સુદ) તમારા (રસમયમનો) સિદ્ધાંતને જાણનારાઓ (સીવણસ્મi) દીપક સમ્યકત્વ (મતિ ) કહે છે. ૧૫
સિદ્ધાંતમાં કહ્યું છે કે – " विहियाणुढाणं पुण, कारगमिह रोयगं तु सद्दहणं । મિચ્છદ્દિદ્દી વર્, વં તને વીવ તં તુ ”
(વિદિયાલુક્કા કુળ ) કર્યું છે આગમાનુસાર અનુષ્ઠાન જેણે તે ( ૬ ) અહીં ( i ) કારક સમ્યકૃત્વ કહીએ () વળી ( ર ) જિનભાષિત તત્વને વિષે જે સહણ તે ( ) રેચક સમક્તિ કહીએ. વળી ( મિક$દિદી) પિતે મિથ્યાષ્ટિ હોય છતાં પરને ( ) જે (જે) તત્ત્વને ( સીવ૬ ) દીપાવે એળખાવે ( તં સુ) તેને (ફીવ ) દીપક સમકિત કહીએ.”
હવે બીજી રીતે સમ્યત્વના ત્રણ ભેદ કહે છે – मू०-अपुवकयतिपुंजो, मिच्छमुइन्नं खवित्तु अणुइन्नं ।
उवसामिय अनियट्टि-करणाउओ परं खओवसमी॥१६॥
અર્થ–બાપુજયતિપુit) અપૂર્વકરણના બળવડે ર્યા છે ત્રણ પુંજ જેણે એ જીવ (૩૬) ઉદયમાં આવેલા ( $) મિથ્યાત્વને (વિ7) ખપાવીને તથા ( મા ) ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વને ( ૩વસામિય) ઉપશમાવીને ( નવદિશTUકિશો) અનિવૃત્તિકરણ કરવા થકી () શ્રેઠ એવા (ગોવામી) ક્ષપશમ સમ્યક્ત્વને પામે છે. ૧૬ ( આ સિદ્ધાંતકારને મત છે. ) કલ્પભાળ્યમાં કહ્યું છે કે – " आलंबणमलहंती, जह सट्ठाणं न मुंचए इलिया।
एवं अकयतिपुंजो, मिच्छं चिय उवसमी एइ ॥"
( 1 ) જેમ (f ) ઈયળ (શાર્દવ ) આલંબનને (શત) નહીં પામી સતી (સEા ) પિતાના સ્થાનને-જે ઠેકાણે રહી છે તે સ્થાનને (ર યુવા ) છોડતી નથી. (ઉર્વ) એ જ પ્રમાણે ( જતિનો ) નથી કર્યા ત્રણ પુંજ જેણે એવો (૩ ) ઉપશમ સમકિતવાળો જીવ સાસ્વાદની થઈને (મિરજી વિર ) મિથ્યા જ () જાય છે.”
Page #28
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ સ્તવ પ્રકરણ
૧૫ અહીં ત્રણ પુજનું દષ્ટાંત કહે છે—જેમ મીણ સહિત કેદ્રવ ધાન્યને ઉષ્ણ જળાદિક ઔષધના મેગે એક ભાગ મીણ રહિત કર્યો તે શુદ્ધ, બીજો ભાગ અરધે શુદ્ધ કર્યો તે અશુદ્ધ અને ત્રીજો ભાગ જે હતું તેને તે રહ્યો, તે અશુદ્ધ જાણવો. તથા જેમ કોઈક વસ્ત્ર મલિન હતું, તે ક્ષારાદિક ઔષધના યેગે અતિ સ્વચ્છ-નિર્મળ થાય, બીજુ ક્ષારાદિક ડે પ્રયત્ન હોવાથી થોડું (અર્ધ) નિર્મળ થાય. અને ત્રીજું મલિન જ રહે. તથા મલિન જળ જેમ નિર્મળી ફળાદિકના યોગે અતિ સ્વચ્છ થાય, બીજું થોડું નિર્મળ થાય અને ત્રીજું મલિન જ રહે. એમ ત્રણ દષ્ટાંતે અંતરકરણગત ઉપશમ સમ્યક્ત્વરૂપ ઔષધના યોગે કરી મિથ્યાત્વમેહનીયનાં દળીયાં મિથ્યાત્વરૂપ મીણથી ભરેલાં હતાં તેને એક ભાગ તો શુદ્ધ કર્યો-મીણ રહિત કર્યો, બીજો ભાગ અર્ધ મીણ રહિત થયે, એટલામાં અંતર્મુહૂર્તના કાળની સમાપ્તિ થઈ તેથી બીજો ભાગ તે અર્ધ શુદ્ધ થયો પણ ત્રીજો ભાગ શુદ્ધ કરવાને તો પોંચી શક્ય જ નહીં તેથી તે ત્રીજો ભાગ તો સંપૂર્ણ મિથ્યાત્વરૂપ મીણ સહિત વિષથી ભરેલો જ રહી ગયો.
હવે તે ત્રણ પુજના ત્રણ નામ કહ્યા છે. તેમાં પહેલે શુદ્ધપુંજ તે દર્શન (સમકિત) મોહની, બીજે અર્ધશુદ્ધ તે મિશ્રમેહની અને ત્રીજો સર્વથા અશુદ્ધ તે મિથ્યાત્વમેહની કહેવાય છે.
શ્રી વિશેષાવશ્યકની વૃત્તિમાં કહ્યું છે કે – " तद्यथेह प्रदीपस्य, स्वच्छाभ्रपटलैहम् ।
न करोत्यावृति कांचि-देवमेतद्रवेरपि ॥ एकपुञ्जी द्विपुञ्जी च, त्रिपुञ्जी वा ननु क्रमात् ।
दर्शन्युभयवांश्चैव, मिथ्यादृष्टिश्च कीर्तितः॥”. “ આ લેકમાં જેમ સ્વચ્છ અબ્રકના પડતર રહેલે દિવો ઘરમાં સર્વસ્થાને ઉદ્યોત કરે અને કાંઈપણ આવરણને કરતો નથી. તે જ પ્રમાણે ઉજજવળ વાદળાવડે સૂર્ય પ્રકાશ પણ આવરણ કરતો નથી. તેવી રીતે શોધેલા મિથ્યાત્વના દળીયાં પણ ન્યૂન શ્રદ્ધા કરે નહીં એમ સમકિત મેહની માટે સમજવું. તેમાં જે ત્રણ પુંજી છે તે સમ્યગ્દર્શની, બે પુંછ છે તે મિશ્રદર્શની અને એક પુંજી છે તે મિથ્યાદષ્ટિ છે.”
વળી કર્મગ્રંથના અભિપ્રાયે કહ્યું છે કેकम्मग्गंथेसु धुवं, पढमोवसमी करेइ पुंजतियं । તો પુખ છે, અને માતા છે વા ”
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રકરણસ ગ્રહ
**
( માંથેલુ ) કર્મગ્રથને વિષે ( ધ્રુવ ) નિશ્ચે ( પઢમોવસમી ) પ્રથમ ઉપશમ સમિત પામનાર જીવ અંતરકરણમાં(પુંતિય ) ત્રણ પુજને ( જ્વેદ ) કરે છે. ( પુળ ) વળી ( તડિયો ) તે ઉપશમ સમ્યકૂર્તીથકી પડેલા જીવ ( સચ્ચે ) ક્ષયાપશમ સમ્યક્ત્વને વિષે, ( મીલાદ્ ) અથવા મિશ્રને વિષે ( ૧ ) અથવા ( મિ∞ ) મિથ્યાત્વને વિષે ( ન∞ર્ ) જાય છે. ”
હવે કર્મગ્રથની શૈલીએ ઉપશમ સમ્યક્ત્વપ્રાપ્તિના ઉપાય કહે છે:— मू० - अकयतिपुंजो ऊसर, दवईलिय दडरुक्खनाएण । अंतरकरणुवसमिओ, उवसमिओ वा ससेणिगओ ॥१७॥
અ—— કશિપુનો ) જેણે પૂર્વે ત્રણ પુજ કર્યા ન હેાય એવા જીવ જેમ ( લર ) ઉખર ક્ષેત્રને પામીને તેમજ ( દૃષ્ટિય ) દાવાનળના અગ્નિથી મળેલી અને ( ધ્રુવનાળ) બળેલા વૃક્ષેાવાળી ભૂમિને પામીને નવા દાવાનળ શાંત થાય છે તેમ ( અંતરજીવનમો) આંતરકરણ કરવાવડે ઉપશમ સમ્યક્ત્વ પામે છે, ( વા ) અથવા ( સસૈનિકો ) પેાતાની શ્રેણિમાં એટલે ઉપશમ શ્રેણિમાં રહ્યો સતા ( વમિત્રો ) ઉપશમ સમ્યક્ત્વને પામે છે. ૧૭
તે વિષે કહ્યું છે કે:—
66
“ उवसम सेढिगयस्स य, होइ उवसामिओ उ सम्मत्तं । जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ॥
""
66
( ૩વસમસેઢિયKT) ઉપશમશ્રેણિ ઉપર રહેલાને-માંડનારને ( હવ સામિઓ ૩) ઉપશમ નામનુ સમ્મત્ત ) સમ્યકૃત ( ઢો૬ ) હાય છે. ( ૫ ) અથવા ( અતિવૃંગો ) નથી કર્યા ત્રણ પુજ જેણે અને ( અવિર્ઘામો) મિથ્યાત્વ ખપાવ્યું નથી એવા (જ્ઞો ) જે જીવ ( સĒ ) સમ્યક્ત્વને ( દૂ૬ ) પામે છે તે ઉપશમસમકિત જાણવું. ”
હવે સ્વશ્રેણિ જે ઉપશમશ્રેણિ તેની વિધિ અનુક્રમે લખે છે. તેમાં પ્રથમ ઉપશમશ્રેણિ ચડવા ચેાગ્ય જીવના લક્ષણ ગુણસ્થાનકક્રમારાહ ગ્રંથથી લખે છેઃ—
पूर्वज्ञः शुद्धिमान् युक्तो, ह्याद्यैः संहननैस्त्रिभिः । संध्यायन्नाद्यशुक्लांशं, स्वश्रेणिं श्रयते क्रमात् ॥
,,
66
( પૂર્વશઃ ) પૂર્વગત તને જાણનાર હાય, ( શુદ્ધિમાન ) નિત્ય અપ્રમત્તનિરતિચાર ચારિત્રવંત હાય, ( ાવેઃ ) પહેલા ( ત્રિમ: ) ત્રણ ( સંઘનનૈઃ )
""
Page #30
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ સ્તવ પ્રકરણ
સંહનનવડે ( સુવા) સહિત હોય અને (ગાથા ) શુકલધ્યાનના પહેલા પાયાનું (સંધ્યાચન) ધ્યાન કરતા હોય તે (ત્રીમતિ) અનુક્રમે (સ્વ ) પોતાની ઉપશમશ્રેણિન (અ ) આશ્રય કરે છે એટલે ઉપશમશ્રેણિને પ્રારંભ કરે છે.”
વળી ગુણસ્થાનક્રમારોહ ગ્રંથમાં કહ્યું છે કે – “પૂર્વીતિ -ગુજુ સમવં માતા
પતિ વિંન્તિઃ શાન્તિ, રોમાનુવં તછમ ” (પૂર્વા)િ અપૂર્વકરણ અને અનિવૃત્તિનાદર એ બે ગુણઠાણે (મિતિ) અનુક્રમે ( સ ) સાથે ( વિંતિઃ ) સંજ્વલન લેભવર્જિત બાકીની ચારિત્રમોહિનીની વિશ પ્રકૃતિની (શાંઢિ) શાંતિ ( તિ) કરે છે એટલે ઉપશમાવે છે. પછી ( ગુvy) એક એક ગુણસ્થાને એટલે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને (સ્ટોમાપુત્વે ) સંજવલન લેભ મેહનીય પ્રકૃતિનું અણુપણું કરે છે અને ઉપશાંતોહ ગુણસ્થાને (તમમ્) તે જ અણુરૂપ લેભપ્રકૃતિને ઉપશમાવે છે. એમ સર્વોપશમ કરે છે. તેમાં અલ્પ આયુવાળ શ્રેણિસમાપ્તિને અવસરે મરણ પામ્યો થક અહમિંદ્રપણે ઉપજે છે–સર્વાર્થસિદ્ધ પર્યત અહમિદ્ર દેવતા થાય છે. કહ્યું છે કે –
" श्रेण्यारूढकृते काले-ऽहमिन्द्रेष्वेव गच्छति । - પુછાયુતૂપરાન્તાન્ત, નશારિત્રમો . ”
“( શ્રેષાઢજો રે ) ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલો કાળ કરે તો ( અમિવ ) અહનિંદ્રને વિષે જ (અતિ ) જાય છે. () પુન: વળી ( પુછપુર) પુષ્ટ એટલે મોટા આયુષ્યવાળો જીવ (કપરાન્તાd ) ઉપશાંત ગુણસ્થાનનો અંત કરે છે અને હું ચારિત્રની નર) ચારિત્રમેહની પ્રત્યે લઈ જાય છે એટલે ઉપશમાવેલા ચારિત્રમેહનીને પાછા ઉદયમાં લાવે છે. ઉપશાંતમોહ ગુણસ્થાને ચડેલો જીવ અવશ્ય પડે છે.” તે વિષે કહ્યું છે કે –
“ व्रतमाहोदयं प्राप्यो-पशमी च्यवते ततः।
અપકૃતમરું તોયું, પુનર્માન્ટિમસુતે ” “ ( રૂપરામી) ઉપશમણિવાળો (તમોહોર) ચારિત્રમેહનીયનો ઉદય ( કાવ્ય ) પામીને ( તતઃ ) તે થકી ( વ ) પાછો એવે જ છે–પડે જ છે; કેમકે (અધ: તમર્દ) નીચે કર્યો છે-બેસાડી દીધો છે. મળ જેનો એવું ( તાં)
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
જળ (પુન:) ફરીથી (મટિન્જ) મલિનતાને (અનુ ) પામે છે. એટલે કેઈ ઓષધાદિક પ્રાગવડે જળને મળ નીચે બેસી જાય તે પણ પાછું વાયુ વિગેરેના પ્રયોગથી તે પાણી મલિન થાય છે તેમ પ્રમાદના ચેગથી ઉપશમી જીવ એવે છે–પડે છે.”
કહ્યું છે કે – " सुअकेवली आहारग, उजुमइ उवसंतगावि उ पमाया । हिंडति भवमणंतं, तयणंतरमेव चउगइया ॥"
( સુવરી) શ્રત કેવળી-ચાદપૂવી, (માદા) આહારકશરીરની લબ્ધિવાળા, (ગુમ) જુમતિ મન:પર્યવજ્ઞાની તથા (૩વતાવિ ૩) ઉપશાંતોહ એટલે અગ્યારમાં ગુણસ્થાનકવાળા પણ (ઉનાવા) પ્રમાદના વેગથી (તયતાવ) તે જ ભવની પછી અનંતર (૩ ) ચારે ગતિવાળા થઈને (અતં મä ) અનંત ભવ (હિંતિ) ભ્રમણ કરે છે.”
ઉપશમશ્રેણિ વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે" जीवो हु इक्कजम्ममि, इकसेढी करेइ उवसमगो। खयं पि कुजा नो कुज्जा, दो वारे उवसामगो ॥"
૩ઘરમ) ઉપશમશ્રેણિવાળો જે (કવો) જીવ (દુ) નિશ્ચ (રૂમંfમ) એક જન્મને વિષે ( સેદી ) એક વાર ઉપશમણિ ( ) કરે, તે જીવ (ા જિ) ક્ષપકશ્રેણિને પણ (ફુગા) કરે, પરંતુ વારે) બે વાર (૩વવામ) ઉપશમશ્રેણિ કરે તે (નો જ્ઞા) તે જ ભવમાં ક્ષપકશ્રેણિ ન કરે.”
અહીં અચરમશરીરી ઉપશમથકી પડ્યા થકા પ્રથમ ગુણસ્થાનકે-મિથ્યાત્વે પણ જાય છે. તે વિષે ગુણસ્થાનકમારેહ ગ્રંથમાં કહ્યું છે કે – “પૂર્વાશ્રયજૂર્વ–મે યાન્તિ રામોદ્યતઃ |
चत्वारोऽपि च्युतावाद्यं, सप्तमं चान्त्यदेहिनः॥"
ઉપશમશ્રેણિ ચડતાં (અપૂર્વાચાર) અપૂર્વ આદિ એટલે અપૂર્વકરણ, અનિવૃત્તિનાદર અને સૂફમસંપરાય એ (ગોપ) ત્રણે ગુણસ્થાનકવાળા ( કર્થ ) ઉચે ચડતાં (રામોદ્યત) ઉપશમના ઉદ્યમવાળા ( ચાનિત ) એક એક ગુણસ્થાને ચડે છે અને (ઘુત્ત) પડતી વખતે (વાતો ) અપૂર્વેદિક ચારે ગુણસ્થાનકેથી અનુક્રમે પડતા પડતા (માધં) પહેલા ગુણસ્થાનક સુધી જાય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ (૪) તથા ( દિન) જે ચરમશરીરી હોય તે પડતાં પડતાં (સપ્તમ) સાતમે ગુણસ્થાનકે આવીને અટકે છે અને તે સાતમાં ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિ માંડી તે જ ભવે કેવળજ્ઞાન પામી મેક્ષે જાય છે. શ્રેણિ વિષે કહ્યું છે કે૩વસીવિદ્ય, ના નીવ મામવં નૃvi |
તા પુ તો કુમવે, વેવાણે પુછો વા . ”
(લીવર૪) જીવન (મૂળ ) નિશ્ચ (આમઉં) આખા સંસારમાં મોક્ષ પામે ત્યાં સુધીમાં (૩વસમજવલં) ચાર વખત ઉપશમશ્રેણિ (ગા) હોઈ શકે છે. (પુ) વળી (તા) તે ઉપશમશ્રેણિ (ઉમ) એક ભવને વિષે (ર) બે વાર હોઈ શકે છે, (પુ) પરંતુ (વારે ) ક્ષપકશ્રેણિ તો આખા સંસારમાં (ઘા) એક જ વખત પ્રાપ્ત થાય છે.”
હવે ક્ષાયિકસમકિતનું સ્વરૂપ કહે છે. मू-मिच्छाइखए खइओ, सो सत्तगखीणि ठाइ बध्धाऊ ।
चउतिभवभाविमुक्खो, तब्भवसिद्धी वि इयरो वा ॥१८॥
અર્થ-“(મિઝાઇag) મિથ્યાત્વાદિક સાત પ્રકૃતિનો ક્ષય કર્યો સતે ( ) ક્ષાયિક સમક્તિવાળે થાય છે. () તે જીવ (વાળ) પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તે (રણ ) સાત પ્રકૃતિને ક્ષય કરીને (કાજુ ) ત્યાં જ રહે અર્થાત્ ક્ષપકશ્રેણિ માંડે નહીં, અને તે જીવને (રતિમવમવિમુણો) ચાર કે ત્રણ ભવમાં મોક્ષ થાય. (વા) અથવા (રૂ ) બીજો એટલે પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય તે જીવ (તભવની વિ) તે જ ભવે સિદ્ધિને પામે.” ૧૮.
હવે ચાર પ્રકારે સમ્યકત્વ કહે છે – मू०-चउहाओ सासाणं, गुडाइवमणु व मालपडणु व ।
उवसमिओ उ पडतो, सासाणो मिच्छमपत्तो ॥ १९ ॥
અર્થ -(રા) ચાર પ્રકારે સમ્યક્ત્વ હોય. તેમાં પ્રથમ કહ્યા પ્રમાણે ત્રણ પ્રકાર તથા થો પ્રકાર (તારા) સાસ્વાદન છે. તે (ગુલામણ ) ગોળ આદિકના વમન જેવું છે. એટલે કે પ્રથમ ખાધેલા ગોળનું વમન કરતી વખતે તેને મીઠે સ્વાદ આવે છે, તેમ સમક્તિનું વમન કરી મિથ્યાત્વે જતાં વચ્ચે છે આવળિકા સુધી સમક્તિને સ્વાદ આવે છે. તથા (મ૪િ૫૬g ૪) માળથકી પડવા
Page #33
--------------------------------------------------------------------------
________________
ww
w
h
^^^
^^^^^
^^^^^^^^^^^^
^
પ્રકરણસંગ્રહ જેવું છે એટલે કે જેમ માળથકી પડતાં વચ્ચેના ભાગને સ્પર્શતો બેશુદ્ધિથી અવશ્ય ભૂમિને સ્પર્શે છે તેમ સમકિતી જીવ પણ અનંતાનુબંધી કષાયના ઉદયબળે ત્યાં ટકી શકતું નથી–ત્યાંથી જરૂર પડે છે. તે જ કહે છે–(૩) તુ પુના–વળી (કવણfમો) ઉપશમસમતિવાળે (પર્વતો ) પડતે થકે અને (મિ) મિથ્યાત્વને (પત્તો ) હજુ પામ્યા નથી, તે (સારવાળો ) સાસ્વાદન કહેવાય છે.” ૧૯ વિશેષાવશ્યકમાં કહ્યું છે કે – " उवसमसम्मत्ताओ, चइऊ मिच्छं अपावमाणस्स ।
सासायणसम्मत्तं, तयंतरालंमि छावलियं ॥”
(હણમમ્મત્તાગો) ઉપશમ સમકિતથકી () ચવીને ( ૪) મિથ્યાત્વને (અપવમr) નહીં પામેલાને (સવંતમિ) તેને આંતરેવચ્ચે (છા૪િ ) છ આવળિકાના પ્રમાણવાળું (વાતાવરણમાં) સાસ્વાદન સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે.”
હવે પાંચ પ્રકારે સમ્યક્ત્વ કહે છે – मू-वेयगजुअ पंचविहं, तं च तु दुपुंजखयंमि तइयस्स ।
खयकालचरमसमए, सुद्धाणुवेयगो होइ ॥ २० ॥
અર્થ –“પૂર્વે કહ્યા ચાર તે( ગુ) વેદક સમ્યક્ત્વવડે યુક્ત કરવાથી (પંવિ૬) પાંચ પ્રકારે સમ્યક્ત્વ કહેવાય છે. (તે જ તુ) તુ પુન: વળી તે વેદક સમ્યકત્વ (સુપુનવર્ષામિ) મિથ્યાત્વ અને મિશ્ર એ બે પુજને ક્ષય કરે અને (તથ૪) ત્રીજા સમ્યક્ત્વપુજના (સ્વચાસ્ટિગ્રામસમg) ક્ષયકાળના છેલ્લા સમયે (હુક્કાજુવેગો) છેલ્લા શુદ્ધ પરમાણુનું જે વેદવું તે વેદકસમક્તિ (હો) હોય છે.”૨૦
હવે તે પાંચે સમ્યક્ત્વને કાળ કહે છે मू०-अंतमुहत्तोवसमो, छावलिय सासाण वेयगो समओ।
साहिय तित्तीसायर, खइओ दुगुणो खओवसमो ॥२१॥
અર્થ –“(અંતમુહુરોવરમો) ઉપશમ સમ્યક્ત્વને ઉત્કૃષ્ટ કાળ એક અંતમુહૂર્તને છે, (તારા) સાસ્વાદનને ઉત્કૃષ્ટ કાળ (છાસ) છ આવળિકાને છે, (વે ) વેદક કાળ (મો) એક સમય છે, (તો) ક્ષાયિકને કાળ (વાદિય) સાધિક એટલે મનુષ્યભવની અપેક્ષાએ કાંઈક અધિક (તિત્તીસાગર) તેત્રીશ
Page #34
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ.
૨૧
સાગરોપમ છે, અને ( ઘોવલમો) ક્ષયાપશમનેા કાળ ( ઘુળે) તેનાથી અમણા એટલે સાધિક છાસઠ સાગરાપમ છે.” ૨૧
'
ક્ષયાપશમના તેટલા કાળ શી રીતે થાય? તે વિષે સિદ્ધાંતમાં કહ્યુ છે કે— दो वारे विजयाइसु, गयस्स तिन्नीअ अच्चुए अहवा । तह अइरेग नरभावय, नाणाजीवाण सङ्घद्धा ॥
""
“ ( તે વારે ) એ વાર ( વિજ્ઞયાગ્નુ ) વિજયાદિકમાં ( થર્સ ) ગયેલાને ( બઢવા ) અથવા ( અષ્ટુપ ) અચ્યુતદેવલાકમાં (તિજ્ઞત્ર) ત્રણ વાર ગયેલાને છાસઠ સાગરે પમ થાય છે. ( તદ્દ ) તથા ( નવિય ) મનુષ્યભવના આયુષ્ય જેટલું ( ત્તેન ) અધિક થાય છે એમ જાણવું. તથા ( નાળાનીવાળ ) નાના પ્રકારના જીવાને આશ્રીને ( લઘુદ્ધા ) સર્વકાળ ક્ષયાપશમ સમિત હોય છે. ”
હવે સંસારમાં ભ્રમણ કરતા જીવ એ પાંચે સમ્યક્ત્વમાં કયું કયું સમ્યક્ત્વ કેટલી વાર પામે ? તે કહે છેઃ—
मू० - उक्कोसं सासायण, उवसमिया हुंति पंच वाराओ ।
वेयग खयग इक्कंसी, असंखवारा खओवसमो ॥ २२ ॥
અઃ—આખા સંસારને વિષે એક જીવને આશ્રીને ( ઉદ્દોલ ) ઉત્કૃષ્ટપણે ( સાસાયળ ) સાસ્વાદન સમ્યક્ત્વ અને ( કવસમિયા) ઉપશમ સમ્યકૃત્વ (તંત્ર વારાઓ ) પાંચ વાર (ક્રુતિ) હેાઇ શકે છે, તથા ( વેચન ) વેદક સમ્યક્ત્વ અને ( વચન ) ક્ષાયિક સમ્યક્ત્વ ( સી ) એક જ વાર પ્રાપ્ત થાય છે, તથા ( સ્ત્રદેવલમાં) ક્ષયાપશમ સમ્યક્ત્વ( અસંલવા ) અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે. ૨૨.
હવે કયા ગુણસ્થાને કયું સમ્યક્ત્વ હાય ? તે કહે છે.—
मू० - बीयगुणे सासाणो, तुरियाइसु अट्ठिगार चउ चउसु । उवसमग खड्ग वेग, खाओवसमा कमा हुति ॥ २३ ॥
અર્થ:—( સાલાને ) સાસ્વાદન સમ્યકૃત્વ (ચીયનુì ) ખીજા સાસ્વાદન નામના ગુણસ્થાને હોય છે, ( વત્તમન) ઉપશમ સમ્યક્ત્વ (તુરિયાતુ) ચેાથા ગુણસ્થાનકથી આરભીને ( અટ્ટુ) આઠ ગુણસ્થાનક સુધી એટલે અગ્યારમા ઉપશાંતમાહ સુધી હાય છે, ( વન ) ક્ષાયિક સમ્યક્ત્વ ( ૬ ) ચાથાથી અગ્યાર સુધી એટલે ચાદમા અયાગીકેવળી ગુણસ્થાન સુધી હેાય છે, ( વેચન ) વેદક સમ્યક્ત્વ અને ( સ્નાત્રોવલના )ક્ષાયેાપશમ સમ્યકૂ એ એ ( મા ) અનુક્રમે (૨૩ ૨૩૩ )
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
ચાર ચાર ગુણસ્થાનને વિષે એટલે ચેથા ગુણસ્થાનથી માંડીને સાતમાં અપ્રમત્ત ગુણસ્થાન સુધી (હૃતિ ) હોય છે. આ સિવાય બીજા ગુણસ્થાને હોતા નથી.” ૨૩.
સમ્યક્ત્વ પામ્યા પછી દેશવિરતિ, સર્વવિરતિ અને ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિ કયારે પ્રાપ્ત થાય? તે કહે છે: – " सम्मत्तम्मि उ लद्धे, पलियपुहत्तेण सावओ हुज्जा । વાળોવસમવયા, સાયરસંવંતરા દૂતિ છે ”
( ત્તષિ ૩) તુ પુનઃ–વળી સમ્યક્ત્વ (m) પામે સતે (ન્ટિપુત્તેજ) પોપમ પૃથકત્વે કરીને એટલે કે અંત:સાગરેપમ કડાકડિની સ્થિતિમાંથી બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિ ઓછી કરે ત્યારે (રવિ તુષા) શ્રાવક એટલે દેશવિરતિવાળે થાય છે. તેટલી સ્થિતિમાંથી પણ (સારસંવંતા) સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે () ચરિત્ર એટલે સર્વવિરતિને પામે છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે (૩મ) ઉપશમશ્રેણિને પામે છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે (હવા) ક્ષપકશ્રેણિ પામનાર ( દુતિ) થાય છે.”
તીર્થંકરાદિકની આશાતનાનું ફળ કહે છે– " तित्थयरं पवयण सुअ, आयरियं गणहरं महिड्डीयं । માનાચંતો વાતો, મગંતસંતોિ હોફ ”
(તિરથયાં ) તીર્થકર, (વાળ) પ્રવચન, (પુત્ર) શ્રુત, (જાતિ) આચાર્ય, (જળ) ગણધર અને (મહિયં ) મહદ્ધિક એટલે તપ, સંયમ અને શ્રુત સંબંધી સમૃદ્ધિવાળા એટલાની (દુ) ઘણે પ્રકારે (મારાચંતો ) આશાતના કરનાર જીવ (શતરંજ્ઞાનિકો ) અનંત સંસારી (દોર ) થાય છે. ”
હવે આગમમાં કહેલા સમ્યકત્વના પ્રકાર કહે છે – " एगविह दुविह तिविहं, चउहा पंचविह दसविहं सम्मं । दवाइ कारयाई, उवसमभेएहिं वा सम्मं ॥
“(vmવિદ ) જિનધર્મની શ્રદ્ધા તે એક પ્રકારે,(સુવિદ-વા ) દ્રવ્યથી અને ભાવથી, નિશ્ચયથી ને વ્યવહારથી ઈત્યાદિ બે પ્રકારે, (તિવિહેં-કરીમે
હિં વા વર્મા) કારક, રેચક ને દીપક અથવા ઉપશમ, ક્ષાયિક ને ક્ષપશમ સમકિત ઈત્યાદિ ત્રણ પ્રકારે, ( વવદ્દા ) ઉપશમાદિ ત્રણમાં સાસ્વાદન ભેળવતાં ચાર
Page #36
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ
प्रारे भने ( पंचविह ) पूर्वोस्त यार लेहभां वे ( दसविहं ) हश अक्षरे ( सम्मं ) सभ्यइत्व होय छे. "
હવે સમ્યકૃત્વના દશ પ્રકાર કહે છે—
८८
૨૩
लेगवतां पांच अरे तथा
निसग्गुवएसरुई, आणरुई सुत्तबीयरुइमेव । अभिगमवित्थाररुई, किरियासंखेवधरुई ||
""
" ( निसग्गुवएसरुई ) निसर्गरुथि १, उपदेशरुथि २, ( आणरुई ) आज्ञारुथि 3, ( सुत्तबीरुइमेव ) सूत्ररुथि ४, मीनरुपि, ( अभिगमवित्थाररुई ) अभिगमरुथि ६, विस्ताररुयि ७ ( किरिया ) डियारुथि ८, ( संखेव ) संक्षेपरुचि ८ अने ( धम्मरुई ) धर्मरुथि १०.”
હવે એ દરેક રુચિનું સ્વરૂપ કહે છે---
<<
भूअत्थेणाहिगया, जीवाजीवा य पुन्नपावं च । सहसम्मइ आसव, संवरो य रोएउ निसग्गो ॥ 'जो जिदिट्ठे भावे, चउविहे सद्दहाइ सयमेव । एमेव य नन्नहत्तिय, स निसग्गरुइ ति नायवो ॥ "
व
“ ( भूअत्थेण ) सत्य अर्थेने ( अहिगया) भएया सेवा ( जीवाजीवा य ) व नेव, तथा ( पुन्नपावं च ) पुएय मने पाप, ( आसव ) आश्रम अने ( संवरो य ) संवर, मे पार्थेने ( सहसम्म ) पोतानी सन्मतिथे श्रीने ( रोएउ ) ने रुयावे ते ( निसग्गो ) निसर्ग उडीओ. ( जो ) ने ( चउष्विहे ) द्रव्य, क्षेत्र, अण मने लाव अथवा नाम, स्थापना, द्रव्य अने भाव सेभ यार प्रहारना ( जिणदिट्ठे ) ननेश्वरे असा ( भावे ) भावाने ( सयमेव ) पोतानी भेणे ( सद्दहाइ ) श्रद्धा रे - ( एमेव य ) मा भन्न छे, ( नन्नहत्तिय ) अन्यथा प्रकारे नथी खेभ सद्दडे ( स ) ते ( निसग्गरुइत्ति ) निसर्गरुयि छे सेभ ( नायवो ) लागुवु: ( १ )
" एए चेव उवइट्ठे, जो परेण केण सद्दहइ । छउमत्थेण जिणेण वा, उवएसरुइ त्ति नायवो ॥ "
“जो ) ? १ (एए चेव ) ४ निनोत सिद्धांतना पहार्थोनी ( परेण केण) मीन ( छउमत्थेण ) छ६भस्थे ( वा ) अथवा ( जिणेण ) सामान्य ठेवणी
Page #37
--------------------------------------------------------------------------
________________
२४
પ્રકરણસંગ્રહ
विगेरेमे ( उवइट्टे ) उपदेश आये सते ( सद्दहइ ) श्रद्धा अरे ते १ ( उवएसरुह त्ति ) उपदेशरुथि छे म ( नायव्वो) भगवु ” ( २ )
""
राग दोसो मोहो, अन्नाणं जस्स ववगयं होइ । आणाए रोयंतो, सो खलु आणारुई नाम ॥
""
“(GEET ) Well ( TIIT ) 2191, (gÌAì) àa, ( fìet ) Alg mà ( arandi ) अज्ञान मे सर्व ( ववगयं ) नाश पाभेला ( होइ ) होय, ते सत्य ४ मोटो, अन्यथा मोसे नहीं खेभ लागी तेवा निनेश्वरनी ( आणाए ) भज्ञाने ( रोयंतो ) ने रुयावे ( सो ) ते ( खलु) निश्ये ( आणा रुई नाम ) आज्ञारुथि उड्डीये.” ( 3 )
" जो सुत्तमहिज्जतो, सुएण ओगाहई सम्मत्तं ।
अंगेण बाहिरेण व, सो सुत्तरुइ ति नायवो ॥ "
" ( जो ) ने लव ( सुत्तं ) सूत्रने ( अहितो ) ललुतो थ। ( अंगण ) अभ्यार अंग ( व ) अथवा ( बाहिरेण ) मंगमा भेटले मार उपांग विगेरे ( सुरण ) शास्त्रे अरीने ( सम्मत्तं ) सभ्यत्वने ( ओगाहई ) भवगाडे-याभे, ( सो ) ते १ ( सुत्तरुइत्ति ) सूत्ररुथि छे सेभ ( नायवो ) लावु ” ( ४ )
" एगेण अणेगाई, पयाई जो सरइ उ सम्मत्तं । उद व तेलबिंदु, सो बीयरुइ ति नायो ||
""
66
( जो ) ने १ ( एगेण ) गुरु माथि डी मे पहवडे मे! वाहि पह अथवा तेना अर्थ विगेरे लागीने ( अणेगाई ) अने ( पयाइं ) पहोने भेटले पहार्थेने ( सरइ उ ) सलारे - भो भने तेथी ( सम्मत्तं ) सभ्यत्वने पाभे (व) ूभ ( उदए ) भेजने विषे ( तेलबिंदु ) तेसनो मिहु असरे छे तेभ नेनी बुद्धि ! पहार्थने लगी धणा पहार्थोमां प्रसरे ( सो ) ते लव ( बीयरुइ त्ति ) श्रीनरुथि छे सेभ ( नायवो ) लवु ” ( 4 )
" सो होइ अभिगमरुई, सुअनाणं जेण अत्थओ दिट्ठे । इक्कारसमंगाई, पइन्नगं दिट्ठीवाओ अ ॥
""
“ ( इक्कारस मंगाई ) मग्यार अंग, ( पन्नगं ) अडीशु अ - पयन्नाओ। ( दिट्ठीवाओ अ ) अने दृष्टिवाह मे सर्व ( सुअनाणं ) श्रुतज्ञान ( जेण ) ? (अत्थओ) अर्थथी ( दिट्ठे ) एयु होय ( सो ) ते ( अभिगमरुई ) अभिगमरुथि ( होइ ) હાય છે એમ જાણવું.” ( ૬ )
Page #38
--------------------------------------------------------------------------
________________
८८
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ
૨૫
दवाण सब भावा, सव्वपमाणेहिं जस्स उवलद्वा । साहिं नयविहीहि य, वित्थाररुइ ति नायवो ॥
95
“ ( जस्स ) ने वे (दवाण ) धर्मास्तियाहि द्रव्योना ( सब भावा ) द्रव्य, गुणु, पर्याय विगेरे सर्व भावे ( सङ्घपमाणेहिं ) प्रत्यक्षाहि सर्व प्रमाण अरीने ( य ) अने ( सचाहिं ) सर्व ( नयविहीहि ) नयना प्रहारे उरीने भेटले सप्तनय भने सप्तलगी रीने ( उवलद्धा ) भएया होय ते व ( वित्थार रुइ न्ति ) विस्ताररुयिछे सेभ ( नायवो ) लगुवु." ( ७ )
" दंसण नाण चरित्ते, तव विणए सच्च समिइ गुत्तीसु । जो किरिया भावरुई, सो खलु किरियारुई नाम ॥ "
66
( दंसण ) हर्शन, ( नाण ) ज्ञान, ( चरिते ) यास्त्रि, ( तव ) तथ, ( विणए ) विनय, ( सच्च ) सत्य, ( समिइ ) समिति भने ( गुत्तीसु ) गुप्ति,
सर्वने विषे ( जो ) ? ७१ ( किरिया भावरुई ) डिया उरवानी रुथिवाणी होय ( सो ) ते १ ( खलु ) निश्ये ( किरियारुई नाम ) डियारुथि नामनो उडेवाय छे.” (८)
66
अभिगहियकुदिट्ठी, संखेवरुइ ति होइ नायो । अविसारओ पवयणे, अणभिगहिओ अ सेसेसु ॥ "
66
( अणभिगहियकुदिट्ठी) ने अनलिग्रहीत मिथ्यादृष्टि होय, ( पवयणे ) प्रवथनसिद्धांतने विषे ( अविसारओ) अङ्कुशण होय, ( अ ) भने ( सेसेसु ) जीन्न शास्त्रोने विषे ( अणभिगहिओ ) आग्रह रहित होय, ते ( संखेवरुइ ति होइ ) संक्षेपरुथि होय छे सेभ ( नायवो ) गुवु:
(6)
ܐܕ
" जो अस्थिकायधम्मं, सुअधम्मं खलु चरित्तधम्मं च । सहइ जिणाभिहियं, सो धम्मरुइ ति नायवो ॥ सद्दहइ
""
66
“ ( जो ) ? १ ( जिणाभिहियं ) निनेश्वरे उडेला ( अस्थिकायधम्मं ) धर्मास्तिष्ठाय विगेरे पहार्थेने, ( सुयधम्मं ) श्रुतधर्मने (च ) अने ( खलु ) निश्च ( चरित्तधम्मं ) यास्त्रिधर्मने ( सद्दहइ ) सहडे - श्रद्धा रे ( सो ) ते ( धम्मरुइ त्ति ) धर्मरुथि उडेवाय छे सेभ ( नायवो ) गुवु ” ( १० )
"
४.
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ હવે સમ્યક્ત્વના સડસઠ ભેદ વિશુદ્ધ વ્યવહારથી કહે છે – मू०-तिसुद्धि लिंग लक्खण, दूसण भूसण पभावगागारा ।
सद्दहण जयण भावण, ठाण विणय गुरुगुणाईयं ॥२४॥
અર્થ:–“(તિજ ) ત્રણ શુદ્ધિ, (હિ) ત્રણ લિંગ, (૪ ) પાંચ લક્ષણ, (દૂબ) પાંચ ફૂષણ, (મૂળ) પાંચ ભૂષણ, (માવજ) આઠ પ્રભાવક, (આખા) છ આગાર ( સદા ) ચાર સદ્દતણા. ( રજા ) છ જયણા, ( પ) છ ભાવના, (તા) છ સ્થાન, (વિથ ) દશ વિનય (ગુહપુvય) ગુરુગુણ વિગેરે જાણવા.” ૨૪ (છેલ્લે શબ્દ વિચારણીય છે)
વિસ્તરાર્થ– ત્રણ શુદ્ધિ–મનશુદ્ધિ ૧, વચનશુદ્ધિ ૨ અને કાયશુદ્ધિ ૩. ત્રણ લિગ-ધર્મશ્રવણની ઈચ્છા ૧, ધર્મરાગ ૨ અને દેવગુરુની વૈયાવચ્ચ ૩. પાંચ લક્ષણ–ઉપશમ ૧, સંવેગ ૨, નિવેદ ૩, અનુકંપા ૪ અને આસ્તિક્ય પ. પાંચ દૂષણ–શંકા ૧, કાંક્ષા ૨, વિચિકિત્સા ૩, મિથ્યાત્વીની પ્રશંસા ૪ અને
મિથ્યાત્વીને પરિચય ૫. પાંચ ભૂષણજિનશાસનમાં કુશળતા ૧, શાસનની પ્રભાવના ૨, તીર્થસેવા ૩,
ધર્મમાં નિશ્ચળતા ૪ અને શુદ્ધ દેવગુરુની ભક્તિ પ. આઠ પ્રભાવક–શાસ્ત્ર પારગામી ૧, અપૂર્વ ધર્મોપદેશક ૨, પરંવાદીને નિરુત્તર
કરનાર ૩, નૈમિત્તિક ૪, તપસ્વી ૫, મંત્ર અને વિદ્યામાં પ્રવીણ ૬,
સિદ્ધિસંપન્ન ૭ અને શ્રેષ્ઠ કાવ્ય રચનાર ૮. છ આગાર–રાજાભિગ ૧, ગણાભિગ ૨, બલાભિગ ૩, દેવાભિગ ૪,
કાંતારવૃત્તિ ૫ અને ગુરૂનિગ્રહ ૬. ચાર સહણા–પરમાર્થસંસ્તવ ૧, પરમાર્થ જ્ઞાનીની સેવા ૨, કુગુરુને ત્યાગ
૩ અને કુદર્શનને ત્યાગ ૪ છ જયણુ–પરતીર્થિકાદિકને વંદન કરવું ૧, તેમને નમસ્કાર કરવા ૨, તેમને પાત્ર
બુદ્ધિએ એક વાર દાન આપવું ૩, વારંવાર દાન આપવું ૪, તેમની સાથે
આલાપ-એક વાર બોલવું ૫, સંલાપ–વારંવાર બોલવું ૬, એનું વર્જન. છ ભાવના–સમક્તિ ધર્મવૃક્ષનું મૂળ છે ૧, ધર્મરૂપ નગરનું દ્વાર છે. ૨, ધર્મરૂપ
મહેલનો પાયો છે ૩, ધર્મને આધાર છે ૪, ધર્મનું ભાજન છે " અને ધર્મનું નિધાન છે ૬. આ પ્રમાણે ભાવવું તે ભાવના.
Page #40
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ.
૨૭
છ સ્થાન – જીવ છે ૧, જીવ નિત્ય છે ર, જીવ કના ર્તા છે ૩, જીવ કર્મને ભાક્તા છે ૪, જીવ મેાક્ષ મેળવે છે પ અને મેાક્ષ મેળવવાના ઉપાય પણ છે. ૬. આ પ્રમાણે નિરધાર કરવા તે.
દશ પ્રકારના વિનય—અરિહંત ૧, સિદ્ધ ૨, જિનચૈત્ય ૩, સિદ્ધાંત ૪, યતિધમ ૫, સાધુ ૬, આચાર્ય ૭, ઉપાધ્યાય ૮, પ્રવચન-સધ હું અને સમ્યક્ત્વ ૧૦–આ દશના વિનય કરવા તે.
હવે આ ગ્રંથને સમાપ્ત કરતા સતા અંતિમ મંગળ કરે છે. मू० - वित्थारं तुह समया, सया सरताण भवजीवाणं ।
सामिय तुह पसाया, हवेउ संमत्तसंपत्ति ॥ २५ ॥
અર્થ :—“ ( સામિય ) હે સ્વામી! (તુજ્જુ ) તમારા ( સમા ) સિદ્ધાંતના ( લયા ) સર્વદા ( વિત્યાર ) વિસ્તારનું સયંતાળ ) સ્મરણ કરતા–અનુસરતા એવા ( મઘનીવાળ ) ભવ્ય જીવાને ( ૩૬ ) તમારા ( વસાચા ) પ્રસાદથી ( સમ્મત્તસંપત્તિ ) સમ્યક્ત્વની પ્રાપ્તિ (વેર ) થાઓ. ” ૨૫.
the
પચવિંશતિકા સ્તવ
સપૂર્ણ
ઇતિ સમ્યક્ત્વ
Page #41
--------------------------------------------------------------------------
________________
श्रीपगच्छनायक श्री मद्धर्मघोषसूरिपादप्रणीतं
श्रीकाळसप्ततिका प्रकरणम्
देविंदणयं विजा-दमयं धम्मकित्तिकुलभवणं । नमिऊण जिणं वुच्छं, कालसरूवं जहासुत्तं ॥ १ ॥
अर्थ :- ( देविंदणयं ) देवताना द्रो नभेला सेवा ( विजाणंदमयं ) ज्ञान अने आनंदृभय तथा ( धम्म ) क्षांत्याहि धर्म ( कित्ति ) अने डीर्तिना ( कुलभवणं ) तिवरंत घर समान ( जिणं ) नेिश्वरने ( नमिऊण ) नभस्४२ ने ( कालसरूवं ) सुषभसुषभादि अजनुं स्व३५ ( जहासुत्तं ) प्रेम सूत्रमां धुं छे तेभ (वुच्छं) हुं उडीश. १.
सुहुमद्धायरदसकोडि-कोडि अराऽवसप्पिणुसप्पिणी । ता दुन्नि कालचकं, वीसायरकोडिकोडीओ
॥२॥
अर्थ :- ( सुहुमद्धायर ) सूक्ष्म अद्धा सागरोपम ( दसकोडिकोडि ) श हैं।डाडे।डीवडे ( छअराऽवसप्पिणुसपिणी ) छ मारा अवसपिजीना थाय तेम ४ दृश छोडाडोडी सागरोपमे छ सारा उत्सर्पिणीना थाय. ( ता दुन्नि ) ते मे भजीने (वीसायरको डिकोडीओ) वीश डोडामेडी सागरोपमे (कालचक्कं ) मे अजय थाय. २.
मुंडियइगाइसगदिण - कुरुनरकेसचिअमनिलजलगणिणो । अविसयमुसेहजोयण-पिहुच्च पलमिह पलिओमं ॥ ३ ॥
अर्थः- (मुंडियइगाइसगदिण ) भुंडित रेसा भस्त उपर अहि सात हिवसना प्र३८ थयेला ( कुरुनर केस ) हेवरु ने उत्तरकुरु क्षेत्रना लुगसीयाना वाणवडे ( चिअं ) व्याप्त डांसीने लरेयो, ( अनिलजलगणिणो अविसयं ) वायु, જળ અને અગ્નિના અવિષયભૂત અર્થાત્ તેનાથી વિનાશ કરવાને અશકય એવા,
૧ છ પ્રકારના સાગરોપમેામાંને આ સૂક્ષ્મ અહ્વા એક પ્રકાર છે તે અહીં લેવાનો છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
~~
~
કાળસપ્તતિકા પ્રકરણ ( કલોલ ) ઉત્સધ અંગુલથી નિષ્પન્ન એક જન પ્રમાણને (gિs). પહોળ, લાંબો અને ઉંચે, (સ્ત્રો) પાલાની ઉપમાવાળો (સિદ) પાલે સમજે, એમ અહીં વૃદ્ધો કહે છે. ૩. पजथूलकुतणुतणुसम, असंखदलकेसहरसुहुमथूले। अध्धुद्धारे खित्ते पएस वाससय-समय-समया ॥ ४॥
અર્થ –(પન્નથુતપુતપુરમ) પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જઘન્ય શરીર સરખા એવા ( અવસ) અસંખ્યાતા કપેલા કેશબંડને અર્થાત દેવકુરુ અને ઉત્તરકુરુના યુગલીયાના એકેક વાલાને (વારની) સે સો વર્ષ () અપહરણ કરીએ એટલે એકેક કકડો પાલામાંથી કાઢીએ, તે રીતે જ્યારે તે પાલે ખાલી થાય ત્યારે (કુદુમથુ) સૂક્ષ્મ ને બાદર (વધુ) અદ્ધા પાપમ થાય. એટલે એક વાળના અસંખ્ય ખંડ કપેલા તેમાંથી એક એક ખંડ સે સો વર્ષે કાઢીએ ત્યારે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ થાય તે નિલેપ કાળ અસંખ્યાત વર્ષને થાય અને સો સે વર્ષે વાલાને અસંખ્યાતા કલધ્યા સિવાય કાઢીએ ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ સંખ્યાતા વર્ષ પ્રમાણ થાય.
હવે બીજી રીતે અસંખ્યાતા કલ્પીને (રમા) સમયે સમયે એક એક ખંડ અપહરીએ-કાઢીએ ત્યારે સૂક્ષ્મ ઉદ્ધાર પામ થાય તે નિલે પકાળ સંખ્યાત વર્ષ પ્રમાણ થાય અને વાલાગ્ર અસંખ્યાત ક૯યા સિવાય અપહરીએ ત્યારે બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય. તે કાળ સંખ્યાતા સમય પ્રમાણુ જ થાય. - હવે ત્રીજી રીતે તે પાલામાંથી અસંખ્યાત કપેલા વાળાગ્રે સ્પર્શેલા આકાશપ્રદેશને (સમય) સમયે સમયે અપહરીએ તે રીતે પાલો ખાલી થાય ત્યારે બાદર (વિ) ક્ષેત્ર પલ્યોપમ થાય અને વાળાગે સ્પશેલા તથા નહીં સ્પર્શેલા બધા આકાશપ્રદેશને સમયે સમયે અપહરીએ એ રીતે પાલો જ્યારે ખાલી થાય ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર ૫૯પમ થાય. આ બંને પ્રકારમાં નિલે પકાળ અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણી પ્રમાણ થાય, પરંતુ બાદર કરતાં સૂક્ષ્મ કાળપ્રમાણ વિશેષ જાણવું. ૪.
अस्संख संखवासा, असंखसप्पिणि कमा सहममाणं। थूलाण संखवासा, संखसमयुसप्पिणि असंखा ॥ ५॥
અર્થ -(ર) સૂક્ષ્મ અદ્ધા પોપમન નિલેપ-પાલે ખાલી થવાનો કાળ અસંખ્યાત વર્ષનો છે, ( સંવાલા ) સૂક્ષ્મ ઉદ્ધાર પાપમને નિલેપપાલે ખાલી થવાને કાળ સંખ્યાત વર્ષનો છે અને ( અસંતુિિા ) સૂક્ષ્મ ક્ષેત્ર
૧ ત્રણ પ્રકારના અંગુલ પૈકી આ એક અંગુલ છે તે અહીં લેવાનું છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રકરણસંગ્રહ પપમન નિલેપ-પાલે ખાલી થવાને કાળ અસંખ્યાત ઉત્સર્પિણને છે, ( વમા કુદુમમા ) અનુક્રમે ત્રણ પ્રકારના સૂક્ષ્મનું આ માન જાણવું. હવે સો સો વર્ષે કેશને અપહરીએ (શૂટા ) ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ થાય તે નિર્લેપકાળ એટલે પાલો ખાલી થવાનો કાળ (સંવવાના) સંખ્યાના વર્ષનો થાય, (સંવરમાં) સમયે સમયે કેશ અપહરીએ-કાઢીએ ત્યારે બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય. તે નિર્લેપ કાળ સંખ્યાત સમયનો થાય અને (૩furn ગા) કેશે સ્પર્શેલા આકાશપ્રદેશને સમયે સમયે અપહરીએ ત્યારે બાદર ક્ષેત્ર પલ્યોપમ થાય, તેને નિલેપ કાળ અસંખ્ય ઉત્સર્પિણી થાય. ૫. कालाउगाइ अद्धा, दीवादुद्धारि खित्त पुढवाई । सुहुमेण मिणसु दसको-डिकोडिपलिएहि अयरं तु ॥ ६ ॥
અર્થ –(ઢિાવાદ) અવસર્પિણ્યાદિ રૂપ કાળ અને દેવ, મનુષ્ય, તિર્યંચ તથા નારકીના આયુષ્ય તથા ભવસ્થિત્યાદિક (સુમેળ અા) સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમે કરીને મપાય, (લીવાદાર) દ્વીપ, સમુદ્ર પ્રમુખ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમે કરીને મપાય અને દ્વિત્ત ઉદવાડું) પૃથિવ્યાદિ છ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમે કરીને (મિrg) મપાય. (આ “મિurg' તથા કુદુમ પદ સર્વ ઠેકાણે જોડવા.) ( કોડિસ્ટિf) ત્રણે પ્રકારના દશ કેડીકેડી પપમે કરીને ત્રણ પ્રકારના (ગર તુ) એક એક સાગરોપમ થાય ૬. બધે ઠેકાણે ઉપગમાં સૂક્ષ્મ પામ-સાગરોપમ જ લેવું, બાદર તે માત્ર સૂક્ષ્મ સમજવા માટે જ બતાવેલ છે. सुसमसुसमा य सुसमा, सुसमदुसमा य दुसमंसुसमा य । दुसमा य दुसमंदुसमा वसप्पिणुसप्पिणुक्कमओ ॥ ७ ॥
અર્થ – સુરમપુરમા ) સુષમસુષમા નામને પહેલે આ, (કુલમાં) સુષમા નામને બીજે આરે, (ગુમડુમા ) સુષમદુષમા નામને ત્રીજે આરે, (ટુરમપુરમા ) દુષમસુષમા નામને ચોથા આરે, (સુરમ ૨) દુષમા નામનો પાંચમે આરે અને (ડુત્તમકુમા) દુષમદુષમા નામને છઠ્ઠો આ જાણ. આ નામ (અવqgfggો ) અવસર્પિણીના છ આરાના જાણવા. તેનાથી ઉત્ક્રમે ઉત્સર્પિણીના છ આરાના નામ જાણવા. ૭. सागरकोडाकोडी, चउतिदुइगसमदुचत्तसहसूणा । वाससहसेगवीसा, इगवीस कमा य अरमाणं ॥८॥
અર્થ – સોજો ) પહેલે આરો ચાર કડાકડી સાગરપગને, (તિ) બીજે આ ત્રણ કેડીકેડી સાગરોપમને, (૬) ત્રીજે આ બે
Page #44
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણ
૩૧
કડાકોડી સાગરોપમન, (રામદુલદસૂUા) ચોથો આરો બેંતાળીસ હજાર વર્ષ ઊણા એક કડાકોડી સાગરોપમને, (વારસદારીના) પાંચમે આરો એકવીશ હજાર વર્ષનો અને (રૂાર સમા) છÈ આ એકવીશ હજાર વર્ષનો જાણો. એ પ્રમાણે (૨) વળી (રામા ) છ આરાનું માન જાણવું. ૮. इह तिदुइगकोसुच्चा, तिदुइगपलिआउ अरतिगम्मि कमा । तूअरिबोरामलमाण-भोअणा तिदुइगदिणहिं ॥९॥
અર્થ:–૬) અહીં એટલે ભરતક્ષેત્રમાં (તિનિ ) પહેલા ત્રણે આરાના પ્રારંભમાં (મા) અનુક્રમે (તિદુકુશા) યુગલીયાનું શરીર ત્રણ, બે અને એક કેશ ઉંચું હોય છે. એટલે કે પહેલા આરામાં યુગલીયાનું શરીર ત્રણ કોશ ઉંચું, બીજા આરામાં બે કોશ ઉંચું અને ત્રીજા આરામાં એક કોશ ઉંચું હોય છે. એ જ પ્રમાણે (તિદુઢિબrs) ત્રણ, બે અને એક પલ્યોપમનું આયુષ્ય હોય છે, એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયાનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું, બીજા આરામાં બે પલ્યોપમનું અને ત્રીજા આરામાં એક પલ્યોપમનું હોય છે. તે જ પ્રમાણે (તિદુવડું) ત્રણ, બે અને એક દિવસે કરીને (ફૂગાવોસમસ્ટમાળમોબા) તુવેર, બોર અને આમળા પ્રમાણ ભેજનવાળા હોય છે. એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયા ત્રણ દિવસને આંતરે તુવેરના દાણું એટલે આહાર કરે છે, બીજા આરામાં બે દિવસને આંતરે બાર જેટલે આહાર કરે છે અને ત્રીજા આરામાં એક દિવસને આંતરે આમળા જેટલો આહાર ગ્રહણ કરે છે. ૯. तह दुछवन्नाअडवीस-सयगुचउसटिपिट्ठयकरंडा । गुणवन्ना चउसट्ठी-गुणसीदिणपालणा य नरा ॥ १० ॥
અર્થ– તદ) તથા (તુવન્ના) બસો ને છપન, (મકવાણg) એક સો ને અઠ્ઠાવીશ અને (રાષ્ટ્રિ) ચોસઠ (દિવાલ) પૃષ્ટકરંડક-વાંસાની પાંસળીઓ અનુક્રમે હોય છે, એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયાને ૨૫૬ પાંસળીઓ હોય છે, બીજા આરામાં ૧૨૮ પાંસળીઓ હોય છે અને ત્રીજા આરામાં ૬૪ પાંસળીઓ હોય છે. (૨) તથા (નર) યુગલીયા મનુષ્યો (ગુણવત્તા) ઓગણપચાસ, (૩૬) ચોસઠ અને () ઓગણએંશી (વિપઢિort) દિવસની પાવનાવાળા હોય છે, એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયા મનુષ્યને ૪૯ દિવસની અપત્યપાલના હોય છે, બીજા આરામાં ૬૪ દિવસની
- ૧ “ છ મહિના આયુષ શેષ સતે યુગલિની એક યુગલ પ્રસવે. ૪૯૬૪ ને ૭૯ દિવસ યુગલની પ્રતિપાલન કરે, ત્યારપછી યુગલ સ્વયમેવ હરતાફરતા થઈ જાય છે. તેના માબાપ તે છ મહિના પૂર્ણ થયા પછી મરણ પામે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રકરણસંગ્રહ હોય છે અને ત્રીજા આરામાં ૭૯ દિવસની અપત્યપાલના હોય છે. ૧૦. એટલે કે તેના માતા-પિતા એટલા દિવસ પ્રતિપાલન કરે છે ત્યાર પછી તેઓ સ્વયં રક્ષણ કરનારા થઈ જાય છે.
अवि सवजीवजुअला, निअसमहीणाउ सुरगई तह य । थोवकसाया नवरं, सवारयथलयराउमिणं ॥ ११ ॥
અર્થ –(કવિ નાની કુબા) વળી સર્વ યુગલીયા છે (નિરમદીMrs) પોતાની સમાન આયુષ્યવાળા અથવા હીન આયુષ્યવાળા (ગુજાર્ડ) દેવની ગતિમાં ઉત્પન્ન થાય છે, પણ અધિક આયુષ્યવાળા થતા નથી. (ત ) તથા વળી (ધોવાયા) તે યુગલીયાઓ અ૮૫ કષાયવાળા હોય છે. (નવ) વિશેષ એ કે-(સાચ) સર્વ આરાઓને વિષે (થ૮થ૪) સ્થલચરેનું આયુષ્ય (pur) આ આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે હોય છે. ૧૧ मणुआउसम गयाई, चउरंस हया अजाइ अटुंसा । गोमहिसुट्टखराई, पणंस साणाइ दसमंसा ॥ १२ ॥
અર્થ:-(મજુરામ) છએ આરામાં મનુષ્યનું જે આયુષ્ય હોય તેટલું જ આયુષ્ય હાથી, સિંહ અને અષ્ટાપદ વિગેરેનું હોય, (રાંત ટુચા) મનુષ્યના આયુષ્યને ચેથે ભાગે અશ્વ, ખચર વિગેરેનું આયુષ્ય હાય, (અકારુ બતા) મનુષ્યના આયુષ્યને આઠમે ભાગે બકરા, ઘેટા વિગેરેનું આયુષ્ય હાય, ( જોમદિપુષr ) મનુષ્યના આયુષ્યને પાંચમે ભાગે બળદ, પાડા, ઉંટ અને ગધેડા વિગેરેનું આયુષ્ય હોય, તથા (ાર રમંતા) મનુષ્યના આયુષ્યને દશમે ભાગે કુતરા, વરુ, ચિત્રા વિગેરેનું આયુષ્ય હોય છે. (આ ચતુષ્પદ પહેલા ત્રણે આરામાં યુગલિક હોય છે. ) ૧૨. उरभुअग पुवकोडी, पलिआसंखंस खयर पढमारे । कोसपुहुत्तं भुअगा, उरगा जोअणसहस्स तणू ॥ १३ ॥
અર્થ –(હિમારે ) પહેલા આરામાં (રમુજ જુદોડી) ઉરપરિસ એટલે સામાન્ય સપ, ભુજ પરિસર્પ એટલે ગોધા, નકુલ વિગેરે પૂર્વકેટિ વર્ષના આયુષ્યવાળા હોય છે, (જિસંવંત વાર ) ખેચર એટલે પક્ષીઓનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું (અસંખ્યાતા વર્ષનું) હોય છે, (જોતપુદુરં મુકા) ભુજપરિસર્ષનું શરીર કેશપૃથકત્વ એટલે બેથી નવ ગાઉ સુધીનું હોય છે, (૩ ગરા તપૂ) ઉરપરિસર્પનું શરીર એક હજાર યોજનનું
Page #46
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણ
૩૩
હોય છે. ૧૩. આમાં ખેચરજ યુગલિક હોય છે, કારણ કે સંખ્યાતા વર્ષના આયુવાળા યુગલિક હોતા નથી. पक्खीसु धणुपुहुत्तं, गयाइ छक्कोस छ?माहारो। तो कमहाणिविसेसो, नेओ सेसारएसु सुआ ॥ १४ ॥
અર્થ –(જવીકુ ઘggg૪) પહેલે આરે પક્ષીઓનું શરીરમાન ધનુષપૃથકૃત્વ એટલે બેથી નવ ધનુષનું હોય છે, (જયાદ ) ગજાદિકનું શરીર માન છ કેશનું હોય છે. (છઠ્ઠમા ) તેઓને-સર્વેને પહેલા આરાના પ્રારંભમાં છઠ્ઠને આંતરે એટલે બે દિવસને આંતરે આહાર હોય છે. (તો) ત્યાર પછી (સાસુ) બાકીના આરાને વિષે (મંદાળિવિવો) કમે કરીને, આયુષ્ય, દેહમાન, આહારદંતર વિગેરેની હાનિનો વિશેષ (પુ) સૂત્રથકી (નેગો ) જાણવો. ૧૪.
[ અહીં પ્રક્ષેપ બે ગાથા છે તેનો અર્થ આ પ્રમાણે છે:-(આ ગાથામાં બતાવેલ આયુષ્ય ઉપર બતાવેલ કરતાં કાંઈક જુદું પડે છે ) મનુષ્ય અને હાથીનું આયુષ્ય ૧૨૦ વર્ષ અને પાંચ દિવસનું, બળદ, પાડા વિગેરેનું આયુષ્ય ૨૪ વર્ષ અને પાંચ દિવસનું, અશ્વ વિગેરેનું આયુષ્ય ૩૨ વર્ષનું, બકરા, ઘેટા વિગેરેનું આયુષ્ય ૧૬ વર્ષનું, કુતરા વિગેરેનું આયુષ્ય ૧૨ વર્ષનું, તથા ગધેડા, ઉંટ વિગેરેનું આયુષ્ય ૨૫ વર્ષનું હોય. આ હાથો વિગેરે તિર્યંચના આયુષ્યનો વિચાર પાંચમા આરા આશ્રયી જાણવો. ] पाणं भायण पिच्छण, रविह दीपह कुसुम आहारो। भूसंण गिह वत्थासण, कप्पदुमा दसविहा दिति ॥ १५ ॥ ते मत्तंगा भिंगा, तुडिअंगा जोई दीवे चित्तंगा। . चित्तरसा मणिअंगा, गेहांगारा अणिअया (णा) य ॥ १६ ॥
અર્થ –(તે) તે આ (રવિદા) દશ પ્રકારના ( જુમા ) કલ્પવૃક્ષ યુગલીયા મનુષ્યને આ પ્રમાણે (હિંતિ) આપે છે -(મત્તા) મત્તાંગ નામના ક૯પવૃક્ષો (f) દ્રાક્ષાદિ મદિરા વિગેરે પીવાની વસ્તુ આપે છે. (૧) (મિ) ભંગ નામના ક૯પવૃક્ષ (મારા) સુવર્ણના થાળ, વાટકા વિગેરે ભાજન આપે છે. (૨) (તુરિબં) ત્રુટિતાંગ નામના કલ્પવૃક્ષે (પિછUT) વાજિત્ર સહિત
૧ ત્રણે આરામાં મનુષ્ય કરતાં બમણું-છ, ચાર ને બે ગાઉનું શરીર ચતુષ્પદનું હોય છે.
૨ પહેલે આરે બે દિવસને અંતરે, બીજે આરે એક દિવસને આંતરે અને ત્રીજે આરે દરરોજ તિર્યંચયુગલિકને આહાર હોય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
પ્રકરણ સંગ્રહ. બત્રીશ પાત્રબદ્ધ નાટક વિગેરે દેખાડે છે. (૩.) (કો) તિરંગ નામના ક૫વૃક્ષે રાત્રે પણ (વિપદ) સૂર્યના ઉદ્યોત જેવી પ્રભાને પ્રગટ કરે છે. (૪) (રાવ) દીપાંગ નામના ક૯પવૃક્ષ (લીવપદ) ઘરની અંદર દીવાની જેવી પ્રભાને પ્રગટ કરે છે. (૫) (ચિત્ત) ચિત્રાંગ નામને કલ્પવૃક્ષ ( કુસુમ) વિચિત્ર જાતિના પંચ વર્ણના સુધી પુષ્પ તથા માળા વિગેરે આપે છે. (૬) (વિરાણા) ચિત્રરસ નામના કલ્પવૃક્ષ (માદા) મનહર ષડ્રસ મિષ્ટાન્નાદિક આહારને આપે છે. (૭) (મણિશંft) મહેંગ નામના કલ્પવૃક્ષ (મૂળ) મણિ, મુગટ, કુંડળ, કેયૂર વિગેરે આભૂષણો આપે છે. (૮) (હા) ગેહાકાર નામના કલ્પવૃક્ષ (દિ) વિચિત્ર પ્રકારની ચિત્રશાળા વિગેરે સહિત સાત, પાંચ અને ત્રણ માળના ઘરે આપે છે. (૯) (બિયા ) તથા અનગ્ન નામના ક૯પવૃક્ષો (થાન) નાના પ્રકારનાં વસ્ત્રો, ભદ્રાસન વિગેરે આસનો તથા શયા વિગેરે આપે છે. (૧૦) ૧૫-૧૬. तइआरे पलिओवम-अडंसि सेसंमि कुलगरुप्पत्ती । जम्मद्धभरहमज्झिम-तिभागनइसिंधुगंगंतो ॥ १७ ॥
અર્થ -(રૂમ) ત્રીજે આરે (શિવમસિ ) પાપમને આઠમ અંશ-ભાગ (રેવંશિ) બાકી રહે ત્યારે (૩૪rm) કુલકરની ઉત્પત્તિ થાય છે. (અમરદનસિક) દક્ષિણાઈ ભરતક્ષેત્રના મધ્યના રિમાનસિંધુicતો) ત્રીજા ભાગમાં સિંધુ અને ગંગાનદીની વચ્ચે (1) તેમનો જન્મ થાય છે. ૧૭. पलिओवमदसमंसो, पढमस्साऊ तओ कमेणूणा । पंचसु असंखपुवा, पुवा नाभिस्स संखिजा ॥ १८ ॥
અર્થ-(સ્ટોમસમો) પાપમના દશમા ભાગ જેટલું (gઢમરહ્યા) પહેલા વિમલવાહન નામના કુલકરનું આયુષ્ય હોય છે. (તો) ત્યારપછી (મેળ) અનુક્રમે (જંતુ) પાંચ કુલકરનું આયુષ્ય (અસંagar) અસંખ્યાતા અસંખ્યાતા પૂર્વ અનુક્રમે (કળા) ઊણી ઊણું જાણવા. બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ને છઠ્ઠા કુલકરનું આયુષ્ય અસંખ્યાતા પૂર્વાનું જાણવું પણ અનુક્રમે ઓછું એ સમજવું. તથા (નામિક્સ ) સાતમા નાભિ કુલકરનું આયુષ્ય (સંહિષા પુદા) સંખ્યાતા પૂર્વનું ( કોડપૂર્વનું) જાણવું. ૧૮
पढमंसो कुमरत्ते, चरिमदसंसो अ वुड्डभावंमि । मज्झिल्लट्ठदसंसेसु, जाण कालं कुलगराणं ॥ १९ ॥
Page #48
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણ અર્થ-સર્વે કુલકરના પિતા પોતાના આયુષ્યના દશ દશ ભાગ કરવા. તેમાં (દમ) પહેલે દશમે ભાગ (કુમ) કુમારપણુમાં (અ) અને (મિ ) છેલ્લો દશમે ભાગ (ગુમાવંશિ) વૃદ્ધપણામાં જાણ; તથા (મgિ ) મધ્યમના આઠ દશાંશમાં (૩૪મારાī) કુલકરપણાનો (ર) કાળ (ગાળ) જાણો. ૧૯.
धणुसयनवअडसगस-ड्ढछछसड्ढपणपणपणीसुच्चा । कुलगरपियाऽवि कुलगर-समाउदेहा पिअंगुनिभा ॥२०॥
અર્થ –( ધજુનનવ) પહેલા વિમલવાહન કુલકરનું દેહમાન નવ સો ધનુષ(૧) (મ.) બીજા ચક્ષુષ્માનનું આઠ સો ધનુષ (૨) (સા) ત્રીજા યશવંત કુલકરનું દેહમાન સાત સો ધનુષ (3) (સદ્ગછ ) ચોથા અભિચંદ્ર કુલકરનું દેહમાન સાડા છસો ધનુષ (૪) (૪) પાંચમા પ્રસેનજિત્ કુલકરનું દેહમાન છ સે ધનુષ (૫) (સપખા) છઠ્ઠા મરુદેવ કુલકરનું દેહમાન સાડાપાંચ સો ધનુષ (૬) અને (guપણgશા) સાતમા નાભિ કુલકરનું દેહમાન પાંચ સે ને પચીસ ધનુષનું જાણવું. (૭) એટલે કે તેટલું તેમનું શરીર ઉંચું હોય છે. તથા (
કુ પિયાવિ) કુલકરની પ્રિયાઓ ( સ્ત્રીઓ) પણ ( પરમાર ) કુલકરની સરખા જ આયુષ્ય તથા દેહમાનવાળી હોય છે અને (ચિંગુનિમા) પ્રિયંગુના જેવી શ્યામ વર્ણવાળી હોય છે. ૨૦. सविमलवाहणचक्खुम-जसमं अभिचंदओ पसेणइअ । मरुदेव नाभिकुलगर, तियअरगंते उसहभरहो ॥ २१ ॥
અર્થ –(વિમઢવાળ ) પહેલા વિમલવાહન કુલકર, (રઘુન) બીજા ચક્ષુષ્માન, (કલમ) ત્રીજા યશસ્વત, (અમિવંશ) ચોથા અભિચંદ્ર, (Bઇ ) પાંચમા પ્રસેનજિતુ, (મો) છઠ્ઠા મરુદેવ અને (નાસિવુઢાર) સાતમા નાભિકુલકર-એમ સાત કુલકર થયા પછી (નિઝર) ત્રીજા આરાને છેડે એટલે ચોરાશી લાખ પૂર્વ અને નેવાશી પખવાડીયા ત્રીજા આરાના શેષ રહ્યા ત્યારે (૩૬) અષભદેવ પ્રથમ તીર્થંકર થયા અને ત્રીજા આરાના અઠ્ઠોતેર લાખ પૂર્વ અને નેવાશી પખવાડીયા શેષ રહ્યા ત્યારે (મો) ભરત નામના પહેલા ચક્રવતીને જન્મ થયે. (2ષભદેવના જન્મ પછી છ લાખ પૂર્વે ભરત ચક્રવતી જમ્યા.) ૨૧.
चउत्थे अजिआइजिणा, तेवीस इगार चक्कि तहि सगरो। મધવ સબંઘુમર સંતી, ધુ ર અમૂમ Hપમાં છે ૨૨ !
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૬
પ્રકરણ સંગ્રહ.
' અર્થ – ૪) ચોથા આરામાં (નિશાળિખા) પચાસ લાખ કરોડ સાગરોપમ ગયા ત્યારપછી અનુક્રમે અજિતાદિક તીર્થકરો (વીસ) ત્રેિવશ થયા. તથા () અગ્યાર ચક્રવર્તી થયા. (તર્દિ) તેમાં (સી) અજિતનાથને વખતે બીજા સગર ચક્રવતી થયા, (મધ) ત્યારપછી ત્રીજા મઘવ ચક્રવત્તી અને (iqમા) થી સનકુમાર ચકી એ બે ધર્મનાથ અને શાંતિનાથની વચ્ચે થયા. પછી ( સંતી સુંશુ યર) પાંચમાં શાંતિનાથ, છઠ્ઠા કુંથુનાથ અને સાતમા અરનાથ એ ત્રણ તીર્થકરના ભવમાં જ ચક્રવત્તી થયા, (તુમ્મ) આઠમા સુભૂમ નામના ચક્રવત્તી અરનાથ અને મલ્લિનાથના આંતરામાં થયા, (મામા) નવમા મહાપદ્મ નામના ચક્રવતી મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયા. ૨૨. हरिसेण जओ बभुत्ति, नव बला अयल विजय भद्दा य । सुप्पह सुदंसणाणंद-नंदणा रामबलभद्दा ॥ २३ ॥
અર્થ –(હા ) દશમ હરિષણ નામના ચક્રવત્તી () અને અગ્યારમા જય નામના ચક્રવતી નમિનાથ અને નેમિનાથના આંતરામાં થયા, (વંત્તિ) બારમા બ્રહાદત્ત નામના ચકવત્તી નેમિનાથ અને પાર્શ્વનાથના અંતરમાં થયા.
(Rા વટા) હવે નવ બળદેવ કેવી રીતે થયા તે કહે છે. તેમાં (૧૪) પહેલા અચળ નામના બળદેવ શ્રેયાંસનાથને વારે થયા, (વિશે ) બીજા વિજય નામના બળદેવ વાસુપૂજ્યને વારે થયા, (મદા ) ત્રીજા ભદ્ર નામના બળદેવ વિમલનાથને વારે થયા, (gg) ચેથા સુપ્રભ નામના બળદેવ અનંતનાથને વારે થયા, (હું ) પાંચમા સુદર્શન નામના બળદેવ ધર્મનાથને વારે થયા, (ગા) છઠ્ઠા આણંદ નામના બળદેવ અને (iii) સાતમા નંદન નામના બળદેવ અરનાથ ને મલ્લિનાથના આંતરામાં થયા, (રામ) આઠમા રામચંદ્ર નામના બળદેવ મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયાં અને (રમા ) નવમાં બળભદ્ર નામના બળદેવ નેમિનાથને સમયે થયા. ૨૩ विण्हु तिविट्ठ दुविठ्ठ, सयंभु पुरिसुत्तमे पुरिससीहे । तह पुरिसपुंडरीए, दत्ते लक्खमण कण्हे अ॥ २४ ॥
અર્થ –(વિજદુ) નવ વાસુદેવ આ પ્રમાણે થયા છે. વિવિ) પહેલા ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ શ્રેયાંસનાથને વારે થયા, (વિટ્ટ) બીજા દ્વિપૃષ્ઠ નામના વાસુદેવ વાસુપૂજ્યને વારે થયા, સયંમ્ ત્રીજા સ્વયંભૂ નામના વાસુદેવવિમળનાથને વારે થયા, (કુચિપુ) ચેથા પુરુષોત્તમ નામના વાસુદેવ અનંતનાથને વારે થયા,
Page #50
--------------------------------------------------------------------------
________________
.
કાલસપ્તતિકા પ્રકરણ
૩૭
( લિલીત્તે ) પાંચમા પુરુષસિંહ નામના વાસુદેવ ધર્મ નાથને વારે થયા, ( સદ્દ ) તથા (પુલિવુંકીવ) છઠ્ઠા પુરુષપુંડરીક નામના વાસુદેવ અને (ત્તે ) સાતમા દત્ત નામના વાસુદેવ અરનાથ ને મલ્લિનાથના આંતરામાં થયા, ( લમળ ) આઠમા લક્ષ્મણ નામના વાસુદેવ મુનિસુવ્રતસ્વામી ને મિનાથના આંતરામાં થયા, ( ૩ ) અને ( છ્હે ) નવમા કૃષ્ણ નામના વાસુદેવ નેમિનાથને વારે થયા. ૨૪.
आसग्गीवे तारय, मेरय महुकेटमे निसुभे अ ।
बलि पहराए रावण, जरसिंधू नव पडिहार ति ॥ २५॥
અર્થ :—હૅવે ( નવ ) નવ ( વ્રુત્તિ ત્તિ ) પ્રતિવાસુદેવ આ પ્રમાણે થયા છે. ( આલગ્નીવે) પહેલા અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ શ્રેયાંસનાથને વારે થયા, ( તત્ત્વ ) ખીજા તારક નામના પ્રતિવાસુદેવ વાસુપૂજ્યસ્વામીને વારે થયા, (મેડ્થ ) ત્રીજા મેરક નામના પ્રતિવાસુદેવ વિમલનાથને વારે થયા, (મકુટમે ) ચેાથા મધુકૈટભ નામના પ્રતિવાસુદેવ અન ંતનાથને વારે થયા, ( ૬ ) અને ( નિવ્રુમે ) પાંચમા નિશુંભ નામના પ્રતિવાસુદેવ ધનાથને વારે થયા, (વૃત્તિ) છઠ્ઠા ખલિ નામના પ્રતિવાસુદેવ અને ( પટ્ટુરાપ ) સાતમા પ્રહૂલાદ નામના પ્રતિવાસુદેવ અરનાથ ને મહ્વિનાથના આંતરામાં થયા, ( રાવળ ) આઠમા રાવણુ નામના પ્રતિવાસુદેવ મુનિસુવ્રતસ્વામી ને નમિનાથના આંતરામાં થયા, તથા (જ્ઞર્સિન્દૂ ) નવમા જરાસંધ નામના પ્રતિવાસુદેવ નેમિનાથના વારામાં થયા. ૨૫.
एवं जिणचउवीसं, चक्की बार नव बल हरी तयरी । नव नहि बिसयर, सिलागपुरिसा तह इहाई ॥ २६ ॥ नर कोडिआऊ, पंचसय धणुच्च सनयववहारा । पुवं च वासकोडी, सत्तरिलक्खा छपनसहसा ॥ ૨૭ ॥
અર્થ:—( ri) એ પ્રમાણે ( નિબ૨ડીનું) ચાવીશ તીથંકરા, ( રી ચાર ) ખાર ચક્રવત્તી, (નવ વર્લ્ડ) નવ બળદેવ, ( ↑ ) નવ વાસુદેવ, ( તયરી ) નવ તેના શત્રુ ( પ્રતિવાસુદેવ ) તથા (નવ નારńદ ) નવ નારદ, એ સર્વ મળીને ( વિલર) બહેાંતેર (સિહાનપુરા) શલાકા પુરૂષ જાણવા. જેઓએ મેક્ષમાં શલાકા-સળી ફૂંકી છે અર્થાત્ જેએ અવશ્ય મેાક્ષમાં જવાના છે તે શલાકા પુરુષ કહેવાય છે. ( તીર્થંકરા સર્વે તથા ચક્રવર્તી કાઇ કાઇ તદ્દભવે જ
૧ દરેક વાસુદેવના વખતમાં એકેક નારદ થાય છે તે સ્વગે કે મેાક્ષે જાય છે.
૨ અન્યત્ર અગ્યાર રુદ્ર સહિત ૮૩ શલાકા પુરૂષ કહ્યા છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રકરણ સંગ્રહ.
મેાક્ષ જનારા હેાય છે. ખીજા ત્યારપછીના ગમે તે ભવે મેાક્ષ જનારા હૈાય છે. ) (સજ્જ ) તથા ( ર્ાર્ફ ) અહીં આદિમાં એટલે ઋષભદેવને સમયે (ન ) મનુષ્યા ( દુધોરિયા ) પૂર્વ કેાટિ વના આયુષ્યવાળા હેાય છે, ( પંચલય ધનુઘ ) પાંચ સેા ધનુષ ઉંચા શરીરવાળા હોય છે, તથા ( સનવવદાત્ત) તેઓ નીતિવાળા અને ખેતી તથા વેપાર કરનારા હાય છે.
અહીં પૂર્વનું પ્રમાણ કહે છે–(સત્તરિહવા) ૭૦ લાખ (વાસોહિ) કરોડ વર્ષ અને ( છપનલદત્તા ) પ૬ હજાર કરોડ વ તુ ( પુત્રં ચ ) એક પૂર્વ થાય છે. ૨૬-૨૭.
अट्ठजवमज्झमुस्सेह-मंगुलं ते उ हत्थि चउवीसं । વડાપણુ ધણુનુસન જોતો જોસવડ નોળયું ॥ ૨૮
અર્થ :-( અનુત્તવમાં રસ્તેદું ઊંચુ ં ) આઠ યવમધ્યનું એક ઉત્સેધ અંશુલ થાય છે, (૩) તુ પુન:-વળી (તે ચીત્ત) ચાવીશ ઉત્સેધ અંશુલના ( દૃસ્થિ ) એક હાથ થાય છે, ( વસઘળુ ) ચાર હાથનું એક ધનુષ થાય છે, ( ધનુહુલ લોલો ) બે હજાર ધનુષના એક કેશ ( ગાઉ ) થાય છે, તથા (જોસ૧૩ નોયળયં ) ચાર કેશનું એક ચેાજન થાય છે. ૨૮.
दुदुति कुलगरनीई, हमधिक्कारा ओ विभासाई । चउहा सामाईया, बहुहा लेहाइववहारो ॥ २९ ॥
અર્થ :-( ટુવ્રુત્તિન નીતૢ ) બે, બે અને ત્રણ કુલકરની નીતિ અનુક્રમે ( દૂધિયા ) હુ, મ અને ધિક્કાર એવા ત્રણ શબ્દની હતી. એટલે કે પહેલા અને ખીજા એ એ કુલકરને સમયે ‘ હા’ નામની નીતિ, ત્રીજા અને ચાથા કુલકરને સમયે ‘ મા’ નામની નીતિ ( હાકાર સહિત ) અને પાંચમા, છઠ્ઠા તથા સાતમા કુલકરને સમયે ‘ ધિક્કાર ” નામની નીતિ ( હાકાર અને માકાર સહિત ) પ્રવર્તતી હતી. ( તો ) ત્યારપછી ( વિમાસારૂં ) વિકલ્પવાળી નીતિ પ્રવતી એટલે જુદી જુદી જાતની નીતિ પ્રવતી, તે ( ચંદા સામાચા ) ભરત ચક્રવત્તીને વારે શામાદિક એટલે શામ, દામ,ભેદ અને દંડ એ ચાર પ્રકારની નીતિ પ્રવતી તથા ( ચત્તુદા ) ઘણા પ્રકારના ( હેદ્દા વવદ્દાત્તે) લેખાદિક વ્યવહાર પ્રો. ૨૯.
गुणनवइ पक्खसेसे, इह वीरो निव्वुओ चउत्थारे । उस्सप्पिणितइयारे, गए उ एवं पउमजम्मो ॥ ३० ॥ અ:—(૬૪ ) આ અવસર્પિણીના ( ચઽસ્થારે ) ચોથા આરાના (મુળ
Page #52
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણ
રહ
જવ૬) નેવાશી (વારે) પખવાડીયા બાકી રહ્યા ત્યારે (વી) મહાવીરસ્વામી (નિ ) નિર્વાણ પામ્યા. (૩) વળી (gવે) એ જ પ્રમાણે (૩૩સ્થિગિતા) આવતી ઉત્સપિણીના ત્રીજા આરાના નેવાશી પખવાડીયા (1) જશે ત્યારે (પડવો ) પદ્મનાભનો જન્મ થશે ( ગર્ભમાં આવશે ) ૩૦.
कालदुगे तिचउत्था-रगेसु एगणनवइपक्खेसु । सेस गएसु सिज्झंति, हुंति पढमंतिमजिणिंदा ॥३१॥
અર્થ – ૪૯ ) અવસર્પિણી અને ઉત્સર્પિણરૂપ બે કાળને વિષે અનુક્રમે (તિરકથાકુ) ત્રીજા અને ચોથા આરાના ( નવરંvણે) નેવાશી પખવાડીયા (રેસ પ૪) શેષ રહે ત્યારે અને વ્યતીત થાય ત્યારે (પદમંતિમલiા) પહેલા અને છેલ્લા તીર્થકર (જિન્નતિ ઇંતિ) સિદ્ધ થાય અને ઉત્પન્ન થાય. એટલે કે અવસર્પિણીમાં ત્રીજા આરાના નેવાશી પખવાડીયા શેષ રહે ત્યારે પહેલા તીર્થકર સિદ્ધ થાય અને ચોથા આરાના નેવાશી પખવાડીયા શેષ રહે ત્યારે છેલ્લા તીર્થકર સિદ્ધ થાય, તે જ પ્રમાણે ઉત્સપિણમાં ત્રીજા આરાના નેવાશી પખવાડીયા જાય ત્યારે પહેલા જિનેશ્વરનો જન્મ થાય અને ચોથા આરાના નેવાશી પખવાડીયા જાય ત્યારે છેલ્લા જિનેશ્વરનો જન્મ થાય. (અહીં જન્મ શબ્દ માતાના ગર્ભમાં ઉત્પન્ન થવાવાચક સમજ.) ૩૧. वीरपउमंतरं पुण, चुलसी सहस सगवास यणमासा । पंचमअरयनरा सग-करुच्च वीससयवरिसाऊ ॥ ३२ ॥
અર્થ:–(કુળ) વળી ( વીપમંત૬) મહાવીર અને પદ્મનાભનું આંતરું (ગુણી ) ચોરાશી હાર ને (સવાર) સાત વર્ષ અને (vમાણા) પાંચ મહિનાનું છે. તથા (પંચમમરીના) પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્ય (ર ) સાત હાથ ઉંચા અને (જીવનચરિત્રા) એક સો ને વશ વર્ષના આયુષ્યવાળા હોય છે. કર.
सुहमाइ दुपसहंता, तेवीसुदएहि चउजुअदुसहसा । जुगपवरगुरू तस्सम, इगारलक्खा सहस सोल ॥ ३३ ॥
૧ અવસર્પિણીનો પાંચમેને છઠ્ઠો આર ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષને ને ઉત્સર્પિણીને પહેલે ને બીજો આરો ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષને કુલ ૮૪૦૦૦ અને અવસર્પિણીના ચોથા આરાના છેલ્લા ૮૯ પક્ષ તથા ઉત્સર્પિણના ત્રીજા આરાના પ્રારંભના ૮૯ પક્ષ એ સર્વ મળી ૮૪૦૦૦ ને સાત વર્ષ અને પાંચ માસ થાય છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સંગ્રહ. અર્થ-(સુદ) સુધર્માસ્વામીથી આરંભીને (ટુપદંતા) દુપ્રભસૂરિ સુધીમાં (તેવીમુપહિં) ત્રેવીશ ઉદયે કરીને (વરપુરા ) બે હજાર ને ચાર (ગુરૂવાર) યુગપ્રધાન ગુરુ-આચાર્યો થશે, તથા (તમ) તે યુગપ્રધાનની જેવા (ફrrઢવા) અગ્યાર લાખ અને (તત પો) સેળ હજાર બીજા આચાર્યો થશે. ૩૩. एगवयारि सुचरणा, समयविऊ पभावगा य जुगपवरा । पावयणियाइदुतिगा-इवरगुणा जुगपहाणसमा ॥ ३४ ॥
અર્થ –(કુવા) તેમાં જે યુગપ્રધાન થશે તે સર્વે (ાર ) એકાવતારી, () ઉત્તમ ચરિત્રવાળા, (સમાવિક) સર્વ આગમને જાણનારા (ર) અને (ભાવ) શાસનની પ્રભાવનાના કરનારા થશે. તથા (gવાપહાણમા) જે યુગપ્રધાનની જેવા આચાયો થશે તે (પાવયથાતિનાશુપા) પ્રવચનિકાદિક બે, ત્રણ વિગેરે શ્રેષ્ઠ પ્રભાવક ગુણવડે યુક્ત થશે. ૩૪.
પ્રભાવકના આઠ પ્રકાર નીચે પ્રમાણે – “पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विजा सिद्धो य कई, अट्टेव पभावगा भणिया ॥"
પ્રવચન ( સિદ્ધાંત) ને જાણનાર, ધર્મકથા કરનાર, વાદી, નિમિત્તને જાણનાર, તપસ્વી, વિદ્યાવાળા, મંત્રસિદ્ધિવાળા અને કવિ ( કાવ્ય રચનાર ) આ આઠ પ્રકારના પ્રભાવક કહ્યા છે. ”
बारवरिसेहिँ गोयमु, सिद्धो वीराउ वीसहि सुहम्मो । चउसट्ठीए जंबू, वुच्छिन्ना तत्थ दस ठाणा ॥ ३५ ॥
અર્થ- વીર) મહાવીરસ્વામીથકી ( મહાવીરના નિર્વાણ પછી) (વારવરિ ) બાર વર્ષ ( મુ) ઐતમસ્વામી ( fat) સિદ્ધ થયા, અને મહાવીરના નિર્વાણથી (વી€િ) વશ વર્ષ ( ) સુધર્માસ્વામી સિદ્ધ થયા, તથા મહાવીરના નિર્વાણથી (વરસી) એસઠ વર્ષે (વંતૂ) જંબુસ્વામી સિદ્ધ થયા. (તસ્થ) તે વખતે (ટા) આગળ કહેવાશે તે દશ સ્થાનક (કુરિઝમ) વિચ્છેદ પામ્યા. ૩૫.
Page #54
--------------------------------------------------------------------------
________________
કાળસમતિકા પ્રકરણ
मणपरमोहिपुलाए, आहारगखवगउवसमे कप्पे । संजमतियकेवलिसि - ज्झणा य जंबुम्मि वुच्छिन्ना ॥ ३६ ॥
अर्थ:-( मणपरमोहिपुलाए ) भनः पर्यवज्ञान, परभावधि चुसाउवधि, ( आहारग) भाडासन्धि, ( खवग ) पश्रेणि, ( उवसमे ) उपशमश्रेणि, ( कप्पे ) निदप, ( संजमतिय ) संयमत्रि - परिहारविशुद्धि, सूक्ष्मस पराय भने यथाभ्यात नामना ऋणु संयम - यारित्र, ( केवलि ) ठेवणज्ञान ( य ) भने ( सिज्झणा ) सिद्धि-आ दृश स्थाने। ( जंबुम्मि ) ४ स्वाभीने विषे भेटले तेना निर्वाणु पछी ( वुच्छिन्ना ) विरुद्धे गया . ६.
પુલાકલબ્ધિને માટે આ પ્રમાણે કહ્યું છે—
66
जिणसासणपडिणीयं, चुन्निज्जा चक्कवट्टिसिन्नं प कुविओ मुणी महप्पा, पुलायली संपन्नो ||
""
૪૧
“ પુલાકલબ્ધિવડે યુક્ત એવા મહાત્મા મુનિ જે કાપ પામે તા જિનશાસનના શત્રુરૂપ ચક્રવર્તીની સેનાને પણ ઘૂરી નાંખે. ”
सिजंभवेण विहिअं, दसयालिय अट्ठनवइ वरिसेहिं ।
ु
सत्तरिसएहि थक्का, चउ पुवा भद्दबाहुम्मि ॥ ३७॥
अर्थः-भडावीरस्वाभीना निर्वाणु पछी ( अट्ठनवइ ) अठ्ठा ( वरिसेहिं ) वर्ष गया त्यारे (सिजंभवेण ) शय्य लवसूरिये ( दसयालिय ) दशवै असि सूत्र ( विहिअं ) २२; तथा महावीरस्वामीना निर्वाणु पछी ( सत्तरिसएहि ) से। सीतेर वर्ष गया त्यारे ( चउ पुछा ) छेा यार पूर्व ( भद्दबाहुम्मि ) भद्र - બાહુને વિષે—તેમની પછી थक्का ) थाञ्ज्या-अर्थ थी रहित रह्या. उ७.
ँ
तुहिंसु थूलभद्दे, दोसयपनरोहिँ पुवअणुओगो । सुहुममहापाणाणि अ, आइमसंघयणसंठाणा ॥ ३८ ॥
अर्थ:-वीर प्रभुना निर्वाणु पछी ( दोसयपनरेहि ) नसो ने ५४२ वर्षे ( थूलभद्दे ) श्री स्थूलद्रने विषे ( तेनी पछी ) ( पुवअणुओगो) पूर्वनो अनुयोग ( यार पूर्व ) ( सुडुममहापाणाणि ) सूक्ष्म महाप्राण ध्यान भेटले ने ध्यानथी
}
Page #55
--------------------------------------------------------------------------
________________
AAAAAAAAM
પ્રકરણસંગ્રહ અંતર્મુહૂર્તમાં ચાદ પૂર્વનું આનુપૂવી ને પશ્ચાનુપૂવીએ પરાવર્તન કરવાની શક્તિ प्राप्त थाय छे ते (अ) अने (आइमसंघयणसंठाणा ) पडे संघया भने पडे संस्थान ( तुर्दिसु) वि०७४ भ्या. 3८. पणचुलसीइसु वयरे, दस पुवा अध्धकीलिसंघयणं । छस्सोलेहि अ थक्का, दुब्बलिए सड्ढनव पुवा ॥ ३९ ॥
मथ:-वीर प्रभुना निर्वाय पछी (पणचुलसीइसु ) पाय से या।। वर्ष ( वयरे ) १२॥भीन विषे (दस पुषा ) ४. पूर्व मन ( अद्धकीलिसंघयणं)
અર્ધનારા ને કીલિકા સંઘયણ થાય એટલે ત્યારપછી વિચ્છેદ ગયા. (ર) भने ( छस्सोलेहि ) वीर प्रभुना नि पछी छ सेने से वर्षे ( दुब्बलिए ) दुनिापभित्रने विष ( सड्ढनव पुष्वा ) सन4 पूर्व ( थक्का ) थाज्या-त्यारपछी विछे गया. 3८. छत्वाससएहि नवु-त्तरोहिँ सिद्धिं गयस्स वीरस्स । रहवीरपुरे नयरे, खमणा पाखंडिआ जाया ॥ ४०॥
मथ:-(वीरस्स) वा२ प्रभु (सिद्धिं गयस्स) सिद्विभा या पछी (छवाससएहि नवुत्तरेहि) ७ से ने नव वर्ष गया त्यारे ( रहवीरपुरे नयरे ) २थवीरपुर नामना नगरमा (पाखंडिआ ) ५।५ ( खमणा) हिम२ साधुमे। ( जाया) थया. (हि२ मत नीv) ४०. तेणउअनवसएहिं, समइक्तेहि वद्धमाणाओ। पज्जोसवण चउत्थी, कालगसूरिहि तो ठविआ ॥ ४१ ॥
मथ:-(वडमाणाओ) व भानस्वाभाना निin पछी (तेणउअनवसएहिं) न सोने का वर्ष ( समइकंतेहि) गये सते ( कालगसूरिहि तो) ति: सूरिश्मे (पजोसवण चउत्थी) पर्युष। पर्व याथने हिवसे (ठविया) स्थापन यु.४१. वीरजिणा पुवगयं, सवं पि गयं सहस्सवरिसेहिं । सुन्नमुणिवेअजुत्ता, विक्कमकालाओ जिणकालो ॥ ४२ ॥
૧ આ સંઘયણ ચોથું અને પાંચમું હોવાથી બીજું અને ત્રીજું સંઘયણ આની પહેલાં વિચ્છેદ જવું જોઈએ. તેને વખત અહીં કહ્યો નથી.
Page #56
--------------------------------------------------------------------------
________________
४३
કાળસમતિકા પ્રકરણ अथ:-(वीरजिणा) पीर प्रभुना निर्माणथी (सहस्सवरिसेहिं ) २ वर्ष गया त्यारे (पुतगयं) पूर्व भा २ ( स पि गयं ) सर्व श्रुत विश्छे ययुः (जिणकालो ) पीर प्रभुना निवाथा (सुन्नमुणिवेअजुत्ता) य२ सो ने सीत२ वर्ष (विक्कमकालाओ) विम संवत्स२ प्रवत्या. ४२. तेरसएहिं वीरा, होहंति अणेगहा मइ (य) विभेआ। बंधति जेहिं जीवा, बहुहा कंखाइमोहणियं ॥४३॥ ___ अर्थ:-(वीरा) पी२ लिनेश्वरना निवाथी (तेरसएहिं ) ते२ से। वर्ष ( अणेगहा) मने प्रारना (मइ (य) विमेआ) भति(त) । ( होहंति) थशे. (थया.) (जेहिं )२ लेहोणे शने (जीवा) । ( बहुहा ) घ! 4२ना (कंखाइमोहणियं) diक्षाह-सट्टेडा भाडनीय भने (बंधंति) मांधते. ४3. 'वीरजिणा गुणवीसं, सएहि पण मास बार वरिसेहिं । चंडालकुले होही, पाडलिपुरि समणपडिकूलो ॥ ४४ ॥
मथ:-(वीरजिणा) वा२ प्रभुना निवाथी (गुणवीसं सएहि ) सासए से (बार वरिसेहिं ) मने मा२ वर्ष तथा ( पण मास ) पांय भास गये सते (पाडलिपुरि ) पारदीपुर नगरमा ( चंडालकुले ) याना उभा (समणपडिकूलो) साधुने। प्रति (Basant or ) ( होही ) थशे. ४४. चित्तटुंमिविट्ठिभवो, कक्की रुद्दो चउम्मुह तिनामा । अट्ठारट्ठारसप-नवरिस सिसुदिसिविजयरज्जे ॥४५॥
मथ:-(चित्तट्ठमिविट्ठिभवो ) चैत्र शुद मन हिवसे विष्टिमा तना सन्म थशे. तथा ते ( कक्की) ४८४ी, (रुद्दो) रुद्र अने (चउम्मुह ) यतु म से प्रभाओं (तिनामा ) त्रण नामवाण थशे. ( अट्ठार ) ते मढा२ वर्ष (सिसु) मायावस्थामां, (अट्ठारस) Aढा२ वर्ष (दिसिविजय ) हिवरायम भने (पनवरिस ) ५यास वर्ष ( रजे ) २४यमा निर्गमन ४२. ८ छ। वर्षनु આયુષ્ય ભોગવશે. ૪૫. तं मुणिभिक्खछलंसं, मग्गंतं हणिय विप्परूव हरी । तस्सुअ दत्तं रजे, पइदिणचेइयकरं ठविही ॥ ४६ ॥
૧ ૪૪ મીથી ૪૮મી ગાથા સુધીમાં કહેલી. હકીકત ઐતિહાસિક રીતે વિચારતાં બનેલી લાગતી નથી.
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સંગ્રહ. मथ:-( मुणिभिक्खछलंसं ) भुनिया पासेथा निक्षानी छड़ी ( मग्गंतं ) माता:(तं ) ते ४ीने ( विप्परूव हरी) श्रामणना ३५ने धार ४२ना२ / ( हणिय ) याने (पइदिणचेइयकरं) मेशा से नवा चैत्यने ४२।२। ( तस्सुअ दत्तं ) तेना पुत्र हत्तने (रजे ) २०यने विषे ( ठविही ) स्थापन ४२२. ४६.
अट्ठारसपन्नासेहिं, गहियसोरटुखप्परकुरजे । सो काही बहुवच्छर-अपुज्जसित्तुंजओद्धारं ॥ ४७॥
मथ:-(सो) ते इत्त २० ( अटारसपन्नासेहिं ) मा सो पयास वर्षे (गहियसोरट्टखप्परकुरजे) सौराष्ट्र देशनु राय अने तुरुनु शुन्य अ६ रीने ( बहुवच्छरअपुज ) घ! वर्षा सुधा मल्य २डे ( सित्तुंजओद्धारं ) शत्रुच्यना द्वारने ( काही ) ४२शे. ४७. ( 24उद्धारनी गणना ४२वामा मावी नथी ) तस्सुअ जिणदत्ताई-निवा नमिस्संति पाडिवयमाई । तइया कहं पि होही, तह जाइसरोहिनाणाई ॥४८॥
मथ:-- ( तस्सुअ ) ते हत्त न पुत्र ( जिणदत्ताई ) नित्त विगेरे ( निवा ) २०। ( पाडिवयमाई ) प्रातिपह विगेरे आयान (नमिस्संति) पहना ४२शे. ( तइया ) ते मते ( कहं पि ) ४५९] प्रारे ( तह ) तथा प्र४ारे अटले थे। - ४ ०पने ( जाइसरोहिनाणाई ) जतिस्भ२५ भने अवधिज्ञान ( होही ) थशे. ४८. जिणभत्तनिवाउ इगा-रसलक्खसोलसहस्स होहिंति । इहयं वरिससऊणे-गवीससहसेहिं वीरजिणा ॥४९॥
मथ:-( वीरजिणा ) पा२प्रभुना नि पछी ( इहयं ) म ( वरिससऊण ) सौ वर्ष न्यून२ ( एगवीससहसेहिं ) मेवी. ९०१२ वर्ष सुधीमा ( जिणभत्तनिवाउ ) लिनेश्वरनी महितवा 01 ( इगारसलक्ख ) मयार सामने (सोलसहस्स) सण हुन२ (होहिंति ) थशे. ४९.
१ " गुणवीसा सोलेहि य” प्रत्यतरमा ५४ छ तेनो अर्थ “मोगलीश सेन सोण વર્ષે ” એવો છે. આ વાત ઠીક લાગે છે, કારણ કે તેના પિતા ૧૯૧૨ માં તો થયેલ છે.
૨ અહીં સો વર્ષ જૂની કહેવાનું કારણ સમજાતું નથી.
Page #58
--------------------------------------------------------------------------
________________
કાલસખ્તતિકા પ્રકરણ
तह सग्गचुओ सूरी, दुप्पसहो साहुणी अ फग्गुसिरी । नाइल सड्डो सड्डी, सच्चसिरी अंतिमो संघ ॥ ५० ॥
૪૫
अर्थः–(तह) तथा भेउवीश इन्नर वर्षने छेडे (सग्गचुओ) स्वर्गथी भ्यवीने ( सूरि दुप्पसहो) दुष्प्रसल नामना आयार्य (अ) तथा ( फग्गुसिरी ) इदशुश्री नामनी ( साहुणी) साध्वी तथा (नाइल सड्डो) नागिस नामनेो श्राव अने (सड्डी सच्चसिरी) सत्यश्री नामनी श्रावि ( अंतिमो संघो ) मे प्रमाणे छेलो संघ थशे. ५०.
एगो साहू एगा, य साहुणी सावओ य सड्डी वा । आणाजुत्ता संघो, सेसो पुण अट्ठिसंघाओ ॥ ५१ ॥
अर्थ :- ( एगो साहू ) मे साधु, एगा य साहुणी ) मे साध्वी, ( सावओ य ) मे श्राव भने ( सड्डी वा ) भे श्राविा आ यार ४ ले ( आणाजुत्तो) वीतरागनी आज्ञामे उरीने युक्त होय तो ते ( संघो ) सौंध हेवाय छे; (पुण) परंतु ( सेसो ) गाडीने भेटटो भाज्ञा रहित होय ते पशु श्रेष्ठ गुगुनो अलाव हे!वाथी ( अट्ठिसंघाओ ) डाउअन। संधात अडेवाय छे. ५१. दसयालिय जिअकप्पा - वस्सयअणुओगदारनंदिधरो । सययं इंदाइनओ, छट्टुग्गतवो दुहत्थतणू ॥ ५२ ॥
MYS:-( TAMAT) suâsılas, (farer) rasey, (NAFAT ) आवश्य, ( अणुओगदार ) अनुयोगद्वार भने ( नंदि ) नही आ पांच सूत्रने ( धरो ) धारण ४२नार तथा ( सययं ) निरंतर ( इंदाइनओ ) द्राहि देवामे नभेला शेषा ते आयार्य थशे. तथा ( छडुग्गतवो ) उत्कृष्ट छठ्ठना तप उ२नार अने ( दुहत्थतणू ) मे हाथना शरीरवाजा थशे. ५२.
गिहि वय गुरुत्त बारस, चउ चउ वरिसो कयट्टमो अंते । सोहम सागराऊ, होइ तओ सिज्झिही भरहे ॥ ५३ ॥
अर्थ:-ते दुष्प्रसलसूरि ( गिहि ) गृहस्थपणे ( बारस ) मा२ वर्ष रहेशे, ( वय ) व्रत भेटले सर्वविरतिपणामां ( चउ ) यार वर्ष रहेशे अने ( गुरुत्त ) आयार्य पहने विषे ( चउ वरिसो) यार वर्ष रहेशे. गेम वीशवर्षनुं आयु पाणी ( अंते ) आयुष्यने छेडे ! कयट्टमो ) अट्ठमना तथवडे अनशन उरी ( सोहम्मि ) सौधर्म देवो!!भां (सागराऊ ) मे सागरोपमना आयुष्यवाणा ( होइ) देव थशे. ( तओ ) त्यांथी व्यवीने (भरहे ) भरत क्षेत्रमा ( सिज्झिही ) सिद्धिपहने पामशे. 43.
Page #59
--------------------------------------------------------------------------
________________
NAANAANI
४६
પ્રકરણ સંગ્રહ. सुअसूरिसंघधम्मो, पुवण्हे छिजिही अगणि सायं । निवविमलवाहणो सुह-ममंति नयधम्ममज्झण्हे ॥ ५४॥
मथ:-( सुअसूरिसंघधम्मो ) तज्ञान, सूरि, संघ सने धर्म से यार ( पुषण्णे ) ५७ पडारे ( छिजिही ) विश्छे पाभरी, ( निवविमलवाहणो ) विमान नामने। 1, ( सुहममंति) सुधर्म नमन मत्री मने ( नयधम्म) नाति धर्म 40 am मध्याह समये वि-छे पाभरी, तथा ( अगणि ) अभि ( सायं ) सायाणे विछे पाभरी. ५४. तो खारग्गिविसंबिल-विज्जुघणा सगदिणा पिहु कुपवणा। वरिसिय बहुरोगिजलं, काहिति समं गिरिथलाइं ॥ ५५ ॥
मथ:-(तो) त्या२५छी ( खारग्गिविसंबिलविज्जुघणा) क्षार (क्षारરસવાળા જળને મેઘ ), અગ્નિ જેવા જળને મેઘ, વિષમિશ્રિત જળને મેઘ, અમ્લ (ખાટા ) રસવાળા જળનો મેઘ અને વિદ્યુતુ મેઘ (જેમાં અત્યંત વિજળી જેવા
२ ४ २ डाय ते भे)-ओम पांय प्रा२ना भेघ ( सगदिणा ) सात सात हिवस शुस ३५ हिवस ( पिहु ) गुही ही वृष्टि ४२शे-१२सरी. ( कुपवणा ) १२१५ वायु पाशे, ( बहुरोगिजलं ) धारा- 1 उत्पन्न अरे ते ( वरिसिय ) १२सशे मने ( गिरिथलाई ) पर्वत तथा स्थ विगैरेन ( समं ) स२॥ ( काहिंति ) ४२”. ५५.
इंगालछारमुम्मुर-हाहाभूया तणाइरहिय मही । होहिंति बीयमित्तं, वेयड्ढाइसु खगाई वि ॥ ५६ ॥
मथ:-( इंगालछारमुम्मुर ) मास, २५ मने भु २-मारेअमि २वी तथा ( हाहाभूया ) डाव ! वे शुथशे ? ये प्रमाणे डाडवाणी तथा (तणाइरहिय ) तृपहिया २डित सेवी (मही) पृथ्वी थशे. तथा (वेयड्ढाइसु) वैताब्याभि -ना मिalli ( खगाई वि) १५क्षी माहि: ५५ (बीयमित्तं) भी। भात्र ( होहिंति ) २डेरी. ५६.
छट्टअरे दुकरुच्चा, वीसंवरिसाउ मच्छयाहारा । बिलवासी कुगइगमा, कुवन्नरूवा नरा कूरा ॥ ५७ ॥ ૧ અહીં આદિ શબ્દથી બીજ માત્ર પશુઓ પણ બિલમાં રહેશે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૭
કાળસપ્તતિકા પ્રકરણ અર્થ –( ) છઠ્ઠા આરામાં ( નg ) મનુષ્ય (સુપા ) બે હાથ ઉંચા શરીરવાળા ( વવવ ) વીશ વર્ષના આયુષ્યવાળા, (અછાણા ) મસ્યને આહાર કરનારા, (વિદ્રવાન ) ગંગા અને સિંધુ નદીના બિલમાં વસનારા, ( યુવા ) તિર્યંચ અને નરકરૂપ કુગતિમાં જનારા, ( સુવરહવા ) ખરાબ વર્ણ અને રૂપવાળા તથા ( જૂના ) ક્રૂર પ્રકૃતિવાળા થશે. ૫૭. निल्लज्जा निवसणा, खरवयणा पियसुआइठिइरहिया। छवरिसगब्भा इत्थी, सुदुक्खपसवा बहुसुआ य ॥ ५८॥
અર્થ:-(નિgar ) વળી તે મનુષ્યો લજજા રહિત, ( નિવાસણા ) વસ્ત્ર રહિત, ( વાળા) કઠોર વચનવાળા, (પથgબાદિયા ) માત-પિતા, ભાઈ–બહેન અને પુત્ર–કલત્રાદિની સ્થિતિ (મયોદા) રહિત થશે. તથા (ફથી) સ્ત્રીઓ (જીવવિજમા ) છ વરસની વયે ગર્ભ ધારણ કરશે, (જુદુઘરવા) અત્યંત દુઃખે કરીને પ્રસવ કરશે ( ) અને (પદુભા ) ઘણા પુત્રપુત્રીવાળી થશે. ૫૮. बहुमच्छचक्कवहगंग-सिंधुपासेसु नव नव बिलाई । वेयड्डोभयपासे, बिसयरि बहुरोगिनरठाणा ॥ ५९ ॥
અર્થ –( વામજી ) જેમાં ઘણા માછલાંઓ છે એવી અને ( વવ ) રથના ચક્ર જેટલા પ્રવાહવાળી (સંક્ષિપુપપુ ) ગંગા અને સિંધુ નદીની બને બાજુએ એટલે કાંઠે ( રેડ્ડમાપા ) વૈતાલ્યની બન્ને બાજુએ એટલે ઉત્તર અને દક્ષિણ દિશાએ ( વદુ જનાદાઈ ) ઘણું રોગી મનુષ્યના સ્થાનભૂત ( નવ નવ વિદ્યારું ) નવ નવ બિલ હોવાથી કુલ (વિતર) બહોતેર બિલમાં રહેશે. ( વૈતાલ્યની ઉત્તર દિશામાં ગંગા નદીના પૂર્વ પશ્ચિમ તરફના બે કાંઠામાં નવ નવ બિલ હોવાથી અઢાર બિલ થયા, તે જ રીતે વૈતાઢ્યની દક્ષિણ દિશામાં અઢાર હોવાથી છત્રીશ થયા. તે જ રીતે સિંધુ નદીના ચારે તરફના છત્રીશ મળીને કુલ બહોંતેર બિલ થાય છે. ) ૫૯.
अग्गिमअराइमाणं, पुव अरंते इहं तु छटुंते । हत्थतणु सोलवरिसाउ, अन्नहुस्सप्पिणी नवरं ॥ ६ ॥
અર્થ – જામગરાડમાળ) આગળના ઉત્સર્પિણના આરાદિકનું માન ( આયુષ્ય દેહાદિકનું માન ) પૂર્વની જેમ આગલા આરાની જેમ જાણવું. ઉત્સ
Page #61
--------------------------------------------------------------------------
________________
૪
પ્રકરણ સગ્રહ.
પિણીમાં આદિનુ જે જે દેહ આયુષ્ય પ્રમુખનું માન હેાય તે તે ( પુલ લતે ) પહેલા અવસર્પિણીના આરાને અંતે જાણવું એટલે ઉત્સર્પિણીમાં ( અન્નદ્ઘ ) અન્યથા પ્રકારે જાણવું. ( નવત્તું ) એટલું વિશેષ છે કે હવે પછીના આરાની ઉત્સર્પિણી સંજ્ઞા છે. (દં તુ છટ્ઠત્તે ) અહીં અવસર્પિણીમાં છઠ્ઠા આરાને અંતે ( ટ્રૂથતળુ સોલાર ) એક હાથનું શરીર અને સેાળ વર્ષનું આયુષ્ય હાય. ૬૦. ( એ પ્રમાણે ઉત્સર્પિણીના પહેલા આરાના પ્રારંભમાં હાય ).
पुक्खलखीरघयामय-रसमेहा वरिसिहंति पढमंते । भूसीयलन्ननेहो - सहिरसया सत्तसत्तदिणे ॥ ६१ ॥
અર્થ :——ઉત્સર્પિણીના પહેલા આરાને અતે અને બીજા આરાના પ્રાર ંભમાં ( પુલજી ) પુષ્કરાવત મેઘ વરસશે. તે મેઘ કે છે? પહેલાં અવસપેણીના છઠ્ઠા આરામાં ક્ષારાદિકન! ખરાબ મેઘા વરસવાથી થયેલી ઈંગાલ–ક્ષારમય પૃથ્વીને સ્વાદુ, સ્વચ્છ અને હિતકારી જળ વરસવાથી શાંત કરી દેશે. એ પહેલા પુષ્કરાવ મેઘ દાહને ઉપશમાવે છે. ત્યારપછી ( વી ) બીજો ખીરરસ મેઘ વરસશે તેથી પૃથ્વી પર ઘણા ધાન્ય નીપજશે. ઘય ) ત્રીજો ધૃતરસ મેઘ વરસશે તે પૃથ્વીમાં સ્નિગ્ધતાને ઉત્પન્ન કરશે, ( અમય ) ચેાથે! અમૃતરસ મેઘ વરસશે તે નાના પ્રકારની ઔષધિને તેમજ નાના પ્રકારના વૃક્ષેા અને લતાના અ ંકુરાને ઉત્પન્ન કરશે અને ( સમેત્તા ) પાંચમે! રસમેઘ સુરસમય ઉદકવાળા વરસશે તે વનસ્પતિમાં તિક્તાદિ પાંચ પ્રકારના રસને ઉત્પન્ન કરશે. ( સત્તત્તત્તતિને ) આ પાંચે પ્રકારના મેઘ અનુક્રમે સાત સાત દિવસ ( ર્વાષિવંતિ ) વરસશે. તે ( મૂલીયન્નનેોહિલયા ) પૃથ્વીને શીતલ કરશે, અન્ન ઉપજાવશે અને સ્નેહ સહિત ( સ્નિગ્ધ ), એધિ સહિત તેમજ રસ સહિત કરશે. ૬૧.
અ
बीउ पुराइकरो, जाइसरो विमलवाहणसुदामो | संगमसुपासदत्तो, सुमुहो सम्मइ कुलगर ति ॥ ६२ ॥
અર્થ:— વીર્ ૩ ) તથા બીજે આરે-પ્રાંત ભાગે ( પુરાત્તે ) નગરાદિકને કરનાર, ( જ્ઞત્તત્તે જાતિસ્મરણજ્ઞાનવાળા ( વિમવાળ) પહેલા વિમલવાડન, ( મુદ્દામો ) બીજા મુદ્દામ, ( સંગમ ) ત્રીજા સંગમ, ( સુપાત્ત ) ચેાથા સુપાર્શ્વ, ( ત્તે ) પાંચમા દત્ત, સુમુદ્દો ) છઠ્ઠા મુખ અને (સમર્) સાતમા સન્મતિ-આ સાત (રુજ્જર ત્તિ) કુલકરા થશે. ( સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં કહ્યું છે કે-ભરતક્ષેત્રમાં આવતી ઉત્સર્પિણીમાં મિત્રવાહન ૧, સુભૂમ ૨, સુપ્રભ ૩, સ્વયંપ્રભ ૪, દત્ત ૫, સુધર્મ ૬ અને સુત્ર ૭. આ નામના સાત કુલકરા થશે તે વ્યવહારાદિક ચલાવશે.) ૬૨.
Page #62
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણ तइयाइसु उड्डगई, जिणनारयबल दुहागई चक्की। अहरगइ हरिपडिहरी, चउत्थअरयाइसु अ जुअला ॥६३॥
અર્થ – તરલાઉg ) ઉત્સર્પિણના ત્રીજા ને ચોથા આરામાં ( કિનાવઇ) જિનેશ્વર, નારદ અને બળદેવો ( ૩ ) ઊર્ધ્વગતિવાળા થશે. તથા ( ર ) ચક્રવત્તીઓ (સુદ ) ઊર્વ અને અધે એમ બંને પ્રકારની ગતિવાળા થશે. તથા ( ક્લિવિદા ) વાસુદેવ અને પ્રતિવાસુદેવ (૩ ) અધોગતિવાળા થશે ( 5 ) તથા ( સંસ્થમાફg ) ચોથા વિગેરે ( પાંચમા અને છઠ્ઠા ) એમ ત્રણ આરામાં ( ગુહા ) યુગલિયા થશે. ૬૩. पउमाभसूरदेवो, सुपाससयंपभसवअणुभूई । देवसुअउदयपेढाल-पुट्टिलसयकित्तिसुवयऽममा ॥ ६४ ॥
અર્થ –( પત્તમામ ) આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રને વિષે શ્રેણિક રાજાને જીવ જે હાલમાં પહેલી નરકમાં વતે છે તે ત્યાંથી ચ્યવને શતદ્વાર નામના નગરમાં મહાપદ્મ નામે રાજા થશે. તે રાજા આવતી વીશીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થકર થશે. તેનું ૭૨ વર્ષનું આયુષ્ય, સાત હાથનું શરીર અને સિંહનું લાંછન થશે. તે મહાપ રાજાનું બીજું નામ દેવસેન થશે અને ત્રીજું નામ વિમળવાહન થશે. તેનું સર્વ વૃત્તાંત મહાવીરસ્વામીની જેમ જાણવું.
( કૂવો) વર્ધમાનસ્વામીના કાકા સુપાર્શ્વ નામે જે હતા, તેનો જીવ સૂરદેવ નામના બીજા તીર્થકર થશે. તે પાનાથ જેવા થશે. તેનું ૧૦૦ વર્ષનું આયુષ્ય, નવ હાથનું શરીર અને સર્પનું લાંછન જાણવું.
(rvrણ) પિટિલને જીવ (પરંતુ ઉવવાયસૂત્રમાં કહેલ છે તે નહીં) સુપાશ્વ નામના ત્રીજા તીર્થંકર નેમિનાથ જેવા થશે. તેનું હજાર વર્ષનું આયુષ્ય, દશ ધનુષનું શરીર અને શંખનું લાંછન જાણવું.
( રામ ) દઢાયુનો જીવ ચોથા સ્વયંપ્રભ નામના તીર્થકર નમિનાથ જેવા થશે. તેનું દશ હજાર વર્ષનું આયુષ્ય, પંદર ધનુષનું શરીર અને નીલ કમળનું લાંછન જાણવું.
( રાજુમૂ ) કાર્તિક શેઠને જીવ પાંચમાં સર્વાનુભૂતિ નામના તીર્થકર
૧ ચોથા આરાના પ્રારંભમાં થનારા વીસમા તીર્થકર અને બારમા ચક્રવર્તી બને નિર્વાણ પામ્યા પછી યુગલિક ધર્મ પ્રવર્તશે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રકરણસંગ્રહ
થશે. તે મુનિસુવ્રતસ્વામી જેવા થશે. તેનું ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય, વિશ ધનુષનું શરીર અને કચ્છપનું લાંછન જાણવું.
(રેવડુ) શંખ શ્રાવકને જીવ છઠ્ઠા દેવકૃત નામના તીર્થકર મલિનાથ જેવા થશે. તેનું પંચાવન હજાર વર્ષનું આયુષ્ય, પચીશ ધનુષનું શરીર ને કલશનું લાંછન જાણવું.
( ૩ ) નંદને જીવ સાતમા ઉદય નામના તીર્થકર અરનાથ પ્રભુ જેવા થશે. તેનું ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય, ત્રીશ ધનુષનું શરીર અને નંદાવર્તનું લાંછન જાણવું.
( ૪) સુનંદને જીવ આઠમા પેઢાલ નામના તીર્થકર કુંથુનાથ જેવા થશે. તેનું પંચાણ હજાર વર્ષનું આયુષ્ય, પાંત્રીશ ધનુષનું શરીર અને બેકડાનું લાંછન જાણવું.
( દિર) આનંદને જીવ નવમા પિટિલ નામના તીર્થકર શાંતિનાથ જેવા થશે. તેમનું એક લાખ વર્ષનું આયુષ્ય, ચાળીશ ધનુષનું શરીર અને મૃગનું લાંછન જાણવું.
( સાત્તિ ) શતક શ્રાવકનો જીવ દશમા શતકીર્તિ નામના તીર્થકર ધર્મનાથ પ્રભુ જેવા થશે. તેમનું દશ લાખ વર્ષનું આયુષ્ય, પસ્તાળીશ ધનુષનું શરીર અને વજનું લાંછન જાણવું. આ શંખને મિત્ર જેનું નામ પુકલિ હતું તે જાણવા. (શ્રી હેમવીરચરિત્રમાં નવમા કેકસીના જીવ અને દશમા રેલીના જીવ કહ્યા છે. )
(કુવા ) સત્યકી વિદ્યાધરને જીવ અગ્યારમા સુવ્રત નામના તીર્થંકર અનંતનાથ જેવા થશે. તેમનું ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય, પચાસ ધનુષનું શરીર અને સિંચાણુનું લાંછન જાણવું
( બમમ) દ્વારકામાં કૃષ્ણ વાસુદેવ નેમિનાથના ભક્ત હતા. તે ધર્મિષ્ઠ શ્રાવક થયા હતા. અન્યદા તેમણે અઢાર હજાર મુનિઓને શુદ્ધ વિધિપૂર્વક વંદન કરી હાયિક સમ્યકત્વ ઉપાર્જન કર્યું હતું. તે વખતે સાતમી નરકને એગ્ય દુષ્કર્મની અપવર્તન કરીને ત્રીજી નરકને યોગ્ય કર્મદલિક કર્યા હતા અને તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું હતું. એ કૃષ્ણને જીવ બારમા અમમ નામના તીર્થકર વિમળનાથ જેવા થશે. તેમનું સાઠ લાખ વર્ષનું આયુષ્ય, સાઠ ધનુષનું શરીર અને વરાહનું લાંછન થશે. વસુદેવહિંડીમાં તો કૃષ્ણ ત્રીજી નરકમાંથી નીકળી, ભરતક્ષેત્રમાં શતધાર નગરમાં માંડલિક રાજા થઈ, ચારિત્ર ગ્રહણ કરી તીર્થંકરનામકર્મ નિકાચિત કરી, વૈમાનિક દેવપણે ઉત્પન્ન થઈ ત્યાંથી ચવીને અમમ નામે બારમાં તીર્થકર થશે એમ કહ્યું છે. ૬૪. ( નરકમાંથી નીકળીને પરભાર્યા તીર્થકર થઈ શક્તા નથી કારણ કે વચ્ચે કાળ વધારે છે તેથી બીજા બે ભવ થવાની જરૂર છે.)
Page #64
--------------------------------------------------------------------------
________________
પ૧
કાળસપ્તતિકા પ્રકરણ निकसायनिप्पुलयनिममचित्तगुत्ता समाहिसंवरिया। जसहरविजओ मल्लो, देवोऽणंतविरि भद्दकरो ॥६५॥
અર્થ – નિવસાર) બળદેવનો જીવ તેરમા નિષ્કષાય નામના તીર્થકર વાસુપૂજ્ય જેવા થશે. તેમનું ૭૨ લાખ વર્ષનું આયુષ્ય, ૭૦ ધનુષનું શરીર અને મહિષનું લાંછન જાણવું. ( કૃષ્ણના મોટા ભાઈ બળભદ્ર કૃષ્ણના ( અમમ તીર્થકરના ) તીર્થમાં સિદ્ધિપદને પામવાના છે, તેથી આ તીર્થકરના જીવ બળદેવ કહ્યા છે તે બીજા સમજવા. )
( નિપુટ ) રહિણીને જીવ નિપુલાક નામના ચૌદમા તીર્થંકર શ્રેયાંસનાથ જેવા થશે. તેમનું ૮૪ લાખ વર્ષનું આયુષ્ય, ૮૦ ધનુષનું શરીર અને ખગ્ગી (ગુંડા )નું લાંછન જાણવું.
| ( નિમમ ) જેને બત્રીશ પુત્ર થયા હતા તે સુલતાનો જીવ પંદરમા નિર્મમ નામના તીર્થકર શીતળનાથ જેવા થશે. તેમનું લાખ પૂર્વનું આયુષ્ય, ૯૦ ધનુષનું શરીર અને શ્રીવત્સનું લાંછન જાણવું.
( રિપુરા ) જેણે પ્રભુને બીજોરાપાક વહેરાવ્યો હતો તે રેવતીને જીવ સત્તરમા ચિત્રગુપ્ત નામના તીર્થકર સુવિધિનાથ જેવા થશે. તેમનું બે લાખ પૂર્વનું આયુષ્ય, ૧૦૦ ધનુષનું શરીર અને મગરનું લાંછન જાણવું.
( વમહિ ) ગવાલિને જીવ સત્તરમા સમાધિ નામના તીર્થકર ચંદ્રપ્રભુ જેવા થશે. તેમનું દશ લાખ પૂર્વનું આયુષ્ય, ૧૫૦ ધનુષનું શરીર અને ઉડુપતિ (ચંદ્ર)નું લાંછન જાણવું.
( સંવરિયા ) ગાગલિને જીવ અઢારમા સંવર નામના તીર્થકર સુપાર્શ્વનાથ જેવા થશે. તેમનું વિશ લાખ પૂર્વનું આયુષ્ય, બસ ધનુષનું શરીર અને સ્વસ્તિકનું લાંછન જાણું.
( ) દ્વીપાયનને જીવ એગણીશમા યશોધર નામના તીર્થકર પદ્મપ્રભ જેવા થશે. તેમનું ત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય, અઢીસો ધનુષનું શરીર અને પદ્મનું લાંછન જાણવું.
(વિકો ) કર્ણને જીવ વિશમાં વિજય નામના તીર્થકર સુમતિનાથ જેવા થશે. તેમનું ચાળીશ લાખ પૂર્વનું આયુષ્ય, ત્રણ સે ધનુષનું શરીર અને કંચનું લાંછન જાણવું.
(મો) નારદને જીવ એકવીસમા મલ્લ નામના તીર્થકર અભિનંદન જેવા થશે. તેમનું પચાસ લાખ પૂર્વનું આયુષ્ય, સાડાત્રણ સો ધનુષનું શરીર અને કપિ ( વાનરા )નું લાંછન જાણવું.
Page #65
--------------------------------------------------------------------------
________________
MAA
પ્રકરણસંગ્રહ. ( વ ) અબડને જીવ બાવીશમા દેવ નામના તીર્થકર સંભવનાથ જેવા થશે. તેમનું સાઠ લાખ પૂર્વનું આયુષ્ય, ચાર સો ધનુષનું શરીર અને તુરગ ( અશ્વ )નું લાંછન જાણવું. ( મહાવીરસ્વામીએ જે અંબડ સાથે સુલસાને સુખસાતાના સમાચાર કહેવરાવ્યા હતા તે અંબડ જાણવા. કોઈ ઠેકાણે ધર્મલાભ કહેજે એમ પણ જણાવેલ છે. ). | ( અવિર) દ્વારમદનો જીવ ત્રેવીસમા અનંતવીર્ય નામના તીર્થંકર અજિતનાથ જેવા થશે. તેમનું તેર લાખ પૂર્વનું આયુષ્ય, સાડાચાર સે ધનુષનું શરીર અને ગજનું લાંછન જાણવું.(હૈમવીરચરિત્રમાં બ્રહ્મદત્તચકીના જીવ કહ્યા છે. )
(મો ) સ્વાતિનો જીવ વીશમા ભદ્રંકર (ભદ્રકૃત) નામના તીર્થકર ચોથા આરાના પ્રારંભમાં ઋષભદેવ જેવા થશે. તેમનું ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય, પાંચ સે ધનુષનું શરીર અને વૃષભનું લાંછન જાણવું.
જિનપ્રભસૂરિકૃત પ્રાકૃત ગદ્ય દીવાળીકલ્પમાં તે આ પ્રમાણે છે –ત્રીજા ઉદાયીના જીવ સુપાર્શ્વ જિન, ચોથા પિટ્ટિલના જીવ સ્વયંપ્રભ જિન, પાંચમા દઢાયુના જીવ સર્વાનુભૂતિ જિન, છઠ્ઠા કાર્તિકના જીવ દેવસુત જિન, સાતમાં શંખના
જીવ ઉદય જિન, આઠમા આનંદના જીવ પેઢાલ જિન, નવમા સુનંદાના જીવ પિદિલ જિન, દશમા શતકના જીવ શતકીતિ જિન, અગ્યારમા દેવકીના જીવ મુનિસુવ્રત જિન, બારમાં કૃષ્ણના જીવ અમમ જિન, તેરમા સત્યકીના જીવ નિકષાય જિન, ચાદમાં બળદેવના જીવ નિપુલાક જિન, પંદરમા સુલસાના જીવ નિમમ જિન, સોળમા રહિણના જીવ ચિત્રગુપ્ત જિન (કઈ કહે છે કે કલ્કીના પુત્ર ચિત્રગુપ્ત), સત્તરમા રેવતીના જીવ સમાધિ જિન, અઢારમા સયલના જીવ સંધર જિન, ત્રેવીસમા અરનાથ જીવ અનંતવીય જિન, ચોવીશમાં બુદ્ધના જીવ ભદ્રંકર જિન. બાકીના ઉપર કહ્યા પ્રમાણે જાણવા. ૬૫. ( આ નિર્ણય બહુશ્રુત જાણે.) सढदुसय सहसा, पउणचुलसिया लक्खपणछचउपन्ना । समकोडिसहस, तेणूणपलिअचउभाग पलिअद्धं ॥ ६६ ॥
અર્થ–() પહેલા પદ્મનાભના નિર્વાણથી બીજા સુરદેવનું નિર્વાણ અઢીસો વર્ષ થશે.
(દક્ષા વાગુસબા) બીજા અને ત્રીજા જિનનું આંતરું પિણી રાશી હજાર વર્ષ. (આ આંતરૂં બધે નિર્વાણનું જાણવું ).
(૪વરૂપ) ત્રીજા અને ચોથા જિનનું આંતરું પાંચ લાખ વર્ષ (૪) ચોથા અને પાંચમા જિનનું આંતરું છ લાખ વર્ષ (૪૩vat) પાંચમ અને છઠ્ઠા જિનનું આંતરું ચોપન લાખ વર્ષ
Page #66
--------------------------------------------------------------------------
________________
કાળસપ્તતિકા પ્રકરણ (મોહિતદત્ત ) છઠ્ઠા અને સાતમા જિનનું આંતરું કોટિ સહસ્ત્ર ( હજાર કરોડ ) વર્ષ.
(તેqUપસ્ટિવમાન) સાતમા અને આઠમા જિનનું આંતરું કોટિ સહસ્ત્ર વર્ષે જૂન પિલ્યોપમનો ચેાથે ભાગ ( પા પપમ ).
(૪૪) આઠમા અને નવમા જિનનું આંતરું અર્ધ પલ્યોપમનું જાણવું. ૬૬. पउणपलिऊण तिअयर, चउनवतीसचउपन्न इगकोडी। छवीससहस छावट्ठिलक्ख वासायरसऊणा ॥ ६७ ॥
અર્થ –(vsvપસ્ટિક તિથT) નવમા અને દશમા જિનનું આંતરું પિણું પોપમે ન્યૂન ત્રણ સાગરોપમ.
(૨૩) દશમા અને અગ્યારમા જિનનું આંતરું ચાર સાગરેપમ. (નવ) અગ્યારમા અને બારમાં જિનનું આંતરું નવ સાગરોપમ. (તીજ) બારમા અને તેરમા જિનનું આંતરું ત્રીશ સાગરોપમ. (૩૫%) તેરમા અને ચિદમાં જિનનું આંતરું ચેપન સાગરોપમ.
ચિદમાં અને પંદરમા જિનનું આંતરું (ધીરદ છાદ્દિવા) છવીશ હજાર, છાસઠ લાખ (વાવ) વર્ષ (૩ર ) અને એક સો સાગરોપમે ન્યૂન (રૂર જો) એક કરોડ સાગરોપમનું જાણવું. ૬૭. नवकोडि नवइकोडी, नवसयकोडी य नवसहसकोडी। कोडिसहसनवई नव-दसतीसपन्नकोडिलक्खा ॥ ६८॥
અર્થ – નવોરિ)પંદરમા અને સળમાજિનનું આંતરું નવ કરોડ સાગરોપમ. (નવરોજી) સેળમાં અને સત્તરમા જિનનું આંતરું નેવું કરેડ સાગરોપમ.
(નવસારી ) સત્તરમાં અને અઢારમા જિનનું આંતરું નવ સો કરોડ સાગરોપમ.
(નવસો ) અઢારમા અને ઓગણીશમા જિનનું આંતરું નવ હજાર કરોડ સાગરેપમ.
( ) ઓગણીશમાં અને વશમા જિનનું આંતરું નેવું હજાર કરોડ સાગરોપમ.
૧ આ બાદબાકી ચોથો આરો ૪૨ હજાર વર્ષે ન્યૂન એક કોડાકોડી સાગરોપમને હોવાથી તે ૪ર૦૦૦ અને પહેલાથી છઠ્ઠા પ્રભુ સુધીના આંતરાના ૬૫ લાખને ૮૪ હજાર વર્ષ મળીને સમજવી.
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રકરણસંગ્રહ
( नव ) वीशमा मने मेवीशमा निननु मांतर नवा ४२।७ सागरोपम. (दस ) ॐवीशमा गने वीशमा निर्नु मांतर ४ सय ४२।७ सागरो५म. (तीस) मापीमा भने रवीशमा सिननु मातरुत्री ८५ ४२।७ सागरा५म.
( पन्नकोडिलक्खा ) वीशमा भने योवीशमा निनु मातरु पयास म ४२।3 सायमनु शु. ६८.
बल वेजयंत अजिआ, धम्मो सुप्पहसुदंसणाणंदा । नंदण पउमा हलिणु-त्ति चक्किणो दीहदंतो अ ॥ ६९ ॥ तह गूढदंतओ सुद्धदंत सिरिदंत-सिरिभुई सोमो । पउम महपउम दुसमो, विमल विमलवाहण अरिटो ॥७॥
मथ:-मावती यावीशीन। ( हलिणुत्ति ) मेट न वोनi नाम( बल वेजयंत अजिआ) ५॥ १, वैयत २, मलित 3, (धम्मो) धर्म ४, ( सुप्पहसुदंसणाणंदा ) सुमन ५, सुदर्शन ६, मान ४७, (नंदण पउमा) नहन ૮ અને પદ્મ ૯ જાણવા. डवे ( चक्किणो ) मा२ यवत्ती मानत नाम छ:-(दीहदंतो अ )
हीत १, (तह ) तथा ( गूढदंतओ ) त २, ( सुद्धदंत ) शुद्धत 3, ( सिरिदंत ) श्रीत ४, (सिरिभुई ) श्रीभूति ५, (सोमो ) सोम ६, (पउम) ५५ ७, (महपळम ) महा५ ८, (दुसमो) हुसभ ८, (विमल) विभर १०, (विमलवाहण) विभसवाडन ११ मने ( अरिटो ) मरिष्ट १२. ६८-७०. नंदी अ नंदिमित्तो, सुंदरबाहु महबाहु अइबलओ। महबल बलो दुविठ्ठ, तिविट्ठ इय भावि नव विण्हु ॥७१॥
मथ:-(नंदी ) १, ( अ ) भने (नंदिमित्तो ) नहीभित्र २, ( सुंदरबाहु) सुहराई 3, ( महबाहु ) भाई ४, ( अइबलओ ) मतिम ५, (महबल) भडा , ( बलो) ५० ७, (दुविठ्ठ) विY४ ८ अने (तिविट्ठ) विY४ ६ ( इय) मा प्रमाणे ( नव विण्हु ) न१ पासुहेव। (भावि ) मापी आणे थनारना नाम onjan. ७१. भावि पडिविण्हणो तिलय लोहजंघो अ वयरजंघो अ ।. केसरि बलि पल्हाया, अपराइय भीम सुग्गीवा ॥ ७२ ॥
Page #68
--------------------------------------------------------------------------
________________
કાળસતતિકા પ્રકરણ
અ:-( માવિ ) ભાવી કાળમાં થનારા ( કિવિષ્ણુળો ) નવ પ્રતિવાસુદેવનાં નામ–( તિય ) તિલક ૧, ( હોદ્દનો) લાહજઘ ૨, ( ૬ ) અને (વયસંઘો ) વાજ ધ ૩, ( ૪ ) અને ( જેસર) કેશરી ૪, (હિ) અલિ ૫, ( પછ્હાયા ) પ્રહ્લાદ ૬, ( વાદ્ય ) અપરાજિત ૭, ( મીમ ) ભીમ ૮ અને ( સુવા) સુગ્રીવ ૯ જાણવા. ૭૨.
इय बारसारचक्कं, कप्पो तेऽणंत पुग्गलपरहो । तेऽणतातीअद्धा, अणागयद्धा अनंतगुणा ॥ ७३ ॥
અર્થ:—( ચ ) આ ઉપર કહ્યા પ્રમાણે (વારસારવી) ખાર આરારૂપ કાળચક્ર છે, તે એક ( ì ) કલ્પ કહેવાય છે. ( તેîત ) તેવા કલ્પા અનતા જાય ત્યારે ( પુશGદો ) એક પુદ્ગલપરાવત થાય છે. ( તેઽળતા) તેવા પુદ્ગલપરાવ અનંતા ( અતીવ્રદ્ધા ) અતીતકાળમાં ગયા છે, ( અળાયદા ) અને તેનાથી અનાગત કાળ ( અનંતનુળા ) અન તગુણા છે. એટલે કે અન ંત પુદ્દગલપરાવર્તનને અતીતકાળ છે અને અનાગતકાળ તેનાથી અન તગુણા છે. ૭૩.
सिरिदेविंद मुणीसर - विणेअसिरिधम्मघोससूरीहिं । अप्पपरजाणणट्ठा, कालसरूवं किमवि भणिअं ॥ ७४ ॥
૫૫
અર્થ :—( સિવિÄિમુળીલર ) તપગચ્છના શ્રીદેવેદ્ર મુનીશ્વરના (વિળેઅ ) શિષ્ય ( લિરિધમયોન્નસૂäિ) શ્રીધર્મ ઘાષ નામના સૂરિએ ( ઝવવજ્ઞાનળઠ્ઠા ) પેાતાને તથા અન્યને જાણવા માટે ( જાહસવું) કાળનું સ્વરૂપ (મિવિ ) કાંઇક એટલે સ ંક્ષેપથી ( મળિયં ) કહ્યું છે. ૭૪.
પાન લ શ્રીમાન્ ધ ઘાષસૂરીશ્વવિરચિત કાળસકૃતિકા પ્રકરણ સમાસ,
વધુ
Page #69
--------------------------------------------------------------------------
________________
श्रीकायस्थिति प्रकरण
( भूज तथा भाषांतर )
वर्धमानं जिनं नत्वा, यथाभूतार्थदेशकम् । कुर्वे कायस्थितिस्तोत्रे, कियदर्थप्रकाशकम् ॥
66
" ( यथाभूतार्थदेशकं ) यथार्थ तत्त्वना उपदेश २नार (वर्धमानं जिनं ) श्रीवर्धभानस्वाभीने (नत्वा ) नमस्र उरीने (कायस्थितिस्तोत्रे ) मा अयस्थिति नामना स्तोत्रम ( कियदर्थप्रकाशकं ) डेंटला अर्थना प्राश ( कुर्वे ) डु उरु छु. " जह तुह दंसणरहिओ, कायठिई भीसणे भवारणे । भमिओ भवभयभंजण, जिनिंद ! तह विन्नविस्सामि ॥ १ ॥
अर्थ:-( भवभयभंजण ) संसारना लयनो नाश ४२नार ( जिणिंद ) डे नेिंद्र ! ( तुह दंसणरहिओ ) तमारा दर्शन रहित सेवा हु ( जह ) ने प्रभा ( कायठिई ) मा अवस्थितिथे उरीने ( भीसणे ) लयं ४२ ( भवारणे ) संसार३५ अटवीमा ( भमिओ ) लटयो छु, ( तह ) ते प्रभाशे ( विन्नविस्सामि ) તમને વિનંતિ કરું છું અર્થાત્ રોશન કરું છું. ૧.
अववहारियमज्झे, भमिऊण अनंत पुग्गलपरहे ।
कह विहाररासिं, संपत्तो नाह ! तत्थवि य ॥ २ ॥
अर्थ:-( नाह ) डे नाथ ! ( अन्नवहारियमज्झे ) डु अव्यवहारिराशिने विषे ( अणतपुग्गलपरट्टे ) अनंत युद्दगापरावर्तन सुधी ( भमिऊण ) भाणु उरीने ( कह वि ) पशु प्रारे - लवितव्यताने योगे ( ववहाररासिं ) व्यवहारशशिने ( संपत्तो ) प्राप्त थये. (तत्थवि य ) त्यां पशु थिरक्षण भ्रमण यु. २.
•
ભાવાર્થ :—સ ંસારમાં સાંવ્યાવહારિક અને અસાંવ્યાવહારિક એવા બે પ્રકારના જીવા છે. તેમાં જેએ અનાદિ નિગેાદની અવસ્થામાંથી બહાર નીકળીને પૃથ્વીકા
Page #70
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ પ્રકરણ યાદિકને વિષે આવેલા છે. તેઓ દુનિયામાં લેકના દષ્ટિમાર્ગમાં આવતા હોવાથી પૃથ્વી આદિ વ્યવહારને પામ્યા, માટે તેઓ સાંવ્યાવહારિક કહેવાય છે. જો કે તેઓ ફરીથી પણ નિગોદમાં જાય છે, તે પણ તેઓ વ્યવહારરાશિમાં આવેલા હોવાથી સાંવ્યાવહારિક જ કહેવાય છે અને જેઓ અનાદિ કાળથી નિગોદાવસ્થામાં જ રહેલા છે તે કઈ વાર પણ વ્યવહારમાર્ગમાં આવેલા નહીં હોવાથી અસાંવ્યાવહારિક કહેવાય છે.
અસાંવ્યાવહારિક અનાદિ નિગોદ જીવરાશિમાં ગયેલા કાળના અનાદિપણાને લીધે અનંતા પુગલપરાવર્ત સુધી રહીને કેઈપણ પ્રકારે, જેમ પર્વતની નદીમાં રહેલો પાષાણુ કેટલેક કાળે ગોળ અને લીસો થાય છે તેમ તેવા પ્રકારની ભવિતવ્યતાના વશથી પૃથ્વી આદિને પામીને હું વ્યવહારરાશિને પ્રાપ્ત થયે, તો હે નાથ! ત્યાં પણ-વ્યવહારરાશિમાં પણ હું આગળ કહેવાશે તે પ્રકારે તેટલે કાળ ભમ્યો. ૨.
उक्कोसं तिरियगई, असंनि एगिदि वण नपुंसेसु । भमिओ आवलिय असं-खभागसम पुग्गलपरट्टा ॥३॥
અર્થ( ) ઉત્કૃષ્ટથી ( તિથિ ) તિર્યંચગતિમાં, ( અવંતિ ) અસંજ્ઞીમાં, ( ર ) એકેદ્રિયમાં, ( વ ) સૂક્ષ્મ, બાદર નિગેદ અને પ્રત્યેક એ ત્રણ જાતિની વનસ્પતિકાયમાં તથા ( નgar ) નપુંસકપણામાં ઉત્કૃષ્ટથી (આવરિય) આવલિકાના (અલમાન ) અસંખ્યાતમા ભાગના સમય જેટલા થાય તેટલા (પુના ) પુગલપરાવર્ત સુધી (મો ) હું ભમ્યો. ૩. सामन्नं सुहुमत्ते, ओसप्पिणिओ असंखलोगसमा। भमिओ तह पिहु सुहुमे, पुढवी जल जलण पवण वणे ॥४॥
અર્થ –(કુદુમત્તે ) સૂક્ષમપણાને વિષે (સામગં) આઘથી (અહંઘોસમા) અસંખ્ય લોકાકાશના પ્રદેશ જેટલી ( cof૩) અવસર્પિણી સુધી (મો ) હું ભમ્યો. (૪૬) તે જ પ્રકારે-તેટલે જ કાળ (નુકુને) સૂક્ષ્મ (વિ) પૃથ્વીકાય, (૩૪) અપૂકાય, (૪) અગ્નિકાય, (વઘઇ) વાયુકાય અને () વનસ્પતિકાયને વિષે (પદુ) પ્રત્યેક પ્રત્યેકમાં પણ ભ. ૪.
ओहेण बायरत्ते, तह बायरवणस्सईसु ताउ पुणो । अंगुलअसंखभागे, दोसड परट्टय निगोए ॥५॥
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રકરણસંગ્રહ.
અર્થ:-(કુળો) વળી (ગોળ) ઓઘથી (વાવ) બાદરપણામાં (ત) તથા (વાપરવરgિ) બાદરવનસ્પતિકાયમાં (ચંગુલંવમા ) અંગુલના અસંખ્ય ભાગમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ એટલે (તાક) તેટલી અવસર્પિણીઓ સુધી હું ભમે, તથા (નિng ) નિગોદને વિષે (રોલ પક્ય ) અઢી પુદ્ગલપરાવર્તન સુધી હું ભમે એટલે કે વ્યવહારરાશિમાં આવ્યા પછી ફરી જે નિગોદને વિષે જાય તો સામાન્યથી સૂક્ષ્મ અને બાદર નિગોદને વિષે મળીને અઢી પુદ્ગલપરાવર્તન સુધી જીવ ભમે છે. ૫. बायर पुढवी जल जलण, पवण पत्तेयवण निगोएसु । सत्तरि कोडाकोडी, अयराणं नाह ! भमिओ हं ॥६॥
અર્થ:–વળી (નાદ !) હે નાથ! (વાયર) બાદર (કુદરી) પૃથ્વીકાય, () અપૂકાય, () અગ્નિકાય, (var ) વાયુકાય, (જેવ) પ્રત્યેક વનસ્પતિકાય અને (નિનોહુ) સાધારણ વનસ્પતિકાયરૂપ બાદર નિગદને વિષે (છું ) હું (સત્તર જોડાદો) સીતેર કોડાકડિ ( f) સાગરોપમ સુધી (મમિ) ભમ્યો. ૬. (એ પ્રત્યેક પ્રત્યેકમાં ફરી ફરીને ઉત્કૃષ્ટથી સીતેર કડાકોડી સાગરોપમ કાળ સુધી ઉત્પન્ન થઈ શકે છે.) संखिजवाससहसे, बितिचउरिंदीसु ओहओ अ तहा। पज्जत्तबायरेगिं-दिभूजलानिलपरित्तेसु ॥ ७ ॥
અર્થ:–(અ) વળી (શોદ) ઓઘથી (વિતરક્કરીયુ) કાંદ્રિય, ત્રિક્રિય અને ચઉરિદ્રિયને વિષે હું (સંવિધાન) સંખ્યાતા હજાર વર્ષો સુધી ભો (તા) તથા (Vરવાર) પર્યાપ્ત બાદર (દ્રિ) અકેંદ્રિય (મૂનાનાપરિણુ) પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયને વિષે પણ સંખ્યાતા હજાર વર્ષો સુધી હું ભમ્યા. ૭. बायरपजग्गि बितिचउ-रिंदिसु संखदिणवासदिणमासा । संखिजवासअहिआ, तसेसु दो सागरसहस्सा ॥ ८॥
અર્થ – વાઘgar) બાદર પર્યાપ્ત અગ્નિકાય તથા (વિતિય ) પર્યાપ્ત ઢીંદ્રિય, ત્રીંદ્રિય અને ચતુરિંદ્રિયમાં અનુક્રમે (સંવિળવાર્તાવિળમાણા) સંખ્યાતા દિવસ, સંખ્યાતા વર્ષ, સંખ્યાતા દિવસ અને સંખ્યાતા માસ ભમે. એટલે કે-અગ્નિકાયમાં સંખ્યાતા અહોરાત્ર, દ્વીંદ્રિયમાં સંખ્યાતા વર્ષ, ત્રીદ્રિયમાં સંખ્યાતા દિવસ અને ચતુરિંદ્રિયમાં સંખ્યાતા માસ ઉત્કૃષ્ટ ભમે. (તરેલુ)
Page #72
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ પ્રકરણ
૫૯ ત્રસકાયમાં ઉત્કૃષ્ટથી (સંતિકવાણદિયા) સંખ્યાતા વર્ષે અધિક એવા (લો સારા સત્તા) બે હજાર સાગરોપમ ભમ્યો. ૮. अयर सहस्सं अहियं, पणिदिसु तितीस अयर सुरनरए । संनिसु तह पुरिसेसुं, अयरसयपुहुत्तमब्भहियं ॥ ९ ॥
અર્થ – વિપુ) પંચેંદ્રિયને વિષે (૩મા ) સંખ્યાતા વર્ષે અધિક એવા એક હજાર સાગરોપમ તથા (તિતીર ) દેવગતિ અને નરકગતિને વિષે તેત્રીશ સાગરોપમ (સંનિષ્ણુ ત૬ જુનું) સંજ્ઞીપચંદ્રિયને વિષે અને પુરુષદને વિષે (અચરજપુદુત્તમચં) બસોથી નવ સો સાગરેપમથી કાંઈક અધિક ભ. ૯. गब्भयतिरियनरेसु य, पल्लतिगं सत्तपुवकोडीओ। दसहिय पलियसयं, थीसु पुवकोडिपुहुत्तजुअं ॥ १० ॥
અર્થ –(જન્મતિચિનg 1) ગજ, તિર્યંચ અને મનુષ્યને વિષે ઉત્કૃષ્ટ (ધ્રુત્તિ) ત્રણ પપમ અને ( સત્તyઘોરણો) સાત કરોડ પૂર્વ ભમ્યા. તથા (કુ) સ્ત્રીવેદને વિષે (રહિટ સ્ટિચરઘં) એક સો ને દશ પલ્યોપમ, તથા ( જુદા જુદુત્તનુ) બેથી નવ કરોડ પૂર્વ ભમ્ય. ૧૦.
ભાવાર્થ–ગર્ભજ તિર્યંચ અને મનુષ્યને વિષે ઉત્કૃષ્ટથી ત્રણ પાપમ અને સાત કરેડ પૂર્વની કાયસ્થિતિ જાણવી, કેમકે કરેડ પૂર્વ વર્ષના આયુષ્યવાળો પંચંદ્રિય તિર્યંચ કરોડ પૂર્વ વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યચને વિષે વારંવાર (ફરી ફરીને) ઉત્પન્ન થાય તે ઉત્કૃષ્ટથી સાત વાર ઉત્પન્ન થાય, અને જે આઠમી વાર પણ તેમાં જ ઉત્પન્ન થાય તે અવશ્ય અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા યુગલિક તિર્યંચને વિષે ઉત્પન્ન થાય. તે અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળાને વિષે ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે, તેથી કરીને ઉપર કહેલું કાયસ્થિતિનું પ્રમાણ ગ્ય જ છે. એ જ પ્રમાણે મનુષ્યને વિષે પણ જાણવું. તથા સ્ત્રીવેદને વિષે ઉત્કૃષ્ટથી એક સે દશ પલ્યોપમ અને બેથી નવ કરોડ પૂર્વની કાયસ્થિતિ કહી છે તે આ પ્રમાણે-કઈ જીવ કોડ પૂર્વના આયુષ્યવાળા સ્ત્રીપણાને વિષે ઉપરાઉપર પાંચ કે છ ભવ કરીને ઈશાન દેવલોકમાં પંચાવન પોપમની ઉત્કૃષ્ટ આયુષ્યવાળી અપરિગ્રહીતા દેવીમાં ઉત્પન્ન થાય. પછી ત્યાંથી
વીને ફરીથી કરોડ પૂર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્યની સ્ત્રીને વિષે અથવા તિર્યંચની સ્ત્રીને વિષે સ્ત્રીપણે ઉત્પન્ન થાય. ત્યાંથી ફરીને પણ ઈશાન દેવલોકમાં પ્રથમની જેમ પંચાવન પલ્યોપમને આયુષ્ય ઉત્પન્ન થાય. તે ત્યાંથી અવીને પછી અવશ્ય બીજા વેદમાં જાય છે, તેથી પૂર્વે કહેલું પ્રમાણુ બરાબર છે. ૧૦.
Page #73
--------------------------------------------------------------------------
________________
૨૦.
પ્રકરણસંગ્રહ.
इत्थिनपुंसे समओ, जहन्नु अंतोमुहुत्त सेसेसु । अपजे उक्कोसं पि य, पजसुहुमे थूलणंतेऽवि ॥ ११ ॥
અર્થ:( રૂથિનપુર) સ્ત્રીવેદ તથા નપુંસકવેદને વિષે (17) જઘન્ય કાયસ્થિતિ (મો) એક સમયની છે. (તોમુત્ત રજુ) તે સિવાયના દેવ અને નારકીને લઈને શેષ મનુષ્ય તથા તિર્યંચ વિષે જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્તની છે. (અપને ૩ો વિ ૧) અપર્યાપ્ત ને વિષે ઉત્કૃષ્ટથી પણ કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. (કુદુમે દૃઢવિ ) તથા પર્યાપ્ત સૂક્ષ્મને વિષે અને બાદરનિદને વિષે પણ તે જ પ્રમાણે અંતમુહૂર્તની જઘન્ય કાયસ્થિતિ જાણવી. ૧૧.
विनत्ता कायटिइ, कालओ नाह ! जह भमिय पुवा । भवसंवेहेणिन्हि तु, विन्नविस्सामि सामिपुरो ॥ १२ ॥
અર્થ:– નાદ!) હે નાથ ! (૪૬) જે પ્રકારે (મમિર પુષ) પૂર્વે ભો તે પ્રકારે (૪) કાળને આશ્રીને (વિન્નત્તા જાટિ૬) મેં કાયસ્થિતિની વિજ્ઞપ્તિ કરી, (૮) વળી (૬) હવે (મિgો) સ્વામીની (આપની) પાસે ( મ ળ) ભાવસંવેધ એટલે વિવક્ષિત ભવથી બીજા ભવમાં જઈને અથવા તુલ્ય ભવમાં રહીને ફરીથી પણ યથાસંભવ તે જ ભવમાં ઉત્પન્ન થવું તે ભવસંવેધ કહેવાય. તે રીતે (વિવામિ) હું આપની પાસે વિજ્ઞપ્તિ કરીશ. ૧૨.
परभवतब्भवआउं, लहुगुरुचउभंगि सन्निनरतिरिओ। नरयछगे उकोसं, इगंतरं भमइ अट्ठभवे ॥ १३ ॥
અર્થ-(ામવતભવન) પરભવ અને તે ભવ(કહેવાને ઇચ્છેલા ભવ)ના આયુષ્યને (હૃદુપુર) જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિએ વિચારતાં ( રમતિ) ચાર ભાંગા થાય છે. તે ચારે ભાગે વિચારતાં (સનિતિ૩િ) સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચ (નર ) પહેલી જ નરકમાં (૩ોલં) ઉત્કૃષ્ટથી (૬તાં મન અટ્ટમ) એકાંતર આઠ ભવ ભ્રમણ કરે છે. ૧૩.
અહીં ચતુર્ભગી આ પ્રમાણે છે-આ ભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય અને પરભવમાં પણ ઉત્કૃષ્ટ આયુષ્ય ૧, આ ભવનું ઉત્કૃષ્ટ અને પરભવનું જઘન્ય ૨, આ ભવનું જઘન્ય અને પરભવનું ઉત્કૃષ્ટ ૩ તથા આ ભવનું જઘન્ય અને પરભવનું પણ જઘન્ય ૪.
સંસી મનુષ્ય તથા તિર્યંચ પહેલી જ નરકમાં ઉત્કૃષ્ટથી એકાંતર આઠ ભ સુધી ભ્રમણ કરે છે, તે આ પ્રમાણે-કોઈ સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્ય કે તિર્યંચ સાતમી
Page #74
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ પ્રકરણ નરક સિવાય પ્રથમની છમાંની કેઈ એક નરકમાં ઉત્પન્ન થાય, અને ત્યાંથી નીકળીને પાછો મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાંથી ફરીને નરકમાં જાય. એ પ્રમાણે એકાંતર આઠ ભવ કરે છે. પછી નવમે ભવે તે અવશ્ય બીજા પર્યાયપણે ઉત્પન્ન થાય છે. જઘન્યથી તે આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે બે જ ભવ કરે છે. भवणवणजोइकप्प-ट्ठगे वि इअ अडभवाउ दु जहन्ना । सग सत्तमीइ तिरिओ, पण पुन्नाउसु य ति जहन्ना ॥ १४ ॥
અર્થ –(અવળવળનોરમ્પ વિ) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા સૌધર્માદિક આઠ દેવેલેકને વિષે એકાંતરે ભવભ્રમણ કરતા મનુષ્ય અને તિર્યો ( રમવાડ ટુ કન્ના) ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે છે અને જઘન્ય બે ભવ કરે છે. (ના સત્તમ તિરિય) સાતમી નરકમાં એકાંતર ભ્રમણ કરતા તિર્ય ઉત્કૃષ્ટથી સાત ભવ કરે છે. તે આ પ્રમાણે-જેમ કઈ કરોડ પૂર્વના આયુષ્યવાળો સંજ્ઞી પંચેંદ્રિય તિર્યંચ ૧ સાતમી નરકમાં જઘન્ય આયુષ્યપણે ઉત્પન્ન થાય, ૨ ત્યાંથી નીકળીને તિર્યંચમાં આવે, ૩ ત્યાંથી ફરીને સાતમીમાં જાય, ૪ ત્યાંથી ફરી તિર્યંચમાં આવે, ૫ ત્યાંથી ફરીને સાતમીમાં જાય, ૬ ત્યાંથી પાછા તિર્યંચમાં ઉત્પન્ન થાય, ૭ ત્યાંથી મરીને તેને સાતમી પૃથ્વીમાં જવાને અસંભવ છે તેથી સાત જ ભવ થાય છે.. સાતમી નરકમાં એકાંતર ઉત્પન્ન થતા તિય અને સમગ્ર કાળ છાસઠ સાગરોપમ અને ચાર કરોડ પૂર્વ જેટલો છે. (T THIS; 9) પૂર્ણ આઉખે પાંચ ભવ કરે છે. એટલે જે તિર્યંચ તેત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સાતમી પૃથ્વીના નારકીઓમાં પૂર્ણ આયુષ્ય એકાંતરે ઉત્પન્ન થાય તે તે ઉત્કૃષ્ટપણે બે વાર નારકીમાં જાય અને ત્રણ વાર તિર્યંચમાં ઉત્પન્ન થાય એમ પાંચ ભવ કરે છે. (ત્તિ સન્ના) જઘન્ય ત્રણ ભવ કરે છે. એટલે એક ભવ નરકમાં અને બે ભવ તિર્યંચમાં એમ ત્રણ ભવ જ થાય છે. મનુષ્યને સાતમી નરકમાં જઘન્યથી અને ઉત્કર્ષથી પણ બે જ ભવ થાય છે, કેમકે સાતમી પૃથ્વીમાંથી નીકળીને તે અવશ્ય તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે, મનુષ્ય થતો નથી. ૧૪.
गेविजाण य चउगे, सग पणणूत्तरचउकि ति जहन्नं । पजनरो ति सवढे, दुहा दुभव तमतमाइ पुणो ॥ १५ ॥
અર્થ-નવનનો) પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય (વિજ્ઞાન ૨ ) રૈવેયકમાં અને આનતાદિક ચાર દેવલોકમાં એકાંતર ગમન કરે તે ઉત્કૃષ્ટથી () સાત ભવ કરે છે. જેમ કોઈ મનુષ્ય આનતાદિકમાં ઉત્પન્ન થયે, ત્યાંથી આવીને મનુષ્ય થયે, ત્યાંથી ફરી આનતાદિકમાં ગયે, એ રીતે ત્રણ વાર દેવલોકમાં અને ચાર વાર મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (guપૂરાવધિ) તથા ચાર અનુત્તર વિમાનમાં એક
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ તર ગમન કરે તો ઉત્કૃષ્ટથી પાંચ ભવ કરે છે, તેમાં પહેલો, મધ્યનો અને છેલ્લો એમ ત્રણ ભવ મનુષ્યના, વચ્ચે બે ભવ વિજયાદિકના એમ પાંચ ભવ કરે છે. (તિ કદ) જઘન્યથી ત્રણ ભવ કરે. (નવ સૈવેયક, ચાર કલ્પ અને ચાર અનુત્તરમાં મનુષ્ય જઘન્યથી ત્રણ ભવ કરે છે. ) (તિ તવદ્) તથા સર્વાર્થસિદ્ધિને વિષે મનુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ ત્રણ ભવ જ કરે છે, કેમકે સર્વાર્થસિદ્ધિમાંથી આવેલો મનુષ્ય અવશ્ય સિદ્ધિમાં જ જાય છે. (કુણા કુભવ તમતમા પુt) તથા તમસ્તમા નામની સાતમી નરક પૃથ્વીને વિષે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ મનુષ્ય બે ભવ જ કરે છે. ૧૫.
दुह जुगलितिरिअमणुआ, दुभवा भवणवणजोइकप्पदुगे । रयणप्पहभवणवणे, दुह दुभव असन्नि पजतिरिओ ॥१६॥
અર્થ –કુત્રિતિબિમણુભા) જીગલિયા તિર્યંચ અને મનુષ્ય (મવાarોફwદુ) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા બે કલપને વિષે (૩૬) ઉત્કૃષ્ટથી અને જઘન્યથી (કુમવા) બે જ ભવ કરે. (ાથg૬) રત્નપ્રભા નામની પહેલી નરકને વિષે અને (મવવો ) ભવનપતિ તથા વ્યંતરને વિષે (અશ્વિ
તિથિ) પયોત અસંજ્ઞી તિર્યંચ ઉત્પન્ન થાય છે તે પણ () જઘન્ય અને ઉત્કૃષ્ટથી (કુમા) બે ભવ જ કરે છે, કેમકે ત્યાંથી નીકળેલા અસંશી તિર્યંચ થતા નથી. ૧૬. पजसन्नितिरिनरेसु य, सहसारंता सुरा य छन्निरया। अड भव सत्तमनिरया, तिरिए छ भव चउ पुन्नाऊ ॥१७॥
અર્થ:–(gષત્રિ) પર્યાપ્ત અને સંજ્ઞી એવા વિશેષણવાળા (તિનિg ૨) તિર્યો અને મનુષ્યોને વિષે એકાંતરે ઉત્પન્ન થતા (તાતા કુત્તા) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા પ્રથમના આઠ કલ્પના-સહસાર દેવલોક સુધીના દેવતાઓ અને (નિવા) છ પૃથ્વીના નારકીઓ (મવ) ઉત્કૃષ્ટી આઠ ભવ કરે છે. જેમ કોઈ ભવનપત્યાદિકમાંથી આવીને એકાંતર ભવની ઉત્પત્તિવડે ચાર વાર પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય થાય છે. ત્યારપછી એટલે આઠ ભવ કર્યો પછી તે ભવનપત્યાદિકમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે બીજે સ્થાને (તિર્યંચને વિષે) પણ જાણવું. તથા જઘન્ય આયુષ્યવાળા (સત્તનિયા) સાતમી પૃથ્વીના નારકીઓ (તિgિ) પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચને વિષે એકાંતર ઉત્પત્તિને આશ્રીને ( મા) છ ભવ પૂરે છે, કેમકે એકાંતરે પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચમાં ઉપજતા સાતમી પૃથ્વીના નારકીને ચોથી વાર સાતમી પૃથ્વીમાં ઉપજવાન અસંભવ છે. (પુન્નાન) પૂર્ણ એટલે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સાતમી પૃથ્વીના નારકી પિતાના નારકીના ભાવથી
Page #76
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ પ્રકરણ
૬૩ આરંભીને ( ) ચાર ભવ સુધી જ પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચમાં એકાંતરે બ્રમણ કરે છે, તેથી અધિક ભવ કરે નહીં. ૧૭. पजसन्निनरे छभवा, गेविजाण य चउक्कदेवा य । चउणुत्तरा चउभवा, दुजहन्न दुहावि दु सवट्ठा ॥१८॥
અર્થ –(વિઝા ૪ જજેવા ૪) ચૈવેયક અને આનતાદિક ચાર દેવ લેકના દેવો પિતાના ભવથી માંડીને (કાન્નિનરે) પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે એકાંતરે (છમાં) ઉત્કૃષ્ટા છે ભવ કરે છે. (SUTત્તા) તથા ચાર અનુત્તર વિમાનવાસી દેવો પિતાના ભવથી આરંભીને પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે એકાંતરે ઉત્પન્ન થાય તે (રમા ) ઉત્કૃષ્ટા ચાર ભવ કરે છે. (કુઝ) જઘન્યથી બે ભવ કરે છે. એટલે નવ રૈવેયક, ચાર આનતાદિક અને ચાર અનુત્તરવાસી દેવા પયત સંજ્ઞી મનુષ્યને વિષે જઘન્ય બે ભવ જ કરે છે. (સુવિ ટુ નવ) તથા સર્વાર્થસિદ્ધના દેવતાઓ પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે ઉત્પત્તિને આશ્રીને જઘન્ય તથા ઉત્કૃષ્ટથી પણ બે ભવ જ કરે છે. ૧૮. भूजलवणेसु दुभवा, दुहा वि भवणवणजोइसदुकप्पा । अमिआउतिरिनरे तह, मिह सन्नियरतिरिसन्निनरा ॥१९॥ ' અર્થ –(મવાવાઝોડુબ્બા) ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને સૌધર્મ તથા ઈશાન દેવલોકના દેવો (મૂકહg) પૃથ્વી, જળ અને પ્રત્યેક વનસ્પતિકાયને વિષે ઉત્પન્ન થાય તો (દુહા વિ) જઘન્યપણે તથા ઉત્કૃષ્ટપણે (કુમવા) બે ભવ જ કરે છે, કેમકે પૃથિવ્યાદિકમાંથી નીકળીને તેઓની ભવન પત્યાદિકમાં ઉત્પત્તિનો અભાવ છે. (રદ) તથા (નિવનિરિ) સંજ્ઞી અને અસંજ્ઞી તિર્યંચો (જિના) તથા સંજ્ઞી મનુષ્યો (નિબ3) અમિત એટલે પલ્યોપમના આયુષ્યવાળા (તિનિt) યુગલિક તિર્યને વિષે તથા યુગલિક મનુષ્યને વિષે ( fમદ) માંહોમાંહે ઉત્પન્ન થાય તો બે ભવ જ કરે છે. તે આ પ્રમાણે-સંજ્ઞી અને અસંજ્ઞી તિર્યંચ યુગલિક મનુષ્યને વિષે તથા યુગલિક તિર્યંચને વિષે તેમ જ સંજ્ઞી મનુષ્ય યુગલિક તિર્યંચને વિષે અને યુગલિક મનુષ્યને વિષે ઉત્પત્તિને આશ્રીને બે ભવ જ કરે છે, કેમકે યુગલિકને ભવ કર્યા પછી તે અવશ્ય દેવપણે જ ઉત્પન્ન થાય છે. ૧૯. भूजलपवणग्गी मिह, वणा भुवाइसु वणेसु अ भुवाई । पूरंति असंखभवे, वणा वणेसु अ अणंतभवे ॥ २० ॥
અર્થ-નમૂનાવાળી) પૃથ્વીકાય, અષ્કાય, વાયુકાય અને અગ્નિકાય
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
(મિg) અન્યાન્યને વિષે માંહોમાંહે (જૂતિ અહંમ ) ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ પૂરે છે. ( કરે છે ) (વના મુવાડુ) વનસ્પતિકાય પૃથિવ્યાદિક ચાર કાયને વિષે ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભાવ પૂરે છે. અને (વહુ એ મુવારું) પૃથિવ્યાદિક ચાર કાયવાળા વનસ્પતિકાયને વિષે ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ પૂરે છે. (વા વગેડુ જ) અને વનસ્પતિકાય વનસ્પતિકાયને વિષે (ાળતમ ) ઉત્કૃષ્ટથી અનંતા ભાવ પૂરે છે. ૨૦. पण पुढवाइसु विगला, विगलेसु भुवाइ विगलसंखभवे । गुरु आउ तिभंगे पुण, भवट्ठ सव्वत्थ दुजहन्ना ॥ २१ ॥
અર્થ – વિવા) વિકલેંદ્રિય (gr gઢવાણુ) પૃથિવ્યાદિક પાંચમાંના દરેક ને વિષે (સંવમ) સંખ્યાતા ભવ કરે છે. તથા (મુવાર) પૃથિવ્યાદિક પાંચે અને વિકલેંદ્રિયો (
વિજેકુ) વિકલેંદ્રિયને વિષે (સામવે) સંખ્યાતા ભવ કરે છે. તથા પૂર્વે કહેલા (કુહાડતિમ ) ચાર ભાંગામાંના ઉત્કૃષ્ટ આયુષ્યવાળી પહેલા ત્રણ ભાંગામાં એટલે એ ત્રણ ભાંગાની અપેક્ષાએ યથાસંભવ ઉત્પન્ન થતા ઉપરની દોઢ ગાથામાં કહેલા પૃથિવ્યાદિક ( નથ) સર્વે જીવો (મવટ્ટ) ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે છે. જેમકે કઈ ઉત્કૃષ્ટ આયુષ્યવાળો પૃવીકાયિક જીવ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકા યિકને વિષે ઉત્પન્ન થાય, ત્યાંથી પાછા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી ફરીને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપ્લાયમાં ઉત્પન્ન થાય, એ રીતે એકાંતર ભવા કરતાં ચાર જ વાર ઉત્પન્ન થાય છે. એટલે બે મળીને આઠ ભવ કરે છે. તથા ઉત્કૃષ્ટ આયુષ્યવાળે પૃથ્વીકાયિક જઘન્ય આયુષ્યવાળા અપકાયને વિષે પણ એ જ પ્રમાણે ચાર વાર ઉત્પન્ન થાય છે. તથા જઘન્ય આયુષ્યવાળો પૃથ્વી કાયિક ઉત્કૃષ્ટ આયુષ્ય વાળા અષ્કાયને વિષે એ જ પ્રમાણે આઠ ભવન પૂરક થાય છે. એ જ પ્રમાણે સર્વે તેઉકાયાદિને માટે જાણવું. આ દોઢ ગાથામાં કહેલા (સત્રથ ટુકgar) સર્વે પૃથ્વીકાયાદિક છે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ત્રણ ભાગે જઘન્યથી બે ભવ કરે છે. ૨૧ मिह सन्नियरतिरिनरा, विगलभुवाइसु अ नरतिरिसु एए। अट्ठ भवा चउभंगे, दुह पवणग्गिसु नरा दुभवा ॥ २२ ॥
અર્થ –યુગલિકને વજીને (સર) સંજ્ઞી, અસણી (તિનિr) તિર્ય ચે તથા મનુષ્યો ( ) ચારે ભાગે (મિદ) માંહોમાંહે ઉત્પન્ન થાય તે (ગઠ્ઠ મવા ) ઉત્કૃષ્ટા આઠ ભાવ કરે છે. તથા તેઓ જ-સંજ્ઞી, અસંજ્ઞી તિર્યંચ અને મનુષ્યો (વિસામુવાડુ) વિકવેદ્રિયને વિષે તથા પૃથ્વીકાયાદિકને વિષે પણ એકાંતર ઉત્પન્ન થાય તો ચારે ભાગે ઉત્કૃષ્ટા આઠ ભવ કરે છે. તથા (gu) વિકલેંદ્રિય અને પૃથિવ્યાદિક (તિgિ) સંજ્ઞી અસંજ્ઞી નર અને તિર્યંચને વિષે એકાંતર ઉત્પન્ન થાય તો ચારે ભાગે ઉત્કૃષ્ટા આઠ ભવ કરે છે. તથા (11)
Page #78
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિ પ્રકરણ.
૫
મનુષ્યા ( વવાિસુ ) વાયુકાય અને અગ્નિકાયને વિષે ( ૩૬ ) જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ( દુમવા ) એ ભવ જ કરે છે; કેમકે, વાયુકાય અને અગ્નિકાયથી ઉધરેલા જીવ મનુષ્ય થતા જ નથી. ૨૨.
परंतब्भवाउ माणा, इह पहु ! संवेहओऽणुबंधठिई | किसिउ विन्नविउमलं, चउभंगि जहन्नुकोस कमा ||२३||
અ:( પટ્ટુ !) હે પ્રભુ ! ( પતઅવાર માળા ) પરભવ અને તે ભવના આયુષ્યકાળમાનને આશ્રીને ( ૪ ) આ સંસારમાં આ પ્રમાણે ( સંવેદો જીવંતૢ ) સ ંવેધથી થતા નુખ ધની સ્થિતિ છે. તેમાં સવેધ એટલે વિક્ષિત ભવથી ખીજા વિવક્ષિત ભવમાં વારંવાર પરાવતે કરીને સંભવ પ્રમાણે ઉત્પન્ન થવું તે. અનુબ ંધ એટલે વિવક્ષિત પર્યાયવડે અંતર વિના નિરંતરપણે ઉત્પન્ન થવું તે. સવેષથી જે અનુબંધ અને તે અનુબંધની સ્થિતિ તે આ પ્રમાણે—જેમ કરાડ પૂર્વના આયુષ્યવાળા કાઇ મનુષ્ય રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકી થાય તેા તેની અનુબ ધસ્થિતિ ઉત્કૃષ્ટથી ચાર સાગરોપમ અને ચાર કરાડ પૂર્વની હાય છે. જઘન્યથી એક કરોડ પૂર્વ અને દશ હજાર વર્ષની હેાય છે. ( જ્ઞદ્દનુજોલ મા ) તે સને જઘન્ય અને ઉત્કૃષ્ટના ક્રમથી ( વરમંત્તિ ) ચારે ભાંગે (વિવિવું ) વિજ્ઞાપના ( િિત્ત ) કરવાને હું કેમ ( અહં ) શક્તિમાન થાઉં ? અર્થાત્ ન થાઉં. ૨૩. इय कायठिई भमिओ, सामि ! तुह दंसणं विणा बहुसो । વિટ્ટો ત્તિ સંપચં તા, અાચયસંપચં તેવુ ॥ ૨૪ ।।
અર્થ: લામિ ! ) હે સ્વામી ! ( ફ્રેંચ ) આ પ્રમાણે એટલે પૂર્વોક્ત યુક્તિવ ( તુટ્ટુ લળ વિના ) હું તમારા દર્શન વિના ( વદુરો ) ઘણી વાર ( જાયો મિત્તે ) કાયસ્થિતિમાં ભમ્યા છેં. ( સંપચં ) હમણાં મને ( વિટ્ટો ત્તિ ) તમારું દર્શન થયું છે. ( તા ) તેથી કરીને ( બાયપંચસંપÄ ) કાય રહિત એટલે સિદ્ધના પદની-મુક્તિની સંપદા (àલુ) મને આપે।. ૨૪.
5562285
ઇતિ શ્રી કુલમ`ડનસૂરિવિરચિત કાયસ્થિતિ પ્રકરણ સમાપ્ત,
yo........of! sea
ja..
Page #79
--------------------------------------------------------------------------
________________
श्री विजयविमळगणिविरचित स्वोपज्ञअवचूरीयुक्त श्रीभावप्रकरणम्
( ગુજરાતી અનુવાદ સાથે )
आनंदभरिअनयणो, आणंद पाविऊण गुरुवयणे । आणंदविमलसूरिं नमिउं वुच्छामि भावे अ ॥ १ ॥
અ:-( આળબિનયો ) આણ ંદથી ભરેલાં છે નેત્ર જેનાં એવા આ પ્રકરણના કર્તા વિજયવિમળગણ (જીવયને) ગુરુના વચનમાં(આÜટ્ પાવિઝન) આનંદ પામીને ( બાળવિમસૂરિ) આણુ વિમલસૂરિને ( મિરું) નમસ્કાર કરીને ( માર્વે ) ઔપમિકાદિ ભાવાને ( ટુચ્છામિ) કહુ છુ. ૧.
હવે દ્વારગાથા કહે છે:
धमाधम्मागांसा, कौलो पुग्गलखंधा य कंम्म गईं जीवा । एएस अ दारेसु, भणामि भावे अ अणुकमसो ॥ २ ॥
અઃ—1 ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશસ્તિકાય, ૪ કાળ, ૫ પુગળસ્કે ધ, હું કર્મ, છ ગતિ અને ૮ જીવ એ આઠ દ્વારાને વિષે અનુક્રમે ભાવાને કહુ છુ. ૨.
વિવેચનઃ—જે આઠ દ્વારાને વિષે ભાવ કહેવાના છે તેના નામની વ્યાખ્યા.
૧ ( ધર્માશ્તિાય ) જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં જે અપેક્ષા કારણ તે ધર્માસ્તિકાય. અસ્તિ એટલે પ્રદેશેાના સમૂહ તે અસ્તિકાય કહેવાય છે. જેમ પાણી માછલાને ગમન કરવામાં અપેક્ષા કારણ છે તેમ જીવ અને પુદ્ગલને ગિત કરવામાં અપેક્ષા કારણ તે ધર્માસ્તિકાય છે. એ ધર્માસ્તિકાયના સ્કંધ ચાદ રાજલેાકપ્રમાણ
છે અને અસ ંખ્યાત પ્રદેશી છે.
૨ ( ૩૪૫શ્તિાય ) જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં જે અપેક્ષા કારણ તે અધર્માસ્તિકાય. અધર્માસ્તિકાયના કોંધ ચાદ રાજલેાકપ્રમાણ છે અને અસખ્યાત પ્રદેશી છે.
૩ ( બજારાસ્તાય ) આ એટલે મર્યાદાપૂર્વક સર્વે પદાર્થો જયાં પ્રકાશે એટલે સર્વે દ્રવ્યે જ્યાં પેાતાના સ્વભાવને પામે છે તે આકાશ, તેના પ્રદેશને
Page #80
--------------------------------------------------------------------------
________________
६७
ભાવ પ્રકરણ સમુદાય તે આકાશાસ્તિકાય. જે જીવ અને પુદગલને અવકાશ આપે, સાકરને દૂધની જેમ તે આકાશાસ્તિકાય. તેનો સ્કંધ લેકાલેકવ્યાપી, અનંત પ્રદેશ છે. લેક તે ચેદ રાજલોક, જેમાં છએ દ્રવ્ય હોય છે, તે સિવાયને અલકાકાશ જાણો.
૪ (૪)–ાસ્ટ તે કાળના બે પ્રકાર છે. એક વર્તના લક્ષણ, બીજે સમયાવલિકા લક્ષણ. દ્રવ્યને તે તે રૂપે થવામાં જે પ્રયજક તે વર્તના આ વર્તના સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ (પર્યાય) વ્યાપી છે. બીજે સમયાવલિકા કાળ તે અઢી દ્વીપના દ્રવ્યાદિમાં છે, તેની બહાર નથી. તે કાળ જૂનાને ન કરે અને નવાને જૂને કરે. સૂક્ષ્મમાં સૂક્ષમ કાળ જે વર્તમાન મટી ભૂત કયારે થયા તથા ભવિષ્ય મટી વર્તમાન કયારે થયો તે પણ જણાય નહિ તે સમય. આંખ બંધ કરીને ઉઘાડીએ તેટલા વખતમાં અસંખ્યાતા સમય થાય છે. તેવા અસંખ્યાત સમયની એક આવળી થાય છે.
૫ ( પ) તે પુદ્ગલ સ્કંધ જાણવા. પૂરણ, ગલન અથવા ચય, ઉપચય ધર્મવાળો તે પુગલ. તેના બે અણુથી માંડીને અનન્તા અણુ સુધીના બનેલા તે સ્કંધ કહેવાય.
૬ (મ) આ સમસ્ત ચૌદ રાજલક કર્મવર્ગણાથી નિરંતર ઠાંસીને ભરેલો છે. તે કર્મવર્ગણાને મિથ્યાત્વાદિ સામાન્ય હેતુવડે અથવા જ્ઞાન જ્ઞાનીનું પ્રત્યનીકપણું આદિ વિશેષ હેતુવડે ગ્રહણ કરીને જીવ આત્મપ્રદેશની સાથે ખીર-નીરની પેઠે અથવા અગ્નિ અને લેહની પેઠે સંબદ્ધ કરે છે. તે કર્મ આઠ પ્રકારનાં છે.
(૧) જેના વડે વસ્તુ જણાય છે અથવા વિશેષ ગ્રહણાત્મક બેધ તે જ્ઞાન, તેને આવરનાર, ગ્રહણ કરેલી કમવર્ગણુમાંહેને વિશિષ્ટ પુદગલસમૂહ તે જ્ઞાનાવરણીય કર્મ, (૨) જેનાવડે દેખાય તે અથવા સામાન્ય ગ્રહણાત્મક બેધ તે દર્શન. તે સામાન્ય અવબોધ છે. તેનું આચ્છાદન કરનાર જે કર્મ તે દર્શનાવરણીય કર્મ. (૩) જે સુખ-દુઃખરૂપે અનુભવાય તે વેદનીય કર્મ. (૪) સદસદ્ વિવેકમાં વિકળ કરે અને જેથી જીવ મેહ પામે તે મેહનીય કર્મ. (૫) એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જાય તે આવું કર્મ. (૬) ગત્યાદિપર્યાય અનુભવવા તરફ તત્પર કરે તે નામ કર્મ. (૭) જેનાથી ઉંચ નીચ શબ્દવડે જીવ બોલાવાય તે ગેત્ર કર્મ. (૮) જેનાથી દાનાદિ લબ્ધિઓ વિશેષપણે હણાય તે અંતરાય ક.
૭ (ત્તિ) જેમાં ગમન કરાય તે ગતિ. તેના પાંચ પ્રકાર. ૧ નારકી, ૨ તિર્યંચ, ૩ મનુષ્ય, ૪ દેવતા, ૫ સિદ્ધગતિ.
૮ (ગીત) જે જીવ્ય, જીવે છે અને જીવશે તે જીવ. જે દ્રવ્યપ્રાણુ અને ભાવપ્રાણને ધારણ કરે તે જીવ.
દ્રવ્યપ્રાણ પાંચ ઇંદ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ ને આયુ અને ભાવપ્રાણ
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુસંગ્રહ.
જ્ઞાન-દન-ચારિત્રાદિ આત્માના ગુણેા. તે બંનેને ધારણ કરનાર તે સંસારી જીવ અને માત્ર ભાવપ્રાણને ધારણ કરે તે સિદ્ધના જીવ.
અહીં ગુણસ્થાનવી જીવ લેવા, પણ એકેન્દ્રિયાદિ જીવા લેવા નહિ. ગુણુઠાણુા આશ્રી ભાવ કહેલા છે માટે. એ પ્રમાણે આ આઠ દ્વારા વિષે પમિકાદિ ભાવાને અનુક્રમે કહેશે.
પ્રથમ ચાદ ગુણસ્થાનકાના નામ કહે છે:—
मिच्छे सासण मीसे, अविरय देसे पमत्त अपमत्ते । निअ अनि सुमु-वसम खिण सजोगि अजोगिगुणा ॥३॥
અર્થ :—મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્તસયત, અપ્રમત્તસયત, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસ પરાય, ઉપશાંતમેાહ, ક્ષીણુમેાહ, સજગી અને અજોગી—એ ૧૪ ગુણુઠાણા જાણવા. ૩.
વિવેચનઃ—જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિશુદ્ધિ અવિશુદ્ધિના પ્રક અપક રૂપ અધ્યવસાયના તરતમ ભેદ તે ગુણસ્થાન. તે અધ્યવસાય અસંખ્યાતા હાવાથી ગુણસ્થાનના ભેદ પણ અસંખ્યાતા છે; પરંતુ સ્થૂલાષ્ટિએ ચૈાદ ભેદ જાણવા. તે નીચે પ્રમાણે:—
૧ ( સિદ્ધે ) મિથ્યાત્વ ગુણુસ્થાન. જ્યાં જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા ન હાય, ખરાને ખાટાપણે અને ખાટાને સાચા પ્રમાણે માને છે.
૨ ( સાતળ ) સાસ્વાદન ગુણુસ્થાન. ઉપશમ સમકિત વમીને મિથ્યાત્વે જતાં અનંતાનુબંધી કષાયના ઉદયથી જીવના જે પરિણામ થાય તે.
૩ (મીલે) મિશ્ર ગુણસ્થાન. જિનેશ્વરના વચન ઉપર જ્યાં રાગ-દ્વેષ ન હેાય તે. ૪ ( ઋષિય ) અવિરતિ સભ્યષ્ટિ ગુણસ્થાન. જ્યાં ઉપશમ, યેાપશમ અને ક્ષાયિક આ ત્રણ પ્રકારમાંનુ એક સમકિત હાય, પણ વિરતિ ન હાય તે.
૫ (àલે) દેશિવેતિ ગુણસ્થાન. જ્યાં દેશે એટલે અંશે ઘેાડી વિરતિ હાય તે.
૬ (પ્રમત્ત ) પ્રમત્તસયત ગુણુસ્થાન. જ્યાં સર્વવિરતિ છતાં મદ્ય, વિષય, કષાય, નિદ્રા, વિકથા આ પાંચ પ્રકારના પ્રમાદ હાય તે. ( આ ગુણસ્થાનકે મદ્યપાનના સભવ નથી, પણ પચવિધ પ્રમાદની ગણના પ્રસંગે મદ્યપાનનું ગ્રહણ કરેલું હાય તેમ સંભવે છે. )
૭ ( અપ્રમત્તે ) અપ્રમત્તસયત ગુણસ્થાન. જ્યાં સર્વવિરતિ હાય અને નિદ્રાદિ પ્રમાદ રહિત હાય એટલે પ્રમાદ ન હેાય તે.
Page #82
--------------------------------------------------------------------------
________________
ન^
^
*
* *
*
*
* *
ભાવ પ્રકરણ ૮ (નિશદિ) નિવૃત્તિકરણ ગુણસ્થાન. જ્યાં શ્રેણિ માંડનાર છના એક સરખા અધ્યવસાય ન હોય પણ ફેરફારવાળા હોય છે. તેનું બીજું નામ અપૂર્વ કરણ ગુણસ્થાન. જેમાં અપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધ એ પાંચ પદાર્થો કરાય તે અપૂર્વકરણ.
૯ (નિશદિ) અનિવૃત્તિકરણ બાદરભંપરાય ગુણસ્થાન. જ્યાં શ્રેણિ માંડનાર સર્વ જીવોના સરખા અધ્યવસાય હોય તે.
૧૦ (કુદુમ) સૂમસં પરાયે ગુણસ્થાન. જ્યાં સૂક્ષમ લેભને જ રદય હોય તે.
૧૧ (૩મ) ઉપશાંતમૂહ ગુણસ્થાન. જ્યાં મેહનીયકર્મની સર્વ પ્રકૃતિઓ ઉપશમી હોય તે
૧૨ (હિ) ક્ષીણમેહ ગુણસ્થાન. જ્યાં મેહનીયકર્મની સર્વ પ્રકૃતિનો સર્વથા ક્ષય થયો હોય તે.
૧૩ ( સોનિ ) સોગિકેવલી ગુણસ્થાન. કેવલજ્ઞાન થયા પછી માત્ર ગપ્રવૃત્તિ વર્તતી હોય તે.
૧૪ (ચોવિા ) અગી કેવલી ગુણસ્થાન. જ્યાં ગપ્રવૃત્તિને અભાવ હોય પણ હજી મેક્ષે ગયા ન હોય તે.
એ પ્રમાણે ગુણસ્થાનનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું.
હવે છ ભાવના નામે કહે છે – उवसम खइओ मीसो, उदओ परिणाम सन्निवाओ अ। सव्वे जीवट्ठाणे, परिणामुदओ अजीवाणं ॥४॥
અર્થ – ઉત્તમ ) ૧ પશમિકભાવ, (હો ) ૨ ક્ષાયિકભાવ, (મો) ૩ મિશ્રભાવ અથવા ૩ ક્ષાયોપથમિકભાવ (૩ ) ૪ ઔદયિકભાવ (પાક) ૫ પારિણમિકભાવ (૪) અને (નવા) ભાવના સંગરૂપ છઠ્ઠો સન્નિપાતિકભાવ. ( વ વવદાળ ) એ સર્વે ભાવો જીવસ્થાનમાં હોય. (uિriયુરો) પારિણમિક અને ઐયિક આ બે ભાવ (સવા) અજીવમાં પણ હાય. ૪. - હવે તે ભાવને અર્થ કહે છે –
૧ એપશમિકભાવ—ઉદય બે પ્રકારે છે. એક રસોદય ને બીજે પ્રદેશોદય. એ બંને પ્રકારના ઉદયનું અટકવું જે ભાવને વિષે હોય તે આપશમિકભાવ. એ ભાવ કાળ આશ્રી સાદિસપર્યવસિત જાણ, આ ભાવ બે પ્રકારે છે. ઉપશમભાવનું સમક્તિ ને ઉપશમભાવનું ચારિત્ર.
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
nmannnnnnnnnnn
૨ ક્ષાયિકભાવ-કર્મનો અત્યંત નાશ તે ક્ષય તેનાથી થયેલ તે ક્ષાયિકભાવ. તેના નવ ભેદ છે. કાળઆશ્રી સાદિસપર્યવસિત ને સાદિપર્યવસિત જાણો.
૩ મિશ્રભાવ અથવા ક્ષાયોપથમિકભાવઉદયમાં આવેલાના ક્ષયથી તથા અનુદીર્ણ એટલે ઉદયમાં નહી આવેલાના ઉપશમથી થયેલ તે મિશ્રભાવ અથવા લાયોપથમિકભાવ. તેના અઢાર ભેદ છે. કાળઆશ્રી સાદિસપર્યવસિત ૧, અનાદિ સપર્યવસિત ૨, અનાદિપર્યવસિત ૩. આ ત્રણ ભાંગી આ ભાવને વિષે જાણવા. - ૪ એયિકભાવ–શુભાશુભ પ્રવૃતિઓનું વિપાકા રસ)થી અનુભવવું તે ઔદયિકભાવ. તેના એકવીશ ભેદ છે. આ ભાવને વિષે પણ મિશ્રભાવમાં કહ્યા પ્રમાણે ત્રણ ભાંગા જાણવા.
૫ પારિણામિકભાવ-જીવ અને અજીવને જીવત્યાદિ સ્વસ્વરૂપને અનુભવવામાં તૈયાર રહેવું તે પરિણામિકભાવ અથવા પિતપતાની અવસ્થામાં રહેવુ તે પરિણામિકભાવ. આ ભાવના ત્રણ ભેદ છે. આ ભાવને વિષે કાળઆશ્રી ઉપર કહેલ ત્રણ ભાગ જાણવા. ક્યા ક્યા ભાવમાં કાળઆશ્રી ક્યા ક્યા ભાંગા હોય તેને યંત્ર,
સાદિસપર્ય અનાદિસ-સાદિઅપ- અનાદિઅવસિત | પર્યવસિત વસિત પર્યવસિત
ભાંગા
૦
૦
૦
૦
૦
ઓપશમિક ક્ષાયિક ક્ષાપશમિક
દયિક પરિણામિક
૬ સાન્નિપાતિક–પૂર્વે કહેલા ભાવોના સન્નિપાતથી-સંગથી થયેલ તે સાન્નિપાતિક ભાવ. તેના (ર૬) ભેદ છે. તે આવી રીતે-દ્ધિકસંગી દશ, ત્રિકસંગી દશ, ચતુઃસંયોગી પાંચ, પંચસયેગી એક–એ પ્રમાણે (૨૬) ભાંગા જાણવા.
દ્વિસંગી. ૧ એપિશમિક શાયિક કઔપશમિક પરિણામિક ૭ ક્ષાયિક પારિણામિક ૨ ઔપશમિક ક્ષાપશમિક ૫ ક્ષાયિક ક્ષાપશમિક ૮ ક્ષાપશમિક દયિક ૩ પશમિક ઔદયિક ૬ ક્ષાયિક દયિક ૯ ક્ષાપશમિક પરિણામિક
૧૦ દયિક પારિણામિક
Page #84
--------------------------------------------------------------------------
________________
ભાવ પ્રકરણ
ત્રિસગી. ૧ ૫૦ ક્ષાયિક ક્ષાપશમિક ૬ ૫૦ દયિ. પારિણુમિક ૨ ૫૦ ક્ષાયિક ઔદયિક
૭ ક્ષાયિક ક્ષાયોપ૦ આદયિક ૩ ૫૦ લાયિક પારિણામિક ૮ ક્ષાયિક ક્ષાપ. પરિણામિક ૪ ઓપક્ષાયોપ૦ દયિક
૯ ક્ષાયિક ઔદયિક પારિણામિક ૫ ૫૦ ક્ષાયે ૫૦ પરિણામિક ૧૦ ક્ષાયો૫૦ દયિક પરિણામિક
ચતુઃસંયેગી. ૧ એપક્ષાયિક ક્ષાયે ૫૦ ઔદયિક ૪ પ૦ ક્ષાપત્ર ઔદ પારિણામિક ૨ ઓ૫૦ ક્ષાયિક ક્ષાપત્ર પારિણમિક ૫ ક્ષાયિક ક્ષાયા ૫૦ દ૦ પારિણામિક ૩ ઐ૫૦ ક્ષાયિક ઔદ૦ પારિણામિક
પંચસંયોગી. ૧ પ૦ ક્ષાયિક ક્ષાપ૦ ઔદ પરિણામિક. એવી રીતે (૨૬) સન્નિપાતિક ભાવ જાણવા. એકમાં સન્નિપાત ન હોય. સંયોગનો અભાવ હોવાથી. એ છવીશમાંથી ૧ ક્રિકસંગી સાતમા ભાગે ક્ષાયિક અને પરિણામિક એ સિદ્ધને હેય. ૨ ત્રિકસંયોગી નવમે ભાગો ક્ષાયિક દયિક ને પરિણામિક એ કેવલીને હોય. ૩ ત્રિકસંગી દશમો ભાંગ ક્ષાયોપથમિક દયિક ને પરિણામિક એ ચારે ગતિમાં હોય. ૪ ચતુઃસંયોગી ચોથો ભાંગે પશમિક ક્ષાપથમિક ઔદયિક ને પરિણામિક. ૫ ચતુઃસંયેગી પાંચમો ભાંગે ક્ષાયિક ક્ષાયોપથમિક ઔદયિક અને પરિણામિક આ બે ભાંગા ચારે ગતિમાં પામીએ. ૬ તથા પંચરંગી એક ભાગો ક્ષાયિક સમકિતી ને ઉપશમશ્રેણિ માંડનાર મનુષ્યને પામીએ. એ પ્રમાણે છ સન્નિપાતિક ભાંગા જીવોમાં સંભવે. બાકીના વિશ ભાંગ જીમાં સંભવે નહિ તથા અજીવને પરિણામિક અને ઔદાયિક બે ભાવ સંભવે, બીજા ભાવ સંભવે નહિ.
હવે ભાવના મૂળભેદના ઉત્તરભેદ કહે છે – केवलनाणं दंसण, खइअं सम्मं च चरणं दाणाई । नव खइआलद्धीओ, उवसमिए सम्मचरणं च ॥ ५॥
અર્થ:- વઢના રંગ) કેવલજ્ઞાન-કેવલદર્શન (ાદ ત ર રર) ક્ષાયિક સમક્તિ, ક્ષાયિક ચારિત્ર (ર૬) અને દાનાદિ પાંચ લબ્ધિઓ એમ (નવ દાઢી) નવ ભેદ ક્ષાયિક ભાવના જાણવા (વામિv) ઉપશમ ભાવના (સમr ) ઉપશમસમકિત ને ઉપશમ ચારિત્ર એ બે ભેદ છે. ૫.
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
વિવેચન-ક્ષાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે -1 કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલજ્ઞાન, ૨ કેવલદર્શનાવરણીય કર્મના ક્ષયથી કેવલદર્શન, ૩ દર્શનમોહનીયકર્મના ક્ષયથી ક્ષાયિક સમકિત, ૪. ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક ચારિત્ર તથા ૫ થી ૮ પાંચ પ્રકારના અંતરાયકર્મના ક્ષયથી દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભેગલબ્ધિ, ઉપગલબ્ધિ અને વીર્યલબ્ધિ એ પાંચ ક્ષાયિકલબ્ધિઓ.
પશમિક ભાવના બે ભેદ: ઉપશમ સમક્તિ તે અનંતાનુબંધી ચાર કષાય તથા સમકિતનેહની, મિશ્રમેહની, મિથ્યાત્વમેહની આ સાત પ્રકૃતિને રદય એટલે વિપાકેદય અને પ્રદેશદય બંને ન હોય તે ઉપશમ સમકિત, પ્રથમ સમ્યકૃત્વ ઉત્પત્તિકાળે તથા ઉપશમશ્રેણિમાં હોય છે. બીજું ઉપશમ ચારિત્ર ઉપશમશ્રેણિમાં ચારિત્રમોહનીયના ઉપશમથી હોય છે.
હવે ક્ષયે પશમ ભાવના ૧૮ ભેદ કહે છે – नाणा चउ अण्णाणा, तिणि य दंसणतिगं च गिहिधम्मो। वेअग सवचारित्तं, दाणाइ य मिस्सगा भावा ॥ ६ ॥
અર્થ –(જs) જ્ઞાન ચાર, (૩vuTUા તિજ ૨) અજ્ઞાન ત્રણ, (સંતતિ ૪) દર્શન ત્રણ, (ષિઓ) ગૃહસ્થ ધર્મદેશવિરતિ, (વે) વેદક ( પશમ) સમકિત, ( ) સર્વવિરતિ ચારિત્ર અને (rદ ) દાનાદિક પાંચ લબ્ધિઓ-એ મિશ્રભાવના (૧૮) ભેદ જાણવા. (ક્ષેપશમ ભાવનાં બીજાં નામ મિશ્ર તથા વેદક પણ છે.) ૬.
વિવેચન-કેવલજ્ઞાન સિવાયના બાકીના મતિ-કૃત-અવધિ-મન પર્યવ એ ચાર જ્ઞાન તથા મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન–એ સાત જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થાય. ચક્ષુ-અચક્ષુ-અવધિ–એ ત્રણ દર્શન દર્શનવરણીય કર્મના ક્ષપશમથી થાય. વેદકસમકિત દર્શનમેહનીયકર્મના ક્ષયપશમથી થાય. દેશવિરતિ ને સર્વવિરતિ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી થાય અને દાનાદિ પાંચ લબ્ધિઓ અંતરાયકર્મના ક્ષપશમથી હેય. એ પ્રમાણે ત્રીજા ભાવના અઢાર ભેદ જાણવા. દાનાદિ પાંચ લબ્ધિઓ બે પ્રકારે હોય છે. એક ક્ષાયિકી તે કેવલીને હોય અને બીજી અંતરાય કર્મના ક્ષયોપશમથી થએલી ક્ષાયોપથમિકી તે છન્દ્રસ્થાને હોય.
હવે ચેથા દયિક ભાવના ૨૧ ભેદ કહે છે-- अन्नाणमसिद्धत्ताऽ-संजम लेसा कसाय गइ वेया। मिच्छं तुरिए भवाऽ-भवत्त जियत्त परिणामे ॥७॥
Page #86
--------------------------------------------------------------------------
________________
ભાવ પ્રકરણ
૭૩ અર્થ–(અન્નામલત્તા) અજ્ઞાન 1, અસિદ્ધત્વ ૧, (અવંમ તા) અસંજમ ૧, લેસ્યા ૬, (વનાર વરૂ વેચા) કષાય ૪, ગતિ ૪, વેદ ૩ અને (મિ છે) મિથ્યાત્વ ૧(સુgિ) ચોથા ઔદયિક ભાવના એ (૨૧) ભેદ જાણવા. (મામા ) ભવ્યત્વ, અભવ્યત્વ અને (લીવર) જીવત્વ (f ) એ પરિણામિક ભાવના ત્રણ ભેદ જાણવા. ૭.
વિવેચન-હવે ચોથા ઔદયિક ભાવના ૨૧ ભેદ આ પ્રમાણે –જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થએલ ૧ અજ્ઞાન, આઠ પ્રકારના કર્મના ઉદયથી થએલ ૧ અસિદ્ધત્વ અને પ્રત્યાખ્યાનાવરણીયના ઉદયથી થએલ અસંયમ-અવિરતિ પણું ૧, કૃષ્ણાદિ છ લેશ્યા તે કષાયમેહનીય કર્મના ઉદયથી, અથવા આઠે કર્મના ઉદયથી, અથવા નામકર્મના ઉદયથી, અથવા વેગ પરિણામરૂપ સમજવી. તેના નામ:કૃષ્ણ-નીલ-કાપત–તેજ-પદ્ય ને શુકલ. કષાય ચાર-કષાયમેહનીય કર્મને ઉદયથી થએલ ક્રોધ, માન, માયા ને લેભ. ગતિ ચાર-નામકર્મના ઉદયથી થએલ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી. નેકષાયમેહનીય કર્મના ઉદયથી થએલ વેદ ત્રણ, મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી થએલ મિથ્યાત્વ ૧-એ પ્રમાણે ૨૧ ભેદ સમજવા.
અહીં દયિક ભાવના પાંચ નિદ્રા, સાતા, અસાતા અને હાસ્ય, રતિ વિગેરે કર્મોદયથી થએલા બીજા પણ ઘણું ભેદ જાણવા. આ પ્રકરણમાં એકવીશની સંખ્યા પૂર્વ શાસ્ત્રના અનુસારે કહેલી છે.
હવે પાંચમા પરિણામિક ભાવના ત્રણ ભેદ કહે છે. ભવ્યપણાનો ભાવ તે ભવ્યત્વ, અભવ્યપણાને ભાવ તે અભવ્યત્વ અને જીવપણને ભાવ તે જીવત્વ.
એએનું એ પ્રમાણે જ સદા પરિણમન હોવાથી. કારણ કે ભવ્ય તે અભવ્ય ન થાય, અભવ્ય તે ભવ્ય ન થાય અને જીવ અજીવ ન થાય. એવી રીતે મૂળ પાંચ ભાવના ઉત્તરભેદ (૫૩) જાણવા.
મૂલભેદના ઉત્તરભેદને યંત્ર.
૨
પશમિક | ક્ષાયિક | ક્ષાપશમિક ઔદયિક | પરિણામિક
૧૮ | ૨૧ હવે પૂર્વે કહેલા ધર્માસ્તિકાયાદિ આઠ દ્વારને વિષે ઐશમિકાદિ ભાવ કહે છે - आइम चउदारेसु य, भावो परिणामगो य णायव्यो। खंधे परिणामुदओ, पंचविहा हुंति मोहंमि ॥ ८॥
Page #87
--------------------------------------------------------------------------
________________
७४
પ્રકરણસંગ્રહ.
અર્થ:-(બારમ) પ્રથમના(વાકુ ) ચાર દ્વારને વિષે (ાિમm ૪) પરિણામિક (માવો) ભાવ (UTયો ) જાણો. (બે) સ્કંધને વિષે () પારિણામિક ભાવ અને ઔદયિક ભાવ હોય અને (મોહંમ) મેહનીયકર્મને વિષે (પંવિદા શુંતિ) પાંચે ભાવ હેાય. ૮.
વિવેચન–૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય અને ૪ કાળ. એ ચાર દ્વારોને વિષે એક પરિણામિક ભાવ જ હોય, કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અનાદિ કાળથી આરંભી જીવ અને પુદ્ગલેને અનુક્રમે ગતિમાં તથા સ્થિતિમાં ઉપષ્ટભ આપવાના અને અવકાશ આપવાના પરિણામમાં પરિણત છે. તથા કાળ પણ આવલિકાદિ પરિણામમાં પરિણત હોવાથી અનાદિ પરિણામિકભાવમાં વર્તવાપણું છે. પાંચમા સ્કન્ધદ્વારને વિષે એટલે પુ૬ગલકંધને વિષે પરિણામિક અને દયિક એ બે ભાવ હોય. તેમાં દ્વાણુકાદિ (બે પરમાણુના બનેલા વિગેરે) સ્કંધમાં કાળઆશ્રી સાદિપણું હોવાથી સાદિ પારિણામિક ભાવ જાણ અને મેરુ વિગેરે જે સ્કો છે તે અનાદિકાળથી તે રૂપે પરિણમેલા હોવાથી અનાદિ પરિણામિકભાવ જાણો. તથા જે અનન્ત પરમાણુના સ્કન્ધા છે, જેને જીવ કર્મરૂપે પરિણાવે છે, તેનો કમરૂપે ઉદય હોવાથી તેવા સ્કંધમાં ઔદયિક ભાવ પણ છે તે આવી રીતે-શરીરાદિ નામકર્મના ઉદયથી થએલ દારિકાદિ કોને દારિક શરીરપણે ઉદય તે ઔદયિકભાવ જાણો. જે છૂટા પરમાણુઓ છે તેમાં જીવન ગ્રહણનો અભાવ હોવાથી ઔદયિકભાવ નથી, તેમાં ફક્ત પરિણામિકભાવ જ હોય છે.
હવે છઠ્ઠ કર્મ દ્વાર, તેમાં મેહનીય કર્મને વિષે પાંચે ભાવ હોય છે.
તેમાં પ્રથમ એપશમિક ભાવ આવી રીતે મોહનીયકર્મની ભસ્મથી અવરાએલ અગ્નિની પેઠે અનુદય અવસ્થા તે આપશમિક ભાવ. અહીં સોપશમ લે પણ દેશપશમ નહિ. દેશપશમનો સર્વે કર્મોમાં સંભવ હોવાથી. ૨ મોહનીય કર્મ ઉદયમાં આવ્યું તેના ક્ષયથી અને અનુદયને ઉપશમથી થએલ ભાવ તે ક્ષયોપશમભાવ. ૩ જે જે મેહનીય કર્મનો આત્યન્તિક એટલે ફરીથી બંધ ન થાય તે નાશ તે ક્ષાયિકભાવ. ૪ મહીયકર્મનો ઉદય તે દયિકભાવ. સર્વે સંસારી જીવને આઠે કર્મને ઉદય જણાતો હોવાથી. ૫ અને જીવપ્રદેશની સાથે સંલલિતપણે એકમેક થવું તે પરિણામિકભાવ. અથવા તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ તથા પ્રકારે સંક્રમાદિરૂપપણે જે પરિણમન તે પરિણામિકભાવે.
આ પ્રમાણે મેહનીયકર્મમાં પાંચે ભાવ સમજવા. બાકીના છ કર્મોમાં કહે છે – दसणनाणावरणे, विग्घे विणुवसम इंति चत्तारि । वेयाउनामगोए, उवसममीसेण रहिआओ ॥९॥
Page #88
--------------------------------------------------------------------------
________________
ભાવ પ્રકરણ.
૭૫
અર્થ:-- રંગના ) દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય (વિ) અને અંતરાય કર્મમાં (વિજુવા ) ઉપશમ વિના (હૃતિ વારિ) ચાર ભાવ હોય અને (વેયા નામજોr) વેદની, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મમાં (૩વસમમી) ઉપશમને મિશ્ર (ત્રિામ) રહિત બાકીના ત્રણ ભાવ હોય. ૯. - વિવેચન --દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મમાં ઉપશમ વિના ચાર ભાવ હોય. આ કર્મોનો ઉપશમ થતો નથી માટે દયિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને પરિણામિક એ ચાર ભાવ હોય. તેમાં પણ કેવલજ્ઞાનાવરણીય અને કેવલદશનાવરણીયના વિપાકેદયના વિષ્કભનો અભાવ હોવાથી તેના ક્ષોપશમન અસંભવ છે. બાકીના ચાર કર્મ વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્રને વિષે આપશમિક અને મિશ્ર તે ક્ષાપશમિક એ બે વિના બાકીના ક્ષાયિક, ઔદયિક અને પરિણામિક એ ત્રણ ભાવ હોય.
કર્મોને વિષે ભાવનો યંત્ર. | કર્મ. | જ્ઞાના દર્શ0 | વેદ | મોહ | આયુબ નામ, ગોત્ર. અંત | ભાવ. ૪ | ૪ ૩ | ૫ | ૩ ૩ | ૩ | જ
હવે સાતમું ગતિદ્વાર કહે છે -- चउसु वि गइसु पण पण, खाइअ परिणाम हुंति सिद्धीए । अह जीवेसु अ भावे, भणामि गुणठाणरूवेसु ॥१०॥
અર્થ:--(રકુ નિ જરુ) ચારે ગતિમાં (gr gr) પાંચ પાંચ ભાવ હોય છે. (સિદ્ધીપ) સિદ્ધગતિમાં ( હારૂ૩) ક્ષાયિકભાવ અને (પરિણામ ) પરિણામિકભાવ એ બે (ફુતિ ) હોય છે. (અg ) હવે (ગુદાનg ) ગુણસ્થાનરૂપ ( નવેસુ ) માં ( વે) ભાવ (મળrfમ) કહું છું. ૧૦.
વિવેચન –નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવતા એ ચારે ગતિમાં પાંચે ભાવ હોય છે. તે આવી રીતે –પશર્મિક ભાવે ઉપશમ સમતિ ૧, ક્ષાયિકભાવે ક્ષાયિકસમ્યકત્વ ૨, ક્ષાપથમિક ભાવે ઇંદ્રિયા ૩, ઔદયિક ભાવે નરકગત્યાદિ ૪, પારિણમિક ભાવે જીવત્વાદિ ૫, પાંચમી સિદ્ધિગતિમાં ક્ષાયિક અને પરિણામિક બે જ ભાવ હોય છે. તેમાં કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવે અને છેવત્વ પારિણામિકભાવે હોય.
હવે ગુણસ્થાનરૂપ જીવમાં એટલે ગુણસ્થાને વર્તતા જેમાં ભાવે કહું છું – मीसोदयपरिणामा, एए भावा भवन्ति पढमतिगे। अग्गे असु पण पण, उवसम विणु हुंति खीणमि ॥११॥
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
અર્થ:-(vઢમતિ) પ્રથમના ત્રણ ગુણસ્થાને (મોરપMિામા) મિશ્ર, દયિક ને પરિણામિક( Tv માવા મવનિત) એ ત્રણ ભાવ હોય છે. (જે સહુ Tr Tળ) આગળને આઠ ગુણઠાણે પાંચ પાંચ ભાવ હોય છે, અને (વરમ વિજુ ) ઉપશમભાવ વિના (કુંતિ થીમિ) ક્ષીણુમેહ ગુણસ્થાને ચાર ભાવ હોય છે. ૧૧.
खइयोदयपरिणामा, तिन्नि य भावा भवन्ति चरमदुगे। एसिं उत्तरभेआ, भणामि मिच्छाइगुणठाणे ॥ १२॥
અર્થ –( પાિમા ) ક્ષાયિક, ઔદયિક ને પરિણામિક (તિજ રે માવા) આ ત્રણ ભાવ (મવત્તિ ચામડું) છેલ્લા બે ગુણઠાણે હોય છે.
હવે (હિં સામે) એના ઉત્તરભેદ (મિઝાનુurદાળ) મિથ્યાત્વાદિ ગુણઠાણે (મામિ ) કહું છું. ૧૨.
વિવેચન-મિથ્યાત્વગુણસ્થાન, સાસ્વાદનગુણસ્થાન, મિશ્રગુરુસ્થાન-એ ત્રણ ગુણઠાણે મિશ્ર, દયિક અને પરિણામિક એ ત્રણ ભાવ હોય છે. તેમાં મિશ્ર એટલે ક્ષપશમભાવે ઇન્દ્રિયાદિ, ઔદયિકભાવે ગત્યાદિ અને પરિણામિકભાવે જીવત્વાદિ જાણવા ત્રીજા ગુણઠાણાથી આગળના આઠ ગુણઠાણ સુધી એટલે અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર, સૂક્ષ્મસં૫રાય અને ઉપશાંતહે પાંચ પાંચ ભાવ હોય છે. તેમાં ઉપશમભાવે પશમ સમકિત અવિરતિ ગુણઠાણથી અગિયારમા ગુણઠાણું સુધી હોય છે. ક્ષાયિકભાવે ક્ષાયિકસમકિત પણ તેટલા ગુણઠાણ સુધી હોય છે. ત્રીજા ક્ષપશમભાવે ક્ષાપશમિકી ઈન્દ્રિયાદિ તથા ક્ષપશમ સમતિ ચેથા ગુણઠાણાથી સાતમાં ગુણઠાણ સુધી હોય છે. આગળ આઠમાથી અગિયારમા સુધીના ચાર ગુણઠાણે ક્ષાપશમિકી ઇંદ્રિયાદિ જ હોય છે, ક્ષપશમ સમતિ હોતું નથી, કારણ કે સમતિ મેહનીયના ઉદયથી તે સમતિ હોય છે ને તેને ઉદય સાતમા ગુણઠાણ સુધી જ હોય છે. ચેથા ઔદયિકભાવે ગત્યાદિ અને પાંચમા પારિણામિકભાવે જીવત્વાદિ સમજવા. બારમા ક્ષીણમેહ ગુણઠાણે ઉપશમ વિના ચાર ભાવ હોય છે. તેમાં ક્ષયે પશમભાવે ઇદ્રિયાદિ, ઔદયિક ભાવે ગત્યાદિ, પરિણામિકભાવે જીવત્વાદિ અને ક્ષાયિકભાવે સમક્તિ અને ચારિત્ર જાણવું. ઉપશમભાવ મોહનીય કર્મનો હોય છે તે મેહનીય ક્ષેપકને દશમે ગુણઠાણે સર્વથા ક્ષય થયેલ હોવાથી તે ભાવ બારમે ગુણકાણે હોતું નથી. તેરમા સગી તથા ચિદમા અગી ગુણઠાણે ક્ષાયિકભાવે કેવલજ્ઞાનાદિ, દયિકભાવે ગત્યાદિ અને પારિણમિકભાવે જીવત્વાદિ એ ત્રણ ભાવ હોય છે.
ગુણસ્થાનકમાં ભાવના મૂળ ભેદનું યંત્રઃગુણસ્થાન મિ. સા. મિ. સ૨૦ ૦ અro go નિ ફૂ૦ ૩૦ લી. ૦ મો. મૂળભાવ. | ૩ ૩ ૩ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૪ | ૩ ૩
Page #90
--------------------------------------------------------------------------
________________
ભાવ પ્રકરણ.
હવે ગુણસ્થાનકને વિષે ઉત્તરભેદ કહે છેઃ
-
86.
मिच्छे तह सासाणे, खाओसमिया भवंति दस भेया । दाणाइपणग चक्खु य, अचक्खु अन्नाणतिअगं च ॥ १३ ॥
અર્થ:—( મિત્ઝે તર્ફે સાસાળે ) મિથ્યાત્વે તેમજ સાસ્વાદને ( છાત્રોનમિયા ) ક્ષાયેાપશમિકભાવે ( વાળવવળT ) દાનાદિ પાંચ દાન, લાભ, ભાગ, ઉપભાગ, વીર્ય, ) લબ્ધિએ ( વસ્તુ T ) ચક્ષુદન, ( ાચક્ષુ ) અચક્ષુદન અને (અન્નાતિતં ૨ ) અજ્ઞાનત્રિક ( મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભગજ્ઞાન ) એ પ્રમાણે ( મતિ જ્ઞ મેયા) દશ ભેદ હાય છે. ૧૩.
मिस्से मिस्सं सम्मं, तिदंस दाणाइपणग नाणतिगं । तुरिए बारस नवरं, मिस्सच्चाएण सम्मत्तं ॥ १४ ॥
॥
અ—( મિક્ષ્ણ ) મિશ્રગુણઠાણે ( મિલ્લું સમ્મ ) મિશ્રસમકિત ( તિત્ત ) ત્રણ દર્શન ( વાળા પળન ) દાનાદિ પાંચ અને ( નાતિñ ) જ્ઞાનત્રિક એ માર ભાવ હાય છે. (તુપિ વાસ) ચાથે ગુણઠાણે પણ ખાર ભાવ હાય છે, પરંતુ (નવર) એટલું વિશેષ કે ( મિલાળ સમ્મત્ત ) મિશ્રના ત્યાગ કરવા અને ક્ષાયેાપશમ સમકિત કહેવું. ૧૪.
વિવેચન:—ત્રીજા મિશ્રગુણુઠાણું મિશ્રસમકિત, ચક્ષુદર્શન, અચક્ષુદન અને અવધિદર્શીન એ ત્રણ દન, દાનાદિ પાંચ લબ્ધિએ અને જ્ઞાનત્રિક એ ખાર ક્ષયાપશમભાવ હાય. અહીં જ્ઞાન અજ્ઞાનમાં કેાઇવાર જ્ઞાનની, કોઇવાર અજ્ઞાનની બાહુલ્યતા હાય અથવા તેની સમાનતા પણ હાય, અહીં જ્ઞાનત્રિક કહ્યું તે જ્ઞાનની બાહુલ્યતાની વિવક્ષાથી જાણવું. તથા અહીં અવધિદર્શન કહ્યું તે સિદ્ધાંતના મતની અપેક્ષાએ જાણવુ. ચેાથા અવિરતિ ગુણુઠાણું મિશ્ર કહ્યા તે જ ખાર ક્ષયાપશમભાવ હેાય. ફક્ત ફેર એટલેા કે મિશ્રસમકિતને બદલે ક્ષાયેાપશમ સમકિત કહેવું. सम्मुत्ता ते बारस, विरइक्खेवेण तेर पंचमए ।
छट्ठे तह सत्तमए, चउदस मणनाणखेविकए ॥ १५ ॥
અર્થ:— સમ્મુત્તા ) અવિરતિ સમ્યક્ત્વગુણુઠાણે કહેલા ( તે વારસ ) તે ખારમાં ( વિત્ત્તવેળ ) દેશિવરિત નાખવાથી (તેર પંચમજ્) પાંચમે ગુણઠાણે તેર ભાવ હાય. ( કે તદ્દે સત્તમપ) છઠ્ઠું તેમજ સાતમે મન:પર્યવજ્ઞાન નાખવાથી ( ચત્ત) ચાદ ભાવ હાય. ૧૫.
नाणखेविकए )
વિવેચનઃ—ચેાથે ગુણઠાણે કહેલા ખાર ભાવમાં દેશિવરિત ઉમેરવાથી પાંચમે
Page #91
--------------------------------------------------------------------------
________________
७८
પ્રકરણસંગ્રહ.
ગુણઠાણે તેર ભાવ હોય. છટ્ટે સાતમે ગુણઠાણે તે તેરમાં મન:પર્યવજ્ઞાન ઉમેરવાથી ચેદ ક્ષાપશમિકભાવ હોય; પણ પાંચમાં ગુણઠાણાના તેરમાંથી દેશવિરતિ કાઢી નાખવું અને સર્વવિરતિ ઉમેરવું.
अहमनवमदसमे, विणुसम्मत्तेण होइ तेरसगं । उवसंतखीणमोहे, चरित्तरहिआ य बार भवे ॥ १६ ॥
અર્થ –(ગમનવમ આઠમે, નવમે અને દશમે ગુણઠાણે (વિષ્ણુ સમ ) ક્ષયોપશમસમતિ વિના (દોર તેરસ) તેર ભાવ હોય. (૩વસંતવીમો) ઉપશાંત અને ક્ષીણમેહ ગુણઠાણે (વરાત્રિા ૨) ક્ષપશમભાવના ચારિત્ર વિના (વા મવે) બાર ભાવ હોય. ૧૬.
વિવેચન-આઠમે, નવમે, દશમે ગુણઠાણે પૂર્વે કહેલા ચાદ ભાવમાંથી ક્ષપશમસમક્તિ વિના બાકીના તેર ભાવ હોય. તે આ પ્રમાણે-દર્શનત્રિક, દાનાદિ પાંચ લબ્ધિઓ, જ્ઞાનચતુષ્ક અને સર્વવિરતિ ( પશમભાવનું ચારિત્ર) એ તેર ભાવ હોય. ક્ષપશમસમક્તિ ચોથાથી સાતમા સુધીના ચાર ગુણઠાણે જ હોય. તથા ઉપશાંતમૂહ અને ક્ષીણમેહ એ બે ગુણઠાણે તે તેરમાંથી ક્ષયપશમ ભાવના ચારિત્ર વિના બાર ભાવ હોય. આગળના બે (૧૩-૧૪) ગુણઠાણે ક્ષોપશમ ભાવ જ નથી.
હવે ઔદયિક ભાવના ઉત્તરભેદ ગુણઠાણે કહે છે – अन्नाणाऽसिद्धत्तं, लेसाऽसंजम कसाय गइ वेया। मिच्छत्तं मिच्छत्ते, भेया उदयस्स इगवीसं ॥ १७ ॥
અર્થ –(સા) ૧ અજ્ઞાન, (સિદ્ધ૪) ૧ અસિદ્ધત્વ, (જેતા ) ૬ લેશ્યા, (અખંડમ) ૧ અસંયમ, (સર) ૪ કષાય, (જ) ૪ ગતિ, (વેરા) ૩ વેદ, (મિ છત્ત) ૧ મિથ્યાત્વ, ( ૩ ૪ વર્ષ) એ દયિક ભાવના એકવીશે (મેગા) ભેદ ( મિક) મિથ્યાત્વ ગુણઠાણે હેાય છે. ૧૭. बियए मिच्छत्तविणा ते, वीसं भेया भवंति उदयस्स । तइए तुरिए दसनव, विणुअन्नाणेण णायव्वा ॥ १८॥
અર્થ –(વિયા) બીજે ગુણઠાણે (મિત્તવિUા તે) મિથ્યાત્વ વિના (૩ ૪) ઔદયિક ભાવના (વા મેવા મધંતિ) વીશ ભેદ હેય. (તરૂપ સુuિ) ત્રીજે અને ચોથે ગુણઠાણે (વિજુઅન્નાઇ) અજ્ઞાન વિના (રજા) ઓગણીશ ભેદ (બનાવવા) જાણવા. ૧૮.
Page #92
--------------------------------------------------------------------------
________________
ભાવ પ્રકરણ.
देसे सत्तरस नारग—गइ देवगण अभावओ हुंति । तिरिगइ असंजमाओ - उदए छट्ठस्स न भवति ॥ १९ ॥
૯
અર્થ:—( નાનંદ ) નરકગતિ અને ( રેવાદળ ) દેવગતિના ( અમાવો ) અભાવથી ( રેલે ) દેશિવરતિ ગુણઠાણે ( સત્તરસ ) સત્તર ભાવ ( કુંતિ) એદયિકના હાય. ( છઠ્ઠÄ પ્રમત્ત નામના છદ્બે ગુણઠાણે (ત્તિનિર્)તિયંચગતિ અને ( સંગમાને ) અસ જમના ( સત્ત ઉદય ન મતિ ) નહાવાથી
પંદર ભાવ હાય. ૧૯.
વિવેચન:—મિથ્યાત્વ ગુણુઠાણું ઉપર ગણાવ્યા તે ઐહિયેક ભાવના એકવીશે ભેદ હાય. સાસ્વાદન ગુણુઠાણું મિથ્યાત્વ વિના વીશ આદિયક ભાવ હાય. મિથ્યાત્વના ઉદય તેા પ્રથમ ગુણઠાણે જ હાય, પછી ન હેાય. ત્રીજે અને ચાથે ગુણઠાણે વીશમાંથી અજ્ઞાન વિના એગણીશ ભેદ એયિક ભાવના હાય. તે આ પ્રમાણે૧ અસિદ્ધત્વ, ક્રૂ લેશ્યા, ૧ અસયમ, ૪ કષાય, ૪ ગતિ અને ૩ વેદ. પાંચમા દેશિવતિ ગુણઠાણે પૂર્વ કહેલા એગણીશમાંથી નરકગતિ અને દેવગતિ વિના બાકીના સત્તર આયિક ભાવ હાય. ( નરકગતિ અને દેવગતિને વિષે દેશવિરતિ ગુણુઠાણું નિહ હાવાથી ) તથા પ્રમત્તગુણઠાણે તે સત્તરમાંથી તિર્યંચગતિ અને અસંયમ વિના બાકીના પંદર ભાવ હાય. તિર્યંચગતિમાં પાંચ ગુઠાણા જ હાવાથી તથા છટ્ટે સંયમ હેાવાથી અસ યમ ન હાય માટે ૧ અસિદ્ધત્વ, ૬ લેશ્યા, ૪ કષાય, મૈં મનુષ્યગતિ અને ૩ વેદ એ પદર ઐયિક ભાવના ભેદ હાય.
आइतिलेसाऽभावे, बारसभेया भवंति सत्तमए ।
ते उपमहाऽभावे, अट्ठमनवमे य दसभेया ॥ २०॥
અઃ—( આતિજેલામાવે) પ્રથમની ત્રણ લેફ્સાના અભાવથી ( સત્ત મઘ ) સાતમે ગુણઠાણે ( વાસમેચા ) બાર ભેદો ( મતિ ) હાય. ( તેઽપાડ– માથે ) તેમાંથી તેજોલેસ્યા અને પદ્મલેશ્યાના અભાવથી ( અઠ્ઠમનવમે ય ) આઠમે અને નવમે ગુણઠાણે ( સમેયા) દશ લેઇ હેાય. ૨૦. आइमकसायतियगं, वेयतिगविणा भवंति चत्तारि । दस मे उवरिमतियगे, लोभविणा हुंति तिन्नेव ॥ २१ ॥ चरमगुणेऽसिद्धत्तं, मणुआणगई तहा य उदयंमि ।
અર્થ :( ગામ સાતિયાં ) પ્રથમના ત્રણ કષાય અને (વેતિ વિના) ત્રણ વેદ વિના ( ત્તમે ) દશમે ગુણઠાણે (મતિ ચત્તરિ ) ચાર ભાવ હાય.
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
(૩બતો) ઉપરના ત્રણ ગુણઠાણે (મવિ) લેભ વિના ન લૂંતિ તિજોવ) ત્રણ ભાવ હોય. (તલ્લા ) તથા ( ) છેલે ગુણઠાણે (લિત) અસિદ્ધત્વ અને ( મજુબાજar ) મનુષ્ય ગતિ (૩મ) તે બે દયિકભાવ જ હોય. ૨૧.
વિવેચનઃ– છ ગુણઠાણે કહેલ પંદર ભાવમાંથી પ્રથમની ત્રણ લેશ્યા વિના બાકીના બાર ભાવ સાતમે ગુણઠાણે હોય. તે આ પ્રમાણે-અસિદ્ધત્વ, ત્રણ શુભ લેશ્યા, ચાર કષાય, મનુષ્યગતિ ને ત્રણ વેદ. પ્રથમની ત્રણ લેશ્યાને ઉદય છઠ્ઠા ગુણઠાણ સુધી જ હોય. તેમાંથી તેલેશ્યા અને પદ્મશ્યા વિના બાકીના દશ ભાવ આઠમે, નવમે ગુણઠાણે હોય. આઠમેથી શ્રેણું માંડે અને શ્રેણી તે શુકલ લેશ્યાએ જ હાય માટે. દશમે ગુણઠાણે પ્રથમના ત્રણ કષાય (લેભ સિવાયના) તથા સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણ વેદ વિના બાકીના અસિદ્ધત્વ, શુકલ વેશ્યા, સંજવલન લભ તથા મનુષ્યગતિ એ ચાર ઔદયિક ભાવ હોય. અગિયારમે, બારમે તથા તેરમે ગુણઠાણે સંજ્વલન લેભ વિના બાકીના ત્રણ ભાવ હેય. અસિદ્ધત્વ, શુકલ લેશ્યા ને મનુષ્ય ગતિ. છેલ્લા અગી કેવલી ગુણઠાણે અસિદ્ધત્વ અને મનુષ્યગતિ, એ બે જ દયિક ભાવ હોય; કારણ કે ત્યાં લેશ્યાને અભાવ છે.
હવે પશમિક ભાવના ભેદ ગુણઠાણે કહે છે – तुरिआओ उवसंतं, उवसमसम्मं भवे पवरं ॥ २२ ॥ नवमे दसमे संते, उवसमचरणं भवे नराणं च, खाइगभेए भणिमो, इत्तो गुणठाणजीवेसु ॥ २३ ॥
અર્થ - ત્તર ૩વરંઢ) ચોથાથી અગિઆરમાં ગુણઠાણ સુધી gવાં) ઉત્તમ એવું (૩વરમM મ ) ઉપશમસમકિત હોય. (નવમે રમે સંતે ) નવમે, દશમે અને અગિઆરમે ઉપશાંતમહ ગુણઠાણે (RTI ) મનુષ્યને (૩વરમવા મ) ઉપશમચારિત્ર પણ હોય. (૪ત્તો ગુદાનીતુ) હવે ગુણસ્થાનમાં રહેલા જીવન વિષે (સામે મણિમો) ક્ષાયિક ભાવના ભેદ કહું છું. ૨૩.
વિવેચનઃ–પ્રથમનાં ત્રણ ગુણઠાણે પથમિક ભાવ ન હોય. ચોથા ગુણઠાણેથી આઠમા ગુણઠાણ સુધીના પાંચ ગુણઠાણે પથમિક સમક્તિરૂપ એક
પશમિક ભાવ હોય અને નવમા, દશમા તથા અગિઆરમાં એ ત્રણ ગુણઠાણે ઉપશમસમકિત અને ઉપશમચારિત્ર એ બે પથમિક ભાવ મનુષ્યને હોય. છેલ્લા ત્રણ ગુણઠાણે ઉપશમ ભાવ જ ન હોય.
હવે ગુણઠાણે ક્ષાયિક ભાવના ઉત્તરભેદ કહે છે –
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવપ્રકરણ
८१
खाइगसंमत्तं पुण, तुरियाइगुणठगे सुए भणियं । खीणे खाइगसम्म, खाइगचरणं च जिणकहिअं ॥२४॥
अर्थ:-( खाइगसंमत्तं पुण) वणी क्षायि: समति, ( तुरियाइगुणगे) योथाथी मा गुए। सुधा से भया२मा गुह सुधा ( सुए भणियं ) सूत्रमा छे. ( खीणे) क्षाराभाई (खाइगसम्म ) क्षायि: समरित, ( खाइगचरणं च ) भने क्षायि: यरित्र (जिणकहियं ) हिनेश्वरे ४युं छ. २४.
दाणाइलद्धिपणगं, केवलजुअलं समत्त तह चरणं । खाइगभेआ एए, सजोगिचरमे य गुणठाणे ॥ २५ ॥
मथ-(दाणाइलद्धिपणगं) न पाय धिमे, ( केवलजुअलं ) उपन्स - ज्ञान ने शन, ( समत्त तह चरणं ) क्षायि समति तथा क्षायि: यात्रि (सजोगिचरमे य गुणठाणे) सयागी मने २२भे-मया शुणे (एए) मे ( खाइगमेआ) नप क्षायिभावना से डाय. २५.
વિવેચન –ચેથાથી આઠ ગુણઠાણ સુધી એટલે અગ્યારમાં ગુણઠાણું સુધી ક્ષાયિક ભાવનું એક સમ્યકત્વ જ હોય, તથા ક્ષીણમેહ ગુણઠાણે ક્ષાયિક સમકિત અને ક્ષાયિક ચારિત્ર એ બે ભાવ હોય, એ પ્રમાણે તીર્થકરે કહેલું છે. તેરમા સગી તથા ચાદમાં અગી ગુણઠાણે દાનાદિ પાંચ લબ્ધિ, કેવલજ્ઞાન, કેવલદર્શન, ક્ષાયિક સમકિત અને ક્ષાયિક ચારિત્ર-એ નવે ક્ષાયિકભાવ હોય છે.
હવે ગુણઠાણે પરિણામિક ભાવના ભેદ કહે છે— जीवत्तमभवत्तं, भवत्तं आइमे अ गुणठाणे । सासणा जा खीणंतं, अभववज्जा य दो भेया ॥ २६ ॥
मर्थ:-( जीवत्तमभव्वत्तं ) ७११ मने २१व्यत्व तथा (भव्वत्तं) भव्यत्व से त्राणे ( आइमे अ गुणठाणे ) प्रथम गुडाणे डाय. ( सासणा जा खीणंतं ) सास्वाहनथी क्षीणमाडनो मत सुधी (अभव्ववज्जा य) मलव्यत्व ने (दो भेया ) मे मे भव्यत्व २ ०१५ .य. २६.
चरमे दुअगुणठाणे, भवत्तं वजिऊण जीवत्तं । एए पंच वि भावा, परूविआ सवगुणठाणे ॥ २७ ॥
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
અર્થ:—( ચશ્મે ) અંતના છેલ્લા (હુઅનુળતાને ) એ ગુણુઠાણું ( મળ્યાં જ્ઞિળ ) ભવ્યત્વ વર્જીને (નવત્ત ) એક જીવત્વ પારિણામિકભાવે હાય. ( C પંચવિ માવા ) એ રીતે આ પાંચે ભાવ ( સમુળટાળે ) સર્વ ગુણુઠાણે ( જ્ઞવિલા ) પ્રરૂપ્યા કહ્યા. ૨૭.
ર
વિવેચનઃ—પ્રથમના મિથ્યાત્વ ગુણુઠાણે જીવ્રત્વ, ભવ્ય અને અભવ્યત્વ એ ત્રણે પારિણામિકભાવ હાય, તથા બીજા સાસ્વાદન ગુણુઠાણાથી બારમા ક્ષીણુમેાહના અંત સુધી જીવત્વ અને ભવ્યત્વ એ એ ભાવ હાય. મેાક્ષગમનને અયેાગ્ય તેના ભાવ તે અભવ્યત્વ સાસ્વાદને આવનાર તે અવશ્ય ભવ્ય જ હાય માટે અભવ્યત્વ મિથ્યાત્વે જ હાય. છેલ્લા બે ગુણઠાણે ભવ્યત્વ જી ને એક જીવત્વ જ હાય. મેક્ષે જવાને ચાગ્યપણું તે ભવ્યત્વ. અહીં આસન્નસિદ્ધિ હાવાથી એટલે મેાક્ષમાં જવાનુ નજીક હાવાથી અથવા બીજા કાઇ પણ કારણથી છેલ્લા બે ગુણઠાણે ભવ્યત્વ નથી કહ્યું. એ પ્રમાણે મિથ્યાત્વાદિ ચૌદ ગુણઠાણે પાંચે ભાવા તથા તેના ઉત્તરભેદો કહ્યા.
હવે પાંચે ભાવના ઉત્તરભેદોના સરવાળા ચાદે ગુણઠાણે કહે છે:— चउतीसा बत्तीसा, तित्तीसा तह य होइ पणतीसा । चउतीसा तित्तीसा, तीसा सगवीस अडवीसा ॥२८॥ बावीस वीस गुण - वीस तेरस य बारस कमेण । एए अ सन्निवाइअ, भेया सवे य गुणठाणे ॥ २९ ॥
અ:—૧ ચાત્રીશ, ૨ ખત્રીશ, ૩ તેત્રીશ, તેમજ ૪ પાંત્રીશ, ૫ ચેાત્રીશ, ૬ તેત્રીશ, ૭ ત્રીશ, ૮ સતાવીશ, હું અઠાવીશ, ૧૦ ખાવીશ, ૧૧ વીશ, ૧૨ એ ગણીશ, ૧૩ તેર અને ૧૪ ખાર, ( મેળ ) અનુક્રમે (CC X સન્નિવાજ્બ ) એ સન્નિપાતિકના ( મેચા ) ભેદી ( સવ્વ ચ તુળજાળ ) સર્વ ગુણઠાણે જાણવા. ૨૮–૨૯.
વિવેચનઃ—મિથ્યાત્વે બધા થઈને ત્રણ મૂળ ભાવના ( ૩૪ ) ઉત્તરભેદ હાય તે આવી રીતે–યિકના ( ૨૧ ) ભાવ, ક્ષયાપશમિકના દાનાદિ પાંચ લબ્ધિ, પહેલા એ દર્શન, અજ્ઞાનત્રિક એ ( ૧૦ ) ભાવ, પારિામિકના ( ૩ ) ભાવ–સર્વે મળીને (૩૪) ભાવ હાય. સાસ્વાદને (૩૨ ) આવી રીતે-મિથ્યાત્વ વિના દયિકના ( ૨૦ ) ભાવ, ક્ષયાપશમિકના તે જ ( ૧૦ ) ભાવ, પારિણામિકના અભવ્યત્વ વિના ( ૨ ) ભાવ–સ થઈને ( ૩૨ ) ભાવ હાય. મિત્રે ક્ષાયેાપશમિક ભાવે પૂર્વના દશમાં મિશ્ર સમકિત અને અવધિ દર્શીન સહિત કરતાં (૧૨) ભાવ, તેમાં અજ્ઞાનમિશ્રિત જ્ઞાન (૩) સમજવા. આયિક ભાવે અજ્ઞાન વિના (૧૯) ભાવ, પારિણામિકના
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવપ્રકરણ
૮૩ (૨) ભાવ–સર્વ થઈને (૩૩) ભાવે હોય. અવિરતએ ઉપશમભાવનું સમ્યક્ત્વ ૧, ક્ષાયિકભાવનું સમ્યક્ત્વ ૧, લાપશમિકના જ્ઞાન ૩, દર્શન ૩, લબ્ધિ ૫ અને સમ્યક્ત્વ એ (૧૨) ભાવ, ઔદયિકના પૂર્વે કા તે (૧૯) ભાવ, પરિણુમિકના (૨) ભાવ-સર્વ મળીને ( ૩૫ ) ભાવ હોય. દેશવિરતિએ ઉપશમભાવનું ૧ સમ્યક્ત્વ, ક્ષાયિક ભાવનું ૧ સભ્યત્વ, પથમિક ભાવના બારમાં દેશવિરતિ સહિત કરતાં (૧૩) ભાવ, ઔદયિકના ઓગણીશમાંથી નરકગતિ, દેવગતિ વિના (૧૭) ભાવ, પરિણામિકના (૨) ભાવ-સર્વ થઈને (૩૪) ભાવ હોય. પ્રમત્તે ઉપશમભાવનું સમ્યક્ત્વ, ક્ષાયિકભાવનું સમ્યકત્વ, ક્ષાપશમિક ભાવે પૂર્વના તેરમાંથી દેશવિરતિ રહિત અને સર્વવિરતિ સહિત કરતાં અને મન:પર્યવજ્ઞાન નાખતાં (૧૪) ભાવ, ઔદયિક ભાવે પૂર્વના સત્તરમાંથી તિર્યંચગતિ અને અસંયમ વિના (૧૫) ભાવ, પરિણામિક ભાવે (૨) ભાવ-સર્વ થઈને (૩૩) ભાવ હોય. અપ્રમત્તે ઉપશમભાવનું ૧ સભ્યત્વ, ક્ષાયિક ભાવનું ૧ સમ્યકત્વ, ક્ષાપશમિક ભાવે એ જ (૧૪) ભાવ, ઔદયિક ભાવે પૂર્વના પંદરમાંથી પેલી ત્રણ લેશ્યા વિના (૧૨) ભાવ, પરિણામિકના (૨) ભાવ-સર્વે થઈને (૩૦) ભાવ હાય. અપૂર્વે ઉપશમભાવનું સમ્યકત્વ, ક્ષાયિકભાવનું સમ્યકત્વ, ક્ષપશમ ભાવે ક્ષપશમ સમ્યક્ત્વ વિના (૧૩) ભાવ, ઔદયિક ભાવે પૂર્વના બારમાંથી તેજે અને પદ્મશ્યા વિના (૧૦) ભાવ, પરિણામિકના ( ૨ ) ભાવ–સર્વ થઈને ( ર૭ ) ભાવ હોય. અનિવૃત્તિબાદરે ઉપશમભાવનું સમ્યકૃત્વ અને ચારિત્ર (૨) ભાવ, ક્ષાયિક ભાવનું ૧ સમ્યક્ત્વ, ક્ષપશમ ભાવે પૂર્વના ( ૧૩ ) ભાવ, ઔદયિક ભાવે તે જ (૧૦) ભાવ, પરિણામિક ભાવે (૨) ભાવ-સર્વ થઈને (૨૮) ભાવ હાય. દશમાં સૂક્ષ્મસંપાયે ઉપશમ ભાવનું સમ્યક્ત્વ અને ચારિત્ર, ક્ષાયિક ભાવનું સમ્યકત્વ, પશમ ભાવે પૂર્વના (૧૩) ભાવ, ઔદયિક ભાવે અસિદ્ધત્વ, શુકલ વેશ્યા, સંજવલન લેભ, અને ૧ મનુષ્યગતિ એ (૪) ભાવ, પરિણામિકના (૨) ભાવ–સર્વ થઈને (૨૨) ભાવ હોય. અગિયારમાં ઉપશાંત મેહે ઉપશમ ભાવના (૨) ભાવ, ક્ષાયિક ભાવને (૧) ભાવ, ક્ષાયોપથમિક ભાવે પૂર્વના તેરમાંથી ક્ષાપશમિક ચારિત્ર વિના (૧૨) ભાવ, ઔદયિક ભાવે સંજવલન લાભ વિના (૩) ભાવ, પારિણુમિકભાવે (૨) ભાવ-સર્વ થઈને (૨૦) ભાવ હાય. ક્ષીણમેહે ઉપશમ ભાવના બે ભાવ રહિત ક્ષાયિક ભાવનું સમ્યકત્વ અને ચારિત્ર એ બે. પશમભાવે તેજ (૧૨) ભાવ, ઔદયિકભાવે તે જ (૩) ભાવ, પરિણામિક ભાવે (૨) ભાવ-સર્વે થઈને (૧૯) ભાવ હોય. સગીએ ક્ષાપશમિકભાવ વિના, ક્ષાર્થિક ભાવની દાનાદિ પાંચ લબ્ધિઓ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ અને ચારિત્ર એ (૯) ભાવ, ઔદયિકના (૩) ભાવ, પરિણામિકભાવે ભવ્યત્વ વઈને એક જીવત્વ–સર્વ થઈને (૧૩) ભાવ હોય. અયોગી ગુણઠાણે ક્ષાયિક ભાવના (૯) ભાવ, ઔદયિક ભાવના શુકલ લેશ્યા વિના અસિદ્ધત્વ અને મનુષ્યગતિ (૨) ભાવ, પરિણામિકભાવે (૧) ભવ્યત્વ-સર્વ થઈને (૧૨) ભાવ હોય.
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
ગુણઠાણે પાંચ ભાવના ઉત્તરભેદન યંત્ર,
ગુણસ્થાન સંખ્યા
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧૧૨ ૧૩ ૧૪
(
ગુણસ્થાનનું નામ |
ಸರ್
สี
ક્ષાપશમિક ભેદ ૧૦૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૪૧૩૧૩૧૩૧૨૧૨ ૦૦
દયિક ભેદ ૨૧ ૨૦ ૧૯૯૧૭૧૫૧૨૧૦૧ ૪૩ ૩૩ ક્ષાયિક ભેદ • • • ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨૯
પથમિક ભેદ - ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ - પરિણામિક ભેદ || ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૧/૧ | સાનિયાતિક ભેદ જ કરઢ કપટને લક કાર ખર૮૨૨૨૦૧૯૧૩૧૩ सिरि आणंदविमलसूरि, सुसिस्सेण विजयविमलेण । लिहियं पगरणमेयं, रम्माओ पुत्वगंथाओ ॥ ३०॥
અર્થ – સિરિ) શ્રી (સાવિમરુરિ) આણંદવિમલસૂરિ, (મુસિત્તેજ) તેમના સુશિષ્ય (વિષાવિકor ) વિજયવિમલ મહારાજે, (મો) રમ્ય એવા (પુથા ) પૂર્વ ગ્રન્થમાંથી ઉદ્ધરીને (grળમેથે ) આ ભાવપ્રકરણ (ત્રિદ્ધિ) લખ્યું છે-બનાવ્યું છે. ૩૦
गुण नयन रसेन्दु मिते(१६२३), वर्षे पौषे च कृष्णपञ्चम्याम् । अवचूर्णिः प्रकटार्था, विहितेयं विजयविमलेन ॥ १॥
અર્થ –() ત્રણ (77) બે () છ (દુ) એક એટલે (૧૯૨૩) ( ૪) વર્ષે ( 7) પોષ માસની (suríવમ્) અંધારી પાંચમને દિવસે ( gયં નવ ) આ ભાવ પ્રકરણની અવણિ (વિદાર્થ) પ્રકટ અર્થવાળી (વિનાવિન્ટેન) વિવિમલે (વિદિતા) લખી છે.
समाप्तमिदं श्री विजयविमलविरचितं,
भावप्रकरणम्
68 ooooooooooooooooooooooooooooo૦૦૦૦૦૦૦૦૦૦૦
૦eos ooooooooooooooo
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #98
--------------------------------------------------------------------------
________________
(
1
1
COTOT
चित
:
-oooo
9 ક ક પરેndhીજીવન ક કo
श्री विचारसप्ततिका प्रकरण (મૂળ તથા ભાષાંતર યુકત )
ooo
ons...."
ooo
(C T
S વિશ્વની સ્થિતિને વિચાર કરનાર શ્રી સર્વજ્ઞ જિનેશ્વરને નમસ્કાર કરીને હું આ વિચારસરૂતિકા (સીત્તરી) નામના ગ્રંથને કાંઈક સંક્ષેપથી અર્થ કહું છું.
આ સર્વજ્ઞપ્રણીત પ્રવચન(આગમ)ને વિષે અનેક વિચારો રહેલા છે, પરંતુ અહીં (આ ગ્રંથમાં) અચળગ૭ના શૃંગારના હારરૂપ શ્રી મહેન્દ્રસિંહ નામના સૂરીશ્વરે બાર વિચારોનો સંગ્રહ કર્યો છે તે બારેના નામ માટે પ્રથમ દ્વાર ગાથા કહે છે –
पडिमा मिच्छी कोडी, चेइअ पासीय रविकरप्पसरो। पजत्ति किन्ह वलया, नंदी गिहिकिरिअ गुणठाणा ॥१॥
અર્થ:-(રમા) પ્રતિમા એટલે શાશ્વતી પ્રતિમાઓની સંખ્યાને વિચાર ૧, (મિચ્છા) મિચ્છા-ઇયોપથિકના મિથ્યાદુકૃતની સંખ્યાને વિચાર ૨, (જોડી). કટિ-કેટિશિલાના સ્વરૂપનો વિચાર ૩, (૨૪) ચૈત્ય-શાશ્વતા સિદ્ધાયતની સંખ્યાને વિચાર ૪, (પ્રાણાય) પ્રાસાદ-દેવાના વિમાનના આકારને વિચાર ૫, (વિજcuત્તે ) છ દિશાઓમાં સૂર્યના કિરણે કેટલા પ્રસરે છે તેનો વિચાર ૬, (vsir) પર્યાપ્તિ-દારિક, વૈકિય અને આહારક એ ત્રણે શરીરને આશ્રીને છ પતિઓને વિચાર ૭, (વિન્દ) કૃષ્ણ-પાંચમા સ્વર્ગમાં રહેલી કૃષ્ણરાજીને વિચાર ૮, (વટવા) વલય-વલયાકારે રહેલા માનુષેત્તર, કુંડળ અને
ચક નામના ત્રણ પર્વતને વિચાર ૯, (નવી) નંદી–નંદીશ્વર નામના આઠમા દ્વીપનો વિચાર ૧૦ (નિિિરિક) ગૃહિક્રિયા-શ્રાવકની ધર્મક્રિયાની વક્તવ્યતા સંબંધી વિચાર ૧૧, (ગુદા) તથા ગુણસ્થાન-વૈદે ગુણસ્થાનકોને વિચાર. ૧૨. (૧)
આ બાર દ્વાનો વિચાર આ વિચારસતિકા નામના ગ્રંથમાં કર્યો છે. તેમાં પહેલું પ્રતિમા દ્વાર કહે છે –
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ. उसभाईजिणपडिम, इक्कं पि न्हवंतपूअयंतेहिं । चिंतेअवं एयं, भव्वेहिं विवेगमंतेहिं ॥२॥
અર્થ:-- વિ )િ વિવેકી (માર્દિ) ભવ્ય જીએ (કલમ) ઋષભાદિક (નિ) અનેક જિનેશ્વરની ( ) પ્રતિમામાંથી ( ) કેઈ પણ એક જિનપ્રતિમાનું (વંત) સ્નાત્ર કરતાં (પૂર્વાર્દિ) તથા પૂજન કરતાં (ાથે ) આ પ્રમાણે (વધું) વિચાર કરવો. ૨.
જે વિચાર કરવાનું છે તે નીચેની પાંચ ગાથાવડે કહે છે – भवणवइ भवणेसु, कप्पाइ विमाण तह महीवलए । सासयपडिमा पनरस-कोडिसय बिचत्तकोडीओ ॥३॥ पणपन्नलख्ख पणवीस-सहसा पंच य सयाइं चालीसा। तह वणजोइसुरेसु, सासयपडिमा पुण असंखा ॥ ४ ॥
અર્થ—(મવMવર ) ભવનપતિના (અવકુ) ભવનને વિષે અધેલકમાં, (જળ્યા વિના ) કલ્પાદિક વિમાનને વિષે-ઊર્વલોકમાં, (તદ) તથા (મહાવ૮૫) મહીવલય એટલે તિવ્હલેકને વિષે ( સાવલિમાં ) શાશ્વતી પ્રતિમાઓ (ઉનલોડિર) પનરસો કોડ એટલે પંદર અબજ, (વિવરકી) બેતાલીશ કરોડ, (પાપક્ષ૮ર૩) પંચાવન લાખ, (TUવરદા ) પચીશ હજાર, (પત્ર
રયા વાઢીલા) પાંચ સે ને ચાલીશ ( ૧૫૪૨૫૫૨૫૫૪૦ ) છે, તથા (વારસુલુ) વ્યંતર અને તિષિના ભુવનને વિષે ( પુખ અસંવા) અસંખ્ય શાશ્વતી પ્રતિમાઓ છે, કારણ કે તેમના નિવાસસ્થાને જ અસંખ્યાતા છે. ૩-૪.
આ વિષે બીજા ગ્રંથમાં ( જગચિંતામણિ વિગેરેમાં) વ્યંતર ને તિષિ સિવાયના બીજા સ્થળની શાશ્વતી પ્રતિમાઓ પંદરસો કરેડ ( પંદર અબજ), બેતાલીશ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર ને એંશી ( ૧૫૪૨૫૮૩૬૦૮૦) કહી છે.
( આ બે સંખ્યાના ફેરફારનું કારણ નેટમાં જણાવેલ છે. )
૧ આ સંખ્યામાં ફેરફારનું કારણ આ પ્રકરણના જ ચેથા દ્વારમાં શાશ્વત ચિત્યની સંખ્યામાં તિછલકમાં માત્ર ૫૧૧ ચૈત્યો જ લખ્યા છે, તે છે. તિર્થાલેકમાં શાશ્વત ચૈત્ય ૩૨૫૯ કહેલ છે, પરંતુ તેમાં ૫૪૩ નિર્ણત છે ને બાકીના ૨૭૧૬ સંદિગ્ધ છે. નિર્ણત ૫૪૩ માં પણ અન્યત્ર કરેલા કથનને આધારે આ પ્રકરણકારે નંદીશ્વરદીપના ૩૨ રતિકાર
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૭
શ્રી વિચારસરૂતિકા પ્રકરણ
હવે અશાશ્વતી પ્રતિમાઓ કહે છે– तह चेव जंबूदीवे, धायइसंडे य पुरकरद्धे अ। भरहेरवयविदेहे, गामागरनगरमाईसुं ॥५॥ सुरमणुएहिं कयाओ, चेइअंगिहचेइएसुं जा पडिमा। उक्कोस पंचधणुसय, जाव य अंगुठपवसमा ॥ ६ ॥ बहुकोडिकोडिलख्खा, ता उ चिय भावओ अहं सवा । તમાં વિય , મિ દૂમિ જ્ઞામિ ૭૫ .
અર્થ–(ત૬) તથા (4) નિચે (iqવી) જમ્બુદ્વીપને વિષે, (ધાવિંટેજ) ધાતકીખંડને વિષે () પુષ્કરાઈને વિષે આવેલા (મરવા) ભરત, ઐરાવત ને (વિ) મહાવિદેહ ક્ષેત્રને વિષે તથા (જામ) ગ્રામને વિષે, (આજ) ખાણોને વિષે અને (નામકુ) નગરાદિકને વિષે (વિદ્યુમ્માલી દેવતાએ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા બનાવી હતી તેવી તથા (મgrfé ચાવો) ભરતચકી વિગેરે મનુષ્યોએ કરા વેલી અષ્ટાપદ પર્વત વિગેરે પર રહેલી ચોવીશ તીર્થકરોની પ્રતિમાઓની જેમ તથા કેટલાક શ્રાવકોએ કરાવેલા (૪) દેહરાઓને વિષે રહેલી અને (
નિરૂપણું) કેટલીક ઉપર ચૈત્ય નહીં ગણીને ૫૧૧ ચૈત્ય જ લખ્યા છે. તે ૫૧૧ પિકી નંદીશ્વરના ૨૦, કુંડળના ૪ ને ચકના ૪ કુલ ૨૮ ચેત્યો ચાર દ્વારવાળા હોવાથી તેમાં ૧૨૪ પ્રતિમા છે તેથી તેમાં પ્રતિમા ૩૪૨, અને બાકીના ૪૮૩ ચો ત્રણ ધારવાળા હોવાથી તે દરેકમાં ૧૨૦ પ્રતિમા છે તેથી તેની પ્રતિમા પ૭૯૬૦ મળી કુલ પ્રતિમા ૬૧૪૩૨ થાય છે. તિથ્વીલોકના ૩૨૫૯ ચેત્યોની પ્રતિમા ૩૯૧૩૨૦ કહેલ છે. તે હિસાબે ૩૨૮૮૮૮ ઓછી થવી જોઈએ, પણ કર્તાએ બતાવેલી સંખ્યાનો જગચિતામણિની સંખ્યા સાથે વિશ્લેષ કરતાં ૩૧૦૫૪૦ ઘટે છે. આ રીતે ૧૯૩૪૮ નો જિનબિંબની સંખ્યામાં વધારો રહે છે તે સંબંધી વિચાર કરતાં એમ સંભવે છે કે નવ રૈવેયક ને પાંચ અનુત્તર વિમાનમાં મળીને ૩૨૩ ચૈત્યોમાં ૧૨૦ ને બદલે ૧૮૦ માનેલ હોય તે ૩૨૩ ને ૬૦ વડે ગુણતાં ૧૯૩૮૦ જિનબિંબ વધે. ત્યારે વળી ૩૨ નો ફેર રહે તેને માટે ચક ને કુંડળ દ્વીપના ૮ ચિત્યમાં ૧૨૪ ને બદલે ૧૨૦ ગણેલ હોય તે એ ફેર રહે નહીં. એ રીતે પ્રકરણકારને હિસાબે નીચે પ્રમાણે ત્રણ લોકમાં જિનબિબે સમજવા.
૧૫૨૯૪૬૪૧૪ઊર્ધ્વલોકમાં ચૈત્ય ૮૪૯૭૦૨૩ માં બિંબ ૧૮૦ પ્રમાણે ૧૩૮૯૬૦૦૦૦૦૦ અધોલોકમાં ચૈત્ય ૭૭૨૦૦૦૦૦ માં બિબ ૧૮૦ પ્રમાણે
૬૧૪૦૦ સ્કિલેકમાં ૨૦માં ૧૨૪=૨૪૮૦ અને ૪૯૧ માં ૧૨૦ પ્રમાણે ૧૫૪૨૫૫૨૫૫૪૦ કુલ જિનબિંબ થાય. ' બિબ ૫૮૯૨૦ કુલ ૬૧૪૦૦
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ ગૃહસૈને એટલે ઘર-દેરાસરને વિષે રહેલી એમ (જ્ઞા કt) જે જે જિનપ્રતિમાઓ છે, તેઓના દેહનું પ્રમાણ (૩ ) ઉત્કૃષ્ટથી (વંધપુરા) પાંચ સો ધનુષનું અને જઘન્યથી (કાવ જ અંગુઠ્ઠમા ) યાવત્ અંગુષ્ઠના પર્વ જેટલું હોય છે. તે અશાશ્વતી પ્રતિમાઓ ( વહુવિવિ૮૯ ) ઘણું લાખ કટિ કોટિ છે. ( તા) તે (૩) તથા પૂર્વે કહેલી શાશ્વતી પ્રતિમાઓ, (ર) તે સર્વને ( ૬ ) હું (વિ) નિશ્ચ (માવો) ભાવથી (સમi) સમકાળે જ (ઉપમાજિ) મસ્તકવડે પ્રણામ કરું છું, ( શિ) સુગંધી જળવડે સ્નાન કરાવું છું, (ભૂમિ) ચંદન અને પુષ્પાદિકવડે પૂજા કરું છું ( ક્ષાપરિ ) તથા મનવડે ધ્યાન કરું છું. એ પ્રમાણે ચિતવવું. પ, ૬, ૭. ઈતિ પ્રથમ પ્રતિમાદ્વાર. હવે ઈર્યાપથિકી મિથ્યાદુકૃત નામનું બીજું દ્વાર કહે છે – चउदसपय अडचत्ता, तिगहिअतिसइ सयं च अडनउअं। चउगइ दसगुण मिच्छा, पण सहसा छ सय तीसा य ॥८॥
અર્થ –(ચક્રપા) નરકને વિષે જીવના વૈદ પદ-ભેદ, (મારા) તિર્યંચને વિષે અડતાળીશ ભેદ, તિદિતિરફ) મનુષ્યને વિષે ત્રણ સો ને ત્રણ ભેદ તથા (રઘં મરના) દેવતાઓને વિષે એકસો અઠ્ઠાણ ભેદ-એ પ્રમાણે ( T૪) ચારે ગતિમાં ઉત્પન્ન થતા જીવોના કુલ પાંચસો ને ત્રેસઠ (પ૬૩) ભેદે છે. તેને ઈર્યાપથિકી દંડકની સાતમી સંપદામાં કહેલા અભિહતા વિગેરે (સરવાળા ) દસ પવડે ગુણવાથી (ઉ તા) પાંચ હજાર ( ર તા ૨) છસો ને ત્રીશ (૫૬૩૦) (મિઝા ) મિથ્યા દુકૃતના સંક્ષેપથી ભેદ કહેલા છે. ૮
એ પ્રમાણેના છવભેદ શી રીતે થાય છે તે વિસ્તારથી કહે છે – नेरइआ सत्तविहा, पजत्तापज्जत्तणेण चउदसहा । अडचत्ताइ संखा, तिरिनरदेवाण पुण एवं ॥ ९ ॥
અર્થ -(સત્તવિા) રત્નપ્રભા પૃથ્વી આદિ સાત ભેદે કરીને (નેગા) નારકીઓ સાત પ્રકારના છે, તેઓ (પગાર) પયોત અને અપયોત એવા બે ભેદવાળા હોવાથી (ડા ) ચાર પ્રકારના થાય છે. (પુ) તથા (તિરિ, તિર્યંચ, (7) નર અને (સેવા) દેના () અડતાળીશ વિગેરે ભેદની (1) જે સંખ્યા કહી છે તે (vi) આ પ્રમાણે થાય છે. ૯.
भूदग्गिवाउणंता, वीसं सेसतरु विगल अद्वैव । गब्भेयर पज्जेयर, जल थल नह उर भुआ वीसं ॥१०॥
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ અર્થ –(મૂાવાડviતા) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને સાધારણ વનસ્પતિકાય સૂક્ષ્મ ને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ (વર્ષ) વીશ ભેદ થાય. (૩) બાકીના (ત) પ્રત્યેક વનસ્પતિકાય, (વિવઢ) વિકલેંદ્રિયબેઇદ્રિય, તેઇદ્રિય, ચરિંદ્રિય-તે ચારે પર્યાપ્ત ને અપર્યાપ્ત મળી () આઠ ભેદ થાય. (ગસ્ટ ઘટ્ટ 7 7 મુબા) જળચર, સ્થળચર, બેચર, ઉર પરિસર્ષ અને ભુજપરિસર્પ એ પાચેને ( ૪) ગર્ભજ ને સંમૂછિમ તથા (પથર) પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ચારે ગુણતાં (ર) વીશ ભેદ થાય—એ સર્વે મળીને તિર્યંચના અડતાળીશ ભેદ થાય છે. ૧૦.
હવે મનુષ્યના ભેદ કહે છેपनरस तीस छपन्ना, कम्माकम्मा तहंतरद्दीवा। गब्भा पज्ज अपज्जा, समुच्छ अपजा तिसय तिन्नि ॥११॥
અર્થ –(નાણ) પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ-એ પંદર (%) કર્મભૂમિના મનુષ્ય તથા (તીર) ભારત અને ઐરાવતની વચ્ચે રહેલા પાંચ હેમવંત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફ, પાંચ હરણ્યવંત, પાંચ દેવમુરુ અને પાંચ ઉત્તરકુરુ-એ ત્રીશ ( Mt) અકર્મભૂમિના મનુષ્ય, (તદ) તથા (સંતદ્દીવા) ક્ષુદ્રહિમવંત ને શિખરી પર્વતના પર્યત ભાગે પૂર્વ કે પશ્ચિમ તરફ હાથીના દાંતને આકારે બબ્બે દાઢાએ નીકળીને લવણસમુદ્રમાં ગયેલી છે. તે દાઢાઓ કુલ આઠ છે, તે દરેક દાઢાઓ ઉપર સાત સાત અંતરદ્વીપ છે, ત્યાં યુગલિયા મનુષ્યો થાય છે તે ( છપન્ના) છપ્પન અંતરદ્વીપો કહેવાય છે. તે પંદર, ત્રિીશ અને છપ્પને મળીને એક સો ને એક ક્ષેત્રમાં (જન્મ) ગર્ભજ મનુષ્ય થાય છે. તેના ( પગ લપકા) પર્યાપ્ત અને અપર્યાપ્તા એમ બે બે ભેદ ગણતાં બસ ને બે ભેદ થયા તથા (રમુજી) એક સે ને એક ક્ષેત્રને વિષે સંભૂમિ મનુષ્પો ઉપજે છે, તે ( અપના) અપર્યાપ્ત જ હોય છે, તે ભેળવતાં ( તિવય જિ ) સર્વ મળીને ત્રણ સો ને ત્રણ ભેદ મનુષ્યના થાય છે. ૧૧.
હવે દેવતાઓના ભેદો કહે છે– भवणा परमा जंभय, वणयर दस पनर दस य सोलसगं । गइ ठिइ जोइस दसगं, किव्विस तिग नव य लोगंता ॥१२॥ कप्पा गेविजणुत्तर, बारस नव पण पजत्तमपजत्ता । अडनउअ सयं अभिहय-वत्तियमाइहि दसगुणिआ ॥ १३ ॥
૧૨
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
मर्थ:-(भवणा दस ) ४सुवनपति, ( परमा पनर ) ५४२ ५२माधार्मिर, ( जंभय दस ) ४२ तियन्म , ( वणयर सोलसंग ) व्यत ने पाव्यत२ भणीन सण, (गइ ठिद्द ) गति, स्थिति अथवा य२ मने स्थिर भणीने (जोइस दसगं) ४प्रान ज्योति ४, (किविस तिग) दिषि, (नव य लोगंता) aliति, ( कप्पा बारस ) ॥२ पसा, (गेविज नव ) नप अवेय: मन ( अणुत्तर पण ) पांय अनुत्तर विमानना ।-से सर्व भणीने नवार ५योता ने नवा मपयोता भणी ( अडनउअ सयं) मे सोने म हो દેના થાય છે. એ પ્રમાણે ચારે ગતિના મળીને પાંચસો ને ત્રેસઠ ભેદ થાય છે. तन (अभिहयवत्तियमाइहिं ) ते सर्वन मलिडत, पतित माह (दसगुणिआ) દશ પદવડે ગુણવાથી જે સંખ્યા થાય છે તે નીચેની ગાથામાં કહે છે. ૧૨-૧૩.
अभिहयपयाइ दहगुण, पण सहसा छ सय तीसई भेआ। ते रागदोस दुगुणा, इकारस सहस दोसया सट्ठी ॥ १४ ॥
मथ:-७५२ ४ा पांच सौ तेस: सहाने ( अभिहयपयाइ ) भनित विगेरे ( दहगुण ) ४० ५४५3 गुणवाया (पण सहसा ) in M२ (छ सय तीसई मेआ) से नेत्री० ले थाय छे. (ते रागदोस ) तने राग-द्वेष सेम (दुगुणा) मे सारे गुणवाथी ( इक्कारस सहस दोसया सट्ठी) २०ीमार १२ બસો ને સાઠ ભેદ થાય છે. ૧૪. मणवयकाए गुणिआ, तित्तीस सहस्स सत्तसयसीया। करकारणानुमइए, लख्खं सहसो तिसय चाला ॥ १५ ॥
मर्थ:-ते (११२६० ) ने ( मणवयकाए ) भन, क्यन मने यावडे (गुणिआ) गुगुवाथी (तित्तीस सहस्स) तेत्राश M२ ( सत्तसयसीया ) सात से ने 20 ( 33७८० ) मे थाय छे. करकारणानुमइए ) तेने ५५ ४२, ४२राव भने अनुभाहले १४ ४२६४वडे शुगुवाथी (लख्खं सहसो तिसय चाला ) मे साम, मे SM२ ऋण सोन यागीश ( १०१३४० ) मेह थाय छे. १५. कालतिगेणं गुणिआ, ति लख्ख चउ सहस्स वीसमहिआ य । अरिहंतसिद्धसाहु-देवयगुरुंअप्पसख्खीहिं ॥ १६ ॥ अट्ठारस लख्खाई, चउवीस सहस्स एगवीसहिआ। इरिआमिच्छादुक्कड-पमाणमेअं सुए भणियं ॥१७॥
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ
૯૧
અર્થ:—તે ( ૧૦૧૩૪૦ ) ને ( જાતિનનું ) ત્રણ કાળવડે એટલે અતીત કાળ સંબંધી પાપને નિંદુ છું, અનાગત-ભવિષ્યકાળ સંબંધી પ્રત્યાખ્યાન કરું છું અને વર્તમાનકાળ આશ્રી સરું છું. એમ અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણ કાળવડે ( મુનિત્રા) ગુણવાથી (તિ હલ્લ ૨૩ સટ્ટમ્સ) ત્રણ લાખ, ચાર હજાર ( વીલદિમ ચ ને વીસ ( ૩૦૪૦૨૦ ) ભેદ થાય છે. તેને ( અરિહંત સિદ્ધ સાદુ ) અરિહંત, સિદ્ધ, સાધુ, ( રેય ગુહ પ્રવસથ્વીäિ) સમ્યગ્દષ્ટિ ઇંદ્રાદિક દેવા, ગુરુ અને આત્માની સાક્ષીરૂપ છએ ગુણવાથી (ઢ્ઢાલ હલ્લા) અઢાર લાખ ( ચડવીસ સદ્દસ વીસદ્દિા) ચાવીશ હજાર, એક સેા ને વીશ (૧૮૨૪૧૨૦) ભેદ થાય છે ( × ) આ પ્રમાણે ( રૂTMિ ) ઇર્યોપથિકીના (મિચ્છાનુns ) મિથ્યાદુષ્કૃતનું ( પમાñ ) પ્રમાણ ( સુ મળિયં ) શ્રુતમાં કહેલું છે. કોઇ ઠેકાણે આભાગ અને અનાભાગરૂપ બેએ ગુણીને છત્રીશ લાખ, અડતાલીશ હજાર, બસે ને ચાળીશ (૩૬૪૮૨૪૦) ભેદો કહેલા છે. ૧૬–૧૭.
( કૃતિ મિથ્યાદુષ્કૃતઢારમ્ | ૨ || ) હવે કેટિશિલા નામનુ ત્રીજું દ્વાર કહે છે.— जोयणपिहुलायामा, दसन्नपव्वयसमीवकोडिसिला । નિળછતિસ્થતિન્દ્રા, તત્ત્વ ગળેગા ૩ મુળજોડી ॥૮॥
અર્થ:—( જ્ઞોયળવદુલ્હાવામા ) ઉત્સેધ અગુલના માપથી એક યેાજન પહેાળી, એક ચેાજન લાંબી અને એક ચેાજન ઉંચી ( જાડી ) ( ોડિસિલા ) કેટિશિલા નામની ગેાળ શિલા ભરતક્ષેત્રના મધ્યખંડમાં મગધદેશને વિષે (સન્નવધયસમીન ) દશાણુ પર્વતની સમીપે છે. તે કેટિશિલા ઉપર ( જ્ઞળછન્ન ) શ્રી શાંતિનાથ જિનેશ્વરથી મારભીને છ તીર્થંકરાના ( તિત્ત્વ ) તીર્થના ( તથ અળેના ૩.મુળિોહી) ત્યાં અનેક કરડે! મુનિએ ( સિદ્ધા ) સિદ્ધ થયા છે. ૧૮.
શી રીતે સિદ્ધ થયા છે ? તે કહે છે:—
पढमं संतिगणहर-चक्काउहणेगसाहुपरियरिओ । बत्तीसजुगेहिं तओ, सिद्धा संखिज्जमुणिकोडी ॥ १९ ॥
અ:—કાટિશિલા પર (પઢમં અંતિ૪) પ્રથમ શ્રી શાંતિનાથ જિનેશ્વરના પ્રથમ ગણધર ( વધારTM ) શ્રી ચક્રાયુધ ( અનેરાદુનર્જકો ) અનેક સાધુ સહિત સિદ્ધિપદને પામ્યા છે. ( તો ) ત્યારપછી ( વત્તીત્તજીનેăિ ) બત્રીશ યુગવડે કરીને એટલે તેમની પટ્ટપરંપરામાં બત્રીશ પાટ સુધી ( સંવિજ્ઞમુનિજોડી) સંખ્યાતા કરાડ મુનિએ (સિદ્દા) સિદ્ધ થયા છે. ૧૯.
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૨
પ્રકરણસંગ્રહ. संखिजा मुणिकोडी, अडवीसजुगेहिं कुंथुनाहस्स । अरजिण चउवीसजुगा, बारसकोडीओ सिद्धाओ ॥ २० ॥
અર્થતથા ( યુનારૂ ) શ્રી કુંથુનાથસ્વામીના તીર્થમાં (ગાંધીગુર્દ ) અઠ્ઠાવીશ યુગ (પાટ) સુધીમાં (સંધિ મુજિરાફી ) સંખ્યાતા કરોડ મુનિઓ સિદ્ધ થયા છે. તથા ( અક્ષિણ ) શ્રી અરનાથ જિનેશ્વરના તીર્થમાં (રવીનgs ) ચોવીશ યુગ (પાટ) સુધી (વાપરવાહી) બાર કરોડ મુનિઓ સિદ્ધાળો ) સિદ્ધ થયા છે. ૨૦.
मल्लिस्स वीसजुगा, छ कोडि मुणिसुवयस्स कोडितिगं । नमितित्थे इगकोडी, सिद्धा तेणेव कोडिसिला ॥ २१ ॥
અર્થ --(gિ૪) શ્રી મલ્લિનાથ જિનેશ્વરના તીર્થમાં (વીસનુI ) વીશ યુગ (પાટ ) સુધી ( છ રહિ ) છ કરોડ સાધુઓ સિદ્ધ થયા છે. તથા ( મુgિષ૪ ) શ્રી મુનિસુવ્રત જિનેવરના તીર્થમાં (હિતિ) ત્રણ કરોડ મુનિઓ સિદ્ધ થયા છે. તથા ( નિતિશે ) શ્રી નમિનાથ તીર્થકરના તીર્થમાં ( ફુલાણી ) એક કરોડ મુનિઓ સિદ્ધ થયા છે. (તે સિવાય બીજા પણ ઘણું મુનિએ ત્યાં સિદ્ધ થયા છે ) (તેવ) તેથી કરીને તે શિલા પર કરડે મુનિઓ ( સિદ્ધા) સિદ્ધ થવાથી (હિત્રિા ) તે કોટિશિલા નામે ઓળખાય છે. ૨૧.
હવે તે કોટિશિલા કોણે ને કેટલી ઉંચી ઉપાડી ! તે કહે છે – छत्ते सीसंमि गीवा, वच्छे कुच्छी कडीइ ऊरूसु । जाणू कहमवि जाणू, नीया सा वासुदेवेहि ॥ २२ ॥
અર્થ-નવ વાસુદેવોએ તે શિલા ઉપાડતી વખતે નીચે લખેલા પિતાપિતાના અંગ સુધી આણી હતી. પહેલા ત્રિપૃષ્ટ વાસુદેવે તે શિલા વામ હસ્તે ઉપાડીને મસ્તકથી ઉંચે (જી) છત્રને સ્થાને રાખી હતી. બીજા દ્વિપૃષ્ટ વાસુદેવે તે જ રીતે ઉપાડીને (સીરિ) મસ્તક સુધી આણ હતી. ત્રીજા સ્વયંભૂ વાસુદેવે તે જ રીતે ઉપાડીને (નવા) ડોક સુધી આણું હતી. ચોથા પુરુષોત્તમ વાસુદેવે () વક્ષસ્થળ-હૃદય સુધી આણી હતી. પાંચમાં પુરુષસિંહ વાસુદેવે (શુછી). ઉદર સુધી આણી હતી. છઠ્ઠા પુરુષપુંડરીક વાસુદેવે ( રાહ ) કટીબાગ સુધી આણી હતી. સાતમા દત્ત નામના વાસુદેવે ( યુ ) સાથળ સુધી આણી હતી–આઠમા લક્ષ્મણ વાસુદેવે ( કાળુ ) ઢીંચણ સુધી ઉંચી કરી હતી અને
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસરૂતિકા પ્રકરણ. નવમા કૃષ્ણ વાસુદેવે (દવિ કાળું નીવા સા) જાનથી કાંઈક નીચે સુધી તેને ઉપાડીને ઉંચી કરી હતી. ૨૨.
(તિ ટિશિાાાં સુતી | ૨ ) હવે ચોથું શાશ્વત ત્યદ્વાર કહે છે – इक्कारअहिअपणसय, सासयचेइअ नमामि महिवलए। तीसं वासहरेसु, वेयड्डेसुं च सयरिसयं ॥ २३ ॥
અર્થ –(મહિવા) પૃથ્વી વલયમાં-તિર્યકમાં રહેલા (રહિમgણા) પાંચ સો ને અગ્યાર (સાસા ૩) શાશ્વત જૈને (નમામિ) હું વંદના કરું છું. (ઊર્ધલેકમાં જે ૮૪૭૦૨૩ ચૈત્ય તથા અધોલોકમાં ૭૭૨૦૦૦૦૦ ચિત્ય તથા વ્યંતર અને તિષ્કને વિષે અસંખ્યાતા ચ શાશ્વતા છે. તે અન્ય ગ્રંથોમાં સ્પષ્ટ રીતે કહ્યા છે ત્યાંથી જાણવા. અહીં તો તિર્યલોકમાં રહેલા ચૈત્યેના સ્થાનકેની જ વિવક્ષા કરી છે. ) તે આ પ્રમાણે –(તીરં વાર
g ) ત્રીશ વર્ષધર પર્વત ઉપર ત્રીશ ચૈત્ય છે, કારણ કે દરેક પર્વત ઉપર એકએક ચૈત્ય છે. () તથા (વેસુ ) ૧૭૦ દીર્ઘવૈતાઢ્ય પર્વતો પર ( ) એક સે ને સીતેર શાશ્વત ચઢ્યો છે. ૨૩. તથા
वीसं गयदंतेसुं, कुरुदुमदसगे तहेव नउई अ। वख्खारगिरिसु असिई, पणसीई मेरुपणगंमि ॥ २४ ॥
અર્થ -(વસં જાણું) ૨૦ ગજદંત પર્વત ઉપર વીશ ચેત્યો છે, (દેવ) તથા (કુટુમો ) દેવકુ, ઉત્તરકુરુમાં રહેલા જબૂવૃક્ષાદિક દશ વૃક્ષો પર (ન અ) નેવું ચિત્ય છે તે આ પ્રમાણે–એ વૃક્ષના મધ્યની ઊર્વ શાખા પર એક અને તે વૃક્ષની દિશાઓ તથા વિદિશાઓ મળી આઠ બાજુએ રહેલા આઠ ફૂટની ઉપર એક એક ચિત્ય હોવાથી દરેક વૃક્ષે નવ નવ ચેત્યો થયા, તેથી દશ વૃક્ષના નેવું ચે થયા. તથા પાંચ મહાવિદેહમાં રહેલા (વહાસુિ ૬િ ) એંશી વક્ષસ્કાર પર્વત પર એંશી ચેત્ય છે તથા (હાઇifમ) પાંચ મેપર્વતના સંબંધના (for ) પંચાશી ચૈત્ય છે. તે આ પ્રમાણે–ચારે વનમાં ચારે દિશાએ એકેક ચિત્ય હોવાથી સોળ અને એક ચિત્ય ચૂલિકા પર હોવાથી દરેક મેરુપર્વતે સતર સતર ચૈત્ય છે; તેથી પાંચ મેરુ પર્વતના મળીને પંચાશી ચેત્યો છે. ૨૪.
૧. તિછલકમાં નિર્ણત ૫૪૩ સિદ્ધાયતને કહ્યા છે, તેમાં નંદીશ્વરપે પર કહ્યા છે. આમાં ૨૦ કહ્યા છે તેથી ૩૨ રતિકરના કમી કરતાં ૫૧૧ થાય છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
૪
પ્રકરણસંગ્રહ.
इसुमणुकुंडलरुअगे, चउ चउ वीसं च नंदिसरदीवे । अडवीस नंदिकुंडलि-रुअगे सयपन्नबासयरी ॥ २५ ॥
અર્થ:—(ન્નુ) ચાર ઇષુકાર ઉપર એકેક અને (મજી) માનુષાત્તર, (ST) કુંડલ અને ( હ્રકાશે ) રુચક-એની ઉપર ( ૨૩ ૨૩) પ્રત્યેકે ચાર ચાર ચા હાવાથી કુલ ૧૬ ચૈત્યેા છે, (૨) અને (સિરીને) નંદીશ્વરદ્વીપમાં (વીસ) વીશ ચૈત્યેા છે. હવે આ ચૈત્યાના ઉચ્ચત્વ વિગેરેનું પ્રમાણ કહે છેઃ— ત્િ ) નદીશ્વરના વીશ અને (કહિરને ) કું ડલ તથા રુચકના આઠ મળી ( અરવીસ ) અઠ્ઠાવીશ ચૈત્યેા પૂર્વ પશ્ચિમ ( સય ) સા યેાજન લાંબા છે. દક્ષિણ ઉત્તર ( પન્ન ) પચાસ ચેાજન પહેાળાં છે, તથા ( વાલયરી ) ખેતર યાજન ઉંચા છે. ૨૫.
હવે તેથી અર્ધા પ્રમાણવાળા કહે છે:—
अट्ठाराहिय दुसई, पन्नद्ध छत्तीस दीहपिहुलुच्चा | माणुसइ सुगयदंत य, वख्खारवा सहर मेरू ॥ २६ ॥
અર્થ:—( માનુસન્નુ) માનુષાત્તરના ચાર, ઇક્ષુકારના ચાર, (વૃંત T) ગજદતાના વીશ, ( વવાર ) વક્ષસ્કારના એશી, ( વાસદર ) વર્ષ ધરના ત્રીશ ( મેહસું ) ચૂલિકા સિવાય પાંચ મેરુપર્વતના ચાર વનના એંશી–એ સર્વ મળીને ( અઠ્ઠાŕદય ટુ‡ ) ખસા ને અઢાર ચૈત્યેા ( પન્ન૬ ) પચાસ ચેાજન ( ટી૪ ) લાંબા, તેથી અર્ધ એટલે પચીશ યાજન ( વિદુષ્ટ ) પહેાળા અને ( છત્તીત્ત ) છત્રીશ યેાજન ( ઉડ્યા ) ઉંચા જાણવા. ૨૬
पणसट्टिअहिअ सयदुग, संपुष्णं कोसमद्ध देसूणं । ટીટ્ટે વિદુ ચત્તે, તુમને પૂજાનું ॥ ૨૭ II
અર્થ:— તુમ ) દશ કુરુક્ષેત્રમાં રહેલા જમ્મૂ આદિ દશ વૃક્ષેાના નેવુ ચૈત્યેા, પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય, ૫ ભરત, ૫ એરવત કુલ ૧૭૦ ક્ષેત્રમાં રહેલા ૧૭૦ ( લેબટ્ટુ ) દીવૈતાઢ્યો ઉપરના એક સા ને સીતેર ચૈત્યેા, તથા ( રૃાસુ ) પાંચ મેરુની ચૂલિકાના પાંચ ચૈત્યા, એ સ મળીને ( પળદિત્તિ ૪ સચતુર્વી ) ખસેા ને પાંસઠ ચૈત્યે ( સંપુખ્ત જોલમદ તેમૂળ ) સંપૂર્ણ એક ગાઉ ( ીત્તે ) લાંબા, અધ ગાઉ ( fપન્નુ ) પહેાળા અને દેશ ઊણ ગાઉ ( ત્તે ) ઉંચા છે. એમ સ મળીને (૨૮-૨૧૮–૨૬૫) તિતિલાકમાં ૫૧૧ શાશ્વત ચૈત્યેા છે. ૨૭.
દેવેન્દ્રસૂરિ વિગેરેએ કરેલા શાશ્વત જિનસ્તાત્રોને વિષે તિર્યં ગ્લાકમાં શાશ્ર્વત
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસતિકા પ્રકરણ. ચિત્ય ૩૨૫૯ કહ્યા છે, તે મતાંતર જાણવું. તે વિષે ( વડા રે ) એ પ્રથમ પદવાળા ક્ષેત્રસમાસમાં કહ્યું છે કે-તિર્યમ્ લેકમાં રહેલા જિનચૈત્યોને માટે વિસંવાદ-ભિન્ન ભિન્ન મત છે, તેનો ખુલાસો ગીતાર્થ જ જાણી શકે છે.
(તિ તૈયાર તુર્થ છે જ. ) હવે પાંચમું પ્રાસાદદ્વાર કહે છે – पासाया ईसाणे, सुहमा सिद्धोववार्य हरए ऑ।। अभिसे अलंकारी, ववसाएँ नंदि बलिपीढं ॥ २८ ॥
અર્થ–દેવતાના (ઘારાવા સાથે યુદ્ધમાં) મૂળ પ્રાસાદાવત સકથી ઇશાનખૂણમાં આસ્થાન સભાની જેવી જિનેરની દાઢા વડે યુક્ત એવા માણુવક ચેત્યખંભાદિકથી યુક્ત સુધર્મા નામની સભા હોય છે ૧. તેની આગળ ઈશાન ખૂણમાં જ (સિદ) સિદ્ધાયતન-જિનગ્રહ હોય છે. ૨. તેની આગળ (૩વવાદ) ઉપપાતસભા હોય છે કે જ્યાં તે તે વિમાનમાં થનારા દેવો ઉત્પન્ન થાય છે ૩. તેની આગળ નિર્મળ જળથી ભરેલા ( દg ) દ્રહ હોય છે, જેમાં દેવતાઓ સ્નાન કરે છે . તેની આગળ (અમિફેમ) અભિષેક સભા હોય છે તેમાં દેવતાઓ પોતપોતાના વિમાનાધિપતિને અભિષેક કરે છે . તેની આગળ ( ) અલંકાર સભા હોય છે, તેમાં અભિષેક થયા પછી આવીને તે દેવોને સ્વામી અલંકાર વિગેરે ધારણ કરે છે . તેની આગળ (વારા) વ્યવસાય સભા હોય છે, ત્યાં આવીને ત્યાં રહેલા શાશ્વત પુસ્તક વાંચી ધાર્મિક વ્યવસાયે ગ્રહણ કરે છે ૭. તેની આગળ (નંતિ) નંદા પુષ્કરિણી (વાવ) હોય છે, તેમાં હાથ-પગ ધોઈને તેમાં ઉગેલા કમળ લઈ જિનભવનમાં આવી ગર્ભગૃહમાં ( ગભારામાં ) રહેલી પાંચસે ધનુષ્યના દેહમાનવાળી એક સો ને આઠ જિનપ્રતિમાઓની સત્તરભેદી આદિ પૂજા, સ્તુતિ, વંદના વિગેરે શકસ્તવ કહેવા પર્યત કરે છે ૮. ત્યારપછી સમગ્ર વિમાનને ચંદનના છાંટા નાંખીને પૂજે છે. પછી નંદાપુષ્કરિણીની આગળ ( જિ૮) બળિપીઠ હોય છે, ત્યાં આવીને બળિ મૂકે છે ૯. દરેક વિમાનમાં આ નવ સ્થાનકે ત્રણ ત્રણ દ્વારવાળા અને મૂળ પ્રાસાદથી ઈશાન ખૂણમાં જ અનુક્રમે રહેલા હોય છે. ૨૮. मुहमंडे पिच्छमंडवे, थूभ चेइ झओों पुख्खरिणी । जम्मुत्तरपुवासुं, जिणभवणसभासु पत्तेअं ॥ २९ ॥
અર્થ: (કુરાપુarg) પશ્ચિમ દિશા સિવાય દક્ષિણ, ઉત્તર અને પૂર્વ દિશામાં એકેક દ્વાર હોય છે, તે ત્રણે દ્વારમાં પ્રવેશ કરતાં પ્રથમ (મુ )
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
મુખમંડપ હોય છે ૧. તેની આગળ (દિકમંડલ) પ્રેક્ષામંડપ હોય છે ૨. તેની આગળ (મ) સ્તૂપ હોય છે, તે સ્તૂપની ઉપર આઠ મંગળ હોય છે, સ્તૂપની ચારે દિશાઓમાં એકેક મણિપીઠ હોય છે, તે દરેક મણિપીઠ ઉપર સ્તૂપની સન્મુખ અનુક્રમે ઋષભ, વર્ધમાન ચંદ્રાનન અને વારિષણ નામની એક એક જિનપ્રતિમા હોય છે ૩. તે સ્તૂપની આગળ ( ગ) ચૈત્યવૃક્ષ હોય છે ૪. તેની આગળ ( ગ) ઇંદ્રધ્વજ હોય છે . તેની આગળ જળથી ભરેલી (પુ ) પુષ્કરિણી હોય છે ૬. આ છ પ્રકાર (સિમવન) જિનભવનને વિષે તથા (તમાકુ) પાંચ સભાઓને વિષે ( જં) પ્રત્યેક પ્રત્યેક દ્વારે હેય છે. જિનભવન તથા સભા વિગેરે નવેનું પ્રમાણ તથા મુખમંડપ વિગેરેનું પ્રમાણ રાજપ્રશ્રીય ઉપાંગ આદિ સૂત્રોથી જાણી લેવું. ૨૯.
હવે મૂળ પ્રાસાદાવત સક કયાં છે? તે કહે છે – ओआरियलयणमि अ, पहुणो पणसीइ हुंति पासाया। तिसय इगचत्त कत्थय, कत्थवि पणसहि तेरसया ॥३०॥
અથ–સંધર્મ વિમાનમાં ચોતરફ પ્રાકાર છે, તે ત્રણસો જન ઉચે છે. મૂળમાં સે જન પહોળો છે, મધ્યમાં પચાસ એજન પહાળે છે અને ઉપરના ભાગમાં પચીશ પેજન પહોળો છે. ભવનપતિનિકાયના ભવનને વિષે રહેલો પ્રાકાર ઉંચાઈ અને પહોળાઈમાં સૌધર્મ વિમાનના પ્રાકાર કરતાં અર્ધ પ્રમાણવાળો છે. તે પ્રકારની મધ્યે (વચમાં) સર્વત્ર (જોકવિરાળમિત્ર) ઉપકારિકાલયન એટલે પીઠિકાઓ હોય છે. તે સર્વ પીઠિકાઓની ઉપર (પ ) વિમાનના સ્વામીના (ઘર દૃતિ પારાવા) પંચાશી પ્રાસાદ હોય છે. (થા) કઈ વિમાનમાં તે પીઠિકાઓની ઉપર (તિના કુવા) ત્રણ સો ને એકતાળીશ પ્રાસાદ હોય છે અને (કારવિ) કેઈ વિમાનમાં તે પીઠિકાઓની ઉપર (પઢિ તેરણા) એક હજાર ત્રણ સો ને પાંસઠ પ્રાસાદ હોય છે. એમ ત્રણ પ્રકાર જાણવા. ૩૦.
તે પ્રાસાદો તેટલી સંખ્યામાં શી રીતે રહેલા છે ? તે કહે છે – मुहपासाओ चउदिसि, चउहिं ते सोलसेहिं सोलावि । चउसहीए सावि अ, छप्प्पन्नहिं दुहीसएहिं ॥ ३१ ॥
અથ –(મુદાણા) મુખ્ય પ્રાસાદની (જાતિ) ચારે દિશામાં (વહિં) ચાર પ્રાસાદો રહેલા છે. તે પહેલી પંક્તિ, તેમાં મૂળ પ્રાસાદ ભેગો ગણતાં પાંચ પ્રાસાદ થયા. ચારે બાજુના ચાર પ્રાસાદની ચારે દિશામાં એક એક પ્રાસાદ હોવાથી તેવા (૪ ) સોળ પ્રસાદે છે, એટલે દરેક પ્રાસાદની ફરતા ચાર
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસરૂતિકા પ્રકરણ ચાર પ્રાસાદ છે. એ બીજી પંક્તિ. તેમાં સર્વે મળીને ૨૧ પ્રાસાદો થયા. હવે તે (સોઢા વિ) સોળ પ્રાસાદ બીજા (વઠ્ઠી) સોળે પ્રાસાદને ચારગુણ કરતાં ચોસઠ પ્રાસાદથી પરિવરેલા છે તે ત્રીજી પંક્તિ. તે સર્વે મળીને ચોસઠમાં એકવીશ ભેળવતાં ૮૫ થયા. (સાવિ ) તે ચેસઠ પ્રાસાદ બીજ ( Sqfë સુનgfé) ચોસઠ ને ચાર ગુણ કરતાં બસે ને છપન (૨૫૬) પ્રાસાદથી પરિવરેલા છે, તે ચોથી પંક્તિ. તે સર્વે મળીને બસેં ને છપ્પનમાં પંચાશી ભેળવતાં (૩૪૧) થયા. 31.
ते वि अ पुण सहसेणं, चउवीसहिएण हुंति परिअरिआ। मूलुच्चत्तपुहुत्ता, अद्धद्धे पण वि पंतीओ ॥ ३२॥
અર્થ:(વ ) તે બને છપ્પન પ્રાસાદે પણ (gn) વળી (સળ વ હિપ ) બસેં છપ્પનને ચારગુણા કરવાથી એક હજાર અને ચોવીશ પ્રાસાદથી ( હૃતિ પરિસિા ) પરિવરેલા છે, તે પાંચમી પંક્તિ . તે સર્વે મળીને એક હજાર ને ચોવીશમાં ત્રણ સો એકતાળીશ નાંખવાથી ૧૩૬પ થયા. (7 વિ પતી) આ પાંચે પંક્તિઓ (મૂહુરત્તpદુત્તા) મૂળ પ્રાસાદાવતં સકની ઉંચાઈ, પહોળાઈ અને લંબાઈ કરતાં ( ) અનુક્રમે અર્ધા અર્ધા પ્રમાણવાળી છે. એટલે કે જ્યાં મૂળ પ્રાસાદાવતંસક ઉંચાઈ અને પહોળાઈમાં પાંચસો યાજનના છે ત્યાં પહેલી ચાર પ્રાસાદવાળી પંકિત અઢીસે એજનના માનવાળી હોય છે. બીજી પંક્તિના પ્રાસાદો તે કરતાં અર્ધા પ્રમાણવાળા હોય છે. ત્રીજી પંકિતના પ્રાસાદો તે કરતાં અર્ધપ્રમાણવાળા હોય છે, એ રીતે અનુકમે પાંચે પંક્તિમાં ઉંચાઈ જાણવી. ૩૨.
હવે દરેક વિમાનમાં કેટલા પ્રાસાદો હોય છે? તે કહે છે – तेर सय पणसहाइ अ, पणपंतीहि हुंति पासाया। पणसी पंतितिगेणं, तिसई इगचत्त चउहिं तु ॥ ३३ ॥
અર્થ –વિમાનમાં પંક્તિના સંબંધમાં ત્રણ ભેદ-પ્રકાર છે. તે આ પ્રમાણેકેટલાક વિમાનમાં પાંચ પંક્તિ છે, કેટલાકમાં ચાર પંકિત છે અને કેટલાકમાં ત્રણ પંકિત હોય છે. તેથી ઓછા પ્રાસાદવાળા વિમાન ચારે નિકાયને વિષે નથી, તેમાં (gujતર્દિ) પાંચ પંકિતવાળામાં (તેર રસ્તા પાર ક) એક હજાર ત્રણસો ને પાંસઠ ૧૩૬૫ (દંતિ પરાયા) પ્રાસાદા હોય છે (પંતિતિ) ત્રણ પંકિત હોય છે ત્યાં (gurણી) પંચાશી પ્રાસાદા હોય છે, અને ( તુ) ચાર પંક્તિ હોય છે ત્યાં (તિત ફુવત્ત) ત્રણસો ને એકતાળીશ પ્રાસાદ હોય ૧૩
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
છે. (અહીં ચાર પંક્તિની સંખ્યા પછી ત્રણ પંક્તિની સંખ્યા કહેવી જોઈએ, છતાં તેમ ન કર્યું તેનું કારણ મૂળ ગાથા એવા વ્યતિકમથી રચેલી છે તેમ સમજવું.) ૩૩.
આ ત્રણે પ્રકારમાં દરેક દિશાએ કેટલા પ્રાસાદો હોય છે? તે કહે છે – पणसीई इगवीसा, पणसी पुण एगचत्त तिसईए। तेरससय पणसठ्ठा, तिसई इगचत्त पइककुहं ॥ ३४ ॥
અર્થ:–ત્રણ પંક્તિવાળામાં ( કુ) દરેક દિશામાં ( વીસા) એકવીશ એકવીશ પ્રાસાદે હોવાથી મૂળ પ્રાસાદ સહિત (રૂપાણીરું) પંચાશી પ્રાસાદ થાય છે. (પુ) તથા ચાર પંક્તિવાળામાં દરેક દિશામાં (vપતી) પંચાશી પંચાશી પ્રાસાદે હોવાથી મૂળ પ્રાસાદ સહિત (ઉત્તર તિ ) ત્રણ સો ને એકતાળીશ પ્રાસાદ થાય છે, તથા પાંચ પંક્તિવાળા વિમાનને વિષે દરેક દિશાઓમાં મધ્યવતી પ્રાસાદ સહિત ( તિરું ફુરત્ત ) ત્રણ સો ને એકતાળીશ પ્રાસાદો હોવાથી (તેરસ પછઠ્ઠા ) એક હજાર ત્રણ સો ને પાંસઠ પ્રાસાદ થાય છે. ૩૪.
તિ પઝમ ગાસતાર II (૬) હવે કિરણપ્રસર નામનું છઠું દ્વાર કહે છે. તેમાં પ્રથમ સૂર્યનો પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરદિશાન વિભાગ દેખાડે છે – पिढे पुवा पुरओ, अवरा वलए भमंतसूरस्स । दाहिणकरंमि मेरू, वामकरे होइ लवणोही ॥ ३५ ॥
અર્થ–મેરુપર્વતની ( વ ) ચોતરફ પ્રદક્ષિણા (મમંતકૂ૪ ) ફરતા સૂર્યની (વિદે) પાછળ (ggt) પૂર્વદિશા અને ( અવા) આગળ પશ્ચિમ દિશા હોય છે. સૂર્યના (સાવિ મિ) જમણે હાથ તરફ (એક) મેરુપર્વત રહે છે અને (રામ) વામ (ડાબા) હાથ તરફ (વોદી) લવણસમુદ્ર (ઢોર) રહે છે. આ સૂર્યની પિતાની દિશાઓ છે, પણ લેકની દિશા નથી. લેકની દિશા સૂર્યની અપેક્ષાએ જ હોય છે, સર્વ ક્ષેત્રોમાં તે ( દિશાઓ ) તાપ દિશાઓ કહેવાય છે, પણ સ્વાભાવિક તે ક્ષેત્રદિશા છે તે દિશાઓ) મેરુપર્વતમાં આવેલા રુકપ્રદેશોથી ઉત્પન્ન થાય છે. મેરુપર્વતના પૃથ્વીતળ ઉપર તરફથી બરાબર મધ્યમાં રહેલા આઠ આકાશપ્રદેશ છે તે ચકપ્રદેશ કહેવાય છે અને તે સમભૂતળને સ્થાને ગેસ્તનને આકારે ઉપર નીચે ચાર ચાર રહેલા છે. તેમાં ચારે બાજુએ બે બે પ્રદેશ છે તે પ્રદેશો ગાડાની ઉધીને આકારે આગળ વધતા વધતા છે, તે પૂવોદિક ચારે મહાદિશાઓ છે અને એક પ્રદેશરૂપ ચાર રુચક મુક્તાફળની શ્રેણીને આકારે
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ રહેલા છે તે ચારે વિદિશાઓ છે. તથા ચાર પ્રદેશવાળી સમશ્રેણીએ ઊર્થ (ઉંચી) અને અધો (નીચી) દિશા છે. આ રીતે જંબુદ્વીપની જગતીમાં વિજયદ્વારે પૂર્વ દિશા છે, વૈજયન્તદ્વારે દક્ષિણ દિશા છે, જયંતદ્વારે પશ્ચિમ દિશા છે અને અપરાજિતદ્વારે ઉત્તર દિશા છે. આ પ્રમાણે ક્ષેત્રદિશાઓને નિર્ણય જાણવો. ૩૫.
હવે છ દિશાઓમાં હમેશાં જંબુદ્વિપમાં રહેલા સૂર્યના કિરણો કેટલા દૂર સુધી પ્રસરે છે ? તે છ ગાથાવડે બતાવે છે –
सगचत्तसहस दुसई, तेवढा तहिगवीससटंसा । पुवावरकरपसरो, कक्के सूरा अहुत्तरउ ॥ ३६ ॥
અર્થ ) કર્ક સંક્રાંતિને પહેલે દિવસે ( સાવરકરનg ) સુડતાળીશ હજાર ( દા) બસ ને ત્રેસઠ જન (તદાનદૃા ) તથા એક
જનના સાઠ ભાગ કરીને તેવા એકવીશ ભાગ ૪૭૨૬૩૪ એટલે (સૂ) સૂર્યથી (gઘાયલYN ) પૂર્વ દિશામાં અને એટલે જ સૂર્યથી પશ્ચિમ દિશામાં કિરણનો પ્રસાર છે. તે દિવસે બન્ને દિશાનું મળીને ઉદય અને અસ્તનું આંતરું ૯૪૨૬૩ જન હોય છે. (મદુત્તા ) હવે ઉત્તર દિશામાં કિરણના પ્રસારનું માન કહે છે. ૩૬. असिईसऊण सहसा पणयालीसाऽह जम्मओ दीवे । असिइसयं लवणेऽवि अ, तित्तीससहस्स सतिभागा ॥ ३७॥
અર્થ–સર્વ અત્યંતર મંડલમાં વર્તતો સૂર્ય કર્કસંક્રાંતિને (2)પહેલે દિવસે એક સો ને એંશી જન જગતીથી દ્વીપની અંદર પેઠેલ હોય છે. તેથી (દક્ષા gયાર્ટીના) પીસ્તાળીશ હજાર જનમાં તેટલા (ગાળ) એક સો એંશી યેાજન ઓછા જાણવા. એટલે કે ચુમાળીશ હજાર, આઠ સો ને વીશ ૪૪૮૨૦ જન ઉત્તર દિશામાં મેરુ સુધી કિરણો પ્રસરે છે, (૪મો વે ) હવે દક્ષિણ દિશામાં કિરણને અસર કહે છે–દક્ષિણ દિશામાં દ્વીપ સંબંધી (ઉત્તર) ૧૮૦ યોજન અને (ઢોવિ) લવણસમુદ્રમાં (તિત્તીસરા સતિમા) તેત્રીશ હજાર તથા હજારને ત્રીજો ભાગ એટલે ત્રણસો ને તેત્રીશ પેજન તથા એક જનને ત્રીજો ભાગ પસરે છે તેથી કુલ ૩૩૫૧૩ એજન કિરણોનો પ્રસર છે. એ જ પ્રમાણે જબૂદ્વીપમાં રહેલા બીજા સૂર્યને પણ કિરણસર જાણી લેવો. ૩૭.
હવે મકરસંક્રાંતિમાં કેટલો કિરણપ્રસર હોય છે ? તે કહે છે – इगतीससहस अडसय, इगतीसा तह य तीससटुंसा । मयरे रविरस्सीओ, पुववरेणं अह उ दीणे ॥ ३८॥
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રકરણસંગ્રહ.
અર્થ:–સોથી અંદરના માંડલામાંથી બહાર નીકળતો સૂર્ય અનુક્રમે કિરણના પ્રસરમાં ઓછો થતો થતો સંથી બહારના માંડલામાં આવે છે ત્યાં ( ફુવતીય સદ ) એકત્રીસ હજાર (અરુણા તા) આઠ સો ને એકત્રીશ પેજન (તદા) તથા (તસÉરા) એક એજનના સાઠીયા ત્રીશ ભાગ ૩૧૮૩૧છુ આટલા જન કિરણને પ્રસર ( ક ) મકરસંક્રાંતિમાં (gar ) પૂર્વ અને પશ્ચિમ દિશામાં હોય છે, બને મળીને તે ( બદ ૩ તી ) દિવસે (વિર ) સૂર્યના ઉદય અને અસ્તનું સૂર્યના કિરણપ્રસરનું આંતરું ૬૩૬૬૩ એજન થાય છે. અહીં હમેશાં ૧૭૨ ૧૬ જન કિરણ પ્રસરની હાનિ થતી જાય છે. તેમાં પૂર્વ અને પશ્ચિમ એ દરેકને માટે જુદું જુદું કહીએ તો તેથી અર્ધ એટલે ૮૬ | ક | યોજના કિરણ પ્રસરની હાનિ થાય છે. ૩૮.
હવે મકરસંક્રાંતિમાં ઉત્તર તથા દક્ષિણ દિશામાં થતા કિરણના પ્રસરને કહે છેलवणे तिसई तीसा, दीवेण पणचत्त सहस अह जम्मे।। लवणम्मि जोअणतिगं, सतिभाग सहस्स तित्तीसा ॥ ३९ ॥
અર્થ–સૂર્ય સાથી બહારના માંડલામાં આવે ત્યારે તે ( વળ) લવણસમુદ્રને વિષે ( તિતિક્ષા) ત્રણ સો ને ત્રીશ જન જાય છે, તેથી (ઢવામિ) લવણસમુદ્ર સંબંધી ત્રણ સો ને ત્રીશ તથા ( ) દ્વીપ સંબંધી (gra ) પીસ્તાળીસ હજાર, એ બને મળીને ૪૫૩૩૦ જન ઉત્તર દિશામાં કિરણને પ્રસરે છે ( ) તથા દક્ષિણમાં (લવણની દિશામાં) ત્રણ ત્રીશ બાદ કરતાં (દત્તતિત્તીસા) તેત્રીશ હજાર ને (અતિi) ત્રણ જજન તથા (તિમાજ) એક એજનનો ત્રીજો ભાગ ૩૩૦૦૩ એટલા જન કિરણને પ્રસર છે. ૩૯ - હવે ઉંચે તથા નીચે ઊર્ધ્વ તથા અધેદિશામાં) તેજના પ્રસરનું સ્વરૂપ કહે છે – मयरम्मि वि ककम्मि वि, हिट्ठा अट्ठारजोअणसयाइ । जोयणसयं च उड्डे, रविकर एवं छसु दिसासु ॥ ४० ॥
અથ –(મામિ વિ) મકર વિગેરે છ સંક્રાંતિને વિષે તથા ( જન્મ વિ) કર્ક વિગેરે છ સંક્રાંતિને વિષે પણ અર્થાત્ સર્વે માંડલામાં વર્તતા (વિવા) સૂર્યના તેજ-કિરણને પ્રસર (
તાર) અઢાર સે યજન સુધી ( હિટ્ટા ) નીચે જાય છે, કારણ કે સૂર્યથી આઠ સો જન સમભૂતલ છે અને સમભૂતળની અપેક્ષાએ એક હજાર જન નીચે અધોગ્રામ છે. એ બે મળીને ૧૮૦૦
જન સમજવા. (૨) તથા (૩) ઉંચે (ઊર્ધ્વદિશામાં) સર્વે ક્ષેત્રોમાં સર્વે સૂર્યના કિરણનો પ્રસાર ( સપનચં) એક સો જન સુધી છે. ( પર્વ છg વિરાણુ) એ પ્રમાણે છએ દિશામાં પ્રસરતા કિરણનું માન કહ્યું. ૪૦.
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસરૂતિકા પ્રકરણ હવે જમ્બુદ્વીપમાં જ દક્ષિણ અને ઉત્તરમાં સર્વદા ( હમેશાં ) સર્વ મળીને કિરણપ્રસરનું માન કહે છે – पइदिणमवि जम्मुत्तर, अडसत्तरिसहस सहसतइअंसो। उड्डह गुणवीससया, अठिया पुवावरा रस्सी ॥ ४१ ॥
અર્થ – હિમવ) હમેશાં (કમ્પત્તા) દક્ષિણ અને ઉત્તરના કિરણોને પ્રસર મેળવતાં ( સત્તત ) અઠ્ઠોતેર હજાર અને (તત૬એ) હજારનો ત્રીજો અંશ એટલે ત્રણ સો તેત્રીશ જન તથા એક એજનનો ત્રીજો ભાગ ૭૮૩૩૩ એટલા જન કિરણ પ્રસરે છે, તથા (૩Ç૬) ઊર્ધ્વ અને અધે મળીને ( ગુણવત્તા ) ઓગણીશ સો યોજન કિરણ પ્રસરે છે. સૂર્યથી (પુવા રસી) પૂર્વમાં અને પશ્ચિમમાં સૂર્યના કિરણો (રિયા ) અસ્થિત છે; કેમકે સર્વે માંડલા માં હાનિ-વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે સૂર્યના તેજને પ્રસર જંબદ્વીપને વિષે જ જાણવો. કેમકે લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદ સમુદ્ર અને પુષ્કરોધદ્વીપમાં સૂર્યાના તેજને પ્રસર તો ચારે દિશામાં અધિક અધિક છે. ઊર્ધ્વ તથા અધે મળીને તો નવ સો યોજન જ છે, કારણ કે ત્યાં અધોગ્રામ નથી. તેનું સ્વરૂપ અમારા કરેલા મંડળ પ્રકરણમાંથી જાણી લેવું. મનુષ્યલકની બહારના ક્ષેત્રમાં સૂર્ય અને ચંદ્ર સ્થિર રહેલા છે. ૪૧.
(તિ વિકાર પBF I ૬ ) હવે સાતમું પર્યાપ્તિ દ્વાર કહે છે– आहारसैरीरिंदिय-ऊँसासर्वओमणो छ पज्जत्ति । चंउ पंचे पंचै छप्पिों , इंगविगलोऽमणसमणेतिरिए ॥४२॥
અર્થ – ઘર ) આત્માની વિશેષ પ્રકારની શકિત તે પયંતિ-તેના નામ કહે છે–(માદાર ) આહારપર્યાપ્તિ, ( ) શરીરપર્યામિ, ( હૃતિ ) ઇંદ્રિયપર્યામિ. (કાર ) શ્વાસોશ્વાસપર્યાપ્તિ, (તો) વચન-ભાષાપર્યાપ્તિ અને (મો) મનપયતિ–એ છ પર્યાપ્તિ જાણવી. તેમાંથી (શ) એકેદ્રિયને પહેલેથી (૪૪) ચાર પર્યાપ્તિ, (વિવાદ) વિકલેંદ્રિયને (i) પહેલેથી પાંચ પર્યામિ, ( મા ) અસંઝિને પણ ( ) પાંચ પર્યાપ્તિ અને (રમurતિષિ) સંક્ષિપંચેંદ્રિય તિર્યંચને ( છબ્લિક ) છએ પર્યાપ્તિ મન સહિત હોય છે. ૪૨.
गब्भयमणुआणं पुण, छप्पिअ पजत्ति पंच देवेसु । जं तेसिं वयमणाण, दुवे वि पजत्ति समकालं ॥ ४३ ॥
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુસંગ્રહ.
અર્થ:— ઘુળ ) વળી ( નથ્થયમનુકાળ ) ગભ જ મનુષ્યાને ( છલ્પિન્ન પત્તિ ) છએ પર્યાતિ હોય છે. સમશ્ચિમ મનુષ્યા અપર્યાપ્તપણે જ મરણુ પામે છે તેથી તેમને પહેલી પાંચ પર્યાપ્તિએ હાય છે તથા (સેવેલુ) દેવ અને ઉપલક્ષણથી નારકીઓને ( પંચ) પાંચ પર્યાપ્તિએ હાય છે. ( ૐ સેસિ ) કારણ કે તેમને ( વચમાળ ધ્રુવૅવિ પત્તિ) વચનપર્યાપ્તિ અને મનપર્યાસિ અને (સમહિં ) સમકાળે જ પૂર્ણ થાય છે. ૪૩.
૧૦૨
હવે પહેલા ત્રણ શરીરને વિષે સવ પર્યાપ્તને ચેાગ્ય એવા કાળનું પ્રમાણ કહેવાને ઇચ્છતા સતા કહે છે:—
उरालविउब्वाहारे, छन्हऽवि पज्जत्ति जुगवमारंभे । तिन्हऽवि पढमिगसमए, बीआ पुण अंतमोहुसी ॥ ४४ ॥
અર્થ:— રાવિન્નારે ) આદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણે શરીરને વિષે ( જીવં) સમકાળે ઇન્દુ વિપત્તિ ) છએ પોસિએના ( આરંભે ) આર ંભ થાય છે, એવી વ્યવસ્થા છે અને પૂર્ણતા અનુક્રમે પામે છે. ત્તિવ ) ત્રણે શરીરમાં પણ ( પદ્મમ ) પડેલી આહારપર્યાપ્ત (ફ્સમાં એક સમયે જ પૂર્ણ થાય છે, ( ત્રા ઘુળ ) ખીજી શરીરપર્યાપ્તિ ત્રણે શરીરમાં ( અંતમોદુત્તી) અંતર્મુહૂત્તના પ્રમાણવાળી છે. ૪૪.
હવે બાકીની પર્યાતિનુ કાળપ્રમાણ ઔદારિક શરીરને આશ્રીને ગાથાના પૂર્વાર્ધ વડે કહે છે અને વૈક્રિય તથા આહારક શરીરને આશ્રીને ગાથાના ઉત્તરા
વડે કહે છે:—
पिहु पिहु असंखसमइअ, अंतमुहुत्ता उराल चउरोऽवि । पिहु पिहु समया चउरोऽवि, हुंति वेविहारे ॥ ४५ ॥
અ:—ત્રીજી, ચેાથી, પાંચમી અને છઠ્ઠી એ ( ચોવિ ) ચારે પર્યાપ્ત ( ૩૯ ) દારિક શરીરને વિષે ( સંલત્તમ) અસંખ્યાતા સમયવાળા (વિષ્ણુ વિષ્ણુ ) પૃથક્ પૃથક્ (અંતમુદ્દુત્તા) અંતર્મુહૂર્તે પૂર્ણ થાય છે, એટલે તે સવે પર્યાપ્તિએ ચાર અંતર્મુહૂત્ત વડે પરિપૂર્ણ થાય છે. ( વેધશારે) તથા વૈક્રિય અને આહારક શરીરને વિષે ત્રીજી, ચેાથી, પાંચમી અને ઠ્ઠી એ (ચત્તેઽવિ) ચારે પર્યાપ્તિએ ( વિદુ વિટ્ટુ) પૃથક્ પૃથક્ (સમયા ટ્રુત્તિ ) એકએક સમયે પ્ણ થાય છે. એક સમયે ઇંદ્રિયપર્યાપ્તિ, ખીજે સમયે ઉચ્છ્વાસપર્યાપ્ત, ત્રીજે સમયે ભાષાપર્યાપ્તિ અને ચાથે સમયે મનપર્યાપ્તિ પૂર્ણ થાય છે. ૪૫.
આ પ્રમાણે મનુષ્ય અને તિર્યંચને આશ્રીને પર્યાપ્તિએ કહી.
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ
હવે દેવ અને નારકીને આશ્રીને કહે છે:—
छन्ऽवि सममारंभे, पडमा समएऽवि अंतमोहुत्ती । ति तुरिअ समए समय, सुरेसु पण छठ्ठ इगसमए ॥ ४६ ॥
૧૦૩
અર્થ:— સુરેલુ) દેવ અને ઉપલક્ષણથી નારકીને વિષે ( ઇન્દવ ) છએ પર્યાસિઆને ( સમમાને) સમકાળે પ્રારંભ થાય છે, તેમાંથી ( ૧૪મા ) પહેલી એાહારરૂપ પર્યાપ્તિ ( સમઽવ ) એક સમયે પરિપૂર્ણ થાય છે. બીજી શરીર પર્યાપ્તિ ત્યારપછી ( અંતમોદુત્તી) અંતર્મુહૂત્તે પૂર્ણ થાય છે, ( ત્તિ) ત્રીજી અને (અ ) ચેાથી પર્યાર્યાપ્ત ત્યારપછી પૃથક પૃથક્ ( સમય સમપ્ ) એક એક સમયે પૂર્ણ થાય છે. તથા (પળ છ૪) પાંચમી વચનપર્યાપ્ત અને છઠ્ઠી મન:પર્યાપ્તિ એ બન્ને ત્યારપછી ( સમE ) એક જ સમયે પૂર્ણ થાય છે; કારણ કે તેના તેવા સ્વભાવ જ છે. દેવ અને નારકીને ઉત્તરવૈક્રિયમાં પણ એ જ પ્રમાણે પર્યાપ્તિએ પૂર્ણ થાય છે. ૪૬.
(કૃતિ પર્વાસિદ્ધાર્ં સસમમ્ ।। ૭ ।।)
હવે કૃષ્ણરાજીના સ્વરૂપનુ' આઠમુ દ્વાર કહે છે.
बंभे रिट्ठे तइअंमि, पत्थडे अट्ट कण्हराईओ । इंदय चउसु दिसासुं, अख्खाडगसंठिआ दिग्घे ॥४७॥
અઃ-( હંમે ) બ્રહ્મલેાક નામના પાંચમા દેવલેાકમાં રહેલા ( કે તffમ) ત્રીજા રિષ્ટ નામના ( પત્થરે ) પાથડામાં ( અx nāો ) આઠ કૃષ્ણરાજીએ છે. તે સચિત્ત અને અચિત્ત પૃથ્વીના પરિણામરૂપ ભીંતને આકારે છે. તેના આકાર કેવા છે ? તે કહે છે—રિષ્ટ નામના ત્રીજા પ્રસ્તરમાં રહેલા ( 5 ) ઇન્દ્રક વિમાનની ( ચડતુ વિજ્ઞાનું ) ચારે દિશામાં બએ કૃષ્ણરાજીએ છે તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી અને તીછી પહેાળી એ કૃષ્ણુરાજીએ છે. એ જ પ્રમાણે દક્ષિણ દિશામાં પૂર્વ પશ્ચિમ લાંબી અને તિછી પહેાળી એ કૃષ્ણરાજીએ છે. પશ્ચિમ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી અને તિછી પહેાળી એ કૃષ્ણરાજીએ છે, તથા ઉત્તર દિશામાં પૂર્વ પશ્ચિમ લાંબી અને તિછી પહેાળી એ કૃષ્ણરાજીએ છે. તે સર્વ મળીને આઠ છે. તે કૃષ્ણરાજીએ કેવી છે ? તે કહે છે. ( અણ્ણાનુપમંદિમા વિન્દે) આખાટકના સસ્થાન જેવી લાંખી છે આખાટક એટલે પ્રેક્ષણને સ્થળે ( અખાડાની ભૂમિમાં ) ચારે તરફ બેસવાના આસન હાય છે તે આકારે રહેલી છે. પ્રાપ્તની ટીકામાં પણ એ પ્રમાણે કહેલુ છે. ૪૭. હવે લંબાઇનું પ્રમાણ કહે છે:—
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રકરણસંગ્રહ.
जोअणअसंख पोहत्ति, संख ईसाणि अच्चि अचिमाली। वैइरोअणं पहंकर, चंदाभं सूरिअ सुकाभं ॥४८॥ सुपइट्ठाभं 'रिठं, मज्झे वढू बहिं विचित्तहँ । तेर्सि पहु सारस्सय-पमुहा तद्दुदुगपरिवारा ॥ ४९ ॥
અર્થ –તે કૃષ્ણરાજીઓ (માગસંવ) અસંખ્યાતા હજાર જન લાંબી છે, (ત્તિ સંઘ) સંખ્યાતા હજાર જન પહોળી છે તથા તેમનો વિસ્તાર-પરિધિ અસંખ્યાતા હજાર જનો છે. તેમની ઉંચાઈ આ પ્રમાણે-કઈ મહદ્ધિક દેવતા જે ગતિવડે ત્રણ ચપટી વગાડીએ તેટલી વારમાં આખા જંબૂદ્વીપની ફરતી એકવીશ વાર પ્રદક્ષિણા દે, તે દેવતા તે જ ગતિવડે પંદર દિવસે એક કૃષ્ણરાજીનું ઉલ્લંઘન કરે, પણ બીજીનું ઉલ્લંઘન કરી શકે નહિ. એટલી તે ઉંચી છે. તે કૃષ્ણરાજીની વચમાં શું છે ? તે કહે છે:–આ કૃષ્ણરાજીની (કાળ) ઈશાન વિગેરે દિશા તથા વિદિશાઓ મળી આઠે આંતરામાં એટલે બબ્બે રાજીની વચ્ચે ચાર દિશામાં ચાર અને બબ્બે રાજીના ખણ ઉપર ચાર વિદિશામાં ચાર એમ આઠ વિમાનો છે. તે આ પ્રમાણે-ઉત્તર અને પૂર્વની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિદિશામાં (૪) અચિ નામનું વિમાન છે ૧, પૂર્વ દિશાની બે કૃષ્ણરાજીની વચ્ચે (વિમારી) અચિમાલી નામનું વિમાન છે ૨, પૂર્વ અને દક્ષિણના અત્યંતરની બે કૃષ્ણરાજીની વચ્ચે વિદિશામાં (વોલi) વેરચન નામનું વિમાન છે ૩, દક્ષિણની બે કૃષ્ણરાજીઓની વચ્ચે (પદંવાર) પ્રશંકર નામનું વિમાન છે જ, દક્ષિણ અને પશ્ચિમની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિદિશામાં (ચંતામં) ચંદ્રાભ નામનું વિમાન છે ૫, પશ્ચિમની બે કૃષ્ણરાજીની વચ્ચે (નિ) સૂરાભ નામનું વિમાન છે ૬, પશ્ચિમ અને ઉત્તરની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિદિશામાં (કુરું) સુકાલ નામનું વિમાન છે ૭, ઉત્તરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે (ગુપટ્ટા) સુપ્રતિષ્ઠાભ નામનું વિમાન છે ૮ તથા સર્વ કૃષ્ણરાજીઓના (મ , મધ્ય ભાગમાં (çિ) રિષ્ટાભ નામનું વિમાન છે. ૯. તે એક વિમાન (૨૬) વર્તુલાકારે છે, અને (વહં વિવિઠ્ઠ) બહારના આઠ વિચિત્ર આકારના છે, કારણ કે તે આવલિકામાં રહેલા નથી. તે વિમાનોથી અસં.
ખ્યાતા હજાર એજનને છેટે અલક છે. (તે પડ્યું છે તે વિમાનોના સ્વામી (તારાપમુદ્દા) સારસ્વત વિગેરે કાંતિક દેવતાઓ છે. (તદુધપરિવાર) તેઓ બે બેના ભેળા પરિવારવાળા છે. ૪૯.
પ્રથમના ત્રણ યુગળમાં આગળ કહેશું તેટલા દેવનો પરિવાર છે:सत्तसय सत्त चउदस, सहसा चउदाहअ सगसहस सत्त । नव नवसय नव नवहिअ, अवाबाहागिचरिठेसु ॥ ५० ॥
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ.
૧૦૫ અથ–સારસ્વત અને આદિત્ય નામના બન્ને દેવોને મળીને (પત્ત પર સત્ત) સાત સે ને સાત દેવોને પરિવાર છે. અગ્નિ અને વરુણ એ બને દેવોને મળીને (રર રરર રદિય) ચૌદ હજાર ને ચોદ દેવનો પરિવાર છે. ગર્દય અને તુષિતને મળીને (સવાર સત્ત) સાત હજાર ને સાત દેવોને પરિવાર છે. બાકીના (અલ્લાવાનિયgિ ) અવ્યાબાધ, આગ્નેય તથા રિષ્ટ એ ત્રણેમાંના દરેકને આ ગ્રંથકારના મતે (નવ નવ ) નવ નવ સો ને (નવ નવ દિગ) નવ નવ અધિક દેવને પરિવાર છે. સર્વ મળીને તે પરિવારના દેવ ૨૪૪૫૫ છે. પ્રવચનસારદ્વાર વિગેરે ઘણા ગ્રંથમાં તે છેલ્લા ત્રણ દેવના મળીને નવસો ને નવ દેવોનો પરિવાર કહ્યો છે તેના મત પ્રમાણે સર્વ વિમાનના મળીને સર્વે દે રર૬૩૭ થાય છે. ૫૦.
હવે તે દેવનાં નામે કહે છે – सारस्सयमाइच्चा, वण्ही वरुणा य गद्दतोया य । तुसिआ अवाबाहा, अग्गिया चेव रिहा य ॥ ५१ ॥
અર્થ –(ફારૂ) સારસ્વત ૧, (આશા) આદિત્ય ૨, (વન્દી) વન્તિ ૩, (વહળ ચ) વરુણ ૪, ( જોયા ) ગર્દય પ, (તુરિયા ) તુષિત ૬, (અલવિહિ) અવ્યાબાધ ૭, (વિવાદ) આગ્નેય ૮, (વેવ તિજ્ઞા ) તથા રિષ્ટ ૯. તે દેવતાઓનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમનું છે, તથા તેઓ સાત આઠ ભવે મોક્ષે જવાના હોય છે. પ૧.
હવે કૃષ્ણરાજીઓનું પરસ્પર સ્પર્શ થવાનું સ્વરૂપ કહે છે - पुवंतर जम्मबहि, पुठ्ठा जम्मंतरा बहिं वरुणं । तम्मज्झुत्तर बाहि, उईणमज्झा बहिं पुवं ॥ ५२ ॥
અર્થ – gવંતર) પૂર્વ દિશાની આત્યંતર રાજી ( નવદિં પુઠ્ઠા ) દક્ષિણની બહારની રાજને સ્પર્શ કરે છે ૧. ( કમંત વળ ) દક્ષિણની આત્યંતર રાજી પશ્ચિમની બહારની રાજીને સ્પર્શ કરે છે. ૨. (
ત ત્તર વાë) પશ્ચિમની આત્યંતર રાજી ઉત્તરની બહારની રાજને સ્પર્શ કરે છે ૩ તથા (૩મા વહેં પુષં) ઉત્તરની આત્યંતર રાજી પૂર્વની બહારની રાજીનો સ્પર્શ કરે છે. પર.
હવે તે કૃષ્ણરાજીઓના આકારનો વિભાગ કહે છે – ૧૪
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
पुवावरा छलंसा, तंसा पुण दाहिणुत्तरा बज्झा। अब्भंतर चउरंसा, सवा वि अ कण्हराईओ॥५३॥
અર્થ –(પુણવત્ત) પૂર્વ અને પશ્ચિમની બહારની બે કૃષ્ણરાજીએ (છતા ) છ હાંશવાળી છે, (પુળ જુત્તર વજ્જા ) અને ઉત્તર દક્ષિણની બહારની બે કૃષ્ણરાજીએ ( તંતા) ત્રિકેણ છે. (અનંતર) આત્યંતરની (સલ્લા રિ મ ર ) ચારે કૃષ્ણરાજી ( વડલા ) ખડી છે. ૫૩.
(તિ રાત્રી દરમદનમ્ ૮ | ) હવે નવમું વલયદ્વાર કહે છે– पुक्खरिगारस तेरेव, कुंडले रुअगि तेर ठारे वा । मंडलिआचलतिन्नि उ, मणुउत्तर कुंडलो रुअगो॥५४॥
અર્થ –કાલેદ સમુદ્રની બહાર વલયના આકારે રહેલો સોળ લાખ જનના વિસ્તારવાળો (પુવર) પુષ્કરવર નામને દ્વીપ છે. તેના બહારના અર્ધના પ્રારંભ દળમાં માનુષોત્તર પર્વત છે ૧, તથા જબૂદ્વીપથી ( ફુવારા તેવ) અગ્યારમે, કેઈના મતે તેરમે (૬ ) કુંડલદ્વીપ છે, તેના બીજા અધ ભાગના પ્રારંભમાં બીજો તે જ નામનો પર્વત છે ૨, તથા સંવ્યાયપુર એ પ્રમાણે સંગ્રહણિમાં દેખાડેલા કમવડે ( તેર જે વા) તેરમે અથવા બીજાને મતે અઢાર
ચકદ્વીપ છે, તેમાં ત્રીજે તે નામને પર્વત છે. એ પ્રમાણે (મંડરગારતિત્તિ ૩) મંડલાચલવલયાકાર ત્રણ પર્વતો પુષ્કરવર, કુંડલ અને રુચક નામના દ્વીપમાં અધ અર્ધા ભાગના મધ્યમાં કિલ્લાના આકારે રહેલા છે. તે પર્વતોના નામ (મજુત્તરવું ) માનુષેત્તર, કુંડલ અને રુચક છે. ૫૪.
હવે ગાથાના પૂર્વાર્ધવડે તે પર્વતની ઉંચાઈ કહે છે– सत्तरसय इगवीसा, बायालसहसे चुलसिसहसुच्चा । चउसय तीसा कोसं, सहसं सहसं च ओगाढा ॥ ५५ ॥
અર્થ:-માનુષેત્તર પર્વત (સત્તર વીણા) સતર સે ને એકવીશ જન ઉચે છે ૧, કુંડલપર્વત (વાચાર ) બેંતાળીસ હજાર યોજન ઉંચે છે ૨ અને રુચક પર્વત (રુદ્રસિદgશાં) રાશી હજાર જન ઉંચો છે ૩. હવે ગાથાના ઉત્તરાર્ધવડે તે પર્વતની ભૂમિમાં ઊંડાઈ બતાવે છે.—પહેલે માનુષોત્તર પર્વત ઉંચાઈને ચોથે ભાગે એટલે (જરા તીણા કો) ચાર સો ને ત્રીશ
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસરૂતિકા પ્રકરણ
૧૦૭ જન તથા એક ગાઉ ભૂમિમાં અવગાહીને રહ્યો છે. () અને બીજા બે કુંડલ તથા રુચક પર્વ ( ) હજાર હજાર યોજન ભૂમિમાં (માતા) અવગાહીને રહ્યા છે. ૫૫. - હવે તે પર્વતના નીચે, વચ્ચે તથા ઉપરના વિધ્વંભનું માન કહે છે – भुवि दससय बावीसा, मज्झे सत्त य सया उ तेवीसा। सिहरे चत्तारि सया, चउवीसा मणुअ कुंडलगा ॥ ५६ ॥
અર્થ –પહેલા બે પર્વતનો વિષ્કભ કહે છે-સમાન (મુવિ) ભૂતળની અપેક્ષાએ (તળેટીએ) ( ર) વાઘીલા) એક હજાર ને બાવીશ જનને વિસ્તાર છે, (મ) મધ્ય ભાગમાં (ત્ત જ નથી તેવીસા) સાત સો ને ત્રેવીશ
જનને વિસ્તાર છે અને (સિદ) શિખર ઉપર (વત્તરિ તથા વડવા ) ચાર સે ને ચોવીશ એજનને વિસ્તાર છે. આ પ્રમાણે (મજુમ હું ૮ ) માનુઉત્તર અને કુંડલ પર્વતને વિષ્કભ-વિસ્તાર જાણ. ૫૬.
હવે ચક પર્વતનો ત્રણે સ્થાનનો વિસ્તાર એ બન્ને પર્વતે કરતાં ભિન્ન છે. તે કહે છે – दस सहसा बावीसा, भुवि मज्झे सगसहस्स तेवीसा। सिहरे चउरो सहसा, चउवीसा रुअगसेलंमि ॥ ५७ ॥
અર્થ– અ નિ ) રુચક પર્વતને (મુવિ) પૃથ્વીની સપાટી પર ( સદા વાવીરા) દશ હજાર ને બાવીશ યોજનાનો વિસ્તાર છે, (મ) મધ્યભાગમાં ( સ
તેવા ) સાત હજાર ને વેવીશ યાજનનો વિસ્તાર છે, તથા (સિદ) શિખર પર ( સદા વડવાસા) ચાર હજાર ને વીશ જનને વિસ્તાર છે. ૫૭.
હવે પૂર્વે કહેલા બે પર્વતે કરતાં આ રુચક પર્વતના શિખર પર જે વિશેષ છેતે કહે છે – रुअगसिहरे चउदिसि, बिअसहसेगेगचउथिअट्ठ । विदिसि चउइ अ चत्ता, दिसिकुमरी कूड सहसंका ॥५८॥
અર્થ –વલયાકારવાળા (ફરજીસ) રુચક પર્વતના ચાર હજાર ને વીશ જનના વિસ્તારવાળા શિખરભાગના ચાર વિભાગ કરવા. એટલે દરેક વિભાગ એક હજાર ને છ જનને થાય છે. તેના પ્રથમ ભાગને મૂકીને (વિક ) બીજા
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રકરણસંગ્રહ ભાગમાં (રવિતિ) પૂર્વાદિક ચારે દિશામાં ( સ ) સહસ્ત્રકૂટ નામના એક એક (બધા મળીને ચાર) સિદ્ધકૂટ છે, તથા તે સૂચક પર્વતના શિખરના એક હજાર ને છ એજનના વિસ્તારવાળા (૨ ) ચેથા ભાગમાં (દરેક દિશાએ) (ગઠ્ઠ) આઠ આઠ ફૂટ છે. (બધા મળીને બત્રીશ છે.) તે બત્રીશ દિકકુમારીએનાં સ્થાને છે એમ જાણવું. મધ્યે રહેલા ચાર સિદ્ધફૂટ સહિત તે દરેક દિશામાં નવ નવ કટ થાય છે, પણ અંદરના ચાર સિદ્ધકૂટ ઉપર જિનેશ્વરની પ્રતિમાથી સુશોભિત સિદ્ધાયતન છે. તથા તે જ ચેથા ભાગમાં (વિિિા ) વિદિશાઓમાં એકેક કુલ ( વ ) ચાર કર્યો છે. તે સર્વે મળીને (૩૬) (ર ) સહસ્ત્રકૂટ નામવાળા છે. એટલે તે મૂળમાં (તળેટીમાં) હજાર એજનના વિસ્તારવાળા છે, મધ્યમાં સાડીસાતસો જન વિસ્તારવાળા છે, શિખર પર પાંચ સે જન વિસ્તારવાળા છે અને એક હજાર જન ઉંચા છે. તે ૩૬ ફૂટ ઉપર તથા ચકદ્વીપમાં જમીન પર રહેલા બીજા ચાર ફૂટ ઉપર ભુવનપતિ નિકાયની (વત્તા વિસિમી ) ચાલીશ દિકુમારીઓ પોતાના પરિવાર સહિત રહે છે. ૫૮.
હવે તે પર્વતે સંબંધી વિશેષ વિચાર કહે છે – पढमो सीहनिसाई, अद्धजवनिभो अ चउदिसि सिहरे । पन्नाई चउ जिणगेहो, सयाइ चउ चेइआ दुन्नि ॥ ५९॥
અર્થ: (મો) પહેલો માનુષેત્તર નામનો પર્વત (સીનિલ) બેઠેલા સિંહના આકાર જેવો છે, એ માનુષેત્તર પર્વત જબૂદ્વીપની દિશા તરફ છિન્નતંક એટલે ઉંચી ભીંતની જે સરખો-સપાટ છે અને પાછળના ભાગમાં શિખરના ભાગથી આરંભીને નીચે નીચે પહોળાઈમાં વધતા વધતે છે. અથવા તે પર્વત (સદ્ધ કનિમો ) અર્ધા જવની જેવો છે અથવા જવના અર્ધા ઢગલા જેવો છે. (૨) વળી (વિ) તે પર્વતના શિખર પર (રવિતિ) ચારે દિશામાં (૩ વિદ) ચાર જિનચે છે? તે ચે કેવાં છે? તે કહે છે-(v#ા) પચાસ યોજન લાંબા, પચીશ પેજન પહોળા અને છત્રીશ પેજન ઉંચા એવા ચાર શાશ્વત જિનચૈત્ય રહેલા છે. તથા (કુત્તિ) કુંડલ અને ચક એ દરેક પર્વતના શિખર પર ચારે દિશામાં (ઘર વે ) ચાર ચાર જિનચૈત્ય છે તે (ચાર) સ યોજન લાંબા, પચાસ એજન પહોળી અને બોંતેર યોજન ઊંચા છે. ૫૯.
- (રૂતિ નવ વાર | SI) ' હવે દશમું નંદીશ્વરદ્વીપ સંબંધી દ્વાર કહે છે –
तेवढं कोडिसयं, लरका चुलसीइ वलयविकंभो। नंदीसरहमदीवो, चउदिसि चउ अंजणा मज्झे ॥६०॥
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ
૧૦૯
અ:-(તેવ ં જોન્ડિસö) એક અબજ, ત્રેસઠ કરોડ અને (જલ્લા સુલીદ) ચારાશી લાખ ( ૧૬૩૮૪૦૦૦૦૦ ) ચેાજનના ( વવિહ્વો ) વલય વિષ્ણુભ ( ઘેરાવા )વાળા, જ બૂઢીપથી ( વીલઠ્ઠમથીવો ) આઠમા ન ંદીશ્વર નામના દ્વીપ છે. તે દ્વીપ સમગ્ર સુર અને અસુરના સમૂહને આન ંદ આપનાર તથા મેટા જિનાલયા, ઉદ્યાના, પુષ્કરણીએ ( વાવા ) અને પર્વતા વિગેરે પદાર્થના સમૂહથી ઉત્પન્ન થયેલી વિભૂતિવડે ઇશ્વર ( શ્રેષ્ઠ ) છે, તેથી તે નદીશ્વર એવા સાર્થક નામવાળા છે. તે દ્વીપના વલયના ( મળ્યું) મધ્ય ભાગમાં પૂર્વ વિગેરે (ચત્ત) ચારે દિશાઓમાં મધ્ય ભાગે ( ચડવંજ્ઞા) ચાર અંજનિગર રહેલા છે. તેમના નામ આ પ્રમાણે છે:-પૂર્વ દિશામાં દેવરમણુ, દક્ષિણમાં નિત્યેાદ્યોત, પશ્ચિમમાં સ્વયં પ્રભ અને ઉત્તરમાં રમણીય નામે અંજનિગિર છે. ૬૦.
હવે તે અંજનિગિરનું સ્વરૂપ કહે છે:—
गोपुच्छा अंजणमय, चुलसीसहसुच्च सहसमोगाढा । समभुवि दससहसपिहु, सहसुवरिं तेसिं चउदिसि ॥६१॥
અર્થ :—— શોપુચ્છા ) ઉંચા કરેલા ગાયના પુચ્છના સંસ્થાને રહેલા એટલે કે જેમ ગાયનું પૂછડું મૂળમાં સ્થૂળ હોય અને નીચે જતાં અનુક્રમે નાનુ નાનુ ( પાતળુ પાતળુ ) હાય તેમ આ ચારે અજનપતા નીચે અધિક વિસ્તારવાળા અને ઉપર ઉપર અનુક્રમે થાડા થાડા વિસ્તારવાળા છે. તે પર્વતા સથા ( અંગળમય ) અ ંજનરત્નમય ( નીલરત્નમય ) છે. તે ચારે પર્વતા ( ચુસ્તીસત્તુ= ) પૃથ્વી પરથી ચારાશી હજાર ાજન ઉંચા છે, ( સત્તમોઢા ) એક હજાર યેાજન પૃથ્વીની અંદર રહેલા છે, ( સમવિ ) પૃથ્વીની સપાટી ઉપર ( સત્ત-વિદુ ) દસ હજાર યેાજનના વિસ્તારવાળા છે અને ત્યાંથી ઉપર જતાં અનુક્રમે હીન થતાં થતાં છેક (સદ્દનુર) ઉપર એક હજાર યેાજનના વિસ્તારવાળા છે. તે પર્વતાની પિરિધ મૂળમાં એકત્રીશ હજાર છશે ને ત્રેવીશ ( ૩૧૬૨૩) ચેાજનથી કાંઇક હીન છે, અને શિખરપરની પરિધિ ત્રણ હજાર એકસેા ને બાસઠ ( ૩૧૬૨ ) ચેાજન છે. ( સેલિઁ ) તે પર્વતાની ( ચલિતુ ) ચારે દિશાઓમાં શું છે ? તે કહે છે. ૬૧.
लकंतरिआ चउ चउ, वावी स दस य जोअणुव्विद्धा । હવું, ફીપિદુઘે, તમો મુિદ્દા સોહ ॥ ૬૨ ॥
અર્થ:—( જiરિયા ) લાખ યેાજનને આંતરે એટલે તે ચારે અંજનગિરિની ચારે દિશાઓમાં લાખ લાખ યેાજન છેટે (૨૩ ૨૩ વાવી) ચાર ચાર વાવેા છે. બધી મળીને સેાળ વાવા છે. ( સ ) તે દરેક વાવા ( સ ય નો વિના)
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પ્રકરણસ ગ્રહ
દશ દશ ાજન ઊંડી છે. નિર્મળ, શીતળ અને સ્વાદુ જળથી ભરેલી છે. તે દરેક વાવ ( રુÄ ટ્રીપદુ≠) લખાઇ તથા પહેાળાઈમાં લાખ લાખ યોજનનો છે. તે દરેક વાવ પૂર્વ વિગેરે દિશાના અનુક્રમે અશેાક, સપ્તઋદ, ચંપક અને આમ્ર વનાએ કરીને વ્યાપ્ત છે. એટલે સ મળીને ચેાસઠ વના છે. ( તમ્મો ) તે દરેક વાવેાના મધ્યમાં ( વૃદ્ઘિમુદ્દા) દધિમુખ નામના ( સોજ ) સેાળ પતા રહેલા છે. ૬૨.
તે ધિમુખ નામના પ°તા કેવા છે તે કહે છેઃ—
सहसोगाढा चउसट्टि - सहसुच्चा दससहस्स पिहुला य । सर्व्वत्थ समा पल्लग - सरिसा रुप्पामया सवे ॥ ६३ ॥
અ:—તે દરેક ધિમુખ પર્વ તા ( સટ્ટોના ) એક હજાર યેાજન પૃથ્વીની અદર રહેલા છે. બહાર ( ૨૩દિલનુચા) ચાસઠ હજાર યાજન ઉંચા છે, અને ( સત્થલમા ) સર્વત્ર મૂળમાં, મધ્યમાં અને શિખરમાં સરખા ( રસસદ્દસ્ત વિદુહા ય) દશ હજાર યેાજન પહેાળા છે; માટે જ તે ( પણપરિક્ષા ) પલ્યની જેવા કહેવાય છે. પલ્પ એટલે અનાજ ભરવાના કાઠા અથવા માણું તેને આકારે રહેલા છે. વળી તે પર્વતા ( સથે ) સવે` ( રવ્વામા ) રૂપામય છે એટલે શ્વેત વર્ણ વાળા છે. ૬૩.
હવે અજનિગિર અને દધિમુખ પર્વત પર જિન ચૈત્યેા છે તે વિષે કહે છેઃ— अंजणदहिमुहचेइअ, वीसं चउदार दीहपिहुउच्चा | सय पन्ना बावन्तरि, जोअण हाणंांग जिअभिगमे ॥ ६४ ॥
અર્થ?— અંગળદિમુદ્દે ) ચારે અંજન પર્વત પર અને સાળે ધિમુખ પર્વ તા પર ( એલ્બ ) એક એક ચૈત્ય હાવાથી સ` મળીને ( i ) વીશ ચૈત્યા છે, તે દરેક ચૈત્ય ( સવાર) ચાર ચાર દ્વારવાળા છે. ( અન્ય આચાર્ય ને મતે ચારે વિદિશામાં દરેક ધિમુખના આંતરામાં મેએ હાવાથી ખત્રીશ રતિકર નામના પર્વત પર પણ એક એક ચૈત્ય હાવાથી એકદર બાવન ચૈત્યેા છે. ) તે દરેક સિદ્ધાયતના ( ચૈત્યેા ) ( સ ) સા સા યેાજન પૂર્વ પશ્ચિમ લાંખા, ( પન્ના ) પચાસ પચાસ યાજન ઉત્તર દક્ષિણ પહેાળા અને ( વાવર નોઞળ) આંતેર ચેાજન ઉંચા છે. તે દરેક ચૈત્યના દરેક દ્વારમાં મુખમંડપ ૧, પ્રેક્ષામડપ ૨, ચૈત્યસ્તૂપ ૩, ચૈત્યવૃક્ષ ૪, મહેન્દ્રધ્વજ ૫ અને પુષ્કરણી ( વાવ ) એ છ પદાર્થો રહેલા છે. તેમાં મુખમંડપ અને પ્રેક્ષામંડપ સા યેાજન લાંબાં, પચાસ ચેાજન પહેાળા અને સાળ ચેાજન ઉંચા છે. ચૈત્યપ સેાળ યાજન લાંબા અને સેાળ ચેાજન પહેાળા છે. ચૈત્યવૃક્ષ અને મહેન્દ્રધ્વજની પીઠિકાએ આઠ યાજન લાંખી
Page #124
--------------------------------------------------------------------------
________________
w
શ્રી વિચારસર્ણતિકા પ્રકરણ
૧૧૧ પહોળી છે અને પુષ્કરિણી વાવ સો જન લાંબી પહોળી અને દશ એજન ઊંડી છે. આ પર્વત ઉપરની વાવોમાં મર્યા વિગેરે જળચર પ્રાણીઓ છે, એમ પ્રજ્ઞાપનાના ત્રીજા પદની વૃત્તિમાં કહ્યું છે. ત્યવૃક્ષ અને ઇંદ્રધ્વજનું પ્રમાણ જીવાભિગમ ઉપાંગથી જાણી લેવું. આ પ્રમાણે વિશ સિદ્ધાયતનું સ્વરૂપ (કાનિ નિમિયા) ઠાણાંગ સૂત્રમાં અને જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે. ૬૪.
હવે રતિકર પર્વતે વિષે કહે છે:नंदी विदिसिं चउरो, दसिगसहस्सा पिहुच पाऊहे। झल्लरिसरिस चेइअ, रइकर ठाणंगिसुत्तम्मि ॥६५॥
અર્થ?—(નંદી) નંદીશ્વર દ્વીપની (વિિિહ કો) ચારે વિદિશામાં () ચાર રતિકર પર્વતો છે, તે પર્વતો પણ ( ) ચા સહિત છે. પ્રવચનસારોદ્ધારાદિક ગ્રંથને અનુસાર તે ચાર વાવોના આંતરામાં બે બે રતિકર પર્વતે રહેલા છે. ( આ પ્રમાણે એક દિશામાં ચાર વાવ હોવાથી આઠ રતિકર પર્વત છે. એક દિશામાં જેમ છે તેમ જ બીજી ત્રણ દિશામાં હોવાથી સર્વે મળીને બત્રીશ રતિકર પર્વત સિદ્ધાયતન સહિત છે.) હવે પ્રથમ કહેલા ચાર રતિકર પર્વતનું તથા અન્ય આચાર્યના મતે બત્રીશ રતિકર પર્વતનું એક સરખું જ પ્રમાણ છે, તે કહે છે-(રસિકતા પિદુ) દશ હજાર યોજન પહોળા અને દશ હજાર
જન વિસ્તારવાળા એટલે લાંબા, ગોળ, એક હજાર જન ઉંચા અને એક હજાર એજનના (1) ચોથા ભાગે એટલે અઢીસે જન ભૂમિની અંદર રહેલા છે. તે પર્વતે નીચે (તળેટીએ) તથા ઉપર (શિખરે) દશ હજાર જન સરખા પહોળા હેવાથી (રિસ) ઝલ્લરી નામના વાજિત્ર જેવા વર્તુલાકારે છે. આ સર્વ હકીકત (રાજકુત્તમ) ઠાણાંગ સૂત્રમાં કહેલી છે. ૬૫. ( ટીકાવાળી પ્રતમાં ત્રીજા પાદમાં (ગામ) એ પાઠ છે અને ટીકામાં ચૈત્ય રહિત એમ અર્થ પણ કર્યો છે.)
હવે ઉપર કહેલા સ્થાનથી બીજા સ્થાનોમાં એટલે ઊર્ધલેક અને અધેલેકમાં જે સિદ્ધાયતનો છે તેની ઉંચાઈ વિગેરેનું પ્રમાણ કહે છે –
नंदीसरव्व उड्डे, पन्नासाई असुरजिणभवणं । तयं अद्धं नागाइसु, वंतरनगरेसु तयं अद्धं ॥ ६६ ॥
અર્થ-નહીરાણ) નંદીશ્વરમાં રહેલા ચેત્યોની જેમ (૩૬) ઉર્થલેકે દેવલોકમાં રહેલા સિદ્ધાયતને સો યોજન લાંબા, (પન્નાલાર્ડ) પચાસ યોજન પહેલા તથા બેતેર યેાજન ઉંચા છે. પરંતુ ત્રણ ત્રણ દ્વારવાળા છે, (મદુનિમવાં)
Page #125
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
ભુવનપતિમાં અસુરકુમાર નિકાયના જિનભવને (ત ) તેનાથી અર્ધા પ્રમાણવાળા છે, એટલે પચાસ યેાજન લાંબા, પચીશ એજન પહોળા અને છત્રીશ
જન ઉંચા છે. (નાIICT) તથા નાગકુમારાદિક નવ નિકામાં રહેલા ચૈત્ય તેથી પણ અર્ધા પ્રમાણુવાળા એટલે પચીશ જન લાંબા, સાડાબાર જન પહોળા અને અઢાર ચાજન ઉંચા છે. તથા (ચંતાનg) વ્યંતરોના નગરમાં રહેલા ચેત્ય (તર્થ ગર્દ) તેથી પણ અધ પ્રમાણવાળા એટલે સાડાબાર જન લાંબા, સવા છ પહોળા અને નવ જન ઉંચા છે. જ્યોતિષ્ક વિમાનમાં અને તિચ્છી લેકમાં રહેલા ચેત્યે ભિન્ન ભિન્ન પ્રમાણવાળા છે. ૬૬.
(તિ નંદીશ્વરીયા | ૨૦ | ) હવે અગિઆરમું પ્રતિક્રિયા નામનું દ્વાર કહે છેमन्नह जिणाण आणं, मिच्छं परिहेरह धरह सम्मत्तं । छव्विह आवसयांम अ, उज्जुत्तो होइ पइदिअहं ॥६७॥ અર્થ –(અન્ન નિ ગાળ) જિનેશ્વરની આજ્ઞા માનવી (૧) (મિ છે
૬) મિથ્યાત્વને ત્યાગ કરો (૨) (ધર સત્ત) સમ્યકત્વને ધારણ કરવું (૩) (વિવ૬ સાવરયંમ ) છ પ્રકારના આવશ્યકમાં (૩ળુ દો gg વિગë ) પ્રતિદિન ઉદ્યમવંત થવું. (૪) ૬૭.
पव्वेसु पोसहवयं, दाणं सील तवो मैं भावो अ। સાથે નમુનો, પવયે શ ન ચ I ૬૮ /
અર્થ:-(vg સાવ) પર્વને દિવસે પિષધ વ્રત લેવું ૫. (વા) દાન દેવું ૬. (સીરું) શીલ પાળવું ૭. (તવો ) તપ કરે ૮. માવો ૪) ભાવના ભાવવી ૯. (તલ્લાક) સ્વાધ્યાય ધ્યાન કરવું ૧૦. (નમુધારો) નવકારને જાપ કરવો ૧૧. (gોવા ) પરોપકાર કરે ૧ર. (૪થr ) યતના કરવી ૧૩. ૬૮.
जिणपूऔं जिणथुणणं, गुरुथुइ साहमिआण वच्छल्लं । ववहारस्सयसुद्धी, रहजेत्ता तित्थजत्ता य ॥ ६९ ॥
અર્થ – નિપૂબા) જિનેશ્વરની પૂજા કરવી ૧૪. (નિબળુળt ) જિનેશ્વરની સ્તુતિ કરવી ૧૫. (જુયુદ) ગુરુની સ્તુતિ કરવી ૧૬. (સામાન વચ્છ)
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ
૧૧૩
naanam
સાધમીવાત્સલ્ય કરવું ૧૭. (૨વારા જ હુક્કી) વ્યવહારની શુદ્ધિ કરવી ૧૮. (ગા) રથયાત્રા ૧૯ અને (તિથિના ) તીર્થયાત્રા કરવી. ૨૦. ૮૯.
संघोवरि बहुमौणो, धम्मिमित्ती पभावणा तित्थे । नवखित्ते धर्णवेयणं, पुत्थयलिहणं विसेसणे ॥ ७० ॥
અર્થ –(સંશોર દુમાળો) સંઘની ઉપર બહુમાન રાખવું ૨૧.(ઘમ - મિત્તી) સમાન ધર્મવાળા સાથે મૈત્રી કરવી ર૨. (માવા તિર્થે) શાસનની પ્રભાવિના કરવી ૨૩. (નવલિ થય) નવ ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય કરવો. ૩ર. (પુરથછિદળ વિરતેજ ) વિશેષ કરીને પુસ્તક લખાવવાં. ૩૩. ૭૦.
परिगहाणाऽभिग्गह, इक्कारसढपडिमफासणया। सव्वविरईमणोरहँ, एमाई सढकिच्चाइं ॥ ७१ ॥
અર્થ –(દિમાગ) પરિગ્રહનું પ્રમાણ કરવું ૩૪. (મિરજાદુ ) અભિગ્રહ ધારણ કરવા ૩૫, (TuહમFUા ) શ્રાવકની અગ્યાર પ્રતિ માનું વહન કરવું ૩૬ (શ્વવિભોરદૃ ) અને સર્વવિરતિ (ચારિત્ર) ગ્રહણ કરવાને મને રથ કરવો (ઈચ્છા રાખવી) ૩૭. (grઈ સદ્દવિચા૬) એ વિગેરે શ્રાવકનાં કૃત્ય જાણવા. ૭૧
( રૂતિ રહિયાર ૨૨ ) હવે ચૈદ ગુણસ્થાન નામનું બારમું દ્વાર કહે છે – अह चउदससु गुणेसुं, कालपमाणं भणामि दुविहं पि'। न मरइ मरई वि जेसुं, सह परभवू जेहिं अप्पबहूँ॥ ७२ ॥
અર્થ –(સદ ) હવે આ ગુણસ્થાન નામના દ્વારમાં ચાર પ્રતિકાર (અંતગંતદ્વાર ) છે તે આ પ્રમાણે –( રડતુ મુકું ) દ ગુણસ્થાનકમાં (વિટું જિ) જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારની સ્થિતિના ( ) કાળનું પ્રમાણ ૧. (કડુ કવિ છું) જે જે ગુણસ્થાનમાં રહેલો જીવ મરે અથવા ન મરે તેનું સ્વરૂપ ૨. ( રદ પૂનમવું કોë ) જીવ જે જે ગુણસ્થાન સહિત પરભવમાં જાય તે ૩. ( અપૂવ) તથા ગુણસ્થાનેમાં વર્તતા જીવોનું અલ્પબદુત્વ ૪. આ પ્રમાણે ગુણસ્થાનનાં ચાર પ્રતિદ્વારેને (મામ) હું કહું છું. ૭૨
તેમાં પહેલા પ્રતિકારની વ્યાખ્યા કરવા ઈચ્છતા આચાર્ય મિથ્યાત્વની સ્થિતિના કાળભેદ બતાવે છે –
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રકરણસ'ગ્રહ.
मिच्छं अणाइनिहणं, अभवे भवे वि सिवगमाजुग्गे । सिवगमा अणाइसंतं, साईसंतं पि तं एवं ॥ ७३ ॥
અઃ—અનાદિ અનંત ૧, અનાદિ સાંત ૨, સાદિ અનંત ૩ અને સાદિ સાંત ૪. એ ચાર ભેદ્યમાં ( અમદ્દે ) અભવ્ય જીવને ( ગળાનળ ) અનાદિ અનંત ભાંગે ( મિō ) મિથ્યાત્વ હોય છે. તથા ( મળે વિ) ભવ્યમાં પણ જે ( લિવગમાનુì ) માક્ષ પામવાને અયેાગ્ય હાય તેને પણ અનાદિ અન ંત ભાંગે મિથ્યાત્વ હાય છે. આથી કરીને જાતિભવ્ય અને અભવ્ય બન્નેને અનાદિ અનંત મિથ્યાત્વ સિદ્ધ થયું, એ પ્રથમ ભાંગા જાણવા. તથા ( શિવનમા ) મેાક્ષ પામવાને ચેાગ્ય એવા ભવ્ય જીવને ( અળાÄä ) અનાદિ સાંત એટલે આદિ રહિત અને અંત સહિત મિથ્યાત્વ હાય છે. જેમકે કેાઇક જીવ મરુદેવી માતાની જેમ સમકિત પામીને ( વસ્યા સિવાય) તે ભવમાં જ મેાક્ષે જાય, એ બીજો ભાંગેા જાણવા. ર. તથા કેાઈક જીવને ( સાફ઼ેસંત પિ ) સાદિ સાંત મિથ્યાત્વ હાય છે. જેમકે કાઇ જીવ શ્રી મહાવીરસ્વામી વિગેરેની જેમ સકિત પામીને પછી ક્રીથી મિથ્યાત્વ પામે છે. અને ત્યારપછી ફ્રીને સમિકત પામી મેાક્ષે જાય છે. ( ä Ë ) એ ચેાથા ભાંગા જાણવા. ( સાદિ અનંત નામના ત્રીજો ભાંગેા મિથ્યાત્વના વિષયમાં હાતા નથી. ) ૭૩.
ત્રીજો સાદિ સાંત નામના ભાંગેા મિથ્યાત્વને વિષે કેટલા કાળ સુધી રહે છે ? તે કહે છે:--
लहु अंतमुहू गुरुअं, देसूणमवड्ढपुग्गलपरहं । सासाणं लहु समओ, आवलिछकं च उक्कोसं ॥ ७४ ॥ ॥ ॥
અ:--તે સાદિ સાંત ભાંગે મિથ્યાત્વ ( હજુ અંતમુહૂઁ ) જઘન્યથી અ ંતમુહૂત્ત સુધી રહે છે, ( ગુ× ) ઉત્કૃષ્ટથી (વૈઘૂળમવટ્ટુપુછપરË) દેશે ઊણા અર્ધ પુદ્ગલપરાવર્ત સુધી રહે છે ૧. ( સાત્તાળું) તથા સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાનક ( દુ લમો ) જધન્યથી એક સમય ( ૬ ) અને ( રોä ) ઉત્કૃષ્ટથી ( આહિછ ) છ આવિલ સુધી રહે છે, તેથી વધારે રહેતુ નથી ૨. ૭૪.
अजहन्नमणुक्कासं, अंतमुहू मीसगं अह चउत्थं । समहिअतित्तीसयरे, उक्कोसं अंतमुहु लहुअं ॥ ७५ ॥
૧ કેટલાક ભવ્ય જીવા એવા પણ છે કે જે નિગેાદમાંથી નીકળવાના જ નથી તે
જાતિભવ્ય કહેવાય છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસક્ષતિકા પ્રકરણ.
૧૧૫
અ:— મીલન ) ત્રીજું મિશ્ર ગુણસ્થાનક ( અન્નામનુએલ ) અજધન્યેાત્કૃષ્ટ અસંખ્ય સમયવાળા ( અંતમુકૢ ) અંતર્મુહૂત્ત સુધી રહે છે. ( અ રત્નું ) ચેાથું અવિરતિ નામનુ ગુણસ્થાન ( સ ) ઉત્કૃષ્ટથી ( સદિતિત્તીત્તએ ) તેત્રીશ સાગરાપમથી કાંઇક અધિક કાળ સુધી રહે છે; કારણ કે સવા સિદ્ધ વિમાનની સ્થિતિ તેત્રીશ સાગરાપમની છે, તેમાં એક મનુષ્ય ભવનું આયુષ્ય વધે છે, તે અપેક્ષાએ એટલું પ્રમાણ જાણવું, કહ્યું છે કે:—
साहि तित्तीसार खइअं दुगुणं खओवसमं ( ક્ષાયિકને આશ્રીને તેત્રીશ સાગરાપમથી અધિક સ્થિતિ છે અને ક્ષાયેાપશમિકને આશ્રીને તેથી ખમણી સ્થિતિ છે. ) એ સ્થળે છાસઠ સાગરોપમથી કાંઇક અધિક સ્થિતિ કહી છે તે સમ્યક્ત્વ છતાં પણ દેશવિરતિ વિગેરે ગુણસ્થાનકના અંતર્ગતપણાએ કરીને જાવી. ચેાથા ગુણસ્થાનકની ( હ્રદુર્ગં ) જઘન્ય સ્થિતિ ( અંતમુત્તુ ) અંતર્મુહૂત્ત ની જાણવી. ૪. ૭૫.
6
देसूणपुल्वकोडी, गुरुअं च अंतमुहु दे ।
છઠ્ઠાડ્યરસતા, હદુ સમયા અંતમુદું ગુજ્ઞા ॥ ૭૬ ॥
અ:—( ધેસં) પાંચમા દેશવિરતિ ગુણુસ્થાનકની (ગુરુશ્ત્ર ) ઉત્કૃષ્ટ સ્થિતિ ( તૈમૂળપુલજોડી) આઠ વર્ષે ઊણી ક્રોડ પૂર્વની જાણવી, કારણ કે કોઇક ક્રોડ પૂર્વના આયુષ્યવાળા જીવ આઠ વર્ષની ઉમ્મર થયા પછી દેશિવરતિને ગ્રહણ કરે, તેથી આ પ્રમાણે સ્થિતિ હાઇ શકે છે. તથા ( હ્ર૪ ) જઘન્ય સ્થિતિ ( અંતમુહુ ) અંતર્મુહૂની છે ૫. ( છઠ્ઠા સંતા ) છઠ્ઠાથી અગ્યારમા પંત છ ગુણુસ્થાનકની ( હજુ સમયા ) જધન્ય સ્થિતિ એક સમયની છે, ( અંતમુહુ ગુરુગ ) છએની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂત્તની છે. ૭૬.
( અહીં છઠ્ઠા સાતમા ગુણસ્થાનની સ્થિતિ ભેળી દેશે ઊણી કોડ પૂર્વની સમજવી. )
अंतमुहुत्तं एगं, अलहुक्कोसं अजोगिखीणेसु । देसूणपुबकोडी, गुरुअं लहु अंतमुहु जोगी ॥ ७७ ॥
અ:-( અજ્ઞોના ) અયેાગીકેવલી નામના ચાદમા અને ( સ્ત્રીનેવુ ક્ષીણમેાહ નામના બારમા ગુણુસ્થાનકની ( ઍટ્ટુનોલ ) જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ( અંતમુકુત્તું i ) એક અંતર્મુહૂત્તની છે. તથા ( જ્ઞોની ) સયેાગી કેવલી નામના તેરમા ગુણસ્થાનકની (તુષ્ત્ર ) ઉત્કૃષ્ટ સ્થિતિ (àમૂળપુ જોકી ) નવ વર્ષ ઊણી એક ક્રોડ પૂર્વની છે અને ( દુ અંતમુજ્જુ ) જઘન્ય અંતર્મુદૂની છે. ૭૭.
હવે બીજી ને ત્રીજી પ્રતિદ્વાર કહે છે:—
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પ્રકરણસ ગ્રહ
मीसे खीण सजोगी, न मरंत मरंतेगारसगुणसु । तह मिच्छसासाणअविरइ सहपरभवगा न सेसट्टा ॥७८॥
અ:—( મીત્તે ) ત્રીજા મિશ્ર ગુણુસ્થાનકે, ( સ્ત્રીન ) ખારમા ક્ષીણમાહે અને ( જ્ઞોની ) સયાગી નામના તેરમે ગુણસ્થાને વતા જીવ (ન મયંત ) મરણુ પામતા નથી, ( મતેલગુળેજી ) ખાકીના અગ્યાર ગુણસ્થાનને વિષે વતા જીવ મરણ પામે છે. ( એ બીજી પ્રતિદ્વાર પૂર્ણ થયુ. ) હવે ઉત્તરાર્ધ ગાથાવડે ત્રીજી પ્રતિદ્વાર કહે છે (તદ્દે મિષ્ઠલાલાળત્રવિદ ) તેમજ મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરતિ એ ત્રણ ગુણસ્થાનક ( સજ્જ મવા) સહિત જીવા પરભવમાં જાય છે અર્થાત્ તે ત્રણ ગુણસ્થાને જીવની સાથે પરભવમાં જાય છે. ( મૈં ફેલા) બાકીના આઠ ગુણસ્થાના જીવની સાથે પરભવમાં જતા નથી. ખારમા, તેરમા ને ચોદમાની તે નિયમા મેાક્ષગતિ જ છે. ૭૮. ( અહીં ત્રીજી પ્રતિદ્વાર પૂર્ણ થયું. ) હવે ચેાથું અલ્પમહત્વ નામનું પ્રતિદ્વાર કહે છે:— उवसंतिजिणा थोवा, संखिज्जगुणाओ खीणमोहिजिणा । सुहुमनिअअिनि, तिन्नि वि तुल्ला विसेसहिआ ॥ ७९ ॥
અ –આધારને વિષે આધેયના ઉપચાર કરવાથી ગુણસ્થાનને ઠેકાણે ગુણસ્થાનને વિષે વતા જીવા લેવાય છે. તેથી કરીને (૩વસંતિનિળા) ઉપશાંતિ જિના એટલે ઉપશાંતમેાહ ગુણુઠાણાને વિષે વત્તા જીવા ( થોવા ) સર્વથી;થાડા હાય છે, કારણ કે ઉપશમ શ્રેણી પ્રતિપદ્યમાન જીવા એક સમયમાં ઉત્કૃષ્ટથી ચેાપન લભ્ય થાય છે. તેનાથી ( છીળોિિનળા ) ક્ષીણમાહી જિના ( વિષ્ણુળાનો ) સંખ્યાતગુણા હાય છે, કારણ કે ક્ષપકશ્રેણી પ્રતિપદ્યમાન જીવા ઉત્કૃષ્ટા એક સમયે એક સેા ને આઠ લભ્ય થઇ શકે છે. આ ઉત્કૃષ્ટની અપેક્ષાએ જાણવુ, જધન્યની અપેક્ષાએ તે તેથી ઉલટુ પણ હાઈ શકે. જેમકે ક્ષીણમેાહી થેાડા હોય અને ઉપશાંતમેાહી તેનાથી સંખ્યાતગુણા હાય. તેનાથી ( ક્ષીણમાહથી ) ( સુન્નુમનિદ્ધિનિટ્ટિ ) સૂક્ષ્મસ પરાય, અનિવૃતિ ( અનિયટ્ટી ) અને અપૂર્વકરણ (નિયટ્ટી) એ (તિન્નિ વિ ) એ ત્રણે ગુણઠાણે વતા જીવા (વિજ્ઞસદ્વિ ) વિશેષ અધિક હાય છે. ( તુઠ્ઠા ) તેઓ પાતપેાતાને સ્થાને એકબીજાની (તુલ્ય ) સરખા હાય છે. ૭૯. जोगि अपमत्त इयरे, संखगुणा देस सासणा मिस्सा । अविरय अजोगि मिच्छा, चउर असंखा दुवे णंता ॥ ८० ॥
અર્થ:—તેનાથી ( નિ ) સયેાગી કેવલી ( સંલનુળા ) સંખ્યાતગુણા હોય છે, કારણ કે તેએ એથી નવ ક્રોડ પામી શકાય છે. તેનાથી ( પમત્ત )
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ.
૧૧૭
અપ્રમત્ત સંખ્યાત ગુણા હેાય છે, કારણ કે તેએ બે હજાર ક્રોડથી નવ હજાર ક્રોડ પામી શકાય છે. તેનાથી ( રે ) ખીજા પ્રમત્ત ગુણસ્થાનવાળા સંખ્યાત ગુણા હાય છે, કારણ કે ઘણા જીવા પ્રમાદી હેાય છે અને પ્રમત્તપણું ઘણા કાળ સુધી રહે છે. તેનાથી ( ઢેલ રાસળા મિલા ) દેશવિરત, સાસ્વાદન, મિશ્ર અને ( વિત્ત્વ ) અવિરત ( ૨૩૬ અસંવા ) એ ચારે અસંખ્યાતગુણા હાય છે, કારણ કે દેશિવરતિને ધારણ કરનાર તિર્ય ંચા અસંખ્યાતા છે. સાસ્વાદનવાળા તા કાઇવાર ન પણ હાય અને હાય ત્યારે પણ જઘન્યથી એક એ હાય છે, તથા ઉત્કૃષ્ટથી દેશિવરતિ કરતાં અસંખ્યાતગુણા હાય છે. તેમનાથી મિશ્ર અસ ંખ્યાતગુણા હાય છે, કારણ કે સાસ્વાદનના છ આવલિકારૂપ ઉત્કૃષ્ટ કાળ કરતાં મિશ્રના અંતહૂર્ત સંબંધી કાળ ઘણા માટે છે. તેનાથી અવિરતિ જીવા અસંખ્યાતગુણા હાય છે, કારણ કે તે ગુણસ્થાને ચારે ગતિના જીવા હાય .છે. ત્યારપછી ( ત્રજ્ઞોન મિચ્છા ) અયેાગી અને મિથ્યાદષ્ટિ (જુવે ળતા) એ એ અનતા હાય છે. અવિરતાથી ભવસ્થ ( કેવળી ) અને અભવસ્થ ( સિદ્ધ ) એ બે પ્રકારના અયેાગી અનંતગુણા હાય છે, કારણ કે સિદ્ધો અન ંત છે. તેનાથી મિથ્યાદષ્ટિએ અન તગુણા છે, કારણ કે તેમાં અનંતા વનસ્પતિકાય જીવાને સમાવેશ થાય છે. ત મિથ્યાદ્રષ્ટિ જ છે. આ પ્રમાણે ચેાથું પ્રતિદ્વાર પૂર્ણ થયુ અને તેથી કરીને ગુણુ સ્થાન નામનું ખારમું દ્વાર પણ પૂર્ણ થયુ. ૮૦.
” હવે ગ્રંથના ઉપસંહાર ( સમાપ્તિ ) કરે છેઃ— चउदसगुणसोवाणे, इअ दुहरोहे कमेण रुहिऊणं । नरसुरमहिंदवंछिय— सिवपासाए सया वसह ॥ ८१ ॥
અર્થ:—( ફૂલ ) આ પ્રમાણે હું ભવ્ય જીવેા ! ( ચત્તુળસોવાળે ) ચાદ ગુણસ્થાનરૂપ પગથિયાં કે જે ભારેકમી આવડે ( દુદìત્તે ) દુ:ખે આાહણ કરાય તેવા છે, તેના પર ( મેળ) અનુક્રમે ( હળિ ) આરોહણ કરીને ( નરસુરમદિંવંયિ ) મનુષ્ય, દેવ અને તેના ઈંદ્રોએ પણ ઇચ્છેલા (શિવપાલાપ ) માક્ષરૂપ પ્રાસાદને વિષે જઈને ( સયા વલજ્જ) નિર ંતર નિવાસ કરે. અથવા મનુષ્ય અને દેવાએ તથા મહેદ્રસિંહ નામના સૂરિએ વાંછિત એવા મેાપ્રાસાદને વિષે શાશ્વત નિવાસ કરો. આ અથી ગ્રંથકારે પેાતાનુ નામ સૂચવ્યું છે. ૮૧.
શ્રી તપગચ્છરૂપી આકાશના આંગણામાં (મધ્યમાં) સૂર્ય સમાન શ્રી વિજયદેવ નામના સૂરિની આજ્ઞાથી વિનયકુશળ નામના મુનિએ આ વૃત્તિની રચના કરી છે.
શ્રીવિચારસહૃતિકા પ્રકરણ વૃત્તિસહિતના ગુજરાતી અનુવાદ સંપૂર્ણ
Page #131
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦૦૦
A૦૦૦૦૦૦૦૦૦૦
@@@ @@ શ્રી આનંદવિમળસૂરિશિષ્ય વાનરર્ષિવિરચિત श्री विचारपञ्चाशिका प्रकरण
(મૂળ તથા ભાષાંતર યુક્ત)
वीरपयकयं नमिउं, देवासुरनरबिरेफसेविअयं । जिणसमयसमुद्दाओ, विचारपंचासियं वुच्छं ॥१॥
ભાવાર્થ-(રેવાકુના ) સુર, અસુર અને મનુષ્યરૂપી ( વિરેજ ) ભ્રમરોએ (રવિણં ) સેવન કરેલા (વીરપથાર્થ ) શ્રીમહાવીરસ્વામીના ચરણ કમળને (મઉં) નમસ્કાર કરીને (નિરમા ) જિનેશ્વરે કહેલા સિદ્ધાન્તરૂપી (મુદ્દાગ ) સમુદ્રમાંથી ઉદ્ધરીને ( વિવારંવારાં ) વિચારપંચાશિકાને (૩૪) હું કહું છું. ૧.
વિશેષાર્થ –આ વિચારપંચાશિકા નામના ગ્રંથમાં નવ પદાર્થોને વિચાર કહેવામાં આવશે. તેમાં પ્રથમ શરીર સંબંધી વિચાર (૧). જીવ કેટલો કાળ ગર્ભમાં રહીને નરકે તથા સ્વર્ગે જાય તથા તે નરક અને સ્વર્ગમાંથી નીકળી મનુષ્ય અને તિર્યંચમાં આવી કેટલે કાળ જીવે ? તેને વિચાર ( ૨ ). અપુદુગલી તથા પુદ્ગલીને વિચાર (૩). સંમૂછિમ મનુષ્યની ગતિ તથા આગતિને વિચાર (૪). પર્યાપ્તિને વિચાર (૫). જીવાદિકનું અ૫હત્વ (૬). પ્રદેશ પુગલ તથા અપ્રદેશ પુદ્ગલને વિચાર ( ૭ ). કડજુમ્મા વિગેરેનો વિચાર (૮). અને પૃથ્વી આદિનું પરિમાણ (૯). એ નવ વિચાર કહેવાના પ્રારંભમાં પ્રથમ શરીરનું સ્વરૂપ-શરીર સંબંધી વિચાર વિસ્તારથી કહે છે –
ओरालिय वेउविय, आहारग तेअ कम्मुणं भणियं । एयाण सरीराणं, नवहा भेयं भणिस्सामि ॥२॥
ભાવાર્થ –શરીર (ઓસ્ટિા ) દારિક (વિશ) વૈક્રિય, (માદા ) આહારક, ( તે મુi ) તેજસ અને કાર્મણ એ પાંચ (મળિથે ) કહ્યાં છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપ ચાશિકા પ્રકરણ
૧૧૯
( વાળ ) એ ( સીત્તળ ) પાંચ શરીરના ( નવા મેથ ) નવ ભેદાને ( urforeenfa ) g' sola. 2.
એ નવ ભેદો આ પ્રમાણે-કારણ ૧, પ્રદેશ સંખ્યા ૨, સ્વામી ૩, વિષય ૪, પ્રત્યેાજન ૫, પ્રમાણ ૬, અવગાહના ૭, સ્થિતિ ૮ તથા અલ્પબહુત્વ ૯. बायर पुग्गलबद्धं, ओरालिय उयारमागमे भणियं । सुहुमसुहुमेण तत्तो, पुग्गलबंधेण भणियाणि ॥ ३ ॥
માદર
અર્થ :-( ઓરાહિય ) આદારિક શરીર ( વાચવુજવસ્તું) સ્થૂલ પુદ્ગલાથી બંધાયેલુ છે. તે ( ૩ચાર ) ઉદાર એટલે પ્રધાન છે. દારિકની પ્રાધાન્યતાનું સ્વરૂપ-કારણ ( આનમે મળિય) આગમને વિષે કહેલુ છે. (તો) તે દારિકથકી ઉત્તરાત્તર ( વ્રુદુમસુદુમેળ ) સૂક્ષ્મ સૂક્ષ્મ ( પુનવર્ધન ) પુદ્ગલના ખધે કરીને બંધાયેલા બીજા ( ચાર ) શરીરા ( મળિયાળિ ) કહેલા છે. ૩.
વિશેષા:-ખાદર પુદ્ગલેા એટલે સ્થૂલ પુદ્દગલાથી બંધાયેલ–ઉપચય પામેલ દારિક શરીર છે. તે કેવું છે ? ઉદાર એટલે પ્રધાન છે. તેના પ્રાધાન્ય સંબધી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે—
જિનેશ્વરના રૂપથી ગણધરનું રૂપ અનતગુણહીન હેાય છે, ગણધરના રૂપથી અનંતગુણહીન આહારક શરીર છે, તેનાથી અન ંતગુણહીન અનુત્તરવિમાનવાસી દેવતાનું રૂપ છે, તેનાથી અન ંતગુણહીન ત્રૈવેયકવાસી દેવાનુ રૂપ હાય છે. તેનાથી અચ્યુત દેવતાનુ, તેનાથી આરણનું, એ રીતે પ્રાણત, આનત, સહસ્રાર, શુક્ર, લાંતક, બ્રહ્મ, માહેદ્ર, સનત્કુમાર, ઇશાન, સૈધ, ભવનપતિ અને જ્યાતિષી એ સર્વ દેવાનુ રૂપ ઉત્તર।ત્તર અનતગુણ્ અન ંતગુણુ હીન હાય છે. જ્યાતિષી દેવથી વ્યંતરનું રૂપ અનંતગુણહીન છે, તેનાથી ચક્રવર્તીનું રૂપ અનતગુણહીન છે, તેનાથી વાસુદેવનુ રૂપ અનંતગુણહીન છે, તેનાથી બળરામનુ રૂપ અનંતગુણહીન છે, તેનાથી મંડલિક રાજાનું રૂપ અનંતગુણુહીન છે, ત્યાર પછીના બીજા રાજાએ અને સવે મનુષ્યાનું રૂપ છ ઠાણુ ગત હેાય છે. તે છ સ્થાન
આ પ્રમાણે–અન તભાગહીન ૧, અસંખ્યભાગહીન ૨, સંખ્યાતભાગહીન ૩, સંખ્યાતગુણહીન ૪, અસંખ્યાતગુણુહીન ૫ અને અનંતગુહીન ૬. દારિક શરીરથી સૂક્ષ્મ પુદ્ગલેાવડે વૈક્રિય શરીર બંધાયેલું હાય છે, તેનાથી સૂક્ષ્મ પુદગલાવડે આહારક શરીર બંધાયેલું છે, તેનાથી સૂક્ષ્મ પુદ્ગલેાવડે તેજસ અને તૈજસથી સૂક્ષ્મ પુદ્ગલેાવડે કાણુ શરીર બંધાયેલું છે.
એ પાંચે શરીરના પ્રદેશની સ ંખ્યા કહે છે:—
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રકરણસ ગ્રહ.
ओरालिए अनंता, तत्तो दोसुं असंखगुणियाओ । तत्तो दोसु अनंता, पएससंखा सुए भणिया ॥ ४॥
અર્થ :-( ઓહિન્દુ અનંતા ) દારિક શરીરમાં અનતા પ્રદેશેા છે. ( તત્તો રોવું) તેનાથી બીજા એ શરીરમાં (અસલનુળિયાો) અસંખ્યાતગુણા છે, એટલે કે દારિક શરીરમાં પ્રદેશેા સર્વથી ઘેાડા છે, તેનાથી વૈક્રિય શરીરમાં અસ ંખ્યાત ગુણ અધિક છે, અને તેનાથી આહારક શરીરમાં અસંખ્યાત ગુણુ અધિક છે. ( તો હોવુ અનંતા) તેનાથી—તે આહારક શરીરથી છેલ્લા બે શરીરમાં અનત ગુણા પ્રદેશ છે, એટલે કે આહારક શરીરથી અનંતગુણા તેજસ શરીરમાં અને તૈજસથી અનંત ગુણા કાણુ શરીરમાં પ્રદેશ રહેલા છે. ( પલસંવા સુપ મળિયા ) એ પ્રમાણે પાંચ શરીરના પ્રદેશની સંખ્યા સિદ્ધાન્તમાં કહી છે. ૪. હવે તેના સ્વામી કહે છે—
तिरिअनराणमुरालं, वेउव्वं देवनारगाणं च ।
तिरियनराणं पि तहा, तहद्विजुयाए तं भणियं ॥ ५ ॥
અ:-( તિથ્યિનાળ ) તિર્યંચ અને મનુષ્યને ( સારું ) દારિક શરીર હાય છે, ( દેવના ગાળે ૪ ) દેવતાઓ અને નારકીઓને (વં) વૈક્રિય શરીર હાય છે. ( સત્તા ) તેમજ ( સgદ્ધિજીયા ) વૈક્રિયલબ્ધિવાળા કેટલાક ( ત્તિનિરાળું પિ) તિર્યંચ મનુષ્યાને પણ (તું મળિય) તે વૈક્રિય શરીર કહ્યું છે. ૫.
चउदस पुव्विजईणं, होइ आहारगं न अन्नेसिं ।
तेअं कम्मण भणियं, संसारत्थाण जीवाणं ॥ ६ ॥
અર્થ:—( ૨૫ન્નપુર્ણવિજ્ઞળ) ચૌદપૂર્વને ધારણ કરનાર મુનિઓને (હોર્ આહારમાં ) આહારક શરીર હાઇ શકે છે, (ન અન્નત્તિ) તે સિવાય ત્રીજાને તે ( આહારક ) શરીર હાતું નથી. (તેત્રં મળ ) તથા તૈજસ અને કાણુ એ એ શરીર ( સંભાસ્થાળ ઝીવાળું ) સર્વે ચારે ગતિવાળાસંસારી જીવાને હાય છે એમ ( મળિયં) કહ્યું છે. ૬.
હવે તે પાંચે શરીરના વિષય કહે છે:~
ओरालियम्स विसओ, तिरियं विज्जाहराणमासज्ज । आनंदीसर गुरुओ, जंघाचरणाण आरुयगो ॥ ७ ॥
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૨૧ मथ:-(ओरालियस्स ) मौहार शरीरना (विसओ) विषय ( विजाहराणमासज ) विद्याधरीने पाश्रीन (तिरियं) ताछ ( आनंदीसर गुरुओ) उत्कृष्टथी नहीश्वरवी५ सुधी छ, तथा (जंघाचारणाण ) घाया२१ भुनिने माश्रीन ( आरुयगो) दृष्टया रुय पर्वत सुधा छ. ७. उई उभयाणं पिय, आपंडगवणं सुए सया भणिओ। वेउव्वियस्स विसओ, असंखदीवा जलहिणो य ॥८॥
मथ:-( उ8 ) ये गति ४२वाभा ( उभयाणं पिय ) ते मन्नेन मेटले विधाय२ अने पाया भुनिन। विषय ( आपंडगवणं) भेरुपर्वत ५२न५४४ नामना पन सुधी (सुए सया भणिओ) अयमने माटे सिद्धान्तमा अडेस छ. (वेउधियस्स विसओ) वैष्ठिय शरी२ने। विषय ( असंखदीवा) असभ्य द्वीप (जलहिणो य ) मने समुद्री सुधी छ. ८.
आहारगस्स विदेहा, तेयाकम्माण सव्वलोगो य । ओरालियस्स कजं, केवलधम्माइयं भणियं ॥ ९ ॥
मथ:-( आहारगस्स) माडा२४ शरीरको विषय (विदेहा) महाविहे क्षेत्र पर्यत छ, (तेयाकम्माण ) तथा तेस अने भए शरीरने विषय ( सवलोगो य) समय छ; भई ७१ वणीसमुद्धात ४२ छ त्यारे ते सर्व सभा વ્યાપી જાય છે.
હવે તે પાંચે શરીરનું પ્રયોજન (પાંચમો ભેદ) કહે છે.
( ओरालियस्स कजं ) महरि शरीरनु प्रयोशन (केवलधम्माइयं ) वटासान, धर्म तथा सुमहाहिनी प्राप्ति मेटले अनुभव ४२३॥ ते ( भणियं ) ४ . छे. ६.
थुलसुहुमं च रूवं, एगअणेगाइ कजयं कहियं । वेउव्वियस्स आहारगस्स संदेहविच्छेयं ॥ १०॥
मथ:-( थुलसुहुमं च ) स्थूल अने सूक्ष्म मेi ( रूवं) ३५ ( एगअणेगाइ ) मे अथवा अने ४२वां से (वेउब्वियस्स) वैठिय शरीरनु ( कजयं
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પ્રકરણસંગ્રહ. જિં) કાર્ય–પ્રયે જન કહેલું છે, તથા ( વિ ) સૂક્ષમ પદાર્થના સંબં ધમાં થયેલા સંશયને વિનાશ કરે-આહારકશરીરવડે કેવળી પાસે જઈ પૂછી લેવું ઇત્યાદિક (આદાવા) આહારક શરીરનું પ્રયોજન કર્યું છે. ૧૦.
तेजससरीरकज्जं, आहारपायं सुए समख्खायं । सावाणुग्गहणं पुण, कम्मणस्स भवंतरे गइयं ॥ ११ ॥ અર્થ –() ખાધેલા આહારનો પરિપાક કરે તથા (તારાપુi) શાપ દેવ અથવા અનુગ્રહ કરવ–આશિષ દેવી એ (તેનાર ) તેજસ શરીરનું પ્રયોજન છે, એમ (સુપ સમક્વાર્થ ) શ્રુતમાં કહ્યું છે; (પુ) તથા (અવંત ૧૬૪) એક ભવમાંથી બીજા ભવમાં ગતિ કરવી તે જન્મપત્તિ) કામણ શરીરનું પ્રયોજન છે. ૧૧.
હવે એ પાંચે શરીરનું પ્રમાણ ( છઠ્ઠો ભેદ) કહે છેओरालियं सरीरं, जोयणदससयपमाणओ अहियं । वेउव्वियं च गुरुअं, जोअणलख्खं समहियं वा ॥ १२ ॥
અથ – સોઢિાં કાર ) એક દારિક શરીર ઉત્કૃષ્ટ (ઉનાળો ) પ્રમાણથી (કોલસા ) એક હજાર જજનથી કાંઈક (ચિં) અધિક છે, (વેરિયં ૪) અને એક વૈક્રિય શરીરનું (ગુગં) ઉત્કૃષ્ટ માન (નોનપત્રણ) લાખ જજન (વા ) અથવા તેથી કાંઈક ( નહિ ) અધિક છે. આ વિષય પર પ્રજ્ઞાપના સૂત્રના એકવીશમા પદમાં કહ્યું છે કે--તિર્યંચ જાતિમાં બાદરપર્યાપ્ત વાયુકાય, જળચર, ચતુષ્પદ ( ચાર પગવાળા જાનવરો), ઉર પરિસર્પ, ભુજપરૂિ સર્પ અને ખેચરે (પક્ષીઓ) ને તથા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય–આટલાને જ વૈકિય શરીર હોય છે, તે સિવાય બીજાને વૈકિય શરીરને નિષેધ છે; કેમકે તેઓને ભવસ્વભાવથી જ વૈક્રિયલબ્ધિને અસંભવ છે. ૧૨. ( દારિકનું પ્રમાણ બાદર વનસ્પતિકાય (કમળાદિ ) ને લઈને કહેલ છે અને વૈક્રિયનું પ્રમાણ ઉત્તરક્રિય દેવકૃતને લઈને કહેલ છે.)
आहारगं सरीरं, हत्थपमाणं सुए समख्खायं । तेयसकम्मणमाणं, लोयपमाणं सया भणियं ॥ १३ ॥
અર્થ – બદાર સર ) આહારક શરીરનું ( થvમળ ) પ્રમાણ એક હાથનું () શ્રુતમાં (સમea) કહ્યું છે. (તે સમજ ) તેજસ
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૩
मने अभय शरीरनु ( माणं ) भान अष्टथी (लोयपमाणं ) प्रमाण (a q ) ( सया भणियं ) सह अधु. १३ ( प्रमाणु विजीसभुधातने बनत.) હવે પાંચે શરીરની અવગાહના ( સાતમે ભેદ ) કહે છે – अस्संखपएसठियं, ओरालिययं जिणेण वजरियं । इत्तो य बहुयरेसुं, चवियं वेउब्वियसरीरं ॥ १४ ॥
मथ:-(ओरालिययं ) मोहा२ि४ शरीर (अस्संखपएसठियं ) मसभ्याता माहेशमा स्थित छ, सम (जिणेण) निश्वरे (वजरियं ) यु छ ( वेउधियसरीरं ) वैठिय शरी२ ( इत्तो य ) ते ३२ai ( बहुयरेसुं चवियं ) વધારે આકાશપ્રદેશમાં રહેલું છે એમ કહ્યું છે. ૧૪.
एहितो अप्पंमी, पएसवग्गे तईय वजरियं । सवे लोगागासे, तेयसकम्माण गाहणयं ॥ १५ ॥
अथ:-( एहितो ) ५२ ४ा मे शरी२ ४२तi ( अप्पमी ) १६५ ( 21 ) (पएसवग्गे) प्रदेशमा ( तईय ) श्री माहा२४ शरीरनी अवाउना (वजरियं ) डेसी छ. तथा (तेयसकम्माण ) तेस मने भए शरीरनी (गाहणयं ) उत्कृष्ट अ॥डना (सचे लोगागासे ) सर्व श પ્રદેશમાં કહેલી છે. ૧૫. હવે પાંચ શરીરની સ્થિતિને ભેદ ( આઠમે પ્રકાર ) કહે છે – अंतोमुहुत्त लहुयं, ओरालियआउमाण संगहियं । गुरुयं तिपल्लमुत्तं, वेउव्वे अह भणिस्सामि ॥ १६ ॥
मथ:-(ओरालिय ) मोडा२ि४ शरीरन ( आउमाण ) मायुष्यनु प्रभार (स्थितिनु भान) (लहुयं) धन्य (अंतोमुहुत्त) मत इतनु (संगहियं) सभ्य५
आरे ४५ ४२- छ. ( गुरुयं ) मन कृष्टथा (तिपल्लमुत्तं) १ ५८यायमनु अघुछे. ( अह ) वे ( वेउच्चे ) वैष्ठिय विषे ( भणिस्सामि ) छ. १६.
दसवरिससहस्साइं, उक्कोसं सागराणि तित्तीसं । उत्तरवेउव्वियंमि, लहुय मुहुत्तं गुरुयमेवं ॥ १७ ॥
Page #137
--------------------------------------------------------------------------
________________
Amwww
૧૨૪
પ્રકરણસંગ્રહ. अर्थ:-( वैष्ठिय शरी२नु मायुष्यमान) “धन्य ( दसवरिससहस्साई) ४॥ १२ वर्षनु भने ( उक्कोसं ) Yष्ट ( सागराणि तित्तीसं ) तेत्रीश सागरे। ५मनु छ. तथा ( उत्तरवेउध्वियंमि ) उत्त२ वैठियनु आयुष्य-स्थिति ( लहुय मुहुत्तं ) ४५न्य मतभुतनी छ भने (गुरुयमेवं ) उत्कृष्टथी 241 प्रमाणे છે, એટલે આગળ લખેલી જીવાભિગમની ગાથામાં કહેલ છે તે પ્રમાણે છે. ૧૭
अंतोमुहुत्त निरएसु, होइ (मुहत्त) चत्तारितिरियमणुएसु। देवेसु अद्धमासो, उकोस विउठवणे कालो ॥१८॥
मथ:-( निरएसु ) न२४ने विषे उत्तरवैश्यिनुष्टि प्रभाए ( अंतोमुहुत्त होइ) मतभुडूतनु छ, (तिरियमणुएसु)तिय भने मनुष्यर्नु (चत्तारि) यार मुतनु छ, ( देवेसु ) देवता-माने विषे ( अद्धमासो ) म भासन छ. २मा प्रमाणे ( उक्कोस विउव्वणे ) अष्टपणे वैठिय शरी२नु (कालो) स्थितिમાન જાણવું. ૧૮. શ્રી ભગવતીસૂત્રમાં વાયુકાયિકને તથા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ઉત્કૃષ્ટપણાથી પણ ઉત્તરક્રિય શરીરનું સ્થિતિમાન અન્તર્મુહૂર્તનું કહ્યું છે. તેનું રહસ્ય જ્ઞાનીગમ્ય છે.
आहारगस्स कालो, अंतमुहुत्तं जहन्नमुक्किठो । तेयसकम्मणरूवे, सव्वेसिमणाइए भणिए ॥ १९ ॥
अथ:-( आहारगस्स ) मा २४ शश२नु ( कालो ) भान. (जहन्नं ) धन्यथी तथा ( उक्किठो ) उत्कृष्टथा ( अंतमुहुत्तं ) मत छूतनु छ, तथा ( तेयस ) तेस मने ( कम्मणरूवे ) अभए शरी२ ( सवेसिमणाइए ) सर्व ( भव्य भने अन्य ) ७वाने मनाहि ( भणिए ) युं छे. ( अर्थात् तेस અને કામણ શરીર અનાદિ કાળથી જીવને લાગેલ છે.) ૧૯.
भवे सपज्जवसिए, अपज्जवसिए अभवजीवेसु । अप्पबहुसं भणिमो, एगं दो वा जहन्नेणं ॥ २० ॥ उक्कोस नवसहस्सा, आहारसरीरगा हवंति सुए। अंतरमस्स जहन्नं, समयं छम्मास गुरु भणियं ॥ २१ ॥
मथ:-तेस भएर शरी२ ( भष्वे ) भव्य प्राणीने पाश्री ( सपजवसिए ) सपर्यवसित थेट सांत भने ( अभवजीवेसु ) मलव्य याने माश्रीने ( अपजवसिए ) अपर्यवसित मेरो मन त त छ.
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૨૫
डवे ते पाये शरी२नु ( अप्पबहुत्तं ) १६५मत्व (नवभा मेह) (भणिमो) કહીએ છીએ –સર્વ કરતાં આહારક શરીર થોડા છે, કેમકે તે કદાચિત સંભવે છે. न्यारे तेन समय छ त्यारे ५५ (जहन्नेणं) ४धन्यथी (एगं दो वा) मे
सहाय छे मन ( उक्कोस ) अष्टपणे ( नवसहस्सा)न हुन२ ( आहारसरीरगा ) मा २४ शरी२ (हवंति) डाय छे. (सूए) सिद्धांतमा (अंतरमस्स) से शरी२नुमत२ ( मांतर ) ( जहन्नं ) “धन्यथा ( समयं ) मे समयनु मने (गुरु ) पृष्टथी ( छम्मास भणियं ) ७ भासनु छे. २०-२१.
इत्तो असंख वेउव्विआणि हुंति (य) सरीरगाणि जए। तत्तो असंखगुणिआ, ओरालिअदेहसंघाया ॥ २२ ॥
मथ:-(इत्तो) से माडा२४ शरीरथी (जए) मा (वेउधिआणि ) वैठिय (सरीरगाणि ) शरी। ( असंख ) असभ्य (हुति) छे. (तत्तो) ते वैठिय शरीराथी ( ओरालिअ देहसंघाया ) मोहा२४ २२न। सड ( असंखगुणिआ) मध्यगुण। छे. २२.
(અનંતા નિગાદ છેનું શરીર દારિક એક જ હોવાથી દારિક શરીર અસંખ્યાતા જ છે.)
तत्तो तेअसकम्मण, हुंति सरीराणिणंतगुणिआणि । वित्थर भेयविआरो, अवो सुअसमुद्दाओ॥ २३ ॥
मथ:-( तत्तो) ते मोहा२ि४ शरीराथी ( तेअसकम्मण ) तेस भने भए ( सरीराणि ) शरी। प्रत्ये सपने मे ४ नुहा नुहा पाथी ( अणंतगुणिआणि ) मानता (हुंति ) छ. (भेय ) 24 नवे होना (वित्थर ) विस्ता२थी ( विआरो) विया२ ( सुअसमुद्दाओ) श्रुत३ची समुद्रथी (अवो) onl देवो. (अर्थात् महा सोपथी ४ह्यो छ. ) २3.
પ્રથમ શરીરને વિચાર કહ્યો, હવે બીજો વિચાર કહે છે – नरसंखाउयगमणं, रयणाए भवण जाव ईसाणे । ताण तणु जहन्नणं, परिमाणं अंगुलपहुत्तं ॥ २४ ॥ ताण ठिइ जहन्नेणं, मासपहुत्तंति होइ नायव्वा । उक्कोस पुव्वकोडी, जेठतणू पंचधणुहसयं ॥ २५ ॥
Page #139
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
ગર્ભજ
અ:-( નÄવાય) સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યા ( ચળાવ ) રત્નપ્રભા નામની પહેલી નરકે અને ઉપર (મવળ લાવ સાળે) ભવનપતિમાં, વ્યંતરમાં, જ્યાતિષીમાં અને સૌધર્મ તથા ઇશાન દેવલાક સુધી ( ગમળ ) જાય છે, ( તાવ તળુ ) તેના શરીરનું ( માળ ) પ્રમાણ ( હ્રદ્યુÀળ ) જઘન્યથી ( ગંગુરુપદુત્ત) અંગુળ પૃથ′′ ( એથી નવ આંગળનું) હાય છે. ( તાળ વિદ્) અને તેની સ્થિતિ એટલે આયુષ્ય ( જ્ઞજ્ઞેળ ) જઘન્યથી ( માત્તપદુત્ત્ત) માસ પૃથ ( એથી નવ માસ ) નું ( ì૬ ) હાય છે એમ ( નાયદા ) જાણવું. તથા તેમની ( ઉદ્મસ) ઉત્કૃષ્ટ સ્થિતિનું માન (પુઘોડી) ક્રોડ પૂર્વનું છે અને (નૈધ્રુતળુ ) ઉત્કૃષ્ટ શરીરનું પ્રમાણ ( પંચધનુ લક્ષ્ય ) પાંચ સેા ધનુષનુ હાય છે. ૨૪–૨૫,
૧૨૬
सक्करसणाइएसुं, मणुयाणं तणु जहन्नओ होइ । रयणिपहुत्तं णेअं, उक्कोसं पुव्वभणिअं तु ॥ २६ ॥
અર્થ :—જે મનુષ્યાનું ગમન ( સ ) શર્કરાપ્રભા નરકપૃથ્વીથી આર. ભીને છએ નરકમાં તથા (સાપનું) સનત્કુમાર દેવલાકથી આરંભીને અનુત્તર વિમાન પર્યંત હાય છે તે ( મનુયાળ તળુ ) મનુષ્યાના શરીરનું માન (નન્નો ) જઘન્યથી પણુ (ળિવદ્યુત્ત) રત્નીપૃથ′′ એટલે એથી નવ હાથનું ( ોદ્દ ) હાય છે અને ( ક્ષેત્રં ) ઉત્કૃષ્ટથી પુત્રર્માકં તુ) પૂર્વે કહેલું છે એટલું એટલે પાંચ સા ધનુષનું ( ક્ષેત્ર ) જાણવુ. ૨૬.
ताण ठिइ जहन्नेणं, वासपहुत्तं तु होइ णायवा । उक्कोसा पुव्वं पिव, आगममाणस्स एमेव ॥ २७॥
અર્થ:— તાળ નિદ્દ ) તેમની સ્થિતિ ( આયુ ) ( દર્દોળ ) જઘન્ય ( વાલપશુત્ત ૩ ) એથી નવ વર્ષની ( ઢોર ) હાય છે અને ( કોલા ) ઉત્કૃષ્ટ ( પુĒ પિવ ) પૂર્વ કહ્યા પ્રમાણે એટલે ક્રોડ પૂર્વની હેાય છે. ( યવ્વા ) એમ જાણુવુ. ( આમમાળસ્ટ્સ ) આગમનનું પ્રમાણ પણ ( મેવ ) એ જ પ્રકારે જાણવુ. શી રીતે જાણવું ? તે વિવરીને કહે છે:—
રત્નપ્રભા પૃથ્વીથી નીકળીને જેઓ ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે તેમની સ્થિતિ જઘન્ય મેથી નવ માસની હેાય છે, અર્થાત્ તેટલા કાળની અંદર તેઓ કાળધર્મ પામતા નથી અને તેઓના શરીરનું જઘન્ય પ્રમાણ એથી નવ અંગુળનું હાય છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક કોડ પૂર્વની હાય છે અને તેમના શરીરનું માન ઉત્કૃષ્ટ પાંચ સેા ધનુષનું હાય છે. જેએ શર્કરાપ્રભાદિક પાંચ નરકભૂમિમાંથી આવીને ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે, તેઓની જઘન્ય
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ સ્થિતિ બેથી નવ વર્ષની હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક કોડ પૂર્વની હોય છે. તથા જેઓ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, સધર્મ અને ઈશાન દેવલોકથી આવીને ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે તેઓની જઘન્ય સ્થિતિ બેથી નવ માસની અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડ પૂર્વની હોય છે તેઓના શરીરનું માન જઘન્યથી બેથી નવ અંગુળનું હોય છે અને ઉત્કૃષ્ટથી પાંચ સો ધનુષનું હોય છે. જેઓ સનત્કમારથી આરંભીને અનુત્તર વિમાન સુધીના દેવલોકથી ચવીને ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે તેઓની જઘન્ય સ્થિતિ બેથી નવ વર્ષની હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડ પૂર્વની હોય છે તેઓનું શરીર જઘન્યથી બેથી નવ હાથનું હોય છે અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષનું હોય છે. ર૭.
એ રીતે બીજે વિચાર કો હવે પુલી અને અપુગલી નામને ત્રીજો વિચાર કહે છે
धम्माधम्णागासा, जीवा कालो य खायगं चेव । सासायण उवसमियं, अपुग्गलाइं तु एआइं॥ २८॥
અર્થ-() ધર્માસ્તિકાય, (અપ) અધર્માસ્તિકાય, (TRા ) આકાશાસ્તિકાય, (કીવા) જીવ, (જાહો ) કાળ, (વાય ) ક્ષાયિકભાવ, (રાસાયણ) સાસ્વાદનભાવ અને (૩વામિર્થ ) ઍપશમિકભાવ, (પાછું) એ આઠ (મપુજાઉં તુ) અપિલ્ગલિક છે. ૨૮.
ओरालिअ वेउव्विअ, आहारग तेयसं झूणी (य) मणो। उस्सासं निस्सासं, कम्मण कम्माणि छाय तमो ॥२९॥ वग्गणअणंत आयव, मिस्सकंधो अचित्तमहखंधो । वेअग खाओवसम, उज्जोय पुग्गल सुए भणिअं॥३०॥
અર્થ ( ) દારિક, ( અ) વૈક્રિય, (મારા) આહારક, (તેલં) તેજસ, (સૂળી) ધ્વનિ(ભાષા), (મો) મન, (૩ના નિતાણું) ઉસ નિઃશ્વાસ, (જન્મ) કામણ શરીર, (માજિ) કર્મ, (છાય) છાયાપડછા, (તો) અંધકાર, (વાવંત ) અનંતી વર્ગણું, (ગાથા) આતપ, (મિસર્વો) મિશ્રન્કંધ, (વિત્તમંદો ) અચિત્ત-મહાત્કંધ, ( 1) વેદક સમકિત, (ગોવા) ક્ષાયોપશમ સમકિત અને (૩ોગ) ઉદ્યોત એ અઢાર (પુટ) પુદ્ગલિક છે, એમ (gg) શ્રતમાં (મળ) કહેલું છે. ૨૯-૩૦.
એ રીતે ત્રીજે વિચાર કહ્યો, હવે સંમૂર્ણિમ મનુષ્યની ગતિ અને આગતિ નામને ચૂંથો વિચાર કહે છે –
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રકરણસંગ્રહ. नेरइअदेवअगणी-वाउ य वजिअ असंखजीवाओ। सेसा सव्वे वि जिया, समुच्छिममणुएसु गच्छति ॥ ३१ ॥
मथ:-( नेरइअ) ना२४ी, ( देव ) हेवता, ( अगणी ) अAिstय, (वाउ य ) पायुय, ( असंखजीवाओ) मसयाता मायुष्यात तिर्य य भने मनुष्य। मेटवाने ( वजिअ) ने (सेसा सच्चे वि जिया) माझीना स स सारी छ। (समुच्छिममणुएसु) से भूछिमें मनुष्यमा (गच्छंति) 14 छ-उत्पन्न थाय छे. 3१.
नेरइअदेवजुयला, वजिअ सेसेसु जीवठाणेसु । मुच्छिमनराण गमणं, सव्वे वि अ पढमगुणठाणी ॥३२॥
अथ:-(मुच्छिमनराण ) संभूछिभ मनुष्यानु ( गमणं ) मन-उत्पत्ति ( नेरइअदेवजुयला ) ना२४ी, हेव भने युगलियाने ( वजिअ ) १ळने ( सेसेसु) माहीन (जीवठाणेसु)७१२थानोन विषे डाय छे, (अ) अने तेसो (सच्चे वि) सर्वे ( पढमगुणठाणी ) प्रथम गुणस्थानमा पर्तना। सेट मिथ्याष्टि, मन्तમુહૂર્તની ભવસ્થિતિવાળા અને બેથી નવમુહૂર્તની કાયસ્થિતિવાળા હોય છે. ૩ર.
એ રીતે ચોથો વિચાર કહ્યો, હવે પર્યાપ્તિના સ્વરૂપનો પાંચમે વિચાર કહે છેआहार सरीरिंदिय, उसासे वय मणे छ पज्जत्ती। चउ पंच पंच छप्पिय, इगविगलामणसमणतिरिए ॥३३॥ गब्भय नर निरएसुं, छप्पिय पज्जत्ति पंच देवाणं । जं तेसि वयमणाणं, दोण्ह वि पज्जत्ति समकालं ॥३४॥
अर्थ:-(आहार) माडा२. पति, (सरीरिंदिय) शरी२ पर्याप्ति, दियपर्याप्ति (उसासे) २ास पयोति, ( वय ) क्यन याति, (मणे ) अने भन ५ति से (छ पज्जत्ती) ७ ५योति छे. तेभा (इग) मेद्रियाने (चउ) पडली या२ ५याप्ति। डाय छे. ( विगला ) वेदाद्रिय, त्रीद्रिय, यतुश्ििद्रयने (पंच ) पडसी पांय ५यांतिमा डाय छे, (अमण ) असशी मनुष्य मने ( तिरिए ) तिय यने मेट समूर्छिम पद्रिय मनुष्य मने तिर्य यने (पंच) पडेटी पाय पतिये। उसय छ. तथा ( समण ) सभी गर्म तिर्थयाने ( छप्पिय ) छ्ये पर्यातिया डाय छे. (गन्भय नर) Mr मनुष्यमने ( निरएK) ना२श्रीमाने ( छप्पिय पज्जत्ति) छसे यातिया डायछ, तथा (पंच देवाणं) देवतासाने पांय यांतिमा डाय छे. (ज) १२९५ ( तेसि) देवता माने (वयमणाणं ) क्यन भने भन समाधी
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૨૯
(રોન્જ) એ (પત્તિ) પર્યાપ્તિએ (સમાજ) સમકાળે-એકી વખતે જ પૂર્ણ થાય છે. શ્રી રાજપ્રશ્નીય ઉપાંગને વિષે કહ્યુ` છે કે ત્યારપછી તે સૂર્યોભ દેવતા પાંચ પ્રકારના પર્યાપ્તિભાવને પામ્યા. તે આ પ્રમાણે:-આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્ત, ઇંદ્રિય પર્યાપ્તિ, ઉચ્છ્વાસ પપ્તિ, તથા વચન મન પર્યાપ્તિ. ૩૨ થી ૩૪.
उरलविउव्वाहारे, छह वि पज्जत्ति जुगवमारंभो । तिन्हं पढमिगसमए, बीआ अंतोमुहुत्तिआ हवइ ॥ ३५ ॥ पिहु पिहु असंखसमइय, अंतमुहुत्ता उरालि चउरोऽवि । વિદ્યું પિદું સમયા ચડો, દુતિ(ત)વિધિયાહાર ॥ રૂક્ષ્ ॥
અર્થ:—( ૩૨૯) એદારિક, ( વિવાદાત્તે ) વૈક્રિય અને આહારક શરીરવાળાને ( છવિ ) છએ ( પત્તિ ) પર્યાપ્તિને (જીવમાર) આરંભ સમકાળે જ થાય છે. તેમાં ( તિન્નેં ) તે ત્રણે શરીરવાળાને ( પઢમિસમર્) પહેલી આહાર પર્યાપ્ત એક સમયમાં થાય છે અને ( ચીન્ના ) બીજી શરીર પર્યાપ્તિ (*તોમુદ્ઘત્તિત્રા) અંતર્મુહૂર્તે ( ધ્રુવદ્દ ) થાય છે. ( ૩રાહિ ચોવ ) ઔદારિક શરીરવાળાને છેલ્લી ચારે પર્યાપ્તિએ (વિદુ વિટ્ટુ) જુદા જુદા (સંલત્તમ) અસંખ્ય અસ ંખ્ય સમયવાળા (અંતમુદ્દુત્તા) અંતર્મુહૂત્તે પૂર્ણ થાય છે, (સ) તથા વિવિયાારે ) વૈક્રિય અને આહારક શરીરવાળાને (પત્તે) ચારે પર્યાપ્તિએ ( વિષ્ણુ વિષ્ણુ) ભિન્ન ભિન્ન ( સમયા ) સમયે (ત્તિ ) થાય છે. એટલે કે પહેલે સમયે ઇંદ્રિય પર્યાપ્ત, ખીજે સમયે ઉચ્છ્વાસ પર્યાતિ, ત્રીજે સમયે વચન પર્યાપ્તિ અને ચેાથે સમયે મન પર્યાપ્તિ. એ પ્રમાણે પૂર્ણ થાય છે. ૩૫-૩૬
छवि सममारंभो, पढमा समएण अंतमुहु बीया । तितुरिअ समए समए, सुरेसु पण छठ्ठ इगसमए ॥ ३७॥
અ:— પુરેપુ ) દેવતાઓને ( છવિ ) છએ પર્યાસિના (સમમારો) આર'ભ સમકાળે થાય છે. પછી તેમાંની ( પઢમા ) પહેલી આહાર પર્યાપ્ત ( ક્ષમા ) એક સમયે પૂર્ણ થાય છે, ( વીયા ) બીજી શરીર પર્યાપ્તિ ( અંતમુત્તુ ) અ ંતર્મુહૂત્તે પૂર્ણ થાય છે, ( તિ) ત્રીજી અને ( તુય ) ચેાથી ( સમક્ સમ૬) એક એક સમયે પૂર્ણ થાય છે એટલે ત્રીજી ઇંદ્રિય પર્યામિ એક સમયે થાય છે, ચેાથી ઉછ્વાસ પર્યામિ ત્યારપછીના ખીજે સમયે થાય છે. પળ ) પાંચમી વચન પર્યાપ્તિ અને ( છઠ્ઠુ ) છઠ્ઠી મન પર્યાસ ( સમજુ ) એક જ સમયે પૂર્ણ થાય છે. ૩૭.
જે જીવા પાતપેાતાની પર્યાપ્તિએવડે અપર્યાપ્તા છતા જ મરણ પામે છે તે
૧૭
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રકરણસંગ્રહ. પણ પહેલી ત્રણ પર્યાપ્તિઓને તો સમાપ્ત એટલે પૂર્ણ કરીને પછી એક અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધીને ( આયુષ્યને બંધ કરીને ) અને ત્યારપછી અબાધાકાળરૂપ અંતર્મુહૂર્ત સુધી જીવીને પછી જ મરે છે, પણ તે પહેલાં મરતા નથી, કારણ કે આવતા ભવનું આયુષ્ય આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પતિવડે પર્યાપ્તા થયેલા જીવે જ બાંધે છે. (અને આગામી ભવનું આયુષ્ય બાંધ્યા વિના જીવ મરણ પામતા નથી, તેમ જ જઘન્ય અંતર્મુહૂર્ત જેટલા પણ અબાધાકાળ વિના તે આયુ ઉદયમાં આવતું નથી તેથી ઉપર કહેલું યુક્તિયુક્ત છે.)
सो लद्धिए पजत्तो, जो य मरइ पूरिउं सपजत्ति । लद्धिअपजत्तो पुण, जो मरई ता अपूरित्ता ॥३८॥
અર્થ –નો) જે જીવ ( ૪૫ત્તિ) પોતાની પર્યાપ્તિઓ (g૪) પૂર્ણ કરીને (મ) મરે (તો) તે (દિપ પંકો ) લબ્ધિ પર્યાપ્યો કહેવાય છે (૪) અને (૩) જે જીવ પિતાની પર્યાપ્તિઓ (અતૂત્તિ) પૂર્ણ કર્યા પહેલાં (૬) મરી જાય છે (તા) તે ( બપmત્તો) લબ્ધિ અપર્યાપ્ત કહેવાય છે. ૩૮.
नजवि पूरेइ परं, पुरिस्सइ स इह करणअपजत्तो। सो पुण करणपज्जत्तो, जेणं ता पूरिया हुंति ॥ ३९ ॥
અર્થ –(f) જેણે પોતાની પર્યાતિઓ (રવિ પૂરો ) અદ્યાપિ પૂર્ણ કરી નથી, (પ) પરંતુ આગળ ઉપર (રિફ) પૂર્ણ કરવાનું છે, (ા દ) તે કરણ એટલે શરીર ઇંદ્રિયાદિવડે અપર્યાપ્ત હોય ત્યાંસુધી (વારપુનત્ત) કરણ અપર્યાપ્ત કહેવાય છે અને જેણે (તા પૂરા) પિતાની પર્યાપ્તિઓ પૂર્ણ કરી હોય છે ( પુ) તે (વનપાપનો કુંતિ) કરણ પર્યાપ્ત હોય છે. કહેવાય છે. ૩૯. ઈતિ પંચમ વિચાર.
હવે અ૫ બહુત નામને છઠ્ઠો વિચાર કહે છે:नर नेरइया देवा, सिद्धा तिरिया कमेण इह होति । थोव असंख असंखा, अणंतगुणिया अणंतगुणा ॥ ४० ॥
અર્થ –(ફુદ) અહીં (થોર) મનુષ્યો સાથી થોડા (હરિ ) છે, તેનાથી (અસંહ) અસંખ્યગુણ (જેડા) નારકી છે, (સવા) તેનાથી અસંખ્યગુણા (સેવા) દેવતા છે, (મuતથા ) તેનાથી અનંતગુણ ( સિક્કા ) સિદ્ધ છે અને તેનાથી (તા ) અનંતગુણ (તિથિ) તિર્યંચે છે, એમ (મેળ) અનુક્રમે જાણવું. આ અલ્પબદુત્વ પાંચ ગતિની અપેક્ષાએ કહેલું છે. ૪૦.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૧
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ नारी नर नेरइया, तिरित्थि सुर देवि सिद्ध तिरिया य । थोव असंखगुणा चउ, संखगुणाऽनंतगुण दुन्नि ॥ ४१ ॥
અર્થ:-(રાજ) મનુષ્યમાં ગભેજ સંમુઈમની અપેક્ષાએ સ્ત્રીઓ (a) સૌથી થોડી છે, તેનાથી (અસંહ ર૪) ચાર અસંખ્યગુણા છે, એટલે મનુષ્યની સ્ત્રીઓથી (નર) મનુષ્ય અસંખ્યગુણ છે, અહીં સંમૂછિમ મનુષ્ય પણ ભેળા લેવા, કેમકે અહીં વેદની વિવક્ષા નથી. તેનાથી (તેયા) નારકીઓ અસં. ખ્યગુણા છે, તેનાથી (ત્તિ0િ) તિર્યંચની સ્ત્રીઓ અસંખ્યગુણી છે, અને તેનાથી (ર) દેવતાઓ અસંખ્યગુણ છે. દેવતાઓથી ( સંવાદ ) સંખ્યાતગુણી (રેવ) દેવી છે. ત્યારપછીના (જિ) બે (અનંતપુut) અનંતગુણ છે, એટલે દેવીઓથી અનંતગુણ (સિદ) સિદ્ધ છે, અને તેનાથી પણ અનંતગુણું (તિરિયા ) તિર્યંચે છે. (સૂક્ષ્મ બાદર નિગદના છ અંદર ગણવાથી) આ અ૫બહુત આઠ ગતિને આશ્રીને કહેલું છે. ૪૧.
હવે એકેંદ્રિયાદિકનું અલ્પબદુત્વ કહે છેपण चउ ति दुय अणिदिअ, एगिंदिय सेंदिया कमा हुंति । थोवा तिअति अहिया, दोऽणंतगुणा विसेसहिआ ॥ ४२ ॥
અર્થ –(gr) પચંદ્રિય સાથી (જોવા) થડા છે, તેનાથી () ચતુરિંદ્રિય, તેનાથી (ત્તિ) ત્રીંદ્રિય અને તેનાથી (દુર) દ્વદ્રિય એમ (તિમતિ) એ ત્રણ (મહિલા) અધિક અધિક છે, તેનાથી (અવિ) અનિદ્રિય એટલે સિદ્ધો અને તેનાથી (f ) એકેંદ્રિય (વનસ્પતિ નિગોદ વિગેરે) ( sigr ) એ બે અનંતગુણ છે, અને (સૈવિયા ) અનુક્રમે સેંદ્રિય એટલે એકેંદ્રિય, દ્વીંદ્રિય વિગેરે (વિરદ્દિગા) વિશેષાધિક (હૃતિ) છે. ૪૨. આમાં પહેલા પછી ત્રણ સાધિક છે ને પછી બે અનંતગુણ છે. ૪ર.
હવે છકાયનું અ૫બહુત કહે છે – तस तेउ पुढवि जल, वाउकाय अकाय वणस्सइ सकाया । थोव असंखगुणाहिय, तिन्निओ दोऽणंतगुण अहिआ॥४३॥
અર્થ–સોથી (થોર) થડા (તા) ત્રસ જીવે છે, તેનાથી (તેર) તેજસ્કાય (ગાળ) અસંખ્યગુણ છે, તેનાથી (તિક્સિકો) એટલે ત્રણ (અહિંસ) અધિક છે તે આ રીતે:-(પુવ) તેઉકાયથી પૃથ્વીકાય અધિક છે, તેનાથી (ગઢ) અકાય અધિક છે, તેનાથી (વડ ) વાયુકાય અધિક છે,
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પ્રકરણસંગ્રહ.
તેનાથી (ફોળત ) એ અન તગુણા છે, એટલે વાયુકાયથી ( અાય ) સિદ્ધ અનંતવળÆ ) વનસ્પતિકાય અનતગુણા છે, અને તેનાથી
ગુણા છે. તેનાથી ( સાચા ) સકાય (અદ્દિા) અધિક છે. ૪૩.
( અહીં અકાય શબ્દે સિદ્ધો જાણવા અને સકાય શબ્દે સર્વે સંસારી જીવા જાણવા.) હવે જીવાજીવાદિનુ અલ્પમહત્વ આ પ્રમાણે:—
जीवा पुग्गल समया, दव पएसा य पज्जवा चेव । थोवाणंताणंता, विसेसमहिआ दुवेऽणंता ॥ ४४ ॥
અર્થ :-( નવા ) જીવ, ( વુશન ) પુદ્ગલ, ( સમયા ) સમય, ( ૪ ) દ્રવ્ય, ( વત્તા ) પ્રદેશ, (૨) અને ( પાવા ચૈવ ) પોચા-એ અનુક્રમે ( થોવા ) ઘેાડા, (શળતા ) અન ંતગુણા, ( મળતા) અનંતગુણા, ( વિશ્વસન્નિા) વિશેષાધિક અને છેલ્લા ( જુવેઽળતા) એ અનંતગુણા–એ પ્રમાણે છે.
વિશેષાથ :—( ઝીવા ) પ્રત્યેક જીવા અનંતાનંત પુદ્ગલાથી ખ'ધાયેલા હાય છે, અને પુદ્ગલા જીવ સાથે સબદ્ધ અને અસંબદ્ધ એમ બન્ને પ્રકારના હાય છે તેથી જીવ પુદ્ગલેા કરતાં ( જેવા) સ્તાક છે. જીવથી ( પુજ ) પુદ્ગલા અન તગુણા છે. તેજસાદિક શરીર જીવે ગ્રહણ કરેલા છે, તેના પુદ્ગલા પિરમાણુને આશ્રીને જીવ કરતાં ( અળતા ) અનંતગુણા છે. તથા ઔદારિકાદિ પંદર પ્રકારના પ્રયાગથી પરિણત એવા પ્રયાગસા પુદ્ગલેા થાડા છે. તેનાથી મિશ્ર પરિણત મિશ્રસા પુદ્ગલે અનંતગુણા છે. તેનાથી પ્રયાગકૃત આકારને જેણે સર્વથા તન્મ્યા નથી અને જે સ્વભાવે ( વિશ્રસા પરિણામે ) પિરણામાંતરને પામેલા છે, એવા મૃત કલેવરાદિક વિશ્રસા પરિણત પુદ્ગલેા અન તગુણા છે. એ પ્રમાણે ત્રણે પ્રકારના સર્વ પુદ્ગલા જીવ કરતાં અન ંતગુણા છે. સમયા ) પુદ્ગલેા કરતાં સમયા ( અ ંતા ) અનંતગુણા છે. શી રીતે ? સમયક્ષેત્રને વિષે અઢીદ્વીપને વિષે જે દ્રવ્યેાના પર્યાયેા છે, તે એક એક પર્યાયામાં વર્તમાન સમય વર્તે છે. એ રીતે વર્તીમાન સમય સમયક્ષેત્રમાં રહેલા દ્રવ્યપર્યાય જેટલેા છે, પરંતુ સ ( આખા ) લેાકમાં રહેલા દ્રવ્યેાના પર્યાયામાં તે સમય વ તા હેાવાથી તેના કરતાં પણ તે ( સમય ) અનંતગુણા છે. (૪) સમય કરતાં દ્રવ્યે (વિશ્વસમાંદા) વિશેષાધિક છે. કેવી રીતે ? તે કહે છે. સર્વ સમયેા ઉપરાંત બાકીના પ્રત્યેક દ્રવ્યે, જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય વિગેરેને તે ત્રીજા ખેલમાં કહેલ સમયમાં ક્ષેપન કરીએ, તે તે કેવળ સમય કરતાં સમસ્ત દ્રવ્યે વિશેષાધિક જ થાય છે. ત્યારપછી ( ુવૅડાંતા ) એ અનંતગુણા એટલે ( પત્તા ) દ્રવ્ય કરતાં પ્રદેશે અનંતગુણા છે, શી રીતે ? તે કહે છે—અદ્ધા સમય દ્રવ્ય કરતાં આકાશપ્રદેશેા લેાકાલેાકના મળીને અનંતગુણા
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ
૧૩૩ છે. તેથી અને (ઝવા જેવો પ્રદેશો કરતાં અનતગુણા પર્યાય છે. કારણ કે એક એક આકાશપ્રદેશમાં અનંતા અગુરુલઘુ પર્યાયે રહેલા છે. ૬. ૪૪. ઈતિ ષષ્ઠ વિચાર.
(આ છો વિચાર બહુ વિસ્તારથી સમજવા જે છે.) હવે અપ્રદેશ અને પ્રદેશ યુગલના સ્વરૂપનો સાતમે વિચાર કહે છે –
दवे खित्ते काले, भावे अपएसपुग्गला चउहा । सपएसा वि य चउहा, अप्पबहुत्तं च एएसि ॥४५॥
અર્થ-(પાલપુરા ) અપ્રદેશ પુદ્ગલે (ર) દ્રવ્ય, (વિશે ) ક્ષેત્ર, (૩ ) કાળ (મ) અને ભાવથી એમ (વરદા) ચાર પ્રકારે છે. ( વિ ) સપ્રદેશ પુદ્ગલો પણ એ જ પ્રમાણે () ચાર પ્રકારના છે. (૫ufé) તેઓનું–અપ્રદેશ અને પ્રદેશ પુદ્ગલોનું (અgવદુર ર) અ૯૫બહુત્વ હવે કહે છે તે નીચે કહ્યા પ્રમાણે જાણવું. ૪૫.
પ્રથમ અપ્રદેશનું સ્વરૂપ કહે છેदवेणं परमाणू, खित्तेणेगप्पएसमोगाढा । कालेणेगसमइया, भावेणेगगुणवण्णाई ॥ ४६ ॥
અર્થ – તે વરમાળુ) જે પરમાણુઓ પરસ્પર મળેલા ન હોય, (છૂટા હોય) તે દ્રવ્યથી અપ્રદેશ પુદ્ગલે જાણવા. (વિજાપુપરમોઢા) જે પરમાણુઓ એક એક આકાશપ્રદેશને અવગાહીને રહ્યા સતા પોતપોતાના ક્ષેત્રને છોડે નહીં, તે ક્ષેત્રથી અપ્રદેશી પુદગલો જાણવા. ( તાજેતરમા ) જ્યારે જ્યારે પોત પોતાના ક્ષેત્રને છોડીને પરમાણુઓ બીજા બીજા ક્ષેત્રમાં ગતિ કરે છે તેમાંના જે જે સ્થાને એક એક સમય સુધી સ્થિર રહે ત્યારે કાળથી અપ્રદેશી પુદ્ગલો જાણવા. (માળવVorr) તથા જે પરમાણુઓ વર્ણથી એક ગુણ કાળા અથવા એક ગુણ પીતાદિક વણવાળા હાય, ગંધથી એક ગુણ સુરભિ આદિ ગંધવાળા હોય, રસથી એક ગુણ તિક્ત કટુ આદિ રસવાળા હોય, તથા સ્પર્શથી એક ગુણ રૂક્ષ ને એક ગુણ શીત પવાળા, અથવા એક ગુણ રૂક્ષ ને એક ગુણ ઉષ્ણ સ્પર્શવાળા, અથવા એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ શીત સ્પર્શવાળા, અથવા એક ગુણ સ્નિગ્ધ ને એક ગુણ ઉષ્ણુ સ્પર્શવાળા હોય-તે પરમાણુઓ ભાવથી અપ્રદેશ પુદ્ગલે જાણવા. ૪૬. अपएसगाओ एए, विवरिय सपएसगा सया भणिया। भा-का-द-खि अपएसा, थोवा तिन्नि य असंखगुणा ॥४७॥
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રકરણસંગ્રહ.
અર્થ:-(gg) એ પૂર્વ ગાથામાં કહેલા (કપરો ) અપ્રદેશ પુદુંગલેથી જે (વિવ ) વિપરીત હોય, તેને (સવા) નિરંતર ( Rપણા ) સપ્રદેશ પુદગલ (નિવા) કહ્યા છે. એટલે કે જે પરમાણુઓ બે કે તેથી અધિક પરસ્પર મળેલા હોય, તે દ્રવ્યથી સપ્રદેશ પગલે જાણવા. જે બે આદિ પરમાશુઓના સ્કંધ બે આદિ આકાશપ્રદેશને અવગાહન કરીને રહેલ હોય તે ક્ષેત્રથી સપ્રદેશ પુદગલો જાણવા. જે પરમાણુસ્ક બે સમયથી આરંભીને અસંખ્યાતા સમય સુધીની ભિન્ન ભિન્ન આકાશપ્રદેશમાં સ્થિતિવાળા હોય તે સર્વે કાળથી સપ્રદેશ પુગે જાણવા તથા જે પરમાણુસ્ક ધ બે ગુણ વર્ણાદિથી આરંભીને અનંત ગુણ વદિવાળા હોય, તે સર્વે ભાવથી સપ્રદેશ પુગે જાણવા
હવે અપ્રદેશ અને પ્રદેશ યુગલનું અ૫બહુત કહે છે
( મા - વિપપસા) ભાવથી અપ્રદેશી પુદ્ગલે ( થો) સૈથી થોડા છે, તેનાથી ( તિરિ જ અવગુણ ) ત્રણ અસંખ્યગુણ છે એટલે ભાવથી કાળ અપ્રદેશી પુદગલે અસંખ્યગુણ છે, તેથી દ્રવ્ય અપ્રદેશી પુદ્ગલે અસંખ્યગુણું છે, તેથી ક્ષેત્ર અપ્રદેશી પુગલે અસંખ્યગુણા છે. ૪૭. खित्त अपएसगाओ, खित्ते सपएसऽसंखगुणियाओ।' વ-ર-મા સાપુતા, વિસત્રિા સુ મળિયા છે છ૮ છે
અર્થ–(વિત્ત મggarો) ક્ષેત્ર અપ્રદેશ પુદ્ગલેથી (રિજે રપપુર) ક્ષેત્ર સપ્રદેશ પુદ્ગલ (વસંવળિયા) અસંખ્યગુણા છે, તેથી (૧) દ્રવ્ય સપ્રદેશ પુદ્ગલો (વિદા ) વિશેષાધિક છે, તેથી ( ) કાળ પ્રદેશ પુદગલો વિશેષાધિક છે અને તેથી ( મા તપપલા) ભાવ સપ્રદેશ પુદગલો વિશેવાધિક (સુપ માળા ) સૂત્રમાં કહ્યા છે. ૪૮. ઈતિ સપ્તમ વિચાર:
હવે કડજુમ્માદિકના સ્વરૂપને આઠમો વિચાર કહે છે– कड तेउए य दावर, कलिउ य तह संहवंति जुम्माओ । अवहीरमाण चउ चउ, चउ ति दुगेगाओ चिटुंति॥४९॥
અર્થ-( ) કડ જુમ્મા, (તેv ) ત્રેતા જુમ્મા, (તાવ) દાવર જુમ્મા, (ાસ્ટિક ) કલિયુગ જુમ્મા-(કુમાર) એ ચાર જુમા છે. (ત સઘંતિ ) તે આ રીતે સંભવે છે–જે સંખ્યામાંથી (૨૩ ૪) ચાર ચાર (વહીમr ) કાઢતાં બાકી () ચાર રહે, તે કડજુમ્મા, () ત્રણ રહે તે ત્રતા જુમ્મા, (દુ) બે રહે તે દાવર જુમ્મા અને (garો છિંતિ) એક રહે તે કલિયુગ જુમાં જાણવા. ૪૯.
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી વિચારપંચાશિકા પ્રકરણ.
૧૩૫ વિસ્તરાર્થ-જુમ્મા એટલે રાશિ (સમુદાય) કહેવાય છે. કડ વિગેરે શબ્દો સાથે જુમ્મા શબ્દ જોડવાથી કડજુમ્મા વિગેરે ચારે જુમ્મા થાય છે. કઈ પણ રાશિમાંથી ચાર ચાર કાઢી લેતાં (ચારે ભાંગતાં) ચાર, ત્રણ, બે અથવા એક બાકી રહે તે ચારેનું સ્વરૂપ આ પ્રમાણે-એક જીવ, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય તથા લકાકાશ તે દરેકના પ્રદેશે અસંખ્યાતા છે અને પરસ્પર તુલ્ય છે. તેની અસત્ કલ્પનાએ વીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર કાઢતાં બાકી ચાર જ રહે છે તેને આગમ ભાષાવડે કડજુમ્મા કહેવાય છે. ૧. તથા અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીને વિષે જેટલા સમય છે, તેટલા સધર્મ તથા ઈશાનકલ્પને વિષે દેવતાઓ છે. તેની અસકલ્પનાએ ત્રેવીસની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં (ચારે ભાંગતાં) બાકી ત્રણ જ રહે છે તેથી તે ત્રેતાજુમ્મા કહેવાય છે. ૨. એક એક આકાશપ્રદેશને અવગાહીને અનંતા પરમાણુ સુધીના
સ્કો રહેલા છે, તેની અસકલ્પના કરીને બાવીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં બાકી બે જ રહે છે માટે તે દાવરજુમ્મા કહેવાય છે. ૩. તથા પર્યાપ્ત બાદર વનસ્પતિ ૧, બાદર પર્યાપ્ત ૨, અપયોપ્ત બાદર વનસ્પતિ ૩, બાદર અપર્યાપ્ત ૪, બાદર પ, સૂક્ષમ અપર્યાપ્ત વનસ્પતિ ૬, સૂક્ષ્મ અપર્યાપ્ત ૭, સૂક્ષમ પર્યાપ્ત વનસ્પતિ ૮, સૂમ પર્યાપ્ત ૯, સૂક્ષમ ૧૦, ભવ્ય ૧૧, નિગેદના છે, ૧૨ વનસ્પતિના છ ૧૩, એકેંદ્રિય ૧૪, તિર્યંચ ૧૫, મિથ્યાષ્ટિ ૧૬, અવિરતિ ૧૭, સકષાયી ૧૮, છદ્મસ્થ ૧૯, સગી ર૦, સંસારી જીવો ૨૧ તથા સર્વ જીવો ૨૨-એ બાવીશ જીવરાશિઓ આઠમે મધ્યમ અનંતાઅનંતે છે; તે પણ અસકલ્પના કરીને તેની પચીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર ચાર લેતાં બાકી એક રહે છે, માટે તે કલિયુગ જુમ્મા કહેવાય છે. આ જુમ્માએનું કાર્ય–પ્રોજન (ઉપયોગ) સૂત્રથી જાણી લેવું, અહીં તો તેનું સ્વરૂપ માત્ર જ દેખાડયું છે. ઈતિ અષ્ટમ વિચાર.
હવે પૃથ્વી આદિકના પરિમાણને નવો વિચાર કહે છે – धज व स परिव बि ति च समुन पणथ ज ख ना भ व र वि न सु स पमुति अ। जगनभप ध अ इगजिय हिअ नि सि नि वजी स पु अ भ अ पर वणका ॥५०॥
અથ:-(૫) ધરા-પૃથ્વી ૧, () જળ ૨, (૨) વલિ-અગ્નિ ૩, (ર) સમીરણ-વાયુ ૪, ( વ) પરિત્ત-પ્રત્યેક વનસ્પતિ ૫, (વિ) દ્વાદ્રિય ૬, (તિ) ત્રીદ્રિય ૭, (૪) ચતુરિંદ્રિય ૮,(રમુજ) સંમૂર્ણિમ નર-મનુષ્ય ૯, (૫ ) પંચે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩
પ્રકરણસંગ્રહ દ્રિય થળચર ૧૦, (૪) જળચર ૧૧, (૩) ખચર ૧૨, (ના) નારકી ૧૩, (મ) ભવનપતિ ૧૪, (૨) વ્યંતર ૧૫, (ર) રવિ-સૂર્ય ૧૬, (વિ) વિધુ-ચંદ્ર ૧૭, () નક્ષત્ર ૧૮, () સુર-વૈમાનિક દે ૧૯, (ર) સમુદ્ર ૨૦, (મુતિ ) પંચંદ્રિય સંમૂછિમ તિર્યંચ ૨૧-એ એકવીશ પ્રકારના જીવો (ક) અસંખ્યાતા જાણવા. તથા () જગતના–લેકના (નમ-૫) નભ-આકાશ પ્રદેશ ૧, (ઘ) ધર્માસ્તિકાયના પ્રદેશ ૨,() અધમસ્તિકાયના પ્રદેશ ૩, (ા નિય) એક જીવના પ્રદેશ ૪, (ણિક) સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન ૫, (નિ) તથા નિગોદ શરીર ૬એ છ પણ અસંખ્યાતા જાણવા. તથા (હિ) સિદ્ધ ૧, (નિ ) નિગોદના જીવ રે, (ા લી) વનસ્પતિના જીવ ૩, (૨) સમય ૪, () પુદ્ગલ ૫, (બ) અભવ્ય જીવો ૬, (મ) ભવ્ય જીવો ૭, (૨) અલક ૮, (પ) પ્રતિપતિત-પડિવાઈ જી ૯ અને ( વ ) વનસ્પતિકાયની સ્થિતિ ૧૦-એ દશ અનંતા જાણવા ૫૦.
इय सुत्ताओ भणिया, वियारपंचासिया य सपरकए। मुनिसिरिआनंदविमलसूरिवराणं विणेएण ॥ ५१॥
અર્થ() આ પ્રમાણે (મુનિસિરિમાનંવવિમ) મુનિશ્રી આનંદવિમલ નામના (સૂરિવરાળ) સૂરિવરના (વિgિ) વાનર નામના શિષ્ય(વાવ) પિતાને તથા અન્ય જીવોને માટે ( પુરાણ ) સૂત્રમાંથી ઉદ્ધરીને (વિજ્ઞાનપંજા સિયા) આ વિચારપંચાશિકા (મળિયા) કહી છે. ૫૧.
- ઇતિ શ્રી વાર્ષિ અપરના વિજયવિમળ- કે E વિરચિતા વિચારપંચાશિકા પ્રકરણ
સાથે સમાપ્ત.
Page #150
--------------------------------------------------------------------------
________________
ge ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo૩૦૦૦૦૦૦૭૦૦૦૦૦૦૦
ooooooooooooooooooo૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eos soooooooooooooooooooooooooooooooooooo
૦,૦૦
કિ70 0 0 0 0 0 0 0 0 0
आचार्य श्री देवेन्द्रसूरिविरचिता श्री सिद्धदण्डिकास्तव
V૦૦૦૦૦૦૦૦૦૦
-~
~-
~
जं उसहकेवलाओ, अंतमुहुत्तेण सिवगमो भणिओ। जा पुरिसजुगअसंखा, तत्थ इमा सिद्धदंडीओ ॥१॥
અર્થ –(f) જે (ઉત્તવાળો) કષભદેવને કેવળજ્ઞાન થયા પછી (અંતમુહુરેખા) અંતર્મુહૂર્ત પછી (સિવાનો મળિો ) મોક્ષગમન શરૂ થયું એમ કહ્યું છે તે (જ્ઞા પુરિતકુમારંવા) યાવત્ અસંખ્યાતા પુરુષ જુગ સુધી રહ્યું છે (તસ્થ રૂમા) તેમાં આ પ્રમાણે (તિરંગો) સિદ્ધદંડિકા-સિદ્ધિને પામેલાની સંખ્યા છે તે કહે છે.
વિવેચન –આ અવસર્પિણ કાળમાં ત્રીજા આરાની પ્રાંતે પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી અન્તર્મુહૂર્ત મેક્ષમાર્ગ વહ્યો એટલે મોક્ષમાર્ગમાં જવાની શરૂઆત થઈ, ત્યારપછી તેમના વંશમાં અસંખ્યાતા પુરુષ જુગ સુધી એટલે અસંખ્યાતા પાટ સુધી મોક્ષગમન શરૂ રહ્યું તે જણાવનાર આ સિદ્ધદંડિકા પ્રકરણ છે. ૧.
सत्तुंजयसिद्धा भरहवंसनिवई सुबुद्धिणा सिट्ठा। जह सगरसुआणऽहावयमि तह कित्ति थुणिमो ॥२॥
અર્થ –(કદ સાસુમ) જેમ સગર ચક્રવર્તીના પુત્રોની આગળ (ગઠ્ઠામિ) અષ્ટાપદ પર્વત ઉપર (કુપુuિrt) સુબુદ્ધિ મંત્રીએ (મદુવંનિધ) ભરત ચકીના વંશના રાજાઓ (રતનું સિક્કા) શત્રુંજય પર્વત ઉપર સિદ્ધિપદને પામ્યાનું (વિજ્ઞા) કહ્યું છે (તદ) તેમ (પિત્તિયાં) કહેલા સિધ્ધને અમે (જુાિનો) સ્તવશું-કહેશું. ૨.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રકરણસંગ્રહ.
आइच्चजसाइ सिवे, चउदसलक्खा य एगु सबढे। एवंजा इक्किका, असंख इग दुग तिगाई वि ॥३॥
અર્થ –(મારચના) ભરતકીના પુત્ર આદિત્યયશાદિ (સિવે ર૩રઢવા જ) ચદ લાખ રાજાઓ મેક્ષે ગયા પછી (જુ દે) એક સર્વાર્થસિદ્ધ દેવ થયા (પૂર્વ ના શિ) એવી રીતે તે એક એક (અia ) અસંખ્યાતા થાય, (ફુલ ટુ તિ વિ) તેમ જ એકની જેમ અંતરમાં સવોર્થસિધ્ધ જનારા બે બે, ત્રણ ત્રણ પણ અસંખ્યાતા થાય ત્યાંસુધી કહેવું. ૩. - વિવેચન –નાભેય એટલે નાભિરાજાના પુત્ર રાષભદેવના વંશમાં ઉત્પન્ન થયેલા ત્રણ ખંડના અધિપતિ આદિત્યયશાદિ ચાર લાખ રાજાઓ નિરંતર મેક્ષે ગયા એટલે એ વંશમાં ભરતપુત્ર આદિત્યયશાથી માંડીને જે જે રાજાઓ માટે આવ્યા તે મોક્ષે ગયા, ત્યારપછી એક સર્વાર્થસિદ્ધ ગયા, ત્યારપછી ચાદ લાખ મેક્ષે ગયા, ત્યારપછી એક સર્વાર્થસિદ્ધ ગયા, એ પ્રમાણે ચોદ ચૌદ લાખને અંતરે એક એકની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ત્યારપછી ફરીથી
દ લાખ મોક્ષે અને બે સર્વાર્થસિદ્ધ, વળી પાછા ચાર લાખ મોક્ષે અને બે સર્વાર્થસિદ્ધ, એવી રીતે ચોદ ચૌદ લાખને અંતરે બે બેની સંખ્યા અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવું. ત્યારપછી ફરીથી ચિદ લાખ મેશે અને ત્રણ સવોર્થસિદ્ધ એમ ચદ લાખને અતરે ત્રણ ત્રણની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી કહેવું.
जा पन्नासमसंखा, तो सव्वलुमि लक्खचउदसगं । एगो सिवे तहेव य, अस्संखा जाव पन्नासं ॥ ४ ॥
અર્થ –(ા પન્નાલમસંat) યાવત પચાસ સુધી આંતરામાં સિદ્ધ થયેલા અસંખ્યાતા થાય (તો) ત્યાર પછી (સરÉમિ) સર્વાર્થસિધ્ધ (વિવાર) ચંદ લાખ (gો વિવે) અને એક મેક્ષે ( તવ ૨) તેમજ (સરવા =ાવ જાલં) યાવત્ અસંખ્યાતી વાર પચાસ જાય ત્યાં સુધી કહેવું. ૪
વિવેચન –ઉપર કહેલ ત્રણ ત્રણની સંખ્યા અસંખ્યાતી થયા પછી ચદ લાખ મોક્ષે અને ચાર સવાર્થસિધે એમ ચોદ ચૌદ લાખ ને અંતરે ચાર ચાર અસંખ્યાતી વાર કહેવા. એમ પાંચ-છ-સાત યાવતું ૫૦ સુધી અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવું.
१ अनुलोम सिद्धदंडिकानी स्थापना
૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪ અસંખ્યય વાર સવોર્થસિધ્ધ | ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૨૦-૩૦-૪૦-૫૦ અસંખ્યય વાર
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધદંડિકા પ્રકરણ
૧૩૯
યંત્રમાં ચંદની સંખ્યા ચાર લાખ જણાવવાને માટે છે અને એક, બે વિગેરે સંખ્યા આંતરે આંતરે સર્વાર્થસિધ્ધ જનારાની છે.
ત્યારપછી ચાદ લાખ સર્વાર્થસિધે અને એક મેસે, વળી ચાદ લાખ સર્વાર્થસિધે એક મોક્ષે, એમ ચોદ ચોદ લાખ અને અંતરે એક એક સિદ્ધની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી કહેવું. ત્યારપછી ચાદ ચદ લાખને અંતરે બે બે સિદ્ધની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ત્યારપછી ચાદ દ લાખને અંતરે ત્રણ ત્રણ, ચાર ચાર, પાંચ પાંચ, છ , સાત સાત, એમ યાવત્ પચાસ પચાસની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું.
२ प्रतिलोम सिद्धदंडिकानी स्थापना
મોક્ષે | ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૨૦-૩૦-૪૦-૫૦ અસંખ્યય વાર. સર્વાર્થસિધ્ધ | ૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪ લાખ અસંખ્યય વાર.
तो दोलक्खा मुक्खे, दुलक्ख सव्वठि मुक्खि लक्खतिगं। इय इगलक्खुत्तरिआ, जा लक्खअसंख दोसु समा ॥ ५॥
અર્થ (તો) ત્યારપછી (રોઢલ્લા મુ) બે લાખ મેસે, (સુa સદ્ધિ) બે લાખ સવોથસિધ્ધ, ત્યારપછી (મુકિત અતિ) ત્રણ લાખ મક્ષે, ત્રણ લાખ સર્વાર્થસિધ્ધ, (૨૪) એ પ્રમાણે (ફુવાજીપુત્તાિ ) એક એક લાખ વધારતાં (ઝા વારંવ રોણુ સમા) યાવત્ અસંખ્યાતા લાખ સુધી બંનેમાં સરખા કહેવા. - વિવેચન – અસંખ્યાતમી વાર પચાસ મોક્ષે ગયા પછી ચિદ લાખ સર્વાર્થસિદ્ધ-એ પ્રમાણે આગલી ગાથામાં કહ્યા પછી બે લાખ મેશે અને બે લાખ સર્વાર્થસિદ્ધ, પછી ત્રણ લાખ મોક્ષે અને ત્રણ લાખ સવોથે, પછી ચાર લાખ મોક્ષે અને ચાર લાખ સથે, એમ એક એક લાખની સંખ્યા વધારતાં બંનેમાં મોક્ષમાં અને સર્વાર્થસિદ્ધમાં સરખા સરખા કહેતાં અસંખ્યાતા લાખ લાખ થાય ત્યાં સુધી કહેવું. ૫.
३ समसंख्य सिद्धदंडिकानी स्थापना
ક્ષે
૨-૩-૪-પ-૬ ૭-૮-૯-૧૦-૧૧ ૧૨ અસંખ્યાત લાખ સુધી કહેવું સર્વાર્થસિધ્ધ | ૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧-૧૨ અસંખ્યાત લાખ સુધી કહેવું
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પ્રકરણસંગ્રહ. तो एगु सिवे सबहि, दुन्नि ति सिवम्मि चउर सबढे । इय एगुत्तरवुड्डी, जाव असंखा पुढो दोसु ॥ ६ ॥
અર્થ – જુશિરે) ત્યારપછી એક મોક્ષે, (સદ ) બે સર્વાર્થ. સિદ્ધ, (તિ નિમિ) ત્યાર પછી ત્રણ ક્ષે, (ચર સકે) ચાર સર્વાર્થસિદ્ધ, ( ફુગ જુત્તરવુઠ્ઠી)એમ એકોત્તર વૃદ્ધિ કરતાં (ઝાવ ૩૫રંવા પુલો રોપુ) યાવત બંનેમાં પ્રત્યેકે અસંખ્યાતા થાય ત્યાં સુધી કહેવું. ૬.
વિવેચન –એવી રીતે ત્રણ પ્રકારની દંડિકા કહીને હવે ચાર પ્રકારની ચિત્રાંતર એટલે જુદા જુદા પ્રકારના અંતરવાળી દંડિકા કહે છે.
૧ એકાદિ એકોત્તર– એકથી માંડીને એક એક અધિકા ૨ એકાદિ દ્વયુત્તરા–
, બે બે અધિક. ૩ એકાદિ વ્યુત્તરા–
ત્રણ ત્રણ અધિક. ૪ વ્યાદિકા દ્વયાદિ ક્ષેપક વિષમોત્તરા-ત્રણ આદિ લઈ બે આદિ વિષમત્તરા
એટલે જેમાં વૃદ્ધિ(ક્ષેપક)ની સંખ્યા સરખી નહી તે.
આ ચારમાંથી પહેલી એકાદિ એકોત્તરી આવી રીતે, એક મેક્ષે જાય અને બે સર્વાર્થસિદ્ધ જાય, પછી ત્રણ મેક્ષે જાય અને ચાર સવાર્થસિદ્ધ જાય, પછી પાંચ મેક્ષે જાય અને છ સર્વાર્થસિદ્ધ જાય-એમ બંનેમાં અનુક્રમે એક એક વધારતાં દરેકમાં અસંખ્યાતા થાય ત્યાં સુધી કહેવું.
४ एकोत्तरा सिद्धदंडिकानी स्थापना
મોક્ષે ૧-૩-૫-૭-૯-૧૧-૧૩-૧૫–૧૭–૧૯-૨૧-૨૩ એમ અસંખ્યાત સુધી સર્વાર્થસિધ્ધ |-૪--૮-૧૦-૧૨-૧૪-૧૧-૧૮-૨૦-૨૨-૨૪ એમ અસંખ્યાત સુધી)
इक्को मुक्खे सवष्टि, तिन्नि पण मुक्खि इअ दुरुत्तरिआ। जा दोसुऽवि अ असंखा, एमेव तिउत्तरा सेढी ॥७॥
અર્થ --(રુ પુણે) એક મેલે, (સદ્ધિ તિ૪િ) ત્રણ સર્વાર્થસિધેિ, (ા મુણે) પાંચ મેક્ષે, સાત સર્વાર્થસિધ્ધ ( ફુલ ટુહત્તષિા ) એ પ્રમાણે ક્રિકેત્તર વૃદ્ધિ (ા રોrsવિ ૩ ) યાવતુ બંનેમાં (અસંતા) અસંખ્યાત થાય ત્યાં સુધી કહેવી. (મેવ તિરૂત્તર દિ) એ જ પ્રમાણે ત્રિકોત્તર શ્રેણી જાણવી. ૭.
વિવેચન–હવે બીજી એકાદિ દ્વયુત્તર વૃદ્ધિ કહે છે. એક મેક્ષે અને
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધદંડિકા પ્રકરણ
૧૪૧ ત્ર સાર્થસિદ્ધ, પછી પાંચ મોક્ષે અને સાત સર્વાર્થસિધ્ધ-એમ અનુક્રમે બે બેની વૃદ્ધિ કરતાં બંનેમાં અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવું.
५ द्विकोत्तरा सिद्धदंडि कानी स्थापना મોક્ષે |૧-૫-૯-૧૨-૧૭–૨૧-૫-૨૯-૩૩-૩૭–૪૧ એમ અસંખ્યાત સુધી સર્વાર્થસિધ્ધ |૩-૭-૧૧-૧૫-૧૯૨૩૨૭–૩૧-૩૫-૩૯-૪૩ એમ અસંખ્યાત સુધી
હવે ત્રીજી ત્રિનેત્તર વૃદ્ધિ આ પ્રમાણે –એક ક્ષે, ચાર સર્વાર્થસિધે, સાત મેસે, દશ સર્વાર્થસિધે–એ પ્રમાણે અનુક્રમે ત્રણ ત્રણ વધારતાં બંનેમાં અસં. ખ્યાત થાય ત્યાં સુધી કહેવું.
६ त्रिकोत्तरा सिद्धदंडिकानी स्थापना મોક્ષે |૧-૭–૧૩-૧૯-૨૫-૩૧-૩૭-૪૩–૪–૫૫ એમ અસંખ્યાત સુધી સર્વાર્થસિધ્ધ ૪-૧૦-૧૬-૨૨-૨૮-૩૪-૪૦-૪૬-પર-૫૮ એમ અસંખ્યાત સુધી)
विसमुत्तरसेढीए, हिवरि ठविय अउणतीसतिआ। पढमे नत्थि केवो, सेसेसु सया इमो खेवो ॥ ८॥
અર્થ:-(વિમુરાદી) વિષમોત્તર શ્રેણિમાં (વિ) હેઠ અને ઉપર એટલે એક લાઈનમાં (અડતીતિમ) ઓગણત્રીશ વાર ત્રણ (વિ) સ્થાપન કરવા એટલે ત્રણનો અંક મૂકો. (જો નથિ લેવો) તેમાંના પ્રથમના ત્રણમાં નાખવાની સંખ્યા નથી. (રેલુ વચા રુમો રે) બાકીના ૨૮ માં નિરંતર આ પ્રમાણે એપવવાનું છે. ૮.
વિવેચન –હવે ચોથી વિષમોત્તરાની સ્થાપના જાણવાને ઉપાય આ પ્રમાણે છે. પટ્ટિકાદિકમાં (૨૯) વાર (૩) ના આંક હેઠ ઉપર સ્થાપવા. પ્રથમના (૩) માં કાંઈ નાખવું નહી, બાકીના ૨૮ ત્રણને વિષે નિરંતર આગલી ગાથાઓમાં કહેવાય છે તે અંકને અનુક્રમે પ્રક્ષેપ કરે.
दुग पण नवगं तेरस, सत्तरस बावीस छच्च अठेव। बारस चउदस तह अड-वीसा छव्वीस पणवीसा ॥९॥ एगारस तेवीसा, सीयाला सयरि सत्तहत्तरिआ । રૂમ ફુગ સરાર, રૂરિમેવ વાદી છે ?
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રકરણસંગ્રહ.
अउणत्तरि चउवीसा, छायाला तह सयं च छव्वीसा। मेलित्तु इगंतरिआ, सिद्धीए तह य सबढे ॥११॥
અર્થ-બે-પાંચ-નવ-તેર-સત્તર-આવીશ-છ-આઠ-બાર-ઉદ-(રદ) તેમ જ અઠાવીશ-છવીશ-પચીશ-અગિયાર–તેવીશ-સુડતાલીશ-સીત્તેર–સીત્યોતેર–એકબે-સત્યાસી-ઈકોતેર એમ બાસઠ–અગણોતેર–ચઉવીશ-બેંતાલીશ-તેમજ સે અને છવીશ-આ પ્રમાણે અઠ્ઠાવીશ કે ત્રણમાં (ત્રિા) મેળવતાં જે જે સંખ્યા થાય તે અનુક્રમે (તરિક ) એકાંતરે (સિદી) મોક્ષમાં (તદ ર ). તેમ જ સવાર્થસિધ્ધ જાણવી.
વિસ્તરાર્થ–પ્રથમ સ્થાનમાં (ત્રણમાં) નાખવાનું નથી એટલે ત્રણ ક્ષે જાય, ત્યારપછી ત્રણમાં બે વધારતાં પાચ સર્વાર્થસિધે જાય, પછી ત્રણમાં પાંચ વધારતાં આઠ મોક્ષે જાય, પછી ત્રણમાં નવ વધારતાં બાર સવોર્થસિધે જાય, એવી રીતે ત્રણમાં ઉપર કહેલી સંખ્યા વધારતાં જે થાય તે કહે છે –
(૩+૧૩) ૧૬ મેક્ષે, (૩+૧૭) ૨૦ સાથે, (૩+૨૨) ૨૫ મેશે, (૩૬) ૯ સવર્થે, (૩૮) ૧૧ મેલે, (૩+૧૨) ૧૫ સર્વાર્થે, (૩-૧૪) ૧૭ મેશે, ( ૭+૨૮) ૩૧ સવો, (૩+૨૬) ૨૯ મેલે, ( ૩+૨૫) ૨૮ સથે, (૩+૧૧) ૧૪ મેશે, (૩+૨૩) ૨૬ સવોથે, (+૦૭) ૫૦ મેશે, (૩૭૦ ) ૭૩ સાથે, (૩+૭૭) ૮૦ મે, (+૧) ૪ સર્વાર્થે, (૨) પ ક્ષે, (૩૮૭) ૯૦ સાથે, (૩૭૧) ૭૪ મેસે, (૩૨) ૬૫ સવોથે, (૩૫૬૯) ૭૨ મોક્ષે, (૩+૨૪) ૨૭ સાથે, (૩+૪૬) ક૯ મેસે, (૩+૧૦૦) ૧૩ સથે અને (ક+ર૬) ૨૯ મેક્ષે જાય. ૯-૧૦-૧૧.
७ प्रथमा विषमोत्तरा सिद्धदंडिकानी स्थापना
- મે
૩-૮-૧૬-૨૫-૧૧-૧૭–૨૯-૧૪-૫૦-૮૦-૫-૭૪-૭૨-૪૯-૨૯) સર્વાર્થસિધે | પ-૧૨-૨૦-૯-૧૫-૩૧-૨૮-ર૬-૭૩-૪-૯૦–૬૫-૨૭–૧૦૩.
अंतिल्ल अंक आई, ठविउं बीआइ खेवगा तह य। एवमसंखा नेआ, जा अजिअपिआ समुप्पन्नो ॥१२॥
અર્થ – તિg કંજ આશં) છેલ્લા આંકને આદિમાં (વ૬) સ્થાપીને, (વગાડુ) બીજા વિગેરે આંકમાં (તદ ૨) તેમજ (હેવ) નાખવા. (ના નિમા) યાવત અજિતનાથના પિતા (મુન્નો) ઉત્પન્ન થયા (gવમરંણા નેમા) એમ ત્યાંસુધી અસંખ્યાતા જાણવા.
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધદંડિકા પ્રકરણ
૧૪૩
વિવેચન –એવી રીતે યાદિ ક્ષેપકાંકવાળી વિષમત્તરા અસંખ્યાતી સિદ્ધદંડિકાઓ અજિતજિનના પિતા જિતશત્રુ ઉત્પન્ન થયા ત્યાંસુધી કહેવી, પણ એટલું વિશેષ કે પાછલ (પૂર્વે) કહેલી દંડિકામાં મોક્ષનું જે છેલ્લું અંકસ્થાન હોય તે તેની પછીની દંડિકામાં સર્વાર્થસિદ્ધનું પ્રથમ સ્થાન કહેવું. તે દંડિકામાં સર્વાર્થસિદ્ધનું જે છેલ્લું અંકસ્થાન હોય છે ત્યારપછીની દંડિકામાં મોક્ષનું પહેલું અંકસ્થાન કહેવું. એવી રીતે અસંખ્યાતી દંડિકામાં અંકસ્થાનો અનુક્રમે મોક્ષના અને સર્વાર્થસિદ્ધના જાણવા. તે જ કહે છે –
હવે પ્રથમ સિદ્ધદંડિકામાં છેલ્લું અંક સ્થાન (૨૯) નું છે તેથી ર૯ ઊર્થ અને અધ અનુક્રમે ર૯ વાર સ્થાપવા. તેમાં પ્રથમ સ્થાનમાં કાંઈ નાખવાનું નથી માટે તેટલા સર્વાર્થસિદધે જાય. ત્યારપછી દ્વિતીયાદિ અંકસ્થાનોમાં દગ, પશુગ, એ પૂર્વે કહેલી ગાથાની સંખ્યાવાળા ૨૮ અંક અનુક્રમે નાખવાથી જે સંખ્યા આવે તેટલા અનુક્રમે મોક્ષે અને સર્વાર્થસિધે જાય એમ જાણવું તે આ પ્રમાણે.
ર૯ સર્વાર્થસિધ્ધ, (ર૯૪૨) ૩૧ મોક્ષે, (૨૯+૫) ૩૪ સર્વા, (ર ) ૩૮ મેસે, (૨૯+૧૩) ૪૨ સાથે, (૨૯૧૭) ૪૬ મેસે, (૨+૨૨) ૫૧ સાથે, (૨૯૧૬) ૩૫ મેશે, (૨૯+૮) ૩૭ સવોથે, (૨૯+૧૨) 8 મેક્ષે, (૨૯+૧૪) ૪૩ સવો, (૨૯૨૮) ૫૭ મેક્ષે, (ર૯૨૬) ૫૫ સવોથે, (ર૯+૨૫) ૫૪ મેલે, (૨*૧૧) ૪૦ સવોથે, (ર+ર૩) પર મેસે, (ર૯૪૭) ૭૬ સવળે, (ર૯*૭૦ ) ૯ ક્ષે, (૨૯૭૭) ૧૦૬ સવોથે, (રત્ન) ૩૦ મેશે, (૨૯+) ૩૧ સથે, (ર૯૮૭) ૧૧૬ મોક્ષે, (૨૯૭૧) ૧૦૦ સથે, (૨૯૬૨) ૯૧ મેલે, (ર૯૪૬૯) ૯૮ સવોથે, (રહ્મ૨૪) ૫૩ મેસે, (ર૯૪૬) ૭૫ સાથે, (૨૯+૧૦૦) ૧૨૯ મેશે અને (૨૯+૨૬) ૫૫ સર્જાથે
સર્વાર્થસિધ્ધ મોક્ષે
૨૯-૩૪-૪૨.૫૧-૩૭-૪૩-૫૫-૬૦-૭૬-૧૦૬૩૧-૧૦૦-૯૮-૭૫-૫૫ ૩૧-૩૮-૪૬-૩૫-૪૧-૫૭ ૫૪-પર-૯૯-૩૦-૧૧૬-૯૧૫૩-૧૨૯.
આ દંડિકામાં છેલ્લું અંકસ્થાન પપ છે તેથી ત્રીજી વિષમેત્તર દંડિકામાં આ જ આદ્ય અંકસ્થાન જાણવું તેથી ૫૫ ઓગણત્રીશ વાર સ્થાપવા. પછી પ્રથમ અંકસ્થાનમાં પ્રક્ષેપ નથી, દ્વિતીયાદિ ૨૮ સ્થાનમાં પૂર્વે કહેલી સંખ્યા નાખવી. આ દંડિકામાં આદ્ય અંકસ્થાન પ૫ મેક્ષે ગયેલ જાણવું, કારણ કે બીજીમાં પહેલું સર્વાર્થનું હતું, ત્યારપછી અનુક્રમે પૂર્વે કહેલી સંખ્યા વધારતાં જે જે અનુક્રમે આવે તેટલા તેટલા પ્રથમ અંકસ્થાનથી આરંભી દેશે અને સાથે અનુક્રમે જાણવા. એવી રીતે બીજી દંડિકાઓમાં જાણું લેવું.
આ પ્રમાણે અસંખ્યાતી દંડિકાઓ કરવી.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રકરણસંગ્રહ. अस्संखकोडिलक्खा, सिद्धा सवठ्ठगा य तह सिद्धा। एगभवेणं देविंद-वंदिआ दिंतु सिद्धिसुहं ॥ १३ ॥
અર્થ:-(અર્જાત્રોડિસ્ટવલ્લી) અસંખ્યાત ક્રોડ લાખ (સિદ્ધા) સિદ્ધ થયેલા (સયા ) અને સર્વાર્થે ગયેલા જાણવા કે જે (gri) એક ભવડે (હિંવરિબા) દેવેદ્રોવડે વંદાયેલા અથવા દેવેંદ્રસૂરિએ વાંદેલા થશે (મેક્ષે જશે. ) (ાદ હિ)તે સિદ્ધો મને (સિક્રિકુટું) મોક્ષસુખ (રિંતુ) આપો. ૧૩.
اما ایفافكار اغاني انجاميد
3.
ઈતિ શ્રી દેવેંદ્રસૂરિવિરચિત સિદ્ધદડિકા પ્રકરણ સંપૂર્ણ.
Page #158
--------------------------------------------------------------------------
________________
श्रीमद्देवेन्द्रसूरिविरचिता श्री सिद्धपंचाशिका |
सिद्धं सिद्धत्थसुअं, नमिउं तिहुअणपयासयं वीरं । सिरिसिद्धपाहुडाओ, सिद्धसरूवं किमवि वुच्छं ॥ १ ॥
અ:—( વિદ્ધ ) પ્રસિદ્ધ (તિદુબળયાસચં) ત્રણ ભુવનમાં કેવલજ્ઞાનવડે પ્રકાશ કરનારા ( વિન્દ્રસ્થનુબં ) સિદ્ધાર્થ રાજાના પુત્ર ( ર ) શ્રી મહાવીરસ્વામીને ( જ્ઞમિરું ) નમસ્કાર કરીને ( સિરિસિદ્ઘપાદુકાઓ ) શ્રી સિદ્ધપ્રાભૂતમાંથી ઉદ્ધરીને ( સિદસä ) સિદ્ધ ભગવાનનું સ્વરૂપ (વિવિ લુખ્ખું ) કાંઇક કહીશ. ૧.
વિવેચન—–( લિન્દ્રસ્થનુત્રં ) એ પદના અર્થ આવી રીતે પણ થાય છે. સિદ્ધ એટલે અચલ છે અ-જીવાદિ પદાર્થા શ્રુતમાં દ્વાદશાંગરૂપ સિદ્ધાંતમાં જેના એવા અથવા સિદ્ધ થયા છે ( મેાક્ષપ્રાપ્તિરૂપ ) અર્થ જેમના એવા સુત એટલે ગણધરાદિ શિષ્યેા છે જેમને એવા અથવા સિદ્ધાર્થ એટલે નિશ્ચિંતા –જેમના સ સર્વ પ્રયેાજન સમાપ્ત થયા છે એવા અથવા સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીરસ્વામીને નમસ્કાર કરીને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કાંઇક કહીશ. જેમણે પૂર્વે બાંધેલા આઠે કર્મો ક્ષય કર્યો હૈાય છે તે સિદ્ધ ભગવાન કહેવાય છે. )
संतपर्यपरूवणया, दवर्षमाणं च खिँत्त फुर्सेणा य । હાજો ૫ અંતર તહ, માવો સાવધૂ દ્વારા ॥ ૨ ॥
અર્થ :-( સંતપયવહવળયા) ૧ છતા પદની પ્રરૂપણા દ્વાર. (જ્વપમાળ = ) ૨ દ્રવ્યપ્રમાણ દ્વાર, એટલે કેટલી સંખ્યા મેાક્ષમાં છે તે. ( વિત્ત )૩ ક્ષેત્ર દ્વાર, કયા કયા ક્ષેત્રમાંથી સિદ્ધ થાય તે. ( સ ચ ) ૪ સ્પના દ્વાર, સિદ્ધના જીવાને સ્પર્શના કેટલી હેાય તે. ( જાજો ૬) ૫ કાળ દ્વાર, સિદ્ધના જીવાની સ્થિતિના સાદિ અનંતાદિ કાળ કહેવા તે. (અંતર તĚ ) ૬ અંતર દ્વાર, સિદ્ધના જીવાનુ અંતર કહેવું તે. ( માવો ) ૭ ભાવદ્વાર, સિદ્ધના વા કયે ભાવે તે છે તે. (અપ્પાવદ્રારા) ૮ અલ્પબહુત્વ દ્વાર, એટલે સિદ્ધના જીવાને પરસ્પર થાડાઘણા કહેવા તે. ૨.
૧૯
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પ્રકરણસંગ્રહ,
एहि अणंतरसिद्धा, परंपरा सन्निकरिसजुत्तेहिं । तेहिं विआरणिज्जा, इमेसु पनरससु दारेसु ॥ ३॥
અર્થ –(ઈં) એ આઠ દ્વાર દ્વારાએ (અત્તરવિદા) અનંતર સિદ્ધને અને (સિલસિલુહિં) સન્નિકર્ષયુક્ત નવ દ્વારવડે (પરંપરા) પરંપરસિદ્ધને (હિં) તે ( ૩) આ આગલી ગાથામાં કહે છે તે (જનરલg g) પંદર દ્વારને વિષે (વિભાગ) વિચાર કરવો. ૩.
વિવેચન—ઉપરની ગાથામાં કહેલા આઠ દ્વારવડે અનંતર સિદ્ધો વિચારવા. એક સમયનું પણ અતર જેઓને ન હોય તે અનન્તર સિદ્ધ એટલે સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તતા–અમુક વિવક્ષિત સમયે સિદ્ધ થયેલા તે અને તે આઠ દ્વાર સાથે સન્નિકર્ષ દ્વાર વધારતાં નવ દ્વારવડે પરંપરસિદ્ધ વિચારવા.
વિવક્ષિત પ્રથમ સમયે જે સિદ્ધ થયા તેની અપેક્ષાએ તેના પૂર્વના સમયે સિદ્ધ થયેલા તે પરસિદ્ધ અને તે પૂર્વ સમયે સિદ્ધ થનારથી પૂર્વના સમયે સિદ્ધ થયા તે પરંપરસિદ્ધ. તાત્પર્ય એ કે અનન્તરસિદ્ધમાં અમુક એક સમયની અપેક્ષાએ વિચારવું અને પરંપરસિદ્ધમાં અમુક વિવક્ષિત સમયથી પૂર્વે પૂર્વે અનંતા ભૂતકાળ સુધીમાં થઈ ગયેલા સિદ્ધોની અપેક્ષાએ વિચારવું. તે પરંપરસિદ્ધને વિષે સન્નિકર્ષ સાથે નવ દ્વાર કહેશે. ( સન્નિક એટલે સંગગત અ૯પબહત્વ વિશેષ જાણો.)
પ્રથમ પંદર દ્વારના નામ કહે છે. खित्ते काले गैइ वेअ, तित्थ लिंगे चरित्त बुद्धे य । नाणोगीहुकस्से, अंतरेमणुसमयगैणणअॅप्पबहू ॥ ४ ॥
અર્થ અને વિવેચન– ) ક્ષેત્ર દ્વારા ત્રણ પ્રકારે-ઊર્ધ્વ, અધે અને તિછ ૧. ( ) કાળ દ્વાર બે પ્રકારે-ઉત્સપિણી અને અવસર્પિણ ૨. (૧૬) ગતિ દ્વારા ચાર પ્રકારે-નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ ૩. (૨) વેદ દ્વારા ત્રણ પ્રકારે–સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ ૪. (તિર્થી) તીર્થ દ્વારા બે પ્રકારે–તીર્થકરનું તીર્થ અને તીર્થકરીનું તીર્થ પ. (&િ ) લિંગ દ્વાર બે પ્રકારે દ્રવ્યલિંગ અને ભાવલિંગ. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે–૧ ગૃહસ્થલિંગ, ૨ અન્યલિ ગ, ૩ - (ારિત) ચારિત્ર દ્વારા પાંચ પ્રકારે-સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં પરાય, યથાખ્યાત ૭. (ગુ જ) બુદ્ધ દ્વાર ચાર પ્રકારે–બુદ્ધિબોધિત, બુદ્ધિબેધિત, સ્વયં બુદ્ધ, પ્રત્યેકબુદ્ધ ૮. (નાન ) જ્ઞાન દ્વારા પાંચ પ્રકારે–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન ૯. ( ૬) અવ
વલિંગ ૬.
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ.
૧૪૭
ગાહના દ્વારા ત્રણ પ્રકારે-જઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટ અવગાહના અને મધ્યમ અવગાહના ૧૦. (૩ ) ઉત્કર્ષ દ્વારા ચાર પ્રકારે અનંત કાળથી સમ્યક્ત્વથી પડેલા અસંખ્યાત કાળથી પડેલા, સંખ્યાત કાળથી પડેલા અને સમકિતથી નહિ પડેલા ૧૧. (સંત) અંતર દ્વાર-સિદ્ધ એક થયા પછી કેટલું અંતર પડે તે ૧૨. (મજુરમ ) આસમય દ્વાર–નિરંતરપણે કેટલા સમય સુધી સિઝે તે ૧૩. () ગણના દ્વાર–કેટલા સિઝે તેની ગણતરી ૧૪. (gg) અNબહુત્વ દ્વાર-ઓછા વત્તા-કણ કણથી ઓછા અથવા વધારે છે તે. ૧૫.
હવે તે પંદર દ્વાર વિવરીને કહે છે – खित्ति तिलोगे १ काले, सिझंति अरेसु छसु वि संहरणा । अवसप्पिणि ओसप्पिणि, दुतिअरगे जम्मु तिदुसु सिवं २॥५॥
અર્થ –(ઉત્તર) ક્ષેત્ર દ્વારે-(તિને) ત્રણ લેકમાં, (ર) કાળદ્વારે વિચારતાં (સંદરા) સંહરણથકી વસ્તુ છg વિ) છએ આરામાં, (લિક્તિ) મેક્ષે જાય; ( — ) અને જન્મથી (અવપિન) અવસર્પિણીમાં (ડુડા) ત્રીજા અને ચોથા આરાના જન્મેલા (તિg સિવં) ત્રીજા, ચોથા અને પાંચમાં એ ત્રણ આરામાં મેક્ષે જાય. (ચોવMિળિ) ઉત્સર્પિણુમાં (તિમ) બીજા, ત્રીજા અને ચોથા એ ત્રણ આરાના જન્મેલા (ટુ હિતવં) ત્રીજા અને ચોથા બે આરામાં મોક્ષે જાય. ૫.
વિવેચન –પ્રથમ સત્પદદ્વારને વિષે ક્ષેત્રાદિ પંદર દ્વારમાં અનંતર સિદ્ધ એવો વિચારાય છે. તે ક્ષેત્રદ્વારે ત્રણે લોકમાં–તેમાં ઊર્ધલેકે પંડકવનાદિમાં, અધોલેકે અધોકિક ગ્રામમાં અને તિછલેકે પંદર મનુષ્યક્ષેત્રમાં સિદ્ધ થાય છે. સંહરણથી નદી, સમુદ્ર અને વર્ષધર પર્વત વિગેરેમાં પણ સિદ્ધ થાય છે.
૨ કાળદ્વારે –કાળ તે ઉત્સર્પિણ અને અવસર્પિણરૂપ તેમાં સંહરણથી છએ આરામાં સિઝે, કારણ કે મહાવિદેહમાં હમેશાં સુષમદુષમારૂપ એક ચોથે જ આરે વર્તે છે, ત્યાં હમેશાં મોક્ષગમન હોવાથી ત્યાંથી સંહરણ કરાયા સતા તેઓ ભરતાદિક ક્ષેત્રમાં જે આરો વર્તતે હોય તેમાં સિઝતા હોવાથી છએ આરામાં મેક્ષગમન થાય છે. તીર્થકરને ઉત્સર્પિણી અને અવસર્પિણમાં સુષમદુષમા અને દુષમસુષમારૂપ બે આરામાં જ જન્મ થાય છે અને સિદ્ધિ પામે છે. તેમને સંહરણને અભાવ હેવાથી બીજા આરામાં તેમનું મોક્ષગમન થતું નથી. તીર્થકરનું અધેલકે અલૈકિક ગ્રામમાં અને તિછોલેકે પંદર કર્મભૂમિમાં સિદ્ધિગમન થાય છે. ૫. चउगइआगय नरगइ-ठिय सिव ३ वेयतिग ४ दुविहतित्थेऽवि५। નિશ્રિ –સર્જકોનુ મ ૬, વરને વરૂ વદંતા છે
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રકરણસંગ્રહ.
અર્થ ને વિવેચન-૩ ગતિદ્વારે (ત્રકાર) સામાન્ય ચારે ગતિમાંથી આવેલા (નાર દિ) મનુષ્યગતિમાં રહેલા (શિવ) સિઝે. વિશેષથી નરકગતિની અપેક્ષાએ પ્રથમની ચાર નરકથી આવેલા સિઝે. તિર્યંચગતિની અપેક્ષાએ પૃથ્વીકાય, અપકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવેલા સિઝે. મનુષ્યગતિની અપેક્ષાએ સ્ત્રી, પુરુષ, નપુંસક ત્રણે વેદમાંથી આવેલા સિઝે. દેવગતિમાં ચારે નિકાયના દેવોમાંથી આવેલા સિઝે, પણ તીર્થકર તો દેવગતિમાંથી એટલે વૈમાનિક દેવમાંથી આવેલા અને નરકગતિમાંથી એટલે પ્રથમની ત્રણ નરકમાંથી આવેલા જ સિઝે. વર્તમાન નયને આશ્રીને મનુષ્યગતિમાં રહેલા જ મેક્ષ પામે. ૪ વેદદ્વારે (વેતા ) ત્રણે વેદમાં સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદમાં સિઝે. તેમાં પ્રત્યુત્પન્ન નયને આશ્રીને અવેદી જ સિઝે. તે ભવમાં પૂર્વે અનુભવેલ વેદની અપેક્ષાએ અને બાહા આકાર માત્રની અપેક્ષાએ ત્રણે વેદમાંથી સિઝે. તીર્થકર તે સ્ત્રીવેદ અને પુરુષવેદે વર્તતા જ સિઝે. ૫ તીર્થદ્વારે (સુવિતિ ) તીર્થ બે પ્રકારે-તીર્થકરે પ્રવર્તાવેલ અને તીર્થકરીએ પ્રવર્તાવેલ, એ બંને તીર્થમાં સિઝે. ૬ લિંગદ્વારે-(જિ-જન્સર્જિતુ જ) લિંગ બે પ્રકારે દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે ગૃહસ્થલિંગ, અન્યલિંગ અને સ્વલિંગ. એ ત્રણે લિગે સિઝે, અને સંયમરૂપ ભાવલિંગની અપેક્ષાએ તો સ્વલિગે જ સિઝે. ૭ ચારિત્રકારે ( જો શકવાર વતા) ચારિત્રના પાંચ પ્રકાર-સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત. તેમાંથી ક્ષાયિક યથાખ્યાત ચારિત્રમાં વર્તતા જ સિઝે. (ઉપશમ યથાખ્યાતમાં વર્તતા ન સિઝે) ૬. ति चउ पण पुचि तिचरण, जिणा ७ सयं बुद्धि-बुद्ध-पत्तेया ८। दु-ति-चउनाणा ९लहुतणु, दुहत्थ गुरु पणधणुसयाओ १०॥७॥
અર્થ -(ga તિરણ) તે ભવમાં પૂર્વ અનુભવેલા ચારિત્રની અપેક્ષાએ (તિ ૩ પા) ત્રણ, ચાર અથવા પાંચ ચારિત્ર પામીને સિઝે. એટલે કેટલાક પહેલું, ચોથું અને પાંચમું એ ત્રણ ચારિત્રપામીને સિઝે, કેટલાક પહેલું, બીજું, શું અને પાંચમું એ ચાર પામીને સિઝે, કેટલાક પહેલું, ત્રીજું, ચોથું અને પાંચમું એ ચાર પામીને સિઝે અને કેટલાક ઉપર કહેલા પાંચે ચારિત્ર પામીને સિઝે. (ગિળા ) તીર્થકર તો સામાયિક, સૂમસં૫રાય અને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર પામીને જ સિઝે. ૮ બુદ્ધદ્વાર ચાર પ્રકારે છે:(ાર્થ) સ્વયં બુદ્ધ, ( યુ વુક્ર) બુદ્ધિબુદ્ધ, (૩૬) બુદ્ધબુદ્ધ અને (ઉત્તેયા ) પ્રત્યેકબુદ્ધએ ચારમાંથી સિઝે. સ્વયં એટલે બાહા હેતુ વિના જાતિસ્મરણાદિ પામીને બોધ પામેલા તે સ્વયં બુદ્ધ, બુદ્ધિ એટલે મલ્લિસ્વામી તીર્થકર અથવા સામાન્ય સ્ત્રી તેમનાથી બંધ પામેલા તે બુદ્ધિબુદ્ધ, આચાર્યાદિક તે બુદ્ધ તેમનાથી બોધ પામેલા બુદ્ધબુદ્ધ અને પ્રત્યેક એટલે કાંઈક બાહ્ય હેતુ જેઈને બોધ પામેલા તે પ્રત્યેકબુદ્ધ જાણવા.
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૪૯ વિવેચનઃ–પ્રત્યેકબુદ્ધ અને સ્વયંબુદ્ધમાં બધિ, ઉપાધિ, વ્યુત અને લિંગવડે ભેદ છે, તેથી તે પ્રત્યેક એટલે જુદા વિહાર કરે પણ ગચ્છવાસીની પેઠે સાથે વિચરતા નથી. સ્વયં બુદ્ધને પાત્રાદિક બાર પ્રકારની ઉપાધિ હોય અને પ્રત્યેક બુદ્ધને જઘન્યથી રજોહરણ અને મુહપત્તિરૂપ બે પ્રકારની અને ઉત્કૃષ્ટથી પ્રાવરણ (વસ્ત્ર) વજીને નવ પ્રકારની ઉપાધિ હોય. સ્વયં બુદ્ધને પૂર્વે ભણેલું શ્રત હોય અથવા ન હોય. જે હોય તે દેવતા લિંગ અપે અથવા ગુરુ પાસે અંગીકાર કરે અને એકલા વિહાર કરવા સમર્થ હોય તો તે એકલા વિહાર કરે, નહિ તો ગચ્છમાં રહે. જો પૂવોધીત કૃત ન હોય તે નિશ્ચ ગુરુ પાસે લિગ અંગીકાર કરે અને ગ૭નો ત્યાગ કરે જ નહિ. પ્રત્યેક બુદ્ધને પૂવાધીત શ્રત અવશ્ય હોય. જઘન્યથી અગિયાર અંગનું અને ઉત્કૃષ્ટથી કાંઈક ઊણા દશ પૂર્વનું હોય. તેમને લિગ દેવતા અપે અથવા કદાચિત્ લિંગ રહિત પણ હોય. હવે ગાથાને બાકીનો અર્થ કહે છે –
- અર્થ – જ્ઞાન દ્વારે-જ્ઞાન પાંચ પ્રકારે–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન. તેમાં કેવલજ્ઞાને વર્તતા સિઝે. તે ભવમાં પૂર્વે અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ (સુ-તિ-જાના) કેટલાક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ બે જ્ઞાની, કેટલાક મતિ, શ્રુત, અવધિ અથવા મતિ, શ્રુત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાની અને કેટલાક મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાની સિઝે. તીર્થકર તો ચાર જ્ઞાની જ સિઝે.
૧૦ અવગાહનાદ્વારે–અવગાહના બે પ્રકારે-( ૪ઘુતળુ થ ) જઘન્યથી બે હાથની અવગાહનાવાળા (ગુe gધપુરથમ ) અને ઉત્કૃષ્ટથી પાંચ સે ધનુષ્યની અવગાહનાવાળા સિઝે. મરુદેવીમાતા આદિ પાંચસોથી અધિક પચીશ ધનુષ્યના શરીરવાળા પણ સિઝે, કારણ કે મરુદેવીની અવગાહના નાભિકુલકર તુલ્ય પરપ ધનુષ્યની હતી. “સંઘયણ, સંસ્થાન અને ઊંચપણું કુલકરની સ્ત્રીનું કુલકર સરખું હોય છે. આ પ્રમાણે સિદ્ધપ્રાભૂતની ટીકામાં કહ્યું છે. બે હાથની ઉપર અને પાંચ સે ધનુષ્યની અંદરની મધ્યમ અવગાહનાએ વર્તતા સિઝે. તીર્થકર તે જઘન્યથી સાત હાથના અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યના પ્રમાણવાળા જ સિઝે. બાકીના જી મધ્યમ અવગાહનાએ પણ સિઝે. ૭.
कालमणंतमसंखं, संखं चुअसम्म अचुअसम्मत्ता ११ । लहुगुरुअंतर समओ, छमास १२ अडसमय अवहिआ १३ ॥८॥
અર્થ–૧૧ ઉત્કર્ષ દ્વારે-(સુગણક્ય) સમ્યક્ત્વથી પડીને કેટલાક (જાન્ટમળત) ઉત્કૃષ્ટથી અર્ધ પુદગલ પરાવર્તન કાળરૂપ અનંતકાળ સુધી સંસારમાં ભમીને, ફરી સમ્યકૃવાદિ રત્નત્રય પામીને સિઝે. (વાસં સં ) કેટલાક બીજા અનુત્કૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી અને સંખ્યાતકાળ સુધી ભમીને સિઝે. (અરુઅસત્તા) કેટલાક સમ્યક્ત્વથી પડ્યા વિના પણ સિઝે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રકરણસંગ્રહ
૧૨ અંતરદ્વારે–(૪ઘુગુગંતા) જઘન્યથી અંતર (મો) એક સમયનું અને ઉત્કર્ષથી (માસ) છ માસનું અંતર પડે. ૧૩ અનુસમય એટલે નિરંતરદ્વિારે-(મહત્તમ) જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી (ગાદિયા) અવ્યવસ્થાને-નિરંતર સિઝે. ૮ जहनियर इक्क अडसय १४, अणेग एगा य थोव संखगुणा १५ । चउ उढ्नु नंदण जले, वीसपहुत्तं अहोलोए ॥ ९ ॥
અર્થ –૧૪ ગણનાદ્વારે-વદનિકા શહા ) જઘન્યથી એક અને ઈતર ઉત્કૃષ્ટથી એક સો ને આઠ એક સમયે સિઝે. કાષભદેવના નિર્વાણ સમયે એક સો આઠ એક સમયે સિદ્ધ થયા હતા. ૧૫ અપળહત્વદ્રારે-(ા થોર) અનેક એટલે એકસાથે બે ત્રણ સિદ્ધ થાય તે ડા, તેનાથી (
) એક સમયે એક સિદ્ધ સંખ્યાતગુણ. વિવક્ષિત સમયે એક સિદ્ધનું બાહુલ્યપણું હેવાથી. એવી રીતે ક્ષેત્રાદિક પંદર દ્વારને વિષે સત્પદપ્રરૂપણુદ્વાર કહ્યું.
હવે ક્ષેત્રાદિ પંદર દ્વારને વિષે દ્રવ્યપ્રમાણ નામે બીજું દ્વાર કહે છે –
૧ ક્ષેત્રદ્વારે- વડ ૩ નં ) ઊર્વલેકે મેરુ આદિમાં, નંદનવનમાં અને જળમાં એટલે સામાન્યથી નધાદિકમાં ચાર–ચાર સિઝે. (વીસ ગોત્રોઇ) અલેકમાં વીશ પૃથકૃત્વ સિઝે. સંગ્રહણિમાં બાવીશ સિઝે એમ કહ્યું છે. ઉત્તરાધ્યયનમાં “અરીસા ગોઢો ” બે વીશ-એટલે ચાળીશ અધોલેકમાં સિઝે એમ કહ્યું છે (અધોલકમાં બે વિજય આવે છે તેથી). ૯. इगविजय वीस अडसय, पत्तेयं कम्मभूमि तिरिलोए । दु दु जलहि पंडगवणे, अकम्ममहि दस य संहरणा १ ॥१०॥
અર્થ – વિના વીસ) એક એક વિજયને વિષે વશ વશ સિઝ. (ાં જન્મભૂમિ) પ્રત્યેક (૫) ભરત (૫) ઐરાવત (૫) મહાવિદેહ એ પંદર કર્મભૂમિ દરેકમાં (કદાચ) એક સો આઠ સિઝે. (તિરિસ્ટોપ) તિવ્હીલેકમાં પણ એક સે આઠ સિઝે. ( ટુ ડુ કરિ પંકજ ) સામાન્યથી સમુદ્રમાં અને પંડકવનમાં બબે સિઝે. ૫ હેમવંત, પ હરિવર્ષ, ૫ દેવકુરુ. ૫ ઉત્તરકુરુ, ૫ રમ્યક, ૫ ઐરણ્યવત-એ (ર સંસ્થા ) ૩૦ અકર્મભૂમિ દરેકમાં સંહરણથી દશ દશ સિઝે. ૧૦. ति चउत्थ अरे अडसय, पंचमए वीस दस दस य सेसे २। नरगतिग भवण वण नर-जोइस तिरि तिरिखिणी दसगं॥११॥
૧ અહીં પૃથકૃત્વ શબ્દ વિશથી કાંઈક અધિક સમજવા.
Page #164
--------------------------------------------------------------------------
________________
amam
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ मथ:-२ द्वार-( ति चउत्थ अरे ) उत्सपि मने असा पीना त्री मने याथा माराम ( अडसय) मे से। ने 218 सि. ( पंचमए वीस) अवसपिाना पायमा माराम वीश सि. (दस दस य सेसे) उत्सपिए। सने અવસર્પિણ બે કાળના બાકીના આરાઓમાં દરેકમાં સંહરણથી દશ દશ સિઝે.
3 शतिद्वारे-( नरगतिग भवण वण नर जोइस तिरि तिरिखिणी दसगं) पडेटी न२४, मनपति, व्यत२, मनुष्य, ज्योतिषी, तियय ने तिय शिक्षाએમાંથી આવેલા દશ દશ સિઝે. ૧૧ वेमाणिअ अट्ठसयं, हरिय छऊ पंकपुढविजल चउरो। जोइविमाणिनरित्थी, वीसं भवणवणथी पणगं ३ ॥१२॥
म:-(वेमाणिअ अट्ठसयं ) वैमानि देवथी आवे मे से न मा सि. ( हरिय छऊ ) बन२५तिशयमांथी सावताछ सिजे. ( पंकपुढविजल चउरो) પંકપ્રભા નામે ચેથી નરક, પૃથ્વીકાય અને અપકાય એ ત્રણમાંથી આવેલા ચાર या सि. ( जोइविमाणीनरित्थी) ज्योतिषानी हेवी, वैमानिनी हेवी मने भनुष्याशीथी मावे(वीसं ) वीश सि. (भवणवणथी पणगं) सपनपतिनी દેવી તથા વ્યંતરની દેવીથી આવેલા પાંચ પાંચ સિઝે. આ સર્વ સંખ્યા ઉત્કૃષ્ટથી oneyवी. धन्यथा से, मे, व सि. १२.
वीसत्थि दस नपुंसग, पुरिसट्ठसयं नरा नरुबट्टा । इय भंगे अट्ठसयं, दस दस सेस? भंगेहूं ॥ १३ ॥
मर्थ:-४ हारे ( वीसत्थि ) स्त्री वाश, ( दस नपुंसग ) नपुंस ४श मने (पुरिसठ्ठसयं ) पुरुष मे से। 2418 सि. ( नरा नरुचट्टा ) हेपाह पुरुषमाथी माता नरे।-पुरुष ( इयभंगे अठसयं ) मे से भांजे से से ने 2418 सिजे. ( दस दस सेसह भंगेसु ) श्रीना 28 मांगे ४६सि. १३. २ पुरुषमांथी आवी स्त्रीपणे
नपुंसकपणे ४ स्त्रीमाथी
पुरुषपणे स्त्रीपणे
नपुंसकपणे ७ नपुंसकमांथी
पुरुषपणे स्त्रीपणे नपुंसकपणे
उत्पन्न
थएला
३
"
,
Page #165
--------------------------------------------------------------------------
________________
^^^^
^
^
^^^
^
^^^
^
^^^
^
^
^
૧૫૨
પ્રકરણસંગ્રહ વેદ આશ્રી પ્રથમભાગે ૧૦૮ અને બાકીના આઠ ભેગે દશ દશ સિઝે એમ સમજવું. तित्थयरी जिण पत्तेअबुद्ध संबुद्ध दु चउ दस चउरो ५। चउ दस अडसय गिहि पर, सलिंग ६ परिहारविणु ओहो ॥१४॥
અર્થ –પ તીર્થદ્વારે– તિત્યારે સુ ) તીર્થકરી એક સમયે બે સિઝે. (નિr as) જિન એટલે તીર્થકર એક સમયે ચાર સિઝે. ( વૃદ્ધ સૂત્ર ) પ્રત્યેકબુદ્ધ એક સમયે દશ સિઝે. (વૃદ્ધ વડો) સ્વયં બુદ્ધ એક સમયે ચાર સિઝે.
૬ લિંગદ્વારે- ર૪ જિf) ગૃહસ્થલિંગે ચાર સિઝે, ( ર ) અન્ય લિંગે દશ સિઝે, ( &િા અરુણા ) સ્વલિગે એક સો ને આઠ સિઝે.
૭ ચારિત્રકારે– વિવિg ગોદ ) પરિહાર વિના ઓઘ એટલે જે ભાંગામાં પરિહારવિશુદ્ધિ ચારિત્રપદ ન આવે ત્યાં એઘ એટલે સામાન્યથી ૧૦૮ સિછે. તે ભાંગા આ પ્રમાણે-સામાયિક, સૂફમસં પરાય, યથાખ્યાત–એ ત્રિકસંગી ભાંગે અને સામાયિક, છેદપસ્થાપનીય, સૂમસં૫રાય અને યથાખ્યાત–એ ચતુઃસંગીભાંગે-એ બે ભાંગે ૧૦૦ સિઝે. ૧૪. दस परिहारजुए ७ बुद्धिबोहिथी वीस जीव वीस पहू ८ । चउ मइसुअ मइसुअमणनाणे दस सेस दुगि ओहो ९ ॥१५॥
અર્થ - દારy ) પરિહારવિશુદ્ધિ સહિત ભાંગાને વિષે દશ દશ સિઝે. તે આ પ્રમાણે-પહેલું, ત્રીજું, શું ને પાંચમું એ ચતુઃસંયોગી ભાંગે અને પહેલું, બીજુ, ત્રીજુ, ચોથું, પાંચમું-એ પંચરંગી ભાંગે–બંને ભાંગે દશ દશ સિઝે. (પૃથત્વ શબ્દ કાંઈક અધિક વાચક સમજવો.)
૮ બુદ્ધદારે-(કુદથિી ) બુદ્ધિબધિત સ્ત્રીઓ એક સમયે (વીસ) વીશ સિઝે. ( નવ વીસ ) બુદ્ધિાધિત જો સ્ત્રી, પુરુષ અને નપુંસકની વિરક્ષા વિના વીશ પૃથવ સિઝે. (પૃથત્વ શબ્દ કાંઈક અધિક વાચક સમજ.) .
આ પ્રમાણે સિદ્ધપ્રાભૂતમાં કહ્યું છે. હવે વિશેષ કહે છે-બુદ્ધબોધિત પુરુષ ૧૦૮, સ્ત્રી ૨૦ અને નપુંસક ૧૦ સિઝ
૯ જ્ઞાનદ્વારે-( મયુર) પૂર્વ અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ મતિ અને શ્રુતજ્ઞાની ૪ સિઝે. (મરૂપુજમાનાને વ) મતિ, શ્રુત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાની ૧૦ સિઝે. ( રેસ સોદો) બાકીના મતિ, શ્રત અને અવધિજ્ઞાની અને મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવજ્ઞાની આ બે ભાગે ૧૦૮ સિઝે. ૧૫.
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૫૩
मज्झ गुरु लहुवगाहण, अडसय दुग चउर अट्ठ जवमज्झे १० । चुअणंतकालसम्मा, अडसय चउ अचुअ दस सेसा ११-१२ ॥१६॥
અર્થ :—૧૦ અવગાહનાદ્વારે-( મન્ત્ર અડસય ) મધ્યમ અવગાહનાવાળા (૧૦૮) સિઝે. (નુT કુT ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે સિઝે. (હન્દુવાદળ ૨૩૨) જઘન્ય અવગાહનાવાળા ચાર સિઝે. ( અઠ્ઠ નવમન્તે ) જવમધ્ય અવગાહનાવાળા આ સિઝે. જવમધ્ય એટલે ઉત્કૃષ્ટ અવગાહના ( પર૫ ) ધનુષ્યની છે તેથી અર્ધ (૨૬૨૫ ) ધનુષની અવગાહનાવાળા સમજવા. આગળ પણ જવમધ્ય સંજ્ઞા આવે ત્યાં ઉત્કૃષ્ટથી અર્ધ પ્રમાણુ જાણવુ.
૧૧ ઉત્કૃષ્ટદ્વારે-( ચુબળતાસમ્મા ) અનતકાળથી સમ્યક્ત્વથી પડેલા ( અઙલય ) ૧૦૮ સિઝે. ( ચત્તુ અનુત્ર ) સમકિતથી નહિ પડેલા ચાર સિઝે. (ટ્સ તેમા ) અને બાકીના અસ ંખ્યાત કાળથી અને સ ંખ્યાત કાળથી સમ્યકત્વથી પડેલા દશ દશ સિઝે. ૧૬.
૧૨ અંતરદ્વાર-અપવિષયી હાવાથી સૂત્રમાં નથી કહ્યું પણુ દેખાડે છે:— એકાદિ સમયને અન્તરે એક પણ સિઝે અને ઘા પણુ સિઝે. એટલે ૧૦૮ સુધી સિઝે.
अड दुरहिअसय सय छनुई, चुलसी दुगसयरि सहि अडयाला । बत्तीस इक्क दु ति चउ, पण छग सग अड निरंतरिया १३ ॥ १७॥
અર્થ :—૧૩ અનુસમયદ્વારે( અનુસT ) ૧૦૮ (રુત્તિઅસય) ૧૦૨ ( છન્નુર્દ ) ૯૬ ( બ્રુજલી ) ૮૪ ( ટુનત્તft ) ૭૨ ( જ્ઞડ્ડિ) ૬૦ ( ૧૩ચાહા ) ૪૮ (વત્તીસ) ૩૨ એ પ્રમાણે ( મૈં ) એક સમય સુધી, ( ૩ ) એ સમય સુધી, ( fr ) ત્રઝુ સમય સુધી, ( ૨૩ ) ચાર સમય સુધી, ( પળ ) પાંચ સમય સુધી, ( છT ) છ સમય સુધી, ( સT ) સાત સમય સુધી, ( ૧૬ ) આઠ સમય સુધી ( નિરં તરિયા) નિરંતર સિઝે.
૧૦૩ થી ૧૦૮
૯૭ થી ૧૦૨ નિર ંતરપણે ૨
૮૫ થી ૯૬
૩
૭૩ થી
૮૪
૪
૬૧ થી
૭૨
પ
૨.
29
22
૧ સમય સુધી સિઝે પછી અવશ્ય અંતર પડે.
,,
..
""
29
22
""
""
"2
..
'
,,
""
""
22
"9
""
""
""
22
""
99
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૪
૪૯ થી
૬૦
૩૩ થી ૪૮
૧ થી
૩૨
,,
,,
७
.
પ્રકરણસ ગ્રહ.
',
""
""
""
..
""
'
,,
""
""
,,
,,
૧૪ મું ૧૫ મું ગણુના દ્વાર ને અલ્પબહુત્યદ્વાર પૂર્વે કહેલા સત્પદ પ્રરૂપણાદ્વારની પેઠે જાણવું. એવી રીતે ક્ષેત્રાદિ ૧૫ દ્વારે બીજું દ્રવ્યપ્રમાણુદ્વાર કહ્યું. ૧૭. હવે એક ગાથાવડે ક્ષેત્ર અને સ્પના દ્વાર કહે છે:— –
""
""
22
लोअग्गठिआ सिद्धा, इह बुंदिं चइय पडिहय अलोए ३ । સદ્ અનંતે સિદ્ધે, સવવજ્ઞતિ સો સિદ્દો ૪ | ૮ |
અ: -ક્ષેત્ર દ્વારે( રદ્દ કુંત્િ ચય ) આ મનુષ્ય ક્ષેત્રે સર્વથા શરીરના ત્યાગ કરીને (હોમપવિત્ર સિદ્ધા) લેાકના અગ્રભાગને વિષે સિદ્ધશિલા ઉપર રહેલા ( વિદ્ય અહોર ) અલેાકથી રાકાએલા છતાં ત્યાં જ રહે છે, કારણ કે અલેાકમાં ધર્માસ્તિકાય નહિ હોવાથી જીવ ગમન કરી શકતા નથી.
એ પ્રમાણે મૂળ આઠ દ્વારને વિષે ત્રીજી ક્ષેત્રદ્વાર જાણવું ૩. ચાથા સ્પર્શના દ્વારે વિવક્ષિત સમયમાં સિદ્ધ થએલ ( સો સો ) તે સિદ્ધ ( અનંતે વિન્ફ્રે ) અનંતા સિદ્ધોને ( સાવāત્તિ ) પોતાના સર્વ પ્રદેશેાવડે ( FET ) સ્પર્શે અને જે તેના દેશપ્રદેશાવડે સ્પર્શાય તે તેના કરતાં અસંખ્યાત ગુણા જાણવા. એ રીતે મૂલ આઠ દ્વારમાં ચેાથુ સ્પના દ્વાર જાણવુ. ૪. ૧૮.
जत्थट्टसयं सिज्झइ, अड्ड उ समया निरंतरं तत्थ । वीस दसगेसु चउरो, दु सेसि जवमाज्झ चत्तारि ५ ॥१९॥
અઃ—હવે મૂળના પાંચમા કાળ દ્વારે (જ્ઞસ્થવ્રુત્તયં) ક્ષેત્રાદિ પદરે દ્વારમાં જે જે સ્થાને એક સમયે ઉત્કૃષ્ટ એક સેા ને આઠ (લાજ્જ) સિન્ડ્ઝ (તથૅ) ત્યાં (અઠ્ઠ ૩ સમયા નિરંતર ) નિર ંતરપણે આઠ સમયના કાળ કહેવા ( વીલ જેવુ ચત્ત) જ્યાં એક સમયમાં વીશ અથવા એક સમયમાં દેશ સિઝે ત્યાં ચાર સમયને નિરંતરપણે કાળ જાણવા. (૩ñત્તિ) ખાકીના સ્થાને એ સમયના નિર ંતરપણે કાળ જાણવા. ( નવન્તિ ચત્તારિ ) યવમધ્યમાં ચાર સમયને નિર ંતરપણે કાળ જાણવા.
હવે ઉત્તર દ્વાર ૧૫ માં દરેક દ્વારે કેટલા કેટલા સિઝે તે કહે છેઃ—
૧ ક્ષેત્રકારે –પદર કર્મભૂમિમાં આઠ સમય સુધી નિરતરપણે સિઝે. હિર વર્ષાદિ ૩૦ અકર્મ ભૂમિમાં અને અધેલાકમાં ચાર સમય સુધી નિર ંતરપણે સિઝે. નંદન વનમાં, પાંડુક વનમાં અને લવણ સમુદ્રમાં એબે સમય સુધી નિર ંતરપણે સિઝે.
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૫૫ ૨ સ્ટિક—ઉત્સર્પિણી અને અવસર્પિણ કાળના ત્રીજા અને ચોથા આરાને વિષે આઠ આઠ સમય સુધી સિઝે અને બાકીના આરામાં ચાર ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
૩ તિ –દેવગતિથી આવેલા આઠ સમય સુધી સિઝે, બાકીની ગતિમાંથી આવેલા ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
૪ વિદ્યારે–પુરુષવેદી આઠ સમય સુધી અને સ્ત્રી તથા નપુંસકવેદી ચાર સમય સુધી સિઝે. પુરુષવેદમાંથી આવી પુરુષવેદમાં ઉપજ્યા હોય તે ભાંગાવાળા આઠ સમય સુધી સિઝે, બાકીના આઠ ભાંગાવાળા ચાર ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
પતી -તીર્થકર અને તીર્થકરીના તીર્થમાં, અતીર્થકર સિદ્ધ (તીર્થકર થયા સિવાયના) ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિઝે. તીર્થકર અને તીર્થકરી બે સમય સુધી નિરંતરપણે સિઝે.
૬ &િાદ–સ્વલિંગે આઠ સમય, અન્ય લિગે ચાર સમય અને ગૃહસ્થલિગે બે સમય સુધી નિરંતર સિઝે.
૭ રાત્રિા –તે ભવમાં પૂર્વે પરિહારવિશુદ્ધિ ચારિત્ર અનુભવનાર ચાર સમય સુધી, બાકીના ચારિત્રવાળા આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૮ યુદ્ધકાર–સ્વયંબુદ્ધ બે સમય સુધી, બુદ્ધબદ્ધિત આઠ સમય સુધી, પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધિબેધિત સ્ત્રી અને પુરુષ સામાન્ય ચાર સમય સુધી નિરંતરપણે સિઝે.
૯ શાનો-મતિ, શ્રુત જ્ઞાની બે સમય સુધી, મતિ, શ્રત અને મન:પર્યવજ્ઞાની ચાર સમય સુધી, મતિ, શ્રુત અને અવધિજ્ઞાની તથા મતિ, શ્રુત, અવધિ અને મન:પર્ય. વજ્ઞાની આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૧૦ અ નાદ—ઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહનાવાળા બેબે સમય સુધી, મૂવમધ્યવાળા ચાર સમય સુધી અને મધ્યમ અવગાહનવાળા આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૧૧ ૩દ્વા –સમ્યક્ત્વથી પડેલા બે સમય સુધી, સંપ્રખ્યાત કાળથી સમ્યક્ત્વથી પડેલા તથા અસંખ્યાત કાળથી સમ્યક્ત્વથી પડેલા ચાર સમય સુધી અને અનંતકાળથી સમ્યત્વથી પડેલા આઠ સમય સુધી નિરંતરપણે સિઝે.
૧૨ થી ૧૫ સુધીના અંતરાદિ ચાર દ્વારા અહીં ઘટે નહિં. એવી રીતે પાંચમું કાળદ્વાર કહ્યું. હવે મૂળ છઠું અંતર દ્વાર કહે છે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પ્રકરણસ ગ્રહ.
जंबुद्दीवे धायs, ओह विभागे यतिसु विदेसु । वासपहुत्तं अंतर, पुक्खरदुविदेह वासहियं ॥ २० ॥
अर्थ :–१ क्षेत्रद्वारे-(जंबुद्दीवे धायइ) द्वीपभां अने धातडी अडमां ( ओह ) सामान्यपशु ( वासपहुत्तं अंतर ) वर्ष पृथत्व भेटले मे वर्षथी नव वर्ष सुधीनु अंतर गुवु, ( विभागे य ) भने विशेषपणे (तिसु विदेहेसु )દ્વીપના એક મહાવિદેહ અને ધાતકી ખંડના બે મહાવિદેહ મળી ત્રણ મહાવિદેહને विषे पशु ते खरंतर नवु ( पुक्खरदुविदेह ) सामान्यपणे पुष्णुशर्धभां अने विशेषताथी तेना मे विधेड़ने विषे ( वासहियं ) वर्षाधि अंतर भगवु. २०.
भररवए जम्मा, कालो जुगलीण संखसमसहसा । संहरण नरयतिरिए, समसहसा समसयपत्तं ॥ २१॥
अर्थ :- २ अजद्वारे - (भरहेर वए जम्मा ) भरत अने भैरवत क्षेत्रमां न्भथी ( कालो जुगलीण ) लुगजियाना आज भेटसु भेटो अंध अशा मढार अडाओडी સાગરોપમનુ અંતર જાણવું. અવસર્પિણીના પહેલે, ખીજે અને ત્રીજે, તેમજ उत्सर्पिणीना थोथे, पांयभे अने छुट्टे मारे ( संहरण ) सरथी ( संखसम सहसा ) સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું.
3 गतिद्वारे ( नरय ) नरगतिभांथी आवेसाने ( समसहसा ) इन्नर वर्षानु अने ( तिरिए ) तिर्यथ गतिमांथी आवेसाने ( समसयपहुत्तं ) शतपृथत्व वर्षानु म ंदर लावु. २१.
♥
तिरिईसुरनरनारीसूरीहि उवएससिध्धीलद्धीए ।
वासहिअंतर अह सयबोहीओ संखसमसहसा ॥ २२ ॥
अर्थ :-( तिरिईसुरनरनारीसूरीहि ) तिर्य थिली, देवता, मनुष्य, मनुष्य अने हे समांथी यावीने ( उवएससिध्धीलद्धीए ) उपदेशसन्धिमे उपदेशवडे सिद्धि पामनारने ( वासहिअंतर ) वर्ष साधि अंतर लागुवु. ( अह सयबोहीओ) ने स्वयं मधीने ( संखसम सहसा ) संख्याता उन्नर वर्षनु अंतर शुवु. २२.
सयमुवएसा भूजलवण - सुहमीसाणपढमदुगनरया । श्रीकीवेसुं भंगगे अ संखिज्जसमसहसा ॥ २३ ॥
Page #170
--------------------------------------------------------------------------
________________
w
^
^
v૧, /
૪
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૫૭ અર્થ:-(મૂઝસ્ટવ) પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયથી તથા (કુમીલાપમાનથ) સૈધર્મ, ઇશાન દેવકથી અને પ્રથમની બે નરકથી આવેલા (ચમુવાલા) પોતાની મેળે તથા ઉપદેશથી સિદ્ધિ પામનારને (રવિસમા ) સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું.
૪ વેદદ્વારે—(થીજાવેલું) સ્ત્રીવેદી અને નપુંસકવેદી (૪) તેમ જ પૂર્વે કહેલા વેદના નવ ભાંગામાંથી પુરુષવેદથી આવીને પુરુષવેદી થાય તે પ્રથમ ભંગ સિવાયના (મો) બાકીના આઠ ભાંગે (સંવિઝનમાાણા) સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. ૨૩.
नरवेअपढमभंगे, वरिसं पत्तेअजिणजिणीसेसा । संखसमसहस पुवासहसपिहूणंतहिअवरिसं ॥ २४ ॥ અર્થ :-(
ન પદમ) પુરુષવેદીને તથા પ્રથમ અંગે પુરુષવેદથી આવીને પુરુષવેદી થઈને સિઝે તેને ( જં) એક વર્ષનું અંતર જાણવું.
૫ તીર્થદ્વારે—( ) પ્રત્યેકબુદ્ધનું (લસણ મરદુષ) સંગાતા હજાર વર્ષનું અંતર જાણવુ, (વિ) તીર્થંકરને ( પુરાતત્વવિદૂ ) હજાર પૃથવ પૂર્વ એટલે બે હજારથી નવ હજાર પૂર્વનું અંતર, (નિ) તીર્થકરીને (ii) અનંતકાળનું અંતર, (રેરા) બાકી રહેલા સર્વ પુરુષોને (દિલi) એક વર્ષ અધિક ઉત્કૃષ્ટ અંતર જાણવું. ૨૪. संखसमसहस गिहि अन्नलिंग हिअ वरिस तिचरण सलिंगे। सेसच रित्ते जुअली, बुहबोहिअ पुरिसवरिसहिअं ॥२५॥
અર્થ :–૬ લિંગદ્વારે–જિદિ અઢિા ) ગૃહસ્થલિગે અને અન્ય લિગે ( સંતમહૃર) સંખ્યાતા હજાર વરસનું અંતર જાણવું. (૪) સ્વલિગે (દિન વકિ) એક વરસ અધિક અંતર જાણવું.
૭ ચારિત્રદ્વારે–(તિવર) સામાયિક, સૂક્ષ્મસં૫રાય, યથાપ્રખ્યાત એ ત્રણ ચારિત્રને વિષે (શિવલિ) એક વરસ અધિક અંતર, ( ત્તેિ ગુસ્ટી) સામાયિક, છેદેપસ્થાપનીય, સૂમસં૫રાય, યથાખ્યાત એ ચતુષ્કસંગી અને સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય ને યથાખ્યાત, એ પંચસંગી આ બને ભાંગાના ચારિત્રમાં યુગલિક કાળ જેટલું, એટલે અઢાર કેડીકેડી સાગરેપમમાં કાંઈક ન્યૂન એટલું અંતર જાણવું; કારણ કે એ બે સગી ભંગ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા, છેલ્લા તીર્થકરના તીર્થમાં જ હોય છે તેથી ઉત્કૃષ્ટ તેટલું અંતર જાણવું
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રકરણસંગ્રહ. ૮ બુદ્ધદારે–(કુત્રિ રિસ) બુદ્ધાધિત પુરુષોને (
વદ) વર્ષાધિક અંતર જાણવું. ૨૫.
संखसमसहस सेसा, पुवसहस्सप्पहुत्त संबुद्धे । मइसुअ पलियअसंखो, भागोहिजुएऽहिअं वरिसं ॥ २६ ॥
અર્થ ( સંવરમણ વેરા) બાકીના બુદ્ધબેદ્ધિત સ્ત્રીનું અને પ્રત્યેક બુદ્ધનું સંખ્યાતા હજાર વર્ષનું અંતર અને (કુવાદુર સિંધુદ્ધ) સ્વયં બુદ્ધનું હજાર પૃથત્વ પૂર્વનું અંતર જાણવું. ૯ જ્ઞાનદ્વારે (મદુરા) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનવાળાનું (પઢિય અસંતો માન) પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું ઉત્કૃષ્ટ અંતર અને (દિનુusઇ ઘહિં) અવધિજ્ઞાન યુક્ત કરતાં ત્રણ જ્ઞાનવાળાનું વર્ષાધિક અંતર જાણવું. ૨૬.
सेसदुभंगे संखा, समसहसा गुरुलहूइ जवमज्झे। सेढीअसंखभागो, मज्झवगाहे वरिसमहिअं॥ २७ ॥
અર્થ –(સેસફુ) બાકીના બે ભાંગ મતિ, શ્રુત, મન:પર્યવ એ ત્રણ જ્ઞાનવાળાનું અને મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ એ ચાર જ્ઞાનવાળાનું (હવા મહત્તા) સંખ્યાતા હજાર વર્ષનું ઉત્કૃષ્ટ અંતર જાણવું.
૧૦ અવગાહના દ્વારે –(ગુહ૮દૂર કવમ) ઉત્કૃષ્ટ અવગાહનાએ, જઘન્ય અવગાહનાએ અને યવમધ્યને વિષે (રેગાંવમા) શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલા સમય પ્રમાણ કાળનું અંતર જાણવું. ચદ રાજ પ્રમાણ લેકનો બુદ્ધિપૂર્વક સાત રાજ પ્રમાણ ઘન થાય. તેની એક પ્રદેશી સાત રાજ લાંબી એવી શ્રેણું કહેવાય છે. તેના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય. તેમાંથી એક એક સમયે એક એક આકાશપ્રદેશ અપહરતાં જેટલો કાળ જાય તેટલું અંતર જાણવું. (મક્સવ નિલમ) મધ્યમ અવગાહનાએ વર્ષાધિક અંતર જાણવું. ૨૭.
अचुअ असंखं सुअही, अणंतहिअवास सेस संखसमा । संतर अणंतरं इग, अणेग समसहस संखिज्जा ॥२८॥
અર્થ:–૧૧ ઉત્કૃષ્ટદ્વારે(અનુક) સમતિથી નહિ પડેલાને (અઢાં સુધી) સાગરોપમના અસંખ્યાતમા ભાગનું અંતર જાણવું. (૩iાતવાસ) અનંત કાળથી સમક્તિથી પડેલાને વર્ષાધિક અંતર (રેક સંવરમ) બાકીના અસંખ્યાત કાળથી સમતિથી પડેલાને તથા સંખ્યાત કાળથી સમકિતથી પડેલાને સંખ્યાના વર્ષનું
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧પ૯ અંતર જાણવું. ૧૨ અન્તર દ્વારે-(સતર) સાંતર સિદ્ધને (મસદ સંજ્ઞા ) સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. ૧૩ અનુસમયદ્વારે-(૩ળત) નિરંતર સિદ્ધને સંખ્યાતા હજાર વર્ષનું અને ૧૪ ગણના દ્વારે-( ) એક સિદ્ધને તથા અનેક સિદ્ધને સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. ૨૮. इअ गुरुअंतरमुत्तं, लहु समओ ६ भावु सव्वाह खइओ ७। चउ दस वीसा वीसप्पहुत्त अठसयं कमसो ॥ २९॥ सम थोव समा संखागुणिआ इय भणिअणंतरा सिद्धा । अह उ परंपरसिद्धा, अप्पबहुं मुत्तु भणिअत्था ॥३०॥
અર્થ:-(ામ જુણચંતામુત્ત) એ પ્રમાણે ઉત્કૃષ્ટથી અંતર કહ્યું. (દુ સમો) જઘન્યથી અંતર સઘળે સ્થળે એક સમયનું જાણવું. એવી રીતે ૧૫ દ્વારને વિષે અંતરનામે છઠ્ઠ મૂળ દ્વાર કહ્યું.
હવે સાતમું ભાવ દ્વાર કહે છે. (મg રહું છ ) ક્ષેત્રાદિ સઘળા દ્વારને વિષે ક્ષાયિક ભાવ જાણુ. એ પ્રમાણે ભાવનું સાતમું મૂળ દ્વારા જાણવું.
હવે આઠમાં અ૫બહત્વકારે (૪૩૩) જે તીર્થકરો અને જળમાં તથા ઊર્ધ્વ લોકાદિકમાં ચાર ચારસિદ્ધ થનારા કહ્યા છે અને હરિવર્ષાદિકને વિષે સં હરણથી દશ દશ સિદ્ધ થનારા કહ્યા છે તે (રમ) પરસ્પર તુલ્ય છે, કારણ કે ઉત્કૃષ્ટથી એક સાથે એક સમયમાં તેટલા પ્રાપ્ત થતા હોવાથી સરખા છે. (વીલા) તેના કરતાં વિશ સિદ્ધ થનાર સ્ત્રીમાં અને દુષમઆરામાં તેમજ એક એક વિજયમાં પ્રાપ્ત થાય છે તે ( ધોવ ) થોડા છે (રમા) તેની સરખા (વિરઘદુત્ત) વીશ પૃથફત્વ સિદ્ધ જાણવા. કારણ કે તે અલકિકગ્રામને વિષે અને બુદ્ધિબધિત સ્ત્રી આદિમાં પામી શકાય છે તે વિશ સિદ્ધની તુલ્ય સમજવા. ક્ષેત્રકાળનું સ્વપપણું હોવાથી અને કદાચિત સંભવ હોવાથી. (અનર્થ વામનો) તેના કરતાં એક સો આઠ સિદ્ધ તે (સંવા
બા) સંખ્યાત ગુણ જાણવા. (મો) આ પ્રમાણે ક્રમ સમજ. એ રીતે અલબહત્વ દ્વાર પૂર્ણ થયું. (થ મળશwતાલિદા) એવી રીતે પૂર્વે કહેલા પ્રકારવડે અનન્તર સિદ્ધમાં સપદાદિ આઠ દ્વાર કહ્યા (૩ gurfસદ્દા) હવે પરંપરસિદ્ધમાં સત્પદાદિ આઠ દ્વાર છે –
પરંપરસિદ્ધને વિષે જે આઠ દ્વાર કહેવાના છે તે (ઝgવ૬ મુજુ માથા) અલ્પબદ્ધત્વ સિવાય બાકીના સાત દ્વાર અનાર સિદ્ધને વિષે કહ્યા છે તે જ પ્રકારે કહેવા. તેમાં વિશેષતા આ પ્રમાણે છે-દ્રવ્ય પ્રમાણમાં ક્ષેત્રાદિ સર્વ દ્વારને વિષે અનંતા કહેવા ક્ષેત્ર અને સ્પર્શના પૂર્વની પેઠે જાણવી. કાળ અનાદિરૂપ અનન્ત
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રકરણસંગ્રહ. કહે, અંતરનો અસંભવ હોવાથી અંતર ન કહેવું. હવે બાકી રહેલ અ૯પળહત્વ દ્વાર પરંપરસિદ્ધને વિષે કહે છે. सामुद्द दीव जल थल, थोवा संखगुण थोव संखगुणा। उड्ड अह तिरिअलोए, थोवा दुन्नि पुण संखगुणा ॥ ३१ ॥
અર્થ:-૧ ક્ષેત્રદ્વારે ( સામુદ ) સમુદ્રમાં સિદ્ધ થયેલા (થવા) થોડા, (વાવ) દ્વીપમાં સિદ્ધ થયેલા (સંજુ) સંખ્યાતગુણ. (૪) જળમાં સિદ્ધ થયેલા (શિવ) છેડા (થ) થળમાં સિદ્ધ થયેલા (સંt) સંખ્યાતગુણ જાગવા. (૩Ç ) ઊર્વલોકમાં સિદ્ધ થયેલા (થવા) થોડા અને (કુત્રિ પુખ આ તિરંગટોr ) બેમાં વળી એટલે અલકમાં સંખ્યાતગુણ અને તેથી તિછ લોકમાં સંખ્યાતગુણ જાણવા. ૩૧.
लवणे कालोअम्मि य, जंबुद्दीवे अ धायईसंडे । पुक्खरवरदीववे, कमसो थोवा उ संखगुणा ॥ ३२ ॥
અર્થ:-(૪) લવણસમુદ્રમાં સિદ્ધ થયેલા જોવા) ડા, (૭) વળી (ારોઅગ્નિ ૪) તેથી કાલેદધિમાં () સંખ્યાતગુણ, (ગંગુઠ્ઠી અ) તેથી જબૂદ્વીપમાં સંખ્યાતગુણા, (
ધારે) તેથી ધાતકીખંડમાં સંખ્યાતગુણ અને તેથી (પુરી ) પુષ્કરવર દ્વીપાર્ધમાં સંખ્યાતગુણા. (મો) અનુક્રમે કહેવા. ૩૨.
हिमवंते हेमवए, महहिमवं कुरुसु हरि निसढ भरहे । संखगुणा य विदेहे, जंबुद्दीवे समा सेसे ॥ ३३ ॥
અર્થ –(વંધુરી સમા તેણે) જંબુદ્વીપમાં બાકીના રહેલા ક્ષેત્ર અને પર્વતમાં સરખા જાણવા તે કહે છે-(હિમતે ) જંબુદ્વીપના હિમવંત પર્વતને વિષે અને શિખરી પર્વતને વિષે સિદ્ધ થયેલા ડા, (નવા) તેથી હેમવત ક્ષેત્રમાં અને ઐરણ્યવત ક્ષેત્રમાં સંખ્યાતગુણા, (મહિમવં) તેથી મહાહિમવંત પર્વતને વિષે અને રૂપી પર્વતને વિષે સંખ્યાતગુણ, (૩૪) તેથી દેવકુરુક્ષેત્રમાં અને ઉત્તરકુરુક્ષેત્રમાં સંખ્યાતગુણું, (ર) તેથી હરિવર્ષ ક્ષેત્રમાં અને રાજ્યકક્ષેત્રમાં સંખ્યાત ગુણ, (નિર) તેથી નિષધ પર્વતમાં તથા નીલવંત પર્વતમાં સંખ્યાતગુણ જાણવા.
જ્યાં જ્યાં સંખ્યાતગુણા કહ્યા છે ત્યાં ત્યાં ક્ષેત્રનું બાહુલ્યપણું હોવાથી કહ્યા છે અને જે જે સ્થળે સરખા કહ્યા છે ત્યાં ત્યાં ક્ષેત્રનું સરખાપણું હોવાથી કહ્યા છે. (મા) તેથી ભરતક્ષેત્રમાં અને એરવતક્ષેત્રમાં સંખ્યાત ગુણું જાણવા. (ગુ જ વિદે) તેથી મહાવિદેહમાં સંખ્યાતગુણ જાણવા. સિદ્ધ થવાને સદા ભાવ હોવાથી તેમજ ક્ષેત્ર મોટું હોવાથી જાણવું. ૩૩.
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૬૧
चुल्ल महाहिमव निसढे, हेमकुरूहरिसु भारह विदेहे। चउ छठे साहीया, धायइ सेसा उ संखगुणा ॥३४॥ ..
અર્થ – વાદ) ધાતકીખંડમાં ( ર ) ચોથા અને છઠ્ઠા સ્થાનમાં (રાણીયા) સાધિક કહેવા (રેરા રંગુન ) બાકીના સ્થાનમાં સંખ્યાતગુણ કહેવા. તે હવે કહે છે –
ધાતકીખંડમાં (૩૪) લઘુહિમવત પર્વતમાં સિદ્ધ થએલા થોડા, તેથી (મહિમવ) મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુણા, (નિ) તેથી નિષધપર્વતમાં સંખ્યાતગુણા, () તેથી હૈમવંતક્ષેત્રમાં વિશેષાધિક, ( ) તેથી દેવકુરુમાં સંખ્યાતગુણા, (gિ) તેથી હરિવર્ષ ક્ષેત્રમાં વિશેષાધિક, (મા) તેથી ભરતક્ષેત્રમાં સંખ્યાતગુણ, (જિદે) તેથી મહાવિદેહમાં સંખ્યાતગુણા. સ્વસ્થાન હોવાથી તેમજ ક્ષેત્રની બાહુલ્યતા હોવાથી જાણવા. ૩૪. पुक्खरवरेऽवि एवं, चउत्थठाणंमि नवरि संखगुणा। एसुं संहरणेणं, सिज्झति समा य समगेसु ॥३५॥ અર્થ –
) પુષ્કરાર્ધમાં પણ ધાતકીખંડની પેઠે જાણવું. (નવરિ) પણ એટલું વિશેષ છે કે (પથરામિ) ચોથા સ્થાનમાં હેમવંતક્ષેત્રમાં ( ગુ) સંખ્યાતગુણા કહેવા. અહીં કેઈ શંકા કરે કે હિમવંતાદિ પર્વતોને વિષે મનુષ્યની ઉત્પત્તિનો અભાવ હોવાથી સિદ્ધિનો સંભવ કેવી રીતે હોય? તેને ઉત્તર આપે છે કે-(કું સંદmr) “એને વિષે દેવાદિકના સંહરણથી સિદ્ધ થાય છે.” એમ છે તે પછી શિખરી આદિ પર્વતને વિષે સિદ્ધ થાય તેની શી વાત! (સમા જ મg) ધાતકીખંડ અને પુષ્કરાઈને વિષે બાકી રહેલા પર્વત અને ક્ષેત્રમાં એટલે તેમના સરખા પ્રમાણવાળા ક્ષેત્ર અને પર્વતમાં સમાન જાણવું. જેમકે હેમવત ક્ષેત્ર સરખા એરણ્યવત ક્ષેત્રમાં અને દેવકુરુ જેટલા ઉત્તરકુરુમાં અને હિમવંત પર્વત જેટલા શિખરી પર્વતમાં અને મહાહિમવંત જેટલા રૂમ્પિપર્વતમાં (વિન્નતિ) સિદ્ધ થાય છે. ઈત્યાદિ. ૩૫.
હવે સર્વ ક્ષેત્ર અને પર્વતનું ભેળું અલ્પબડુત્વ કહે છે – जंबुनिसहंत मीसे, जं भणि पुवमहिअ बीअहिमे । दुति महहिम हिमवंते, निसढ महाहिमव बिअहिमवे ॥३६॥
૨૧
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પ્રકરણસંગ્રહ. तिअनिसहें बिअकुरुसुं, हरिसु अ तह तइअ हेम कुरु हरिसु । दु दु संख एग अहिआ, कम भरह विदेह तिग संखा ॥३७॥
અર્થ –(મારે) ક્ષેત્રદ્ધિકાદિના યોગવાળા (બંધુનિકત) જંબુદ્વીપમાં નિષધ પર્વત સુધી (૬ મળિ પુf) જેમ પ્રથમ કહ્યું છે તેમજ જાણવું. તે આ પ્રમાણે - ૧જંબૂદ્વીપના હિમવંતપર્વતે સિદ્ધ થયેલ ડા, ૨ તેથી હૈમવતક્ષેત્રમાં સંખ્યાતગુણા, ૩ તેથી મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુણ, તેથી દેવકુરુક્ષેત્રમાં સંખ્યાતગુણા, ૫ તેથી હરિવર્ષ ક્ષેત્રમાં સંખ્યાતગુણ, તેથી ૬ નિષેધપર્વતમાં સંખ્યાતગુણું. (હિ થી હિંમે) તેથી ૭ બીજા ધાતકીખંડના બે હિમવંત પર્વતમાં વિશેષાધિક (ડુ મહિમ) ૮ બીજા ધાતકીખંડના બે મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુ. (તિ હિમવંતે ) ૯ ત્રીજા પુષ્કરાર્ધના બે હિમવંત પર્વતમાં સંખ્યાતગુણા, તેથી (નિર) ૧૦ બીજા ધાતકીખંડના બે નિષધપર્વતમાં સંખ્યાતગુણા કે વિશેષાધિક [સાડત્રીશમી ગાથામાં બે બે સંખ્યાતગુણ અને એક વિશેષાધિક એમ કહેલ છે એ ક્રમ પ્રમાણે તે વિશેષાધિક જોઈએ પણ ટીકામાં દશમા સ્થાનમાં સંખ્યાતગુણુ લખેલ છે.] (મંદાદિમંa) ૧૧ ત્રીજા પુષ્કરાઈના બે મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુણ (વિદિવે) ૧૨ બીજા ધાતકીખંડના બે હૈમવંતક્ષેત્રમાં વિશેષાધિક, (તિનિ, ૧૩ ત્રીજા પુષ્કરાર્ધના બે નિષધપર્વતે સંખ્યાતગુણ (વિમg) ૧૪ તેથી બીજા ધાતકીખંડના બે દેવકુરુમાં સંખ્યાતગુણા. (gિ સ) ૧૫ તેથી બીજા ધાતકીખંડના બે હરિવર્ષ ક્ષેત્રમાં વિશેષાધિકા (તાં તરબ દેજ) ૬ તેથી ત્રીજા પુષ્કરાર્થના બે હેમવંતક્ષેત્રમાં સંખ્યાતગુણું, (ર) ૧૭ તેથી ત્રીજા પુષ્કરાઈના બે દેવકુરુમાં સંખ્યાતગુણા, (gિ) ૧૮ તેથી ત્રીજા પુષ્કરાર્ધના બે હરિવર્ષ ક્ષેત્રમાં વિશેષાધિકા એમ (સુકુ સંa) બે બે સંખ્યાતગુણ અને (gT હિમા) એક વિશેષાધિક કહેવા. ( મ મ દ વિવેદ તિરસંહા ) અનુક્રમે ભરતત્રિકમાં અને મહાવિદેહત્રિકમાં સંખ્યાતગુણા કહેવા તે આ પ્રમાણે–૧૯ તેથી જ બૂઢીપના ભરતમાં સંખ્યાતગુણ, ૨૦ તેથી ધાતકીખંડના બે ભારતમાં સંખ્યાતગુણા, ૨૧ તેથી પુષ્કરાર્ધના બે ભારતમાં સંખ્યાતગુણ, ૨૨ તેથી જંબુદ્વિીપના મહાવિદેહક્ષેત્રમાં સંખ્યાતગુણ, ૨૩ તેથી ધાતકીખંડના બે મહાવિદેહમાં સંખ્યાતગુણા. ૨૪ તેથી પુષ્કરાના બે મહાવિદેહમાં સંખ્યાતગુણ. ઉપર જણાવેલા દ્વીપના સરખા પ્રમાણવાળા ક્ષેત્ર અને પર્વતનું તે તે દ્વિીપમાં કહ્યા પ્રમાણે સરખું પ્રમાણ કહેવું એટલે ધાતકીખંડના એક ભરતક્ષેત્રનું કહ્યું તેટલું જ તેના બીજા ભરતક્ષેત્રનું તથા તેના બે ઐરાવતક્ષેત્રનું એમ ચારે ક્ષેત્રનું જાણવું. ૩૬-૩૭.
૧ આમાં સંખ્યાતગુણ ને વિશેષાધિકમાં ટીકામાં કહેલ છે તે બરાબર સમજાતું નથી તેથી ખલનાને સંભવ છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
છેડા.
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
૧૩ અઢીદ્વીપમાં પરંપરાસિદ્ધનું મિશ્ર અ૫હત્વ ૧ જબૂદ્વીપમાં હિમવંતપર્વતે સિદ્ધ થયેલા હિમવંતક્ષેત્રમાં
સંખ્યાતગુણ મહાહિમવંતપર્વતમાં દેવકુરુક્ષેત્રમાં હરિવર્ષ ક્ષેત્રમાં
નિષધ પર્વતમાં ૭ ધાતકીખંડના બે હિમવંત પર્વતમાં
વિશેષાધિક - બે મહાહિમવંત પર્વતમાં
સંખ્યાતગુણ ૯ પુષ્કરાઈના બે હિમવંત પર્વતમાં ૧૦ ધાતકીખંડના બે નિષધ પર્વતમાં
વિશેષાધિક ૧૧ પુષ્કરાઈના બે મહાહિમવંત પર્વતમાં
સંખ્યાતગુણ ૧૨ ધાતકીખંડના બે હિમવંત ક્ષેત્રમાં
વિશેષાધિક ૧૩ પુષ્કરાઈને બે નિષધ પર્વતમાં
સંખ્યાતગુણ ૧૪ ધાતકીખંડના બે દેવકુમાં ૧૫ » બે હરિવર્ષ ક્ષેત્રમાં
વિશેષાધિક ૧૬ પુષ્કરાના બે હિમવંત ક્ષેત્રમાં
સંખ્યાતગુણું ૧૭ , બે દેવકુરુ ક્ષેત્રમાં ૧૮ ,, બે હરિવર્ષ ક્ષેત્રમાં
વિશેષાધિક ૧૯ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં
સંખ્યાતગુણ ૨૦ ધાતકીખંડના બે ભરતક્ષેત્રમાં ૨૧ પુષ્કરાઈના બે ભરતક્ષેત્રમાં ૨૨ જંબદ્વીપના મહાવિદેહમાં ૨૩ ધાતકીખંડના બે મહાવિદેહમાં ૨૪ પુષ્કરાઈના બે મહાવિદેહમાં
એવી રીતે પ્રથમ ક્ષેત્રદ્વારને વિષે અલ્પબદ્ધત્વ કહ્યું. હવે બીજા કાળદ્વારે અ૫બહુત્વ કહે છે. दुसमदुसमाइ थोवा, दुसम संखगुण सुसमदुसमाए । માંગવા પણ છે, ડ્યિા તુરિનિ સંવગુણ રૂ૮ ,
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પ્રકરણુસંગ્રહ.
અર્થ :—કાળદ્વારે( દુસમદુસમાદ થોવા ) ૧ સહરણથી અવસર્પિણીના દુષમદુધમઆરામાં સિદ્ધ થાડા. (ઘુત્તમસંવત્તુળ ) ૨ તેથી દુષમઆરામાં સખ્યાતગુણા. ( સુલમહુલમાક્ ) ૩ તેથી સુષમષમઆરામાં (સ્કંલા) અસંખ્યાતગુગુા. કાળનુ અસંખ્યેયપણુ હાવાથી. ( પળ કે દેિવા ) ૪ તેથી પાંચમે આરા સુષમ નામને તેમાં વિશેષાધિક. તેથી છઠ્ઠો આરા સુષમસુષમ નામના તેમાં વિશેષાધિક. ( તુિિમ સત્રશુળ ) ૬ તેથી ચેાથા દુષમસુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણા જાણવા. ૩૮,
अवसप्पिणिअरएसुं, एवं ओसप्पिणीइ मीसे वि । परमुवसप्पिणी दुस्सम, अहिआ सेसेसु दुसुवि समा ॥ ३९ ॥
અર્થ :-( અવર્જિંગ રપણું ) અવસર્પિણીના આરામાં જેમ અલ્પબહુત્વ કહ્યુ ( યં ોન્નત્ત્વિની૬ ) એમજ ઉત્સર્પિણી આરાને વિષે અલ્પમહુત્વ જાણવું. (માસે વિ) અવસર્પિણી ઉત્સર્પિણીરૂપ મિશ્રને વિષે એટલે મહાવિદેહક્ષેત્રમાં પણ તેવી જ રીતે જાણવુ. (પધ્રુવિની) પણ એટલુ વિશેષ કે ઉત્સર્પિણીના (દુસ્લમ) દુષમઆરામાં ( અહિં) વિશેષાધિક કહેવા. (વ્રુત્તિ) અવસર્પિણી ઉત્સર્પિણીના ( રેસેપુ ) બાકીના આરામાં ( સમા ) સરખું કહેવું તે આ પ્રમાણે:—
૧ અવસર્પિણી ઉત્સર્પિણી બંનેના દુષમષમ આરામાં સિદ્ધ થાડા.
૨ તેથી ઉત્સર્પિણીના દુષમ આરાને વિષે સિદ્ધ વિશેષાધિક.
૩ તેથી અવસર્પિણીના દુષમ આરાને વિષે સિદ્ધ સંખ્યાતગુણા.
૪ તેથી અવસર્પિણી ઉત્સર્પિણી બંનેના સુષમષમ આરામાં અસંખ્યાતગુણા.
૫ તેથી
” સુષમ આરામાં વિશેષાધિક
૬ તેથી
"
,,
',,
,,
,,
સુષમસુષમ આરામાં વિશેષાધિક,
» દુધમસુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણા.
૭ તેથી
""
""
૮ તેથી અવસર્પણીના સર્વ સિદ્ધ સ ંખ્યાતગુણા.
૯ તેથી ઉત્સર્પિણીના સર્વ સિદ્ધ વિશેષાધિક.
એ રીતે ખીજું કાળદ્વાર કહ્યું. હવે ત્રીજી ગતિદ્વાર કહે છે.
थी १ नर २ नरय ३ तिरित्थी ४, तिरि ५ देवी ६ देव ७ थोव १९ संखगुणा ६ ।
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ.
इग १ पणिंदि २ थोव १ संखा २,
तरु १ भू २ जल ३ तसिहि ४ संखगुणा ॥ ४०॥ અર્થ -૧ (બી) મનુષ્યણીથી અનન્તર આવીને સિદ્ધ થયેલા થોડા
૨ ( ) તેથી મનુષ્યથી , , , , સંખ્યાતગુણ ૩ (નવ) તેથી નારકીથી , ઇ » » ૪ તિથિી) તેથી તિચિણીથી , , , , , ૫ (તિરિ) તેથી તિર્યચથી , , , , ૬ (રેવી) તેથી દેવીથી , ૭ (દેવ) તેથી દેવથી , , , , , ૧ (થોવ) એકેન્દ્રિયથી
થોડા ૨ ( હિ ) તેથી પંચેન્દ્રિયથી , , , , સંખ્યાતગુણ ૧ (ત) વનસ્પતિકાયથી
» ,
» , , થોડા ૨ (મૂ) તેથી પૃથિવીકાયથી , , , , સંખ્યાતગુણા ૩ () તેથી અપકાયથી , " , " " ૪ (તાિદિ) તેથી ત્રસકાયથી , , , , ,
चउ १ ति २ दुग ३ नरय तरु ४, महि ५जल ६ भवण ७-८ वणिंद ९-१० जोइ ११ देवि सुरा १२ ।
नारी १३ नर १४ रयणाए १५, तिरिई १६ तिरि १७ गुत्तरा य १८-१९ सुरा २० ॥४१॥
સુપર ૩૦-રૂ-જુરા-૩ર-ર૩ અર્થ-૧ ( ૩) ચેથી નરકથી આવીને સિદ્ધ થયેલા થોડા
૨ (તિ) તેથી ત્રીજી વિથી , , , સંખ્યાતગુણા ૩ (ફુવારા) તેથી બીજી નરકથી , , , ૪ ( ર ) તેથી પર્યાપ્યા બાદર પ્રત્યેક વનસ્પતિથી
* * *
Page #179
--------------------------------------------------------------------------
________________
,
,
પ્રકરણસંગ્રહ. ૫ (મ)તેથી પર્યાપ્તા બાદર પૃથ્વીકાયથી, ૬ (ગઢ) તેથી પર્યાપ્ત બાદર અપૂકાયથી,, ૭ (મવન) તેથી ભવનપતિની દેવીથી, ૮ તેથી ભવનપતિના દેવથી ૯ (aff ) તેથી વ્યન્તરની દેવીથી ૧૦ તેથી ચન્તરના દેવથી ૧૧ (લોદ ) તેથી જ્યોતિષ્ક દેવીથી ૧૨ તેથી તિષ્ક દેવથી ૧૩ (ના) તેથી મનુષ્યણીથી ૧૪ (નર) તેથી મનુષ્યથી ૧૫ ( પ) તેથી રત્નપ્રભા
પહેલી નરકથી ૧૬ તિર્ફિ ) તેથી તિર્યચિણીથી ૧૭ (તિરિ) તેથી તિર્યચથી ૧૮ (અપુરતુ જ) તેથી પાંચ અનુત્તરથી ૧૯ તેથી નવ રૈવેયકથી ૨૦ ( ગુણ ) તેથી અશ્રુત દેવકથી ૨૧ તેથી આરણ દેવકથી ૨૨ તેથી પ્રાણુત દેવકથી ૨૩ તેથી આનત દેવકથી ૨૪ તેથી સહસાર દેવકથી ૨૫ તેથી શુક્ર દેવલેકથી ૨૬ તેથી લાંતક દેવલેથી ૨૭ તેથી બ્રહ્મ દેવકથી ૨૮ તેથી માહેદ્ર દેવલેથી ૨૯ તેથી સનકુમાર દેવકથી ૩. તેથી ઈશાન દેવલોકની દેવીથી ૩૧ તેથી સેંધર્મ દેવકની દેવીથી કર તેથી ઈશાન દેવલોકના દેવથી , ૩૩ તેથી સધર્મ દેવલોકના દેવથી ,
Page #180
--------------------------------------------------------------------------
________________
-
૧૬૭
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ આ રીતે ગતિદ્રાર કહ્યું. હવે બીજા કારો કહે છે–
कीवि स्थी नर ४ गिहन्ननिअलिंगे ५। तित्थयरि तित्थपत्ते, समणी मुणि कमिणसंखगुणा ॥४२॥ तित्थयर तिथिपत्ते, समणी मुणिणंतसंखसंखगुणा ॥६॥
અર્થ – ઘરે ( જીરિ) નપુંસકવેદે સિદ્ધ થયેલા થોડા. (સ્થી ) તેથી સ્ત્રીવેદે સિદ્ધ થયેલા સંખ્યાતગુણા. (નર) તેથી પુરુષવેદે સિદ્ધ થયેલા સંખ્યાતગુણ.
૧ &િા (જિદ) ગૃહસ્થલિંગે સિદ્ધ થયેલા થોડા, (અન્ન) તેથી અન્ય લિગે સિદ્ધ અસંખ્યાતગુણા, (નિર્જિ) તેથી સ્વલિગે સિદ્ધ અસંખ્યાતગુણ.
૬ તારે ( તિરથરિ) તીર્થકરીપણે સિદ્ધ થયેલા થોડા. ( તિરે ) તેથી એના જ તીર્થમાં પ્રત્યેકબુદ્ધ સિદ્ધ સંખ્યાતગુણા. ( વમળ મુનિ ) તેથી તેના જ તીર્થમાં અતીર્થકરી–સામાન્ય સાધ્વી થઈને સિદ્ધ અને તેના જ તીર્થમાં સાધુ થઈને સિદ્ધ (નિરંવાદ ) અનુક્રમે સંખ્યાતગુણ કહેવા. ૪૨ | ( તિરથ ર ) તેથી તીર્થકર સિદ્ધ (f) અનંતગુણા. (તિથિપત્ત) તેથી તીર્થકરના જ તીર્થના પ્રત્યેકબુદ્ધ સિદ્ધ (સંત) સંખ્યાતગુણા. (મળમુનિર્વાણ ગુir) તેથી તેના તીર્થમાં શ્રમણ સિદ્ધ સંખ્યાતગુણ, તેથી તેના તીર્થમાં મુનિ સિદ્ધ સંખ્યાતગુણા.
परिहार चउग पणगे, छेय ति चउ सेसचरणंमि ॥ ४३ ॥ संख असंख दु संखा ७
અર્થ:–૭ રાત્રિ ( દિન ૪૪ ) સામાયિક ચારિત્ર રહિત છેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂફમસં પરાય, યથાખ્યાત–આ ચાર ચારિત્રવાળા સિદ્ધ છેડા, અહિં દેપસ્થાપનીય ભગ્નચારિત્રીની અપેક્ષાનું જાણવું. (1) તેથી એ ચાર ચારિત્રમાં સામાયિક ચારિત્ર મેળવતાં પાંચ ચારિત્રવાળા સિદ્ધ (૪) સંખ્યાતગુણા (છતિ) તેથી છે. સૂમયથાઆ ત્રણ ચારિત્રવાળા સિદ્ધ (અસંત ) અસંખ્યાતગુણ ( ર ) તેથી સામાયિક, છેદે સૂક્ષ્મ યથા. આ ચાર ચારિત્રવાળા સિદ્ધ અને (રેરામિ ) તેથી બાકીનાં સામાયિક, સૂકમ યથા. આ ત્રણ ચારિત્રવાળા સિદ્ધ ( ટુ સંવ ) આ બંનેને એક એકથી સંખ્યાતગુણ કહેવા.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રકરણસંગ્રહ
सं पत्ते बुद्धि बुद्ध संखगुणा ८। मणजुअ थोवा मइसुअ, संख चउ असंख तिग संखा ९॥४४॥
અર્થ –૮ યુદ્ધ (f) સ્વયં બુદ્ધ સિદ્ધિ પામેલા થોડા. ( ) તેથી પ્રત્યેકબુદ્ધ સંખ્યાતગુણા. (કુરિ યુદ્ધ સંલગુળા ) તેથી બુદ્ધિબોધિત સંખ્યાતગુણ. તેથી બુદ્ધિબધિત સંખ્યાતગુણ.
- ૯ શાન-(મજુબ થોરા) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ને મન:પર્યવજ્ઞાન એ ત્રણ જ્ઞાને સિદ્ધિ પામેલા થેડા. (મકુમ સંવ) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણા. (૨૩ કરંa ) તેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન આ ચાર જ્ઞાને સિદ્ધિ પામેલા અસંખ્યાતગુણા. (તિ સંવા) તેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાને સિદ્ધ થયેલા સંખ્યાતગુણા જાણવા. ૪૪.
अडसमयसिद्ध थोवा, संखिज्जगुणा उ सत्तसमयाई १३ । अचुअचुअ तीसु थोवा, असंख संखा असंखा य ११॥४५॥
અર્થ:–૧૩ અનુરમા-ગરમ ઘોવા) આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાડા, કારણ કે આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા છેડા પ્રાપ્ત થાય છે. (સંવિસનગુખ ૩ વરસમયા) તેથી સાત સમય સુધી સિદ્ધ થયેલા સંખ્યાતગુણ. એવી રીતે સમય સમયની હાનિ કરતાં બે સમય સિદ્ધ સુધી સંખ્યાતગુણા સંખ્યાતગુણ કહેવા. એક સમય સિદ્ધમાં નિરંતરપણાને અભાવ હોવાથી તેના અલ્પબદુત્વને અભાવ છે.
૧૧ લાખો-(શુઝ થવા) સભ્યત્વથી નહિ પડેલા સિદ્ધ થયેલા થોડા. (ગુમ તીકુ) તેથી સંખ્યાતકાળથી સમ્યક્ત્વથી પડીને સિદ્ધ થયેલા (સંત) અસંખ્યાતગુણ. તેથી અસંખ્યાતકાળથી સભ્યત્વથી પડીને સિદ્ધ થયેલા (સંક્ષા) સંખ્યાતગુણા. તેથી અનંતકાળથી સભ્યત્વથી પડીને સિદ્ધ થયેલા ( ગણાય ) અસંખ્યાતગુણ જાણવા. ૪૫
एगो जा जवमज्झं, संखगुण परा उ संखगुणहीणा । छम्मासंता १२ लहु गुरु, मज्झ तणू थोव दुअसंखा १०॥४६॥
અર્થ:–૨૨ અત્તર (૪માવંતા) છ માસના ઉત્કૃષ્ટ અંતરે સિદ્ધ થયેલા થડા. (gો ) તેથી એક સમયના અંતરે સિદ્ધ થયેલા (સંવત) સંખ્યાત. ગુણું, તેથી બે સમયના અંતરે સિદ્ધ થયેલા સંખ્યાતગુણ. ( 1 નવમન્સ )
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધ પંચાશિકા પ્રકરણ
થાવત્ એ પ્રમાણે સમય સમય વિશેષ અંતરે સંખ્યાતગુણ સંખ્યાતગુણ કહેતાં થવા મધ્ય સુધી એટલે ત્રણ માસ સુધી કહેવું. (૩ સંવપલ્લી) ત્યારપછી આગળ એટલે ત્રણ માસ ને એક સમયને અંતરે સિદ્ધ થએલા સંખ્યાતગુણહીન, તેથી સમયાધિક અંતરે સિદ્ધ થએલા સંખ્યાતગુણહીન, એ પ્રમાણે સમય સમય વિશેષ અંતરને વિષે સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન કરતાં યાવત્ છ માસમાં એક સમયહીન સુધી કહેવું.
૧૦ અવધના-( ટુ ) જઘન્ય અવગાહનાએ સિદ્ધ થયેલા (ઘા) થોડા. (ગુર) તેથી ઉત્કૃષ્ટ અવગાહનાએ સિદ્ધ થયેલા અને (મ તળું) મધ્યમ અવગાહનાએ સિદ્ધ થયેલા એ બંને અસંખ્યાત અસંખ્યાતગુણું. ટકામાં આટલું વિશેષ છે કે સર્વથી થોડા સિદ્ધ સાત હાથની અવગાહનાવાળા, તેથી પાંચશે ધનુષની અવગાહનાવાળા વિશેષાધિક જાણવા. ૪૬.
अट्ठसयसिद्ध थोवा, सत्तहिअ अणंतगुणिअ जा पन्ना । जा पणवीसमसंखा, एगंता जाव संखगुणा १४ ॥ ४७ ॥
અર્થ:–૧૪ નાકા (મદુરા ) એક સમયે એક સો ને આઠ સિદ્ધ થએલા (થોરા ) થોડા, (તદિન ) તેથી એક સો સાત સિદ્ધ થએલા (અiતગુજર) અનંતગુણા, (કા પન્ના) યાવત્ પચાસ સુધી કહેવું. એટલે ૧૦૭ થી ૧૦૬ સિદ્ધ થએલ અનંતગુણ, તેથી ૧૦૫ સિદ્ધ થએલ અનંતગુણા, એમ એક એક ઓછો કરતાં પચાસ સુધી અનંતગુણ અનંતગુણ કહેવા. (જ્ઞા પવીતમલવા) તેથી ઓગણ પચાસ સિદ્ધ થએલ અસંખ્યાતગુણ, તેથી અડતાળીશ સિદ્ધ થએલ અસંખ્યાતગુણ. તેથી સુડતાલીશ સિદ્ધ થએલ અસંખ્યાતગુણ, એમ અસંખ્યાત ગુણ પચીશ સુધી કહેવું. (જીવતા સાવ સંવગુuri. ) તેથી ચોવીશ સિદ્ધ થએલ સંખ્યાતગુણ, તેથી ત્રેવશ સિદ્ધ થએલ સંખ્યાતગુણ, એમ એક એક ઓછો કરતાં બે સિદ્ધથી એક સિદ્ધ સંખ્યાતગુણ કહેવા. ૪૭. (૧૦-૧૧-૧૨-૧૩ દ્વાર અનુક્રમ રહિત કહેલા છે).
અલપબહુત દ્વારે વિશેષ કહે છે:उम्मंथिअ उद्धढिअ, उक्कडि वीरासणे निउंजे अ। पासिल्लग उत्ताणग, सिद्धाउ कमेण संखगुणा १५ ॥४८॥
અર્થ-૧૫ અરજદુત્વાકા-( ) ૧ ઉન્મન્વિત આસને સિદ્ધ થએલા થોડા એટલે અધોમુખે રહેલા. પૂર્વ વેરી પગવડે ઉપાડીને લઈ જાય ત્યારે અથવા અધોમુખે કાયોત્સર્ગે રહેલ હોય ત્યારે જે આસન હોય તે આસને સિદ્ધ
૨૨
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રકરણસંગ્રહ
થાય તે. (૩દિમ) ૨ તેથી ઊર્ધ્વસ્થિત સિદ્ધ થએલ સંખ્યાતગુણ, ઊર્ધ્વસ્થિત એટલે ઊભા ઊભા કાસગે રહેલા. (૩હિ ) ૩ તેથી ઉત્કટ આસને સિદ્ધ થએલા સંખ્યાતગુણા, એટલે બે પગના તળીયાં જમીન ઉપર રાખીને અધર બેસીને સિદ્ધિ પામેલા. ( વીણ) ૪ તેથી વીરાસન સિદ્ધ સંખ્યાતગુણ એટલે ખુરસી ઉપર બેઠાં થકાં પાછળથી તે આસન લઈ લઈએ અને જે આસન થાય તે આસન વીરાસન કહેવાય છે. ( નિ ક ) ૫ તેથી ન્યુજાસને સિદ્ધ થયેલા સંખ્યાતગુ. એટલે બેસીને નીચે દષ્ટિ રાખવી એ આસને બેઠેલા તે ન્યુજાસન સિદ્ધ કહેવાય છે. (પણg ) ૬ તેથી એક પાસે સૂઈ રહીને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણ. ( સત્તા સિતા ૩) ૭. તેથી ચત્તા સૂઈ રહીને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણ. આ બધા (મેજ સંવગુor) અનુક્રમે સંખ્યાતગુણ જાણવા. એવી રીતે પંદરકારે અલ્પબહુત કહ્યું.
હવે સર્વગત અલ્પબદ્ધત્વમાં વિશેષ દેખાડવાને નવમું સંનિકર્ષદ્રાર કહે છે. સંનિકર્ષ એટલે સંયોગ અથવા સંબંધ. હસ્વ દીર્ઘની જેમ. વિવક્ષિત કે કેઈને લઈને વિવક્ષિત બીજાને અલ્પપણે કે બહપણે અથવા અવસ્થાનપણે હોવું તે સંબંધ સમજ. पणवीस पन्न अडसय, पण दस वीसा य ति पण दसगं च । संख असंख अणंत य, गुणहाणि चउठआइंता ॥ ४९ ॥ इग दुग इग दुग चउ बहुणंत, बहु असंखणंतगुणहीणा। इय सिद्धाण सरूवं, लिहिअं देविंदसूरीहिं ॥ ५० ॥
અર્થ – સંનિષદ્વારે-જ્યાં જ્યાં એક સો ને આઠ સિદ્ધ પામતા હોય ત્યાં ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ જાણવી. એક એક સિદ્ધિ પામેલા ઘણા, બે બે સિદ્ધિ પામેલા (સંત) સંખ્યાતગુગહીન, ત્રણ ત્રણ સિદ્ધિ પામેલા સંખ્યાતગુણહીન, એવી રીતે ચાર પાંચ યાવત્ (પાવીસ ) પચીશ સુધી સંખ્યાતગુણહીન સંખ્યાતગુણ હીન કહેવા. તેથી છવીશ સિદ્ધ (અવંa) અસંખ્યાતગુણહીન, તેથી સત્તાવીશ સિદ્ધ અસંખ્યાતગુણહીન, એમ એક એક વધારતાં (પન્ન) પચાશ સિદ્ધ સુધી અસંખ્યાતગુણહીન કહેવા. તેથી એકાવન સિદ્ધ (અવંત ) અનંતગુણહીન, તેથી બાવન સિદ્ધ અનંતગુણહીન, એમ એક એક વધારતાં એક સોને આઠ સુધી અનંતગુણહીન કહેવા.
જ્યાં જ્યાં વીશ સિદ્ધ થતા હોય ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ જાણવી. એક એક સિદ્ધ સર્વથી અધિક, તેથી બે બે સિદ્ધ (સંવ) સંખ્યાતગુરુહીન, તેથી ત્રણ ત્રણ સિદ્ધ સંખ્યાત ગુગુહીન, તેથી ચાર સિદ્ધ સંખ્યાતગુરુહીન, (vcr) તેથી પાંચ સિદ્ધ સંખ્યાતગુણહીન, તેથી છ સિદ્ધ (કાં) અસંખ્યાતગુણહીન,
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધપ ચાશિકા પ્રકરણ
૧૭૧
એમ એક એક વધારતાં ( F ) દશ સિદ્ધ સુધી અસંખ્યાતગુણહીન કહેવા. તેથી અગિયાર સિદ્ધ ( અનંત ચ ) અન‘તગુણુહીન, એમ એક એક વધારતાં યાવત્ (વિસા હૈં) વીશ સુધી અનંતગુણહીન કહેવા. એ પ્રમાણે અધાલોકાદિકને વિષે અણુવું.
જ્યાં જ્યાં વીશપૃથિિસદ્ધ થતા હૈાય ત્યાં પ્રથમના ચેાથા ભાગે સંખ્યાતગુણહીન, ખીજા ચેાથા ભાગને વિષે અસંખ્યાતગુણુહીન અને ત્રીજા ચાથા ભાગથી માંડીને ઉપર સઘળે ઠેકાણે અનંતગુણહીન કહેવા.
જ્યાં જ્યાં દશ દશ સિદ્ધ થતા હાય ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ કહેવી. એક એક સિદ્ધ સર્વથી અધિક, તેથી એ બે સિદ્ધ સંખ્યાતગુણહીન. ( ત્તિ ) તેથી ત્રણ ત્રણ સિદ્ધ સ ંખ્યાતગુણહીન, તેથી ચાર ચાર સિદ્ધ અસંખ્યાતગુણુહીન, ( ૫ ) તેથી પાંચ પાંચ સિદ્ધ અસ ંખ્યાતગુણુહીન, ત્યાંથી આગળ છ સિદ્ધ અનંતગુણુહીન. એમ એક એક વધારતાં ( ત્વાં ૨) દશ સિદ્ધ સુધી અનંતગુણહીન કહેવા.
(ઙકુચા તા) યવમધ્યાદિકમાં જ્યાં જ્યાં આઠ સિદ્ધ થાય છે ત્યાં ત્યાં ચાર સુધી આદિના સંખ્યાતગુણહીન તે આ પ્રમાણે-એક એક સિદ્ધ સર્વથી અધિક તેથી એ બે સિદ્ધ સંખ્યાતગુણુહીન, તેથી ત્રણુ ત્રણ સિદ્ધ સંખ્યાતગુણુહીન, તેથી ચાર ચાર સિદ્ધ સંખ્યાત ગુણહીન, પછી એક એક વધારતાં પાંચથી આઠ સુધી અનંતગુણહીન કહેવા. ૪૯.
બીજી ગાથાના અં—એ એ સિદ્ધમાં (ન ટુ વઝુ ) એક એક સિદ્ધ સથી અધિક, (નંત) તેથી બેબે સિદ્ધ અન તગુણહીન લવણાદિકમાં સમજવા. ચાર ચાર સિદ્ધમાં ( ક્। કુળ વંદુ ) ઊલાકમાં એક એક સિદ્ધ સર્વથી અધિક, તેથી એએ સિદ્ધ ( અસંઘ ) અસંખ્યાતગુણુહીન, તેથી ત્રણ ત્રણ સિદ્ધ( ાંતનુળદીળા ) અન તગુણુહીન, તેથી ચાર ચાર સિદ્ધ અનંતગુણહીન કહેવા.
એવી રીતે દ્રવ્યપ્રમાણુને વિષે વિસ્તારપૂર્વક સનિક દ્વાર કહ્યું. બાકીના દ્વારને વિષે સિદ્ધપ્રાભૂત ટીકાથકી વિશેષ જાણવું: ( ચ સિદ્ધાળ સત્ત્વ) પૂર્વોક્ત પ્રમાણે મુક્તિને પ્રાપ્ત થએલ સિદ્ધના જીવાનુ સ્વરૂપ ( હિદ્દિવ્યં વિધિ) સિદ્ધપ્રામૃતથકી શ્રી દેવેદ્રસૂરિએ લખ્યુ છે.
ઇતિ શ્રી દેવેન્દ્રસૂરિવિરચિત સિપ'ચાશિકા પ્રકરણ સાથે સમાપ્ત,
Page #185
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી અભયદેવસૂરિવિરચિત श्री पंचनिग्रंथी प्रकरण
•5
"
श्रीनयविजयगुरूणां प्रसादमासाद्य सकलकर्महरम् । व्याख्यां कुर्वे काञ्चिल्लोकगिरा पञ्चनिर्ग्रन्थ्याः ॥
અર્થ :—શ્રીનવિજય નામના ગુરુના સકળ કર્મને હરનારા પ્રસાદને (કૃપાને) પામીને પંચનિગ્રંથી નામના પ્રકરણની કાંઇક વ્યાખ્યા લેાકભાષા ( ગુજરાતી )માં रु ४.
હવે પ્રકરણની શરૂઆત કરવામાં આવે છે;—
नेमिऊण महावीरं, भवहियठ्ठा समासओ किंचि ।
वुच्छामि सरूवमहं, पुलायपमुहाण साहूणं ॥ १ ॥
अर्थ:-(नमिऊण महावीरं ) श्रीमहावीरस्वाभीने नमस्र पुरीने ( भवहियठ्ठा ) लभ्य वोना तिने भाटे ( पुलायपमुहाण ) पुसा प्रभुज ( साहूणं ) पांच प्रारना साधुमनु ( किंचि ) देशमात्र ( समासओ) संक्षेपथी ( सरूवं ) स्व३५ (अहं) हुं ( वुच्छामि ) उडु छु. १.
taar de रोगे. कैप्प चैरित्त पडिसेवणा नाणे । तिथे लिंग सरीरे, खित्ते" कोल गैइ संजैम निगासे ॥१॥ जो आग कर्सीए, लेसी परिणम बंधणे वे । कम्मोदीरण उवसंपजहण सन्नों य ओहारे ॥ २ ॥
૧ આ ગાથા અવસૂરિવાળી છપાયેલી પ્રતમાં નથી, પણ જરૂરની લાગે છે. એને આંક ચડાવેલ નથી.
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી પોંચનિગ્રંથી પ્રકરણ.
૧૭૩
व आगरिसे कालं "तरे य समुग्धाय खिते फुलैणा य । भावे परिमाणं खलु, अप्पाबहुयं नियंठाणं ॥ ३ ॥ અઃ- —આ પ્રકરણમાં પાંચ નિગ્રંથાને અંગે ૩૬ દ્વાર કહેવાના છે તે આ પ્રમાણે:—
? પ્રજ્ઞાપનાકાર—નિગ્રન્થાનુ સ્વરૂપ, સંખ્યા અને ભેદાદિક કહેવું તે, ૨ વેદ્ધાર:—વેદ ત્રણ છે. ૧ સ્રીવેદ, ૨ પુરુષવેદ, ૩ -પંસકવેદ. કયા કયા નિથને કયા કયા વેદ હેાય ? ( વેદ સિવાયના અવેદી કહે )
રૂપાદા—રાગના ત્રણ પ્રકાર છેકામરાગ, સ્નેહરાગ, ઢષ્ટિરાગ. તે રાગ કોને કોને હાય અને કેાને કાને ન હેાય ? ( રાગ સિવાયના તે અરાગી કહેવાય છે.)
૪ ૫દ્વાર—કલ્પ એ પ્રકારે−૧ સ્થવિરકલ્પ. ૨ જિનકલ્પ. ( ખનેથી પર તે કપાતીત કહેવાય છે. ) કયા નિથ કયા કલ્પમાં હાય ?
ખીજા પરિહારવિશુદ્ધિક વિગેરેના એમાં અતર્ભાવ સમજવેા.
હું ચારિત્રદા—ચારિત્ર પાંચ પ્રકારે——૧ સામાયિક, ૨ છેદેપસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસ'પરાય, ૫ યથાખ્યાત. તેમાંનુ ં કયું ચારિત્ર હોય ?
૬ પ્રતિષવનાના—પ્રતિકૂળપણે સેવના તે પ્રતિસેવના-વિરાધના તે એ પ્રકારે. ૧ મૂળગુણ પ્રતિસેવના, ૨ ઉત્તરગુણ પ્રતિસેવના.
૭ જ્ઞાનદાર—પાંચ પ્રકારે—૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવલજ્ઞાન. તેમાંના કયા જ્ઞાન હાય ?
૮ તીર્થંદા—એ પ્રકારે −૧ તીર્થંકરે પ્રવર્તાવેલું તે તીર્થ ને તે વિના ૨ અતી.
૨૬ નિદા—એ પ્રકારે-૧ દ્રવ્યલિંગ ને ૨ ભાવલિંગ. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે૧ સ્વલિંગ તે સાધુને વેષ, ર અન્યલિંગ તે તાપસાદિ પરતીથી એના વેષ, ૩ ગૃહસ્થ લિંગ તે ગૃહસ્થનો વેષ અને ભાવલિંગ તે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ.
૬૦ રારીદ્વાર—પાંચ પ્રકારે-દારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ, ૫ કાણુ, તેમાંના કેટલા ને કયા શરીર હાય ?
૨૨ ક્ષેત્રજ્ઞા—એ પ્રકારે–1 જન્મથી ને ૨ વિહારથી. કમ ભૂમિ, અકર્મ ભૂમિરૂપ ક્ષેત્ર સમજવું. તેમાંથી કયાં હેાય ?
૨ાજદ્વાર—ઉત્સર્પિણી તથા અવસર્પિણીરૂપ બે પ્રકારે.
ટ્ર્ ગતિદ્વાર—કયા કયા નિન્થ મરણ પામીને કયાં કયાં ઉપજે ? તે ગતિ પાંચ પ્રકારે-નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ અને મેાક્ષ.
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસ ગ્રહ
૪ સયમદ્વાર—ચારિત્રના અધ્યવસાયના વિશુદ્ધિસ્થાન તે કેને કેટલા હાય ? - નિર્વજ્ઞા—નિક એટલે સ યાગ. પરસ્પર હીનાધિકપણું, તે એ પ્રકારે ૧ સ્વસ્થાનનિક, ૨ પરસ્થાનનિક.
૧૭૪
૨૬ યોગદા—યાગ ત્રણ પ્રકારે-મન, વચન, કાયા. એ મૂળભેદ, તેના ઉત્તરભેદ પંદર સમજવા. તેમાંથી કયા ને કેટલા ચાગ હાય ?
૨૭ કયો પદાર્—ઉપયાગ એ પ્રકારે−૧ સાકાર પયાગ, ૨ નિરાકારોપયોગ. જ્ઞાન ને દર્શનરૂપ ખાર પ્રકારે જાણવા. તેમાંથી કયા ને કેટલા હોય ?
તે
૨૮ વષાચકાર—કષાય ચાર પ્રકારે−૧ ક્રોધ, ર્ માન, ૩ માયા, ૪ લેાભ.
૧ હેયાદા—લેશ્યા છ પ્રકારે-૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપાત, ૪ તેજો, ૫ પદ્મ, ૬ શુકલ. એમાંની કેટલી ને કઈ કઈ હાય ?
૨૦ પતિનામદાર—પરિણામ તે ચારિત્રની શુદ્ધિના અધ્યવસાય તે કેટલા કેટલા હાય ? તેના ત્રણ પ્રકાર—વધ માન, હીયમાન, અવસ્થિત.
૨૨ વંધનકાર—કયા કયા નિ ંથ કેટલી કેટલી ક`પ્રકૃતિ ખાંધે ?
૨૨ વેનદ્વાર—વેદન એટલે કર્મનું વેદવુ. કયા નિગ્રંથ કેટલી પ્રકૃતિને વેઢે ? ( ઉદયે ભાગવે )
૨૩ મીનીબદાર—કયા નિગ્રંથને કેટલી ૨૪ ૩૫સંપનદાર—અમુક નિગ્ર ંથ તે અવસ્થા પામે ?
કર્મપ્રકૃતિની ઉદીરણા હાય ?
અવસ્થાને મૂકીને કઈ કઈ
રધુ સંજ્ઞાદાર—સંજ્ઞા ચાર પ્રકારે−૧ આહાર, ૨ ભય, ૩ મૈથુન, ૪ પરિગ્રહ. ઉપરાંત ૫ ક્રોધ, ૬ માન, છ માયા, ૮ લેાભ, ૯ એઘ, ૧૦ લેાક–એમ દશ પ્રકારે પણ સ'જ્ઞા હેાય છે. તેમાંની કેટલી હેાય ?
રદ્દ આહારદ્વાર—કયા નિગ્રંથ આહારી તથા અણુાહારી હાય ?
૨૭ મવદ્વાર—કયા નિગ્રંથ કેટલા કેટલા ભવ કરે ?
૨૮ બ્રા ષળદાર—યા નિંથ એક ભવમાં તથા ઘણા ભવમાં તે તે અવસ્થાને પામીને ત્યાંથી પડીને કેટલી વખત તે ભાવને પામે ?
૨૬ જાહદાર—તે તે નિથપણામાં કેટલેા કાળ રહે ?
૩૦ અંતરદ્વાર—એક વાર તે તે નિ સ્થાને પામે તેની વચ્ચે કેટલુ અંતર પડે આશ્રી એમ બે પ્રકારે.
થપણાને પામી, તજીને ફરી તે અવ ? તે એક જીવ આશ્રી તેમ જ ઘણા જીવ
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૫
૩૬ સમુદ્રથતિ –સમુદ્દઘાત સાત પ્રકારે–૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તૈજસ, ૬ આહારક, ૭ કેવળી સમુદ્દઘાત. તેમાંથી કેટલા હોય?
રૂર ગર–કયા ક્યા નિગ્રંથને કેટલા ક્ષેત્રની અવગાહના હોય ? ૨૨ નાતા–કોને કોને કેટલી કેટલી સ્પર્શના હોય ?
રૂછ માવદર–ભાવ પાંચ પ્રકારે–દયિક, ક્ષાયિક, ક્ષાપશમિક, ઔપશમિક ને પરિણામિક. તેમાં ઔદયિક ને પારિણુમિકનું જીવસ્વરૂપ પણ છે, તેમાં મોક્ષમાર્ગનો અભાવ છે અને અપ્રશસ્ત છે માટે એ બે ગ્રહણ કરેલ નથી અને સંનિપાતિકનું તે સંયોગરૂપપણું છે માટે ગ્રહણ કરેલ નથી; બાકીના ત્રણ ભાવ જ ગ્રહણ કર્યો છે. તેમાંથી કયા ભાવે વર્તતા હોય ?
રૂ૫ મિાળા-ક્યા ક્યા નિગ્રંથની પ્રતિપદ્યમાન તથા પ્રતિપન્ન એ બે પ્રકારની સંખ્યા કેટલી હોય ? રૂદ્ બહાદુ–કયા નિગ્રંથ છેડા હોય અને ક્યા વધારે હોય ?
ટીકાને આધારે પાંચ પ્રકારના નિર્ચનું વિવરણ અહીં પાંચે નિથામાં જ્ઞાનદર્શન, ચારિત્રના પરિણામ કેટલાક યથાયોગ્ય હેવાથી જ નિર્ચથના વ્યપદેશને (નામને) પામે છે, જ્ઞાનાદિ પરિણામના અભાવે નિગ્રંથ શબ્દના અર્થની સંગતિ જ થતી નથી, અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-મૂળ નિગ્રંથ અને પેટભેદરૂપ (ચોથો) નિગ્રંથમાં પ્રતિવિશેષપણું (જુદાપણું ) શું છે? તેને ઉત્તર આપે છે કે-મૂળ નિગ્રંથપણું મોહનીય કર્મના ક્ષપશમાદિ પ્રકારે કરીને (ઉદયન સભાવ છતાં પણ) કહેવાય છે અને પ્રભેદ નિર્ચથપણું (ચોથા ભેદરૂપ) મેહનીય કમની ઉપશમના કે ક્ષપણા વડે સર્વથા ઉદયના અભાવે જ (શ્રેણીમાં) થાય છે. એટલા માટે તે બેમાં ફેર છે. પુલાકના બે ભેદ છે. તેમાં લબ્ધિપુલાકાણું લબ્ધિ ઉપજીવનવડે ચારિત્રને અસાર કરવાથી પ્રાપ્ત થાય છે અને આસેવનાપુલાકાણું તે જરા જરા અતિચારના આસેવનથી ચારિત્રના સર્વથા અવિરાધક અને અલ્પતર વિરાધકપણાથી પ્રાપ્ત થાય છે. બકુશ અતિચારને આશ્રયીને કાંઈક અધિકતર વિરાધક હોય છે. અથવા દેહવિભૂષાદિકમાં આસક્ત છતાં પણ અતિચારના લાઘવપણાથી પુલાકથી વિશુદ્ધ પણ હોય છે. કુશીલ તો બંને પ્રકારના જ્ઞાનાદિ ઉપજીવનવડે અને કષાયના આસેવનવડે સ્કુટ રીતે જ જુદા પડે છે. સંયમસ્થાનને આશ્રયીને આદિમાં પુલાક સાથે અને મધ્યમાં બકુશ સાથે તુલ્ય છતાં આગળ તે બંનેને અતિક્રમીને વિશુદ્ધતર પણ હોય છે. આ પ્રમાણે એ પાંચેનું પ્રતિવિશેષ (જુદું જુદું ) સ્વરૂપ છે.
એ પાંચ પ્રકારના નિર્ચ થેનો આ કમેપન્યાસ વિશુદ્ધિના ક્રમને અપેક્ષીને જ સંભવે છે. તે આ પ્રમાણે-સર્વથી ઓછી વિશુદ્ધિ પુલાકમાં, તેથી વધારે
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પ્રકરણસંગ્રહ. બકુશમાં, તેથી વધારે કુશીલમાં, તેથી વધારે નિગ્રંથમાં ને તેથી વધારે સ્નાતકમાં સ્નાતકની તો અતિ વિશુદ્ધ જ્ઞાનદર્શનાદિ ગુણની પ્રાપ્તિવડે મેહનીયાદિ ઘાતકર્મના ક્ષયથી નિગ્રંથ કરતાં અત્યંત વિશુદ્ધિ છે.
આ ક્ષેત્રમાં વર્તમાનકાળે બકુશ ને કુશીલ બે નિર્ગથે જ હોય છે. બાકીના ત્રણ નિગ્રંથ વિચ્છેદ પામેલા છે. કહ્યું છે કે-“પુલાક સહિત નિર્ગથ ને સ્નાતક એ ત્રણ વિચ્છેદ પામેલા છે.” બકુશ ને કુશીલ એ બે તો જ્યાં સુધી તીર્થ પ્રવર્તશે ત્યાં સુધી રહેવાના છે. ર-૩.
પ્રથમ નિગ્રંથના પાંચ પ્રકાર કહે છે – पंच नियंठा भणिया, पुलायबउसा कुसीलनिग्गंथा। होइ सिणाओ य तहा, इविको सो भवे दुविहो ॥४॥
અથ–બાહ્ય આત્યંતર ગ્રંથીથકી નીકળ્યા તે નિગ્રંથ-(વં નિઘંટા માથા) તીર્થકરે પાંચ પ્રકારના નિર્ચથ કહ્યા છે. (પુઝાય ) ૧ પુલાક, (વાસ) ૨ બકુશ, ( ૪) ૩ કુશીલ, (નિથા) ૪ નિગ્રંથ (તદા) તેમ જ (નિrગો ) ૫ સ્નાતક (તો) તે (શિ) એક એકના ( વિદો) બબે પ્રકાર (હોદ) છે. ૪
હવે નિગ્રંથ શબ્દનો અર્થ કહે છે – गंथो मिच्छत्त धणाइओ मओ जे अ निग्गया तत्तो। ते निग्गंथा वुत्ता, तेसि पुलाओ भवे पढमो ॥५॥
અર્થ – જાંઘો, જેનાથી કમેં કરી જીવ ગુંથાય તે ગ્રન્થ. તેના બે પ્રકાર છે-૧ ભાવગ્રન્થ, ૨ દ્રવ્યગ્રન્થ. (
મિત્ત) મિથ્યાત્વ ૧, કષાય ૪, કષાય ૯ એ ચૌદ પ્રકારે આત્યંતર ગ્રન્થ અથવા ભાવગ્રન્થ અને (ધરો ) ૨ ધનાદિ એટલે ધન ૧, ધાન્ય ૨, હિરણ્ય ૩, સુવર્ણ ૪, ક્ષેત્ર પ, વાસ્તુ ૬, કુષ્પ ૭, દ્વિપદ ૮, ચતુષ્પદ ૯ આ નવ પ્રકારે બાહ્યગ્રન્થ અથવા દ્રવ્યગ્રન્થ ( મો ) એમ બંને પ્રકારને ગ્રન્થ માને છે (તો) તેનાથી–તેને છોડીને (જે આ નિયા) જે નીકળ્યા (તે નિuથા કુત્તા) તેને નિગ્રંથ કહ્યા છે. (સેલ) તે નિર્ગસ્થના પાંચ ભેદ છે તેમાં (પુસ્ત્રાવ મળે પહો) પહેલે પુલાક નામે નિગ્રન્થ જાણવો. ૫
પુલાકનું સ્વરૂપ કહે છે – धन्नमसारं भन्नइ, पुलायसःण तेण जस्स समं । રાખે તો પુછાયો, કદી (પરિ)વાદેિ તો કુહા દા
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિગ્ર થી પ્રકરણ
૧૭૭
અર્થ :—( પુજાયસદ્દે ) પુલાક શબ્દવડે ( ધન્નમસ્તામાં) સત્ત્વ વિનાનું ફૈાતરા સરખું અસાર ધાન્ય ( મજ્જર ) કહેવાય છે. ( તેન ) તેના ( સમં ) સરખુ ( નસ્સ ) જે ( ચરળ) ચારિત્ર દોષે કરીને અસાર હાય (સ્રો ૩) તે પુલાક કહીએ. ( સો ય પુજાો ) તે પુલાક ( જીદ્દી ) ૧ લબ્ધિપુલાક અને (ત્તિસેવાäિ) ૨ પ્રતિસેવાપુલાકના ભેદવડ ( વુદ્દા )
પ્રકારે છે. ૬.
લબ્ધિપુલાકનું લક્ષગુ કહે છેઃ—
संघाइयाण कज्जे, चुन्निज्जा चक्कवहिमवि जीए । ती लीइ जुओ, लद्धिपुलाओ मुणेयवो ॥ ७ ॥
અ:—જે સાધુ મહાતપસ્વી ( સંધાચાળ si ) સ ંધાદિકનું કાર્ય ઉપજે થકે અપવાદ માગે ( જ્ઞીપ ) જે લબ્ધિવડે (અદિવિ) ચક્રવત્તીને પણ (ન્નિા) ચૂરી શકે (તીર્લગ્ની ઝુબો ) તેવી લબ્ધિવડે યુક્ત હાય તે ( રુપ્તિપુજાનો મુળયો ) લબ્ધિપુલાક જાણવા. તેની દેવેદ્ર સમાન ઋદ્ધિ ( શક્તિ ) હેાય છે. ૭. હવે પ્રતિસેવના પુલાકનું લક્ષણ કહે છે;—
आसेवणापुलाओ, पंचविहो नाणदंसणचरिते ।
लिंगंमि अहासुडुमे, य होइ आसेवणानिरओ ॥ ८ ॥
અર્થ :-( બાલેવળાપુજામો ) બીજા આસેવના પુલાકના ( પંચવિો ) પાંચ પ્રકાર છે. તેના નામ આ પ્રમાણે-(નાળયંકળચરિત્તે) ૧ જ્ઞાન પુલાક,૨ દર્શીન પુલાક, ૩ ચારિત્ર પુલાક, (હિંમિ) ૪ લિંગ પુલાક (જ્ઞાપુત્તુમે ય) અને ૫ યથાસૂમ પુલાક. તે પાંચને વિષે ( સેવળત્તિો) આસેવના રક્તપણું (Tોદ્દ) હેાય છે. ૮.
એ જ્ઞાનાદિકના ઇત્ વિરાધક હાય છે તે જ કહે છે:~ नाणे दंसणचरणे, ईसीसि विराहह्यं असारो जो । सोनाणाइपुलाओ, भण्णइ नाणाइ जं सारो ॥ ९॥
અર્થ:—( નાળે તંલળચરો ) જ્ઞાનને વિષે, દર્શનને વિષે અને ચારિત્રને વિષે (ઘૂંસીસિ વિજ્ઞયં ) લગાર લગાર વિરાધના કરતા ( ત્તે) જે ( અત્તાત્તે ) અસાર થાય અર્થાત્ જેનું ચારિત્ર અસાર થાય ( ઓ નાળા પુજાકો ) તે જ્ઞાનાઢિ પુલાક (pog) કહેય છે (ૐ) માટે નાળા ) ગાન, દર્શન,
ચારિત્ર જ ચારિત્રમાર્ગમાં ( સપ્તે) સારભૂત ( મળTM ) કહેવાય છે. જે સારથી રહિત તે આસેવનાપુલાક કહેવાય છે. ૯.
૨૩
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રકરણસંગ્રહ.
खलियाइदूसणेहिं, नाणं संकाइएहि सम्मतं ।
मूलत्तरगुणपडि सेवणाइ चरणं विराइ ॥ १० ॥
બ
અર્થ :-( લહિયા દૂરä )સ્ખલિત-મિલિત:દિક દૂષણાવડે ( નાળું ) જ્ઞાનને, ( સંદર્Íä સમ્મત્ત ) શ કાદિક દૂષણૢાવડે સમ્યકત્વને અને ( મૂત્યુત્તશુળ ) મૂળગુણ તથા ઉત્તરગુણની ( લેવા૬ ) પ્રતિકૂળસેવનાવડે ( ચરળ વિર ) ચારિત્રને વિરાધે છે. ૧૦,
વિવેચનઃ—હવે આસેવના પુલાક જ્ઞાન, દર્શન તથા ચારિત્રને વિષે લગાર લગાર વિરાધના કઇ રીતે કરે છે? તે દેખાડે છેઃ—સ્ખલિતમિલિતાદિક દૂષણેાવડે જ્ઞાનની વિરાધના કરે છે. અક્ષરની સ્ખલના તે સ્ખલિત કહીએ, આદિશબ્દે મિલિતાદિક લેવા. દર્શન એટલે સમકિત-જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા તે સમિત. તેમાં શંકાર્ત્તિ કરવા તે સમિકતના દૂષણ કહેવાય છે. તે પાંચ છે. તેનાં નામ-૧ શકા, ૨ કાંક્ષા, ૩ વિતિગિચ્છા, ૪ મિથ્યાત્વીની પ્રશ ંસા, ૫ મિથ્યાત્વીની સંગત ( પરિચય ). તેનાવડે સમકિતની વિરાધના કરે છે અને મૂળગુણ તથા ઉત્તરગુણની પ્રતિસેવનાવડે ચારિત્રને વિરાધે છે. પ્રાણાતિપાત–વિરમદિ પાંચ મહાવ્રત તથા છઠ્ઠું રાત્રિસેાજવિરમણુ એ છ મૂળગુણ જાણવા તથા પિંડવિશુદ્ધાદિ ઉત્તરગુણ જાણવા. ૧૦.
लिंगपुलाओ अन्नं, निक्कारणओ करेइ जो लिंगं ।
मणसा अकप्पियाणं, निसेवओ हो अहासुमो ॥ ११ ॥
અર્થ: નો) જે સાધુ ( નિરાળો) નિષ્કારણ-કારણ વિના-પુષ્ટ હેતુ વિના ( અન્ન ) અન્ય અન્ય ( હિંñ ) લિંગ ( ૬ ) કરે-ગૃહસ્થના તથા કુંતીથી વિગેરેના વેષ કરે તેને ( જિનપુરાશે ) ચેાથા લિંગપુલાક કહીએ. અને ( મળતા ) મને કરીને ( કાયિાળ ) અકલ્પિત વસ્તુને-જે સાધુને કલ્પે નહીં તેને ( નિસેવકો ) સેવનાર (ઢો બાનુન્નુનો) પાંચમેા યથાસૂમ પુલાક હાય. વચન અને કાયાની અપેક્ષાએ મનની વિરાધના સૂક્ષ્મ છે માટે. ૧.
बउसे सबलं कब्बुरमेगडुं तमिह जस्स चारितं । अइयारपंकभावा, सो उसो होइ निग्गंथो ॥ १२ ॥
અઃ-પૂર્વ કહેલા નિગ્રન્થના પાંચ પ્રકારમાંથી પ્રથમ ભેદ પુલાકનુ સ્વરૂપ કહીને હવે બીજા અકુશ નિગ્રન્થનું સ્વરૂપ કહે છે. (વસં) બકુશ, ( સવરું ) શબલ, ( વુમનä ) કર્યું`ર એ એકા વાચી શબ્દો છે. તેના અથ મેલુ, ગ ુ એવા થાય છે. જેમ કાદવથી સ્વચ્છ વસ્તુ મેલી થાય છે ( તમિદ્દ ગલ ચારિત્ત)
Page #192
--------------------------------------------------------------------------
________________
^^
^^^
^,
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
૧૭૯ તેમ અહીં જેનું ચારિત્ર (ગારપંજમવા) અતિચારરૂપી કાદવના સભાવથી મેલું થયેલ હોય (જો વડો હો નિજ થો) તે બકુશ નિગ્રંથ કહેવાય છે. ૧૨.
उवगरणसरीरेसुं, स दुहा दुविहोऽवि होइ पंचविहो । आभोगअणाभोगे, अस्संवुडसंवुडे सुहुमे ॥ १३ ॥
અર્થ –(8 ફુ) તે બકુશ નિર્ચના બે ભેદ. (વાળ) ૧ ઉપકરણ બકુશ એટલે વસ્ત્ર-પાત્રાદિક ઉપકરણની વિભૂષા કરવામાં પ્રવે તે અને (રણું) ૨ શરીર બકુશ એટલે કર-ચરણાદિક શરીરના અવયવોની વિભૂષા કરવામાં પ્રવર્તે તે. (સુવિહોવ ઘોર જંત્રવિદો) એ બંનેના પાંચ પ્રકાર છે. જે સાધુ આ અકૃત્ય છે એમ જાણતા તો આચરે તે (ગામોન) આભગ બકુશ, અણજાણતો કરે તે (અorrો) અણાભોગ બકુશ, મૂળગુણે અથવા ઉત્તરગુણે કરી સંવૃત થકે વતે તે (સંજુ) સંવૃત બકુશ, અસંવૃત થકે વર્તે તે (ગર્તપુર) અસંવૃત બકુશ અને (કુદુમે) નેત્ર, નાસિકા, મુખાદિકના મળને દૂર કરતા યથાસૂમ બકુશ જા . ૧૩.
હવે બકુશના મૂળ બે ભેદમાંથી ઉપકરણ બકુશનું સ્વરૂપ કહે છે– जो उवगरणे बउसो, सो धुवइ अपाउसेऽवि वत्थाइं । इच्छइ य लण्हयाइं, किंचि विभूसाइ भुंजइ य ॥ १४ ॥
અર્થ:–(જો વાળે વાલો) જે ઉપકરણ બકુશ હોય (તો) તે (સવારરવિ )ચોમાસા વિના પણ (વરથ૬) વસ્ત્રાદિક (પુવા) ઘવે (રૂછ જ ઇટ્ટથાઉં, વળી શરીરના સુખને માટે લક્ષણ-સુંવાળા વસ્ત્રની વાંછા કરે. (વિત્તિ વિમૂલા મુંગg ) વળી કાંઈક શરીરની શોભાને માટે વસ્ત્ર સમારે વાપરે. ૧૪.
तह पत्तदंडयाई, घट्ट मळं सिणेहकयतेयं । धारेइ विभूसाए, बहुं च पत्थेइ उवगरणं ॥ १५ ॥ અર્થ:– તદ) તથા વળી તે ઉપકરણ બકુશ ( વત્તા ) પાત્રા અને ડાંડાદિકને (પટ્ટ) કઠણ પથરવડે ઘસે, (મé) સુંવાળા પત્થરવડે મસળે, (સિદ) તેલ પ્રમુખે કરીને (ત્તેચં) તેજવાળાં કરે, પછી તેને (પ વિલાપ) શોભાને અર્થે ધારણ કરે. (જીવરક્ષા માટે તે સુંવાળા પાત્ર રાખવા કહ્યાં છે . (૪) તથા (૨૬) ઘણું એટલે જેટલાં વાપરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે તેથી અધિક (ાથે arri) ઉપકરણની પ્રાર્થના કરે-રાખવાનું છે. ૧૫.
હવે દેહબકુશનું સ્વરૂપ કહે છે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પ્રકરણસ ગ્રહ
देहवउसो अकज्जे, करचरणनहाइयं विभूसेइ । gharsha sai sis, इच्छइ परिवारपभिईयं ॥ १६ ॥
अर्थ:-( अकज़े) Hरण विना-अशुचि नेत्रविाराहि अणु विना ( करचरणनहाइयं) हाथ, पत्र, नम वगेरे (विभूसेइ) शशुगारे भेटले धोवे, ( देहबउसो ) ते शरीर मडुश उडेवाय छे. ( दुविहोऽवि इमो ) मा उपरशु मङ्कुश तथा शरीर मडुश-मे मने प्रारना अङ्कुश ( परिवारपभिईयं ) परिवार प्रमुख ( इडि ) ऋद्धिने ( इच्छइ ) वांछे भेटले घशा शिष्य थाओ, घणा श्राव अभारा लत थामो, धणे वैभव था। वगेरेनी २४२. १६.
पंडिच्चतवाइकथं, जसं च पत्थेइ तंमि तुसइ य ।
सुहसीलो न य बाढं, जयइ अहोरत किरियासु ॥ १७ ॥
अर्थ:-वणी ते मङ्कुश पोतानी ( पंडिच्चतवाइकयं ) पंडिता ने तथाlesell (a a qÀ¤) 42llqim 32, (T) qull ( áfu geĦL ) BIJA घोताने यश मोतो सांजणीने पोते संतोष पामे, वणी ( सुहसीलो ) सुमશીલ હાય એટલે શરીરની સરસ આહારાર્દિકે લાલનાપાલના કરે, સ્નાનविद्वेषनाहि १२. (य) वणी ( अहोरत ) शतद्दिवनी ( किरियासु ) डियागोमां ( न बाढं जयइ ) अत्यंत आदरपूर्व यतना ( प्रयत्न ) पुरे नहि. १७.
परिवारो य असंजम, अविवित्तो होइ किंचि एयस्स । घसियाओ तिल्लाइमसिणिओ कत्तरियकेसो ॥ १८ ॥
अर्थ:-( एयस्स ) वणी मे मडुशने। ( परिवारो य ) परिवार ( असंजम ) असभ्यभवंत होय, ( अविवित्तो ) अविवि भेटले वस्त्रपात्राहिना भोडुथी भणगी न होय. तथा ( किञ्चि ) siss ( घसियपाओ ) नेना पण घसेसा होय तेवे। तथा ( तिल्लाइमसिणिओ ) तैसा हि श्री भर्हन राये। अने ( कत्तरिय केसो) अतरेला प्रेशवाणी ( होइ ) होय. १८.
तह देससबछेयारिहहिं सबलेहिं संजुओ बउसो । मोहमओ अ सुत्तंमि भणियं च ॥ १९॥
अर्थः- (तह देसछेय) तथा देशछेह ते छेह प्रायश्चित्त भगवु नो हीलापर्याय घटाडवानो दंड थाय ते छेह प्रायश्चित्त तथा ( सवछेयारिहेहिं ) सर्व
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૧
શ્રી પંચનિર્ચથી પ્રકરણ તે મૂળ પ્રાયશ્ચિત્ત એટલે સર્વ પર્યાયનો છેદ કરી જેને ફરીથી દીક્ષા લેવારૂપ દંડ કરવામાં આવે છે. આ બંને પ્રકારના પ્રાયશ્ચિત્તને વેગ્ય એવા ( સવ િસંgat ઘડો ) શબલ ચારિત્રિયાઓ સહિત તે બકુશ જાણો. અત્રે એવી શંકા થાય કે “આવા દોષ તે પાસસ્થાના પણ કહ્યા છે તે પાસસ્થા અને બકુશમાં ફેર શો?’ ઉત્તર-જે કે પાસસ્થામાં તથા બકુશમાં સરખા લક્ષણ દેખાય છે, તે પણ પાસ નિર્ધ્વસ હોય અને બકુશ નિગ્રંથ પ્રાયશ્ચિત્તાદિ સાપેક્ષ હોય ( મોગર્વથ૬મમ્મુદિયો ) અને મેહના ક્ષયમાં અભ્યસ્થિત-ઉજમાળ હેય. (૨) વળી (ત્તમિ મળિયં ૪) સૂત્રમાં પણ કહ્યું છે કે–૧૯
उवगरणदेहचुक्खा, रिद्धीजसगारवासिया निच्चं । बहुसबलछेयजुत्ता, निग्गंथा बाउसा भणिया ॥ २० ॥
અર્થ–બકુશ નિગ્રંથ કેવા હોય ? ( વાદગુરણા ) ઉપકરણ અને શરીરને ચેખ રાખનાર હોય, (દ્ધિીકારવારિકા નિશં) નિત્ય ઋદ્ધિગારવ, યશગારવી અને શાતાગીરવયુક્ત હોય તથા પૂર્વે કહી ગયેલા (વસુલવસ્ટછે કુત્તા) છેદ અને મૂલ પ્રાયશ્ચિત્તને વેગ્ય એવા ઘણા શબલ ચારિત્રીયાના પરિવારયુક્ત હોય તે ( નિઃiા વાડા માથા) બકુશ નિગ્રંથ કહ્યા છે. ૨૦,
ઉપર કહેલા દોષ સહિત, આત્મત્કર્ષ રહિત છતાં શુદ્ધ માર્ગ પ્રરૂપક ભવભીરુ તથા મોક્ષને અર્થે ઉદ્યમ કરતા હોય તેને ચારિત્રી કહીએ; પણ જેઓ કાળે ચિત આહારવસત્યાદિ યતનામાં પ્રમાદી હોય તેવા ઉત્કૃષ્ટ નામધારીને સર્વથા યતિ ન કહીએ.
आभोगे जाणतो, करेइ दोसं अजाणमणभोगे । मूलुत्तरेहि संवुड, विवरीय असंवुडो होइ ॥ २१ ॥
અર્થ –હવે ઉપકરણ બકુશ તથા શરીર બકુશના જે પાંચ ભેદ કહ્યા છે તેનું સ્વરૂપ કહે છે
(આમને રાતો વોલં) ૧ આગ બકુશ-અમુક કાર્ય કરતાં દેષ લાગે છે એમ જાણતો કે જે દેષ કરે તે. (બાળકમળમો ) ૨ અનાગ બકુશ-અજાણતો થકે જે દોષ કરે તે. ( મૂ ર્દોિ સંવુe૩ સંવૃત બકુશજેના પાંચ મહાવ્રતાદિ મૂળગુણુ તથા પિડવિશુદ્ધયાદિ ઉત્તરગુણના દોષ લોકમાં પ્રસિદ્ધ ન હોય તે. (વિવરીય સંયુકો દોર ) ૪ અસંવૃત બકુશ-સંવૃત બકુ શથી ઊલટે એટલે જેના દેષ લેકમાં પ્રસિદ્ધ હોય તે. ૨૧.
૧ રસગારવ એવો પણ પાઠ છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રકરણસંગ્રહ
अच्छिमुहमज्जमाणो, होइ अहा सुहुमओ तहा बउसो । सीलं चरणं तं जस्स कुच्छियं सो इह कुसीलो ॥ २२ ॥
અર્થ :-હવે ( સદ્દા) તેમજ ( મુિત્તમઝમાળો ) આંખ અને મુખને પ્રમા તા–સાફ કરતા એટલે આંખ પ્રમુખના મેલ દૂર કરે, મુખે ભીના હાથ લગાડે તે ( બદ્દાનુહુમલો વડલો ) યથાસૂક્ષ્મ બકુશ ( દોક્ ) હાય છે.
એવી રીતે બીજા અકુશ નિન્થના પાંચ ભેદ કહીને હવે ત્રીજા કુશીલ નિગ્રન્થનું સ્વરૂપ કહે છે-( સીદ્ધ ચરળ તું નસ્લ ) જેનું શીલ અને ચારિત્ર (ટ્ટિયં) કુત્સિત-મલીન હેાય (ોદ જુલીજો) તેને અહી કુશીલ કહીએ. ૨૨.
पडि सेवणा कसाए, दुहा कुसीलो दुहावि पंचविहो । नाणे दंसण चरणे, तवे य अहासुहुमए चेव ॥ २३ ॥
અર્થ:—ત્રીજા કુશીલ નિગ્રન્થ ( દુત્તા ) એ ભેદે છે. ( દિલેવળા લાપ ) ૧ પ્રતિસેવના કુશીલ તે વિપરીત આરાધના–પ્રતિસેવના તેણે કરી કુશીલ અને ૨ કષાય કુશીલ તે સ ંજવલનકષાયના ઉદયાદિકી કુશીલ તે કષાયકુશીલ ( વ્રુત્તિ પંચવો ) તે બંને કુશીલના પાંચ પાંચ પ્રકાર છે. ( નાળે નળ ચળે ) ૧ સાન કુશીલ, ૨ દર્શન કુશીલ, ૩ ચારિત્ર કુશીલ, (તને ય જ્ઞાનુહુમાં ચૈવ ) ૪ તપકુશીલ અને પાંચમા યથાસૂક્ષ્મ કુશીલ. ૨૩.
इह नाणाइकुसीलो, उवजीवं होइ नाणपभिईए । अहसुहुमो पुण तुस्सं, एस तवस्सि ति संसाए ॥ २४ ॥
અર્થ:——નાળમિદ્રેશ) જ્ઞાનાદિ-જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપવડે ( વનીવં દોદ) ઉપવિકા કરે ( ર૬ નાળવુસીજો ) તે અહીં જ્ઞાનાદિ કુશીલ જાણવા. (પુન સ તન્નત્તિ સલાહ ) વળી આ તપસ્વી છે એવી પ્રશંસા સાંભળીને (તુi) સ ંતોષ પામે તે (અનુત્તુનો) યથાસૂક્ષ્મ કુશીલ જાણવા. ર૪.
વિવેચનઃ—૧ જ્ઞાન પ્રતિસેવના કુશીલ–જે વસ્ત્રાદિક લાભને અર્થે જ્ઞાનગુણુ વાપરે–તેના ઉપયાગ કરે તે.
૨ દન પ્રતિસેવના કુશીલ–જે વસ્ત્રાદિક લાભને અર્થ સમ્યકત્વ ગુણુ વાપરે તે. ૩ ચારિત્ર પ્રતિસેવના કુશીલ-જે વસ્ત્રાદિક લાભને અર્થે ચારિત્ર ક્રિયા કરે તે ૪ તપ પ્રતિસેવના કુશીલ-જે વસ્ત્રાદિક લાભને અર્થે માસક્ષપણાદિ તપ કરે તે.
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી પાંચનિગ્રંથી પ્રકરણ
૧૮૩
૫ યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ-જે આ સાધુ તપસ્વી છે એવી પ્રશંસા સાંભ ળીને સતાષ પામે-ખુશી થાય તે.
जो नाणदंसणतवे, अणुजुंजइ कोहमाणमायाहिं । सोनाणाइकुसीलो, कसायओ होइ नायवो ॥ २५ ॥
અર્થ :-( નો નાળŻસળતવે ) જે જ્ઞાન, દર્શન, તપને ( જોમાળમાંયાતૢિ ) ક્રોધ, માન, માયા સાથે ( અનુપુંર્ ) જોડે ( સો નાળા સીજો સાચો દોર ) તે જ્ઞાનાદિ કષાયકુશીલ હાય એમ ( નાયકો ) જાણવુ. ૨૫.
બીજા કષાયકુશીલના પાંચ પ્રકાર કહે છે:—
૧ જ્ઞાન કષાય કુશીલ—જે સંજવલન કષાયવત પોતાના ક્રોધ માન માયાને વિષે જ્ઞાનને વાપરે તે. ૨ દન કષાય કુશીલ—જે સંજવલન કષાયવંત પેાતાના ક્રોધ માન માયાને વિષે દનને વાપરે તે. ૩ તપ કષાય કુશીલ—જે સંજવલન કષાયવત પાતાના ક્રોધ માન માયાને વિષે તપને વાપરે તે.
चारित्तमि कुसीलो, कसायओ जो पयच्छइ सावं । मणसा कोहाईए, निसेवयं हो अहासुमो ॥ २६ ॥
અથ:-( વાiિમિલીહો ) ૪ ચારિત્ર કષાય કુશીલ ( જ્ઞત્તે ) જે સાધુ ( સાયકો ) ક્રોધિત થયા થકા ( સાવં યઋક્ ) શ્રાપ આપે તે. ( બ્રાસુજ્જુનો ) પ યથાસૂક્ષ્મ ય કુશીલ ( મળના હોદ્દાપ ) જે મનથી કષાય (નિસેવયં) સેવે પણ વચનાદિક વિષયમાં વિકાર કરે નહિ તે. (ì) હાય છે. ૨૬.
अहवाऽवि कसाएहिं, नाणाईणं विराहओ जो य । સો નાળાભીજો, નેત્રો વવાળમેળ ॥ ૨૭ ॥
અ:—( ગવાર્તાવ ) અથવા પણ (જ્ઞો ય ) જે ( સ ) કષાયેવર્ડ ( નાળાèળ વિાદો ) જ્ઞાનાદિકના વિરાધક ( સો નાળા સીટો ) તે જ્ઞાનાદિ કુશીલ જાણવા. ( મેળો યવાળમતૢિ ) એમાં વ્યાખ્યાનભેદે જ ભેદ જાણવા. ( એ વ્યાખ્યાનમાં પ્રકારમાત્રને ભેદ છે, પણ પરમાર્થ ભેદ નથી ) ૨૭.
अन्ने लिंगकुसीलं, तु तवकुसीलस ठाणए बिंति । નિભ્રંથો પુળ થાો મોકો નિમ્નો નો સો ॥ ૨૮
Page #197
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુસ'ગ્રહ,
અર્થ:—( અન્ન ) અન્ય આચાર્યા ( તવીજસ્ત ટાળજુ ) તપકુશીલના સ્થાનકે (જિનાલીજં તુ) લિંગકુશીલ (વૃતિ) કહે છે. (ળ) હવે નિગ્રન્થના ચેાથા ભેદ નિન્થના અર્થ કહે છે. (જ્ઞો મોદ્દો ) જે મેહરૂપ ( ચામો ) ગ્રંથથી એટલે બન્ધનથી ( નિન્ગો ) નીકળ્યા ( સો ) તેને (નિથો ) નિન્ગ્રેન્થ કહીએ. ૨૮.
૧૮૪
उवसामओ य खवओ, दुहा नियंठो दुहावि पंचविहो । पढमसमओ अपढमो, चरमोऽचरमो अहासुमो ॥ २९ ॥
અ:-( ૩વસામત્રો ચ લવો) ઉપશમક અને ક્ષપક એમ (ટુદ્દા નિયંટો ) એ પ્રકારે નિમ્બ્રેન્થ જાણવા. ( ુદ્દાના પવિત્તે) તે બંનેના પાંચ પાંચ પ્રકાર છેઃ(પદ્મમલનો) ૧ પ્રથમ સમયના, (અવો) ૨ અપ્રથમસમયના, ( મોડમાં) ૩ ચરમ સમયના, ૪ અચરમ સમયના અને ( માત્રુદુમો ) ૫ યથાસૂક્ષ્મ. ૨૯. વિવેચન:—નિગ્રંન્થના ચેાથા ભેદ નિન્થના એ પ્રકાર છે:—
૧ ઉપશમક નિગ્રન્થ—જે માહનીય કર્મના ઉપશમાવનાર હાય તે. ૨ક્ષપક નિગ્રન્થ—જે માહનીય કર્મના ક્ષય કરનાર હાય તે. આ બંનેના પાંચ પાંચ પ્રકાર છે તે નીચે પ્રમાણે — अंतमुहुत्तपमाणयनिग्गंथाइ पढमसमयमि । पढमसमए नियंठो, अन्नेसु अपढमसमओ सो ॥ ३० ॥
અર્થ:- અંતમુત્તપમાળય ) અન્તર્મુહૂર્ત પ્રમાણના ( નિપંથદાર્ ) નિગ્રંન્થના કાળના ( પમસમર્યામ ) પ્રથમ સમયે વર્તતા તે ( પઢમસમજ્ નિયંને ) પ્રથમ સમય નિગ્રન્થ. ( અન્નપુ ) અન્ય ( સમયે ) માં વતા તે ( અપમત્તમો ને ) અપ્રથમ સમય નિગ્રન્થ જાણવા. ૩૦.
વિવેચનઃ—માહનીયકમ ને ઉપશમાવનાર ઉપશમશ્રેણિ માંડે છે, એટલે મેહનીય કર્મને ઉપશમાવતા સાધુ માહનીયકની પ્રકૃતિના રસાદય તથા પ્રદેશેાદયને શાંત કરે છે. તે ઉપશામક નિર્થ થ અગિયારમે ગુણુઠાણે વતા જાણવા. તેને મેાહનીયકમની પ્રકૃતિનાં દલિયાં સત્તામાં રહે છે અને ક્ષેપકશ્રેણિ કરનાર સાધુ માહનીયક નાં દલિયાંના સર્વથા નાશ કરે છે એટલે તેને સત્તામાં તે દલિયાં હેાતાં નથી. આ ક્ષેપક નિગ્રન્થ ખારમે ગુણુઠાણે જાણવા. આ બ ંને નિગ્રન્થના કાળ અન્તર્મુહૂત ના છે. હવે તેના પાંચ પાંચ પ્રકાર કહે છે.
૧ ઉપશાંત અદ્ધાના પ્રથમ સમયે વતં તા સાધુ તે પ્રથમ સમય ઉપશામક નિગ્રન્થ.
૨ ઉપશાંત અદ્ધાના પ્રથમ સિવાયના અન્ય સમયેામાં વતા સાધુ તે અપ્રથમ સમય ઉપશામક નિગ્રન્થ.
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રી પ’ચનિગ્ર થી પ્રકરણ.
૧૮૫
૧ ક્ષેપક અદ્ધાના પ્રથમ સમયે વતતા સાધુ તે પ્રમથ સમય ક્ષેપક નિથ. ૨ ક્ષેપક અદ્ધાના પ્રથમ સમય સિવાયના અન્ય સમયેામાં વતા સાધુ તે અપ્રથમ સમય ક્ષેપક નિગ્રંથ. ૩૦.
एमेव तयद्धाए, चरमे समयांम चरमसमओ सो । सेसेसु पुण अचरमो, सामन्नेणं तु अहसुमो ॥ ३१ ॥
અર્થ:—( મેવ તયદ્ધાર ) એ જ પ્રમાણે તેના કાળમાં ( મે સમમિ ) ચરમ સમયે વત્તા (ચરમસમો સો) તે ચરમ સમય નિગ્રંથ (તેત્તેવુ જુળ) અને બાકીના સમયમાં વર્તતા (અખ્તરમો) અચરમ સમય નિગ્રંથ જાણવા તથા (સામોળ તુ મસુદુમો) સામાન્યપણે તેમાં વર્તતાને યથાસૂમ નિગ્રંથ જાણવા. ૩૧.
વિવેચનઃ——હવે નિગ્રંથના પાંચ પ્રકારમાંહેલા છેલ્લા ત્રણ પ્રકાર કહે છે:— ૩ ઉપશમ અદ્ધાના ચરમ (છેલ્લા) સમયે વતં તા તે ચરમ સમય ઉપશામક નિર્ચ થ. ૪ ઉપશમ અદ્ધાના અચરમ સમયે ( છેલ્લા સિવાયના અન્ય સમયેામાં ) વ`તા તે અચરમ સમય ઉપશામક નિગ્રંથ.
૫ ઉપશમ અદ્ધાના સર્વ સમયમાં સામાન્યપણે (વિશેષ વિવક્ષા વિના) વતા તે યથાસૂક્ષ્મ ઉપશામક નિ થ.
૩ ક્ષપક અદ્ધાના ચરમ સમયે વર્તતા તે ચરમ સમય ક્ષપક નિગ્રંથ.
૪ ક્ષેપક અદ્ધાના અચરમ સમયેામાં વર્તતા તે અચરમ ક્ષક નિથ.
૫ ક્ષેપક અદ્ધાના સર્વ સમયેામાં ( વિશેષ વિવક્ષા વિના) વતા તે યથાસૂક્ષ્મ ક્ષયક નિથ.
હવે નિ થના પાંચમા ભેદ સ્નાતકના અર્થ અને ભેદ કહે છેઃ--- सुहझाणजलविसुद्धो, कम्ममलाविक्खया सिणाओ ति । दुविहो य सो सजोगी, तहा अजोगी विणिद्दिट्ठो ॥ ३२ ॥
અ:-(મ્મમહાવિલયા) ધાતીક રૂપી મળને ધાવાની અપેક્ષાએ (સુદશાળનહ) શુકલધ્યાનરૂપી પાણીડે (વિનુનો) વિશુદ્ધ થયેલા તે (સિનો ત્તિ) સ્નાતક કહેવાય છે (રો) તે ( તુવિદો ) એ પ્રકારે છે. (સજ્ઞોશી ) ૧ સયેાગી સ્નાતક તે તેરમે ગુણઠાણે વર્તતા (સદ્દા અજ્ઞોની વિનિદ્દિો) તથા ર અયેગી સ્નાતક તે ચાક્રમે ગુણઠાણે વર્તતા જાણવા. ૩૨.
૨૪
Page #199
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ. सो पुण पंचविअप्पो, अच्छविओ असबलो अकम्मंसो। अप्परिसावी संसुद्धनाणदंसणधरो तह य ॥ ३३ ॥
અર્થ – પુ) વળી તે સગી સ્નાતક (વંત્રવિદો) પાંચ પ્રકારે જાણ. (અઋવિશ) ૧ અછવી સ્નાતક, (માવો) ૨ અશબલ સ્નાતક, (અમે) ૩ અકસ્મશ સ્નાતક, (અનિતા) ૪ અપરિશ્રાવી સ્નાતક, (સંજુનાગવંતો તદ ) તેમજ ૫ સંશુદ્ધ જ્ઞાનદર્શનધર સ્નાતક ૩૩. भण्णइ छवी सरीरं, जोगनिरोहेण तस्स य अभावे । अछवि त्ति होइ अहवा, खेअअभावेण अच्छविओ ॥३४॥
અર્થ – હવે અછવી સનાતકનો અર્થ કહે છે–(મuiz છથી સt) છવી એટલે શરીર કહેવાય છે (તરત જ નિર) તે શરીરને યોગ નિરોધ કરવાવડે (અમ) અભાવ માન્ય સતે (અવિ ત્તિ ઘોર) અછવી સ્નાતક હોય (મહુવા) અથવા (ગલમાન) ખેદ સહિત જીવવ્યાપાર તે જેને નથી તેને પ્રાકૃત ભાષાએ (દવિ) અછવી કહીએ. અથવા ઘાતકર્મનો ક્ષય કરે હવાથી ફરીને તેને ક્ષય કરવો નથી માટે અક્ષપી એટલે અછવી કહીએ. ૩૪.
अस्सबलोऽणइयारो, निठियकम्मो य हो अकम्मंसो।। निस्सेसजोगरोहे, अपरिस्सावी अकिरियत्ता ॥ ३५॥
અર્થ –(અરસોડાણો ) અતિચાર રહિત તે અશબલ, (નિરિજો જ અમ્મરો) નિષ્ઠિતકર્મીશ તે અકર્માશ હાય (૨) વળી (નિરસોજો) સમસ્ત જે ધ્યે થકે (ાચિત્તા) અક્રિયપણાનડે (સરસાવ) અપરિશ્રાવી હોય. ૩૫. ' વિવેચન-સ્નાતકના પહેલા ભેદ અછવાનો અર્થ ઉપરની ગાથામાં કહ્યો છે.
હવે બીજા ભેદોના અર્થ કહે છે – ૨ અશબલ સ્નાતક–અતિચારરૂપ મેલ જેને વિષે ન હોય તે. ૩ અકસ્મશ નાતક–કમશ કહેતાં ઘાતકર્મ જેના સર્વથા નાશ પામ્યા છે તે. 8 અપરિશ્રાવી સ્નાતક-મન વચન કાયાનાં સમસ્ત યોગ સંઘે થકે અક્રિયપણું– કર્મબંધ રહિતપણું જેને પ્રાપ્ત થયું હોય તે.
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૯૭ असहाय असाहारण, अनंतनाणाइधरणओ होइ। संसुद्धनाणदंसणधरो सिणाओऽत्थ पंचविहो ॥ ३६ ॥ दारं १
અર્થ -(સરદાર) હવે સ્નાતકને પાંચમે ભેદ કહે છે. જે અસહાય એટલે સહાય રહિત કારણ કે કેવળજ્ઞાન થાય ત્યારે અત્યાદિક ચાર જ્ઞાન નહિ હેવાથી તથા કેવળદર્શન થાય ત્યારે બાકીના ત્રણ દર્શનનો અભાવ હોવાથી અસહાય કહીએ. (૩ ) તેમ જ જેના સરખું બીજું કઈ ન હોય તેને અસાધારણ કહીએ. (૩નંતનાdiધroો દો) આવા પ્રકારના અનંત જ્ઞાન અને દર્શનને ધરનાર તે સ્નાતકને પાંચમો ભેદ (સંપુનાગવંસળધરે) સંશુદ્ધ જ્ઞાનદર્શનધર કહીએ. (સિણાગી વંદો ) એવી રીતે સ્નાતકના પાંચ ભેદ સમજવા. ૩૬.
એવી રીતે પહેલું પ્રજ્ઞાપના દ્વાર કહ્યું. હવે બીજું વેદદ્વાર કહે છે – थीवज्जो उ पुलाओ, बउस्सपडिसेवगा तिवेयाऽवि । सकसाओ य तिवेओ, उवसंतरकीणवेओ वा ॥ ३७॥ उवसंतखीणवेओ, निग्गंथो पहायओ खवियवेओ। दारं २॥ एवं चिय रागंमि वि, आइमचउरो सराग त्ति ॥३८॥दारं ३॥
અર્થ-હવે પાંચ નિને વિષે બીજું વેદ દ્વાર કહે છે -(દીવો ૩ પુજા) પુલાક નિર્ગસ્થને સ્ત્રીવેદ વિના બાકીના બે વેદ પુરુષદ અને કૃત્રિમ નપુંસકવેદ હોય, કારણ કે સ્ત્રીને પુલાક લબ્ધિ હોતી નથી. ( હિરેવા તિયાવિ) બકુશ નિગ્રંથ તથા પ્રતિસેવાકુશીલ એ બે નિગ્રંથને ત્રણે વેદ હોય. (પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલને ઉપશમશ્રેણી ને ક્ષપકશ્રેણીને અભાવ છે.) (સંવાલા તિવેગ) કષાય કુશીલ છદ્દે, સાતમે, આઠમે એ ત્રણે ગુણઠાણે વર્તતા ત્રણે વેદી હોય, અનિવૃત્તિબાદર અને સૂક્ષ્મસંપરાય ગુણઠાણે (said) ઉપશમશ્રણવાળા (૩વસંત ) ઉપશાંતવેદી હોય, અને (વીવે વા) ક્ષપકશ્રેણીવાળા ક્ષીણવેદી હોય અથતુ (
નિથો) ચોથા નિર્ચથ (વસંત પીવે) ઉપશાંતવેદી તેમજ ક્ષીણુદી હોય. અગિયારમે ગુણઠાણે વર્તતા ઉપશાંતવેદી હોય, બારમે ગુણઠાણે વર્તતા ક્ષીણવેદી હોય, તેમને ક્ષપકશ્રેણી ને ઉપશમશ્રણનો સદ્ભાવ છે. ( wાયો વિમો ) સ્નાતક ક્ષપકવેદી જ હોય, તેરમે, ચોદમે ગુણઠાણે વેદને અભાવ હોવાથી.
હવે ત્રીજું રાગદ્વાર કહે છે–પવંચિત ના વિ) એ જ પ્રમાણે રાગદ્વાર જાણવું. (સામવો ) એટલે પ્રથમના ચાર ( RTI ત્તિ) સરાગી જાણવા.
૧ કુશીલના બે ભેદ ગણવાથી ચાર સમજવા.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રકરણસંગ્રહ. નિગ્રંથ ઉપશાંતરાગી અથવા ક્ષીણરાગી હોય અને સ્નાતક તે ક્ષીણરાગી જ હોય. ૩૭–૩૮.
હવે શું ક૫દ્વાર કહે છે – पढमो य थेरकप्पो, कप्पाईया नियंठगसिणाया। सकसाओ तिविहोऽवि य, सेसा जिणथेरकप्पंमि ॥३९॥ दारं ४
અર્થ –(1મો ઘેરો ) પહેલો પુલાક નિગ્રંથ વિકલ્પી જ હોય, (પૂજા નિયંસિયા) નિગ્રંથ તથા સ્નાતક કપાતીત હોય કારણ કે તેમને સ્થવિરક૯પાદિક સમાચારી નથી. ( રાગ તિવિધિ ૨) કષાય કુશીલ ત્રણ પ્રકારે હોય. એટલે સ્થવિરકલ્પી હોય, જિનકલ્પી હેય તથા કપાતીત એટલે કલ્પ રહિત પણ હોય, કારણ કે છદ્મસ્થ સકષાય તીર્થકર કલ્પાતીત હોય. (રહેતા વિવામિ) બાકી રહેલા બકુશ તથા પ્રતિસેવા કુશીલ તે સ્થવિરક૯પે તેમજ જિનકપે હોય. ૩૯
હવે પાંચમું સંયમ દ્વાર કહે છેआइमसंजमजुयले, तिन्नि उ पढमा कसायवं चउसु । निग्गंथसिणाया पुण, अहखाए संजमे हुंति ॥ ४० ॥ दारं ५
અર્થ:-(આમહંમy) પ્રથમનું સંજમજુગલ તે સામાયિક ચારિત્ર તથા દેપસ્થાપનીય ચારિત્ર એ બે ચારિત્ર (તિ૪િ ૩ ઉમા) પ્રથમના ત્રણ નિર્ગથ પુલાક, બકુશ તથા પ્રતિસેવા કુશીલ હેય. (લાચવે ) કષાય કુશીલ યથાપ્રખ્યાત વજીને બાકીના ચાર ચારિત્રે હોય. (નિuથતિનાથા Tr) તથા વળી નિગ્રંથ ને સ્નાતક (બાપ સંતમે દુતિ ) યથાખ્યાત ચારિત્રે જ હાય, કારણ કે તે બે અનુક્રમે ૧૧ મે, ૧૨ મે અને ૧૩ મે, ૧૪ મે ગુણઠાણે હોય છે. ત્યાં એકલું યથાખ્યાત ચારિત્ર જ હોય. એવી રીતે પાંચમું સંજમદ્વાર કહ્યું ૪૦,
હવે છઠ્ઠ પ્રતિસેવના દ્વાર કહે છેमूलुत्तरगुणविसया-पडिसेवासेवए पुलाए य। उत्तरगुणेसु बउसो, सेसा पडिसेवणारहिया ॥४१॥ दारं ६
અર્થ-નકુટ્ટા ૪) પુલાક તથા પ્રતિસેવના કુશીલ એ બે (જૂTr) પ્રાણતિપાત વિરમણાદિ મૂળગુણ (રાજુon વિતા) અને દશવિધ પ્રત્યાખ્યાન આદિ
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૯
ઉત્તરગુણ વિષયવાળી (રહેવા સેવા) પ્રતિકૂળ સેવાને સેવનારા હોય છે. (વડો ઉત્તરગુલુ) બકુશને ઉત્તરગુણની જ પ્રતિસેવના હોય છે. તે મૂળગુણને પ્રતિસેવે ત્યારે પ્રતિસેવન કુશીલ થાય. ( g ar/દિયા) બાકી રહેલા ૧ કષાય કુશીલ, ૨ નિગ્રંથ અને ૩ સ્નાતક એ ત્રણ પ્રતિસેવના રહિત હોય છે. ૪૧
હવે સાતમું જ્ઞાનદ્વાર કહે છે -- बउसासेविपुलाया, आइमनाणेसु दोसु तिसु वावि । पहाओ केवलनाणे, सेसा पुण चउसु भयणाए ॥ ४२ ॥
અર્થ-(વડસાવિપુછાયા) બકુશ નિગ્રંથ, પ્રતિસેવા કુશીલ અને પુલાક નિર્ગથ એ ત્રણ નિર્ચથને (મામિનાકુ રોકુ) પ્રથમના બે એટલે મતિ અને શ્રુતજ્ઞાન હોય (તિg વાવિ) અથવા પ્રથમના ત્રણ એટલે મતિ, શ્રુત અને અવધિજ્ઞાન હોય, (vણા વનાળ) સ્નાતક કેવલજ્ઞાને હેય, કારણ કે છેલ્લા બે ગુણઠાણે કેવળજ્ઞાન જ હોય (સેવા પુન મયorry) બાકીના નિર્ચ થેને ચાર જ્ઞાન ભજનાએ હોય. કષાયકુશીલ અને નિર્ગથ એ બે નિર્ચને મતિ અને શ્રતએ બે હોય, અથવા મતિ, શ્રુત, અવધિ એ ત્રણ હોય અથવા મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન હોય. ૪૨.
पढमस्स जहण्णेणं, होइ सुयं जाव नवमपुवस्स । आयारतइयवस्थु, उक्कोसेणं तु नवपुत्वा ॥ ४३ ॥
અર્થ --હવે શ્રુતજ્ઞાન કેટલું હોય તે કહે છે –(હમા ) પહેલા પુલાક નિર્ચથને જઘન્યથી (હોર નુ જ્ઞાવિ નામપુર૪) ઓછામાં ઓછું કૃત હોય તે નવમા પૂર્વના (આયાતયવહ્યું) આચાર નામે ત્રીજા વસ્તુ સુધીનું હાય. (પૂવોત્તર્ગત અધિકાર વિશેષને વસ્તુ કહે છે.) (૩ તુ નવપુષા) ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) સંપૂર્ણ નવ પૂર્વનું હોય. ૪૩.
बउसकुसीलनियंठाणं, पवयणमायरो जहन्नसुयं । बउसपडिसेवगाणं, पुवाइँ दसेव उक्कोसं ॥ ४४ ॥
અર્થ --(વરકુલીનચંદાળ, બકુશ, પ્રતિસેવન કુશીલ અને કષાય કુશીલ નિગ્રંથને (લઘુશં) જઘન્યશ્રુત (પ્રવચનમાયો) આઠ પ્રવચન માતાનું (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું) હોય અને (વરપકવાdi) બકુશ તથા પ્રતિસેવા કુશીલને ( ) ઉત્કૃષ્ટથી (પુવા વ)દશ પૂર્વ જેટલું શ્રુત હોય. ૪૪.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પ્રકરણસંગ્રહ.
પ
w
w
w ?
निग्गंथकसाईणं, चउदस उ सिणायओ सुयाईओ । दारं ७ आइतियं तित्थंमि उ, तित्थातित्थेसु अंततियं ॥४५॥ दारं ८
અર્થ --હવે નિર્ચ થના ચોથા ભેદ નિવારણ થાળ) નિને તથા કષાય કુશીલ નિગ્રંથને ઉત્કૃષ્ટથી (૪૩૩ ૩) ચદપૂર્વનું શ્રુતજ્ઞાન હોય. (સિગાથો પુરા ) સ્નાતક કૃતાતીત હોય કારણ કે તેરમે, ચંદમે ગુગુઠાણે કેવળ જ્ઞાન હોય અને છાઘસ્થિક એટલે પહેલાં ચાર ) જ્ઞાન ટળે ત્યારે જ કેવલી થાય.
હવે આઠમું તીર્થદ્વાર કહે છે --(આતિષે તિર ૩) પ્રથમના ત્રણ નિર્ગથ એટલે ૧ જુલાક, ૨ બકુશ અને ૩ પ્રતિસેવા કુશીલ એ તીર્થમાં જ હોય. (વંતતિ ) છેલ્લા ત્રણ કષાય કુશીલ, નિગ્રંથ અને સ્નાતક (તિસ્થતિ છે ) તીર્થે હોય અને અતીર્થ પણ હોય. અતીર્થ તીર્થકર તથા પ્રત્યેકબુદ્ધ જ હોય, એ બે વિના બીજા તીર્થ જ હોય. ૪૫.
હવે નવમું લિંગદ્વાર કહે છે :-- नियलिंगे परलिंगे, गिहिलिंगे वावि दवओ हुज्जा। नियलिंगि च्चिय भावेण, हुज सव्वे पुलागाई ॥ ४६ ॥ दारं ९
અર્થ:--(નિવર્જિ) પુલાકાદિ પચે નિર્ગથે સ્વલિંગે એટલે સાધુવેશે, (દ્ધિ) અન્ય લિગે એટલે અન્ય તીથીને વેશે તથા (િિ૪િ વારિ) ગૃહ સ્થલિગે એ ત્રણે લિગે (વારે દુઝા) દ્રવ્યથી હાય. (નિઢિ િવિય મા ) અને ભાવથી સ્વલિગેજ (દુઝ સો પુરા) એ પાંચે પુલાકાદિ નિ હોય. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ નિજલિગ જ હોય. ૪૬.
હવે દશમું શરીરદ્વાર કહે છે:-- हायनियंठपुलाया, ओरालियतेयकम्मणसरीरा । बउसासोव विउव्वा वि, कसायाहारगतणू वि॥४७॥ दारं १०
અર્થ—(વ્હાનિઘંદપુરાવા) સ્નાતક નિગ્રંથ, નિગ્રંથ નિર્ગથ અને પુલાક નિર્ગથ એ ત્રણ નિગ્રંથને (રઢિયાર) દારિક, તેજસ અને કામણ એ ત્રણ શરીર હોય. (વાસાવ વિપદા વિ) બકુશ અને પ્રતિસેવા કુશીલને વૈક્રિય સહિત ચાર શરીર પણ હોય. (રાણાયાઘાતપૂ વિ) કષાયકુશીલને આહારક શરીર સહિત પાંચ શરીર પણ હોય. ૪૭.
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૯૧ હવે અગિયારમું ક્ષેત્રદ્વાર કહે છે -- कम्मधराइ पुलाओ, सेसा जम्मेण कम्मभूमासु । संहरणेणं पुण ते, अकम्मभूमीसु वि हविजा ॥४८॥ दारं ११
અથ –(જન્મધર પુછા) પુલાક નિગ્રંથ કર્મભૂમિને વિષે ઉત્પન્ન થાય છે અને ત્યાં જ વિહાર કરે છે (વિચરે છે) પણ અકર્મભૂમિમાં ઉત્પન્ન થતા નથી, કેમકે અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલાને ચારિત્ર હોય જ નહીં. તથા પુલાકનિગ્રંથનું કે દેવાદિક સંહરણ પણ કરી શકતા નથી, તેથી તેઓને અકર્મભૂમિમાં વિહાર પણ થતો નથી. (રેવા મેળ મૂgિ ) બાકીના સર્વે એટલે બકુશ, કુશીલ, નિર્ગથ અને સ્નાતક જન્મથી કર્મભૂમિમાં હેય (સંmon gr તે) પરંતુ દેવાદિકના સહરથી (અમૂનાગુ વિ વિજ્ઞા) અકર્મભૂમિમાં પણ હોય.. વિચરે. ત્યાં સંહરણ કર્યા પછી બકુશ તથા કુશીલને નિર્ગથ અને સ્નાતકપણું પ્રાપ્ત થાય એમ સમજવું. ૪૮,
હવે બારમું કાળદ્વાર કહે છે - तइयचउत्थसमासुं, जम्मेणोसप्पिणीइ उ पुलाओ। संतइभावणं पुण, तइयचउपंचमासु सिया ॥४९॥
અર્થ –(પુછા) પુલાક નિગ્રંથન (ગોવુિળાઇ ૩) અવસર્પિણીમાં (ST) જન્મ (તાવડરથરમાણું) ત્રીજા અને ચોથા આરામાં હોય (તા મોur પુણ) પણ સત્તાની અપેક્ષાઓ-હોવાપણારૂપે (તારંવમાકુ નિયા) ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં પણ હોય. ચોથા આરામાં જન્મ્યા હોય તે પાંચમા આરામાં પુલાકપણું પામે, પણ પાંચમા આરામાં જનમેલા પુલાકાણું પામે નહીં. ૪૯૮ उस्सप्पिणीइ बीयतइयचउत्थासु हुज जम्मणओ। संतइभावेणं पुण, तइयचउत्थासु सो हुज्जा ॥ ५० ॥
અર્થ –(પુરણવિદ ) ઉત્સર્પિણી કાળના (વાતાવરથાણુ) બીજા, ત્રીજા અને ચોથા આરામ ( કમળો) પુલાક નિગ્રંથને જન્મ હોય, એટલે એ ત્રણ આરામાં જન્મેલા પુલાકાણું પામે, તથા (તામi gr) સત્તાભાવે એટલે પુલાકપણે વર્તતા તો (
ત સ્થાણુ તો ગા) ત્રીજા અને ચોથા આરામાં જ હોય. તે બે આરામાં જ ચારિત્ર લઈ શકાય છે. બીજા આરામાં જન્મેલા તે ત્રીજા આરામાં પુલાકાણું પામે. ૫૦.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૨
अणुस ग्रह.
ओसप्पिणीउसप्पिणीवइरित्ते जम्मणेण संतीए । हुज्ज चउत्थे काले पुलासमणो तहन्नेऽवि ॥ ५१ ॥
अर्थः- ( ओसप्पिणीउसप्पिणीवइरित्ते ) उत्सर्पिणी भने अवसर्पिणीथी रहित सेवा महाविढेडु क्षेत्रमां ( चउत्थे काले ) थोथा खरा समान अणभां ( जम्मणेण संतीए ) ४न्मथी भने सत्ताथी ( पुलासमणो तहन्नेऽवि ) पुसा निर्ग्रथ मने मील निर्थ थे। पशु ( हुज्ज ) होय छे. ५१.
बउसकुसीला ओसप्पिणीइ संतीए जम्मणेणं च । तिचउत्थपंचमासुं, समासु ओसप्पिणीइ पुणो ॥ ५२ ॥ बीअतिअचउत्थियासुं, जम्मणओ संतओ तितुरियासु । निग्गंथाण सिणायाणं, जम्मणसंती जह पुलाए ॥ ५३ ॥
अर्थ:--( बउसकुसीला ) मडुश तथा डुशीस मे ये निर्यथ (ओसप्पिणीइ ) अवसर्पिङ्गना ( तिचउत्थपंचमासुं समासु ) त्री, थोथा अने पांथमा आरामां (संतीए जम्मणेणं च ) सत्ता भने ४न्मथी होय. ( ओसप्पिणीइ पुणो ) वणी उत्सपिशीने विषे ( जम्मणओ ) ४न्मथा ( बीअतियचउत्थियासुं ) मील, त्री अने थोथा आरामां होय (संतओ) तथा सत्ताथी भेटले ते ३ वर्तता तो ( तितुरियासु ) त्रीन्न भने थोथा आराम न होय. ( निग्गंथाण सिणायाणं ) निर्भय ने स्नात ( जम्मणसंति ) ४न्मथी भने सत्ताथी ( जह पुलाए ) प्रेम चुसाउने उछु छे ते प्रभाणे ललुवु. ५३.
संहरणेणं सवेऽवि, हुंति सर्व्वसु चेव काले ।
मुत्तु पुलायं समणं, एवं कालु त्ति विक्खायं ॥ ५४ ॥ दारं १२
अर्थ:--( मुत्तु पुलायं समणं ) युझाउ नियँथने भूडीने ( सधेऽवि ) गाडीना सर्व निर्थ थे। ( संहरणेणं ) स रथी ( सधेसु चैव कालेसु ) सर्व आजमां निश्चे ( हुंति) होय. ( भड्डाविहेमां तेमनी सत्ता हमेशा होवाथी ) चुझाउनु सर પૂર્વે કહેલી યુક્તિથી હેતુ' નથી. તથા નિગ્રંથ અને સ્નાતકપણુ પૂર્વે સહરણ કર્યા પછી પ્રાપ્ત થાય છે એમ જાણવુ, કારણ કે અપગતવેદીનુ તા સહરણ થતુ नथी. उ छे :
समणीमवगयवेयं, परिहारपुलायमप्पमत्तं च । चउदसपुव्वि आहारगं च न य कोइ संहरह ||
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
અર્થ–સાધ્વી, વેદ રહિત, પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા, પુલાક એવા અપ્રમત્ત મુનિ, ચાદપૂર્વ અને આહારકલબ્ધિવાળા-આટલાનું સંહરણ થતું નથી.
( एवं कालु त्ति विक्खायं ) से प्रमाण वा२ पु. ५४. હવે તેરમું ગતિ દ્વાર કહે છે -- अंतिमदुयवजाणं, उववाओ जहन्नओ उ सोहम्मे । उक्कोसेणं सो पुण, होइ पुलायस्स सहसारे ॥ ५५ ॥
मथ:--( अंतिमदुयवजाणं ) निर्थ-य भने स्नातो मे नियने ने मीनापुरा, साने गुर से निधन्थन। (उववाओ जहन्नओउ सोहम्मे) S५५ात-3५४न्य था साधम समय थाय. (पुण) मने (पुलायस्स) पुसार्नु (उकोसेणं) 3४थी (सो होइ सहसारे) सखा२ मा ५४ थाय. ५५.
बउसपडिसेवयाणं, तु अच्चुएऽणुत्तरेसु सकसाए । अजहण्णाणुक्कोसेणणुत्तरेसुं नियंठस्स ॥ ५६ ॥
मर्थ :--(बउसपडिसेवयाणं तु ) ॥गने प्रतिसेवा। वनु ( अच्चुए ) Getथी युत पसभा 3५४ थाय. ( अणुत्तरेसु सकसाए ) ४ायशासनु
कृष्टथी मनुत्तर विमानमा ५४ थाय (नियंठस्स) निन्थनु ( अजहण्णाणुको. सेण) २४घन्य मने मनुष्टथी ( अणुत्तरेसुं) अनुत्तरे ४ ५४ थाय. ५६. सिद्धीइ ण्हायगस्स उ, एए अविराहगा पुण हविज्जा। इंदा सामाणिय तायतीसया लोगपाला वा ॥ ५७॥
मथ:-(सिद्धीइ व्हायगस्स उ) स्नात निधनु माझे मन थाय, કારણ કે તેરમે ચિદમે ગુણઠાણે સ્નાતક હોય અને તે ગુણઠાણે વર્તતા કેવળી તે सपश्य मा य. ( एए) निग्रंथ ने स्नात: सिवायना पाहीना मात्र नि । ( अविराहगा पुण) अविराध ४ (इंदा सामाणिय)२, सामानि ष, (तायती. सया लोगपाला वा) त्रायस्त्रिंश १ थापा (हविजा ) थाय. ( विरानु ભુવનપત્યાદિકને વિષે ઉપજવું થાય.) પ૭.
पलियपुहुत्तं थोवा, देवठिई अंतदुअविवजाणं ।
उक्कोसा सवेसिं, जा जंमि उ होइ सुरलोए ॥५८॥ दारं १३ - ૨૫
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસ ગ્રહ.
અર્થ:-( અંતસ્તુવિવજ્ઞાળું) નિગ્રન્થ તથા સ્નાતક એ બે વર્જીને બાકીના ત્રણ પુલાક, અકુશ તથા કુશીલ ( ફેર્િં ) દેવલેાકમાં ઉપજે ત્યાં તેની સ્થિતિ (થોવા) સ્તાક જધન્ય (હિદુદુત્ત) પદ્યેાપમ પૃથત્વ એટલે એથી નવ પડ્યેાપમની હોય અને ઉત્કૃષ્ટથી (જ્ઞા નંમિક સુરજોપ) જે દેવલાકમાં જેટલી (ઉત્ત્તત્તા) ઉત્કૃષ્ટ સ્થિતિ ( દોડ્ ) હાય તેટલી ( સÈત્તિ ) તે સર્વની હાય. ૫૮.
હવે ચાદમુ સ યમસ્થાન દ્વાર કહે છેઃ—
૧૯૪
पत्तेअमसंखिज्जा, संजमठाणा हवंति हु चउण्हं । निग्गंथसिणायाणं, इक्कं चिय संजमद्वाणं ॥ ५९॥
',
અ:—( ચણતૢ ) પુલાક, ખકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ ચારના ( પત્તેઅમલિગ્રા) પ્રત્યેકના અસંખ્યાતા ( અંગમાળા વ્રુતિ ) સંયમસ્થાન હેાય, કારણ કે ચારિત્રમાહનીયના ક્ષયાપશમતુ વિચિત્રપણું છે. સંયમસ્થાન તે અધ્યવસાયની વિશુદ્ધિરૂપ સ્થાનક જાણવા. અસંખ્યાતા લેાકાકાશના જેટલા પ્રદેશ તેટલા સંયમના અધ્યવસાય સ્થાનેા છે. ( નિîસિળયાળ ) નિગ્રંથને તથા સ્નાતકને (કૂર્મ વિય) એક એક જ (સંજ્ઞમઠ્ઠાળ) સયમસ્થાન હાય, કારણ કે તેમને ઉપશમ અથવા ક્ષપક રૂપ એક એક જ અધ્યવસાય છે. બીજા અધ્યવસાય સ્થાન તેના કારણભૂત નથી. ૫૯.
निग्गंथसिणायाणं, तुलं इक्कं च संजमट्ठाणं । पत्तेयमसंखगुणा, पुलायबउसाण ते हुंति ॥ ६० ॥
અર્થ :-( નિTMસિળયાળ ) નિગ્રન્થ તથા સ્નાતકના ( સઁગમકાળ ) સંયમસ્થાન સૈાથી ઘેાડા અને ( તુકુંઠ્ઠું = ) તુલ્ય તેમજ એક એક જ હાય, ( પુજાયવરસાળ ) પુલાક નિ થ તથા બકુશ નિગ્રંથના (તે જ્ઞેયમસવનુળા ) તે અધ્યવસાયસ્થાના પ્રત્યેકે અસખ્યાતગુણા ( ક્રુતિ ) છે. એટલે પુલાકના અસ અને તે કરતાં બકુશના અસંખ્યાતગુણા છે. ૬૦.
ન્યાતા
पडि सेवणाकसाईणं, तहेव तत्तो असंखगुणिया य । छहं पि य पत्तेयं चारित्तियपज्जवाणंता ॥ ६१ ॥ दारं १४
"
અર્થ:— તદેવ ) તથા વળી (ડિસેવાસારૂંળ) પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલના પ્રત્યેકના અધ્યવસાય સ્થાન (તત્તો અસંવધુળિયા ય) તેના કરતાં અસંખ્યાતગુણા છે. ક્ષયાપશમનું વિચિત્રપણ છે માટે. બકુશ કરતાં પ્રતિસેવનાકુશીલના અસંખ્યાતગુડ્ડા છે, તેનાથી કષાયકુશીલના અસ ંખ્યાતગુડ્ડા છે. (છઠ્ઠું
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૯૫ ત્તિ જ ) એ છએ નિર્ગસ્થના પ્રત્યેકના (વારિરિઝવાળા) ચારિત્રના પર્યાયે અનંતા છે. ૬૧.
હવે પંદરમું સંનિકર્ષ દ્વાર કહે છે- ' सट्ठाणसंनिगासे, पुलओ पुलयस्स पजवोहि समो। हीणहिओ छठाणा, परठाणकसाइणो एवं ॥ ६२ ॥
અર્થ–સંનિકર્ષ એટલે પરસ્પર સંયોગ. (રાજનિrણે) અહિ સ્વસ્થાનને સંનિકર્ષ પરસ્પર ( સો) પયોની વિશુદ્ધિવડે સમાન હોય છે, ( શ્રીહિ ) અવિશુદ્ધ પર્યાયના યોગથી હીન હોય છે તથા વિશુદ્ધતર પર્યાયના
ગથી અધિક પણ હોય છે. સંનિકર્ષ બે પ્રકારે છે–૧ સ્વસ્થાન સંનિકર્ષ. ૨ પરસ્થાન સંનિકર્ષ. સ્વસ્થાન સંનિકર્ષ એટલે સ્વજાતિમાં એકબીજા સાથે (પુરુશો. પુરુચર) પુલાકના પુલાક સાથે અને (ઉદારતા) પરસ્થાન એટલે ભિન્ન જાતિ સાથે જેમકે પુલાકનો કષાયકુશલ સાથે કેવી રીતે સવિર્ષ હોય ? તે બંને પ્રકાર કહે છે –
પુલાકનો સ્વસ્થાન સંનિકર્ષ આ પ્રમાણે –ગુલાકના પુલાક સાથે સરખા પણ હોય એટલે અમુક અમુક પય વિશુદ્ધિમાં સરખા હોય તથા અવિશુદ્ધિમાં હીન પણ હોય એટલે એકથી બીજાના વિશુદ્ધિના પર્યાય ઓછી વિશુદ્ધિવાળા પણ હોય અને વિશેષ વિશદ્ધિવાળા પણ હોય. એવી રીતે જે હીનાધિક હોય તે (છઠ્ઠા) છ પ્રકારે હીન હોય અથવા જ પ્રકારે અધિક હોય તે (પૂર્વ) આવી રીતે– હીનનાં છ સ્થાન
વૃદ્ધિનાં છ સ્થાન ૧ અનંત ભાગ હીન
૧ અનંત ભાગ અધિક ૨ અસંખ્યાત ભાગ હીન
૨ અસંખ્યાત ભાગ અધિક ૩ સંખ્યાત ભાગ હીન
૩ સંખ્યાત ભાગ અધિક ૪ સંખ્યાત ગુણ હીન
૪ સંખ્યાત ગુણ અધિક ' ૫ અસંખ્યાત ગુણ હીન
૫ અસંખ્યાત ગુણ અધિક ૬ અનંત ગુણ હીન
૬ અનંત ગુણ અધિક એમ સ્વસ્થાને છ પ્રકારે પરસ્પર હીનાધિક હોય. હવે પરસ્થાને આ પ્રમાણે હાય-કષાયકુશીલની અપેક્ષાએ પુલાક સમહીનાધિક છ સ્થાને હોય. એટલે પુલાક કષાયકુશીલથી હીન વો તુય વા અધિક હોય. કારણ કે પુલાકના તથા કષાયકુશીલના સર્વ જઘન્ય સંયમસ્થાનક શરૂઆતથી
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રકરણુસંગ્રહ.
મ‘ડાય તે અસંખ્યાતા અસ ંખ્યાતા સ્થાનક સરખા ચાલે, તેથી ત્યાંસુધી સમવિશુદ્ધિ હાય. પછી પુલાક હીન પિરણામે રહી જાય અને કષાયકુશીલ વિશુદ્ધ પરિણામે વધતો વધતો અસંખ્યાતા સ્થાન આગળ ચાલે. પછી કષાયકુશીલ, પ્રતિસેવાકુશીલ અને અકુશ અસંખ્યાતા સ્થાન સાથે ચાલે એટલે સરખી વિશુદ્ધિએ વર્તે, પછી અકુશ પાછળ રહે એટલે વિશુદ્ધિમાં વધે નહિ. પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ અસ ંખ્યાતા સ્થાન સાથે ચાલે, પછી પ્રતિસેવાકુશીલ રહી જાય, કષાયકુશીલ અસ ંખ્યાતા સ્થાન ચાલે. ત્યારપછી આગળ એક જ ઉત્કૃષ્ટ સંચમસ્થાન નિગ્ર ંથનું ને સ્નાતકનું આવે. તેથી કષાયકુશીલ તથા પુલાકમાં છઠ્ઠાણુવડીઆ સભવે છે. અસત્કલ્પનાએ છ વૃદ્ધિહાનિ આવી રીતે સમજવી
૧ સાથી એક સેા એક તે અન તભાગ વૃદ્ધિ.
૨ સાથી એક સેા પાંચ તે અસંખ્યાતભાગ વૃદ્ધિ.
૩ સાથી એક સે। દશ તે સ ંખ્યાતભાગ વૃદ્ધિ.
૪ સાથી હજાર સંખ્યાતગુણવૃદ્ધિ. ૫ સાથી બે હજાર અસંખ્યાતગુણુ વૃદ્ધિ ૬ સાથી દશ હજાર અનંતગુણ વૃદ્ધિ. હાનિ
૧ સાથી નવાણુ તે અનંતભાગ હીન. ૨ સાથી પચાણુ તે અસંખ્યાતભાગીન. ૩ સાથી નેવુ તે સંખ્યાતભાગ હીન.
૪ સેાથી દશ તે સંખ્યાતગુણુ હીન. ૫ સેાથી પાંચ તે અસંખ્યાતગુણુ હીન. ૬ સેાથી એક તે અનંતગુણુ હીન.
बउसासेविनियंठगण्हायाणं हुज्जऽणंतगुणहीणो । बउसो सठाणसे वगकसाइणं तुल्लग छठाणो ॥ ६३ ॥
અ:-(વઽસાથેવિનિયંઢળદાયાળું) અકુશથી, પ્રતિસેવી કુશીલથી, નિ થથી અને સ્નાતકથી ( ક્રુષ્નકાંતમુળદ્દીનો ) પુલાક અનંતગુણુ હીન હાય. ( વડલો સદાળ ) બકુશ-સ્વસ્થાન પ્રતિયેાગી બકુશ, ( લેવાનાળ ) પ્રતિસેવીકુશીલ અને કષાયકુશીલની અપેક્ષાએ (તુન ટાળો ) તુલ્ય હાય તથા છ સ્થાન હીનાધિક પણ હાય. ૬૩.
હવે બકુશના સ્વસ્થાન તથા પરસ્થાન સનિક આ પ્રમાણેઃ-સ્વસ્થાને એક
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
બકુશથી બીજે બકુશ વિશુદ્ધિએ સરખો પણ હોય તથા હીનાધિક પણ હોય. તે હીનાધિકમાં છઠ્ઠાણવડીઆ હાય. સ્વસ્થાનની પેઠે પરસ્થાનમાં પણ પ્રતિસેવકુશીલ તથા કષાયકુશીલની અપેક્ષાએ બકુશની વિશુદ્ધિ જાણવી. એટલે સરખી તથા છે સ્થાન હીનાધિક હોય. ૬૩.
एवं सेवीकसाई, नेया निग्गंथण्हायगा य पुणो। तुल्ला इयराणं पुण, अहिया तेऽणंतगुणिएणं ॥ ६४ ॥
અર્થ-(gવે સેવાઈ રેવા) એ પ્રમાણે-બકુશની પેઠે પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ જાણવા. પુલાકથકી બકુશ અધિક જ હોય, પણ બકુશ કષાયકુશીલથી અધિક ન હોય. તથા કષાયકુશીલમાં પરસ્પર છ સ્થાનવડીયા હોય. (નિર્જાથvણાય ચ gો) વળી નિગ્રંથ અને સ્નાતક પરસ્પર સ્વસ્થાને પરસ્થાને (7) તુલ્ય જ હોય. (ાળ જુન મદિરા તેotતળપળ) અને પ્રથમના ચાર પુલાકાદિ કરતાં અનંત ગુણ અધિક, અનંત ગુણ અધિક વિશુદ્ધિએ વર્તતા હોય. ૬૪.
सकसायपुलायाणं, समा जहन्ना उ पजवा थोवा। तेहिंतोऽणंतगुणा, उक्कोसा ते पुलायस्स ॥६५॥
અર્થ –( જણાવપુસ્ટાચા ) કષાયકુશીલ અને પુલાકના (કા ૩ GSEવા થો ) જઘન્ય ચારિત્રપર્યાય થોડા છે (રમા) અને પરસ્પર સરખા છે. (તેતિ ) તે કરતાં (સે પુરાવા ) પુલાકનાં ( ડોસા ) ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય ( ગળતગુખા) અનંતગુણ છે. ૬૫.
बउसपडिसेवगाणं, समा जहन्ना तएहऽणंतगुणा । बउसासेविकसाई-णुकोसाणंतगुण कमसो ॥६६॥
અર્થ –(૪૩પરિસેવIi) બકુશ નિગ્રંથ અને પ્રતિસેવાકુશીલ નિર્ચ થના (ામા નન્ના) જઘન્ય ચારિત્રપર્યાય પરસ્પર સરખા છે (તપઠ્ઠsitતશુળ) અને પુલાક કરતાં અનંતગુણ છે. (વાતાવરણ) બકુશના, પ્રતસેવકુશીલના ને કષાયકુશીલના ( સાતશુળ માં) ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાય અનુક્રમે અનંતગુણ છે. બકુશથી પ્રતિસેવાકુશીલના ઉત્કૃષ્ટ અનંતગુણ છે ને તેથી કષાયકુશીલના ઉત્કૃષ્ટ અનંતગુણ છે, એમ અનુક્રમે જાણવું ૬૬
णिग्गंथसिणायाणं अजहण्णुक्कोसया समा हुति । ... पुरिमाणमणंतगुणा, निगासदारं गयं एयं ॥६७॥ दारं १५
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રકરણુસંગ્રહ.
અર્થ:—( શિñથશિળાચાળ ) નિગ્રન્થ અને સ્નાતકના ચારિત્રપર્યાયા ( અગળુ ોલયા ) અજઘન્ય અનુભૃષ્ટ પરસ્પર ( સમા કુંત્તિ ) સરખા છે, ( પુરમાળમળતશુળા ) પરંતુ પૂર્વના ચારે નિથા કરતા અનંતગુણા છે. ( નિપાનવાä ë ë) એ પ્રમાણે પંદરમું સનિક દ્વાર પૂરું થયું. ૬૭.
હવે ૧૬ મુ યેાગ, ૧૭ મુ ઉપયાગ અને ૧૮ મુ` કષાયદ્વાર કહે છેઃ— मणवयकाइयजोगा, एए उ सिणायओ अजोगोऽवि । दारं १६ दुविहुवओगा सबे, ( दारं १७ ) आइतियं चउकसाइलं ॥६८॥
અ:-( મળવચાદ્યનોના પણ ૩ ) પાંચે નિ થને મન, વચન અને કાયાના ત્રણે ચેાગ હાય. તેર ગુણુઠાણા સુધી યોગ હોવાથી. તથા ( શિખાયને અજ્ઞોત્તેવિ ) સ્નાતક અયેાગી પણ હાય, ચૌદમે ગુણુઠાણે યાગના અભાવ હોવાથી.
હવે સત્તરમું ઉપયોગ દ્વાર કહે છે:—( દુવિદુઓના સઘે ) પાંચે નિગ્રંથ સાકારાપયેગ અને નિરાકારાપયેગ અથવા જ્ઞાનાપયેગ અને દર્શનાપયેગ એ અને ઉપયાગવંત હાય.
હવે અઢારમુ કષાયદ્વાર કહે છેઃ—(બારતિય ૨૩ સાલ્લું) પુલાક, અકુશ તથા પ્રતિસેવાકુશીલને સંજવલન ક્રોધ, માન, માયા અને લાભરૂપ ચારે કષાય હાય. ૬૮. सकसाओ पुण चउसु वि, तिसु दुसु वा इक्कहि व लोहंमि । खीणुवसंतकसाओ, निग्गंथो पहायगकसाओ ॥ ६९ ॥ दारं १८
અર્થ:—( સત્તાઓ પુળ વસ્તુ વિ) તથા કષાયકુશીલને પ્રથમ એ ચારે કષાય હાય. તથા ઉપશમશ્રેણીએ સજવલન ક્રોધ ઉપશમાવે થકે અથવા ક્ષેપકશ્રેણિએ ખપાવે થકે ( તિરુ ) ક્રોધ વિના ત્રણુ કષાય હાય, ( કુત્તુ વા ) માન ખપાવે અથવા ઉપશમાવે થકે ક્રોધ અને માન વિના એ કષાય હાય, ( વિ સ્રોટ્ટમિ ) તથા માયા ઉપશમાવે અથવા ખપાવે ત્યારે એકલા લેાભ ડાય અને લેાભ ખપાવે કે ઉપશમાવે ત્યારે તે (નિમાંથો) નિગ્ર ંથ થાય. તે નિગ્ર ંથ (સ્ત્રીજીવસંત જ્ઞાનો) ક્ષીણુકષાયી અથવા ઉપશાંતકષાયી હાય. (ઇન્ફ્રાય સાળો) તથા સ્નાતક તે। અકષાયી જ હાય. ૬૯.
હવે આગણીશમુ લેશ્યા દ્વાર કહે છેઃ—
आइतियं सुहलेसं, कसायवं छसु वि छट्टिइ नियंठो । पहाओ य परमसुक्को, लेसाईओ व हुज्जाहि ॥ ७० ॥ दारं १९
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
૧૯૯
અર્થ:-(આત્તિ પુર્વ) મુલાક, બકુશ તથા પ્રતિસેવાકુશીલને ભાવલેશ્યાની અપેક્ષાએ તેજે, પદ્ધ અને શુકલ એ ત્રણ શુભ લેશ્યા હોય. (સાય છg વિ) કષાયકુશીલને છએ લેશ્યા હોય. (છઠ્ઠા નિયં) નિર્ચથને છઠ્ઠી શુકલ લેશ્યા જ હોય અને (vgો ય પરમગુ ) સ્નાતકને તેરમે ગુણઠાણે પરમ શુકલ લેહ્યા હોય (તા. ૩ દુકાદ) અથવા ચંદમે ગુણઠાણે લેશ્યાતીત હોય એટલે એકે લેસ્થા ન હેય-અલેશી હેય. ૭૦.
હવે વશમું પરિણામ દ્વાર કહે છે – वळतहीयमाणयवठियपरिणामया कसायंता । नो हीयमाणभावा, निग्गंथसिणायया हुंति ॥ ७१ ॥
અર્થ:–(જાયંતા) કષાયકુશીલ સુધીના એટલે પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશલ એ ચારે નિર્ચ (રહી માવદિયામા ) વધતે પરિણામે પણ હોય, ઘટતે પરિણામે પણ હોય અને અવસ્થિત પરિણામે પણ હોય. (નિવલિriયથા) નિગ્રંથ તથા સ્નાતક (નો રામામાવા) હાયમાન પરિણામે ન (ફુતિ ) હાય એટલે વધતા પરિણામે જ હોય અથવા અવસ્થિત પરિણામે હોય, કારણ કે અગ્યારમેથી પડતા નિગ્રંથ તે કષાયકુશીલ જ હોય, તે નિર્ચથ ન કહેવાય. ૭૧.
समयमवठियभावो, जहन्न इयरो उ सत्तसमयाओ।
समयंतमुहुत्ताइं, सेसाओ आइमचउण्हं ॥७२ ॥ ' અર્થ—(મામડદું) પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ચારને (અવધિમાવો) અવસ્થિત ભાવ ( રમજં ) જઘન્યથી એક સમય હોય ૩ સત્તરમા ) અને ઉત્કૃષ્ટથી સાત સમય હોય (રેરા) બાકીના બે ભાવ વર્ધમાન તથા હીયમાન (સમયંતમુહુરા) જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી હોય. ૭૨.
निग्गंथंतमुहत्तं, दुहावि भावो पवढमाणो उ। समयं जहण्णवठिय, अंतमुहुत्तं च उक्कोसो ॥७३॥
અર્થ – નિષiા ) નિર્ચીને (ઘવાળો ૩ માવો ) પ્રવર્ધમાન ભાવ (તમુહુ કુહાવિ) જઘન્યથી ને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત હોય તથા (તમાં કવયિ) અવસ્થિત ભાવે જઘન્ય એક સમય ( અંતમુહુરં જ કોરો) અને ઉત્કૃષ્ટ અક્તમુહૂર્ત હોય. ૭૩.
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પ્રકરણસંગ્રહ.
पहायस्स वढमाणो, अंतमुहत्तं दुहावि परिणामो । एवं अवट्ठिओ वि हु, उक्कोसो पुवकोडूणो ॥७४॥ दारं २०
અર્થ - (gયક્ષ યમા) સ્નાતકને વર્ધમાન (ળિો ) પરિણામ (તમુહુર્વ કુલ્લાવિ ) જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત શૈલેશીકરણકાળે હોય. (પૂર્વ અવgિો વિ દુ) તથા અવસ્થિત પરિણામ જઘન્યથી અંતર્મુહૂર્ત કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત અવસ્થિત પરિણામી થઈને શૈલેશીકરણ અંગીકાર કરે અને (૩ો જુદg) ઉત્કૃષ્ટથી અવસ્થિત પરિણામને કાળ દેશે ઊણી પૂર્વ કેડી એટલે પૂર્વકેટિમાં કાંઈક ઓછો હોય. (જન્મથી જઘન્ય નવ વરસ ગયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેથી પૂર્વકેટિમાં તેટલો ઓછો સમજવો.) ૭૪.
હવે એકવીસમું બંધન દ્વારા કહે છે बंधइ सत्त पुलाओ, कम्मपयडीओ आउवजाओ। बउसासेवी सत्तटु, कसाई सत्त अट्ट छ वा ॥ ७५ ॥ मोहाउवजिआ छ उ, निग्गंथो वेयणीयमेविकं । पहाओ य सायवेयं, बंधइ बंधेण रहिओ वा ॥७६ ॥ दारं २१
અર્થ:-(પુ ) પુલાક (રાવકારો) આયુષ્યકમ સિવાયની બાકીની ( ચિંધ રત્ત મvો ) સાત કર્મ પ્રકૃતિ બાંધે કારણ કે એને આયુષ્ય
ગ્ય અધ્યવસાય ન હોવાથી આયુષ્યને બંધ ન હોય. (વકક્ષા સેવા સત્ત૬) બકુશ તથા પ્રતિસેવા કુશીલ આયુષ્ય વિના સાત તથા આયુષ્ય સાથે આઠ પણ બાંધે. (સારું ક છ વા) કષાયકુશીલ આયુષ્ય વિના સાત અને આયુષ્ય સાથે આઠ કમ બધે તથા સૂક્ષ્મસંપરાય ગુણઠાણે આયુષ્ય અને મેહનીયં વિના છ કર્મ બાંધે. એ ( ૩) છને બંધ (મોદકનિમા ) મેહનીય અને આયુષ્ય એ બે કર્મ વઈને જાણ. (નિથિ વે વિ ) નિગ્રંથને એક સાતવેદનીયને બંધ જ હોય. (gો જ સાણં વંધ૬) સ્નાતકને પણ એક સાતાવેદનીયને જ બંધ તેરમે ગુણઠાણે હોય (વંધે હિશો વા) અથવા દમે ગુણઠાણે બંધ રહિત હોય. યોગના અભાવથી કર્મ બંધ હોય નહીં. ૭૫-૭૬.
હવે બાવીશમું ઉદય દ્વાર કહે છે – वेयंति अट्ठ चउरो, निग्गंथो सत्त मोहवजाओ। पहाओ घाइविवजे, चउरो वेएइ कम्मंसे॥७७॥ दारं २२
Page #214
--------------------------------------------------------------------------
________________
vv//
w
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૨૦૧ અર્થ>(at) જુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ ને કષાયકુશીલ એ ચાર નિગ્રંથો (વેયંતિ ) આઠે કર્મ વેદે. દશ ગુણઠાણા સુધી આઠે કર્મનો ઉદય હેવાથી. (નિજો વત્ત મોહવાલો) નિન્જ મેહનીય વિના સાત કર્મ વેદે. અગિયારમે, બારમે ગુણઠાણે મેહનીયનો ઉદય નહિ હોવાથી. (ા વાવ વ) સ્નાતક જ્ઞાનાવરણય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતિક વઈને બાકીના (જડો વેપ૬ ) વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્ર એ ચાર અઘાતિકર્મ વેદ. ૭૭.
હવે ત્રેવીસમું ઉદીરણા દ્વાર કહે છે – वेयणीयाउअवज्जा, पयडीओ उदीरए छ उ पुलाओ। बउसासेवी सत्तट्ट छच्च सत्ताउवजाओ ॥ ७८ ॥
અર્થ –(પુરા) પુલાકને (રેચળયા અવજ્ઞા, વેદનીય અને આયુષ્ય વજીને (યો sીખ ૩) છ કર્મ પ્રકૃતિની ઉદીરણા હોય. (વડતાસેવા સત્ત છ ) બકુશ અને પ્રતિસેવાકુશીલને સાત કર્મની, આઠ કર્મની અને છ કર્મની ઉદીરણ હોય. સર્વે કર્મની હોય ત્યારે આઠની, આયુષ્ય વિના સાતની અને વેદનીય તથા આયુષ્ય વિના છની ઉદીરણા હોય. (૪ત્તા વગામો) કષાયકુશીલને આયુષ્ય વિના સાતની ઉદીરણ હોય. ૭૮. અને
सकसाओ एयाओ, पंच य वेयाउमोहवज्जाओ। एवं पंच नियंठो, दुन्नि य नामं च गुत्तं च ॥ ७९ ॥
અર્થ -(સો) કષાયકુશીલને (વેરામોવા ) વેદનીય, આયુષ્ય અને મેહનીય એ ત્રણ વર્જીને (gયા વંત્ર ) આ પાંચ કર્મની ઉદીરણા પણ હોય, (પર્વ જ નિયં) નિન્થને એ જ પાંચ કર્મની ઉદીરણા હોય તથા બારમા ગુણઠાણાના અંતમાં (કુત્તિ જ નામ જ ગુરૂં ) નામ અને ગોત્ર એ બે કર્મની જ ઉદીરણા હાય. ૭૯. पहाओ एवं दुन्नि उ, उदीरणावजिओ व सो होइ। दारं २३ चइऊण पुलायत्तं, होइ कसाई अविरओ वा ॥ ८० ॥
અથ – દા પુર્વ = ૩) સ્નાતકને પણ નામ અને ગોત્ર એ બે કર્મની જ ઉદીરણા હોય અથવા (૩risો વ નો હોર) ઉદીરણાજિત
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પ્રકરણસંગ્રહ.
પણ તે હોય. એટલે તેરમે ગુણઠાણે ઉદીરણા હોય, ચિદમે તો અનુદીરક હોય એટલે કેઈ કર્મની ઉદીરણા ન હોય.
હવે એવી શમ્ ઉવસંપદુહાનું દ્વાર કહે છે -( પુજાચત્ત) જુલાકપણું તજીને (દોર જવા) કષાયકુશીલ થાય, કારણ કે તે સરખા પરિણામી છે. એવી રીતે જેના સદશ સંચમસ્થાન હોય તે તેવા ભાવને પામે. [કષાયકુશીલાદિને મૂકીને એ પ્રમાણે સમજવું] (અવિર વાં) અથવા પુલાક દેવપણું પામે ત્યાં અવિરતિ પણ થાય. ૮૦.
बउसत्तचुओ सेवी, कसायवं अविरओ य सड्ढो वा। सेवित्तचुओ बउसो, कसाइ सड्डो अविरओ वा ॥ ८१ ॥
અર્થ -(વાતનુ) બકુશ નિગ્રંથ બકુશપણું તજીને (સેવા જણા૧) પ્રતિસેવાકુશીલ થાય અથવા કષાયકુશીલ થાય અથવા (કવિ ચ હો વા) અવિરતિ પણ થાય ને શ્રાવક પણ થાય. (રેવિત્તજુથો વડો) તથા પ્રતિસેવાકુશીલ કુશીલપણું મૂકીને બકુશ પણ થાય, (વાણા વઘ વિકો શા) કષાયકુશીલ થાય, શ્રાવક પણ થાય અને અવિરતિપણું પણ પામે. ૮૧.
सकसाओ पुण पुलओ, बउसो पडिसेवगो नियंठो वा। सडो असंजओ वा, हविज्ज चइडं कसाइत्तं ॥ ८ ॥
અર્થ -( સા) કષાયકુશીલ (ફારૂત્ત) કષાયકુશીલપણાને ત્યજીને (પુખ પુ ) પુલાક થાય, (વડો હોવો નિણંદો વા) બકુશ થાય, પ્રતિસેવાકુશીલ થાય અથવા નિગ્રંથ પણ થાય. (સદ્દો અહંકો વા વિઝ ) અથવા શ્રાવક થાય અને અવિરતિ સમ્યગ્દષ્ટિ પણ થાય. ૮૨. निग्गंथत्तचुओ पुण, सकसाइ सिणायगो अविरओ वा। पहाओ चइअ सिणायत्तणं तु सिद्धो हविज्ज त्ति ॥८॥ दारं २४
અર્થ-(નિઝાંથgrો) નિગ્રંથ નિર્ચથપણું મૂકીને (પુ રાણા) વળી કષાયકુશીલ થાય (સિવાયનો વિરો વા) અથવા સ્નાતક થાય અથવા અવિરતિ પણ થાય. (દાશો ચાક સિMયાં સુ) સ્નાતક સ્નાતકપણું મૂકીને (ણિત વિજ્ઞ ઉત્ત) સિદ્ધ થાયમોક્ષે જાય. ૮૩.
વિવેચન –અગિઆમે તથા બારમે ગુણઠાણે નિર્ગથ થાય. તેમાં બારમાં ગુણઠાણુથી તેરમે આવે ત્યારે સ્નાતક થાય અને અગિઆરમાં ગુણઠાણુવાળા
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી પાંચનિગ્ર થી પ્રકરણ
૨૦૩
નિગ્રંથ અવશ્ય પડે. તેમાં ગુણુઠાણાના કાળક્ષયથી પડે તે અવશ્ય દશમે ગુણુઠાણે આવે ત્યાં કષાયકુશીલ કહેવાય. આયુષ્યક્ષયે પડે તે અવશ્ય દેવ થાય ત્યાં અવિરતિ હાય. તથા સ્નાતક સ્નાતકપણું મૂકીને અવશ્ય મેક્ષે જ જાય. એ પ્રમાણે ઉવસ પઠ્ઠાન દ્વાર જાણવુ.
હવે ૨૫ મું સંજ્ઞાદ્વાર ને ૨૬ મું આહારદ્વાર કહે છેઃ— हायनियंठपुलाया, नो उवउत्ता हवंति सन्नासु । સેના યુદ્દાવિ દુગ્ગા, (વારં૨૫) પટ્ટાઓ વુદ્ઘ ક્ષેત્તાERI || ૮૪ || (āાર ૨૬ )
અર્થ :-( પદ્દાનિયંત્રપુજાયા ) સ્નાતક, નિગ્રંથ અને પુલાક (નો ૩૫ ઉત્તા વંતિ સન્નાસુ ) સંજ્ઞાને વિષે ઉપયુક્ત ન હેાય, કારણ કે પ્રધાન જ્ઞાનાપયેાગે વર્તતા હેાવાથી આહારાદિને અતિ અભિલાષ ન હેાય. ( સેત્તા દુષિ ક્રુષ્ના ) બાકીના એટલે બકુશ તથા પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ તેવા પ્રકારના સંચમસ્થાનવાળા હેાવાથી અને પ્રકારના હાય. સંજ્ઞાવાળા પણ હાય અને સંજ્ઞા વિનાના પણ હોય.
હવે ૨૬ મું આહારદ્વાર કહે છેઃ—( "દ્દાઓ કુદ સેસટ્ટા) સ્નાતક આહારી પણ હાય અને અણુાહારી પણ હાય. તેરમે ગુણઠાણે કેવળી સમુદ્ધાત કરતાં ત્રીજો, ચેાથા અને પાંચમે એ ત્રણ સમય અાહારી પણ હાય; ખાકીના વખતે આહારી હેાય. તથા ચાદમે ગુણુઠાણે અણુાહારી જ હાય. સ્નાતક સિવાયના બાકીના પાંચ નિગ્રંથ આહારી જ હાય, કારણ કે અાહારી ઉપર કહેલી અવસ્થામાં તથા પરભવ જતાં વક્રગતિએ જ હાય, તે એમને નથી. ૮૪.
હવે ૨૭ મું ભવદ્વાર કહે છે—
पंच वि य जहन्नेणं, एगभवुक्कोसओ कमेणेवं । पुलयस्स तिन्नि तिन्हं, तु अट्ठ तिन्नेव इक्को य ॥ ८५ ॥ दारं २७
અ:-( પંચવિચ નન્નેળ ) પાંચ નિગ્રંથને જઘન્યથી ( પામવ ) એક ભવ હાય, એટલે તે જ ભવમાં મેક્ષે જાય. ( ડોસો ) ઉત્કૃષ્ટથી ( પુત્ત્ત ત્તિન્નિ) પુલાકને ત્રણ ભવ હાય. (તિન્દ્ તુ અટ્ઠ) અકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ત્રણ આઠ ભવ કરે. ( તિન્નેવ ) નિગ્રંથ ત્રણ ભવ કરે (શ્નો T) સ્નાતક એક જ ભવ કરે-તે જ ભવે મેક્ષે જાય. ૮૫.
ત્યાં પુલાક જઘન્યથી એક ભત્ર ગ્રહણને વિષે પુલાક થઇને કષાયકુશીલાદિ
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રકરણસંગ્રહ.
બીજા સયતપણાને પામીને એક વાર અનેક વાર તે જ ભવમાં અથવા ખીજા ભવમાં કષાષકુશીલાદિ ચારિત્ર પામીને સિઝે. ઉત્કૃષ્ટથી દેવાદિ ભવના આંતરે ત્રીજા ભવમાં પુલાકપણું પામીને સિદ્ધ થાય. ઇહાં બકુશાદિ કાઇક એક ભવમાં અકુશપણું પામીને કષાયકુશીલાદિ થઇને સિઝે, કોઇક એક ભવમાં ખકુશપણું પામી, ખીજા ભવમાં અન્ય એટલે પ્રતિસેવાકુશીલ ચારિત્ર તથા કષાયકુશીલ ચારિત્રવાળા થઇને સિઝે. એટલા માટે કહે છે કે—જઘન્ય એક ભવ કરે અને ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે. આઠે ભવમાં ચારિત્ર પામે તેમાંના કોઇક આઠ વાર અકુશપણાએ કરીને અને છેલ્લે ભવે કષાયકુશીલાદિ ચારિત્રયુક્તપણાએ કરીને તથા પ્રતિસેવાકુશીલત્વાદિ ચારિત્રપણાએ યુક્ત થઇને આઠ ભવ પૂરે. આઠ ભવથી વધારે ન કરે,
હવે ૨૮ સુ આકર્ષદ્વાર કહે છેઃ—
sat य जहनेणं, आगरिसुक्कोसओ कमेणेवं । पुलयस्स तिन्नि तिन्हं, सयग्गसो दुन्नि इक्को अ ॥ ८६ ॥
અઃ—જે અવસ્થામાં વતા હોય તે મૂકી ફરીથી તે અવસ્થા પામે તે આકર્ષી કહેવાય. તે આકષ એ પ્રકારે−૧ એક વ આશ્રી, ૨ ઘણા ભવ આશ્રી. પ્રથમ એક ભવ આશ્રી આકષ કહે છે:—પાંચે નિગ્રંથને ( જો ત્ર નદÀન ) જઘન્યથી એક જ આકર્ષક હોય એટલે એક જ વાર ચારિત્ર પામી મેાક્ષે જાય. ( પુિોલો મેળેવ ) હવે ઉત્કૃષ્ટથી આ પ્રમાણે આકષ જાણુવા, ( પુરુયસ્ત તિન્નિ) પુલાને ત્રણ આકષ હાય. ( તિરૢ ) બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ત્રણને ( સયો ) શત પૃથક્ક્સ આકષ હાય. ( દુન્નિ ) નિગ્રંથને એ આકર્ષ, એક ભવમાં બે વખત ઉપશમશ્રેણી કરે તેને આશ્રીને હાય. ( રો ય) અને સ્નાતકને એક જ હાય. ૮૬.
नाणभवे आगरिसा, हुंति जहनेण दोन्नि पंचहं । उक्कोसओ कमेणं, सत्त हवं ते पुलायस्स ॥ ८७ ॥
અર્થ :—હવે ( નાળમયે સરિસ્સા) નાના ભવ આશ્રી આકષ કહે છે:-- ( નસેનં ફોન પરૢ ) જધન્યથી સ્નાતક સિવાય બાકીના પાંચ નિગ્રંથને એ આકષ હાય છે. એક તે ભવમાં અને બીજો અન્ય ભવમાં હાય. ( પુછાયત્ત ) પુલાકને ( ગુજારો મેળ સત્ત વં તે ) ઉત્કૃષ્ટથી સાત આકષ હોય. પ્રથમ ભવે એક વાર અને ત્યારપછી મને ભવમાં ત્રણ ત્રણ વાર એમ સાત આકર્ષ થાય. ૮૭, सहस्सग्गसो उ तिन्हं, पंच नियंठस्स व्हायए नत्थि । दारं २८ અંતમુદુત્ત જાજો, હોર્ વ્રુષિ પુરુાયસ્સ ॥ ૮૮ ॥
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૨૦૫
અર્થ:-( સલ્લા ૩ તિન્દુ) બકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ ત્રણને સહસ્ત્રપૃથકત્વ આકર્ષ નાના ભવને આશ્રીને હોય છે, કારણ કે એક ભવને વિષે શતપૃથકત્વ આકર્ષ કહ્યા છે, તેથી જ્યારે આઠ ભાવ કરે ત્યારે ઉત્કર્ષથી દરેક ભવમાં નવ નવ આકર્ષ થાય. એટલે નવસોને આઠવડે ગુણતાં સાત હજાર ને બસો ( ૭૨૦૦ ) આકર્ષ થાય. (પંચ નિયંકર ) નિગ્રંથ નિર્ચથને નાના ભવ આશ્રી પાંચ આકર્ષ હોય, તેમાં એક ભવમાં બે, બીજા ભવમાં બે, અને ત્યારપછી ત્રીજા ભવમાં એક એટલે ક્ષપક નિગ્રંથ થઈ મેક્ષે જાય. (ggg નથિ) સ્નાતકને નાના ભાવ આશ્રી આકર્ષ નથી, કારણ કે તે તો તે જ ભવમાં મોક્ષે જાય છે. - હવે ઓગણત્રીશકું કાળદ્વાર કહે છે–(પુછાય ) પુલાકને (૩૬ ) જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી ( યંતમુહુરં સ્ત્રો દોર ) અંતર્મુહૂર્ત કાળ હોય એમ જાણવું, કારણ કે પુલાકપણાને પામેલો નિગ્રંથ અંતર્મુહૂર્ત પૂર્ણ કર્યા વિના મરતો નથી, તેમજ અંતર્મુહૂર્તમાં પુલાકપણાથી પડતા પણ નથીતેથી જઘન્ય અને ઉત્કર્ષથી પણ અંતમુહૂર્ત જાણવું. ૮૮ बउसासेवि कसाई, जहन्नओ समयमियरओ कोडी। समयं होइ नियंठो, अंतमुहुत्तं तु उक्कोसो ॥ ८९ ॥
અર્થ:-( વરણાવિ વસાઈ ) બકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ ત્રણેને ( સમર્થ) જઘન્યથી એક સમયને કાળ હોય, એ ત્રણે ચારિત્ર પામ્યા પછી એક સમયમાં મરણ પામે તે અપેક્ષાએ તે કાળ જાણો. ( લોહી) તથા ઉત્કર્ષથી દેશે ઊણી પૂર્વ કોટિ કાળ જાણુ, કારણ કે ચારિત્રનો ઉત્કૃષ્ટ કાળ તેટલો છે. ( સમર્થ હો નિટો ) નિગ્રંથને જઘન્યથી એક સમયને કાળ છે, તે ઉપશમશ્રેણિએ ચડી, અગ્યારમે ગુણઠાણે પહોંચી, એક સમયમાં મરણ પામે તેની અપેક્ષાએ જાણવો. (અંતમુહુર્જ ૪ ક રો ) અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તનો કાળ જાણે, કારણ કે અગ્યારમાં તથા બારમા ગુણઠાણને તેટલો જ કાળ છે. ૮૯ पहाओ अंतमुहुत्तं, जहन्नओ इयरओ य पुवाणं । देसूणा कोडी खलु, बउसाई हुंति सबद्धं ॥ ९० ॥
અર્થ –(vgો ) સ્નાતક (જ્ઞ અંતમુહુર્જ) જઘન્યથી અંતર્મુહૂર્ત હોય. કારણ કે અંતગડકેવળીને તેટલો કાળ હોય છે. ( મો પુરા જૂના જોહી) અને ઉત્કૃષ્ટથી દેશે ઊણી પૂર્વ કેડી કાળ (ડુ) નિશ્ચયે જાણ, કારણ કે કેવળી અવસ્થાને ઉત્કૃષ્ટપણે તેટલે કાળ છે. (વરસાદું શુંતિ સા૪) હવે નાના
Page #219
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
જીવની અપેક્ષાએ બકુશાદિ એટલે બકુશ, પ્રતિસેવાકુશીલ અને સ્નાતક સર્વ કાળે હોય છે, કારણ કે મહાવિદેહમાં સર્વદા સંભવે છે. ૯૦. निग्गंथा य पुलाया, इक्कं समयं जहन्नओ हुति।। उक्कोसेणं पुण ते, अंतमुहुत्तं चिय हवंति ॥९१॥ दारं २९
અર્થ – નિજાથા જ કુટ્ટાથા ) નિર્ગથ અને પુલાકનો ( ર સમજે જો હુતિ ) જઘન્યથી એક સમયને કાળ હોય છે. (૩ોf gr સે ) ઉત્કૃષ્ટથી તે નિર્ગથ તથા પુલાક (ત વિર દવંતિ) અંતર્મુહૂર્ત હોય છે. ફેર એટલે કે એકની સ્થિતિના અંતમુહૂર્તથી ઘણાની સ્થિતિનું અંતમું છું મેટું હોય. ૯૧. (સંખ્યામાં પુલાક જઘન્યથી એક બે હોય ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકત્વ હોય પણ સતત કાળ તે અંતર્મુહૂર્ત જ હોય.)
હવે ત્રીશમું અંતરદ્વાર કહે છે— अंतोमुहुतमेसिं, जहन्नओ अंतरं तु पंचण्डं। . उकोसेण अवडं, पुग्गलपरिअट्टदेसूणं ॥ ९२ ॥
અર્થ –(R) આ (કંવદ્) સ્નાતક સિવાય બાકીના પાંચનું (નો તt g) જઘન્યથી અંતર (અતોમુદુત્ત) અંતર્મુહૂર્તનું હોય. આ અંતર એક જીવની અપેક્ષાએ જાણવું. એક પુલાક પુલાકપણું છોડીને જઘન્યથી અંતર્મુહૂર્તમાં ફરીથી પુલાકાણું પામે. એમ પાંચેમાં સમજવું. (
૩ ur ) ઉત્કૃષ્ટથી (વ૬ પુalકૂિળ ) દેશે ઊણું અર્ધ પુદ્ગલપરાવર્તન જેટલું અંતર જાણવું, કારણ કે સમક્તિ પામેલ જીવ સમકિત પામ્યા પછી ઉત્કૃષ્ટપણે તેટલો જ કાળ સંસારમાં રહે છે. ( અનંતા કાળચક્રનું એક પુદ્ગલપરાવર્તન થાય છે. ) ૯૨. આ એક જીવ આશ્રી ફરીને તે તે નિગ્રંથપણું પામવાને કાળ સમજવો. पहायस्स अंतरं नो, समयं तु जहन्नओ पुलायाणं । संखिजगवासाई, उक्कोसगमंतरं तेसिं ॥ ९३ ॥
અર્થ—(gયર અંતર નો) સ્નાતકને અંતર નથી, કારણ કે સ્નાતક તે અવશ્ય તે ભવે મોક્ષે જ જાય અને સ્નાતકપણું તજીને ફરીથી સ્નાતક થાય ત્યારે અંતર કહેવાય, તે સ્નાતકને નથી તેથી તેને અંતર નથી. એકની અપેક્ષાએ પુલાકાદિકનું અંતર ઉપર કહ્યું છે, હવે અનેકની અપેક્ષાએ અંતર કહે છે -(રામદં તુ નજરે પુષ્ટાચા) પુલાકને જઘન્યથી એક સમયનું અંતર
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
૨૭.
nnnnnn
હોય. એક જીવ પુલાકાણું પામ્યા પછી વચમાં એક સમય ગયા પછી વળી કઈ બીજે જીવ પુલાકાણું પામે તે અપેક્ષાએ સમયાંતર જાણવું. (હિ) તે પુલાકનું (૪ોણામંત૬) ઉત્કૃષ્ટથી અંતર (વિઝાવાતા) સંખ્યાતા વર્ષનું જાણવું. ©.
निग्गंथाणं समयं, उक्कोसं अंतरं तु छम्मासा । सेसाणं तु चउण्हं, नो चेव य अंतरं अस्थि ॥९४॥दारं ३० અર્થ—(નિશાળ જમ)
નિને જઘન્યથી એક સમયનું અંતર હોય, અને (૩i ) ઉત્કૃષ્ટથી (સુ) તે (ઝાલા) છ માસનું (અંતરં) અંતર હેય. (સાળ કરું) બાકીના બકુશ, પ્રતિસેવાકુશીલ, કષાયકુશીલ અને સ્નાતક એ ચારને ( નો વ ચ અંતર સ્થિ) અંતર નથી જ. તે કાયમ હોય છે. ૯૪.
હવે ૩૧ મું સમુઘાત દ્વાર કહે છે-- वेयणकसायमरणे, तिन्नि पुलायस्स हुंति समुघाया। पंचासेवगबउसे, वेउवियतेयगेहि सह ॥ ९५ ॥
અર્થ–(પુટ્ટારૂ) જુલાકને (વેચનારમ) વેદના, કષાય અને મરણ (તિનિ મુકાયા તિ) એ ત્રણ સમુદ્દઘાત હાય. સંજવલન કષાયદયથી કષાય સમુદ્દઘાત સંભવે છે. તથા પુલાકને મરણ નથી તો પણ મરણ મુદ્દઘાતને વિરોધ નથી, એટલે સમુદ્દઘાતથી નિવતી કષાયકુશીલાદિકપણું પામીને મરણ પામે. તથા (સાવિવારે) પ્રતિસેવાકુશીલ અને બકુશને (રિજે રાદ ) વૈક્રિય અને તેજસ સહિત ( i ) પાચ સમુઘાત હોય. ૫.
आहारएण सहिया, कसाइणो छ नियंठए नत्थि । केवलियसमुग्घाओ, इक्को वि य होइ हायस्स ॥१६॥ दारं ३१
અર્થ– વાદળો) કષાયકુશલને (આદાનg દિશા) આહારક સહિત (૪) છ સમુદઘાત હાય. (નિયંg ) નિગ્રંથને (નથિ) એકે સમુઘાત ન હાય. (ારા) સ્નાતકને (વઢિચમુવા દો વિ જ દોર) એક જ કેવલી સમુદ્દઘાત હોય. ૯૬.
હવે બત્રીશમું ક્ષેત્રદ્વાર કહે છે – लोगमसंखिज्जइमे, भागे पंचण्ह होइ ओगाहा । पहायस्स असंखिजे, असंखभागेसु लोए वा॥१७॥ दारं ३२
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રકરણસંગ્રહ. . અર્થ––(પંજ) જુલાકાદિક પાંચ નિગ્રંથને (ઝોનમહિનામે મળે જોવા ) લેકના અસંખ્યાતમા ભાગની અવગાહના હોય. પુલાકાદિકના શરીરનું લોકના અસંખ્યય ભાગ માત્ર અવગાહીપણું હોવાથી. (ટ્ટાચાર અવંતિ) સ્નાતક શરીરસ્થ હોય ત્યારે લેકને અસંખ્યાતમે ભાગે હોય અને ( તમાકુ સ્ત્રો વા) લોકને અસંખ્યાતમે ભાગે તથા આખા લેકમાં કેવળી. સમુદુઘાત કરે ત્યારે અવગાહના હોય. કેવળી મુદ્દઘાતમાં દંડાદિક કરે ત્યારે લેકના અસંખ્યાતમે ભાગે પ્રથમના બે સમયે અવગાહ, મન્થન કરવાને સમયે લેકના ઘણા ભાગનું વ્યાપવાપણું હોવાથી અને થોડા લેકનું વ્યાપવાપણું ન હોવાથી લોકના અસંખ્યય ભાગને વિષે અવગાહના હોય અને ચોથે સમયે આખો લેક પૂરે ત્યારે સર્વ લેક જેટલી અવગાહના હોય છે. ૯૭.
હવે ૩૩ મું સ્પર્શના ને ૩૪ મું ભાદ્વાર કહે છેएयं चेव य फुसणा, (दारं ३३) चउरो भावे खओवसमियंमि। हाओ खाइयभावे, उवसमि खइयंमि वि नियंठो॥९८॥ दारं ३४
અર્થ –(gઉં વ શ સ ) જે પ્રમાણે અવગાહના કહી તે પ્રમાણે પર્શના જાણવી. વિશેષ એટલે કે સ્પર્શના કાંઈક અધિક હોય. જેટલા પ્રદેશને ચારે બાજુ સ્પશે તેટલી અધિક સપના જાણવી.
હવે ૩૪ મું ભાગદ્વાર કહે છે–(૦૩) જુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ચાર નિગ્રંથ (માધે ઘોઘમિમિ) પશમ ભાવે હોય. (બ્દો ચમ) સ્નાતક ક્ષાયિક ભાવે હોય. ( નિયંદો) તથા નિગ્રંથ ( મિ) અગિઆરમે ગુણઠાણે ઉપશમભાવે હોય અને ( મિ વિ) બારમે ગુણઠાણે ક્ષાયિકભાવે હોય ૯૮.
હવે ૩૫ મું પરિમાણ દ્વાર કહે છે – पडिवजंत पुलाया, इक्काई जाव सयपुहुत्तं ति। पडिवन्ना जइ हुंती, सहसपुहुत्तंत एगाई ॥ ९९ ॥
અર્થ – વિનંત પુરાવા) પ્રતિપદ્યમાન એકલે પુલાકાણાને પામતા જઘ. ન્યથી એક સમયે એક હોય અને ઉત્કૃષ્ટપણે ( કવિ સચપુડુરં તિ) એકથી માંડીને શતપૃથત્વ હોય. (વિજ્ઞા કરૂ ) તથા પૂર્વ પ્રતિપન્ન પુલાઉપણામાં વર્તતા જઘન્ય (gar) એકથી માંડીને (સરસપુડુરંત ફુતિ) ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકૃત્વ સુધી હોય. ૯૯.
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ.
२०६ सेविबउसा पवजंतगा य इकाइ जा सयपुहुत्तं । षडिवनगा जहन्नग, इयरे कोडीसयपुहुत्तं ॥ १० ॥
मी--(सेविवउसा पवजंतगा य) प्रतिसेवाशीतपणाने तथा ५४शपाने पामता (इकाइ जा सयपुहुसं) मेहिथी भांडीने यावत् शतत्प होय, भने (पडिवनगा) ते पयाने पामेला ( जहनग इयरे ) धन्यथी मने कृष्टया (कोडीसयपुडुत्तं ) टि शतY५४.१ डोय. १००.
सकसाया इकाई, सहसपुहत्तं सिया पवजंता । कोडीसहसपुहत्तं, उक्कोस जहन्नग पवना ॥ १०१ ॥
अथ:--(सकसाया ) ४ायशीद (पवजंता ) प्रतिपयमान-पामना। (इकाई सहसपुडुत्तं सिया) मेथी भांडीने सन पृथइव डोय तथा ( पवना ) पूर्वप्रतिपन्न ( उक्कोस जहन्नग ) पृष्टया अने “धन्यथा ( कोडीसहसपुहुत्तं) કેટિ સહસપૃથકૃત્વ હોય. ૧૦૧.
पडिवजंत नियंठा, इकाई जा सयं तु बासटुं। . अट्ठसयं खवगाणं, उवसमगाणं तु चउवन्ना ॥ १०२ ॥
मर्थ:- (नियंठा) नियमान ( पडिवजंत ) प्रतिपद्यमान-पाभनारा ( इकाई जा सयं तु बासटुं ) यपणे ४थी मीन टपणे १६२ डोय; भ ट ( अट्ठसय खवगाणं ) १५४श्रेणि श्री साथे १०८ भांउ भने ( उवसमगाणं तु चडवन्ना) शमशेलि सही साथै ५४ ७३ भांडे. ते पन्ने મળીને એક સાથે નિર્ચથપણું પામતા ૧૬૨ જી હાય. ૧૦૨.
पुवपवन्ना जइ ते, इकाई हुंति जा सयपुहुत्तं । व्हाया उ पवजंता, अटुसयं जाव समयंमि ॥ १०३ ॥
अर्थ:-(जह ते) त निश्रय (पुखपवना) पूर्व प्रतिपक्ष रामे ता( इकाई हुंति आ सयपुहुत्तं ) मेथी भांडीने यावत् शत५५३१ डोय. (पहाया उ) अने स्नात त। ( समयंमि) से समयमा (पवजंता ) प्रतिपयमान Gष्ट ( अटुसयं जाव ) मेथी माने :१०८ सुधा १५४श्रेणिवाणा होय. १०3.
२७
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રકરણગ્રહ.
पुवपवन्नसिणाया, कोडिपुहुत्तं जहन्नया हुंति। उक्कोसा चे चिय, परिमाणमिमेसि एवं तु॥११४॥दारं ३५
અર્થ –(પુevaણા ) પૂર્વ પ્રતિપન્ન સ્નાતક ( રોહિyપુ રાખવા હુતિ ) જઘન્યથી કોડી પૃથફત્વ (કેવળી) હોય. (૩ોવા જિ) ઉત્કૃષ્ટપણે પણ (રિમાળfમતિ પર્વ તુ) એમનું એટલું જ પરિમાણ જાણવું. ૧૦૪. ,
હવે ૩૬ મું અલ્પ બહુત દ્વાર કહે છે – निग्गंथपुलयोहाया, बउसा पडिसेवगा कसाइल्ला । थोवा संखिजगुणा, जहुत्तरं ते विणिद्दिष्ठा ॥१०५॥ दारं ३६
અર્થ –(નિ ) નિગ્રંથ (થવા) સેથી થોડા હોય કેમકે તે ઉત્કૃષ્ટ પણ શતપૃથવ પ્રમાણુ જ હોય. (પુચ સંવિઝTI) તેથી પુલાક સંખ્યાતગુણા હાય કારણ કે તે સહસ્ત્રપૃથકૃત્વ હોય. (vટ્ટાયા) તેથી સનાતક સંપતિગુણા કારણ કે તે કોટિ પૃથકત્વ હોય. (વડા) તેથી બકુશ સંખ્યાતગુણ હોય. તે શતકેટિ પૃથકૃત્વ હોવાથી. (કહેવા) તેથી પ્રતિસેવાકુશીલ સંખ્યાતગુણું હોય.
અહીં કઈ શંકા કરે કે પ્રતિસેવાકુશીલ તથા બકુશની સંખ્યા સરખી કહી છે છતાં તે સંખ્યાતગુણ કેમ? તેને ઉત્તર-બકુશનું કોટિ શતપૃથકત્વ બે ત્રણ કેટિશત પ્રમાણ છે અને પ્રતિસેવાકુશીલનું કટિ શત પૃથકૃત્વ ચતુષ્ક કેશિત પ્રમાણ છે તેથી તેમાં વિરોધ નથી. (વા) તેથી કષાયકુશીલ સંખ્યાતગુણા છે કારણ કે તેની સંખ્યા સતકોટિ પૃથકૃત્વની હોય છે. (દુત્તા સંવિનિરિકા) એ રીતે ઉત્તરોત્તર એક એકથી એ પ્રમાણે વધારે સમજવા. ૧૦૫.
भगवइपणवीससयस्स छहउद्देसगस्स संगहणी। .. एसा उ नियंठाणं, रइया भावत्थसरणत्थं ॥१०६ ॥
અર્થ –(માદા) શ્રી ભગવતી સૂત્રના (gવીકરણ ઇલાક્ષ) પીશમા શતકના છઠ્ઠા ઉદ્દેશાની (બંગાળ) આ સંગ્રહણી (દ્વારને સમૂહ) (પત્તા ૩ નિયંટા) એ નિર્ચ થના (માવસ્થતા ધં) ભાવાર્થનું સ્મરણ કરવાને માટે ( ગા) રચી છે. ૧૦૬.
જે ઈતિ શ્રી અભયદેવસૂરિવિરચિત પંચનિર્ચથી છે
પ્રકરણ સાથે સમાપ્ત. I = == =@TD= == ==
Page #224
--------------------------------------------------------------------------
________________
- પૂર્વાચાર્ય – । निगोद षट्त्रिंशिका प्रकरणम् ।
लोगस्सेगपएसे, जहन्नयपयम्मि जियपएसाणं । उकोसपए य तहा, सबजियाणं च के बहुया ? ॥ १ ॥
અર્થ –(ાસેTVT) લેકના એક પ્રદેશમાં (૪ ) જઘન્ય પદે (પિપલળ) જીવના પ્રદેશે (ત) તથા (૩ોતપv ૨) ઉત્કૃષ્ટપદે જીવના પ્રદેશ અને (રશિયા ૪) સર્વ જી-તેમાં ( વહુવા) કણ ઘણું છે? * વિવેચન – ગાથામાં ત્રણ રાશિના અલ્પબદુત્વને પ્રશ્ન પૂછે છે
૧ જઘન્યપદે (જે આકાશપ્રદેશમાં સર્વથી થોડા જીવના પ્રદેશ હોય તે) એક આકાશપ્રદેશમાં જીના પ્રદેશ કેટલા? - ૨ ઉત્કૃષ્ટપદે (જે આકાશપ્રદેશે વધારેમાં વધારે જીવપ્રદેશે હેય તે) એક આકાશપ્રદેશમાં છવાના પ્રદેશ કેટલા?
૩ સર્વ જીવોની સંખ્યા.
ચિદ રાજપ્રમાણ લેક છે. જ્યાં છએ દ્રવ્ય હોય છે તેને કાકાશ કહે છે. તે ચોદ રાજલકના પ્રદેશ અસંખ્યાતા છે. જે આકાશક્ષેત્રના કેવળીની બુદ્ધિએ પણ એકના બે વિભાગ ન કલ્પી શકાય તેને પ્રદેશ કહે છે. આ ચાદ રાજલક નિગદથી ભરેલું છે. એ નિગોદના બે પ્રકાર છે. ૧ સૂક્ષ્મનિગદ અને ૨ બાદરનિગોદ. તેમાં સૂક્ષમ નિગેદ ચાદ રાજકમાં સર્વત્ર છે, બાદર નિગદ નિયત સ્થાનવતી (અમુક અમુક ભાગમાં જ) હોય છે. અનંત જીવોનું સાધારણું શરીર તેને નિગોદ કહે છે, એટલે એક એક નિગદમાં અનંતા એનંતા જીવે છે. એક એક જીવના અસંખ્યાત પ્રદેશ છે. તે અસંખ્યાત લેાકાકાશના પ્રદેશ સરખું જાણવું. છે. આ જીવની ઉત્કૃષ્ટ અવગાહના વૈદરાજપ્રમાણ છે, કારણ કે જ્યારે જીવ કેવળી. સમુદ્દઘાત કરે છે ત્યારે એથે સમયે તેને એક એક પ્રદેશ લોકાકાશના
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પ્રકરણસંગ્રહ.
એક એક પ્રદેશ ઉપર આવી જાય છે, તેથી તે ચોદરાજલકવ્યાપ્ત થાય છે. જીવની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. જીવ જ્યારે ઘણે સંકુચિત થાય છે ત્યારે તે અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ અવગાહનાવાળો થાય છે. આવી સંકુચિત અવગાહના નિગોદમાં હોવાથી એક નિગોદની અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. નિગોદના અનંતા જીનું એક સાધારણ શરીર હોવાથી સઘળા જ સરખી અવગાહનાવાળા હોય છે. તેથી એક આકાશપ્રદેશમાં અનંતા જીના અસંખ્યાત અસંખ્યાત આત્મપ્રદેશ હોય છે. મેં ૧ |
પ્રથમ ગાથામાં ત્રણ રાશિના પરસ્પર અલ્પબદુત્વને પ્રશ્ન છે તેને ઉત્તર એક જ ગાથાવડે કહે છે - थोवा जहन्नयपए, जियप्पएसा जिया असंखगुणा। उक्कोसपयपएसा, तओ विसेसाहिया भणिया ॥२॥
અર્થ– રાજયપs) જઘન્યપદે (શિવઘા) જીવપ્રદેશે (જો) થડા છે, તેથી (નિયા) છો (કાળા) અસંખ્યાતગુણ છે, (તો) તેથી (૩ોલvપપા) ઉત્કૃષ્ટપદે જવપ્રદેશે ( વિરેલાયા) વિશેષાધિક (મળિયા) કહ્યા છે.
વિવેચન –પ્રથમ ગાથામાં કહેલા ત્રણ રાશિમાંથી જઘન્યપદે (એટલે જે આકાશપ્રદેશમાં સર્વથી થોડા જીવપ્રદેશ હોય તે સ્થાને) જીવપ્રદેશ છેડા છે, તે જઘન્યપદે રહેલા જીવપ્રદેશથી સર્વ જીની સંખ્યા અસંખ્યાતગુણી છે. સર્વ જીવોની સંખ્યાથી ઉત્કૃષ્ટપદે (જે આકાશપ્રદેશમાં વધારેમાં વધારે છવપ્રદેશ રહેલા હોય તે સ્થાને) જીવપ્રદેશે વિશેષાધિક છે.
૧ જઘન્યપદે જીવપ્રદેશ છેડા છે. તેનાથી ૨ સર્વ જીવોની સંખ્યા અસંખ્યાતગુણી છે. તેનાથી ૩ ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ વિશેષાધિક છે. હવે જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ કયાં હોય? તે કહે છે – तत्थ पुण जहन्नपयं, लोयंते जत्थ फासणा तिदिसि । छद्दिसिमुक्कोसपयं, समत्थगोलंमि नन्नत्थ ॥३॥
અર્થ–(તw yr Hપ) તેમાં પણ જઘન્યપદ (રોય) લોકને અંતે (30) જ્યાં રિલિં) ત્રણ દિશાની ( 1) સ્પર્શના હોય ત્યાં
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૩
શ્રી નિગેાદ ષત્રિંશિકા પ્રકરણ. હાય. (ìલક્ષ્ય ) ઉત્કૃષ્ટપદ, ( િિä) છ દિશાની સ્પર્ધાનાવાળા ( સમથનોêમિ ) સમસ્ત-સંપૂર્ણ ગાળામાં હેાય છે. ( નન્નસ્થ ) ખીજે હાતુ નથી. વિવેચનઃ—જધન્યપદ લેાકને અંતે જ્યાં નિષ્કુટ-ખૂણા હાય ત્યાં હાય છે, કારણ કે ત્યાં આવેલ ગેાળાઓમાં ( અસંખ્યાતા નિગેાદના એક ગાળા થાય છે, તે આગળ કહેશે ) કેટલાકને ત્રણ દિશાની, કેટલાકને ચાર દિશાની અને કેટલાકને પાંચ દિશાની સ્પર્શના હેાય છે. તેમાંથી જઘન્યપદ ત્રણ દિશાની સ્પર્શીનાવાળા ગેાળામાં હાય છે. તેને બાકીની ત્રણ દિશાઓની સ્પર્શના અલાકથી આચ્છાદિત થયેલી હોય છે. અલેાકમાં જીવની ગતિ નહીં હોવાથી ત્યાં જીવા હોતા નથી. આવા ઓછી સ્પનાવાળા ખડગાળા કહેવાય છે, માટે જઘન્યપદ ત્રણ દિશાની સ્પર્શે - નાવાળા ખડગોળામાં હોય છે.
જે ગોળામાં છ દિશામાં નવા ગોળાને ઉત્પન્ન કરનાર નિગોદરાશિની સ્પર્શના હોય છે તે ઉત્કૃષ્ટપદ કહેવાય છે. આ ઉત્કૃષ્ટપદ સંપૂર્ણ ગોળામાં જ હોય છે, પણ ખંડગોળામાં હોતુ નથી. સંપૂર્ણ ગોળા તેા લેાકમધ્યે જ હોય છે, લેાકને છેડે હોતા નથી. ।। ૩ ।
હવે ગ્રંથકાર પ્રતિવાદીને જે શંકા ઉપસ્થિત થઇ શકે એવી શંકા સ્વત: ઉપજાવે છે:—
અવતરણુ—ગ્રંથકાર પ્રતિવાદી તરફથી શંકા કરતા સતા કહે છે:— उक्कोसमसंखगुणं, जहन्नयाओ पयं हवइ किं नु । नणु तिद्दिसिफुसणाओ, छद्दिसिफुसणा भवे दुगुणा ॥ ४ ॥
અર્થ :-( નહાયાઓ ચં) જઘન્યપદથી (હોલ અપવમુળ) ઉત્કૃષ્ટપદ અસંખ્યગુણુ (હિં સુ ધવદ્દ) કેવી રીતે હોય ? કારણ કે (તિિિલલનાઓ) ત્રણ ક્રિશાની સ્પર્શના કરતાં ( ઇ་િલિલા ) છ દિશાની સ્પર્ધાના સામાન્ય રીતે ( કુશળા મલે) ખમણી થવી જોઈએ.
વિવેચનઃ—ખડગાળામાં જઘન્ય પદ કહ્યું તે ખડગાળાની સ્પર્શના ત્રણ દિશાની છે અને સંપૂર્ણ ગોળામાં ઉત્કૃષ્ટ પદ કહ્યું તેની સ્પર્શીના છ દિશાની છે, માટે ખમણી થાય પણ અસંખ્યાતગુણી કેવી રીતે થાય ? વળી જઘન્ય પદ્દે એક આકાશપ્રદેશમાં રહેલ જીવપ્રદેશરાશિની અપેક્ષાએ સર્વ જીવાની સંખ્યા અસંખ્યાતગુણી કહી અને તેથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ વિશેષાધિક કહ્યા; માટે તે પણુ ( ઉત્કૃષ્ટપદસ્થિત જીવપ્રદેશ ) તમારા કથન પ્રમાણે જઘન્યપદથી અસંખ્યાતગુણા થાય તે કેવી રીતે ઘટે ? ।। ૪ ।
હવે આ પાંચમી ગાથામાં તે વિરાધને પરિહાર સમજાવે છે:—
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રકરણસંગ્રહ.
थोवा जहन्नायपए, निगोयमित्तावगाहणा फुसणा। . फुसणाऽसंखगुणत्ता, उक्कोसपए असंखगुणा ॥५॥
અર્થ – જોવા ગwયug) જાન્યપદે જીવપ્રદેશો ડાહય છે. ત્યાં (નિજો. મિત્તાવાળા) નિગોદ માત્ર અવગાહનાની (સી) સ્પર્શના હોવાથી અને (૩રપ૬) ઉત્કૃષ્ટપદે સ્પર્શના જ (મહાગુજરા) અસંખ્યાતગુણી હોવાથી જીવપ્રદેશ (ગણગુણ) અસંખ્યગુણ હોય છે.
વિવેચન –જઘન્યપદે એક આકાશપ્રદેશમાં જીવપ્રદેશની સંખ્યા થડી છે, કારણ કે તેની (જઘન્યપદની ) નિગદ જેટલી અવગાહનાની જ સ્પર્શના છે.
એક નિગોદની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. તે નિગોદ, જેટલા આકાશપ્રદેશમાં રહેલી હોય છે ત્યાં જ બીજા આકાશપ્રદેશની સ્પર્શનાના પરિ. હારવડે જે બીજી અસંખ્યાત નિગોદો રહેલી છે, તે એકાવગાહના નિગદ કહેવાય છે તે એકાવગાહનાવાળી નિગોદોએ જે આકાશપ્રદેશ અવગાહ્યા છે, તેની જઘન્યપદમાં સ્પર્શના પણ તેટલી જ છે; ખંડોળા ઉત્પન્ન કરનારી બીજી નિદેને તેને સ્પર્શ નહીં હોવાથી. ભૂમિના નજીકના વચલા ભાગને જે ખૂણો તે ખૂણાના છેલ્લા પ્રદેશરૂપ જઘન્ય પદ છે, તેને અલેકનો સંબંધ હોવાથી એકાવગાહનાવાળી નિગોદ જ સ્પર્શે છે, પણ ખંડગોળાને ઉત્પન્ન કરનારી બીજી નિદાને તેને સ્પર્શ નથી. પ્રદેશની વૃદ્ધિ અને હાનિવાળી અને તુલ્ય અવગાહનાવાળી બીજી નિગેની સ્પર્શના ત્યાં હોતી નથી.
ઉત્કૃષ્ટ પદમાં સ્પર્શના આ પ્રમાણે હોય છે–એકાવગાહનાવાળી સંપૂર્ણ ગેળાની નિષ્પાદક અસંખ્યાતી નિગદ છે તે ઉત્કૃષ્ટપદને ( જે અવગાહનામાં ઉત્કૃષ્ટ પદરૂપ જે આકાશપ્રદેશ રહેલ હોય તેને) નહીં છોડનારી પ્રથમ નિગદની અવગાહનાની અપેક્ષાએ એક એક પ્રદેશની શ્રેણિની હાનિવાળી પ્રત્યેક અસંખ્યાતી નિગોદેવ સ્પર્ધાયેલી છે, માટે તેમાં જઘન્ય પદ કરતાં સંખ્યાતગુણ વધારે જીવપ્રદેશની પશિના છે. તે સ્પર્શના અસંખ્યાતગુણી છતાં અસત્કલ્પનાએ કેટિ સહસ્ત્ર ગણતાં અને દરેક જીવના લાખ પ્રદેશો ગણતાં ત્યાં દશ કેટકેટિ જીવપ્રદેશો થાય. તે જઘન્યપદના એક કોડ જીવપ્રદેશો કરતાં અસંખ્યાતગુણ થાય, કારણ કે અસંખ્યાતને લાખકલ્યા છે, તેને કોડ ગુણ કરતાં લાખ ક્રોડ થાય તે કરતાં પણ દશ કટાકોટિ વધારે છે. એ પછે .
હવે ગેળાની પ્રરૂપણ કરે છે – उक्कोसपयममुत्तं, निगोयओगाहणाइ सव्वत्तो । निप्फाइज्जइ गोलो, पएसपरिडिहाणीहि ॥ ६ ॥
Page #228
--------------------------------------------------------------------------
________________
નિગોદ ષત્રિંશિકા પ્રકરણ.
૨૧૫ અર્થ:-(૩ોસમકુનું) ઉત્કૃષ્ટ પદને છોડ્યા વિના (7) સર્વ બાજુએ (નિય) નિગદની (Tri૬) અવગાહનાવાળી (gg) એક એક પ્રદેશની ( નિહાળહૈં) વૃદ્ધિ અને હાનિએ કરીને (છો) ગેળા (નિualit) બનાવાય છે. * વિવેચન – લેકની મધ્યમાં આવેલા ગોળાની અંદર રહેલ ઘણું જીવપ્રદેશવડે સ્પર્શાએલ આકાશપ્રદેશ રૂપ ઉત્કૃષ્ટ પદ છે. એક અવગાહનાવાળી નિગદના વિવક્ષિત (અમુક જે કલ્પીએ તે) પ્રદેશને છોડ્યા વિના સર્વ દિશામાં એક એક પ્રદેશની વૃદ્ધિ અને હાનિવડે વિવક્ષિત અવગાહનાના કેટલાક પ્રદેશને મૂકતી એવી અન્ય અન્ય નિદેની સ્થાપનાવડે અસંખ્ય ગેળાઓ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ-જે વિવક્ષિત અંગુલના અસંખ્યાતમાં ભાગરૂપ આકાશપ્રદેશમાં એક નિગદ અવગાહેલ છે, તેને જ વિષે (તેટલી જ અવગાહનામાં) બીજી અસંખ્યાતી નિગોદે અવગાહેલી છે, તેમ જ તે વિવક્ષિત નિગદની અવગાહનાની અપેક્ષાએ તેને કેટલાક પ્રદેશને મૂકીને બાકીના કેટલાક પ્રદેશમાં વ્યાપીને રહેલી એવી સર્વ દિશાઓમાં અસંખ્યાતી નિગેદો છે, તેનાવડે ગોળાઓ ઉત્પન્ન થાય છે. તે ૬ છે - હવે બીજા ગેળા કેવી રીતે નીપજે છે? તે કહે છે –
तत्तो चिय गोलाओ, उकोसपयं मुइत्तु जो अन्नो। .. होइ निगोओ तमि वि, अन्नो निप्फजई गोलो ॥७॥
અર્થ –(ત શિર ઢા) ત્યાર પછી તે ગેળાના (૩ોવાં ) ઉત્કૃષ્ટ પદને () છડીને (કો અt) જે બીજી (ઘોર નિજો) નિદ રહેલી છે. (મિ વિ) તેમાં પણ (અન્નો નિષદ નોટો) બીજા ઉત્કૃષ્ટપદથી બીજા ગેળાઓ નીપજે છે. * વિવેચન—ઉપર કહેલા ગોળને આશ્રીને બીજા ગોળા બને છે. કેવી રીતે? ઉત્તર–પ્રથમના ગેળાનું વિવક્ષિત ઉત્કૃષ્ટ પદ છોડીને જે બીજી નિદે રહી છે, તેમાં અન્ય ઉત્કૃષ્ટ પદની કલ્પનાથી બીજા ગોળા બને છે. ભાવાર્થ આ પ્રમાણે–પ્રથમના ઉત્કૃષ્ટ પદને આશ્રી વિવક્ષિત નિગદની અવગાહનામાં એક એક પ્રદેશની વૃદ્ધિ અને હાનિવડે જે અન્ય નિગોદી સ્થાપી છે, તેમાંની કેઈ એક પણ નિગદને આશ્રીને બીજી નિગોદે સ્થાપવાથી બીજા ગોળા બને છે, એટલે એક એક આકાશપ્રદેશની વૃદ્ધિહાનિવડે જે નિગોદ રહી છે તે નિગોદમાં અન્ય ઉત્કૃષ્ટ પદ સ્થાપવાથી બીજા ગેળા બને છે. (એ પ્રમાણે અસંખ્યાતા ગોળા બને છે. ) ૭
Page #229
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ एवं निगोयमित्ते, खित्ते गोलस्स होइ निप्फत्ती। एवं निप्फज्जंते, लोगे गोला असंखिज्जा ॥८॥
અર્થ – પર્વ નિજોજો) એ પ્રમાણે નિગોદ માત્ર (જે) ક્ષેત્રમાં (જોદરણ હોઇ નિજાર) ગેળાની નિપત્તિ થાય છે, અને (પૂર્વ) એ પ્રમાણે (ત્રો) કાકાશમાં (મહિના) અસંખ્યાતા (ા) ગોળાઓ (નિઝર)નીપજે છે.
વિવેચન –ઉપરની ગાથામાં કહેલા ક્રમ મુજબ અમુક વિવક્ષિત નિગેદમાં અન્ય નિગદ સ્થાપવાવડે નિગોદ માત્ર ક્ષેત્રમાં એટલે ઈચ્છિત જુદી જુદી એક એક નિગદની અવગાહનાવાળા આકાશપ્રદેશથી અન્ય ગેળાની ઉત્પત્તિ થાય છે. વિવક્ષિત નિગદની અવગાહનાથી ભિન્ન એટલે એક એક પ્રદેશની વૃદ્ધિ તથા હાનિવાળી અન્ય નિગદના દેશોની અવગાહનાને પ્રવેશ બીજા ગેળામાં થાય છે, અથવા સ્પર્શ થાય છે. આ પ્રમાણે લેકમાં અસંખ્યાતા ગોળાઓ બને છે, કારણ કે કાકાશના તમામ પ્રદેશે નિગદના સમૂહથી અવગાહેલા છે. દરેક નિમેદની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે અને દરેક નિગોદ ગોળાની ઉત્પત્તિ થાય છે, માટે ગોળા પણ અસંખ્યાતા છે. જે ૮ હવે પ્રથમ કહેલ ઉત્કૃષ્ટપદ દરેક ગેળામાં હોય છે તે લેવું કે અન્ય? તે કહે છે – ववहारंनएण इमं, उक्कोसपयावि इत्तिया चेव। ... जं पुण उक्कोसंपयं, निच्छइयं होइ तं वुच्छं ॥९॥ અર્થ:-(
વ નg) વ્યવહાર નયવડે (બ) આ (૩ોપથવિ) ઉત્કૃષ્ટ પદ જાણવા. એટલે ઉત્કૃષ્ટપદ પણ (તુરિયા જેવ) એટલા જ ગોળા જેટલા જ જાણવા. પરંતુ (નિઝર) નિશ્ચય નયે ( પુજા કોતર) જે ( જ્યાં) ઉત્કૃષ્ટપૃદ (હો) થાય છે, તે યુછે) તે હવે કહું છું.
વિવેચન –વ્યવહાર નથી સામાન્યપણે ઉપર બતાવ્યું તે ઉત્કૃષ્ટપદ જાણવું, એટલે ખંડગેળા સિવાયના દરેક ગાળામાં ઉત્કૃષ્ટપદ હાથી ઉત્કૃષ્ટ પદની સંખ્યા પણ ગેળા જેટલી જ અસંખ્યાતી છે. હવે નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ કર્યું? તે આથી સમજાયું નહીં, કારણ કે-છ દિશાના સ્પર્શવાળા સર્વે ગેળામાં ઉત્કૃષ્ટ પદ છે, માટે નિશ્ચયથી કયું ઉત્કૃષ્ટપદ લેવું ? તે આગલી ગાથામાં કહે છે ૯ો बायरनिगोयविग्गह-गइयाई जत्थ समहिया अन्ने । गोला हुज्ज सुबहुया, निच्छइपयं तदुक्कोसं ॥ १० ॥
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગોષદ્ગિશિકાપ્રકરણ
૨૧૭ અર્થ –(19) જ્યાં (વાન) બાદર નિગોદ તથા (4) અન્ય (વિવાદ ) વિગ્રહગતિ આદિકના છ ( વમહિમા ) અધિક હોય તેવા (દુષ સુવાળા શા) ઘણું ગેળાઓ હોય છે, તેમાં (નિઝર) નિશ્ચયથી (તો ) ઉત્કૃષ્ટપદ જાણવું.
વિવેચન –નિગદ બે પ્રકારની છે–૧ સૂમ નિગોદ અને ૨ બાદર નિગોદ. બાદર નિદ તે સાધારણ વનસ્પતિકાય જીનાં શરીર જાણવા, એટલે અનંત જીનું જે એક શરીર તે સાધારણ વનસ્પતિકાયનું શરીર જાણવું. તે સાધારણ વનસ્પતિકાય બે પ્રકારે છે- સૂક્ષમ સાધારણ વનસ્પતિકાય અને ૨ બાદર સાધારણ વનસ્પતિકાય. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના જે શરીર–સૂક્ષ્મ નિદ તે ચાદ રાજેલેકવ્યાપી છે. બાદર સાધારણ વનસ્પતિકાયના જે શરીર તે બાદર નિગોદ છે. તે કંદમૂળાદિ જાણવા. તે બાદર નિગોદ નિયત સ્થાનવતી છે. તે નિરાધારપણે રહી શકતી નથી, પણ પ્રત્યેક બાદર પૃથ્વી આદિ જીવના શરીરને આધારે રહે છે, છે. બાદર નિગોદ પૃથ્વી આદિ સ્વસ્થાને ઉપજી શકે છે તેમજ રહી શકે છે, પણ સૂમ નિમેદની જેમ સર્વત્ર નથી.
હવે નિશ્ચયથી ઉત્કૃષ્ટ પદ કેવી રીતે થાય? તે કહે છે--જ્યાં સૂક્ષ્મ નિગેદના સમૂહથી ઉત્પન્ન થયેલ ગેળા હોય ત્યાં જે બાદર નિગોદે અવગાહેલા હોય, વળી ત્યાં સૂક્ષમ નિગોદના છ સજાતીય અથવા વિજાતીય નિગોદમાં ઉત્પન્ન થતા હાય એટલે સૂક્ષમ નિગોદના છ સૂક્ષ્મ નિગોદમાં અથવા બાદર નિગોદમાં તેમજ બાદર નિગદના છ સૂક્ષ્મ નિગોદમાં અથવા બાદર નિગોદમાં ઉત્પન્ન થતા હોય કે વાટે વેહેતા હોય, વળી બીજ પણ પૃથ્વીકાયાદિક જીવો ભવાંતરમાં વિગ્રહગતિ અથવા
જુગતિએ ગમન કરતા હોય, વળી ત્યાં સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ તો રહેલા જ હાય-આ સર્વ સંયોગો જે સ્થાને એકઠા થાય ત્યાં નિશ્ચયનયથી ઉત્કૃષ્ટપદ જાણવું. ૧૦ |
તે જ વાત દર્શાવે છે – इहरा पडुच्च सुहुमे, बहुतुल्ला पायसो सगलगोला । तो बायराइगहणं, कीरइ उक्कोसयपयाम्म ॥ ११ ॥
અર્થ –(૬) અન્યથા બાદર નિગદના આશ્રય વિના (પુ) સૂક્ષ્મ નિગદને (gg) આશ્રીને (3 ) પ્રાયે કરીને બધા ગેળા (વહુ તુઠ્ઠા) નિગોદની સંખ્યાએ કરીને અતિ સરખા છે. પરંતુ ઉત્કૃષ્ટ પદ નિશ્ચયથી લાવવા માટે તે (ક્ષત્રિા ) સકલ ગેળા એટલે લેકના મધ્યવતી સંપૂર્ણ ગેળા, પણ લેકના અંતવતી ખંડગેળા નહીં (તો) તે (૩ણાપથમિ) ઉત્કૃષ્ટપદમાં (વાર/gવળ) બાદર નિગોદ વિગેરેનું પણ ગ્રહણ (જ ) કરવું. ૨૮
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રકરણસંગ્રહ.
વિવેચન –એક સૂક્ષમ નિગોદ અસંખ્યાત આકાશપ્રદેશરૂપ અંગુલના અસંખ્યાતમાં ભાગને સ્પશીને રહેલી છે. તેટલા જ ક્ષેત્રમાં એટલે તેટલી જ અવગાહનાવાળી ત્યાં બીજી અસંખ્યાતી સૂક્ષમ નિગોદે રહેલી છે. તે જ ક્ષેત્રમાં એક એક પ્રદેશની વૃદ્ધિ-હાનિવડે બીજી અસંખ્યાતી નિગોદરૂપ અસંખ્યાત ગેળાઓ છએ દિશામાં વિવક્ષિત સૂમ નિગોદને અવગાહે છે. વળી તે જ ક્ષેત્રમાં બાદર નિગદ રહેલ હોય તે તથા બાદર નિગોદમાંથી નીકળી બાદર નિગોદમાં અથવા સૂમ નિગોદમાં ઉત્પન્ન થનાર છે તેમ જ સૂમ પૃથ્વીકાયાદિક ત્યાં રહેલા અને ભવાંતરને વિષે વિગ્રહગતિથી અગર અજુગતિથી જતા જેના આત્મપ્રદેશો વિવક્ષિત ક્ષેત્રને અગવાહે તેને તાત્ત્વિક ઉત્કૃષ્ટ પદ જાણવું છે ૧૧
હવે ગેળાદિકનું પરિમાણ કહે છે – गोला य असंखिज्जा, हुंति निगोया असंखया गोले । इकिको य निगोओ, अणंतजीवो मुणेयवो ॥ १२ ॥
અર્થ:–જોહા જ અલવિઝા) વળી ગેળા અસંખ્યાતા છે. (જો) એક એક ગેળામાં ( અહંતા ) અસંખ્યાતી ( નિજો ) નિગોદ ( હૃતિ ) છે; ( ૪ નિગ) તથા એક એક નિગોદમાં (અવંતીવો) અનંતા જીવો છે એમ (કુ ) જાણવું.
વિવેચન–ગોળાઓ અસંખ્યાતા છે. ચૌદ રાજલકમાં હોવાથી. એક એક ગાળામાં અસંખ્યાતી નિગોદ એટલે શરીરો છે, કારણ કે સરખી અવગાહનાવાળી અસંખ્યાતી નિગેને એક ગોળ બને છે. વળી એક એક નિગોદમાં અનંતા જીવે છે. આ અનંતું સિદ્ધના જીવોના અનંતાથી અનંતગણું છે, કારણ કે એક નિગદને અનંતમે ભાગ મેક્ષે ગયેલ છે, એવું શાસ્ત્રનું વચન છે. જે ૧૨ એ
હવે જીવના પ્રદેશનું પરિમાણ કહે છે અને નિગોદમાં રહેલા જીવની અને ગોળાની અવગાહના કહે છે--
लोगस्स य जीवस्स य, हुंति पएसा असंखया तुल्ला । अंगुलअसंखभागो, निगोयजियगोलगोगाहो ॥ १३ ॥
અર્થ:-( રણ જ લીવર ) કાકાશના અને એક જીવના (Yપસા) પ્રદેશ (બંણા) અસંખ્યાતા (સ્તુતિ) છે અને (1) તુલ્ય છે. (નિજો - લિયો નો પો) નિગોદના જીવની અને ગળાની અવગાહના (ગુઢારંવમા) અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રી નિદષટત્રિશિકા પ્રકરણ.
૨૧૯ - વિવેચન—લકાકાકાશના એટલે ચોદ રાજલકના પ્રદેશ અસંખ્યાતા છે અને તેટલા જ પ્રદેશ એક જીવના પણ છે, એટલે કે તે બન્નેના પ્રદેશની સંખ્યા સરખી છે પણ ન્યૂનાધિક નથી; કારણ કે કેવળીસમુદ્દઘાતમાં કેવળી પિતાના પ્રદેશવડે સમસ્ત કાકાશને પૂરે છે. તે જ જીવ જ્યારે અત્યંત સકેચને પામે છે ત્યારે તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે. એવી અવગાહનાવાળું જે શરીર તે નિગોદ છે. તેમ જ એક ગેળાની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે સરખી અવગાહનાવાળી અસંખ્યાતી નિગદનો જે સમૂહ તે ગેળે છે, માટે એ ત્રણેની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. ૧૩ છે
હવે નિગોદ વિગેરેની સમ અવગાહનાનું સમર્થન કરે છે –
जमि जिओ तमेव निगोओ तो तंमि चेव गोलोऽवि । निप्फजइ जं खित्ते, तो ते तुल्लावगाहणया ॥ १४ ॥
અર્થ –(કવિ) જે ક્ષેત્રમાં (મિતિ) જ્યાં જીવ છે (તમે નિશ) ત્યાં જ નિગોદ છે (ત સંમિ જેવ) અને તે જ ક્ષેત્રમાં (ઢોવિ) ગેળો પણ (નિઝર) નીપજે છે; (તો) તેથી કરીને (તે તુવરાપિયા) તે ત્રણે સરખો અવગાહનાવાળા છે.
વિવેચન–જે ક્ષેત્રમાં એક નિગોદ રહેલી છે, તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગરૂપ જાણવી, એટલે કે અસંખ્યાતા આકાશપ્રદેશરૂપ અંગુલને અસંખ્યાતમે ભાગ જાણ. તે નિગોદમાં રહેલ દરેક જીવની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે તે નિર્ગદરૂપ તેનું શરીર છે. તેમ જ ગોળાની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે તે વિવક્ષિત નિમેદની અવગાહના સરખી એકાવગાહનાવાળી બીજી અસંખ્યાતી નિગદ જે ત્યાં જ રહેલી છે તેને બને છે. હવે તે ગોળ જેટલા પ્રદેશમાં રહ્યો છે, તેની એક પ્રદેશની શ્રેણિને છોડતી અને બીજી બાજુએ વ્યાપતી છએ દિશામાં બીજી અસંખ્યાતી નિગોદે છે, તેને એટલે ભાગ વિવક્ષિત ગેળામાં આવે છે તે વિવક્ષિત ગોળામાં ગણ અને બાકી રહેલા અવગાહનાનો ભાગ બીજા ગોળામાં ગણ. આમ હવાથી જીવ, નિગોદ અને ગોળાની અવગાહના સરખી જાણવી ૧૪
આ ગાથામાં પ્રશ્નરૂપે એ ત્રણ અભિધેય કહે છે – उक्कोसपयपएसे, किमेगजीवप्पएसरासिस्स । हुजेगनिगोयस्स व, गोलस्स व किं समोगाढं? ॥१५॥
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પ્રકરણસંગ્રહ. અર્થ:-(Savvv ) ઉત્કૃષ્ટ પદવાળા આકાશપ્રદેશમાં (નિવપરાતિસર) એક જીવની પ્રદેશરાશિ, (દુનિયસ ૪) એક નિગોદની પ્રદેશ રાશિ અને (નોટર ) એક ગળાની પ્રદેશ રાશિ ( રમીલાદું) શું શું અવગાહેલ હોય ?
વિવેચન –જ્યારે એક જીવ કે જેને પ્રદેશ રાશિ કાકાશ તુલ્ય છે, તે સંકેચ પામીને પિતાના આત્મપ્રદેશને નિગદ માત્ર ક્ષેત્રમાં અવગાહે ત્યારે તેના કેટલા પ્રદેશો તે ઉત્કૃષ્ટ પદરૂપ આકાશપ્રદેશમાં હોય? તેમ જ એક નિગોદના અને એક ગળાના કેટલા કેટલા પ્રદેશ તેણે અવગાહેલ હોય? ૧૫ છે
પ્રથમ જીવ આશ્રી ઉત્તર કહે છેजीवस्स लोगमित्तस्स, सुहुमओगाहणावगाढस्स । इकिकमि पएसे, हुंति पएसा असंखिजा ॥ १६ ॥
અર્થ - ઢોમિરરર ) કાકાશના પ્રદેશપ્રમાણુવાળા (જીવત્ત ) જીવન (યુમ ગોપાળવાઢ૪) સૂક્ષ્મ અવગાહનામાં રહેલાના (લિમિ vપણે ) આકાશના એક એક પ્રદેશમાં (અવિઝા) અસંખ્યાતા (પપલા કુંતિ) પ્રદેશ હોય છે.
વિવેચન -એક જીવના પ્રદેશ ચંદ રાજલકના પ્રદેશ તુલ્ય છે. તે અસં. ખ્યાતા છે. તે જીવ જ્યારે સૂક્ષમનામકર્મના ઉદયથી સૂક્ષમ અવગાહનામાં રહે છે ત્યારે અંગુલના અસંખ્યાતમા ભાગમાં પણ રહી શકે છે. અસંખ્યાતાના અસં. ખ્યાત ભેદ હોવાથી કાકાશના અસંખ્યાત પ્રદેશોને અંગુલના અસંખ્યાતમાં ભાગના અસંખ્યાત પ્રદેશ ભાંગતાં અસંખ્યાત આવે, એટલે તે એકેક આકાશપ્રદેશમાં દરેક જીવના અસંખ્યાત અસંખ્યાત પ્રદેશે અવગાહેલ હોય છે. ૧૬
હવે નિગદ સંબંધી પ્રરૂપણ કરે છે – लोगस्स हिए भागे, निगोयओगाहणाइ जं लद्धं ।। उक्कोसपएऽतिगयं, इत्तियमिक्किकजीवाओ ॥ १७ ॥
અર્થ-(સ્ટોક્સ) લોકાકાશના પ્રદેશને (નિજોવોrદાદ ) નિગોદની અવગાહનાના પ્રદેશવડે (પિ મ ) ભાગ હરવાથી–ભાંગવાથી (૪) જે આવે, (ત્તિથં) એટલા પ્રદેશો ( વઘઈ) ઉત્કૃષ્ટપદે (રશિનીવા) એકેક જીવના (અતિ) અવગાહેલ હોય છે.
વિવેચન – પૂર્વે કહેલી ગાથા પ્રમાણે કાકાશના પ્રદેશને નિદની અવગાહનારૂપ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત આકાશપ્રદેશવડે
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગોદષત્રિશિકા પ્રકરણ ભાંગવાથી જે આવે તેટલા ઉત્કૃષ્ટ પદે એક એક આકાશપ્રદેશ ઉપર એક જીવના (અસંખ્યાત) પ્રદેશો રહેલા છે. વળી તે જ આકાશપ્રદેશે તે જ નિમેદવ્યાપી બીજા અનંત જી રહેલા છે તે દરેકના ઉપરના ભાગાકારથી આવેલ અસંખ્યાત જેટલા અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશો રહેલા છે. એટલે એક નિદગત જીવન એકંદર અસંખ્યાત અનંત પ્રદેશો એકેક આકાશપ્રદેશે રહેલા છે. જે ૧૭૫
અસત્કલ્પનાએ એક પ્રદેશે એક જીવના લાખ પ્રદેશ રહેલ હોવાથી અનંત જીવના અનંત લાખ પ્રદેશ રહેલા છે. એમ સમજવું.
હવે ગેળા સંબંધી પ્રરૂપણા કરે છે– एवं दबट्टाए, सबोस इक्कगोलजीवाणं । उक्कोसपयमइगया, होति पएसा असंखगुणा ॥ १८ ॥
અર્થ:-(વં શ્વા) એ પ્રમાણે દ્રવ્યાર્થપણે-પ્રદેશાર્થપણે નહીં, કારણ કે (હિં પોટલીવા) એક ગેળાના સર્વ જીવ કરતાં (જોસા) ઉત્કૃષ્ટપદમાં માયા) રહેલા (રૂપરા) જીવપ્રદેશ () અસંખ્યાત ગુણા (તિ) હોય છે.
વિવેચન–એક નિગોદમાં જેટલા જીવે છે, તેથી અસંખ્યાતગુણા તેમના પ્રદેશો ઉત્કૃષ્ટપદમાં રહેલા છે, કારણ કે એક નિગોદમાં છવો અનંતા છે, અને ઉત્કૃષ્ટ પદમાં-વિવક્ષિત આકાશપ્રદેશમાં તેમાંના એક એક જીવના અસંખ્યાત પ્રદેશ રહેલા છે; તેથી તે ઉત્કૃષ્ટપદમાં તે નિદગત સર્વ જીવોના મળી અનંત અસંખ્યાત પ્રદેશો છે, માટે અનંત છ કરતાં તે પ્રદેશોની સંખ્યા અસંખ્યાત ગુણી જાણવી.
તેમજ એક ગોળામાં રહેલા છ કરતાં તેના ઉત્કૃષ્ટપદમાં રહેલા જીવપ્રદેશ અસંખ્યાતગુણ જાણવા, કારણ કે એક ગેળામાં અસંખ્યાતી નિગોદ અને એક નિગેદમાં અનંતા જીવ છે, તેથી એક ગોળામાં અનંત અસંખ્યાત જીવ થયા, અને તે ગેળાના વિવક્ષિત ઉત્કૃષ્ટપદમાં સર્વ નિદના જીવપ્રદેશે અસંખ્યાત અનંત અસંખ્યાત છે, ઉપર એક નિગોદની અપેક્ષાએ એક પ્રદેશમાં અનંત અસંખ્યાત પ્રદેશ કહ્યા, તેવી અસંખ્યાત નિદે તે ગોળામાં હોવાથી અસંખ્યાત અનંત અસંખ્યાત જીવપ્રદેશે એક આકાશપ્રદેશરૂપ તે ઉત્કૃષ્ટપદમાં રહેલા છે, માટે અસંખ્યાતગુણ કહ્યા છે કે ૧૮
જે ઉપર કહ્યું તેમાં અસંખ્ય ગુણ શબ્દથી અસંખ્યગુણ પ્રમાણ કેટલું? તે આ ગાથામાં કહે છે
Page #235
--------------------------------------------------------------------------
________________
રરર
પ્રકરણસંગ્રહ. तं पुण केवइएणं, गुणियमसंखिज्जयं भविजाहि ?। भण्णइ दबढाए, जावइया सबगोलत्ति ॥ १९ ॥
અર્થ -(સંપુn ) તે રાશિ વળી (વાળ) કેટલા પ્રમાણથી (ગુf) ગુણીએ કે જેથી (સાંનિઘં) અસંખ્યાતગુણ (મવિજ્ઞાહિ) થાય? આ પ્રશ્નના ઉત્તરમાં (મા) કહે છે કે-(વા) દ્રવ્યાર્થની અપેક્ષાએ (કાવાયા) જેટલા (
રાજ) સર્વ ગોળા છે તેટલી સંખ્યાએ એને ગુણતાં ઈષ્ટ અસં. ખ્યાત રાશિ આવે.
વિવેચન-કેટલા પ્રમાણવાળી અસંખ્યાત રાશિથી ગુણીએ તે ઉત્કૃષ્ટ પદમાં જીવપ્રદેશરાશિ સંબંધી ગણિત આવે ? ઉત્તર–જીના પ્રદેશદ્વારા નહીં પણ જીવદ્રવ્યની અપેક્ષાએ સમગ્ર લેકની અંદર જેટલા ગેળા છે તેટલા ગેળાથી ગુણાકાર કરે. એટલે એક આકાશપ્રદેશ ઉપર જેટલા જીવના પ્રદેશ છે તેટલા ગોળા છે, કારણ કે બધા ગોળાઓની સંખ્યા પણ તેટલી જ છે. સારાંશ એ કેએક ગેળામાં જે સમગ્ર જીવે છે, તેને સમગ્ર ગાળાની રાશિથી ગુણે, અથવા એક આકાશપ્રદેશ ઉપર રહેલ એક જીવના પ્રદેશરાશિથી ગુણે એટલે તે વડે ગુણવાથી જે રાશિ આવે તેટલે ઉત્કૃષ્ટપદને વિષે જીવપ્રદેશ રાશિ જાણો છે ૧૯
किं कारणमोगाहण-तुल्लत्ता जियनिगोयगोलाणं । गोला उक्कोसपएक-जियपएसेहिं तो तुल्ला ॥ २० ॥
અર્થ– ૩ોલgg) ઉત્કૃષ્ટપદે (નાપપટ્ટ) એક જીવના પ્રદેશ (તો લુણા) રાશિ તુલ્ય (નોટા) ગેળા છે. તેનું (જિં વાળ) શું કારણ? ( નિયરિજોઢા) છવ, નિગોદ અને ગોળાની (ગોળ) અવગાહન (87) સરખી છે માટે એમ સમજવું.
વિવેચન –ઉત્કૃષ્ટપદે એક જવના પ્રદેશરાશિ તુલ્ય ગોળા હોવાનું કારણ શું? ઉત્તર-જીવ, નિગોદ અને ગોળાની અવગાહના તુલ્ય હોવાથી–એક ગોળાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે, અને સકળ લેક ગાળાઓથી ભરેલે છે, માટે લેકને પ્રદેશની રાશિને અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશ રાશિવડે ભાંગવાથી જે સંખ્યા આવે તેટલી જ સંખ્યા એક જીવના ઉત્કૃષ્ટપદે રહેલા પ્રદેશની પણ છે, કારણ કે જીવની પ્રદેશ રાશિ કાકાશના પ્રદેશ રાશિ તુલ્ય છે અને અહીં જીવની અવગાહના અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ છે; માટે બનેમાં ભાજ્ય ભાજક સંખ્યા સરખી હોવાથી ભાગાકાર સરખો જ આવે, માટે સમગ્ર ગેળાઓ અને ઉત્કૃષ્ટ પદે એક જીવપ્રદેશની સંખ્યા સરખી જાણવી ર૦
Page #236
--------------------------------------------------------------------------
________________
nnnnnnnnnnnn
શ્રી નિગોદષદ્વિશિકા પ્રકરણ. એજ વાતને વિશેષ સમજાવવા માટે ફરીથી કહે છે – गोलहिं हिए लोगे, आगच्छइ जं तमेगजीवस्स । उक्कोसपयगयपएसरासितुल्लं हवइ जम्हा ॥ २१ ॥
અર્થ –(ા ) જે માટે (ઢો) કાકાશના પ્રદેને (ર્દિ) ગેળાની અવગાહનાવડે (હિ) ભાંગવાથી (f) જે રાશિ (સાજીદ) આવે (જં) તે (તિરું) રાશિ તુલ્ય (પાવર) એક જીવના (પથપાસ) ઉત્કૃષ્ટપદે રહેલા પ્રદેશ (ધ્રુવ ) હાય છે.
વિવેચન –લકાકાશના પ્રદેશ રાશિને એક ગોળાની અવગાહના જે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે તેના વડે ભાંગવાથી જે રાશિ આવે તેટલા ઉત્કૃષ્ટપદે એક જીવના પ્રદેશ હોય છે. આ ૨૧ છે
अहवा लोगपएसे, इकिके ठवय गोलमिक्किं । एवं उक्कोसपएकजियपएसेसु मायंति ॥ २२ ॥
અર્થ –(મહુવા) અથવા (1) કાકાશના (શિ) એક એક (gg) પ્રદેશે (જોક્ટમિલિ) એક એક ગોળાને () સ્થાપન કરો. (g) એ પ્રમાણે (૩રપ૬) ઉત્કૃષ્ટપદે રહેલા (જુનિયપાસે) એક જીવ પ્રદેશ તુલ્ય પ્રદેશમાં તે ગેળા (માયંતિ) સમાય છે.
વિવેચન –અથવા લોકના એક એક પ્રદેશને વિષે એક એક ગોળો સ્થાપન કરે, અને તે પ્રમાણે સ્થાપન કરતાં તે ગોળાઓ જેટલા આકાશપ્રદેશને રોકે તેટલા જ એક જીવના ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશે જાણવા માટે ગેળાઓ તેમજ ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશે સરખા જાણવા. ૨૨ .
गोलो जीवो य समा, पएसओ जं च सव्वजीवाऽवि । हुंति समोगाहणया, मज्झिमओगाहणं पप्प ॥ २३ ॥
અર્થ-જોટો) ગોળો (૪) તથા (વીવો) જીવ એ બને અવગા હનાના (gud) પ્રદેશ આશ્રી (રમા) તુલ્ય છે. (i = ) જે કારણ માટે (સહકીવાવ) સર્વ જીવો પણ (મન્સિમri) મધ્યમ અવગાહનાને () પામીને-આશ્રીને (મોrvયા) સરખી અવગાહનાવાળા (કુંતિ) હોય છે.
વિવેચન –ગોળો તથા જીવ એ બંને અવગાહનાના પ્રદેશને આશ્રીને તુલ્ય
Page #237
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસ'ગ્રહ,
છે. બન્નેની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોવાથી, અસકલ્પનાએ બને દશ હજાર આકાશપ્રદેશમાં અવગાહ્યા છે, કારણ કે સૂમ સર્વ જી પણ મધ્યમ અવગાહનાને આશ્રી સરખી અવગાહનાવાળા છે. અસત્ કલ્પનાથી જઘન્ય અવગાહના પાંચ હજાર પ્રદેશની અને ઉત્કૃષ્ટ અવગાહના પંદર હજાર પ્રદેશની ગણે એટલે બને અવગાહના મેળવી અધીં કરવાથી મધ્યમ અવગાહના દશ હજાર પ્રદેશની થાય છે. એ ૨૩ . ... तेण फुडं चिय सिद्धं, एगपएसम्मि जे जियपएसा ।
ते सबजीवतुल्ला, सुणसु पुणो जह विसेसहिया ॥२४॥
અર્થ-તેજ) તે કારણ માટે (જિજ) નિશ્ચ (૩) સ્પષ્ટપણે (શિ) સિદ્ધ થયું કે-(ઉપપત્નિ ) ઉત્કૃષ્ટ પદવાળા એક આકાશપ્રદેશમાં ( જે ) જેટલા (વિપુપરા) જીવપ્રદેશ છે, તે સજ્જનીવતુટ્ટા) તે સર્વ જીવ તુલ્ય છે. (gો દ) હવે જે રીતે છવપ્રદેશ (
વિયા ) વિશેષાધિક થાય છે તે (સુબાપુ) સાંભળો. વિવેચન-ઉત્કૃષ્ટપદે વર્તતા જીવના જેટલા પ્રદેશો છે તે સર્વ જીવ તુલ્ય છે. તે અસકલ્પનાએ બતાવે છે–પૂર્વે કયા પ્રમાણે એક જીવના સો કેટિ પ્રદેશ છે. તેને દશ હજાર પ્રદેશની નિગોદની અવગાહના હોવાથી તેના વડે ભાગતાં એક આકાશપ્રદેશે એક એક લાખ પ્રદેશ આવે છે. હવે એક નિગોદમાં અનંતા જીવ છતાં અસકલ્પનાએ લાખ ગણવા. લાખને લાખે ગુણવાથી હજાર કટિ જીવપ્રદેશે થયા. હવે નિગોદો અસંખ્યાતી છતાં અસકલપનાએ લાખ ગણવાથી પૂર્વની રાશિને લાખે ગુણવાથી દશ કોટા-કેટિ જીવપ્રદેશ ઉત્કૃષ્ટપદે થયા. અને ગેળામાં છવદ્રવ્ય એટલે એક ગેળાવતી સર્વ જીવો પણ તેટલા જ અસત્કલ્પનાએ દશ કેડીકેડ છે. એ રીતે બંને સરખા થયા. ૨૪ - હવે સર્વ જીવથી ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશે વિશેષાધિક કેવી રીતે? તે બતાવે છે –
जं संति केइ खंडा-गोला लोगंतवत्तिणो अन्ने । बायरविग्गहिएहि य, उक्कोसपयं जमब्भहियं ॥२५॥
અર્થ:-( i ) જે કારણ માટે (ઢોલંત ) લોકને અંતે (૪) કેટલાક (સંકારા) ખંડગોળાઓ (સંત) છે. (જે) જે પૂર્ણ ગળાથી જુદા છે તેથી તે રાશિ કાંઈક ઘટે છે પરંતુ (૬) જે કારણ માટે (૩ોપકં) ઉત્કૃષ્ટપદમાં (વાયર) બાદર નિગોદના અને (વિકarદ ) વિગ્રહગતિવાળા જીના પ્રદેશ (હિ) અધિક છે તેથી અધિપણું થાય છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી નિગોદષદ્વિશિકા પ્રકરણ.
રિર૫ | વિવેચન –વળી બાદર નિદોના તથા વિગ્રહગતિવાળા જીના પ્રદેશ ઉત્કૃષ્ટ પદને વિષે રહેલા હોવાથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ સર્વજીવરાશિથી વિશેષાધિક છે. ભાવાર્થ એ છે કે-આદર નિગોદ સર્વ જીવોના અસંખ્યાતમા ભાગ જેટલી છે. કલ્પનાવડે એક કોટિપ્રમાણ છે, તેને પ્રથમની જીવરાશિ ખંડોળાને લઈને ઉત્કૃષ્ટપદથી એક કોટિ ઓછી ગણી છે તેમાં નાંખવાથી જીવરાશિ તથા ઉત્કૃષ્ટપદ સરખું થાય. હવે તે બાદર નિગાદજીવરાશિ જે અસત્કલ્પનાએ એક કોડ છે તેમાંથી કલ્પનાવડે સો જીવો ઈચ્છિત સૂક્ષ્મ નિગોદના ગળા ઉપરાંત અવગાહેલ છે. તે જીવો આકાશના એક એક પ્રદેશ ઉપર પોતાના એક એક લાખ પ્રદેશથી વ્યાપેલા છે. આવા સો
સૂક્ષમ નિગોદના ગેળા ઉપર અવગાહેલ હોવાથી એક લાખને સોએ ગુણવાથી એક કટિ થાય, તે સંખ્યા ઉત્કૃષ્ટપદની સંખ્યામાં નાંખવાથી તેની સંખ્યા એક કટિ પ્રદેશ (સર્વ સૂફમનિગોદ જીવરાશિ કરતાં) અધિક થાય છે. જે ૨૫ છે
એ પ્રમાણે થવાથી શું સિદ્ધ થયું? તે કહે છે – तम्हा सव्वेहितो, जीवेहितो फुडं गहेयत्वं । उकोसपयपएसा, हुंति विसेसाहिया नियमा ॥ २६ ॥
અર્થ –(1) તે કારણ માટે (સદિતો) સર્વ (ગીતો) જીથકી ( જયપાલ) ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશે (નિયમ) નિશ્ચયથી (વિસેલા દિયા) વિશેષાધિક (હુંતિ) છે એમ (૬) પ્રગટપણે (જયશં) ગ્રહણ કરવું-જાણવું. ૨૬
अहवा जेण बहुसमा, सुहुमा लोएऽवगाहणाए य। तेणिविक जीवं, बुद्धीए विरल्लए लोए ॥ २७ ॥
અર્થ – અવા) અથવા (m) જે કારણ માટે (સ્ટોપ) લેકને વિષે (સુકુમા) સૂફમનિગોદના ગોળાઓ (અવકtgg ) અવગાહનાને આશ્રીને (૧૬) ઘણે ભાગે (રમા) સરખા છે. (તે) તે કારણ માટે (શિર્ષ) એક એક (ગીવં) જીવને (શુદ્ધ) બુદ્ધિવડે (સ્ટોપ) લેકને વિષે (વિ૪) વિસ્તારવા-સ્થાપવા.
વિવેચન–સૂમ નિગદના ગેળાઓ જીવની સંખ્યા વડે ઘણે ભાગે સરખા છે. ખંડગેળા સાથે વ્યભિચાર દોષ દૂર કરવાને માટે માથામાં (વદુરા) શબ્દ મૂક્યો છે. કલ્પનાવડે એક ગળા સંબંધી અવગાહનાને વિષે એક હજાર કેટી જી રહૃાા છે. આવા ગેળાઓ કલ્પનાથી લોકને વિષે એક લાખ છે. અવગાહનાથી બધા ગેળાઓ સરખા છે. કલ્પનાથી દરેક ગોળાઓ આકાશના દશ હજાર પ્રદેશને વિષે વ્યાપીને રહ્યા છે. હવે આકાશના એક પ્રદેશને વિષે
૨૮
Page #239
--------------------------------------------------------------------------
________________
२२६
પ્રકરણસંગ્રહ.
રહેલા જીવપ્રદેશ તથા સમગ્ર જીવે આ બંનેનું સરખાપણું જાણવાને માટે એક એક જીવને બુદ્ધિવડે કેવળી સમુઘાત ગતિથી વિસ્તારવા, એટલે એક ગેળા સંબંધી જીવના જેટલા પ્રદેશો છે-કલ્પનાવડે દશ કટાકોટિ છે તેટલા જ પ્રદેશો લકાકાશના એકેક પ્રદેશ ઉપર આવે છે. કેવળી સમુદઘાતની માફક જીવપ્રદેશનો વિસ્તાર કયે સતે છે પણ તેટલા જ છે. આથી કરીને ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ તથા સમગ્ર જીવ બને તુલ્ય થાય છે. “વદુષમા' શબ્દમાં બહુ એટલે વિશેષ કરીને અથવા પ્રાય: શબ્દ કહ્યો છે તે ખંડગોળાઓ સંબંધી દોષના પરિહાર માટે કહ્યો છે. અર્થાત્ સર્વે સૂક્ષમ નિગોદના ગોળા સરખા નથી, પરંતુ ઘણું સંખ્યાવાળા અખંડ ગેળા જીવસંખ્યાની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે, અને અતિ અલ્પ સંખ્યાવાળા ખંડગેળા જીવસંખ્યાપેક્ષાએ સરખા નથી એટલે અખંડ ગેળા જેવા નથી, એ અર્થ સૂચવવા માટે ગાથામાં “બસમા” એટલે પ્રાયઃ સરખા કહ્યા છે, પણ એકાંતે સરખા જ છે એમ કહ્યું નથી. છે ર૭ | एवं पि समा जीवा, एगपएसगयजियपएसेहिं । बायर बाहुल्ला पुण, हुंति पएसा विसेसहिया ॥ २८ ॥
અર્થ:-(gવં gિ) એ પ્રમાણે (લીલા) (gggણા ) એક આકાશપ્રદેશ ઉપર રહેલા (નિયપપé) જીવપ્રદેશોની (રમા) સરખા છે, (પુ) પરંતુ (વાયર) બાદર નિગોદ (guતા) જીવોના પ્રદેશોના (વા ) બાહુલ્યપણાથી–ઉત્કૃષ્ટ પદ ઉપર તે પ્રદેશે વધારે હોવાથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશો સર્વ જીવ કરતાં (વણેદિયા) વિશેષાધિક (હુતિ) થાય છે. ૨૮ तेसिं पुण रासीणं, निदरिसणमिणं भणामि पञ्चक्खं । सुहगहणगाहणत्थं, ठवणारासिप्पमाणेहिं ॥ २९ ॥
અર્થ—(g) વળી (સેલિં) તે (જાણીf) રાશિઓને-ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશ રાશિને તથા એક નિગોદમાં રહેલ જીવરાશિને (
કુળદળં) સુખપૂર્વક ગ્રહણ કરવા તથા કરાવવા માટે કલપનાવડે (IT) સ્થાપન કરેલ (રતિgમાé) જીવ તથા પ્રદેશોની રાશિના પ્રમાણ વડે (નિરિવામિi) આ દષ્ટાંત (પશi) પ્રત્યક્ષ (મifમ) કહું છું ! ૨૯ गोलाण लक्खमिकं, गोले गोले निगोयलरकं तु । इक्विके य निगोए, जीवाणं लक्खमिकिकं ॥ ३०॥
અર્થ–ોઢાન) કલ્પનાથી ગોળાઓ ( મિ) એક લાખ છે. (7) વળી ( ) દરેક ગોળામાં (
નિર્વ) લાખ લાખ નિગોદ
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૭
શ્રી નિદષત્રિંશિકા પ્રકરણ. छ. (य) मने ( इक्विक्के ) ये थे (निगोए) निगोहमा ( जीवाणं) । (लक्खमिक्किकं ) मे से छे. ॥ ३० ॥ कोडिसयमेगजीव-प्पएसमाणं तमेव लोगस्स । गोलनिगोयजियाणं, दस उ सहस्सा समोगाहो ॥ ३१ ॥
मथ-(एगजीवप्पएसमाणं ) मे अपना प्रशनु प्रभार ४८५नामे ४शन (कोडिसयं) सेटि छ. (तमेव लोगस्स) ते शन। प्रदेश प्रमाण छ. ( गोल ) गोमा, (निगोय ) निगोह मने (जियाणं) ७वानी (समोगाहो) अब. गाना सभी छे. मने ते ( दस उ सहस्सा ) ४२१२ प्रदेश प्रमाण छ ॥3॥ जीवस्सिक्किकस्स य, दससाहस्सावगाहिणो लोए । इकिकम्मि पएसे, पएसलक्खं समोगाढं ॥ ३२ ॥
मथ:-( लोए ) altशमा ( दससाहस्सावगाहिणो ) ६१२ माशप्रशनी मानावा (जीवस्सिक्किकस्स य) मे 204ना (पएसलक्खं) anाम प्रदेश। ( इक्विकम्मि पएसे) मे से 21शप्रदेश (समोगाद) અવગાહ્યા છે. એ ૩ર છે जीवसयस्स जहण्णे, पयम्मि कोडीजियप्पएसाणं । ओगाढा उक्कोसे, पथम्मि वुच्छं पएसग्गं ॥ ३३ ॥
मथ:-( जहण्णे पयम्मि ) धन्य५४मा ( जीवसयस्स ) से डाय छ, अने ते स ( जिय ) 4 ( कोडी) मे २।३ (प्पएसाणं ) आत्मप्रदेश।
धन्य५६३५ मे माशप्रदेशमा गोजाने विष (ओगाढा ) Aqा। छे. हुवे ( उक्कोसे पयम्मि) उत्कृष्ट५६३५ मे २४प्रदेशमा १3 गोजाने विषे (पएसग्गं ) यात्मप्रशान। समूड 3 छ ते ( वुच्छं ) छु । 33 ॥
कोडिसहस्स जियाणं, कोडाकोडीदसप्पएसाणं । उक्कोसे ओगाढा, सबजिया वि तत्तिया चेव ॥ ३४ ॥
मथ:-( उक्कोसे) उत्कृष्ट५४भा ( कोडिसहस्स जियाणं) ॥२ छोड । छे ते १२४ ७वाना साप आत्मप्रश। डावाशी (दस) ४० (कोडाकोडी) टाटि (प्पएसाणं) मात्मप्रश। ( ओगाढा) अशा छ, मने ( सधजीया वि) सर्व सूक्ष्म निगाहना छ। ५५५ ( चेव ) निश्चे (तत्तिया) તેટલા જ (દશ કટાકેટિ) છે. ૫ ૩૪
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રકરણસંગ્રહ.
कोडी उक्कोसपयम्मि, बायरजियप्पएसपक्खेवो। सोहणयमित्तियं चिय, कायव्वं खंडगोलाणं ॥३५॥
અર્થ –(૩ોરામિ) ઉત્કૃષ્ટપદને વિષે (વા) બાદર નિગોદ ( નિર) ના (કોરી) એક કોડ (ઘર) આત્મપ્રદેશ (વણે) પ્રક્ષેપવા, અને (વંડોરા) ખંડગોળામાં જીવપ્રદેશોની સંખ્યા ( મિત્તિર્ષ) એટલી જ છે તે ઓછી (વિજ) નિશે (જાચવવું) કરવી એટલે બંને સરખા થશે.
વિવેચન –ઉત્કૃષ્ટપદમાં પૂર્વે કહેલ સૂફમજીવપ્રદેશ રાશિમાં–હજાર ક્રેડમાં બાદર છવો જે ત્યાં અવગાહહ્યા છે, તેના કટિ પ્રદેશ અધિક ગણવા; કારણ કે વિવક્ષિત સૂક્ષ્મનિગોદના ગોળા ઉપર બાદર સો છો અવગાહેલ હોવાથી અને દરેક જીવના લાખ લાખ પ્રદેશ એકેક આકાશપ્રદેશ ઉપર રહેલ હોવાથી કોડ થાય. તેમજ સર્વ જીવરાશિમાંથી એક કોટિનું શોધન કરવું એટલે એક કોડ ઓછા કરવા, કારણ કે ખંડગોળામાં તેટલી સંખ્યા ઓછી છે. અથવા ખંડગોળામાં બાદર નિગોદ તેમજ વિગ્રહગતિવાળા જીના પ્રદેશો નાંખવાથી બધા ગોળા એક સરખા થાય છે, તે પણ ઉત્કૃષ્ટપદને વિષે બાદર સે જીવના એક કેટિ જીવ પ્રદેશ વિશેષ હોવાથી સમગ્ર જીવ કરતાં ઉત્કૃષ્ટપદ વિશેષાધિક જાણવું.૩૫. एएसि जहासंभव-मत्थोवणयं करिज रासीणं । सब्भावओ अ जाणिज ते अणंता असंखा वा ॥ ३६ ॥
અર્થ –(grra) એ પૂર્વે કહેલા (વીf) જીવરાશિને (અથવrā) ઉપનય-સમન્વય (કારસંપર્વ)જેમ સંભવે તેમ ( ૪) કરી લેવો. બાકી (રભાવ ૫) યથાર્થપણુથી તો (7) જીવો (બંતા) અનંતા અને નિગોદો તથા ગોળાઓ (વા) અસંખ્યાતા (કાળિs ) જાણવા.
- વિવેચન –અહીં અર્થને ઉપનય (સમન્વય) તેના યોગ્ય સ્થાનકે કરવાને પૂર્વે બતાવેલ છે. તેમાં એક નિગોદમાં જીવો એક લાખ કપ્યા છે, પણ નિશ્ચયથી અનંતા છે, તેમજ સર્વ જીવો પણ અનંતા છે. નિગોદો કલ્પનાથી લાખ ગણી છે પણ નિશ્ચયથી તે અસંખ્યાતી છે. ગોળાએ લાખ ક૯યા છે તે પણ નિશ્ચયથી અસંખ્યાતા છે. એ પ્રમાણે સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ તેમજ ગળાની અવગાહના સંબંધી વિચાર જાણ. છે ૩૬
- oooooooooooooooooooooooooooooo૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦oooooooooooooooooooooooooo Rh
oooo
onee પહ
ઇતિ શ્રી ભગવતી સૂત્રના ૧૧ મા શતકના ૧૦ મા ઉદ્દેશામાંથી ઉદરેલ શ્રી નિદ પત્રિશિકા પ્રકરણ સાથે સમાસ,
- eeeeoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooook
Page #242
--------------------------------------------------------------------------
________________
61 04ܘ
શ્રીપૂર્વાચાય પ્રણીત श्रीसमवसरण प्रकरण
( भूण तथा शब्दार्थ युक्त. )
थुणिमो केवलिवत्थं, वरविज्जाणंदधम्मकित्तिऽत्थं । देविंदनयपयत्थं, तित्थयरं समवसरणत्थं ॥ १ ॥
अर्थ:- (केवलिवत्थं) देवणी अवस्थावाजा मने (वरविजाणंदधम्मकित्ति ऽत्थं) प्रधान छे विद्या ( ज्ञानलक्ष्मी ), आनंह ( सहन सुख ), धर्म ( सर्व १२३५ ), डीर्ति ( सोम्मां गुणुनी साधा ) भने अर्थ ( पुरुषार्थ ) नेने मेवा तथा ( देविंदनयपत्थं ) भुवनपति महिना हेवेद्रोगे नभेला मेवा तीर्थ ४२५४मां रहेला भन ( समवसरणत्थं ) देवहृत समवसरणुभां मिरानेसा सेवा ( तित्थयरं ) श्री भावतीर्थनी (थुणिमो ) अभे स्तुति उरी छो. १.
पयडियस मत्थभावो, केवलिभावो जिणाण जत्थ भवे । सोहंति सबओ तहिं, महिमाजोयणमनिलकुमरा ॥ २ ॥
अर्थः-( पयडियसमत्थभावो) प्रगट र्या छे व अव आहि समय पहार्थो भेगे मेवे। ( केवलिभावो ) देवणीपणानो लाव (जिणाण ) शिनेश्वरोने ( जत्थ ) ने अणु ( भवे ) उत्पन्न थाय छे, ' ( तहिं ) ते हे आगे प्रथम ( सव्वओ ) थोतरथी ( आजोयणं ) मे योनन सुधी ( महिं ) पृथ्वीने ( अनिल कुमरा ) वायुडुभार देवेो ( सोहंति ) शुद्ध ४२ छे. २.
वरिसंति मेहकुमरा, सुरहिजलं उउसुरा कुसुमपसरं । विरयति वणा मणिकणग - रयणचित्तं महिअलं तो ॥ ३ ॥
૧ જ્યાં તીથંકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યાં ચારે નિકાયના દેવેા મળીને પ્રથમ સમવસરણ રચે છે. તેમાં કઇ કઇ જાતિના દેવા શું શું કરે છે ? તે પૃથક્ પૃથક રીતે અહીં વર્ણવી બતાવેલ છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુસંગ્રહ.
અઃ—પછી તે સ્થાને ( મેદમા ) મેઘકુમાર દેવા ( મુનિહ ) સુગંધી જળની ( સિંતિ) વૃષ્ટિ કરે છે, ( ભૂમિની રજ સમાવે છે. ) પછી (૩૩વ્રુત્ત ) છએ ઋતુના અધિષ્ઠાયક દેવા ( કુસુમપલાં ) નીચા ડીંટવાળા પાંચ વષ્ણુ ના પુષ્પાના સમૂહની વૃષ્ટિ કરે છે, (તો ) ત્યારપછી ( વળા ) વાનમાંતર દેવા (નિજળનચચિત્ત ) મણિ, સુવર્ણ અને રત્નવડે ચિત્રવિચિત્ર ( દૅિમરું ) પૃથ્વીતળને ( વિત્ત્પત્તિ ) રચે છે—ખાંધે છે-પીઠમ ધર્મ કરે છે. ૩.
૩૦
હવે સમવસરણની રચના સંબધી કહે છે:—
સ્મિતર-મા—હિં, તિવ મળિ-ચળ-ળયવિસીસા / ચળ-ઝુળ-હ્રઘ્ધમયા, વેમાસિનો-મવળજ્જા || ૪ ||
અ—— અસ્મિત માતૢિ ) અ ંદરના, મધ્યના અને બહારના તથા ( મળિયાળચવિલીલા) મણિ, રત્ન અને સુવર્ણ ના કાંગરાવાળા ( ચાખુળહળમયા ) રત્ન, સુવર્ણ અને રૂપામય એવા ( તિવવ્ડ ) ત્રણ ગઢ ( વેળિશસોમવળથા ) વૈમાનિક, જ્યાતિષી અને ભવનપતિ દેવા બનાવે છે. અર્થાત્ વૈમાનિક દેવા મણિના કાંગરાવાળા રત્નમય અંદરના ગઢ મનાવે છે, ચેાતિષી દેવા રત્નના કાંગરાવાળા સુવર્ણ મય મધ્યને ગઢ બનાવે છે અને ભવનપતિ દેવા સેાનાના કાંગરાવાળા રૂપામય બહારના ગઢ બનાવે છે. ૪.
સમવસરણુ એ પ્રકારના થાય છે. ગાળ ને ચાખડુ. તેમાં પ્રથમ ગોળ સમવસરણનું પ્રમાણ વિગેરે કહે છે:—
वम्मि दुतीसंगुल, तितीसधणु पिहुला पणसयधणुच्चा । छद्धणुसयइगको सं-तरा य रयणमयचउदारा ॥ ५॥
(
અઃ— વક્રૃમિ ) ગોળ સમવસરણને વિષે ત્રણે ગઢની દરેક ભીંતા ( તિતીરથજી ) તેત્રીશ ધનુષ હુતીસઁગુરુ ને ખત્રીશ અંશુલ (વિદ્યુા ) પહેાળી એટલે જાડી હાય છે અને ( પળયધનુષા ) પાંચસેા ધનુષ ઊંચી હેાય છે, (૫) તથા ( અદ્દભુલય ) છસેા ધનુષ અને (નોસંતરા ) એક કેશનુ એ તરફનુ મળીને દરેક ગઢનું આંતરું હાય છે. તથા ( ચમયચદ્રારા ) રત્નમય ચાર ચાર દ્વાર હાય છે. ૫.
વિશેષા—દેવતાએ જે સમવસરણ રચે છે, તે બે પ્રકારના હાય છે.
૧ આ પીઠધ ત્રણે ગઢના મધ્ય મધ્યને ભાગ સમજવા. તદ્ન જમીન ઉપર સમજવા નહીં. કાળલાકપ્રકાશમાં સવા ગાઉ ઊંચુ પીઠબંધ કરે એમ કહેલ છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી સમવસરણ પ્રકરણું.
૨૩
ગોળ અને ચોખંડું. તેમાં ગોળ સમવસરણમાં આ પ્રમાણે હોય છે–ત્રણે ગઢની દરેક ભીંતે તેત્રીશ ધનુષ અને બત્રીશ આંગળ પહોળી હોય છે, તેથી તેને ત્રણગુણ કરતાં ત્રણે ગઢની ભીતનું પ્રમાણ એકત્ર કરીએ, એટલે કે તેત્રીશને ત્રણગણું કરતાં નવાણું ધનુષ થાય છે, અને બત્રીશને ત્રણગણું કરતાં છનું આંગળ થાય તેને એક ધનુષ થયા, તે નવાણું ધનુષમાં નાખવાથી સે ધનુષ થયા. સંથી બહાર પ્રથમ દશ હજાર પગથિયા ચડીએ ત્યારે પહેલો ગઢ આવે છે, તે પગથિયા ગઢની બહાર હોવાથી સમવસરણનું પ્રમાણ જે એક જનનું છે, તેમાં ગણાતા નથી. હવે પહેલા ગઢથી પચાસ ધનુષને પ્રતર એટલે કે પચાસ ધનુષ સીધી સપાટ ભૂમિ જઈએ ત્યારે એક એક હાથે પ્રમાણ પહેાળા અને ઊંચા પાંચ હજાર પગથિયા આવે છે, તેના પાંચ હજાર હાથ થયા. ચાર હાથને એક ધનુષ હોવાથી પાંચ હજાર હાથના સાડા બારસો ધનુષ થયા, તેમાં પચાસ ધનુષ પ્રતરના નાંખવાથી તેર સે ધનુષ થયા. તેથી પ્રતર અને પગથિયા મળીને પહેલા અને બીજા ગઢની વચ્ચેનું અંતર તેરસે ધનુષનું થાય છે. એ જ રીતે બીજા અને ત્રીજા ગઢની વચ્ચેનું અંતર પણ પ્રતર અને પગથિયા મળીને તેરસ ધનુષનું થાય છે. પછી પહેલા ગઢની અંદર તેરસો ધનુષ જઈએ ત્યારે પીઠનો મધ્ય ભાગ એટલે આખા સમવસરણનું મધ્યબિંદુ આવે છે, તેથી ત્રણ વાર તેરસો મળી એગણચાળીશ સો ધનુષ થયા. તેમાં ત્રણે ગઢના સો ધનુષ નાખીએ ત્યારે ચાર હજાર ધનુષ થાય છે. તેટલું મધ્યબિંદુથી છેડા સુધીનું એક તરફનું પ્રમાણ છે, તેટલું જ બીજી તરફનું પ્રમાણ હોવાથી કુલ આઠ હજાર ધનુષ થયા. બે હજાર ધનુષને એક ગાઉ હોવાથી આઠ હજાર ધનુષના ચાર ગાઉ એટલે એક યોજન થાય છે. તેટલું ગોળ સમવસરણ હોય છે.
હવે ચેરસ સમવસરણનું ગઢ વિગેરેનું પ્રમાણ કહે છે – चउरंसे इगधणुसय-पिहु वप्पा सड्ढकोसअंतरिआ । पढमबिआ बिअतइआ, कोसंतर पुत्वमिव सेसं ॥ ६ ॥
અર્થ-(રસે) ચતુરસ્મ-ચરસ સમવસરણમાં (aq) બહારનો ગઢ ગણતરીમાં લેવાનું ન હોવાથી બે ગઢની બન્ને બાજુની મળીને ચાર ભીંતો છે. તે દરેક (૬Tધyag) એકસો ધનુષ પહોળી-જાડી હોવાથી ચારસો ધનુષ થયા. (ાદમવિકા) પહેલા અને બીજા ગઢની વચ્ચે બને બાજુનું મળીને કોરઅંતરિયા) દેઢ ગાઉનું આંતરું છે. (વિગતબા) બીજા અને ત્રીજા ગઢની વચ્ચે (સંતર) બન્ને બાજુનું મળી એક ગાઉનું આંતરું છે. (તેલં) બાકીનું (પુવમિવ ) પૂર્વની જેમ જાણવું. એટલે ત્રીજા ગઢની વચ્ચે એક ગાઉ અને છસો ધનુષનું આંતરું છે. તેમાં પૂર્વના ચારસે ધનુષ ભેળવતાં એક ગાઉ અને હજાર
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૨
પ્રકરણસંગ્રહ. ધનુષ એટલે દઢ ગાઉ થાય, તે પૂર્વના અઢી ગાઉમાં ભેળવતાં ચાર ગાઉ (એક જન પ્રમાણ ) સમવસરણ થાય છે.
વિશેષાર્થ –અહીં વૃત્ત સમવસરણની જેમ એક તરફનું અર્ધ જનનું પ્રમાણ આ પ્રમાણે છે –બહારના પહેલા વપ્રની ભીંત ગણતરીમાં લેવાની ન હોવાથી પહેલા અને બીજા ગઢની વચ્ચે પંદરસે ધનુષનું આંતરું છે. તેમાં પગથિયા છ હજાર સમજવા, પ્રતર સમજવું નહીં. પછી બીજા ગઢની ભીંત સો ધનુષ જાડી છે, અને બીજા ત્રીજા ગઢની વચ્ચે એક હજાર ધનુષનું આંતરું છે. તેમાં ચાર હજાર પગથિયા સમજવા, પ્રતર સમજવું નહીં. પછી ત્રીજા ગઢની ભીંત સે ધનુષ જાડી છે, અને ત્રીજા ગઢથી પીઠના મધ્ય ભાગ સુધી તેર સો ધનુષ છે. આ સર્વ એકત્ર કરવાથી ચાર હજાર ધનુષ એટલે અર્ધ યોજન થાય છે, એટલું જ બીજી બાજુ હોવાથી પૂર્ણ યોજન થાય છે. ૬. सोवाण सहस दस कर-पिहुच गतुं भुवो पढमवप्पो । तो पन्ना धणु पयरो, तओ अ सोवाण पण सहसा ॥७॥
અર્થ:(મુ) પૃથ્વી ઉપરથી (fપદુશ) એક એક હાથ પહેળા અને ઊંચા (રહર રર) દશ હજાર (નોવાળ ) પગથિયા (7) જઈએચડીએ ત્યારે (પઢવો ) પહેલે ગઢ આવે છે. (તો) ત્યારપછી (પન્ના ધy) પચાસ ધનુષને (પ ) પ્રતર-સરખો ભૂમિભાગ આવે છે, (ક) અને (તો) ત્યાર પછી એક એક હાથ પહોળા અને ઊંચા (પણ હતા ) પાંચ હજાર (સવા) પગથિયા આવે છે. ૭.
तो बिय वप्पो पन्ना-धणु पयर सोवाण सहस पण तत्तो। तइओ वप्पो छस्सय-धणु इगकोसेहिं तो पीढं ॥८॥
અર્થ –(તો) ત્યારપછી (વિવો ) બીજે ગઢ આવે છે, ત્યારપછી (ઉન્નાથg ) પચાસ ધનુષને (ઘર) પ્રતર આવે છે, (તો) ત્યારપછી (સદર ) પાંચ હજાર ( નોવાળ ) પગથિયા આવે છે, ત્યારપછી (તો)
૧-૨ આ છ હજાર ને ચાર હજાર પગથિયાની કલ્પના સમાસને અંગે કરેલી છે. એ પ્રમાણેની સંખ્યાને પાઠ જોવામાં આવ્યો નથી.
શ્રીકાળલોકપ્રકાશમાં સમવસરણને અધિકારે ચોખંડા સમવસરણમાં પહેલા બીજા ગઢ વચ્ચેના ૧૩૦૦ ધનુષ્યના આંતરડામાં ૨૫૦ જનનું પ્રતર ને ૧૨૫૦ ધનુષ્યમાં ૫૦૦૦ પગથિયા કહ્યા છે. બીજા ગઢની વચ્ચેને ૧૦૦૦ ધનુષ્યના આંતરામાં હાથ હાથના પ્રમાસુવાળા ૫૦૦૦ પગથિયા કેમ સમાય ? તેને માટે બહુશ્રુતને ભળાવે છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી સમવસરણ પ્રકરણ.
૨૩૩ ત્રીજો (m) ગઢ આવે છે. (તો) ત્યારપછી (ફોરે) એક કેસ-ગાઉ અને (જીત ) છસો ધનુષ પ્રમાણની () ત્રીજા ગઢની વચ્ચેની પીઠ એટલે સમાન ભૂમિ આવે છે. ૮. (આ બંને ગાથાની હકીકત વૃત્ત સમવસરણ માટે જાણવી.) चउदार तिसोवाणं, मज्झे मणिपीढयं जिणतणुच्चं । दो धणुसय पिहुदीहं, सड्डदुकोसोहि धरणिअला ॥ ९ ॥
અથ–(મ) તે સમાન ભૂમિની મધ્યે (૪ ) ચાર દ્વાર અને (રિનોવા) ત્રણ ત્રણ પગથિયાવાળી (નિત૬) જિનેશ્વરના શરીર જેટલી ઊંચી (મળવઢ) મણિપીઠિકા હોય છે. તે ( પુરા) બસો ધનુષ (વિદુરીયું) પહોળી અને લાંબી-ચરસ હોય છે, અને (ઘળા ) પૃથ્વીતળથી (સદુ
f) અઢી કેશ ઊંચી હોય છે. (ત્રણ ગઢના મળીને કુલ વીશ હજાર પગથિયા હોવાથી પાંચ હજાર ધનુષ એટલે અઢી કેસ થાય છે. ) ૯. जिणतणुबारगुणुच्चो, समहिअजोअणपिहू असोगतरू । तयहो य देवच्छंदो, चउ सीहासण सपयपीढा ॥ १० ॥
અર્થ – નિબત્તપુરાgUશો ) જિનેશ્વરના શરીરથી બારગુણો ઊંચે અને (સહિમોગપદ) એક યોજનથી કાંઈક અધિક પહોળ-વિસ્તારવાળો (મોતા) અશોક વૃક્ષ હોય છે, () અને (તો) તેની નીચે (કેવો ) દેવચ્છેદક હોય છે. તેની ઉપર (સાચા ) પાદપીઠ સહિત (ર૪ દાણા ) ચાર સિંહાસન હોય છે.
વિવેચન –ાષભદેવના સમવસરણમાં આ અશોક વૃક્ષ ત્રણ ગાઉ ઊંચે હોય છે, બીજા બાવીશ પ્રભુના સમવસરણમાં પણ તે જ પ્રમાણે તેમના શરીરથી બારગુણે ઊંચો હોય છે અને વીર ભગવાનના સમવસરણમાં રહેલા અશોક વૃક્ષ બત્રીશ ધનુષ ઊંચે કહ્યો છે. તે આ પ્રમાણે–વીર પ્રભુનું શરીર સાત હાથ એટલે પિણે બે ધનુષ ઊંચું હોવાથી પિણું બેને બારગુણું કરતાં એકવીશ ધનુષ થાય,
૧ બત્રીશ ધનુષ ઊચે અશોક વૃક્ષ પાંચ સે ધનુષ ઊંચી ગઢની ભીંતની બહાર નીકળી શકે નહીં તેથી જે પ્રભુના શરીરને ૧૨ ગુણું કરતાં ૫૦૦ ધનુષ ન થાય ત્યાં પ્રભુના અતિશયથી બહાર નીકળે એમ માનવું. અથવા ગઢની ઊંચાઈ દરેક પ્રભુના શરીર પ્રમાણે હેય તે એક એજનના વિસ્તારમાં વાંધો આવે નહીં. જુઓ ! મધ્યની મણિપીઠ દરેક પ્રભુના શરીર પ્રમાણે ઊંચી જ હોય છે. વળી સમવસરણ નાનું નાનું થાય ને ગઢ પ્રથમ પ્રમાણે જ ઊંચા રહે તે પણ ઠીક લાગતું નથી.
૩૦
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પ્રકરણસંગ્રહ. તેટલે ઊંચે અશોક વૃક્ષ હોય છે, અને તેની ઉપર અગ્યાર ધનુષને ચિત્યવૃક્ષ હોવાથી કુલ બત્રીશ ધનુષ થાય છે. ૧૦. तदुवरि चउ छत्ततिआ, पडिरूवतिगं तहट्टचमरधरा । पुरओ कणयकुसेसय-ट्ठिअ फालिअधम्मचक्कचऊ ॥११॥
અર્થ:-(રૂરિ) તે ચારે સિંહાસન ઉપર (ર૪) ચાર (છત્તતિના) ઉપરાઉપર રહેલા ત્રણ ત્રણ છત્ર છે, તથા (હિતિ) પૂર્વ સિવાયના બીજા ત્રણ સિંહાસન ઉપર વ્યંતરેંદ્રોએ વિકલા પ્રભુના ત્રણ પ્રતિબિંબ હોય છે. () તથા ( મરઘા) દરેક બાજુના પ્રભુ પાસે બબે હોવાથી કુલ આઠ ચામરધારી દે હોય છે. તથા () સિંહાસનની આગળ (પાંડુરક્રિય) સુવર્ણકમળ ઉપર રહેલા (ાસ્ટિક) સ્ફટિક રત્નના ( વમવશવક) ચાર ધર્મચક્ર હોય છે. ૧૧. झयछत्तमयरमंगल-पंचालीदामवेइवरकलसे । पइदारं माणतोरण-तिअ धूवघडी कुणति वणा ॥ १२ ॥
અથ –( ) ત્રણે ગઢના દ્વાર દ્વારા પ્રત્યે-ચારે બાજુના મળીને બાર દ્વારે (વા) વાણુવ્યંતર દેવ (ક્ષય) વજ, (છત્ત ) છત્ર, (મ) મકર, (સંપાદ) અષ્ટમંગળ, (રંવાટી) પુતળી, (મ) પુષ્પમાળા, (૬) વેદિકાએટલી, (વાય ) પૂર્ણ કળશ, (મતિતિ ) મણિમય તરણના ત્રિક અને (પૂવાડી) ધૂપની ઘટી-આ સર્વ વસ્તુઓ ( કુતિ) કરે છે-વિમુર્તે છે૧૨. जोयणसहस्सदंडा, चउज्झया धम्ममाणगयसीहा। . ककुभाइजुया सव्वं, माणमिणं निअनिअकरेण ॥ १३ ॥
અર્થ:–તથા (નોરણા ) એક હજાર યોજનના દંડવાળા અને (મારા) નાની નાની ઘંટડીઓ અને વજાવડે યુક્ત એવા (પwમાઇનરી) ધર્મધ્વજ, માનધ્વજ, ગજધ્વજ અને સિંહધ્વજ નામના (ાથા) ચાર ધ્વજ ચારે દિશામાં અનુક્રમે સમવસરણની બહાર હોય છે. અહીં (ઘં મામિ ) આ સર્વ પ્રમાણ (નિનિરાળ) પિતપિતાના હાથવડે જાણવું. એટલે જે પ્રભુનું સમવસરણ હોય તે પ્રભુના આત્માંગુળે જાણવું. ૧૩. पविसिअ पुवाइ पह, पयाहिणं पुव्वआसण निविट्ठो । पयपीढठवियपाओ, पणमिअतित्थो कहइ धम्मं ॥ १४ ॥
૧ જ્ઞાનત્પત્તિનું વૃક્ષ તે ચૈત્યક્ષ કહેવાય છે. તે વીર પ્રભુનું સાલવૃક્ષ હતું.
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી સમવસરણ પ્રકરણ
ર૩૫ અથ –(gg) પ્રભુ (જુદાઇ ) પૂર્વ દિશાના દ્વારે (વિલિમ ) પ્રવેશ કરી (પાળિ) ત્રણ પ્રદક્ષિણા કરી (પુષમાવળ) પૂર્વ દિશાના સિંહાસન પર (નિવિદો) બેસીને (પવિપાકો) પાદપીઠ પર પગને સ્થાપન કરી ( પમિતિ) “નમો રિસ્થા” એમ બેલી–તીર્થને નમસ્કાર કરીને પછી (બ) ધર્મદેશનાને ( ૬) કહે છે. ૧૪. मुणि वेमाणिणि समणी, सभवणजोइवणदेविदेवति । कप्पसुरनरिस्थितियं, ठंतिग्गेयाइविदिसासु ॥ १५ ॥
અર્થ --(વારિસાણ) અગ્નિ આદિક વિદિશાઓને વિષે (તિ ) પર્ષદાઓ બેસે છે, તે આ પ્રમાણે (fr) સાધુઓ, માિિા ) વૈમાનિક દેવીએ અને (મળ) સાધ્વીઓ-એ ત્રણ પર્ષદા પૂર્વ દિશાના દ્વારે પ્રવેશ કરી અગ્નિખૂણામાં અનુક્રમે બેસે છે. પહેલા સાધુ, તેની પાછળ વૈમાનિકની દેવી અને તેની પાછળ સાધ્વી. (એમ અનુક્રમ સર્વત્ર જાણ.) (મવડાવવા) ભવનપતિની દેવીઓ,
જ્યોતિષની દેવીઓ અને વાનગૅતરની દેવીઓએ ત્રણ પર્ષદાએ દક્ષિણ દિશાના દ્વારે પ્રવેશ કરીનેત્રત ખૂણામાં અનુક્રમે બેસે છે. (વતિ) તેના જ ત્રણ દેવો એટલે ભવનપતિ, જ્યોતિષ અને વાનવ્યંતર દેવ એ ત્રણ પર્ષદા પશ્ચિમ દિશાના દ્વારે પ્રવેશ કરી વાયવ્ય ખૂણામાં બેસે છે, તથા ( જુહુનરિસ્થિતિ) વૈમાનિક દે, પુરુષ અને સ્ત્રીઓ, એ ત્રણ પર્ષદા ઉત્તર દિશાના દ્વારે પ્રવેશ કરી ઈશાન ખૂણામાં બેસે છે. (આ રીતે ચાર દિશાની મળીને બાર પર્ષદા સમજવી. તે સર્વ પષદા પ્રભુને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને પોતપોતાની પર્ષદામાં જાય છે. ) ૧૫.
चउदेवि समणी उद्ध-द्विआ निविट्ठा नरिस्थिसुरसमणा । इय पण सग परिस सुणं-ति देसणं पढमवप्पंतो ॥ १६ ॥
અર્થ –બાર પર્ષદામાની ( રવિ) ચાર પ્રકારની નિકાયની) દેવીઓ અને (રમા) સાધ્વીઓ (૩ફ્રિકા) ઊભી રહે છે અને (નરિસ્થિકુલમા ) પુરુષો, સ્ત્રીઓ, ચાર પ્રકારના દેવો અને સાધુઓ (નિવિટ્ટા) બેસે છે. () આ પ્રમાણે (પદ્વમવન્વતો) પહેલા એટલે અંદરના વપ્રની મધ્યે રહેલી (ઉળ સા) પાંચ અને સાત મળીને બાર (પતિ) પર્ષદાઓ ( i) પ્રભુની દેશનાને (સુતિ) સાંભળે છે. ૧૬.
इय आवस्सयवित्ती-वृत्तं चुन्नीइ पुण मुणि निविट्ठा । . હો માળ સમr, 3ઠ્ઠા એસા ાિ ૩ નવા ?૭ |
અર્થ – ર ) આ પ્રમાણે-ઉપલી ગાથામાં કહ્યા પ્રમાણે (આવતા
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રકરણસંગ્રહ વિરપુર) આવશ્યકની વૃત્તિમાં–ટીકામાં કહ્યું છે, (પુ) પરંતુ (સુબીર) તેની ચૂણિમાં તે એમ કહ્યું છે કે-(મુળિ) સાધુઓ (નિવા) ઉત્કટિક આસને બેસે છે, (
માળિfજ મળ) વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ એ બે પર્ષદા (૩) ઊભી રહે છે, (૩) તથા (રેરા) બાકીની (નવ) નવ પર્ષદા (દિગ) બેસે છે. ૧૭. बीअंतो तिरि ईसाणि, देवच्छंदो अ जाण तइअंतो। તદ રફતે કુટુ, વાવી વોળો વદિ ણ િ ૨૮ છે.
અર્થ –(વીવંત) બીજા વપ્રની મળે (તિરિ) તિર્યચે રહે છે. (૪) તથા તેના ( ળિ) ઈશાન ખૂણામાં (વછેરો) પ્રભુને વિશ્રામ લેવા માટે રત્નમય દેવછંદ બનાવેલો હોય છે. તથા (તાત) ત્રીજા એટલે બહારના વપ્રની અંદર (ગાળ) વાહનો રહે છે. (ત૬) તથા (૩ ) ચતુરસ સમવસરણની બહારના વપ્રની ચારે બાજુએ જમીન ઉપર (થાન) ખૂણે ખૂણે (ડુ ટુ વાવી) બબે વા હોય છે, અને (દિ) વૃત્ત-ળ સમવસરણમાં (Iિ ) એક એક વાવ હોય છે. ૧૮. (ચોરસમાં પગથિયાની બે બાજુએ એક એક એમ ચારે દિશાએ બે બે હેાય છે.) વ-નિર-રામ, સુરવણ-જ્ઞામવા રચવા ધણુ-પર-થથ, સોમ-મ-વ-ધપાવવા ?
અર્થ–(ચળવ) અંદરના રત્નમય વપ્રને વિષે અનુક્રમે પૂર્વાદિ ચાર દરવાજે (ક) પીત, (ણિક) શ્વેત, ( ર ) રક્ત અને(સામા) શ્યામવર્ણવાળા (સુદ) વૈમાનિક, (૩) વાવ્યંતર, (કોઈ) જ્યોતિષી અને (મા ) ભવનપતિ નિકાયના (ધr ) ધનુષ, (જં) દંડ, (પણ) પાશ અને (જય) ગદાને (0) હાથમાં ધારણ કરનારા () સોમ, (મ) યમ, (વર ) વરુણ અને (અથવા) ધનદ નામના દ્વારપાળો ઊભા રહે છે. ૧૯
સમજુતી માટે યંત્ર દ્વારપાળના નામ
વર્ણ શસ્ત્ર ૧. સેમ વૈમાનિક પીત
ધનુષ ૨. યમ વાન વ્યંતર શ્વેત
દક્ષિણ ૩. વરુણ જ્યોતિષ
પશ્ચિમ ૪. ધનદ ભવનપતિ
ગદી
ઉત્તર
નિકાય
દિશા
પાણી
૨ક્ત શ્યામ
વીણ સેવી નુ, માંસ-TH-HIRT ૨૦ /
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી સમવસરણ પ્રકરણ
૨૩૭
શ્રેત
૨ત પીત
મકર
અર્થ –(રીડ) બીજ વપ્રના ચાર દરવાજે એક સરખા નામવાળી (તેવી ગુદા) બબે દેવીઓ પૂવોદિ દિશાના અનુક્રમે ઊભી રહે છે. તે (૪) જયા, (વિનાયા) વિજયા, (નર) અજિતા અને (અપરિત્તિ) અપરાજિતા નામની, (સિક) શ્વેત, (ગા) રક્ત, (વીસ) પીત અને (નિસ્ટામા ) નીલ વર્ણવાળી તથા (સમય) અભય, ( ર) અંકુશ, (પણ) પાશ અને (મારા ) મકરાકાર શસ્ત્રને હાથમાં ધારણ કરનારી હોય છે. ર૦.
સમજુતી માટે યંત્ર. બબે દ્વારપાલિકાના નામ વર્ણ શસ્ત્ર દિશા ૧ જયા
શ્વેત
અભય ૨ વિજય
અંકુશ દક્ષિણ ૩ અજિતા
પાશ
પશ્ચિમ ૪ અપરાજિતા નીલ
ઉત્તર આ દેવીઓ કઈ નિકાયની છે તે કહેલ નથી પણ ચારે નિકાયની પ્રથમ ગઢ પ્રમાણે સંભવે છે. तइअ बहि सुरा तुंबरु-खटुंगि-कवाल-जडमउडधारी। पुवाइदारवाला, तुंबरुदेवो अ पडिहारो ॥ २१ ॥
અર્થ– તમ દ) ત્રીજા વરની બહાર ચારે દરવાજે (તુવર) તુંબરુ, (શિ) ખગી, (વા) કપાલધારી અને (માધાપર) જટામુકુટધારી એ ચાર (ઉદાવાવઢિા) પૂર્વાદિક દ્વારે ઊભા રહેનારા દ્વારપાળો હોય છે. ( સ ) તથા વળી (સુંવવો) તુંબરુ નામને દેવ (રા) પ્રતિહાર છે, કારણ કે પ્રભુ પૂર્વારવડે પ્રવેશ કરે છે. ૨૧. सामन्नसमोसरणे, एस विही एइ जइ महिड्डिसुरो । सव्वमिणं एगो वि हु, स कुणइ भयणेयरसुरेसु ॥ २२ ॥
અર્થ:-( રામજોરજો ) સામાન્ય સમવસરણને વિષે (વિદી ) આ ઉપર કહ્યો તે સર્વ વિધિ જાણ. (એટલે કે ચારે નિકાયના દે પિતપોતાના અધિકાર પ્રમાણે જુદા જુદા કાર્ય કરે છે. ) પરંતુ (૬) જે કઈ (મહિપુત્તે) મહદ્ધિક દેવ (gg) આવે તો (૧) તે ( ફુ) એકલો પણ (ashi) આ સર્વ (સુદ) કરે છે અને ( ફુચરપુરુ) મહદ્ધિક સિવાય બીજા દેવ
૧ અભય એ શસ્ત્ર નથી પરંતુ કાઈ પણ જીવને અભયદાન આપતી વખતે જેમ હાથ કરવામાં આવે તેવી હરતાકૃતિ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પ્રકરણસ ગ્રહ
હાય તેા ( મથળા ) ભજના જાણવી એટલે કે તેઓ સમવસરણ કરી શકે પ ખરા અને ન પણ કરી શકે. ૨૨.
पुव्वमजायं जत्थ उ, जत्थे सुरो महिडिमघवाई | तत्थोसरणं नियमा, सययं पुण पाडिहेराई ॥ २३ ॥ અર્થાત્ સત્ય ૩ ) વળી જયાં તે તીથ કરને આશ્રીને ( પુä ) પહેલાં અનાર્ય ) સમવસરણ ન થયું હાય, તથા ( જ્ઞત્થર્ ) જ્યાં ( મુત્તે મત્તિમયવારે ) મહદ્ધિક ધ્રુવ કે ઇંદ્રાદિક ( ૬ ) આવે, ( તત્ત્વ ) ત્યાં તે ( નિયમા ) અવશ્ય ( ોલળ ) સમવસરણ કરે છે; ( જુળ ) અને ( પહિઘેરાt ) આઠ મહાપ્રાતિહાર્યાદિક તા ( સચય ) નિરંતર હાય છે. ૨૩.
કાઇ વાર
વિશેષમાં આ પ્રમાણે જાણવું—જે સાધુએ કોઇ વાર સમવસરણ જોયું ન હાય, તેણે બાર ચેાજન દૂરથી પણ સમવસરણમાં આવવું જોઇએ, જો ન આવે તે તેને ચતુ ઘુ નામનું પ્રાયશ્ચિત્ત આવે છે. તથા પ્રભુ પહેલી પેરિસી પૂર્ણ થાય ત્યાંસુધી દેશના આપે છે, ત્યારપછી ત્યાં રાજા મહારાજા તરફથી બળિને પ્રવેશ થાય છે— અળિ લાવવામાં આવે છે. તે અળિ ઉછાળવામાં આવે છે. તેને દેવ, મનુષ્ય વિગેરે સર્વે યથાયેાગ્ય ગ્રહણ કરે છે. તે અળિના પ્રભાવથી વર્તતા હેાય તે સર્વ વ્યાધિએ દૂર થાય છે અને છ માસ સુધી નવા વ્યાધિઓ ઉત્પન્ન થતા નથી. બળિક્ષેપ થઈ રહ્યા પછી પ્રભુ પહેલા વપ્રના ઉત્તર દિશાના દ્વારથી બહાર નીકળી બીજા વપ્રના ઇશાન ખૂણામાં રહેલા દેવઋદકને વિષે વિશ્રાંતિ લેવા પધારે છે અને બીજી પેરિસીએ ગણધર મહારાજ પાઇપીઠ ઉપર બેસીને ધર્મોપદેશ આપે છે. તેઓ પણ અસંખ્યાતા ભવ કહી શકે છે. ઇત્યાક્રિક વિસ્તાર શ્રી આવશ્યક સૂત્રાદિકથી જાણવા. दुत्थि असमत्थअस्थि - जण पत्थि अअत्थसत्थसुसमत्थो । ભં થો છઠ્ઠુ નાં, તિત્ત્વયો છુળર સુ(ત)વચË ॥૨ણા
અર્થ:—( દુર્થિ ) દુ:ખ પામતા ( સમર્થ ) સમગ્ર ( અસ્થિશાળ ) અથીજનાના (થિઅઅત્યંત્તસ્થ ) પ્રાર્થિત-ઇચ્છિત અર્થાના સમૂહને આપવામાં કુસમન્થો ) અત્યંત સમર્થ એવા ( તિત્ત્વયો ) શ્રી તીર્થંકર દેવ ( ♥ ) આ પ્રમાણે ( છુઓ ) સ્તુતિ કરાયા છે, તે ભગવાન ( હ્રદુ ) શીઘ્રપણે ( જ્ઞળ ) ભવ્ય પ્રાણીને ( F ( સ ) i ) મેક્ષપદમાં રહેલા અથવા પેાતાના પદ્મમાં રહેલા ( ઝાડ ) કરેા. ૨૪.
॥ इति पूर्वाचार्यप्रणीत समवसरण स्तव ॥
| || || millimetim
Page #252
--------------------------------------------------------------------------
________________
品
2
0000000000000000000
LC
শ
0000000000000 2
००००००००००००००००
श्री क्षमाकुलकम्
नमिऊण पुवपुरिसाण, पसमरससुट्ठियाण पयकमलं । नियजीयस्ससहिं, कसायवसगस्स वुच्छामि ॥ १ ॥
अर्थ:- (पसमरससुट्ठियाण ) प्रशमरसभां सारी रीते रहेला (पुवपुरिस (ण) पूर्व पुरुषोना ( पयकमलं) यरशुम्भाने ( नमिऊण ) नमस्४२ उरीने ( कसायवसगस्स ) उषायना वश थयेला ( नियजीयस्स ) पोताना वने समन्वा योग्य ( अणुसट्ठि) शिक्षाने ( वुच्छामि ) हुं हुं छु. १.
गयमेयज्जमहामुणि-खंदगसीसाण साहुचरियाई । समरंतो कह कुप्पसि, इत्तियमित्ते वि रे जीव ! ॥ २ ॥
अर्थ:- (रे जीव ) डेव ! ( गयमेयजमहामुणि) भड्डामुनि गनसुकुभाव तथा भेतार्य मने ( खंदगसीसाण ) २४४ सूरिना शिष्योना ( साहुचरियाई ) उत्तम यरित्राने ( समरंतो ) संभारत थी- नशुतो सतो ( इत्तियमित्ते वि ) माटसा मात्र सहन निभित्तथा पशु ( कह कुप्पसि ) शा भाटे अप अरे छे ? २.
पिच्छ पाणविणासे वि, नेव कुप्पंति जे महासत्ता । तुज्ज पुण हीणसत्तस्स, वयणमित्ते वि एस खमा ॥ ३ ॥
अर्थ:-( पिच्छसु ) तु ले ! (जे महासत्ता) ने महाधैर्य वाणा पुरुषो होय छेते तो ( पाणविणासे वि ) प्राशुने! नाश थये सते पशु (नेव कुप्पंति ) निश्चे अप उरता नथी ( पुण हीणसत्तस्स ) मने ही सत्त्ववाणा मेवा ( तुज ) तारा नेवा ( वयमित्ते वि ) मे वयनमात्रमा पशु ( एस खमा ) भावी ४ क्षमा છે ને ? અર્થાત કેમ ક્ષમા રાખી શકતા નથી ? ૩.
अक्कोस हणण-मारण धम्म भंसाण बालसुलभाणं । लाभं मन्नइ धीरा, जहुत्तराणं अभावम्मि ॥ ४ ॥
Page #253
--------------------------------------------------------------------------
________________
२४०
પ્રકરણસંગ્રહ. मथ:-(बालसुलभाणं) अज्ञानीने सुसान सेवा ( अक्कोस ) माश, (हणण) हुनन, (मारण) भा२६ (धम्मभंसाण) तथा धर्मनी नाश-तना (जहुत्तराणं) मनुठभे (अभावम्मि) मनावमा (धीरा ) धीर पुरुष। (लाभं मन्नइ ) લાભ માને છે. એટલે અજ્ઞાનીના કરેલા આક્રોશમાં હનનાદિક તો નથી કર્યું? અને હનન કરે તે હજુ મારણ તે નથી કર્યું-મરણ પમાડવા તે નથી? કદી મૃત્યુ પમાડે તે પણ મારે ધર્મભ્રંશ તો કર્યો નથી? એમ ઉત્તરોત્તર અભાવથી લાભને માને છે અર્થાત્ મૃત્યુ પર્વતના કષ્ટમાં પણ ક્રોધ કરતા નથી. ૪
रे जीव ! सुहदुहेसु, निमित्तमित्तं परो जीयाणं पि । सकयफलं भुंजतो, कीस मुहा कुप्पसि परस्स ॥ ५ ॥
अथ:-( रे जीव ) 3 ७१ ! ( जीयाणं पि) याना से प्राणीमाना (सुहदुहेसु सुगमने विष ( परो) अन्य मनुष्य तो (निमित्तमित्तं ) निमित्त मात्र ४ छे, तेथा ( सकयफलं ) पातान! ४२वा भनाइने ( भुंजंतो) लोगयते। थ। ( परस्स ) ollan S५२ ( कीस मुहा ) ॥ भाटे ट ( कुप्पसि) કોપ કરે છે ? ૫. कोहवसट्टे भंते !, जीवे किं जणइ इय विजाणंतो। भगवइवयणं निल्लज, देसि कोवस्स अवगासं ॥ ६ ॥
मथ:- (भंते) मा ! (कोहवसट्टे) औधने साधान यो थर्छ। (जीवे) ७१ ( किं जणइ ? ) शुत्पन्न ४२ छ ? 'सना उत्तर भाटेनु ( इय भगवइवयणं) स्मा लावतानुबयन ( विजाणतो ) तो थ। ५५( निल्लज) नि ! ( कोवस्स ) ओपने ( अवगासं ) ११४ भ ( देसि ) मापे छ ? ६.
શ્રી ભગવતીસૂત્રમાં ક્રોધ કરતો જીવ અનેક પ્રકારના માઠા કર્મને બાંધે છે વિગેરે સ્પષ્ટ કહેલું છે તે પાઠ સાથે કહે છે
कोहवसट्टे भंते जीवे किं बंधइ ? किं पकरेइ ? किं चिणोइ ? किं उवचिणोइ ? गोयमा ! कोहवसट्टेणं जीवे आउअवजाओ सत्तकम्मपगडिओ सिढिलबंधणबद्धाओ घणियबंधणबद्धाओ पकरेइ।हस्सकालठिइआओ दीहकालठिइआओ पकरेइ । मंदाणुभागाओ तिव्वाणुभागाओ पकरेइ । अप्पपएसगाओ बहुपए.
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી ક્ષમાકુલકમ
૨૪૧ सगाओ पकरेइ । आउअं च णं कम्मं सिअ बंधइ सिअ नो बंधइ। असाया वेअणिजं च णं कम्मं भुजो भुजो उवचिणोइ। अणाइयं च णं अणवयग्गं दीहमद्धं चाउरंतं संसारकंतारं अणुपरियट्टइ ॥ ___ मथ:-( कोहवसट्टे भंते ) · मावन् ! ओपने साधीन थये। (जीवे किं बंधइ ) 4 शुमांधे ? ( किं पकरेइ ) शु४२ ? (किं चिणोइ) शुमेहुरे ? (किं उवचिणोइ)शु विशेष मेहुरे ? ' (गोयमा) 3 गौतम! (कोहवसट्टेणं जीवे)
धने १श थये। ०१ ( आउअवजाओ) आयुष्य भ ने (सत्तकम्मपगडिओ) सात भनी प्रतिमा (सिढिलबंधणबद्धाओ) शिथिल ५ धनथी पांघेतीसाने (धणियबंधणबद्धाओ पकरेइ ) गामधनवाजीथे। ४२ छे. ( हस्सकालठिइआओ) था। अनी स्थितिवाणीन (दीहकालठिइआओ पकरेइ ) eiनी स्थितिवाणी ४२ छे. ( मंदाणुभागाओ) भह सामाग(२स)वाणी धेिबीने (तिवाणुभागाओ पकरेइ ) तीन अनुभाग(२स)वी ४२ छे. (अप्पपएसगाओ) था। प्रदेशवाजीमाने (बहुपएसगाओ पकरेह ) प्रशवाजी ४२ छे. (आउअं च णं कम्मं सिअ बंधइ, सिअ नो बंधइ ) मायुष्यभने पथित् धेि, वयित्न ५५५ मांधे( असायावेयणिजं च णं कम्मं भुजो भुजो उचिणोइ ) शतावनीय भने वारंवार से ४२ छ-मांधे छे. ( अणाइयं च णं अणवयग्गं) मनाहि मनत सेवा (दीहमद्धं ) -ain m4m ( चाउरंतं3 ) ॥२ गतिवाणा (संसारकतारं अणुपरियट्टइ ) ससा२३५ सटवीमा लभे छ.'
पढमं चिय तं जंतुं, कोहग्गी डहइ जत्थ उववज्जे । तत्थुप्पन्नो तं चेव, इंधणं धूमकेउ व्व ॥ ७ ॥
मथ:-( धूमकेउव ) म अनि ( जत्थ उववजे) यां अत्पन्न याय छे, ( तत्थुप्पन्नो ) त्या त्पन्न यधने ( पढमं ) प्रथम तो ( तं चेव इंधणं ) ते टन ( डहइ ) गाणे छ; ( कोहग्गी ) तेम ५३पी ममि ( पढमं ) प्रथम ( जत्थ उववजे ) रे ना त:४२मा उत्पन्न थाय छ, ( तत्थुप्पन्नो ) त्यां उत्पन्न न (चिय) निश्चे ( तं जंतुं) ते प्राीन मामि गुणाने ( डहइ ) माणे छे. ७.
. १ अनवदग्रं-अनंतं. २ दीर्घाध्वानं. ३ चातुर्गतिकं.
૩૧
Page #255
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
रे जीव ! कसायहुआसणेण दड्ढे चारित्तघरसारे। भमिहिसि भवकंतारे, दीणमणो दुत्थिर व तुमं ॥८॥
अर्थ:-( रे जीव ) 3 ७१ ! ( कसायहुआसणेण ) ४ाय३पी मभिवडे ४शन ( चारित्तघरसारे ) यात्रि३५॥ ३२॥२-५२मांडेनी सार सा२ १२तु (दहे) पन्य छते ( तुम ) तु ( भवतारे ) वाटवीमा (दीणमणो) हान भनवाणे थने ( दुत्थिउ छ ) भीयाना भा४ ( भमिहिसि ) सभीश. ८.
इहयं चिय पञ्चक्खं, दुक्खमिणं तुज्झ कोहवसगस्स । जं पुण परंमि लोए, तं जाणइ जीव ! सव्वन्नू ॥९॥
मथ:-( जीव ) 3 4 ! (कोहवसगस्स) औधने साधीन मेवा (तुज्क्ष) तने प्रथम त ( दुक्खमिणं ) 24 मातु:५ ( इहयं चिय) मा मा समi ( पञ्चक्खं ) प्रत्यक्ष छे. (जं पुण) अने? (परंमि लोए) ५२४मां५२मा हु.५ प्रात थवा समय छ (तं)ते हुमने तो (सधन्नू) सर्व ( जाणइ ) ये छ...
न मुणंति परं अप्पं, कयमकयं सुंदरं च इयरं वा। धणमित्तनासमरणं, वेरं न गणंति कोहंधा ॥ १० ॥
मथ:-( कोहंधा ) ओपथी म पनी गयेसा मनुष्य। ( परं अप्प ) ५२ने तथा पाताने (न मुणंति) एता नथी, (कयमकयं) इत्यने तथा अत्यने तता नथी, (सुंदरं च इयरं वा ) सारु मथवा न२सुनता नया, (धणमित्तनासमरणं) तभ०८ धननाश, भित्रनाथ तथा भ२सने (वेरं न गणंति ) ३२ विगैरेने ५५५ गणता नथी. १०.
सपरोभयाण संताव-कारओ कुगइगमणहेऊ अ। पीईवुच्छेअकरो, कोहो तवनियमवणदहणो॥ ११ ॥
मथ:-( कोहो )ोध छ त ( सपरोभयाण) पाताने माने ५२ने तमा उभयने ( संतावकारओ) संतापन। ४२ना२ छ, ( कुगइगमणहेऊ अ ) तेभा
शतिनी प्रातिनु-दुर्गतिमा भ्रमनु ॥२९ छ, (पीईवुच्छेअकरो) तथा प्रेमना ना॥ ४२नार के मने ( तवनियमवण ) त५ नियम३५ पनन ( दहणो ) माना। छे. ११.
Page #256
--------------------------------------------------------------------------
________________
२४३
શ્રી ક્ષમાકુલકમ जं अज्जियं चरितं, देसूणाए वि पुवकोडीए। तं पि हु कसायमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥ १२ ॥
सर्थ:-(ज) २ (चरित्तं ) याश्त्रि (देसूणाए वि पुष्चकोडीए) देश Sagale पूर्व पर्यत ( अजियं ) 30 ४२ भेटवे पाणे डाय (तं पि हु) ते यात्रिने पर निश्चे ( मुहुत्तेणं ) मे मुहूर्त मात्रमा ( कसायमित्तो) धने माधीन थय। ( नरो) मनुष्य ( हारेइ ) हारी लय छ-10 छ. १२.
जं अजियं समीपल्लवेहि तवनियमबंभमाइएहिं । मा हु तयं कलहंता, उल्लिंचह सागपत्तेहिं ॥ १३ ॥
अर्थ :-(समीपल्लवेहि) सभीवृक्षन नाना स२५॥ पां143 ४शन ( तवनियमबंभमाइएहिं ) त५, नियम, प्रझर्य विगेरेथा (जं अजियं) २i पुरय - बनर्यमेट मे यु. (तयं कलहंता) तने साथ ४२ता था तु (सागपत्तेहिं ) सामवृक्षन। पांडे ( मा हु उलिंचह ) 63.31 नाम भां. १3. (શમીવૃક્ષના પત્ર બહુ નાના હોય છે, તેના વડે બહુ થોડું એકઠું થાય છે, તેને સાગવૃક્ષના બહુ મોટા પાંદડાવડે ઉડાડતા ક્ષણમાં બધું ઉડી જાય છે.)
पढउ सुअं धरउ वयं, कुणउ तवं चरउ बंभचेराई । तह वि तयं सव्वं पि हु, निरत्थयं कोहवसगस्स ॥१४॥
मर्थ:-(सुअं) श्रुत ( पढउ ) लये।, (वयं ) व्रत (धरउ ) पा२९५ ४२।, ( तवं ) त५ ( कुणउ ) ४२, ( बंभचेराई ) ब्रह्मययाहि (चरउ) मायरे। ( तह वि) तो ५५५ (तयं सव्वं पि हु) ते सर्व (कोहवसगस्स) औधने साधीन थयेसा भनुष्य२ (निरत्थयं ) निरर्थ: थाय छ अर्थात् प ४२वाथी सर्व धर्मना સહજમાં નાશ થાય છે. ૧૪.
जइ जलइ लोए जलउ, कुसत्थपवणाहओ कसायग्गी । तं चुजं जं जिणवयण-वारिसित्तो वि पजलइ ॥१५॥
मथ:-( जइ ) २ ( लोए) सोभा (कुसत्थपवणाहओ) शा२०३५ ५वनथी डायना ( कसायग्गी) पाय३पी ममि ( जलइ ) पणे तो ते (जलउ) म मो, परंतु (जं जिणवयण ) २ लिनेश्वरना क्यन३पी ( वारिसित्तो वि ) पीथा सीयाया छतi ५७ ( पजलइ ) षाय३५. मि पणे ( तं चुजं ) ते आश्चर्य छे. १५.
Page #257
--------------------------------------------------------------------------
________________
२४४
પ્રકરણસંગ્રહ
हयमम्हाणं नाणं, हयमम्हाणं मणुस्समाहप्पं । जं किर लद्धविवेगा, विचिठिमो बालबाल व्व ॥ १६ ॥
मथ:-( अम्हाणं नाणं ) भारु ज्ञान (हयं ) यु', (अम्हाणं मणुस्समाहप्पं) आभार मनुष्यानु महत्व ५९ (हयं) वायु, (जं किर लद्धविवेगा) ४॥२॥ ॐ अभे निश्ये विवे भव्या छतां ५ (बालबालुव) अज्ञानी मानी भा३४ ( विचिट्ठिमो ) येटर ४ीये छीमे. १६. पढिअस्स तस्स मुणिअस्स तस्स सिद्धंतसुद्धबोहस्स। सुहगुरुउवएसस्स य, अवसाणं एरिसं जीव ! ॥ १७ ॥
मथ:-( जीव ) 4 ! (पढिअस्स ) ते मास (तस्स मुणिअस्स) तथा ते anda ( तस्स सिद्धंतसुद्धबोहस्स ) तथा तने श्रयेत ते सिद्धांतन। शुद्ध माघ (य) qी ते सांगणे ( सुहगुरुउवएसस्स ) शुभ गुरुना उपदेश ते सर्वनु ( अवसाणं ) परिणाम शु ( परिसं ) मा मायु ? अर्थात से બધું છતાં પણ તું ક્રોધ તજીને સમતાને ભજી શકે નહીં? ૧૭.
अप्पविसुद्धिनिमित्तं, किलिस्ससे ता चएसु कोवरिऊ । विमलत्तमहिलसंतो, कह मजसि पंकिलजलंमि ॥ १८ ॥
मथ:-( अप्पविसुद्धिनिमित्तं ) ! मामानी विशुद्धि भाटेने तु (किलिस्ससे ता) वेश पामेछ-मे६ ४२ छ त। (कोवरिऊ) ओघ३५ शत्रुन। (चएसु) त्या। १२. (विमलत्तमहिलसंतो) निर्मपणाने २७तेतु ( पंकिलजलंमि ) ४११tri ( कह मजसि ) २॥ भाटे 3 छ ? १८. एगस्स वि निअहिअयस्स जीव ! विनिवारणे जइ न सत्ती । ता कहणु पारभविअं, महारिविनिवारणं तुज्झ ॥ १९ ॥ ... मथ:-(जीव) ! ( एगस्स ) में (निअहिअयस्स वि ) पोताना हयने ५५५ (विनिवारणे ) शांत ४२वामा ( जइ न सत्ती ) नेता शति नथा (ता) ते ( तुज्ज्ञ ) ताराथी (पारभविअं) ५२लमा उरान ४२ ना२। (महारि विनिवारणं) मोटर शत्रु भोपाहिनु निवारण (कहणु) २ रीते थशे ? १८. सव्वो वि इह पसंतो, पसंतजणमज्झसंठिओ संतो। सइ कोवकारणे जो, अकोहणो सो इह पसंतो ॥ २० ॥
Page #258
--------------------------------------------------------------------------
________________
SaamanamaAAAAAAAAMAN
શ્રી ક્ષમામુલકમ मथ:-(इह ) मा भi ( पसंतजणमज्झसंठिओ संतो) शतनाना मध्यमा २ सो सते( सवो वि पसंतो) सन शांत डाय छे, ५५ (जो) २ (कोवकारणे सइ) छोपना रणे। उपस्थित थये छते ( अकोहणो)यित् ५५ रोधी न थाय ( सो इह पसंतो) ते ४i ॥२५२ शांत गाय छे. २०. जइ खमसि दोसवंते, ता तुह खंतीइ होइ अवगासो । अह न खमसि ता तुह, अविसयाइ खंतीइ वावारो॥ २१ ॥
मथ:-(जइ) ने तु (दोसवते ) होषकतने से होत ५२ (खमसि ) भीश-क्षमा ४शश ( ता तुह खंतीइ) तो तराभा क्षमाना (अवगासो ) १४॥-व्या५२ ( होइ) थशे. (अह न खमसि) ५ तेने नही ममे (ता तुह ) तोतारे। ( खंतीइ वावारो) क्षमान। व्यापार ( अविसयाइ) विषय વિનાને થશે, અર્થાત્ અપરાધીને ક્ષમા કરવી તે જ ક્ષમાને વ્યાપાર છે, અન્યથા તેના વ્યાપારની પ્રવૃત્તિ જ નથી. ૨૧ जइ खमसि तो नमिजसि, छज्जइ नामं पि तुह खमासमणो । अह न खमासि न नमिजसि, नाम पि निरत्थयं वहसि ॥२२॥
मथ:- ! ( जइ खमसि ) तुक्षमा ४३रीश (तो नमिजसि ) तो तु अन्यथा । अथात तो तने llon नभरी भने (तुह खमासमणो) तारु क्षमाश्रम (नामपि ) नाम ५५ (छजइ ) शमशे. ( अह न खमसि ) भने ने क्षमा नहि ४२ त(न नमिजसि ) अन्यथा ॥ नहीं मने (नामं पि) क्षमाश्रम मे नाभने ५ ( निरत्थयं वहसि ) गट १४न ४२ना। ४१२२. २२.
दड्डो अ तवो फुसिओ अ, संयमो मइलिअंच चारित्तं । हारविअं सामन्नं, कोहकसायं वहंतेण ॥ २३ ॥
अथ:- ! (कोहकसायं वहतेण ) ध नामना पायने वन ४२। मेवात ( तवो) तपने (दड्डो अ) धु, (संयमो) सयभन। (फुसिओ अ) ना ध्यो, ( चारित्तं ) यात्रिने ( मइलिअं च ) मलिन थुमने ( सामन्नं ) श्रमापा ( हारविअं) मा नाण्युं अर्थात् यथा तार सर्व नष्ट थयु. २३.
कोहानलवसगाणं, पसमामयभावियाण य हवंति । इहयं चिय दोसगुणा, नायमचंकारिभट्टित्ति ॥ २४ ॥
Page #259
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ मथ:- कोहानलवसगाणं) ५३५ अभिने १२ थये। अने ( पसमामयभावियाण य) प्रशभ३५ अभृतथा मावित थये। मनुष्याने ( दोसगुणा) होष मने गुण ( इहयं चिय ) Anaभा प्रत्यक्ष ( हवंति ) ४ाय छे. तेनी ०५२ ( नायमचंकारिभट्टित्ति ) २५२ महानु हटांत छ.१ २४
एअं खंतीकुलयं, दुद्दमजीवाण सासणं अहवा । जो परिभावइ सम्म, सो पावइ पसमवररयणं ॥२५॥
मथ:- दुइमजीवाण सासणं ) २ प्राणी से भव। योग्य डाय तेन हमना२ ( अहवा) अथवा अपूर्व शिक्षण३५ ( एअं खंतीकुलयं ) मा क्षमासने ( जो)२ ( सम्मं ) सारी शते (परिभावइ ) भावे छ-पियारे ( सो) ते l ( पसमवररयणं ) श्रेष्ट सेवा प्रशभ३५ २नने ( पावइ ) पामे छे.
ઈતિ ક્ષમામુલક સાથે સંપૂર્ણ
-noooooo
इन्द्रियविकार( विषयकषाय )निरोधकुलकम्
रजाइ भोगतिसिया, अवसट्टा पडंति तिरिएसुं । जाईमएण मत्ता, किमिजाई चेव पावंति ॥१॥
मथ:-या मोगतृ ॥ मनुष्य। ( अट्टवसट्टा ) आध्यानने १५४ने ( तिरिएK ) तिर्य योनिमा ( पडंति ) ५3 छ मेटले अत्पन्न थाय छे.
દરેક પ્રકારના મદથી કેવી જાતિમાં ઉત્પન્ન થાય છે? તે કહે છે –
(जाईमएण मत्ता) १ तिना महेशने महान्मत्त थये। । (किमिजाई चेव ) भि तिने थेट विद्रियपणाने निश्ये (पावंति ) पामे छे. १.
कुलमत्ति सियालत्ते, उहाईजोणि जंति रूवमए । बलमत्ते वि पयंगा, वुद्धिमए कुक्कडा हुंति ॥ २ ॥
म :-( कुलमत्ति ) २ मा ( सियालत्ते ) शियाणीया थाय छे. (रूवमए ) 3 ३५ना महा॥ ( उट्टाईजोणि ) ॐ विगैरेनी योनिभा (जंति )
૧ આ દષ્ટાંત અમારી છપાવેલી ક્ષમાકુલકાદિ સંગ્રહની બુમાં છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
ANAAAAAAA
AnnnnnnAAAAA
ઈન્દ્રિયવિકારનિધિ કુલકમ उत्पन्न थाय छे. ( बलमत्ते वि ) ४ महा। ( पयंगा ) ५ताया थाय छे. (बुद्धिमए ) ५ भुद्धिना महवा ( कुक्कडा हुंति ) ४४७१ थाय छे. २.
रिद्धिमए साणाई, सोहग्गमएण सप्पकागाई। नाणमएण बइल्ला, हवंति मय अट्ठ अइदुट्टा ॥३॥
म.-( रिद्धिमए ) ६ ऋद्धिना महे शने ( साणाई ) श्वान महिमा उत्पन्न थाय छे. ( सोहग्गमएण) ७ सोमायन। म रीने (सप्पकागाई ) सर्प तथा । विगेरे थाय छ भने ( नाणमएण) ८ ज्ञानना महेशने (बइल्ला) १६ ( हवंति ) थाय छे. ( अ ) 0 418 ( मय ) मह। ( अइदुठा ) अति दुष्ट छ.. 3..
कोहणसीला सीहा, मायावी बगत्तणम्मि वच्चंति । लोहिल्ल मूसगत्ते, एव कसाएहिं भमडंति ॥ ४ ॥
मथ:-(कोहणसीला) जोधना स्मा५५ (सीहा ) सिंहयोनिमा परे छ. ( मायावी ) मायावी ७१ ( बगत्तणम्मि ) सापाने ( वच्चंति ) पामे छे, (लोहिल्ल ) साली ४ (मूसगत्ते ) ६२ थाय छे. ( एव ) से प्रमाणे ( कसाएहिं ) ४ाय ४शने ७१ ( भमडंति ) संसान परिभ्रमण ४२ छे. ( भान-भ६ षाय माटे ५२ ४डी माया छ. ) ४
माणसदंडेण पुणो, तंदुलमच्छा हवंति मणदुट्ठा । सुयतित्तरलावाई, होउ वायाइ बझंति ॥ ५॥
मथ:- पुणो ) वणी ( माणसदंडेण ) मनाह 43 शने प्राणी (मणदुठ्ठा) दुष्ट मनवा ( तंदुलमच्छा हवंति) तहुणीय। भ२७ याय . (वायाइ ) क्यन.रीने ( सुयतित्तरलावाई होउ ) पोपट, तत२ अनेसा विगरे ने ( बझंति ) म ४२ छ. ५
कारण महामच्छा, मंजारा उ हवंति तह कूरा । तं तं कुणंति कम्मं, जेण पुणो जति नरएसुं ॥ ६ ॥
मथ:-( कारण महामच्छा ) यह 3 रीने मोटा भ२७ ( मगर ) (तह) तथा ( कुरा ) २ सेवा ( मंजारा उ हवंति ) nिt विगेरे थाय छ भने (तं तं) ते ते लवामा ( कम्मं ) मेवा भने ( कुणंति ) ४२ छे : ( जण पुणो) रथा ३३शन ( नरएसु ) न२४i ( जंति ) onय छे. ६.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૨
श्ररणुस'ग्रह.
फासिंदियदोसेणं, वणसूयरत्तणम्मि जंति जीवावि । जीहालोलुअ वग्घा, घाणवसा सप्पजाई ॥ ७ ॥
अर्थ:-( फासिंदियदोसेणं ) पर्थे द्रियना होषथी ( जीवावि ) ( वणसूयरत्तणम्मि जंति ) वनमा लु उपायाने पामे छे, ( जीहालोलुअ वग्घा ) भिड्वाद्रियना बोलुची बाघ थाय छे, (घाणवसा) घ्राणुद्रियना वशथी ( सम्पजाईसुं) સર્પની જાતિમાં ઉત્પન્ન થાય છે. ૭.
नयादिए पयंगा, हुंति पुण मया सवणदोसेण । एए पंच विनिणं, वयंति पंचिदिएहि पुणो ॥ ८ ॥
अर्थ:-(नयर्णिदिए पयंगा) यक्षुद्रियना होषथी पत ंगीया थाय छे. (पुण) मने (सवणदोसेण ) श्रोत्राद्रियना होषथी ( हुंति मया ) भृग थाय छे. (एए पंच वि) प्रारना प्राणीओ ( पंचिदिएहि पुणो ) पांथ मंद्रिय पैडी खेडे इंद्रियना होषथी इरीने ( निहणं वयंति ) भरगुने पाने छे. ८
जत्थ य विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ । किरियासु अप्पमाओ, सो धम्मो सिवसुहो लोए ॥ ९ ॥
अर्थ :- ( जत्थ य ) ने धर्मभां ( विसयविराओ ) विषयो उपर विरतलाव होय ( वैराग्य होय ), ( कसायचाओ ) उपायनेो त्याग होय, ( गुणेसु अणुराओ ) गुणो उपर प्रीति होय भने ( किरियासु अप्पमाओ ) डिया अश्वामां अप्रमाद होय. ( सो धम्मो ) ते धर्म ( लोए) बाउने विषे ( सिवसुहो ) भोक्षसुमने • आपना। थाय छे. ८. ( सिवसुहोवाओ ) वो पाछे तेथी ते यार પ્રકારના ધર્મજ શિવસુખના સ્પષ્ટ ઉપાય છે.
ઇતિ ઇંદ્રિયવિકારાદિ નિરાધ
કુલક સાથે સંપૂર્ણ
深深渊
Page #262
--------------------------------------------------------------------------
________________
..
..
..
......
.0000
...00000०."
ne
8
pooo000
00000
00000° po0000
000000000001
DOO
.0030000.0
श्री लोकनालिद्वात्रिंशिका प्रकरण
પ્રથમ બાલાવબોધકર્તાનું મંગલાચરણ श्रीमदाप्तं प्रणम्यादौ, जगतः स्थितिदर्शकम् ।। वक्ष्ये लोकविचारस्य, वार्तिकं समयानुगम् ॥
मथ:-( जगतः ) सतना (स्थितिदर्शकं) स्वभावने पाउना। (श्रीमदातं ) श्री वीतराग मावानने ( आदौ) प्रथम (प्रणम्य ) नमः४२ ४३रीने ( लोकविचारस्य ) बना वियानु (वार्तिकं ) व्याभ्यान ( समयानुगम् ) समयने अनुसार मेटले आममi sal प्रमाणे ( वक्ष्ये ) ई ४डी. जिणदंसणं विणा जं, लोअं पूरंत जम्ममरणेहिं । भमइ जिओऽणंतभवे, तस्स सरूवं किमवि वुच्छं ॥१॥
मथ:-(जिणदंसणं ) श्री ती ४२ हेक्ना डेटा सभ्यत्व 2424॥ तीथे ४२नुशन ते (विणा जं) विना ( जम्ममरणेहिं ) भ तथा भरणे ४२१, (लो) : मेटले सामान्यपणे यौह ने (पूरंत ) पूरता था ( अणंतभवे ) मनतम प्रत्ये (भमइ जिओ) १ नमे छे. (तस्स सरूवं ) ते सोनु १३५-मा४।२, मा, पडा तथा 15 ( किमवि ) issतिथि-मात्र (वुच्छं) ॐ ॥१॥
અનંતપ્રદેશી અલકાકાશને વિષે રહેલા લેકના આકારને સામાન્યપણે વર્ણવે છે. वइसाहठाणठिअपय-कडित्थकरजुगनरागिई लोगो। उप्पत्तिनासधुवगुण-धम्माइछदवपडिपुण्णो ॥ २॥
मथ-(वइसाह ) विशाम सट पडा ५ ( ठाण ) संस्थानने मेट छ। सवाना समयने विष । डाय तवा मारे (ठिअपय ) स्थाया छ में य२५ नो मने (कडित्थ ) टिने विष समेत छ (करजुग) ७२तयुगल नशे मेवी २ (नरागिई लोगो) मनुष्यनी माति तनी सा छे.
३२
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પ્રકરણસ ગ્રહ.
અહીં વલાવવાના અધિકાર માટે નર શબ્દવડે પ્રાયે સ્ત્રી જાણી લેવી. સ્ત્રી જ્યારે છાશ લેાવે છે ત્યારે એ પગ પહેાળા રાખે છે અને કટિપ્રદેશને વિષે સંકીણુ થાય છે, તેની પેઠે લેાક પણ નીચે પહેાળા પહેાળા છે અને ચઢતા ચઢતા મધ્ય ભાગને વિષે સંકીણ છે. વળી લેાવતાં બન્ને હાથ કટિપ્રદેશે રાખવામાં આવે છે ત્યારે એ કાણીના વચલા ભાગમાં કટિપ્રદેશથી હૃદય સુધી ચઢતા વિસ્તાર થાય છે, અને ત્યાંથી ઉપર મસ્તકદિશિ સંકીર્ણ થાય છે તેમ લેાક પણ મધ્યભાગથી ઉપર ચઢતાં પાંચમા દેવલેાક સુધી વિસ્તાર પામેલ છે. ત્યાંથી વળી સંકીણું થાય છે. તે માટે લેાવનારી સ્ત્રીના આકારનું હૃષ્ટાંત કહ્યું છે.
એ લેાકમાં ક્યા ક્યા પદાર્થો છે ? તે કહે છે:-~
–
( ૩ત્તિ ) ઉપજવું, ( નાલ ) નાશ પામવું અને ( ધ્રુવનુળ ) નિશ્ચળ રહેવું વિગેરે ગુણા છે જેને વિષે એવા ( ધમ્માછલહિપુનો) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય, જીવાસ્તિકાય તથા કાળ–એ છ દ્ર॰ચાવડે પરિપૂર્ણ ભરેલા છે. ।। ૨ ।
અવતરણ:-કેટલાએક પરદની એમ કહે છે કે લેાક બ્રહ્માએ ઉત્પન્ન કર્યા છે, વિષ્ણુ પાલન કરે છે, મહાદેવ સંહાર કરે છે, શેષનાગ, કાચા અને કામધેનુ તેને ધારણ કરી રહ્યાં છે. તેનુ નિરાકરણ કરવા માટે કહે છેઃ— केण वि न कओ न धओ-ऽणाहारो नहठिओ सयंसिद्धो । अहमुहमहमल्लग - ठिअलहुमल्लगसंपुडसरिच्छो ॥ ३ ॥
અ:—મા લેાક ( જે વિ) કોઇએ પગુ (નદ્દો ) ઉત્પન્ન કર્યા નથી, (ન ઘો ) કેાઇએ પણ ધારણ કર્યા નથી, ( અળાāારો ) નિરાધાર રહેલા છે, સર્વ પદાર્થ લેાકને આધારે છે, (નો) લેાકાકાશને વિષે સ્થિત છે, (સત્તદો સ્વયં'સિદ્ધ છે. હવે એ લેાકના આકાર પ્રકારાંતરે કહે છે-( મુદ્દે ) અધેામુખ એટલે ઉંધા રાખેલા જે (મમહુવા) માટેા શરાવ (જિન્નરુત્તુમાસઁપુરુ ) તેની ઉપર રાખેલ ન્હાના શરાવના સંપુટ (રો) સરખા આ લાકના આકાર છે. ગા पयतलि सग मज्झेगा, पण कुप्परि सिरतलेगरज्जु पिहू । सो चउदसरज्जुच्चो, माघवइतलाओ जा सिद्धी ॥ ४ ॥
અ:—( યતહિ) પહેલાં જે વૈશાખસ્થાનસ્થિત મનુષ્યને આકારે લાક કહ્યો તે પગના તળિયાને ઠેકાણે ચારે દિશાએ ( સજ્જ ) સાત રાજપ્રમાણ ( દૂિ ) પહેાળા છે; ( મન્થેના) અને મધ્ય ભાગ જે પુરુષાકારને વિષે નાભિનું સ્થાન છે ત્યાં એક રાજપ્રમાણ ચારે દિશાએ પહેાળા છે, (ઝુરિ ) બન્ને હાથની કોણીના
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી લેકનાલિદ્રાત્રિશિકા પ્રકરણ.
૨૫૧ સ્થાનને વિષે (g) પાંચ રાજ પ્રમાણ પહેળે છે. અને (સિતારભુ ) મસ્તકને ઠેકાણે એક રાજપ્રમાણુ પહોળો છે. (માવાતાવ્યોતે લોક માઘવતી નામની સાતમી નરકપૃથ્વીના તળિયાથી ઉપર (કા સિદ્ધી) યાવત્ સિદ્ધ છે ત્યાંસુધી છે અને (નો રસ rigયો) તે ચાદ રાજપ્રમાણ ઊંચો છે ! ૪ /
અવતરણ—હવે પહોળાઇનું સ્થાન પ્રમાણ સાથે કહે છે – सगरज्जु मघवइतला, पएसहाणीइ महिअले एगा। तो बुड्ढि बंभजा पण, पुण हाणी जा सिवे एगा ॥५॥
અર્થ –(મલવતા ) માઘવતી જે સાતમી નરકમૃથ્વી તેને તળિએ ચારે દિશાને વિષે (સરy ) એ લેક સાત રાજપ્રમાણુ પહોળે છે, (vvલદાળ) ત્યાંથી પ્રદેશ પ્રદેશની હાનિ કરતાં ઉપર નિયંકના ( મહિએ gai ) મહીતલને વિષે આવે ત્યારે ચારે દિશાને વિષે એક રાજપ્રમાણ વિસ્તાર છે. (તો સુદ વંમા પા) ત્યાંથી વળી ઉપર જતાં પ્રદેશ પ્રદેશની વૃદ્ધિ થાય છે, તે પાંચમું બ્રહ્મ નામે દેવલોક છે, ત્યાં ચારે દિશાએ પાંચ રાજપ્રમાણુ પહોળો છે, (પુના ઢાળ કા સિવે પા) ત્યાંથી વળી પ્રદેશ પ્રદેશ ઘટતે છે, તે જ્યાં સિદ્ધ છે ત્યાં ચારે દિશાએ એક રાજપ્રમાણુ પહોળો છે ! ૫ છે
અવતરણ --હવે લેકનાલિકાની સ્થાપનાને ઉપાય કહેતાં પ્રથમ ત્રસનાડીનો વિચાર કહે છે –
सगवन्नरेह तिरिअं, ठवसु पणुढे च रज्जु चउअंसे । इगरज्जुवित्थरायय, चउदसरज्जुच्च तसनाडी ॥६॥
અર્થ:-(સવ તિથિં) સત્તાવન રેખા તિછી () સ્થાપીએ–કરીએ (qy૬ ) અને પાંચ રેખા ઊભી કરીએ. એ પ્રમાણે કરતાં ઊંચપણે (જુ ઘરે) એક રાજના ચાર અંશ પ્રમાણ છપન્ન ખંડ થાય, કારણ કે તિરછી સત્તાવન રેખા છે તેના અંતરમાં છપન્ન ખંડ જ થાય. ઊભી પાંચ રેખા છે તેના વિચ્છ ચાર ખંડુ થાય. ચાર ખાંડુએ એક રાજ થાય. તેથી (તલનાડી) ત્રસનાડી (સુરyવિથરાયય ) લંબાઈ ને પહોળાઈએ એક રાજપ્રમાણ અને (વડત ) ઊંચપણે ચંદ રાજપ્રમાણ જાણવી છે ૬
લકનો મધ્યભાગ જે ત્રસનાડી તેમાં જ બેઇદ્રિયાદિક ત્રસ જી જન્મમરણ પામે છે અને રહે છે, તેથી તે ત્રસનાડી કહેવાય છે. એ ત્રસનાડીની બહાર જે લોકનો વિસ્તાર છે ત્યાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ સર્વત્ર વ્યાપી રહેલ છે, તેમજ પોલાણમાં બાદર વાયુકાય પણ છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૨
પ્રકરણસંગ્રહ. અવતરણ—હવે ઊર્ધકને વિષે બંને વિસ્તાર કહે છે – उड्ढे तिरिअं चउरो, दुसु छ दुसु अट्ठ दस य इकिके। बारस दोसुं सोलस, दोसुं वीसा य चउसु पुढो ॥७॥
અર્થ –(3) ઊર્વકની શ્રેણને વિષે પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીથકી ઉપર જે અઠ્ઠાવીશ ખાંડુઆની શ્રેણિ છે, (તિરિ) તેમાં લેકના મધ્યથી ઉપર પહેલી (ડુડુ) બે શ્રેણિને વિષે () ચાર ચાર ખાંડુઆ ત્રસનાડીના જ છે, પણ ત્રસનાડીથી બહાર નથી. ત્યારપછી તેની ઉપર (તુલુ છે) બે શ્રેણિને વિષે છ છ ખાંડુઆ છે, એટલે ચાર ખાંડુઆ ત્રસનાડીના અને અકેક બને પાસાને ખાંડુઓ મેળવતાં છ ખાંડુ થાય છે. ત્યારપછી ઉપર (ટ્ટ ૪ દf ) એકેક શ્રેણીને વિષે આઠ ને દશ ખાંડુઓ છે. તેમાં આઠમાં બે ખાંડુઓ બે પાસે અને ત્રસનાડીના ચાર ખાંડુઓ એમ આઠ ખાંડુએ છે. અને દશ ખાંડુઆ છે, તેમાં બંને પાસે ત્રણ ત્રણ અને ત્રસનાડીના ચાર મળીને દશ ખંડુ છે. (વારણ રોણું) ત્યારપછી બે શ્રેણિને વિષે બાર બાર ખાંડુઓ છે. તેમાં બે બાજુ ચાર ચાર ને મધ્યમાં ત્રસનાડીના ચાર એમ બાર છે પછી (રોસ્ટર તો!) બે શ્રેણિને વિષે સોળ સોળ ખાંડુએ છે, તેમાં બે બાજુ છ છ ને વચ્ચે ચાર ત્રસનાડીના એમ સોળ છે. ( વીણા જ કg yલો) તેમજ ત્યારપછી ચાર શ્રેણિને વિષે પ્રત્યેકમાં વીશ વીશ ખાંડુએ છે, તેમાં બે બાજુ આઠ આઠ ને વચ્ચે ચાર ત્રસનાડીના છે. જે ૭ છે
અવતરણ –એવી રીતે ઊર્ધ્વ લોકને વિષે પ્રદેશની વૃદ્ધિના ખાંડુએ કહ્યા એટલે અઠ્ઠાવીશ શ્રેણી પિકી ચૂદ શ્રેણિના કહ્યા, હવે બાકીની ૧૪ શ્રેણીમાં હાનિના ખાંડુઓ કહે છે – पुणरवि सोलस दोसुं, बारस दोसुं च तिसु दस तिसुष्टु । छदुसु दुसु चउ खंडुअ, सव्वे चउरुत्तरा तिसया ॥८॥
અર્થ –( grf તો રોહુ) વળી પંદરમી તથા સોળમી એ બે શ્રેણિને વિષે સોળ સોળ ખાંડુએ છે. (વારસ તો ૪) સત્તરમી તથા અઢારમી એ બે શ્રેણિને વિષે બાર બાર ખાંડુઓ છે. (તિલુ રહ) ઓગણીશમી, વીશમી, તથા એકવીસમી એ ત્રણે પંક્તિને વિષે દશ દશ ખાંડુએ છે. (તિકુટ્ટ) બાવીશમી, ત્રેવીસમી તથા ચોવીશમી એ ત્રણ પંક્તિને વિષે આઠ આઠ ખાંડુએ છે. (જીજુ ) પચીશમી તથા છવીસમી એ બે શ્રેણિને વિષે છ છ ખાંડુએ છે અને (દુજુ વરૂ વંદુક) સત્તાવીશમી તથા અઠ્ઠાવીશમી એ બે શ્રેણિને વિષે ચાર ચાર ખંડુઆ ત્રસનાડીના જ છે. એવી રીતે ઊર્વકની અઠ્ઠાવીશ શ્રેણિના ખાંડુ
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૧૧૧૧૧૧૧
શ્રી લેકનાલિદ્વાત્રિશિકા પ્રકરણ
૨૫૩ આનું માને કહ્યું. એ પ્રમાણે ઊર્વલકના ખાંડુઆ (રાજે કહા તિરા) સર્વે મળીને ૩૦૪ થાય છે. ૮
અવતરણ—હવે અલેક સંબંધી ખંડની સંખ્યા કહે છે – ओअरिय लोअमज्झा, चउचउठाणेसु सत्तपुढवीसु । चउर दस सोल वीसा, चउवीस छवीस अडवीसा ॥९॥
અથ– જોગમ) ચિદ રાજપ્રમાણને મધ્ય એટલે જે વચ્ચે પ્રદેશ છે. ત્યાંથી (મોગાિ ) અધોલક પ્રત્યે ઉતરતાં ( ઉદવીદુ) સાત નરકપૃથ્વીને વિષે પ્રત્યેકે ( ડાપુ) ચાર ચાર શ્રેણિને વિષે કેટલા કેટલા ખંડુ છે તે કહે છે. અધલેકમાં પહેલી નરકપૃથ્વીની ચારે શ્રેણિમાં (૩૪) ચાર ચાર ખાંડુઓ છે, તેવી ચાર શ્રેણીના મળીને સોળ ખાંડુ થાય છે. બીજી નરકપૃથ્વીને વિષે ચારે શ્રેણિમાં પ્રત્યેકે પ્રત્યેકે (ર) દશ દશ ખાંડુઆ છે, તેને ચારગુણ કરતાં ચાલીશ ખાંડુઆ થાય છે. ત્રીજી નરકમૃથ્વીએ ચારે શ્રેણિમાં પ્રત્યેકે પ્રત્યેકે (૪) સોળ સોળ ખાંડુએ છે, તેને ચારે ગુણતાં ચોસઠ ખાંડુઆ થાય છે. જેથી નરકપૃવીને વિષે ચારે શ્રેણિમાં પ્રત્યેકમાં (વીલા) વીશ વીશ ખાંડુએ છે, તેને ચારે ગુણતાં એંશી ખાંડુઆ થાય છે. પાંચમી નરકમૃથ્વીએ ચારે શ્રેણિમાં પ્રત્યેકે (વીસ) વીશ ચોવીશ ખાંડુએ છે, તેને ચારે ગુણતાં છ— ખાંડુ થાય છે. છઠ્ઠી નરકમૃથ્વીએ ચારે શ્રેણિમાં પ્રત્યેકે (વીસ) છવીશ છવીશ ખાંડુઆ છે, તેને ચારે ગુણતાં એક ને ચાર ખાંડુઆ થાય છે. સાતમી નરકપૃથ્વીને વિષે ચારે શ્રેણિમાં પ્રત્યેકમાં (વીરા) અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ ખાંડુઆ છે, તેને ચારે ગુણતાં એક સ ને બાર ખાંડઆ થાય છે. એવી રીતે સોળ, ચાલીશ, ચોસઠ, એશી, છનુ, એક સે ને ચાર તથા એક સે ને બાર કુલ ૫૧૨ ખંડુઆ એક બાજુના (દષ્ટલકના) સમજવા છે
હવે વિસ્તારનું વિવરણ કરે છે–અધોલોકમાં સાતમી નરકમૃથ્વી સાત રાજપ્રમાણ, છઠ્ઠી સાડા છ રાજપ્રમાણ, પાંચમી છ રાજપ્રમાણુ, ચોથી પાંચ રાજપ્રમાણ, ત્રીજી ચાર રાજપ્રમાણ, બીજી અઢી રાજપ્રમાણ તથા પહેલી નરકપૃથ્વી એક રાજપ્રમાણ પહોળી છે. ચારે દિશાઓને વિષે એ વિસ્તાર છે. એટલે પૂર્વથી પશ્ચિમાંત સુધી ને ઉત્તરથી દક્ષિણાંત સુધી એ પ્રમાણે છે. ઊર્ધ્વલકને 'વિસ્તાર આગળ કહીશું.
अह पणसयबारुत्तर, खंडुअ सोलहिअ अट्ठसय सन्चे । घम्माइ लोगमज्झं, जोयणअस्संखकोडीहिं ॥१०॥
Page #267
--------------------------------------------------------------------------
________________
N
ર૫૪
પ્રકરણસંગ્રહ. અર્થ –એવી રીતે (અદ) અલોકના સર્વ ખાંડુએ એક બાજુના ગણીએ તો (Turણવત્તર) પાંચશે ને બાર થાય છે, પૂર્વે ઊર્ધ્વ લેકના ત્રણસેં ને ચાર કહ્યા છે, તેને મેળવીએ ત્યારે (હંદુ દર અદૃર ) સર્વ મળીને આઠશે ને સોળ ખાંડુઆ થાય છે. હવે (ઢોલામાં ) લોકના મધ્યનું સ્થાન કહે છે-(મrg) ઘમ્મા નામની પ્રથમ નરકપૃથ્વીને વિષે (નોધ:અસંવાદ) અસંખ્યાત જનની કેડી જઈએ ત્યારે નેશ્ચયિક મતે લેકનું મધ્ય આવે છે. વ્યવહારિક મતે મેરુના મૂળને વિષે ગેસ્તનાકાર આઠ ચકપ્રદેશ છે ત્યાં લેકનો મધ્ય ભાગ જાણ છે ૧૦
અવતરણ-હવે તિરછલકનું પ્રમાણ અને અલેક, તિર્યગલોક તથા ઊર્ધ્વ લેકમાં શું શું રહેલ છે તે સામાન્યપણે કહે છેसगरज्जु जोयणसया-ठारस उणसगरज्जुमाण इहं । अहतिरिअउड्डलोआ, निरयनरसुराइभावुल्ला ॥ ११ ॥
અર્થ લેકના મધ્યથી ઉપર આઠમા રાજને વિષે સમભૂતલથી નવશે જન ઊંચે તથા નવ જન નીચે એ રીતે અઢારશે જનપ્રમાણ તિર્યક કહેવાય છે. તેથી (કોકાણથાકુર ૩) એ અઢારશે જન ઊણું (તાજુમાળ) સાત રાજપ્રમાણુ ઊર્ધ્વલોક કહેવાય છે. તે સહિત કરીએ તો (રાજુ ) સાત રાજપ્રમાણુ ઊર્વક થાય છે. (૬) અહીં () અલેકને વિષે (નિ) નારકી પ્રમુખ, (તિથિ) તિર્યંગ લેકને વિષે (1) મનુષાદિક અને (૩૬રોગ) ઊર્વીલોકને વિષે (માગુઠ્ઠા) દેવાદિક રહેલા છે. યદ્યપિ ભવનપત્યાદિક દેવો અલેકમાં વસે છે તથાપિ ત્યાં નારકી ઘણુ છે, માટે મુખ્ય વૃત્તિએ સામાન્યપણે નારક અધલેકમાં કહ્યા છે. ૧૧ છે
હવે વિશેષપણે કહે છેअहलोइ निरयअसुरा, वंतरनरतिरिअजोइसतरुग्गी। दीवुदही तिरिलोए, सुरसिद्धा उड्ढलोअम्मि ॥१२॥
અર્થ– અો નિરામપુરા) નારકી અને અસુર-ભુવનપતિ દેવો અલકમાં વસે છે, (વંતતિવિરત ) વ્યંતર, નર તે મનુષ્ય, તિર્યંચ, તિષી, વનસ્પતિકાય ને અગ્નિકાય તથા (૨gી તિસ્ત્રિો) અસંખ્ય દ્વીપ સમુદ્ર તિર્યલોકમાં છે, ( કદ્દોરમ) વૈમાનિક દે અને સિદ્ધ ઊર્ધલેકમાં રહેલા છે. જે ૧૨ છે
૧ વનસ્પતિકાય ને અગ્નિકાયના ઉપલક્ષણથી પાંચ પ્રકારના સ્થાવરે સમજવા.
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રી લોકનાલિવિંશિકા પ્રકરણ. इक्विकरज्जु इक्विक्कनिरय सगपुढवि असुर पढमंतो। तह वंतर तदुवरि नर-गिरिमाई जोइसा गयणे ॥ १३ ॥
અર્થ – હિg) એકેક રાજપ્રમાણ ( શનિ ) એકેક નરક પૃથ્વી છે, એટલે (સાપુવિ) સાતે નરકે સાત રાજ રેકેલા છે. તેમાં (સપુર
મંતો) પહેલી નરકપૃથ્વીમાં અસુર એટલે ભુવનપતિ છે. (તર જંતર) તથા ઉપરના ભાગમાં વ્યંતર પણ પહેલી નરક પૃથ્વીમાં જ છે, (તદુરિ નવ) તથા પ્રથમ પૃથ્વીની ઉપર મનુષ્ય, (ભિાઈ) ગિરિ એટલે મેરુપર્વતાદિક પદાર્થના સમૂહ છે. (કોના વા ) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તથા તારા એ પાંચ પ્રકારના
તિષી આકાશને વિષે રહેલા છે ! ૧૩ / छसु खंडगेसु अ दुर्ग, चउसु दुगं छसु अ कप्पचत्तारि । चउसु चऊ सेसेसु अ, गेविजणुत्तरय सिद्धिंते ॥१४॥
અર્થ –કના મયથી ઉપર ( ટુ વંદુ ) છ ખાંડઆના ભાગને વિષે (i) સૌધર્મ ઈશાન એ નામના બે દેવલોક છે, એટલે લેકના મધ્યથી દેઢ રાજ ઊંચા બે દેવલેક છે. ત્યાંથી (વજુ સુi) ઉપરના ચાર ખાંડુઆને વિષે સનકુમાર તથા માહેંદ્ર નામના બે દેવલોક છે. (કુ = qસત્તારિ) ત્યાર પછીના છ ખાંડુઆમાં અનુક્રમે બ્રહ્મ, લાંતક, શુક્ર તથા સહસ્ત્રાર નામના ચાર દેવલોક છે. ત્યારપછીના (રંતુ વા) ચાર ખાંડુને વિષે ચાર દેવલોક આનત, પ્રાણત, આરણ તથા અશ્રુત નામના છે. (અ) બાકીના આઠ ખાંડુઆને વિષે (વિનg ) નવ રૈવેયક તથા પાંચ અનુત્તર વિમાન છે. તેમાં પ્રથમ ચાર પાંડુઆને વિષે નવ રૈવેયક છે, ને ઉપરના ચાર પાંડુઓને વિષે પાંચ અનુત્તર વિમાન છે અને (લિક્ષિતે) તેના અંતના ખાંડુઆના છેડાને વિષે સિદ્ધ રહેલા છે. જે ૧૪
અવતરણ:–એવી રીતે ઊર્ધકને વિષે જે દેવકની સ્થિતિ કહી તે વિષે આગમની સાખ કહે છે- તથા રાજ
सोहम्मंमि दिवड्डा, अड्ढाइजा य रज्जु माहिंदे। चत्तारि सहस्सारे, पणऽच्चुए सत्त लोगते ॥ १५ ॥
અર્થ –લેકના મધ્યથી ( મિ વિવજ્ઞા) સધર્મ દેવલેકે દેઢ રાજ ઊંચું છે, લોકના મધ્યથી (મારે) ચોથા માહેંદ્ર દેવલેકે (અata થ )
Page #269
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ. અઢી રાજ થાય છે; (વારિ સજ્જર) લેકના મધ્યથી આઠમા સહસ્ત્રાર દેવલે કે ચાર રાજ થાય છે, લેકના મધ્યથી (ursગુપ) બારમાં અશ્રુત દેવલોકે પાંચ રાજ થાય છે અને (સર રોતે ) લોકના મધ્યથી લોકાંતે સાત જ થાય છે. ૧૫
ઉપર જણાવેલ અભિપ્રાય શ્રી ભગવતીસૂત્ર તથા ગશાસ્ત્રાદિકને છે. શ્રી આવશ્યકસૂત્રની નિર્યુક્તિ, ચૂર્ણિ અને સંઘયણી વિગેરેમાં નીચે પ્રમાણે કથન છે.
૧ પ્રથમના બે દેવલેક સુધી આઠમું રાજ ૧ ત્રીજા ચેથા દેવલોક સુધી નવમું રાજ ૧ પાંચમા છઠ્ઠા દેવલેક સુધી દશમું રાજ ૧ સાતમ આઠમા દેવલેક સુધી અગ્યારમું રાજ ૧ ૯-૧૦-૧૧-૧૨ દેવલેક સુધી બારમું રાજ ૧ નવ ગ્રેવેયક સુધી તેરમું રાજ ૧ પાંચ અનુત્તર વિમાન ને સિદ્ધ-લેકાંત સુધી ચાદમું રાજ આ પ્રમાણે ઊર્ધ્વ લોકના સાત રાજ કહ્યા છે. તત્વ કેવળીગમ્ય. પૂર્વોક્ત આગમના કથનની પુષ્ટિમાં કહે છે – सम्मत्तचरणरहिआ, सव्वं लोगं फुसे निरवसेसं । सत्त य चउदसभाए, पंच य सुय देसविरईए ॥ १६ ॥
અર્થ – સન્મા) સમ્યકત્વ એટલે દેવને વિષે દેવની સહણ, ગુરુને વિષે ગુરુની સદ્હણ, દયામૂળ ધર્મને વિષે ધર્મની સહણા, (ર) એટલે પંચાશ્રવથી વિરમણ, પાંચ ઈન્દ્રિયને નિગ્રહ, અનંતાનુબંધિ વિગેરે ચાર પ્રકારના ક્રોધ, માન, માયા તથા લેભરૂપ ચાર કષાયને ત્યાગ; મનદંડ, વચનદંડ, કાયદંડની વિરતિએ પ્રમાણે જે સંયમના સત્તર ભેદ, તદ્રુપ જે ચારિત્ર તેણે કરી (રહિત એવા સંસારી જી (ા રોજ પુણે નિવાં ) ચાદ રાજલોક પ્રત્યે સૂક્ષ્મ તથા બાદર છવાયેનિમાં ફરતા થકાનિરવશેષપણે ફરસે છે. એટલે ચૈદ રાજમાં તિલમાત્ર ભૂમિ પણ અણુફરસી રહેતી નથી. (ર૪ ૨ ગુર) શ્રુતજ્ઞાની–ાદપૂવી જે યતિ છે તે લોકના મધ્યભાગથી ઊંચે સાત રાજ ફરસે છે, કારણ કે શ્રુતજ્ઞાનીની ઉત્કૃષ્ટી ગતિ સવાર્થ. સિદ્ધ સુધી છે એવું સિદ્ધાંતમાં કહ્યું છે. તે સવાર્થસિદ્ધ લેકના મધ્યથી કાંઈક ઊણા સાત રાજ છે. તે સ્તક માત્ર ઊણ હોવાથી પૂરા સાત રાજ કહ્યા છે. શાસ્ત્રમાં
મથકાયા, ૩વવા ડોસો જ રહે એમ કહ્યું છે. ટીકાવાળી પ્રતમાં ( મેરવFORહી) એ પાઠ છે તેને અર્થ=ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર સહિત કેવલી ઉત્કૃષ્ટથી સર્વ લેક નિરવશેષપણે કેવલી સમુદ્દઘાત કરે ત્યારે
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી લેાકનાલિદ્વાત્રિંશિકા પ્રકરણ
૨૫૭
કંસે છે. ’ (ચટ્સ માપ પત્ર ય દેવિપ) દેશવિરતિ–માર વ્રતધારી શ્રાવક ચૌદ રાજના ચૌદ ભાગમાંથી પાંચ ભાગ ઊર્ધ્વ લેાકના ક્રસે છે, કેમકે શ્રાવકની ઉત્કૃષ્ટી ગતિ અચ્યુત નામના ખારમા દેવલાક સુધી કહી છે. તે ખારમું દેવલાક લોકના મધ્યથી પાંચ રાજ ઊંચું છે તે માટે પાંચ રાજ કહ્યાં છે. ૧૬
અવતરણ:—હવે સૂચિરજ્જુ, પ્રતરરજ્જુ અને ધનરજ્જુનુ અનુક્રમે પ્રમાણ કહેવા માટે પ્રથમ સાતમી નરકપૃથ્વીથી માંડીને સૂચિરન્તુ કહે છે:— अडवीसा छवीसा, चडवीसा वीस सोल दस चउरो । सुइरज्जु सत्तपुढविसु, चउचउभइआ उ पयर घणा ॥ १७ ॥
અ:-( સત્તવુવિદ્ઘ ) સાતમી નરકપૃથ્વીને વિષે ( અલવીલા ): અઠ્ઠાવીશ સૂચિરજી છે. છઠ્ઠી નરકપૃથ્વીને વિષે ( છીલા ) છવીશ સૂચિરજ્જુ છે, પાંચમી નરકપૃથ્વીને વિષે ( વીસા) ચાવીશ સૂચિરન્તુ છે, ચેાથી નરકપૃથ્વીને વિષે (વીસ) વીશ સૂચિરજ્જુ છે, ત્રીજી નરકપૃથ્વીને વિષે ( સોહ ) સેાળ સુચિરા છે, ખીજી નરકપૃથ્વીને વિષે (F) દશ સૂચિરન્તુ છે, પહેલી નરકપૃથ્વીને વિષે (ચો) ચાર ( સુદ્દ૩ ) સૂચિરન્તુ છે. જે ચાર ખાંડુઆ શ્રેણિબંધ હાય અને પહેાળાઇએ એક જ ખાંડુએ હાય તેને સૂચિરજી કહીએ. સાતમી નરકપૃથ્વી ચાર ખાંડુઆ ઊંચી છે અને અઠ્ઠાવીશ ખાંડુમા તિચ્છી છે. એ માટે અઠ્ઠાવીશ સૂચિરન્તુ જાણવા, એવી સત્ર ભાવના કરવી. હવે એ સાતે નરકપૃથ્વીના સૂચિરજ્જુનું માન જે પાંચસે ખાર ખડુ છે તેને ચારે ભાંગતાં એક સા ને અઠ્ઠાવીશ થાય છે, તેને (૨૩ મજ્બા ૩ ) ચારે ભાગ આપીએ તેા (૬) પ્રતરરજ્જુનું માન આવે અને તે પ્રતરરજીના આંકને (૨૩) ચારે ભાગ આપતાં (ઘા) ઘનરન્તુ આવે. ચાર ચાર ખાંડુઆ ચારે દિશાએ હોય એટલે એક રાજ લાંખા, એક રાજ પહેાળા અને પા રાજ જાડા હાય તે પ્રતરરન્તુ કહેવાય છે, તથા ચાર ખાંડુઆ જાડપણું, લાંબપણે તથા પહેાળપણે હેાય તે ઘનરન્તુ કહેવાય છે. પ્રતરરજ્જુને વિષે સેાળ ખાંડુ હાય અને ઘનરજ્જુને વિષે ચાસઠ ખાંડુઆ હોય. ૧૭.
અવતરણઃ—હવે સૂચિરજ્જુ ને પ્રતરરજ્જુની સંખ્યા કહે છેઃ— अडवीससयं छसयरि, अह उडूढं चउजुया दुसय सवे । सुइरज्जु पयररज्जु, दुतीसिगुणवीस इगवण्णा ॥ १८ ॥
અ:--( અદ ) અધેાલેાકને વિષે પાંચશે' ને ખાર ખાંડુઆ છે, તેને ચારે ભાગ દેતાં (મડવીત્તસય ) એક સા ને અઠ્ઠાવીશ આવે તેટલા સૂચિરજી જાણવા.
૩૩
Page #271
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રકરણસ'ગ્રહ.
(૩૪) ઊર્ધ્વ લોકને વિષે ત્રણ સેા ને ચાર ખાંડુઆ છે, તેને ચારે ભાગ દેતાં (જીસ ) છેાંતેર આવે તેટલા સૂચિરન્તુ જાણવા. અધેાલેાકના એકસેા અઠ્ઠાવીશ સૂચિરજી તથા ઊર્ધ્વલોકના અંતેર સૂચિરન્તુ બન્ને એકઠા કરીએ ત્યારે ( ચઙનુયા દુલર સંઘે ) સર્વે બશે ને ચાર સૂચિરન્તુ થાય. અધેાલોકના એકસા ને અઠ્ઠાવીશ ( સુજ્જુ ) સૂચિરજ્જુને ચારે ભાગ દઇએ ત્યારે ( યજ્જુ કુતીલ) ખત્રીશ પ્રતરરન્તુ થાય, ઊર્ધ્વલોકના ઇંતેર સૂચિરજ્જુને ચારે ભાગ દઇએ તા ( ઘુળવાસ) એગણીશ પ્રતરરજી થાય અને એ બંને મળીને ( વળા ) એકાવન પ્રતરરજી થાય. ૧૮
અવતરણઃ—હવે ઘનરજ્જુની સંખ્યા કહે છેઃ— घणरज्जु अट्ठ हिठ्ठा, पउणपणुढं उभे पउणतेर । घणपयरसूइरज्जू, खंडुअ चउसट्टि सोल चउ ॥ १९ ॥
અર્થ :—— હિા ) અધેાલેાકના ખત્રીશ પ્રતરરન્તુ છે, તેને ચારે ભાગ દેતાં આઠ આવે માટે અધેલાકને વિષે ( ધળ અટ્ટ) આઠ ઘનરન્તુ જાણવા. (૩૰) ઊર્ધ્વલેાકને વિષે એગણીશ પ્રતરરન્તુ છે તેને ચારે ભાગ દેતાં ( વડળપળ ) પાણાપાંચ ઘનરન્તુ આવે, ( ૭મે ) બ ંનેના અધ: તથા ઊર્ધ્વલેાકના એકઠા કરીએ ત્યારે ( પઙળત્તેર) પાણાતેર ઘનરન્તુ થાય. હવે ઘન, પ્રતર તથા સૂચિરજ્જુનું માન કહે છે:—( કુંડુન્ન ચલટ્ટિ ) ચાસઠ ખાંડુઆના ( થળ ) એક ધનરજી થાય, ( લૌજ યર ) સાલ ખાંડુઆના એક પ્રતરરજી થાય અને ( ૨૩ સૂત્રરજૂ) ચાર ખાંડુઆને એક સુચિરજી થાય, એ સામાન્ય પ્રકારે ચતુરસ લેકનું માન દેખાડયું. લાકનુ સ્વરૂપ તા વૃત્તાકાર મલકને આકારે છે, પણ વૃત્તાકારના ખાંડુઆ યંત્રમાં લખાય નહીં માટે ચારસ કહ્યા છે ! ૧૯ ૫
અવતરણ:—હવે વૃત્તાકાર મનમાં રાખીને મનકલ્પનાએ લેાકને વિષે ઘનરજ્જુ, પ્રતરરન્તુ તથા સૂચિરજ્જુનું માન ચાખડાને હિસાબે કહે છે, તેમાં પ્રથમ ઘનરજ્જુની સ ંખ્યા કહે છે:—
सयवग्गसंगुणे पुण, बिसयगुणयाल हवंति घणरज्जू । सडूढपणहत्तरिसयं, सगुतिसट्ठी अहुड्ढ कमा ॥ २० ॥
અર્થ:— સૂચવાસંગુને પુળ) પાતપેાતાના વથા ખાંડુઆને ગુણીએ તે આ પ્રમાણે-સાતમી માધવતી પૃથ્વીને વિષે હેડલી શ્રેણિએ અઠ્ઠાવીશ ખાંડુઆ છે; તેને અઠ્ઠાવીશના આંકે ગુણીએ ત્યારે સાતશે ને ચારાશી ખાંડુઆ એક શ્રેણિમાં થાય. એવો ચાર શ્રેણિ છે, તેથી સાતશે ને ચેારાશીને ચારે ગુણતાં ત્રણ
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી લેકનાલિદ્રાવિંશિકા પ્રકરણ
૨૫૯ હજાર એકસો ને છત્રીશ ખાંડુઆ થાય. છઠ્ઠી નરકપૃથ્વીને વિષે હેઠલની શ્રેણિના છવીશ ખાંડુઓ છે. તેને છવાશે ગુણતાં છશે ને છતર થાય. એવી ચાર શ્રેણિઓ છે, તેથી છાઁ તેને ચારે ગુણતાં બે હજાર સાતશું ને ચાર ખાંડુઆ થાય. પાંચમી નરકપૃથ્વીને વિષે હેઠલની શ્રેણિએ ચોવીશ ખાંડુઆ છે તેને વિશે ગુણતાં પાંચશે ને છતર થાય, એવી ચાર શ્રેણિ છે, તેથી પાંચશે છોતેરને ચારથી ગુણતાં બે હજાર ત્રણસેં ને ચાર ખાંડુઆ થાય. ચેથી નરકમૃથ્વીને વિષે છેલ્લી શ્રેણિએ વીશ ખાંડુઓ છે. તેને વિશથી ગુણતાં ચાર સો થાય, એવી ચાર શ્રેણિ છે તેથી ચારશેને ચારે ગુણતાં સોળશે ખાંડુઆ થાય. ત્રીજી નરકમૃથ્વીને વિષે છેલ્લી શ્રેણિએ સોળ ખાંડુઓ છે, તેને સળથી ગુણતાં બશે ને છપ્પન થાય. એવી ચાર શ્રેણિ છે, તેથી બશે છપ્પનને ચારે ગુણતાં એક હજાર ને વીશ ખાંડઆ થાય. બીજી તરકપૃથ્વીની છેલ્લી શ્રેણિએ દશ ખાંડુએ છે, તેને દશે ગુણતાં એક સે થાય, એવી ચાર શ્રેણિ છે. તેથી એક સેને ચારે ગુણતાં ચારસો ખાંડુઆ થાય. પહેલી નરકપૃથ્વીને વિષે છેલ્લી શ્રેણિએ ત્રસનાડીના ચાર ખાંડુઆ જ છે, તેને ચારે ગુણતાં સેળ થાય, એવી ચાર શ્રેણિ છે તેથી તેને ચારે ગુણતાં ચેસઠ થાય. એટલે પહેલી નરકપૃથ્વીને વિષે ચોસઠ ખાંડુઆ જાણવા. એવી રીતે સાત નરકપૃથ્વીના ખાંડુઆન વર્ગ કરી સર્વ અંક એકઠા કરીએ તો અગીયાર હજાર બસો ને બત્રીશ અલકને વિષે ખાંડુઆ થાય.
હવે ઊર્ધકને વિષે ઘનરજીના ખાંડઆનો વિચાર કહે છે-ઉપર લેકના મસ્તકથી શરૂ કરવું. ઉપરની શ્રેણિએ ચાર ખાંડુઆ ત્રસનાડીના જ છે, તેને ચારે ગુણતાં સોળ થાય, એવી બે શ્રેણિઓ હોવાથી સાળને બમણા કરતાં બત્રીશ ખાંડુઆ થાય. તેની હેઠલની શ્રેણિને વિષે છ ખાંડુએ છે, તેને છગુણ કરતાં છત્રીસ થાય, એવી બે શ્રેણિઓ હોવાથી છત્રીશને બમણ કરતાં તેર થાય. ત્યારપછીની શ્રેણિમાં આઠે ખાંડુએ છે, તેથી આઠને આઠગુણા કરીએ ત્યારે ચોસઠ થાય, એવી ત્રણ શ્રેણિઓ હોવાથી ચોસઠને ત્રણગુણ કરતાં એક સો ને બાણું થાય. ત્યારપછીની શ્રેણિમાં દશ ખાંડુઓ છે, તેથી દશ દશ ગુણ કરીએ ત્યારે એક્સો થાય, એવી ત્રણ શ્રેણિઓ હોવાથી એકસોને ત્રણ ગુણા કરતાં ત્રણસેં ખાંડુઆ થાય. ત્યારપછીની શ્રેણિમાં બાર ખાંડઆ છે, તેથી બાર બાર ગુણ કરીએ ત્યારે એક ચુમાલીશ થાય, એવી બે શ્રેણિઓ હેવાથી એકસો ચુમાળીશને બમણું કરતાં બશેને અાશી ખાંડુ થાય. ત્યારપછીની શ્રેણિમાં સોળ ખાંઆ છે, તેથી સોલને સોલથી ગુણતાં બશે ને છપન થાય, એવી બે શ્રેણિઓ હોવાથી ૨૫૬ ને બમણું કરતાં ૫૧૨ ખાંડુ થાય. ત્યાર પછીની શ્રેણિમાં વીશ ખાંડઆ છે તેથી વીશને વશ ગુણ કરતાં ૪૦૦ થાય. એવી ચાર શ્રેણિ હોવાથી ૧૬૦૦ ખાંડુઆ થાય. પછીની શ્રેણિમાં ૧૬ ખાંડુએ છે, તેથી ૧૬ ને ૧૬ ગુણ કરવાથી ૨પ૬ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. પછીની શ્રેણિમાં ૧૨ ખાંડુઆ છે, તેથી ૧૨ ને ૧૨ ગુણા કરવાથી ૧૪૪ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૨૮૮ થાય. ત્યારપછીની શ્રેણિમાં દશ ખાંડુએ છે, તેથી દશ દશ ગુણ કરવાથી
Page #273
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ
સો થાય, એવી એક જ શ્રેણિ હોવાથી ૧૦૦ થાય. પછીની શ્રેણીમાં ૮ ખંડુઆ છે, તેથી આઠને આઠ ગુણ કરવાથી ૬૪ થાય, એવી એક જ શ્રેણિ હોવાથી ૬૪ થાય. પછીની શ્રેણિમાં છ ખંડઆ છે, તેથી છને છ ગુણ કરવાથી ૩૬ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૭૨ થાય, પછીની શ્રેણિમાં ૪ ખંડઆ છે, તેથી ચારને ચાર ગુણ કરવાથી ૧૬ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૩૨ થાય. એ સર્વ એકઠાં કરતાં ઊર્વ લેકને વિષે ચાર હજાર ને ચોસઠ ખાંડુઆ થાય. તેને પૂર્વોક્ત અલકના અગીઆર હજાર બસો બત્રીશ ખાંડુઆની સાથે એકઠાં કરતાં પંદર હજાર બસ ને છનું ખાંડુઆ થાય. - હવે પોતાના વર્ગની સાથે ગુણતાં ચોસઠ ખાંડુએ એક ઘનરજુ થાય છે, માટે પન્દર હજાર બસ છન્ને ચેસઠ ભાગે વહેંચતા બસો ને ઓગણચાલીશ આવે એટલે એ વૃત્તાકાર લોકને વિષે બશે ને ઓગણચાલીશ ઘનરજુ થાય છે. હવે અલકના તથા ઊર્વેલેકના ઘનરજુ ભિન્ન ભિન્ન કરીને કહે છેઃ(સદ્ધ. gurદત્તતિ) અલકને વિષે એકસો ને સાડી પંચોતેર ઘનરજુ થાય છે અને (રતિલી) ઊર્વલોકને વિષે સાડી ત્રેસઠ ઘનરજુ થાય છે. (સદુદ
મા) એ રીતે અલકમાં ને ઊર્વકમાં અનુક્રમે જાણવા. એ બને એકઠા કરીએ ત્યારે (વિજયગુખથા દુવંતિ થારજૂ ) બસો ને એગણચાલીશ ઘનરજજુ થાય છે ૨૦ |
અવતરણુ-હવે પ્રતરરજજુની સંખ્યા અને સુચિરજજુ કેમ થાય? તે કહે છે – चउगुणिअ पयररज्जू, सत्तदुरुत्तरसय दुसयचउपण्णा । अह उढ नव छपण्णा, सवे चउगुणिय सुइरज्जू ॥ २१ ॥
અથ:-(અ) અલેકને વિષે એકસો ને સાડી પંચેતેર ઘનરાજ છે, તેને (જામ) ચારે ગુણતાં ) સાતશે ને બે (રજૂ) પ્રતરરાજ થાય, (ટ્ટ) ઊર્વેલેકને વિષે સાડી ત્રેસઠ ઘનરાજ છે, તેને ચારે ગુણતાં (સુરકિપVT) બર્શને ચપન પ્રતરરાજ થાય, અને અધોલોકના તથા ઊર્ધકના એકઠા કરીએ ત્યારે (ના છgurt) નવશે ને છપ્પન પ્રતરરાજ થાય. (ાથે ચરગુજર કુકૂ) એ સર્વ પ્રતરરાજને ચગુણા કરતાં જે અંક આવે તે સૂચિરજજુનું માન જાણવું. ૨૧ છે
અવતરણ-હવે સૂચિરજજુનું માન કહે છેअडवीससय अडुत्तर, दस सोला अहतीस चावसिा। इय संवग्गियलोए, तिह रज्जू खंडुआ ऊ इमे ॥ २२ ॥
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી લેકનાલિકાત્રિશિકા પ્રકરણ
અથ –અધોલેકને વિષે સાતશું ને બે પ્રતરરજજુ છે. તેને ગુણ કરતાં (સહીત કુત્તર) બે હજાર આઠશે ને આઠ સૂચિરજજુ થાય. ઊર્ધકને વિષે બશે ને ચેપન પ્રતરરજજુ છે, તેને ચગુણા કરતાં (ત્રણ સોહા) એક હજાર ને સોળ સૂચિરજજુ થાય. અલક અને ઊર્વકના એકઠા કરતાં (અકૃત જોવા ) ત્રણ હજાર આઠશે ને ચોવીશ સૂચિરજજુ થાય. ( સંવાિયસ્ટોપ) એ રીતે સંવર્ગિત લોકને વિષે (તિ રજૂ ) ત્રણ પ્રકારના રજજુ-ઘનરજુ પ્રતરરજજુ તથા સૂચિરજજુ કહ્યા-હવે (ચંદુભા ઝ શે) તેના ખંડઆ આ પ્રમાણે થાય છે ૨૨ છે
કેટલા થાય? તે કહે છે – एगारसहस दुसया, बत्तासी चउरसहसचउसही। अह उड्ढे सव्वे पनरसहस्सदुनिसयछन्नउआ ॥२३॥
અર્થ –(2) અલોકને વિષે ઉપર બતાવેલા આંકને ૪ વડે ગુણતાં (પારસ સુરા વરસ) અગીઆર હજાર બસો ને બત્રીશ ખાંડુઆ થાય. (૩૯) ઊર્ધ્વલોકના ઉપર બતાવેલા અંકને ચારવડે ગુણતાં (ર
) ચાર હજાર ને ચોસઠ ખાંડુઆ થાય. (i) તે બંને એકઠા કરીએ ત્યારે (નરસદગુરઇસરા) પંદર હજાર બશે ને છનનું ખાંડુ થાય. ર૩ - હવે તે ખાંડુઓની સંખ્યાની ઉત્પત્તિ સમજાવે છે– अड छ चउवीस वीसा, सोलस दस चउ अहुढ चउ छह । दस बार सोल वीसा, सरिसंकगुणाउ चउहि गुणे ॥ २४ ॥
અર્થ –અહીં વીશ શબ્દ ત્રણ ઠેકાણે જેડ, તે આ પ્રમાણે-માઘવતી સાતમી પૃથ્વી આદિ લઈને જે અઠ્ઠાવીશ આદિ અંક તિચ્છ શ્રેણિને વિષે છે, તેને (સિંગુors) પોતપોતાને સરખે અંકે ગુણીએ અને પછી (રદ) ચારગુણ કરતાં જે અંક આવે તે ખાંડુઓની સંખ્યા જાણવી. તે આવી રીતેસાતમી નરકપૃથ્વીને તળીએ (સવીર) અઠ્ઠાવીશ છે તેને અઠ્ઠાવીશથી ગુણતાં સાતશું ને ચોરાશી થાય. તેને ચારગુણા કરતાં ૩૧૩૬ થાય. છઠ્ઠીએ (છવીર) છવીશ છે તેને છવાશથી ગુણતાં હશે ને છતર થાય. તેને ચારગુણા કરતાં ર૭૦૪ થાય. પાંચમીએ (રવીણ) વીશ છે તેને ચોવીશથી ગુણતાં પાંચશે ને છેતેર થાય. તેને ચારગુણા કરતાં ૨૩૦૪ થાય. એથીએ (વીરા) વશ છે તેને વીશથી ગુણતાં ચાર થાય. તેને ચાર ગુણા કરતાં ૧૬૦૦ થાય. ત્રીજીએ (રોજીસ) સેળ છે તેને સળથી ગુણતાં બસો ને છપન થાય. તેને ચારગુણ કરતાં ૧૦૨૪ થાય.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬૨
પ્રકરણસંગ્રહ.
બીજીએ (હા) દશ છે તેને દશથી ગુણતાં એકસો થાય. તેને ચાર ગુણા કરતાં ૪૦૦ થાય. પેલીએ (ર૪) ચાર છે તેને ચારથી ગુણતાં સોળ થાય. તેને ચાર ગુણા કરતાં ચોસઠ થાય. એ સાતે પ્રથમના સ્થળના અંકને એકઠા કરીએ ત્યારે બે હજાર આઠશે ને આઠ થાય. તેવી દરેક ઠેકાણે ચાર શ્રેણી છે માટે ગુણ કરતાં સરવાળે અગીઆર હજાર બાઁ ને બત્રીશ થાય. (અહ) એ અધલોકના ખંડુ જાણવા.
હવે (૬) ઊર્ધ્વલોકના ખાંડુઓ કહે છે તે આવી રીતે–ચાર, છ, આઠ, દશ, બાર, સોળ તથા વીશ એ અંકેને સરખા અંકથી ગુણવા, તે આવી રીતે(વડ) ચારને ચાર ગુણ કર્યાથી સોળ થાય. (૪) છને છ થી ગુણતાં છત્રીશ થાય. (અ) આઠને આઠથી ગુણતાં ચોસઠ થાય. (૨) દશને દશથી ગુણતાં એક સે થાય. (વદ) બારને બારથી ગુણતાં એકસો ગુમાળીશ થાય. ( ૪) સેળને સોળથી ગુણતાં બસે ને છપ્પન થાય. (લીલા) વીશને વીશથી ગુણતાં ચારોં થાય. હવે ઉપરથી નીચે ઉતરતાં ૧૬ ની બે શ્રેણિ હોવાથી ૩ર થાય. ૩૬ ની બે શ્રેણિ હોવાથી ૭ર થાય. ૬૪ ની ત્રણ શ્રેણિ હોવાથી ૧૯૨ થાય. ૧૦૦ ની ત્રણ શ્રેણિ હોવાથી ૩૦૦ થાય. ૧૪૪ની બે શ્રેણિ હોવાથી ૨૮૮ થાય. ૨૫૬ ની બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. ૪૦૦ની ચાર શ્રેણિ હોવાથી ૧૯૦૦ થાય. ત્યાંથી ઘટતી સળને સોળે ગુણતાં ૨૫૬ થાય, તેવી બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. બારને બાર ગુણ કરતાં ૧૪૪ થાય, તેવી બે શ્રેણિ હોવાથી ૨૮૮ થાય. દશને દશ ગુણ કરતાં ૧૦૦ થાય તેવી એક શ્રેણિ હોવાથી ૧૦૦ થાય. આઠને આઠ ગુણ કરતાં ૬૪ થાય. તેવી એક શ્રેણિ હોવાથી ૬૪ થાય. છએ છ ગુણુ કરતાં ૩૬ થાય તેવી બે શ્રેણિ હોવાથી ૭૨ થાય. ચારને ચાર ગુણ કરતાં ૧૬ થાય તેવી બે શ્રેણિ હોવાથી ૩ર થાય. સર્વ એકઠા કરીએ ત્યારે આ અઠ્ઠાવીશ શ્રેણિના ચાર હજાર ને ચોસઠ ઊર્વલોકના ખાંડુઓની સંખ્યા થાય. અલકના તથા ઊર્વીલોકના ખાંડુઓ એકઠા કરીએ ત્યારે પંદર હજાર છસો ને છનું થાય. એ ૨૪ છે
અવતરણું–વળી પ્રકાર તરે વર્ગ કરવાની વિધિ ગાથાએ કરીને કહે છે- चउ अडवीसा छप्पण्ण, पयरसरिसंकगुणिय पिहु मिलिए। समदीहपिहुव्वेहा, उड्ढमहो खंडुआ नेया ॥ २५ ॥
અર્થ:–લેકના મસ્તકને વિષે ઉપરની તિથ્વી શ્રેણિએ () ચાર ખાંડુઆ છે. સાતમી નરપૃથ્વીની છેલ્લી શ્રેણિ (અફવા ) અઠ્ઠાવીશ ખાંડુઆની છે. એમ ચારથી આદિ લઈને છેલ્લી છપ્પનમી શ્રેણિ અઠ્ઠાવીશ ખાંડઆની છે. એટલે પુરુષાકાર લોકને વિષે તિછી (છwwwા પર) છપ્પન પ્રતરની શ્રેણિ છે. આદિ તથા અંતની શ્રેણિઓનું ગ્રહણ કર્યાથી મધ્ય શ્રેણિનું પણ ગ્રહણ થાય છે, કુલ છપ્પન શ્રેણિ છે તેમાં જે શ્રેણિને વિષે તિથ્વીં શ્રેણિના જેટલા ખાંડુએ છે, તેને
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૬૩
શ્રી લેકનાલિદ્વત્રિશિકા પ્રકરણ (adyfor figજિસ્ટિક) તેટલા અંકથી ગુણીએ, જેમકે સવની ઉપરની મસ્તક શ્રેણિને વિષે ચાર ખાંડઆ તિર્થો છે. ત્યારે ચારને ચારથી ગુણતાં સેળ થાય. એમ છપને શ્રેણિઓને સરખે અંકે ગુણી એકઠી કરીએ ત્યારે પૂર્વોક્ત પંદર હજાર બશેને છ– ખાંડુઓની સંખ્યા થાય.
હવે ખાંડુઆનું માપ કહે છે –
(સમવિgિવેદા) લાંબપણે, પહેલાઈએ, તથા જાડાપણે કુંભીની પેઠે સરખા હોય એટલે પહોળા, લાંબા તથા જાડા પા રાજ પ્રમાણુ હોય તે ખંડુ કહીએ. એવા (૩મો સંગ તેવા) ઊર્વક તથા અધલેકના સર્વ ખાંડુઆ જાણવા. ૨૫
અવતરણ-હવે વૃત્તાકાર લોકોને ઘન કરવાનો વિધિ કહે છે – दाहिणपासि दुखंडा, उर्ल्ड वामे ठविज विवरीआ। नाडिसहियतिरज्जू, पिहु जाया सत्त दीहुच्चे ॥ २६ ॥
અર્થ:-(૩) ઊર્ધ્વલોકને વિષે ત્રસનાડીથકી (રાદિપતિ) દક્ષિણ બાજુએ એટલે જમણી બાજુના (સુર્ય) બે ખંડ છે તે ઊર્વલોકને વિષે જ્યાં કણીની જગે છે તે મધ્યથી જોતાં બારમી શ્રેણિ છે. તે બારમી શ્રેણીથી બે ખંડ કરીએ. એટલે ઉપરના ખંડને વિષે સોળ શ્રેણીઓ રહે એવી રીતે દક્ષિણ બાજુના જે બે ખંડ છે, તે ઊર્ધ્વલોકને વિષે ત્રસનાડીની બહાર (વને વિષ વિવશતા) ડાબી બાજુને વિષે ઊલટા કરી નાખીએ. તે આમ-ઉપરના ખંડની કૃપરની જે દિશા, તે મસ્તકની તરફ કરીએ, અને નીચેના ખંડની કૃપરની જે દિશા તે લોકના મધ્ય તરફ કરીએ. એટલે હેઠેનો ખંડ ઉપરની દિશાએ તથા ઉપરનો ખંડ હેઠલી દિશાએ સ્થાપીએ. ત્યારે (નાહિદિય) ત્રસનાડી સહિત ડાબી બાજુએ તિર્થો (તિq) ત્રણ રાજ થાય. તે આ પ્રમાણે-ત્ર નાડીથી બહાર કૂપરને ઠેકાણે જમણી બાજુએ આઠ ખાંડુના તિચ્છે છે તેના બે રાજ અને એક ત્રસનાડીનું રાજ એમ ત્રણ રાજ (પિદુ કાયા) પહોળાઈએ થાય અને સુરત થશે) દીર્ધ વે એકલે ઊચપણે સાત રાજ થાય. છે ૨૬ છે
हिहाउ वामखंडे, दाहिणपासे ठविज विवरीअं। उवरिम तिरज्जुखंडं, वामे ठाणे अहो दिजा ॥ २७ ॥
અર્થ:-(દિદારામ) અધોલેકમાં ત્રસનાડીની ડાબી બાજુને જે આ ખંડ છે, તે (હિvણે વિજ્ઞ વિવાદ્ર ) વિપરીત એટલે અવળે અથવા ઊંધે ત્રસનાડોની જમણી બાજુને વિષે સ્થાપીએ, એટલે અધલકને
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૪
પ્રકરણસ’ગ્રહ.
વિષે જમણી બાજુએ તિસ્થ્ય ચાર રાજ, અને લાંબપણે સાત રાજ થાય. તે આ પ્રમાણે-ત્રસનાડીથી જમણી બાજુમાં અધેાલોકની હેઠે ખાર ખાંડુઆ છે; તેના ત્રણ રાજ અને ત્રસનાડીનું એક રાજ, એમ ચાર રાજ થાય. પછી (૩મિ) ઊર્ધ્વલોકના તિો (તિખુલ્લä) ત્રણ રાજ પહેાળા ને લાંબે સાત રાજ પ્રમાણ ખંડ છે તે (વામે ટાળે અને વિજ્ઞા ) અધેલોકમાં જે ત્રસનાડી છે તેની ડાબી બાજુએ દઇએ, એટલે સર્વત્ર પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, તથા ઉત્તર દિશાએ ઊઁચપણે તથા જાડપણે સાત રજ્જુ પ્રમાણુ ઘનલોક થાય. ૨૭
इय संवट्टियोओ, बुद्धिकओ सत्तरज्जुमाणघणो । सगरज्जु अहिय हिट्ठा, गिव्हिअ पासाइ पूरिजा ॥ २८॥
અર્થ :-( ૫ સટ્ટિયહોમો ) એ પ્રકારે આ સ ંવર્તિત લોક ( વ્રુદ્ધિ જો ) બુદ્ધિએ કરેલા–મનકલ્પનાએ કરેલે (સત્તરજ્જુમાળયળો) સાતરાજ પ્રમાણ ધન થયા. (સગર ) સાત ઘનરન્તુ કરતાં લાંખપણે પહેાળપણે તથા ઊંચપણે જ્યાં (દિય ) અધિક મ`ડુએ હેાય તે અિ ) લઇને (દિા ) નીચે જે જગાએ એછું હાય તે ( પાસા ાિ ) પાસુ પૂરીએ. એવી રીતે ચારસ સાત વનરન્તુ પ્રમાણ લેાક થાય. એ લાકનાળિકા ચારસ નથી, વૃત્તાકાર છે, પણ ઘનલેક વૃત્તાકાર લખાય નહીં; તેથી ચારસ પ્રમાણુ આપેલ છે ॥ ૨૮
અવતરણ:—હવે એવી રીતે સાતરાજ ઘનીકૃત લેાકને વિષે ઘનરજી, પ્રતરરખ્ખુ, સૂચિરજ્જુ અને ખાંડુઆની સંખ્યા કેટલી જોઇએ ? કહે છે.
घणरज्जु तिसय तेयाल तेर बावत्तरीय पयर सूई । चउपन्नअडसि खंडुअ, सहसिगवीसा नवदुपन्ना ॥ २९ ॥
અર્થ:—— વળજ્જુ તિસય તેયાજ ) એ સાતરાજ પ્રમાણુ ઘનીકૃત ચાસ લાકને વિષે ત્રણશે ને તેંતાળીશ ધનરન્તુ થાય. ( તેર વાવત્તીય યર ) એક હજાર ત્રણશે: આંતર પ્રતરરજ્જુ થાય. ( સૂરૂં ચલપન્નગ્નલ) પાંચ હજાર ચારશે ને અઠ્ઠાશી સૂચિરજ્જુ થાય અને (કુંડુન્ન સંસ્કૃત્તિ વીલા નવદુપન્ના) ખાંડુઆ એકવીશ હજાર નવશે ને બાવન થાય. ૫ ૨૯ ૫
અવતરણ:—હવે એ રીતે ઘનરજી, પ્રતરરખ્ખું, સૂચિરજ્જુ અને ખાંડુઆ આવાની રીત ગાયાએ કરીને કહે છે.
सगवग्गे सग चउ तिग-गुणिए उभय अह उड्ड खंडु घणा । અન્નડગતય સીયારુ, વડળિક્ પયર-બંતા ॥ ૩૦ ॥
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી લોકનાલિદ્વાત્રિંશિકા પ્રકરણ.
૨૬૫
અર્થ:—એ સાત ધનરન્તુ પ્રમાણ સમચારસ જે લેાક છે તે ( સાવો) સાતને સાતથી ગુણીએ ત્યારે ઓગણપચાશ થાય. એવી એગણપચાસની સાત શ્રેણિ છે તેથી ઓગણપચાશને ( FT ) સાતથી ગુણતાં ત્રણશે ને તેતાલીશ ઘનરજ્જુની સ ંખ્યા થાય. પછી ઘનરજ્જુને આંક ( ત્તિન ) ત્રણ વાર (ચલપિ) ચેાગુણા કરીએ ત્યારે અનુક્રમે (મય ) અધેાલાક તથા ઊર્ધ્વલાકના પ્રતરરજી, સૂચિરજ્જુ તથા ખાંડુઆની સંખ્યા આવે. તે આ પ્રમાણે-ત્રણશે તે તાલીશ ઘનરજ્જુને ચાગુણા કરીએ ત્યારે એક હજાર ત્રણશે' ને આંતેર પ્રતરરન્તુ થાય. તે પ્રતરરજ્જુને આંક ચાગુણા કરીએ ત્યારે પાંચ હજાર ચારશે અચાશી સૂચિરજ્જુ થાય. તથા સૂચિરજ્જુના આંકને ચાણુા કરતાં ખાંડુઆની સંખ્યા એકવીશ હજાર નવશે તે આવન થાય.
હવે અધેાલાક તથા ઊલાકની જુદી જુદી ઘનરજી, પ્રતરરજી, સૂચિરજ્જુ તથા ખાંડુઆની સંખ્યા કહે છે. ( હૈં ) અધેલાકને વિષે ( જીન્નરઅસય ) એક સેા છન્નું ( ઘળા ) ઘનરન્તુ થાય. સાતને સાતથી ગુણતાં આગણપચાશ તેને ચારગુણા કરતાં એક સે। છન્નુ ઘનરન્તુ થાય. ( ૪ ) શૈલેાકને વિષે તે જ એગણપચાસને ત્રગુણા કરતાં ( લીયાજી ) એક.સેા ને સુડતાલીશ ઘનરન્તુ થાય. અનેના મળીને થયેલા ૩૪૩ ના અંકને ત્રણ વાર ( ચડતુગિદ્ય સુર અંજ્ઞા) ચગુણા કરતાં પ્રતરરજી, સૂચિરજ્જુ તથા ખાંડુઆનું માન અાલેાક પ્રમાણના તથા ઊ લેાકને વિષે ભિન્ન ભિન્ન આવે છે. ૫ ૩૦ ॥
અવતરણ:—અધેલેાક તથા ઊર્ધ્વલેાકના ખાંડુઆ વિગેરેની સંખ્યા ભિન્ન
ભિન્ન સંગ્રહ કરીને કહે છે:—
सगचुलसी पणअडसी, इगतीसछत्तीस तिविसबावन्ना । पण चउआलजुआ बारसहस चउणवइसयदृहिआ ॥ ३१ ॥
અર્થ :—અધાલોકને વિષે એક સેા ને છન્તુ ધનરન્તુ છે તેને ચેાગુણા કરીએ ત્યારે ( લળવુજલી ) સાતશે ને ચેારાશી પ્રતરરન્તુ થાય. ઊર્ધ્વ લોકને વિષે ૧૪૭ છે તેને ચાચુણા કરીએ ત્યારે( વળજ્ઞલક્ષી ) પાંચશે તે અઠ્ઠાશી પ્રતરરજ્જુ થાય. અધેાલોકને વિષે સાતશે ને ચેારાશી પ્રતરરજજુ છે તેને ચાગુણા કરીએ ત્યારે(ફાતીલ છત્તીસ) ત્રણ હજાર એક સેા ને છત્રીશ સૂચિરજ્જુ થાય. ઊર્ધ્વ લોકને વિષે પાંચશે ને અઠ્ઠાશી પ્રતરરન્તુ છે તેને ચાચુણા કરીએ ત્યારે ( વિરવાવન્ના ) એ હજાર ત્રણ સેા ને બાવન સૂચિરજ્જુ આવે. હવે અધેાલોકને વિષે ( ૩૧૩૬ ) સૂચિરન્તુ છે તેને ચેાગુણા કરીએ ત્યારે ( પળ ૨૩માજનુંબા વારસસ ) બાર હજાર પાંચશે. ને ચુમ્માળીશ ખાંડુઆ થાય. ઊર્ધ્વ લોકને વિષે ( ૨૩૫૨ ) સૂચિરન્તુ છે
૩૪
Page #279
--------------------------------------------------------------------------
________________
*^
^
^^^
^
^^
^
પ્રકરણસંગ્રહ. તેને ચોગુણ કરીએ ત્યારે ( ચવદત્તકૃદિશા) નવ હજાર ચાર સો ને આઠ ખાંડુઆ થાય. અધોલકના (૧૨૫૪૪) ને ઊર્વીલોકના (૯૪૦૮) એકઠાં કરતાં (૨૧૫ર)ની પૂર્વોક્ત સંખ્યા થાય.
અધોલોકના (૩૧૩૬ ) સૂચિરજ ને ઊર્વલોકના ( ર૩૫ર ) સૂચિરજજુ તેને એકઠાં કરતાં (૫૪૮૮ ) સૂચિરજજુ થાય. અલોકના પ્રતરરજજુ (૭૮૪ ) ઊર્ધ્વલોકના પ્રતરર (૫૮૮) તેને એકઠા કરતાં (૧૩૭૨ ) થાય. અધેલોકના ઘનરજી (૧૯૬) ઊર્વલોકના ઘનરજુ ( ૧૪૭) તેને એકઠા કરતાં ( ૩૪૩ ) થાય.
અહીં સાતરાજ ઘનમાં ત્રણશે ને તેંતાળીશ ઘનરાજ જોઈએ, પરંતુ ચિદરાજના તેટલા ઘનરાજ નથી; માત્ર બ ને ઓગણચાળીશ રાજ છે. તેથી એક સો ચાર ઘિનરજજુ અધિક જોઈએ, તેના ખાડુંઆ નથી. વળી એક વાત વિશેષ એ છે કે એ ઘનલોક ચેરસ કર્યો છે, અને લોક વૃત્તાકાર છે. ત્યારે ચારે દિશાના ખૂણા કપાઈ જાય-ઓછા થાય તેથી ચોરસ ખંડુ વિગેરેનું પ્રથમ પ્રમાણ કહ્યું છે તેટલું પણ ન થાય, એછું થાય. એ ચરસનું જે પરિમાણ કહ્યું છે તે અંતરંગ વૃત્તાકાર લોકનું માન મનમાં ધારીને કહ્યું છે. એના નિર્ણયની વાત તો જ્ઞાની જાણે.
અસંખ્યાત જનનું એક રાજ થાય છે. અથવા સહસ્ત્ર ભાર લોહને ગોળો કેઈ એક મહદ્ધિક દેવ પિતાની શક્તિએ કરી આકાશમાંથી નીચે નાખે કે જે ગોળ છ માસ, છ દિવસ, છ પહેર, છ ઘડી અને છ પળ જેટલા કાળે નીચે આવીને પડે. તેટલા પ્રમાણવાળું એક રાજ થાય. એ પ્રમાણે ચારે દિશાઓને વિષે રાજનું પ્રમાણ જાણવું. ૩૧ इय पयरलिहियवग्गियसंवट्टियलोगसारमुवलब्भ । सुअधम्मकित्तिअं तह, जयह जहा भमह न इह भिसं ॥३२॥
અર્થ –ના પચર) એ પ્રમાણે છપ્પન પ્રતર છે તેનું (જિદિર જાય ) લિખિત, વર્ગિત અને (રંદ્રિયોના મુવઢ) સંવર્તિત એ જે લોક તેનો સાર-તત્ત્વજ્ઞાનવિચાર–યથાર્થ પણે લોકસ્વરૂપ સદ્દગુરુથી પામીને (ત કટ્ટ ) તે પ્રકારે યત્ન એટલે ઉદ્યમ કર કે (દા) જેથી ( હૃદ ) આ લોકમાં ( મિi ) અનંત જન્મ-મરણ પામતાં થકાં વારંવાર અત્યર્થપણે (મમર
) ફરીને ન ભમવું પડે. આ તીર્થકર, સકલ જીવહિતકર, પરમ પરમેશ્વરનો ભવ્ય જીવને ઉપદેશ છે. આ લોકો સાર ( ગુજધવિશં ) તે કૃતધર્મમાં એટલે સિદ્ધાંતમાં જ્ઞાનના બળે કરી જ્ઞાનવાન તીર્થકરે કહે છે. ૩ર.
Page #280
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘ્વપમહત્વ પ્રકરણ.
श्रीमदातोक्तविधिना लोकनालस्य वार्त्तिकं । धीमित्रधनराजस्य गंगाख्यतनुजाकृते ॥ १ ॥ श्रीमत्सहजरत्नेन व्याख्यातमुदयाब्धिना । असंगतं यदुक्तं तद्विशोध्यं धीधनैर्भृशम् ॥ २ ॥ युग्मम् ॥
૨૬૦
શ્રીમાન્ આસ( તીર્થંકર )ની કહેલી વિધિવડે આ લેાકનાળ પ્રકરણનું વાકિ ધીમિત્ર ( બુદ્ધિમાન ) ધનરાજની ગંગા નામની પુત્રીને માટે શ્રીમાન્ સહજરત્નરૂપ ઉદયસાગરે રચેલું છે. તેમાં જે કાંઇ અસ ંગત કહેવાયુ હાય તે બુદ્ધિરૂપી ધનવાળા વિદ્વાનાએ સારી રીતે શેાધવુ. ૧.-૨
ઇતિશ્રી લાકનાલિદ્વાત્રિંશિકા પ્રકરણ સાથે સમાસ.
श्री लघ्वल्पबहुत्वप्रकरणम्
nou
पपुदउ कमसो जीवा, जल वण विगला पणिंदिआ चेव । दउपुपासुं पुढवी, दउ सम तेऊ पुपासु कमा पूपउदासुं वाऊ, सत्तण्ह जमुत्तरेण माणसरं । पच्छिम गोयमदीवो, अहगामा दाहिणे झुसिरं ॥ २ ॥
વ્યાખ્યા જુવક મો) પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ ને ઉત્તર દિશામાં જીવા અનુક્રમે સ્તાક, બહુ, અહુતર ને બહુતમ જાણવા. હવે તેનું કારણ કહે છે— જળ, વનસ્પતિ, એઇંદ્રિય, તઇંદ્રિય, ચારિદ્રિય ને સજ્ઞી અસની પંચેન્દ્રિય આ સાતેનું જળમાં પ્રચુરપણું હેાય છે. ( પચ્છિમ ) પશ્ચિમમાં સૂર્યના અસંખ્યાતા દ્વીપા અને ( ગોયમરીવો) ગીતમ દ્વીપ હોવાથી જળ થાડુ છે. પૂર્વમાં તેના કરતાં જળ વધારે છે. જો કે પશ્ચિમમાં જેટલા સૂર્યના દ્વીપેા છે તેટલા જ પૂર્વમાં ચંદ્રના દ્વીપો છે, પરંતુ ગોતમદ્વીપ પૂર્વમાં નથી તેથી જળ પ્રચુર છે તેથી ( સત્તરૢ ) સાતે જાતિના જીવેા ત્યાં પ્રચુર છે. દક્ષિણમાં તે કરતાં પ્રચુરતર જળ છે, કારણ કે તે દિશાએ સૂર્ય-ચંદ્રના દ્વીપા ને ગૈાતમદ્વીપ નથી. ( અમુત્તરળ
Page #281
--------------------------------------------------------------------------
________________
२६८
પ્રકરણસંગ્રહ.
માનસર) ઉત્તરમાં પ્રચુરતમ જળ છે, કારણ કે તે દિશાએ માનસ સરોવર સંખ્યાતા જન કોટાકોટી પ્રમાણ છે, તેથી ત્યાં જળ ઘણું છે. જળ પ્રમાણે બીજા છએ પ્રકારના જીવોનું અ૫બહુ સમજવું.
(કપુપાકુદવા) દક્ષિણ, ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશાએ પૃથ્વીકાય છે અનુક્રમે વધતા વધતા છે. તેનું કારણ કહે છે-દક્ષિણમાં ચાળીશ લાખ ભવનપ'તિના ભવને વધારે છે તેથી પિલાણ ઘણું હેવાથી પૃથ્વીકાય જીવો થડા છે. ઉત્તરમાં તેટલા ભવને ઓછા હોવાથી પિલાણ ઓછું છે તેથી પૃથ્વીકાય છે પ્રચુર છે. પૂર્વમાં ચંદ્રના અસંખ્યાતા દ્વીપ હોવાથી પૃથ્વીકાય છે પ્રચુરતર છે અને પશ્ચિમમાં અસંખ્યાતા સૂર્યના દ્વીપ ઉપરાંત તમદ્વીપ વિશેષ હોવાથી પૃથ્વીકાય જીવો પ્રચુરતમ છે.
(તેજ જમા) તેજસ્કાય છેદક્ષિણ અને ઉત્તરમાં ભરત ઐરાવત ક્ષેત્ર સરખા હોવાથી સરખા છે. તે બે દિશામાં કેઈક જ વખત તેઉકાયને સદ્દભાવ હોય છે, બાકી ઘણે કાળ યુગલિક હોવાથી તે બે દિશામાં બાદર તેઉકાયને અભાવ હોય છે તેથી થોડા કહ્યા છે. પૂર્વદિશામાં તેઉકાય બહુતર હોય છે, કારણ કે તે બાજુ પાંચ મહાવિદેહમાં સદેવ તેને સદ્દભાવ છે. પશ્ચિમ દિશામાં બહુતમ છે, કારણ કે તે તરફ અધોગ્રામ હોવાથી અને એક હજાર
જન ઉડાણ હોવાથી ભૂમિ પ્રચુર છે તેથી ગામે પણ ઘણા છે તેથી તેઉકાયની પ્રચુરતા છે.
(ફૂપવાનું વાક) પૂર્વ દિશામાં વાયુકાય થોડા છે. પોલાણ ઓછું હોવાથી પશ્ચિમમાં (મહુવામા )અર્ધગ્રામ હોવાને લીધે પિલાણ વધારે લેવાથી વાયુકાય જ પ્રચુર છે. ઉત્તર દિશામાં ભવનપતિના ભવને હોવાથી પિલાણ વધારે છે તેથી વાયુકાય પ્રચુરતર છે અને (વાહિ ) દક્ષિણમાં ચાળીશ લાખ ભવનપતિના ભવને ઉત્તર કરતાં વધારે હોવાથી (શુતિ) પિલાણ વધારે હોવાને લીધે વાયુકાય જીવો પ્રચુરતમ છે.
(આ પ્રકરણની અવચરીને આધારે આ અર્થ લખેલે છે.)
છે ઈનિ લવૂલ્પબદુત્વ પ્રકરણ સાથે સમાસ
Page #282
--------------------------------------------------------------------------
________________
*+++++3++++++++++22+=+*22 %+++)"....* ******]... ************5% +-+5% mnXm Mennum X++++++++++);
......
ઉધ્વ લેાકના વીત
ખડું
૧૬
૧૬
૩૬
૩૬
૬૪
૬૪
૬૪
૧૦૦
૧૦૦
૧૦૦
૧૪૪
૧૪૪
૨૫૬
૨૫૬
૪૦૦
૪૦૦
૪૦૦
૪૦૦
૨૫૬
૨૫૬
૧૪૪
૧૪૪
૧૦૦
૬૪
૩૬
૩૬
૧૬
૧૬
૪૦૬૪
૩૨
(412)
+++++++++++++++++)
20 26
15
26
"3
લેાકનાલિકા.
ઉર
ર
..
...
200
A
FEEL LLLL
૩૮૨૪
અને મળીને ખંડું ૧૫૨૯૬ તેના સૂચિરજ્જુ તેના પ્રતર રજ્જુ તેના ધન રજ્જુ
*&* * * 5+" "+++++)X +=+=+
૯૫૬
૨૩૯
aas)
ht
r (૧૨,)
++++++++2
અધેાલાકના
વીત
ખ ુ
૧૬
૧૬
૧૬
૧૬
૧૦૦
૧૦૦
૧૦૦
૧૦૦
૨૫૬
૨૫૬
૨૫૬
૨૫૬
૪૦૦
૪૦૦
૪૦૦
૪૦૦
૧૭૬
૫૭૬
૫૭૬
૧૭૬
૬૭૬
૬૭૬
૬૭૬
૬૭૬
૭૮૪
७८४
૭૮૪
७८४
+++), many+++++++) {{mmar.myra ]%++++ %++++++++++++++++) 0.42% ==5% %*+*2; X++++05
૧૧૨૩૨
++++++++ com)
Page #283
--------------------------------------------------------------------------
________________
લોકનાલિકા રસનાડી.
- સિદ્ધ
સિદ્ધ
શિલા અનુત્તર
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ગ્રેવેયક
સ્થાવર
બે રાજ,
સ્થાવર
[ ૧૧ મું-૧૨ મું દેવ
૯ મું-૧૦ મું દેવ૪ બે રાજ
૮ સહસાર
૭ મહાશુક્ર સ્થાવર ૩
- ૬ લાંતક
૫ બ્રશ
સ્થાવર
૩ સનમાર-૪ માહેંદ્ર | ૧ સધર્મ–૨ ઈશાન
જ્યોતિષી અસંખ્ય દ્વીપસમુદ્ર | લેક -
તિ
વ્યંતર
ભુવનપતિ ૧ રતનપ્રભા નરક
૨ શર્કરા પ્રભા
૩ વાલુકા પ્રભા
૪ પંક પ્રભા
૫ ધૂમ્ર પ્રભા
સ્થાવર ૨
સ્થાવર
૬ તમ: પ્રભા :
૩ રાજ ૧
૭ તમસ્તમ પ્રભા | ૩ રાજ
Page #284
--------------------------------------------------------------------------
________________
લેકનાલિકાંતર્ગત ખંડ-સૂચિરજજુ–પ્રતરરજજુ-ધનરજજુ સંખ્યામંત્ર– કેટલી કેટલા | વર્ગિત | શ્રેણી | ખંડુની | ખંડુ |
સૂચિરજજુ
રજજુ
પ્રતર
ઘનરજજુ
ع
ع
م
६४
૧ર
૧
ه
૧૦૦
૩૦૦
૧૮||
૧૪૪
م
૨૮૮
૧૮
૨૫૬
ع
૫૧૨ '
४००
ه
ع
૨૫૬
૫૧૨ ૨૮૮ |
ع
૧૪૪
قم
و
૩૨
४०६४
૧૦૧૬
૨૫૪
૬૩
કેટલી | કેટલા શ્રેણી | ખંડુની
વર્ગિત ખડું
કુલ ખડુ સૂચિરજજુ
પ્રતર રજજુ
ઘનરજજુ
]
=
૧૦૦ |
૪૦૦
૧૦૦ ૨૫૬
=
૨૫૬
४००
४००
=
૧૦૦
૫૭૬
૧૦૨૪ ૧૬૦૦ २३०४ ૨૭૦૪ ૩૧૩૬
૧૪૪
=
૫૭૬ - ૬૭૬
K
६७९
K
७८४
૭૮૪
૧૮૬
૪૯
૧૧૨૩૨
૨૮૦૮
'૭૦૨
૧૭૫
ઊર્વ અધાના મળીને ૫૬ શ્રેણી. ૧૫ર૬ . ૩૮૨૪ સચિરજજુ. ૯૫૬ પ્રતરરજજુ. ૨૩૯ ઘનરજજુ
Page #285
--------------------------------------------------------------------------
________________
200 nedega
P
O
૦૦૦
o
ood
%eboooooo
ॐ श्री हृदयप्रदीपषट्त्रिंशिका
शब्दादिपञ्चविषयेषु विचेतनेषु,
योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि,
કુર્મવનુભવ તમિમ મનેથા છે ? અર્થ:– () જે અનુભવ (સાત) ચિત્તમાં રહ્યો તો (
વિપુ) ચેતના રહિત-જડ એવા (બ્રાપિવિષg ) શબ્દાદિક પાંચે વિષયમાં વિષય સંબંધી (વિ ) વિવેકની કળાને (ટૂરિ ) હૃદયને વિષે (અનલિત) પ્રગટ કરે છે, તથા (મ7) જે અનુભવથકી (માત્તરતાપિ) ભવાંતરમાં રહેલી-થયેલી પણ (વેદિતાનિ) ચેષ્ટાઓ (પ્રાદુર્મવનિત) પ્રગટ થાય છે, (મિ) તે આ (અનુમજં ) અનુભવને (મથા:) તું ભજ.
વિશેષાર્થ – શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પાંચે વિષય પુદ્ગલ સ્વભાવરૂપ હોવાથી જડ છે. તે વિષયમાં સમ્યક્ પ્રકારે “ આ વિષય તે હું નથી, અને એનું સ્વરૂપ તે મારું સ્વરૂપ નથી, હું તેમનાથી અન્ય છું, તેમના સ્વરૂપથી મારું સ્વરૂપ પણ ન્યારું જ છે. ” એવું વિવેચન જે અનુભવ હૃદયમાં પ્રગટ કરે છે. વળી જે અનુભવજ્ઞાનના બળથી અન્ય અનેક જન્મમાં વિભાવદશાના આધીનપણુએ કરીને કરેલી, મોહજાળમાં ફસાવવાના હેતુ ભૂત વર્તનાઓનો ભાસ થાય છે, તે તારા પિતાના જ આત્મામાં રહેલા અનુભવને હે આત્મા ! તું સેવ. ૧.
અહીં પ્રથમ અનુભવની સેવા ગ્રંથકારે બતાવી છે, તે અનુભવ શાસ્ત્રજ્ઞાનથી, તેના મનનથી અને તે જ્ઞાનને કિયામાં મૂકવાથી જ થઈ શકે છે. તેમજ જ્ઞાન, મનન અને ક્રિયા પણ નિશ્ચય અને વ્યવહાર બને નયને આશ્રયીને કરવાથી જ ફળીભૂત થાય છે. કહ્યું છે કે
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી હદયપ્રદીપ પર્વિશિકા પ્રકરણ
૨૭૧ " जइ जिणमयं पवजह, ता मा ववहारनिच्छए मुयह ।
ववहारनओच्छेए, तित्थुच्छेओ जओ होइ ॥"
અર્થ –“હે આત્મા ! () જે (જિમ) જિનેશ્વરના મતને ધર્મને (પવનદ) તું અંગીકાર કરતો હો (તા) તો (વ
વ્યવહાર અને નિશ્ચય બંને નયને (મા મુદ) મૂકીશ નહીં, () કારણ કે ( વવદરના ) વ્યવહાર નયનો ઉછેદ થવાથી (નિશુ છે) તીર્થનો ઉચ્છેદ (૬) થાય એમ શાસ્ત્રકારે કહેલું છે. ” આ ગાથાના ભાવાર્થ ઉપરથી ભવ્ય પ્રાણીઓ વિચાર કરી શકશે કે–શાસ્ત્રકાર એકી સાથે બને નયને સ્વીકાર બતાવી વ્યવહાર નયને નાશ થશે તે શાસનને નાશ થશે એમ બતાવે છે, તે ઉપરથી એમ નિશ્ચય થાય છે કે વ્યવહારથી જે જે સિદ્ધિગતિના કારણ હોય તેમાં અતિ આદરપૂર્વક પ્રવર્તવું, અને એ વ્યવહારદ્વારા જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે, તે પ્રાપ્ત કરવાનું ચૂકી જવું નહીં
આ અનુભવ જ્ઞાન અને ક્રિયાથી જ પ્રાપ્ત થાય છે, અને તે જ્ઞાન તથા ક્રિયાવાળા છે આ જગતમાં પ્રાયે થેડા જ હોય છે, તે બતાવે છે जानन्ति केचिन्न तु कर्तुमीशाः, कर्तुं क्षमा ये न च ते विदन्ति। जानन्ति तत्त्वं प्रभवान्त कर्तुं, ते केऽपि लोके विरला भवन्ति॥२॥ - અર્થ(રો) આ લોકને વિષે ( રર) કેટલાક મનુ (જ્ઞાનાનિત) તત્વને અથવા કર્તવ્ય-અકર્તવ્યને જાણે છે, (સુ) પરંતુ (કું) તે પ્રમાણે કરવાને (રા) સમર્થ હોતા નથી (૪) અને (૨) જે મનુષ્ય (કું) કરવાને (ક્ષમા) સમર્થ હોય છે, (તે) તેઓ (વિત) તત્ત્વને જાણતા નથી; પરંતુ જેઓ (તરવે) તત્ત્વને (જ્ઞાનત) જાણે છે અને (તું) તે પ્રમાણે કરવાને પણ (મત્તિ ) સમર્થ થાય છે, (તે) તેવા છો તો (ડ) કેઈક (વિ ) વિરલા જ ( મા ) હોય છે. ર.
વિશેષાર્થ-આ લેકમાં ધર્મમાને વિષે વર્તતા જીવોના ત્રણ વગ બતાવ્યા છે. તેમાં જ્ઞાન અને ક્રિયા બને જેનામાં હોય છે તે અનુભવજ્ઞાની કહેવાય છે, તેવા માણસે જગતમાં થોડા જ હોય છે. એ પ્રથમ વર્ગ કહ્યો. આ વર્ગના છે જલ્દી મોક્ષ મેળવી શકે છે. હવે જેને જ્ઞાન છે, પણ ચારિત્રમોહનીયના પ્રબળ ઉદયથી તેઓ જ્ઞાન પ્રમાણે વર્તન કરવામાં સમર્થ થઈ શકતા નથી. આ બીજે વર્ગ કહ્યો. આ જીવો જે ચારિત્રમેહનીયના ક્ષયોપશમાદિકે કરીને યથાર્થ ક્રિયામાં વર્તવા પ્રત્યે સમર્થ હોય તેના ઉપર આદરવાળા રહે અને પોતે પણ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૨
પ્રકરણસંગ્રહ. ચારિત્રમોહનીયના ક્ષપશમને માટે ઉદ્યમી રહે તો કેટલાક વખત પછી પણ અવશ્ય મોક્ષપદને સાધી શકે છે. હવે ત્રીજો વર્ગ કે જે ચારિત્રમોહનીય તથા પ્રકારનું પ્રબળ નહીં હોવાને લીધે ક્રિયા કરવામાં સમર્થ થાય, પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે આદરવા ગ્ય અને તજવા યોગ્ય પદાર્થને યથાર્થ સમજી શકતા નથી. આ વર્ગના જીવ પણ જેઓ જ્ઞાનાવરણીયના ક્ષપશમના બળે કરીને પદાર્થ સ્વરૂપને જાણતા હોય, તેઓની વિનયભક્તિ કરવામાં તત્પર રહે અને પોતે જ્ઞાનાવરણીય કર્મને ખપાવવા માષતુષ નામના પ્રસિદ્ધ મુનિ મહારાજની જેમ સાવધાનપણે ઉદ્યમ કરે તેમજ પોતાને તત્ત્વજ્ઞાન થાય ત્યાંસુધી ગુરુની નિશ્રાએ વર્તે તો તે પણ કેટલાક કાળે મોક્ષપદ સાધી શકે છે.
આ ત્રણ વર્ગની બહારના જેઓ શુષ્ક જ્ઞાન-ક્રિયાવાળા પિતાની મતિકલ્પનાથી અમે જેનશાસનમાં છીએ એમ માને છે, તેઓના જ્ઞાન અને ક્રિયા બંને કેવળ મતિકલ્પિત હોવાથી અને જિનાજ્ઞાથી પરામુખ હોવાથી તેઓ કેવળ ભવભ્રમણરૂપ ફળને જ પામે છે. કહ્યું છે કે" समइपवित्ती सवा, आणाबज्झ ति भवफला चेव । तित्थयरुद्देसेण वि, न तत्तओ सा तदुद्देसा ॥"
અર્થ -(સણા) સર્વ (સમાવિત્ત) પિતાની મતિથી કરેલી પ્રવૃત્તિ (આવા ત્તિ) જિનેશ્વરની આજ્ઞાથી બાા છે, તેથી તે (મviળી જેવ) સંસારરૂપ ફળવાળી જ છે. સંસારની વૃદ્ધિ કરનાર જ છે. કેમકે (સા) તે મતિ કલ્પિત પ્રવૃત્તિ (તિથયસેન વિ) તીર્થંકરના ઉદ્દેશે કરીને કરી હોય તો પણ (તરા) તત્ત્વથી (તડુવા ન ) તે તીર્થકરના ઉદ્દેશવાળી નથી. એટલે કે તે સ્વમતિક૯૫નાએ જ્ઞાન-ક્રિયાની પ્રવૃત્તિ કરનારા જ પિતાની પ્રવૃત્તિને તીર્થકરે બતાવી છે, એમ માને છે પરંતુ પરમાર્થથી જોતાં તે પ્રવૃત્તિ તીર્થંકરે બતાવેલી છે જ નહીં, તેથી જ તે સંસારની વૃદ્ધિરૂપ ફળને આપનાર થાય છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આ ઉપરથી સુજ્ઞજને સમજી શકશે કે અનુભવજ્ઞાન મેળવવામાં ઘણે વખત જોઈએ, તે પણ તેટલા વખત સુધી વિપરીત માગે તે ન જ પ્રવર્તવું જોઈએ.
જ્ઞાન અને ક્રિયા એ બને મોક્ષપદ મેળવવામાં મુખ્ય કારણ છે. તે વિષે છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે. “संजोगसिद्धीइ फलं वयंति, न हु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समेच्चा, ते संपउत्ता नगरं पविट्ठा ॥" અર્થા–“જ્ઞાની પુરુષ (સંગોલિદ) શાન અને ક્રિયારૂપ સામગ્રીના
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રી હૃદયપ્રદીપષત્રિંશિકા પ્રકરણ
૨૭૩ સંયોગની સિદ્ધિથી જ (૪) મોક્ષફળની પ્રાપ્તિ થાય છે એમ (ઘર) કહે છે. (૬) કારણ કે (gar) એક ચક્રવડે (ર) રથ (૨ પાદ) કદી પણ ચાલી શકતો નથી. જેમકે ( ધો ૫ ) એક અંધ અને (ઉજૂ ૨) બીજે પંગુ એ બને (૧) વનમાં (નમેશા) મળ્યા. (તે) તે બન્ને (સંપત્તા) એકઠા મળીને (નર) નગરમાં (વિ) પેઠા. એટલે કે જ્ઞાનસદશ પંગુ મનુષ્ય ક્રિયાસદશ અંધની ખાંધે બેસવાથી-માર્ગનું જ્ઞાન અને ચાલવાની ક્રિયા એ બને કારણે એકત્ર થવાથી ઈષ્ટ નગરમાં જઈ શકાય છે.” તે આ રીતે-અંધ મનુષ્ય પંગુને પિતાની ખાંધે બેસાડ્યો, પછી પંગુ મનુષ્ય માર્ગની જેમ જેમ સૂચના ડાબા જમણું બતાવી કરવા લાગ્યો તેમ તેમ તે તરફ અંધ મનુષ્ય ચાલવા લાગે, તેથી તે બને ઈષ્ટ નગરમાં જઈ પહોંચ્યા.
હવે મોક્ષને સાધનાર અનુભવ જ છે, તે બતાવે છે- * सम्यग्विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग्गुरुर्यस्य च तत्त्ववेत्ता । सदाऽनुभूत्या दृढनिश्चयो य-स्तस्यैव सिद्धिर्न हि चापरस्य ॥३॥
અર્થ –આ લેકમાં કેવો જીવ મોક્ષ પામી શકે? અને કેવો જીવ ન પામે? તે બતાવે છે. (સ્થ ચિત્તે ) જેના ચિત્તમાં (નવું) નિશે (સભ્યત્તિ) સમ્યક્ પ્રકારની વિરક્તિ-વૈરાગ્ય હોય, (૪) અને (0) જેના (ગુ) ગુરુ (સૌ) સમ્યક્ પ્રકારે (તત્ત્વવેત્તા) તત્ત્વને જાણનાર હોય, તથા (રવાડનુમૂલ્યા) સર્વદા અનુભવવડે (ક) જે (દનિશ્ચય:) દઢ નિશ્ચયવાળ હોય, (તાવ) તેને જ (સિદ્ધિ) સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. (૪) અને (અપચ) તે સિવાય બીજાની (ા દિ) સિદ્ધિ થતી જ નથી. ૩. - વિશેષાર્થ –જેના હૃદયમાં સારી રીતે વૈરાગ્ય દશા પ્રાપ્ત થયેલી હોય, ઉત્તમ પ્રકારે યથાસ્થિત જેનાગમના રહસ્યનું જ્ઞાન જેનામાં હોય એવા સદ્દગુરુ જેને પ્રાપ્ત થયેલા હોય અને જે પ્રાણ અનુભવજ્ઞાન મેળવવાવડે જેવી રીતે આત્મગુણેની અંદર રમણતા કરવી જોઈએ તેવા કર્તવ્યમાં દઢ નિશ્ચયવાળો થયે હેય–તેવા પ્રાણીની સિદ્ધિ થાય છે. તેથી અન્ય કે જેને ઉત્તમ વેરાગ્ય, તત્ત્વજ્ઞાની ગુરુનો સમાગમ અને અનુભવવડે તત્વને દઢ નિશ્ચય થયું ન હોય તે પ્રાણ મુક્તિપદને પામી શકતો નથી.
આ લેકમાં વૈરાગ્ય, જ્ઞાની ગુરુ અને અનુભવજ્ઞાન એ ત્રણ પદાર્થો મુક્તિના સાધનરૂપ બતાવ્યા છે. તેનું વિવેચન કરવાની ખાસ જરૂરીયાત હોવાથી તે પદાર્થો અનુક્રમે કહે છે –
૩૫
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૪
પ્રકરણસંગ્રહ,
(૧) પ્રથમ વૈરાગ્ય કહ્યો તે વૈરાગ્ય ત્રણ પ્રકાર છે -૧ દુખગર્ભિત, ૨ મેહગભિત અને ૩ જ્ઞાનગર્ભિત. આ બાબત ન્યાયવિશારદ શ્રીયશોવિજયજી ઉપાયાયે પિતાના અધ્યાત્મસાર નામના ગ્રંથમાં કહ્યું છે કે –
“તદ્વયં ત ટુ–નો જ્ઞાનાન્નયત ત્રિધા”
તે વૈરાગ્ય દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારે કહ્યો છે. તેમાં અનેક પ્રકારનાં શરીર સંબંધી, મન સંબંધી અને કુટુંબાદિક સંબંધી દુઃખે દેખીને સંસારના ક્ષણિક પદાર્થોથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્ય થવાથી જે કે તે જીવ સંસારને ત્યાગ કરે છે, તો પણ જ્યારે ચારિત્રમાં અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગોનું દુઃખ આવી પડે છે ત્યારે પાછી ગૃહસ્થાવાસની ઈચ્છા થાય છે; છતાં પણ આ વૈરાગ્યવાળો જે સર્વથા ગીતાર્થ ગુરુને આધીન રહે અને તેમના કહેવા પ્રમાણે જ આત્મસાધન કર્યા કરે છે તે પણ મોક્ષપદને સાધી શકે છે, પરંતુ તે અતિ દુષ્કર છે.
બીજે મેહગર્ભિત વૈરાગ્ય છે. તે સાધુઓને રાજાદિકે કરાતા આદર, માન, સત્કાર વિગેરે જેઈને થઈ શકે છે. તેવા વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કરીને રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવ વિગેરેમાં તે મગ્ન થાય છે, તેથી તેને મોક્ષસાધન દુર્લભ છે; છતાં સદ્દગુરુની પ્રેરણાથી જે તે પાછા વળીને સાચો વૈરાગ્ય ધારણ કરી, આત્મસાધનમાં તત્પર થાય તો તે પણ કેટલેક કાળે મોક્ષપદ સાધી શકે છે.
ત્રીજે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે કે જે સ્યાદ્વાદશૈલીથી સંસારનું વિકરાળ સ્વરૂપ યથાસ્થિતપણે જાણવાથી પ્રાપ્ત થાય છે. તે શીધ્રપણે સિદ્ધિપદને આપી શકે છે.
(૨) બીજા જ્ઞાની ગુરુનું લક્ષણ શાસ્ત્રકારે આ પ્રમાણે બતાવ્યું છે કે-જેને આત્મસ્વભાવરૂપ નૈઋયિક ધર્મ તથા તેને પ્રગટ કરવાના સાધનભૂત અનેક પ્રકારના અનુષ્ઠાનેરૂપ વ્યવહાર ધર્મની જાણ હાય, વ્યવહાર અને નિશ્ચય અને પ્રકારના ધર્મને સેવનાર હોય, ધર્મમાં સદા તત્પર હોય અને હમેશાં પ્રાણીઓને ધર્મતત્ત્વને ઉપદેશ કરનાર હોય. કહ્યું છે કે
“ धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मपरायणः ।
सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ-देशको गुरुरुच्यते ॥” અથ–“(જ્ઞિક ) જે ધર્મને જાણનાર હોય, (ધર્મવાર્તા) ધર્મક્રિયાને કરનાર હોય, (૨) અને (રા) સર્વદા (ધર્મપરાયણ) ધર્મમાં તત્પરમગ્ન હાય તથા (રો) પ્રાણીઓને (ધર્મશાસ્ત્રાર્થરાજ ) ધર્મશાસ્ત્રના અર્થને ઉપદેશ કરનાર હોય, તેવા જ્ઞાની (મુ) ગુરુ (૩ ) કહેવાય છે.”
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ
ર૭૫ આવા પ્રકારના સદગુરુના વેગથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયેલ હોય તો તે દઢ થાય છે અને પ્રાપ્ત થયેલ ન હોય તે તેની પ્રાપ્તિ થાય છે.
(૩) ત્રીજો અનુભવજ્ઞાન દ્વારા કર્તવ્યનો દઢ નિશ્ચય તે આ પ્રમાણે-સદ્ગુરુના સમાગમવડે પ્રાણીઓ સત્ય પદાર્થોનું સ્વરૂપ વિચારી તેનું વારંવાર મનન કરે છે તેથી અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે અનુભવદ્વારા જલદી મોક્ષ પ્રાપ્ત થાય છે.
હવે સમ્યક્ પ્રકારે વૈરાગ્ય પ્રાપ્ત થવા માટે પ્રથમ શરીરનું સ્વરૂપ બતાવે છે – विग्रहं कृमिनिकायसंकुलं, दुःखदं हृदि विवेचयन्ति ये। गुसिबद्धमिव चेतनं हि ते, मोचयन्ति तनुयन्त्रयन्त्रितम् ॥४॥
અર્થ:-(૨) જેઓ (શિ) આ શરીર (નિરંકુરું) કૃમિએના સમૂહવડે વ્યાસ અને (સુદ) દુઃખદાયી છે એમ (હિ) પિતાના હૃદયમાં (વિવત્તિ) વિવેકપૂર્વક જાણે છે-ચિંતવે છે, ( તે) તેઓ (મુરિવામિલ) જાણે કેદખાનામાં બંધાયેલા હોય તેમ (તનુચત્રલિં ) શરીરરૂપી યંત્રથી બંધાયેલા (ત ) ચેતનને–આત્માને ( દ) નિ (મોવત્તિ) મુકાવે છે-શરીરથી છૂટે કરી અશરીરીપણું પ્રાપ્ત કરાવે છે. ૪.
વિશેષાર્થ –હમેશાં દરેક વસ્તુ ઉપરનો વૈરાગ્ય તેનાથી પ્રાપ્ત થતી આપત્તિથી તથા તેના બીભત્સ સ્વરૂપને વિચાર કરવાથી પ્રાપ્ત થાય છે. તેવા વિચારથી પ્રાણ અનુક્રમે ધન, સ્ત્રી, પુત્રાદિક ઉપરનો મેહ કદાચ ઉતારી શકે છે, પરંતુ પિતાના શરીર ઉપરનો મેહ ઉતારી શક્તા નથી. આ શરીર પરનો મોહ અનાદિ કાળથી ચાલ્યા આવે છે, છતાં પણ જ્યારે વિચક્ષણ પુરુષે શરીરના સ્વરૂપનું વિવેચન કરે છે ત્યારે શરીર પરનો મેહ પણ ઉતરે છે અને પછી દેહને દુઃખ પ્રાપ્ત થાય તે પણ તે ભય પામ્યા વિના “ હે તુરં મારું ” ( શરીરને વિષે દુખ પ્રાપ્ત થાય તો તે મહાફળવાળું છે ) એ સૂત્રવચનનું અવલંબન કરી પરીષહ અને ઉપસર્ગ સહન કરવા તૈયાર થાય છે, અને તે દ્વારા સર્વે કર્મને ક્ષય કરી, અનંત કાળથી ચાલ્યા આવતા શારીરિક અને માનસિક દુઃખને જળજલિ આપે છે અને અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે.
જો કે પરાધીનપણે પ્રાણીઓ વિષયસુખનો ત્યાગ અતીત અનંત કાળમાં અનંતી વાર કરી શક્યા છે, પરંતુ તેવા ત્યાગથી તેના આત્માનું કાંઈ કલ્યાણ થઈ શકયું નથી; કારણ કે પ્રાપ્ત થયેલા ભેગેને જે સ્વતંત્રપણે ત્યાગ કરવો તે જ તાત્વિક ત્યાગ કહેવાય છે. તે વિષે કહ્યું છે કે –
“ને જ તે દિ મોણ, દિ ફા - સાલી વય મોણ, રારિ તુ ”
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૬
પ્રકરણસંગ્રહ. ( ) જે પ્રાણું (ક) મનહર અને (૪) પ્રિય (મો) ભેગે (૪ ) પ્રાપ્ત થયા છતાં પણ (જિદિ ગુદા) તેની તરફ પીઠ કરે છે, તથા (સાદી) પિતાને સ્વાધીન એવા (મો) ભેગને (ર) ત્યાગ કરે છે, (દુ) તે જ પ્રાણી (વા ઉત્ત) ખર ત્યાગી છે એમ (સુદ) કહેવાય છે.?
એક જ શરીર ક્યા ક્યા પ્રાણીઓને કેવા કેવા સુખ-દુઃખના સાધનભૂત થાય છે ? તે દેખાડે છે – भोगार्थमेतद्भविनां शरीरं, ज्ञानार्थमेतत् किल योगिनां वै । जाता विषं चेद्विषया हि सम्यग्-ज्ञानात्ततः किं कुणपस्य पुष्ट्या ?
અર્થ–(અવિના) સંસારી જીવોને (પતિ) આ (ર૬) શરીર (મળ) ભેગને માટે થાય છે અને (પત) એ જ શરીર (વિટ) નિ (વિના ) ચોગીઓને (જ્ઞાનાર્થ) જ્ઞાનને માટે થાય છે (હિ) કારણ કે (૧) જે (વિવાદ) આ વિષયે જેમને (રાશાનાત) સાચા જ્ઞાનથી (વિવું) વિષરૂપે (વાતા ) થયા છે-જાણવામાં આવ્યા છે, ( તતઃ) તે તેમને (સુપરજ) આ મૃતક જેવા શરીરની (પુથા) પુષ્ટિવડે (f) શું ફળ છે? કાંઈ જ નથી. ૫.
વિશેષાર્થ–સંસારી પ્રાણીઓ આ શરીર ભોગને માટે છે એમ કલ્પી તે દ્વારા તેનું સફળ પણું કરવા ચાહે છે અને જ્ઞાનીઓ ફક્ત જ્ઞાનના સાધનભૂત તે શરીરને જાણી તેનું સફળ પણું કરવા ચાહે છે. જે સ્વપરનું વિવેચન કરવાથી વિષયસુખ વિષતુલ્ય ભાસ્યા હોય તે પછી મૃતક જેવા આ જડ શરીરની પુષ્ટિથી શું ફળ છે ? કાંઈ જ નથી. પ્રાણુઓની આવી ભિન્ન ભિન્ન માન્યતાને માટે કહ્યું છે કે-“જે માણવા તે સિવા” (જે આશ્રવે છે તે જ પરિશ્રવે છે. ) એટલે કે મેહવાળા પ્રાણીઓને કર્મબંધના જેટલા કારણે છે તેટલા જ (તે ને તે જ) તત્ત્વજ્ઞાનીઓને મોક્ષ સાધવાના કારણે છે. તેથી મોક્ષના અથી પ્રાણીઓએ પ્રાપ્ત થયેલા દરેક બાહ્ય સાધનને શુભ ઉપયોગ જ કરવો ઉચિત છે; વિનાશી શરીરનું પિષણ કરવામાં તત્પર થવું ઉચિત નથી. જે યથાયોગ્યપણે શરીરને ઉપગ કરવામાં ન આવે તો તે શરીર જ અનંત ભ સુધી દુખનું સાધન થાય છે, કારણ કે જગતમાં શરીર અને મન સંબંધી દુઃખ પ્રાપ્ત થવાનું કારણ શરીર અને મન જ છે, એમ શાસ્ત્રના તત્વને જાણનારા કહે છે.
શરીરનું પિષણ કરવામાં મેહ જ મુખ્ય કારણરૂપ છે, તેથી તે મેહ વિવેકીએ ત્યાગ કરવા યોગ્ય છે. એવા આશયથી પિતાના આત્માને જ બોધ આપે છેत्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्र-पूर्णेऽनुरागः कुणपे कथं ते ?। द्रष्टा च वक्ता च विवेकरूपस्त्वमेव साक्षात् किमु मुह्यसीत्थम्?६
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ
૨૭૭ અથ – હે આત્મા! (૫) ત્વચા, (માંસ) માંસ, (મેવો) મેદ-ચરબી, () હાડકા, (પુરી) વિષ્ઠા અને (મૂત્ર ) મૂત્રવડે (પૂ) ભરેલા ( ) આ જડ શરીરને વિષે (ાશં) કેમ (?) તને (અનુi ) પ્રીતિ થાય છે ? કેમકે (સાક્ષાત) સાક્ષાતપણે આ આત્મિક ગુણોને (ઇ) જેનાર, () અને (વા) કહેનાર, (૨) અને (વિવેપ) વિવેકરૂપ-સત્ અસ
નું વિવેચન કરનાર (તાવ) તે પોતે જ છે, તો પછી () આ પ્રમાણે ( વિમું મુહાસિ) તું કેમ મુંઝાય છે? શરીર ઉપર કેમ મેહ રાખે છે?
વિશેષાર્થ – હે ચેતન ! જે શરીર ચામડી, માંસ, ચરબી, વિષ્ટા અને મૂત્ર વિગેરે અશુચિ પદાર્થોથી ભરેલું છે તેમાં તેને રાગ અવિચારિતપણે શા માટે થાય છે? હે ચેતન! સાક્ષાતપણે સર્વ પદાર્થોને જાણનાર, યથાર્થપણે બતાવનાર અને તેનું વિવેચન કરનાર તું પિતે જ છે, તે હવે એવા અશુચિ પદાર્થોમાં રાગ પામી કેમ મૂઢ થાય છે? કેમકે ખરેખરું જાણપણું તે તે જ કહેવાય કે જે રાગાદિક મેહમાં ફસાયે નહીં તે વિષે શ્રી શીલાંગસૂરિએ આચારાંગની ટીકામાં કહ્યું છે કે – "तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्ति-दिनकरकिरणाग्रतः स्थातुम् ? ॥"
અર્થ –(7) તે (જ્ઞાન) જ્ઞાન જ (૨ મવતિ) હેતું નથી કે (મિન) જે જ્ઞાન (હિ) ઉદય પામે સતે (ાવાદઃ ) રાગને સમૂહ (મિતિ) વિસ્તાર પામે, કેમકે (વિનાશિTUTછતા) સૂર્યના કિરણેની પાસે (૨થાનું) રહેવાને (રમત) અંધકારની (રજિ:) શક્તિ (તતિ ) કયાંથી હોય? ન જ હોય. ૬.
ધનની અનિત્યતા દેખાડવાપૂર્વક તેનું દુઃખહેતુપણું કહીને તેને ત્યાગ કરવા માટે ઉપદેશ આપે છે – धनं न केषां निधनं गतं वै ?, दरिद्रिणः के धनिनो न दृष्टाः । दुःखैकहेत्वत्र धनेऽतितृष्णां, त्यक्त्वा सुखी स्यादिति मे विचारः७ કે અર્થ-કદાચ દ્રવ્યની મૂછવડે પ્રાણીઓ આ સંસારમાં મેહ પામતા હોય તે તેને ઉપદેશ આપે છે કે-(ii) કનું (બ) ધન (નિધનં) વિનાશને ( વૈ) નથી પામ્યું ? તથા (જે) કયા ( ડિ ) દરિદ્રીઓ (ઘનિનો) ધનવાન થયેલા (ર દg ) નથી જોયા? અર્થાત્ ધનવાન હોય તે નિર્ધન થાય છે અને નિર્ધન હોય તે ધનવાન થાય છે, તેથી (અર ) આ ધન મેળવવા માટે (સુસૈદેતુ) દુઃખનું જ એક-અદ્વિતીય કારણરૂપ (તિgori) અતિતૃષ્ણને (અથવા) તજી દઈને મનુષ્ય (સુણી રસાત) સુખી થાય છે, (ર) એમ ( વિવાર:) મારા વિચાર–મારું મંતવ્ય છે. ૭.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૮
પ્રકરણસંગ્રહ. સંસારના દુઃખરૂપ રંગનો નાશ કરવાને ઉપાય બતાવે છે – संसारदुःखान्न परोऽस्ति रोगः, सम्यग्विचारात् परमौषधं न । तद्रोगदुःखस्य विनाशनाय, सच्छास्त्रतोऽयं क्रियते विचारः॥८॥
અર્થ- સંતાવાતુ) આ જગતમાં સંસારના દુખથકી (g) બીજે કઈ () રોગ-વ્યાધિ (તિ) નથી, અને (વિવાદ) સમ્યક્ પ્રકારના વિચાર થકી (f) બીજું કાંઈ પણ (શૌર્ષ ) ઔષધ નથી. અર્થાત્ સંસારના દુઃખરૂપી વ્યાધિનું ઔષધ સમ્યક્ વિચાર જ છે. તેથી કરીને (તોરણW) તે રોગ સદશ દુઃખને (વિના નાય) વિનાશ કરવા માટે (અછાંટતા) સારા શાસ્ત્ર થકી (ાથે વિવાર) આ વિચાર ( લિયો) કરવામાં આવે છે.
વિશેષાર્થ –આ સંસારી જીવ જવરાદિક રોગને જ રેગ કહે છે, પરંતુ આ જીવને સાંસારિક અનેક પ્રકારના માનસિક, વાચિક અને કાયિક-આધિ, વ્યાધિ અને ઉપાધિ વળગેલા છે. તેમાંથી માત્ર કાયિકને જ રેગ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે સિવાય બીજા રોગ (અધિ, ઉપાધિ) તે કરતાં વધી જાય તેવાવધારે દુઃખ આપનારા અને કર્મબંધને કરાવનારા છે તે સર્વ પૂર્વકર્મજન્ય જ છે. તે સર્વ રોગનું નિવારણ કરનાર પરમ ઔષધ સમ્ય વિચાર જ છે. તેનાથી જ સર્વ દુઃખે નિર્મૂળ થઈ શકે છે. ૮.
તે ઔષધરૂપ સમ્યગ વિચારને જ બતાવે છે – अनित्यताया यदि चेत् प्रतीति-स्तत्त्वस्य निष्ठा च गुरुप्रसादात् । सुखी हि सर्वत्र जने वने च, नो चेद्वने चाथ जनेषु दुःखी ॥९॥
અર્થ –જે પ્રાણીને દ્રવ્ય, સ્વજન, કુટુંબ અને શરીર વિગેરે સર્વ સંસારના પદાર્થો સંબંધી (રિ જેત ) જે (નિત્યતાવા) અનિત્યપણાની (અતિ ) પ્રતીતિ થઈ હોય (૪) અને (ગુહાવા) ગુરુના પ્રસાદથી (સવાર) તત્ત્વની (નિ) દઢ શ્રદ્ધા થઈ હોય તે તે પ્રાણ ( ર ) વસ્તીમાં અને વનમાં સર્વત્ર) સર્વ ઠેકાણે (ગુલી હિ) સુખી જ હોય છે. અને (જેન નો) જે અનિત્યપણાની પ્રતીતિ અને તત્ત્વશ્રદ્ધા ન થઈ હોય તે (ને સાથ કને) વનમાં અને વસ્તીમાં પણ તે (સુણી) દુઃખી જ હોય છે.
વિશેષાર્થ આ પ્રાણી નિરંતર સુખનો અથ છે અને દુઃખથી ત્રાસ પામે છે, પરંતુ સુખ-દુઃખના હેતુને યથાર્થ નહીં ઓળખવાથી તેને ખરું સુખ પ્રાપ્ત થતું
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
२७८
નથી અને દુઃખનો નાશ થતો નથી. પ્રાણુને દુ:ખનું કારણ આ સંસારના પદાર્થો અને સ્વજનાદિક કે જે અનિત્ય છે તેને નિત્ય માની બેસે છે તે જ છે; કારણ કે અનિત્ય પદાર્થો તેની સંગસ્થિતિ પૂર્ણ થયે જ્યારે તેનાથી વિખૂટા પડે છે અથવા નાશ પામે છે ત્યારે તેને નિત્ય માનનાર મુગ્ધ મનુષ્ય દુઃખ પામે છે. ૯.
| વિવેકરૂપી સૂર્ય ઉદય થવાથી મોહરૂપ અંધકારનો નાશ થાય છે, તે કહે છે. मोहान्धकारे भ्रमतीह तावत् , संसारदुःखैश्च कदर्थ्यमानः । यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम् ॥१०॥
અર્થ આ પ્રાણી (સંપાદુકઢ) સંસારના દુખાવડે (ાર્થમાનઃ) કદર્થના પામતો સંતો (૬૪) આ સંસારમાં (મોધવારે) મેહરૂપી અંધકારમાં (તાવ) ત્યાંસુધી (અતિ) ભ્રમણ કરે છે કે (થાવત) જ્યાં સુધી ( વિવેકામોન) વિવેકરૂપી સૂર્યના મોટા ઉદયવડે (વારિતં) યથાર્થ– સત્યપણે (માતમi) આત્માનું સ્વરૂપ (ા પતિ) જેત નથી. જ્યારે વિવેકરૂપી સૂર્યનો ઉદય થાય છે ત્યારે મેહાંધકાર નાશ પામે છે, આત્મસ્વરૂપ એળખાય છે, અને સાંસારિક દુઃખાની કદર્થના નાશ પામે છે.
. વિશેષાર્થ –આ જગતમાં મોહ અને વિવેક એ બને ખરેખર એક બીજાના પ્રતિસ્પધી છે. મેહ વિવેકને ભૂલાવે છે અને વિવેક આવે છે ત્યારે મોહ નાશ પામે છે. આ સંસારમાં પ્રાણુને પરિભ્રમણ કરવાનું કારણ મેહ જ છે, અને તેનાથી છૂટવાનું-ઊંચા આવવાનું કારણ વિવેક જ છે. વિવેકરૂપ સૂર્યનો ઉદય થાય છે ત્યારે જ પ્રાણું પોતાના આત્મસ્વરૂપને જોઈ શકે છે. તે સિવાય આત્મસ્વરૂપને બંધ થઈ શકતો નથી અને આત્મસ્વરૂપ યથાર્થ સમજાયા સિવાય મેહ નષ્ટ થતો નથી. એ બને પરસ્પર કાર્યકારણભાવે વર્તે છે. ૧૦.
આત્મજ્ઞાનમાં રક્ત થયેલા પુરુષના ચિત્તમાં ધનાદિક પદાર્થો અનર્થ કરનારા જ ભાસે છે, તે કહે છે – अर्थो ह्यनर्थो बहुधा मतोऽयं, स्त्रीणां चरित्राणि शवोपमानि । विषेण तुल्या विषयाश्च तेषां, येषां हृदि स्वात्मलयानुभूतिः॥११॥
અર્થ – શેષાં) જેઓના ( દર ) હૃદયમાં (સ્વામિન્ટનુસ્મૃતિ ) પિતાના આત્માને વિષે લયને-તન્મયપણાનો અનુભવ વતે છે, (તેષi) તેઓને (પહુજા) અનેક પ્રકારે સાંસારિક સુખના કારણપણુએ કરીને (મતા) લોકેએ માનેલ (ગથે અર્થ) આ પ્રત્યક્ષ દેખાતું ધન (દિ અનર્થ:) અવશ્ય અનર્થકારક લાગે છે, (શ્રી ત્રિાઉન ) સ્ત્રીઓનાં ચરિત્ર (રાવોપમાનિ) મૃતક
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રકરણુસ'ગ્રહ
જેવા અનિષ્ટ લાગે છે, ( ૨ ) અને ( વિષયા: ) ઇંદ્રિયાના વિષયા ( વિષેળ સુથા; ) વિષ જેવા લાગે છે.
વિશેષા—આત્માને વિષે લય એટલે આત્માના હિત અહિતની જ કાયમ વિચારણા જે પ્રાણીને વત તી હોય છે, તથા સાંસારિક સુખ-દુઃખને વિષે જેને નિરંતર ઉપેક્ષા વતી હાય છે તે પ્રાણી ધનને સ્વાર્થ સાધક માનતા નથી, પણ અન કારક જ માને છે, તેના હૃદયમાં દ્રવ્યને લાભ હાતા નથી અને દ્રવ્યની હાનિ કે લાભ તેના મન પર કાંઈ પણ અસર કરતા નથી. સ્ત્રીના ચરિત્ર તેને મેહેાત્પાદક થતા નથી અને પાંચે ઇંદ્રિયાના વિષયે તેને વિષ સમાન–ઝેર જેવા લાગે છે. ૧૧.
આ આત્મા ધર્મરસિક થયા છતાં પણ સસારના આર.ભ–સમાર ભમાં આસક્ત થયેલા બીજા પ્રાણીઓને જોઇને કોઇ કાઇ વખત વૃથા ખેદ પામે છે, તેને ઉપદેશ આપે છે:—
कार्यं च किं ते परदोषदृष्ट्या ?, कार्यं च किं ते परचिन्तया च ? | वृथा कथं खिद्यासे बालबुद्धे !?, कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ॥१२॥
અર્થ :—હૈ આત્મા ! (તે) તારે ( પોષરક્ષા ) પારક! દોષ જોવાથી (જિ ચ ા) શુ કાર્ય−કૂળ છે? કાંઇ જ નથી. ( ૬ ) અને (તે) તારે ( પત્તિન્નયા) પારકી ચિંતા કરવાથી ( વિચાર્ય) શું કા−ફળ છે? કાંઇ જ નહીં. ( વાહવુદ્ધે ! ) હે ખાલબુદ્ધિવાળા ! તું ( વૃથા ) ફાગટ ( જૂથ ) કેમ ( લિલિ ) ખેદ પામે છે? ( સ્વયં ) તું તારું પેાતાના આત્માનુ કાર્ય જ ( IT ) કર અને ( અન્યત્) બીજું ( સર્વે ) સર્વ` ( સ્વજ્ઞ ) તજી દે; કારણ કે તારા ખેદ કરવાથી તેવા મનુષ્યા કાંઈ સુધરતા નથી, લાઇન પર આવતા નથી. તેઓ તેા કરતા હાય તેમ કર્યા જ કરે છે, માટે એવા વ્યર્થ ખેદના ત્યાગ કરીને તું તારા આત્માના હિતાહિતના વિચાર કરી આત્મહિતમાં જ પ્રવૃત્તિ કર. ૧૨.
આત્માને હિતકારી કાર્ય જ કરવું એમ કહ્યુ, તેના પ્રકાર ખતાવે છે:यस्मिन् कृते कर्मणि सौख्यलेशो,
दुःखानुबन्धस्य तथाऽस्ति नान्तः ।
मनोऽभितापो मरणं हि यावत्,
मूर्खोऽपि कुर्यात् खलु तन्न कर्म ॥ १३ ॥
અઃ—(સ્મિન ) જે (ળ) કર્મ (તે) કરવાથી (સૌલ્યòશઃ) સુખન લેશમાત્ર પ્રાપ્ત થાય, ( તથા ) અને ( દુ:થાનુંવધT ) દુઃખના અનુબ ંધના–પરપ
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી હ્રદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ
૧
રાના ( અન્તઃ ન અસ્તિ ) અંત આવે નહીં એટલે અન ંત દુ:ખના અનુખ ધ થાય, તથા (મળ દિ ચાવલ્) જ્યાંસુધી મરણ પામે ત્યાંસુધી–મરણ પંત (મોડમિતાપઃ ) મનને તાપ થાય ( સત્ ર્મ ) તેવું કર્મ-કા ( લઘુ ) નિશ્ચે ( મૂર્છાવ) મૂર્ખ માણુસ પણ ( ન ત્ ) ન કર; તા પછી વિદ્વાન માણસ તા કેમ જ કરે ?
વિશેષા—હિંસા, અસત્ય, ચાર્ય, પરદારાગમન અને અતિતૃષ્ણા વિગેરે પાપ કર્મ કરવાથી પ્રાણી ક્ષણવાર સુખના વેશ પ્રાપ્ત કરે છે અને દુઃખના અનુખ ધવાળુ અશુભ કર્મ અન ંત કાળ સુધી ભાગવવું પડે તેવું ખાંધે છે. તેમ જ આ ભવમાં પણ ઉગ્ર પાપ દુનિયામાં પ્રસિદ્ધ થયા વિના રહેતું નથી. કહ્યું છે કે “અલ્યુપ્રચવાપાના મિદેવ જમશ્રુતે ।’( અતિ ઉગ્ર પુણ્યપાપનું ફળ આ ભવમાં જ ભોગવાય છે.) તેથી તે પાપ પ્રસિદ્ધ થવાથી લેાકના તિરસ્કાર વિગેરેથી તથા પેાતાની યશ-કીર્ત્તિના નાશ થવાથી તે પાપના પશ્ચાત્તાપ મરણ પ``ત થાય છે; માટે તેવા પાપથી દૂર રહી આત્માનું હિત કરવામાં તત્પર થવું તે ચેાગ્ય છે. ૧૩.
હવે કામનુ અન કારીપણુ' દેખાડે છે:—
यदर्जितं वै वयसाऽखिलेन, ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् । क्षणेन सर्वं प्रदहत्यहो ! तत्, कामो बली प्राप्य छलं यतीनाम्
અર્થ :—(ચતીનાં) મુનિએનુ (અવિલેન) સમગ્ર (વયસા ) વય–ઉમ્મરવડે (વૈ) નિશ્ચે ( ચત્) જે ( ધ્યાન ) મનની સ્થિરતાવાળુ શુભ ધ્યાન, ( તપ ) છઠ્ઠું, અઠ્ઠમ વિગેરે તપ, ( જ્ઞાનમુલ્લું) જ્ઞાન, વિવેક વિગેરે (૪) અને ( સત્યં ) સત્ય-મૃષાવાદવિરમણુ વિગેરે ( અર્જિત) ઉપાર્જન કર્યું. હાય છે, ( સત્ ) તે ધ્યાનાદિક ( સર્વે ) સર્વને ( અઠ્ઠો) અહેા ! ( વહી) બળવાન ( જામ: ) કામદેવ ( જીરું માલ્ય ) છળ પામીને ( ળન ) એક ક્ષણવારમાં ( તિ ) માળી નાંખે છે. જન્મ પર્યંત ઉપાર્જન કરેલા ધ્યાનાદિકને એક ક્ષણવારમાં જ ભસ્મીભૂત કરે છે, એ આશ્ચર્ય છે. મુનિઓના ધ્યાનાદિકના નાશ કરે છે, તેા ખીજા સંસારી જીવાનુ તા શુ કહેવુ' ? એ આ શ્ર્લાકનું રહસ્ય છે.
વિશેષા:—કામદેવ એટલેા બધા બળવાન છે કે તે પ્રાણીને એક પળમાં જ પાયમાલ કરી નાંખે છે. તેનાથી નિર તર ડરતા રહેવાની જરૂર છે. તેનાં સાધના જે પાંચ ઇંદ્રિયાના વિષયે તેને સેવતાં બહુ જ વિચાર કરવાના છે. જેની કામને આધીન થવાની ઇચ્છા ન હેાય તેણે પષ્ટિક અથવા કામેાત્પાદક પદાર્થને આહ્વાર કરવા નહીં, સ્રીના પરિચય અલ્પ પણ કરવા નહીં. · સ્ત્રીની સાથે માત્ર જરા વાત કરવાથી શુ હરકત છે?' એમ કદી પણ ધારવું નહીં. તેમ જ શૃંગારરસવાળી વાર્તાઓ કહેવી કે સાંભળવી નહીં, તેવા વિકાર કરનારા પુસ્તકા વિગેરે પણ વાંચવા
"
૩
Page #297
--------------------------------------------------------------------------
________________
nnnnnnnnnnnn
man
૨૮૨
પ્રકરણસંગ્રહ સાંભળવા નહીં. શાસ્ત્રકારે કહેલી શિયળની નવે વાડ બરાબર સાચવવી. જે પ્રાણી તે વાડને સાચવતું નથી તેને શિયળરૂપી ક્ષેત્રનો કામદેવ અવશ્ય નાશ કરે છે. પિતાના ખેતરની વાડ બરાબર સચવાય નહીં તે તે ખેડુતને પાક પશુઓના ભેગમાં આવે છે, એ પ્રત્યક્ષ સિદ્ધ છે. આ કુર કામદેવ એક વાર આત્મારૂપી ગૃહમાં પ્રવેશ કરે તે પછી તે મોટા મોટા મુનિરાજના મનને પણ ક્ષોભ પમાડે છે અને તેના જ્ઞાન, ધ્યાન વિગેરેને ભૂલાવી દે છે, તપને નિષ્ફળ કરે છે અને સત્ય વિગેરે ગુણને નાશ કરે છે. ૧૪.
કામ પણ મેહ વિના ઉત્પન્ન થતું નથી, તેથી મોહનું બળવાનપણું અને અનર્થ કરવાપણું દેખાડી તેના નાશને ઉપાય કહે છે – बलादसौ मोहरिपुर्जनानां, ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं च जगद्विनष्टं, तत्त्वावबोधादपयाति मोहः ॥१५॥
અર્થ—અલૌ) આ મનમાં પ્રત્યક્ષ દેખાતે (મોરિy ) મોહરૂપી શત્રુ (વા) બળાત્કારે (જ્ઞાન) માણસેના (શાનં) જ્ઞાન (૨) અને (વિવે) વિવેકને (નિરાતિ ) દૂર કરે છે-નાશ કરે છે. (૪) વળી (મોમિમૂi ) મેહથી પરાભવ પામેલું (147) આ જગત્ (વિન¢) નાશ પામ્યું છે. આવો મહ શી રીતે નષ્ટ થાય? તે કહે છે....(તરવાવવધાત) તત્તના બોધથી-આત્મજ્ઞાનથી (મો) આ મોહ (મuથાતિ ) નાશ પામે છે. જ્યાં તત્ત્વબેધ હોય ત્યાં મોહ ટકી શકતા નથી.
વિશેષાર્થ–મોહ વિવેકનો ખરેખર કટ્ટો શત્રુ છે, એ હકીકત આપણે આગળ પણ કહી આવ્યા છીએ. વિવેકની ઉત્પત્તિ જ્ઞાનથી થાય છે, તેથી જ્ઞાન પણ મોહના શત્ર તરીકે ગણાય, એ કાંઈ ખોટું નથી. જ્ઞાન અને વિવેકવડે પ્રાણી તત્વને બરાબર સમજીને પછી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિના વિરોધી મોહને નિમૂળ કરવા મથે છે. એમ મેહ પણ પોતાને જ્યારે અવસર મળે છે ત્યારે તે આત્માને પિતાને વશવત કરે છે, અને જ્ઞાન તથા વિવેક એ બન્નેને નિર્મૂળ કરવા પ્રયત્ન કરે છે. આ બન્નેનું યુદ્ધ અનાદિ કાળથી આત્મારૂપી ગૃહમાં થતું જ આવ્યું છે. તેમાં આત્મા તે બેમાંથી જેને વશવતી હોય, તેને જ ય થાય છે. ૧૫.
સંસારમાં પ્રાણીઓની સુખને માટે કરેલી પ્રવૃત્તિ નિષ્ફળ થાય છે, તે કહે છે:सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति-दुःखस्य नाशाय सुखस्य हेतोः। तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम्
અર્થ –(a ) સર્વ પ્રાણીની (ત્તિ: ) પ્રવૃત્તિ (સવા) હમેશાં (સર્વત્ર ) સર્વ ઠેકાણે (સુણસ્થ ) દુ:ખના (નારાય) નાશને માટે અને (સુલય
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
૨૮૩
દેતો) સુખની પ્રાપ્તિ માટે જ હોય છે; (તથા) તે પણ ( f) કોઈને () દુઃખ (વિનાશ ન તિ) વિનાશ પામતું નથી અને કોઈને () સુખ (રિથરત્વ) સ્થિરતાને (ા મત) પામતું નથી. તેથી આ પ્રયત્ન કરવા કરતાં નવા કર્મ ન બંધાય અને પૂર્વે બાંધેલા કર્મ ઉદયાદિકથી ભગવાઈને ક્ષીણ થઈ જાય, એવો પ્રયત્ન કરવો કે જેથી અવશ્ય દુ:ખનો વિનાશ થાય. બાકી પૂર્વકૃત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ સુખ–દુઃખ તે ભોગવવાં જ પડે છે, તેથી જે સાચા સુખની અભિલાષા હોય તે સુખનાં કારણે સેવવાં જોઈએ. જેમ બને તેમ કર્મબંધ અલ્પ થાય તેવા પરિણામમાં વર્તવું જોઈએ. તેમ કરવાથી સુખનો અનુભવ થશે. યદિ પૂર્વજન્મકૃત પાપના ઉદયથી દુઃખ જોગવવું પડશે તે તે પણ અલ્પ રસ આપશે અને અલ્પ કાળમાં સમાપ્તિ પામી જશે. પછી ફરીથી દુઃખ પામવાનો સમય નહીં આવે. આ હકીક્ત અક્ષરશ: હૃદયમાં ઉતારી સાચા સુખના સાચા સાધને સેવવા તત્પર રહેવું, એ સહૃદય મનુષ્યનું કર્તવ્ય છે. તે સિવાય માત્ર સુખની વાંછા જ કરવી તે તે ફાંફા છે. તેથી સાચા સુખનીઅવિચ્છિન્ન સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૧૬.
વિષયાદિ સુખ અનેક વાર પ્રાપ્ત થયું છે, તેથી તેમાં કાંઈ આશ્ચર્ય નથી, તે કહે છે – यत् कृत्रिमं वैषयिकादिसौख्यं, भ्रमन् भवे को न लभेत मर्त्यः। सर्वेषु तच्चाधममध्यमेषु, यद् दृश्यते तत्र किमद्भुतं च ॥१७॥
અર્થ() કૃત્રિમ એટલે ક્રિયાવડે બનેલું પુષ્પમાળા, ચંદન, સ્ત્રી વિગેરેનું (7) જે (વૈચાહિયં) પાંચ ઇંદ્રિયોના વિષય સંબંધી સુખ છે, તેને (મ) આ અનાદિ અનંત સંસારમાં (સ્ત્રન) અનાદિકાળથી ભ્રમણ કરતે () ક્યો (મત્સ્ય) મનુષ્ય ( ર ) ન પામી શકે? સર્વ પ્રાણ અનાદિ કાળથી ભવ ભ્રમણ કરતો અનંતવાર વૈષયિક સુખને પામ્યો જ છે. (તજ) વળી (ચત્ત) જે સુખ (સર્વેy) સર્વે (મધમમપુ) અધમ અને મધ્યમ મનુષ્યોમાં પણ (દરે ) દેખાય છે, (સત્ર) તેમાં (જિમદુત ર) શું આશ્ચર્ય છે? વૈષયિક સુખ અધમ અને મધ્યમને વિષે પણ દેખાય છે, તે પછી રાજાદિક ઉત્તમને વિષે દેખાય તેમાં તે કહેવું જ શું? અથૉત્ શબ્દાદિક અનિત્ય સુખની પ્રાપ્તિમાં કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ ધર્મની પ્રાપ્તિમાં જ આશ્ચર્ય છે. ' વિશેષાર્થ –વૈષયિકાદિક કૃત્રિમ સુખ પણ અન્ય જનોની દષ્ટિએ જણાય છે, પરંતુ તે સુખવાળે તો અનેક પ્રકારે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર હોવાથી પિતાના આત્માને દુઃખી જ માને છે. પુત્ર, સ્ત્રી વિગેરે પણ અનેક જાતની ચિંતા કરાવનાર હોય છે. વ્યાપારાદિકમાં રેકાયેલું ધન પણ અનેક પ્રકારની ચિતા
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પ્રકરણસંગ્રહ. ઉત્પન્ન કરે છે. આવા અનેક કારણોને લીધે વૈષયિક સુખ વાસ્તવિક સુખ નથી. વાસ્તવિક તે આત્માના સ્વરૂપનું જ્ઞાન અને તેથી થતા સંતેષ, વિવેક અને વૈરાગ્યાદિવડે પ્રાપ્ત થયેલું સુખ જ સાચું સુખ છે. ૧૭.
વિષયસુખના અથઓની બેટી માન્યતા દેખાડવાપૂર્વક મુનિએની તેનાથી જ વિમુખતા બતાવે છે – क्षुधातृषाकामविकाररोष-हेतुं च तद्भेषजवद्वदन्ति । तदस्वतन्त्रंक्षणिकंप्रयासकृत् , यतीश्वरा दूरतरं त्यजन्ति॥१८॥
અર્થ – સુધા) સુધા, (તુષા) તરશ, ( વિવાદ) કામને વિકાર અને ( હેતું ૪) ક્રોધના જે જે હેતુઓ-કારણે છે, (ર) તેને વિષયલુબ્ધ પ્રાણીઓ (વાવ) ઔષધની જેવા (ત્તિ) કહે છે–માને છે, પરંતુ (ર) તે સુધાદિક શમાવવાના કારણરૂપ ઔષધ ( ર્જ ) પરાધીન છે, (f ) ક્ષણિક છે અને (પ્રાષ) પ્રયત્નથી સાધ્ય છે, તેથી તેને ( ) મુનીશ્વર (દૂતાં) અત્યંત દૂરથી જ (ચત્તિ) તજી દે છે. ૧૮.
વિશેષાર્થ –આ સંસારના સુખમાં મેહ પામેલા પ્રાણીઓ અનેક પ્રકારના ભક્ષ્યાભઢ્યને ખાઈને સુધારૂપ રોગની શાંતિ માને છે, અનેક પ્રકારના શુદ્ધાશુદ્ધ પિયનું પાન કરી તુષાની શાંતિ માને છે, વિષયભેગ ભેળવીને કામવિકારની શાંતિ માને છે, તથા પિતાને અણગમતી બાબતમાં બીજા ઉપર ક્રોધ કરી તેની શાંતિ માને છે; પરંતુ તે સર્વ તેમની માન્યતા વિપરીત જ છે કેમકે ખાન, પાન વિગેરે ઈચ્છાનુસાર કરવાથી તે વિષયની આકાંક્ષા ઊલટી વૃદ્ધિ પામે છે. વળી તે ખાનપાનાદિક પરાધીન છે, કદાચ પુણ્યના વશથી સ્વાધીન હોય તે પણ તે ક્ષણિક છે, એટલે મામાના ખજવાળવાની જેમ વારંવાર તેની ઈચ્છા થયા જ કરે છે, તથા અતિ પ્રયાસથી સાધી શકાય છે. આ સર્વ જ્ઞાની પુરુષ વિવેકથી જાણીને તેનાથી અળગા જ રહે છે. ૧૮. - યતિઓને ભેજનાદિકની લુપતા કેમ થતી નથી? તે કહે છેगृहीतलिङ्गस्य च चेद्धनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी। गृहीतलिङ्गो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं ही ॥१९॥
અર્થ –(ફૂદીતસ્ટિકા ૪) મુનિવેષ ધારણ કરનારને (૨) જે (ધારા) ધન મેળવવાની આશા-ઈચ્છા હોય, (હરિ ) મુનિ વેષ ધારણ કરનાર જે (વિષયમિટાવી) શબ્દાદિ વિષયોને અભિલાષ કરે અને (હીત
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
૨૮૫ રિલ) મુનિવેષ ધારણ કરનાર (ત) (સોg) પરસવાળા ભેજનમાં લાલુપ હય, તો (તઃ) તે થકી બીજું ( ) અધિક (વિ ) વિડબન-અતિકષ્ટ (નાસ્તિ) નથી.
વિશેષાર્થ-મુનિવેષ ધારણ કર્યા પહેલાં શુદ્ધ એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થવો જોઈએ. તેવા વૈરાગ્યથી સંસારનું ખરું સ્વરૂપ સમજાય છે. સર્વ પદાર્થ અનિત્ય ભાસે છે. અર્થ ( ધન ) અનર્થનું મૂળ છે, એમ નિશ્ચય થાય છે. ઇંદ્રિ
ના વિષયે જ પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરાવે છે, એમ સમજવામાં આવે છે. પાંચ ઇંદ્રિયોમાં રસનેંદ્રિય અતિ બળવાન છે અને તેની પરાધીનતાથી પ્રાણી ભક્ષ્યાભઢ્યને વિવેક ચૂકી જાય છે, એમ અનુભવથી સિદ્ધ થયું હોય છે. આવા દઢ વૈરાગ્યવડે ચારિત્ર લઈ મુનિવેષ ધારણ કર્યા પછી તેને ઉપરના લેકમાં કહેલી વિડંબના પ્રાપ્ત થતી નથી, છતાં જે ચારિત્ર લેવામાં મોહગભિત કે દુઃખગર્ભિત વૈરાગ્ય હોય તો અથવા કોઈ પૂર્વ જન્મના પ્રબળ દુકમને ઉદય થાય તે આ શ્લેકમાં કહેલી વિડંબના મુનિપણામાં પણ પ્રાપ્ત થાય છે. ૧૯
પાખંડીઓના વેષનું ફળ માત્ર લેકરંજન જ છે, તે કહે છે – ये लुब्धचित्ता विषयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः। ते दाम्भिका वेषधराश्चधूर्त्ता, मनांसि लोकस्य तु रञ्जयन्ति ॥२०॥
અર્થ–(૨) જે મનુષ્ય (વિજયાર્થો) પાંચ ઇંદ્રિના વિષયે તથા ધનના ભેગને વિષે ( સુવિઘા:) લુબ્ધ મનવાળા હોય છે, તથા (નિ) બહારથી વિરાગી એટલે રાગદ્વેષાદિ રહિત અને (દરિ ) અંતઃકરણમાં (8:ત ) રાગદ્વેષથી બંધાયેલા હોય છે, (તે) તેઓ (મિ ) કપટના જ ઘરરૂપ (૪) અને (રેવધા ) દ્રવ્યથી મુનિવેષને ધારણ કરનારા ( ધૂર્તા:) ધૂર્ત એટલે લકવંચક જ હોય છે. (સુ) તેઓ માત્ર (રો ) લોકોના (મનોવિ) ચિત્તને જ ( ત્તિ) રંજન કરે છે, પરંતુ આત્મરંજન-સ્વાત્મહિત કોઈપણ કરી શક્તા નથી, તેથી તેઓ છેવટે દુર્ગતિને ભજનારા થાય છે.
વિશેષાર્થ-જે મનુષ્ય માત્ર બહારથી મુનિવેષ ધારણ કરતા હોય અને અંદર કાંઈપણ વિરાગ દશાને પામ્યા ન હોય, તેવા દાંભિક જનને આ લેકમાં ઉપદેશ આપે છે. આવા વિષયાસક્ત ચિત્તવાળા કોઈક વાર બાહ્યથી વધારે વૈરાગ્યનો દેખાવ કરે છે, પરંતુ તેમનું અંત:કરણ કઠોર હોય છે. વૈરાગ્યવડે આદ્ર હોતું નથી. તેવા દાંભિક એક પ્રકારના ધૂર્ત જ છે, કારણ કે તેમના બાહા આડંબરથી ભદ્રિક લોકો ઠગાય છે, તેથી તેમની ભક્તિ કરે છે અને તેમનો પૂર્ણ વિશ્વાસ કરે છે; પરંતુ તેનું પરિણામ અતિ ભયંકર આવે છે. આવા દાંભિક પરનું રંજન કરી શકે છે. જો કે તે દાંભિકપણું ચિરકાળ ટકી શકતું નથી, તેથી અંતે તેને પાપને
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૬
પ્રકરણસંગ્રહ ઘડે ફુટે છે ત્યારે તે આ ભવમાં પણ અધમ ગણાય છે અને પરભવમાં તે દુર્ગતિના ભાજન જ થાય છે. ૨૦. | દાંભિકના બાહ્ય વૈરાગ્યાદિક જોવાથી વિચક્ષણ માણસો કેમ મેડ પામે ? તે ઉપર કહે છે – मुग्धश्च लोकोऽपि हि यत्र मार्गे, निवेशितस्तत्र रतिं करोति । धूर्तस्य वाक्यैः परिमोहितानां, केषां न चित्तं भ्रमतीह लोके ? २१
અર્થ-(ધ) વળી મુગ્ધ એટલે ધર્મના તત્વને નહીં જાણનાર ( s) સામાન્ય જનસમૂહ પણ (હિ) નિશ્ચ (ાત્ર મા) જે સારા કે નઠારા માર્ગમાં (નિરિત) સ્થાપન કર્યો હોય, (તક) તે માર્ગમાં (સ જાતિ) પ્રીતિને કરે છે. (૬૬ ) આ જગતમાં (પૂર્વલ્સ) ધૂર્તન ( વાદ) વચનેવડે (fોહિતાનાં) મેહ પામેલા (કાં) ક્યા માણનું (ર) ચિત્ત (ન અમતિ) નથી ભમતું–ચલાયમાન થતું નથી? સર્વનું મન ભમે છે.
વિશેષાર્થ –લેકસમુદાયને મોટો ભાગ પ્રાયે ધાર્મિક વિષયમાં મુગ્ધ જ હોય છે. વ્યવહારમાં વિચક્ષણ ગણાતા અને રાજદ્વારી વિષયમાં અતિ પ્રઢ ગણાતા મનુષ્ય પણ ધાર્મિક વિષયમાં હેય ( ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક) બાબતેના વિવેકથી રહિત અને શાસ્ત્રના રહસ્યને નહીં જાણનાર હોય છે, તેથી તેઓ દાંભિકના વચનથી ઠગાઈને ઉન્માર્ગે પણ જાય છે, માટે સાચા તત્ત્વને જાણનાર મહાત્માઓએ તેમને સન્માર્ગે લાવવા ઘટે છે. ૨૧ - અંતઃકરણને વિષે સાચા વૈરાગ્યને ધારણ કરનારા મુનિઓ પરને વંચનાદિક કરતા નથી અને પિતાના મનનું જ રંજન કરે છે, તે કહે છે – ये निःस्पृहास्त्यक्तसमस्तरागा-स्तत्वैकनिष्ठा गलिताभिमानाः। संतोषपोषैकविलीनवाञ्छा-स्तेरञ्जयन्ति स्वमनोन लोकम् ।२२॥
અર્થ:-(જે) જેઓ (નિસ્પૃદ) ખરેખરા નિસ્પૃહી છે, (અવતરમતTri) જેઓએ સમગ્ર રાગદ્વેષનો ત્યાગ કરે છે, (તસ્વૈછિદ) જેઓ તત્વમાં જ એકનિષ્ઠાવાળા છે, ( તામિકાના) જેમનું અભિમાન નષ્ટ થયું છે અને (સંતોષgોવિઝીનવામછા) સંતોષના પિષણવડે જેમની વાંછા-ઈચ્છા નાશ પામી છે, (તે) તેઓ (મન) પિતાના મનને જ (ક્ષત્તિ ) રંજન કરે છે; પણ (ન ઢોવામ) લેકોને રંજન કરતા નથી.
વિશેષાર્થ –જેઓ સ્ત્રી, પુત્ર અને ધનાદિક સંબંધી આ ભવના સુખની વાંછા રહિત હોય છે, સમગ્ર શરીરાદિક પિગલિક વસ્તુને વિષે રાગદ્વેષ રહિત
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી હૃદયપ્રદીપષત્રિંશિકા પ્રકરણ.
२८७ હોય છે, જીવાજીવાદિક નવ પદાર્થના તત્વને-સ્વરૂપને વિષે, હેય ઉપાદેયને વિષે અને આત્મજ્ઞાનને વિષે અદ્વિતીય નિષ્ઠાવાળા હોય છે, ગણધરાદિકની અપૂર્વ ગ્રહણ ધારણ શક્તિ જાણેલી હોવાથી સર્વથા અભિમાન રહિત હોય છે, તથા ઈચ્છા માત્રને નિરોધ કરેલ હોવાથી સંતોષરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયાને આશ્રય કરીને રહેલા હોય છે તેવા મુનિએ આત્મરંજન કરવામાં જ મગ્ન હોય છે. તેઓને કરંજન કરવાની અપેક્ષા હોતી જ નથી. ૨૨.
જે પોતાના મનને રંજન કરનાર હોય તે પરમનરંજક હોતા નથી, તે વાતને દષ્ટાંત સહિત બતાવે છેतावद्विवादी जनरञ्जकश्च, यावन्न चैवात्मरसे सुखज्ञः। चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति?।२३॥
અર્થ–મુનિ (વાવ) જ્યાં સુધી (ગરમ) આત્માના જ્ઞાનામૃતરૂપ રસમાં (પુર્વજ્ઞ:) પરમાનંદરૂપ સુખને જાણનાર–ભોગવનાર (જૈવ) થયો નથી, (તાવ) ત્યાં સુધી જ તે (વિવીિ) શાસ્ત્રના અર્થ સંબંધી વિવાદવાળે ( ) અને (જનરલ) લેકેનું રંજન કરનાર હોય છે. (હિ) કેમકે (શ્નો) આ જગતમાં (વાં) શ્રેષ્ઠ (વિતામળિ) ચિતામણિ રત્નને (ક) પામીને () ક માણસ (ને કને) દરેક મનુષ્યને (થાન ) કહેતે (પ્રતિ ) ફરે છે?
મારી પાસે ચિંતામણિ રત્ન છે.” એમ દરેક મનુષ્યને કોઈપણ કહેતો નથી. પોતાના મનમાં જ સમજીને તેનાથી પ્રાપ્ત થતું સુખ ભેગવવા તત્પર થાય છે. તે જ પ્રમાણે આધ્યાત્મિક સુખને પામેલા મુનિ આત્માનંદના સુખમાં જ રમણ કરે છે, કોઈને કાંઈ કહેતા નથી તેમ વાદવિવાદમાં કે જનરંજન કરવામાં પણ પ્રવર્તતા નથી. ર૩.
વળી સર્વજનને રંજન કરવા કોઈપણ મનુષ્ય શક્તિમાન થતો નથી, તેથી આત્માનું રંજન કરવું તે જ કલ્યાણકારક છે. તે વાતને કહે છે:षण्णां विरोधोऽपि च दर्शनानां, तथैव तेषां शतशश्च भेदाः । नानापथे सर्वजनः प्रवृत्तः, को लोकमाराधयितुं समर्थः ? ॥२४॥
અર્થ:-( ૪) વળી ( Turi) છએ (ર્શના) દર્શનોન (વિરોધઃ) પરસ્પર વિરોધ છે. કેમકે સર્વે દર્શનો જુદા જુદા પદાર્થોનું પ્રતિપાદન કરે છે. ( તવ) તથા વળી (તેલ) તે છ દશનોના ( રાતાશ્વ) સેંકડો (મેલા) ભેદે છે, તે પણ પરસ્પર વિરેધવાળા છે. તેથી (ાન:) સર્વ લેકે (નાના) જુદા જુદા ભાગે પિતા પોતાની રુચિને અનુસારે (ત્ત:) પ્રર્વતેલા છે. એટલે (ઢોલં) સર્વ લેકને (માલિતું) રંજન કરવાને (!) કેણુ (સમર્થ) સમર્થ છે? કઈ જ નહીં.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૮
પ્રકરણસંગ્રહ.
^^
^^^^^^^^
વિશેષાર્થ-જેમને આત્મિકસુખ જરા પણ પ્રાપ્ત થયું નથી, અને જેઓને આત્મરંજનને સત્ય માર્ગ સમજાયે નથી, તેઓ સર્વ લેકને પ્રિય થવાને-રંજન કરવાને અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ કઈ રીતે સર્વને પ્રિય થઈ શકતા જ નથી, કેમકે લેકપ્રવાહ અનેક માગે વહે છે. લોકોની પ્રસન્નતા પણ પોતપિતાની રુચિને અનુસારે અનેક પ્રકારે વહેંચાયેલી છે. ધર્મના પણ ઘણું ભેદ પડી ગયા છે, અને પૃથક્ પૃથક્ માગે વહેનારા મનુષ્ય પોતાના સ્વીકારેલા માર્ગને સર્વોત્તમ જ માને છે. તેથી તે સર્વેને રંજન કરવાનું કાર્ય સાધારણ નથી, કિન્તુ અસાધારણ અને અશક્ય છે. તીર્થંકરાદિક અતુલ પુણ્યશાળી મહાત્માઓ પણ સર્વને રંજન કરી શકયા નથી, તે આપણે પામર જને શું કરી શકીએ? માટે તેવા મિથ્યા પ્રયત્નમાં નહીં પ્રવર્તતા–તેમાં કાળક્ષેપ અને શક્તિને વ્યય નહીં કરતાં આત્મરંજનમાં જ પ્રયત્ન કરો. આત્મરંજન માટે માત્ર પરમાત્માનું રંજન કરવું એજ મુખ્ય માર્ગ છે. તેમનું રંજન તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી થાય છે. તેમની આજ્ઞા શુદ્ધ આચરણરૂપ જ છે. તે શુદ્ધ આચરણ કરવાથી પરંપરાએ આત્મરંજન, પરમાત્મરંજન અને લોકરંજન સર્વ પ્રાપ્ત થાય છે. ૨૪.
પિતાના આત્માનું રંજન કરવા કહ્યું. તે આત્મરંજન મનની સ્થિરતાથી થાય છે અને મનની સ્થિરતાનું કારણ કેટલાક જને રાજ્યાદિક સુખની પ્રાપ્તિ માને છે, પરંતુ તે માન્યતા ખોટી છે. તેથી તે રાજ્યાદિકની પ્રાપ્તિ થયા છતાં પણ જે મનની સ્થિરતા ન થાય તો તે રાજ્યાદિક વ્યર્થ છે. તે બાબત કહે છેतदेव राज्यं हि धनं तदेव, तपस्तदेवेह कला च सैव । स्वस्थेभवेच्छीतलताऽऽशये चेत्, नो चेवृथासर्वमिदं हि मन्ये॥२५॥
અર્થ (૨) જે (વચ્ચે) સ્વસ્થ-શાંત (સારા) અંત:કરણને વિષે ( શીતwતા) શીતળતા (મ ) થાય, તે (૬) આ જગતમાં (વેવ રાવ) જે પ્રાપ્ત થયેલ તે જ રાજ્યને રાજ્ય કહેવું, (હિ) નિચે (સવ ધf) પ્રાપ્ત થયેલા તે જ ધનને ધન કહેવું, (તાતા ) તે જ તપને તપ કહેવા. ( ૪ ) અને (સરા તૈય) પ્રાપ્ત કરેલી તે જ કળાને કળા કહેવી, (નો રે), પરંતુ જો એમ ન હોય એટલે કે રાજ્યાદિક પ્રાપ્ત થયા છતાં ચિત્તની સ્વસ્થતા અને શીતળતા પ્રાપ્ત ન થાય તે (હિ) નિચે ( સર્વ ) આ સર્વ રાજ્યાદિક (ફુથા) ફેગટ છે, એમ (મ) હું માનું છું.
વિશેષાર્થ –આ લેકમાં કર્તા એમ સૂચવે છે કે-રાજ્ય, ધન, તપ અને કળાની પ્રાપ્તિને આ જીવ પિતાના આત્માની શાંતિને માટે ઈચ્છે છે, પરંતુ રાજ્ય કે ધન મળ્યું પણ તેનાથી તૃપ્તિ થઈ નહીં, તો પછી શાંતિ કયાંથી થાય? અન્ય ઉપાધિઓને લીધે રાજ્ય અને ધન ઊલટા દુઃખરૂપ થઈ પડે તે શાંતિની પ્રાપ્તિ
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
૨૮૯ શા કામની? તથા તપસ્યા કર્યા છતાં ચિત્તની સ્વસ્થતા ન થઈ, ઊલટ ક્રોધને ઉદ્દભવ થયે, પારણે કે ઉત્તરપારણે આહારની તીવ્ર ઈચ્છા જાગી, તો પછી તે તપ શા કામનો ? તથા કઈ પ્રકારની કળા મેળવી, તેના ફળ તરીકે ઘણી ધનપ્રાપ્તિ થઈ, પરંતુ તેથી ચિત્તની શાંતિ ન થઈ, તો પછી તે કળા પણ શા કામની? સર્વ વ્યર્થ જ છે; કેમકે જગતના છ શાંતિ, સુખ અને શીતળતા માટે જ રાજ્યાદિકની વાંછા કરે છે, તો રાજ્યાદિકની પ્રાપ્તિ થયા છતાં પણ શાંત્યાદિક કાર્યની ઉત્પત્તિ ન થાય અને ઊલટા તૃષ્ણ, ક્રોધ, લોભ, પ્રમાદ વિગેરે વૃદ્ધિ પામે તે તે સર્વ નિષ્ફળ છે. ૨૫. - ચિત્તની સ્વસ્થતાનો ગુણ કહે છે – रुष्टैर्जनैः किं यदि चित्तशान्ति-स्तुष्टैर्जनैः किं यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान् , स्वस्थः सदौदासपरो हि योगी
અર્થ –હે પ્રાણી! (૪) જે (નિત્તરાત્તિ) તારા હૃદયમાં શાંતિ છે, તે ( લિં) લેક રૂષ્ટમાન થાય તેથી શું ? અને (ર) જે (ચિત્તતાપઃ) તારા હદયમાં સંતાપ-અશાતિ છે, તે (ત : ) લેકે તુષ્ટમાન થાય તેથી પણ શુ ? આ પ્રમાણે જાણુને (f) અધ્યાત્મજ્ઞાની મુનિ (અચાન) બીજા જીવને (નો ઈormતિ) રંજન કરતા નથી, (૪) અને (નૈવ કુતિ ) દુખ ઉત્પન્ન કરતા નથી; (હિ) કારણ કે તે યોગી (1) સર્વદા (ઘર) શાંત અને (શૌવારVT) ઉદાસીનપણમાં જ તત્પર હોય છે.
વિશેષાર્થ: આ જગતના જ પિતાની શાંતિ કે અશાંતિને વિચાર કર્યા સિવાય અન્ય જન પિતાની ઉપર રોષાયમાન થયા છે કે તુષ્ટમાન થયા છે? તેની ચિંતા કર્યા કરે છે. જ્ઞાની કહે છે કે-બીજાના રોષ કે તેષથી તને હાનિ કે લાભ શું છે? તારે તો તારા આત્માની જ શાંતિ કે અશાંતિનો વિચાર કરો એગ્ય છે. જે તારે આત્મા શાંતિનો અનુભવ કરતો હોય અને તેમાં સ્વસ્થતાને નિવાસ થયો હોય તે પછી લોકો ભલે રૂછમાન થાય, તેથી તેને કોઈ હાનિ થવાની નથી. અને જે તારા ચિત્તમાં શાંતિ-સ્વસ્થતા નથી પણ કેવળ સંતાપ જ ભરેલો છે, તે લેકે ભલે તારા પર પ્રસન્નતા બતાવે, તારી પ્રશંસા કરે, પણ તેથી તને કાંઈ પણ ફળ નથી, લાભ નથી; માટે લોકોના રોષ કે તોષને વિચાર નહીં કરતાં તારા જ આત્માની શાંતિ કે અશાંતિનો વિચાર કરી જે પ્રકારે તારા આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને અશાંતિનો નાશ થાય તેવા પ્રયત્ન કર. ૨૬.
ઉદાસીનપણું અંગીકાર કરવામાં કારણભૂત એકત્વ ભાવના છે, તે કહે છે – ૩૭
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૦.
પ્રકરણસંગ્રહ.
एकः पापात् पतति नरके याति पुण्यात् स्वरेकः,
पुण्यापुण्यप्रचयविगमान्मोक्षमेकः प्रयाति । सङ्गानूनं न भवति सुखं न द्वितीयेन कार्य,
तस्मादेको विचरति सदाऽऽनन्दसौख्येन पूर्णः ॥२७॥
અથર–આ સંસારમાં (પ ) પાપકર્મથી (પ) જીવ એકલે જ (7) નરકમાં (પતિ) પડે છે. (પુથાત્ ) પુકમથી () પોતે એકલો જ (સ્વ) સ્વર્ગો (ચાંતિ) જાય છે, તથા (પુથાપુચકવિતામ) પુણ્ય અને પાપના સમૂહનો સદંતર નાશ થવાથી (પ) એકલો જ જીવ (મોક્ષ) મોક્ષમાં (પ્રથાતિ ) જાય છે. આ જગતમાં (સાત) સ્વજનાદિકના સંગથી (નૂનં) નિચે (સુલ ) સુખ (ર મતિ) પ્રાપ્ત થતું નથી, (દ્વિતીન ) બીજા કેઇ વડે (વાર્થ ન ) કાર્યની સિદ્ધિ થતી નથી. (તસ્મત્ત ) તેથી (સવા) હમેશાં (માનતૌન) આત્માનંદરૂપ સુખે કરીને (પૂર્ણ) પૂર્ણ એવા ગીજન (૫) એકલા જ (વિરત ) વિચરે છે.
વિશેષાર્થ –હે આત્મા ! આ જગતમાં તારે કેઈના સંગની અપેક્ષા જ નથી. બે વસ્તુ ભેળી થયે તે ઊલટે ખડખડાટ થાય છે, તેથી અન્ય વસ્તુને કે મનુષ્યના સંયોગની ઈચ્છા કર્યા સિવાય માત્ર એકલા આત્માનું જ હિત કરવા તરફ પ્રવૃત્તિ કરવી, અને તેમાં જ આનંદ માનવ એગ્ય છે. અન્યના સંગની ઈચ્છા કરીશ અને તેના સંગથી આનંદ માનીશ, તો તેના વિશે અવશ્ય શેક કરે પડશે અને આત્મહિતમાં હાનિ થશે. તેથી મહાયોદ્ધાની જેમ એકલા જ આત્મહિતમાં તત્પર થવું. એક અધ્યાત્મવેત્તા કહે છે કે –
અનુભવીએ એકલા, આનંદમાં રહેવું રે;
ભજવી ભગવંતને, બીજું કાંઈ ન કહેવું રે. અનુભવી ” આ કવિતાનું રહસ્ય અવશ્ય મનન કરવા જેવું છે. ર૭. મોક્ષ સાધવામાં મનને નિગ્રહ કારણભૂત છે, તે મન જ દુર્ભય છે, તે બતાવે છે – त्रैलोक्यमेतद्बहुभिर्जितं यै-मनोजये तेऽपि यतो न शक्ताः। मनोजयस्यात्र पुरोहि तस्मात् , तृणं त्रिलोकीविजयं वदन्ति २८
અર્થ -( ) જે ( દુમિ ) ઘણા પ્રાણીઓએ ( પતા) આ (રેરો)
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી હ્રદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
ર૧
ત્રણ લેાક ( નિતં ) જીત્યા છે, ( તેષ ) તેએ પણ ( વત: ) જે કારણ માટે ( મોયે ) મનના જય કરવામાં ( જ્ઞ રાન્ના: ) શક્તિમાન થયા નથી, (તસ્માત્) તે કારણ માટે ( અત્ર ) અહીં-આ જગતમાં ( મનોજ્ઞયસ્ય ) મનના જયની ( દુ:) પાસે (હિઁ ) નિશ્ચે (ત્રિજોર્જીવિનય ) ત્રણે લેાકના વિજય ( તૃળ ) તૃણુ સમાન છે એમ ( યવૃત્તિ ) મહાત્માએ કહે છે. ’
વિશેષા :—મનનુ દુ યપણું બતાવવા કહે છે કે-આ ત્રણ જગત ઘણાએ જીતી લીધા, એટલે કે ચક્રવત્તીપણું પામીને છ ખંડ જીત્યા, ઈંદ્રપણું પામીને અધેાલાક તથા ઊર્ધ્વલાકનું સ્વામિત્વ મેળવ્યું. એવા પુરુષા પણું મનને જય કરવા શક્તિમાન થયા નહીં, તેથી મનના જયની પાસે ત્રણ લેાકના જય પણ તૃણુ સમાન છે, કારણ કે ચાથા પુરુષાર્થ મેાક્ષની પ્રાપ્તિ કાંઇ ત્રણ લેાકના જય કરવાથી થતી નથી. તે તે મનના જય કરવાથી જ થાય છે. કહ્યું છે કે—“ મન વ મનુષ્યાાં વાળ વધોક્ષજેઃ ” ( મનુષ્યને મન જ બંધ અને મેાક્ષનુ કારણભૂત છે. ) એટલે કે મનને વશ કર્યુ. હાય તા તે મેાક્ષમાં લઈ જાય છે, અને મનને આધીન થયેલા પ્રાણીઓને સંસારમાં ભ્રમણ કરવું પડે છે. અહીં જો કે મનને જ મુખ્ય ગણ્યું છે, પરંતુ મનના પણ સ્વામી આત્મા છે, મન તેા તેનુ કિંકર છે. પરંતુ કાઇક વખત નાકર ( મુનિમ, દીવાન વિગેરે ) માથાભારે થઇ સ્વામીને યુક્તિ-પ્રયુક્તિવડે પેાતાને આધીન કરી અનેક પ્રકારે નચાવે છે તે જ પ્રમાણે આ આત્મા પણ મનને આધીન થઇ પેાતાનુ કર્તવ્ય ચકી મનના કહ્યા પ્રમાણે જ ચાલે છે તેથી તે આત્મહિત કરી શકતા નથી, માટે મનને જ આધીન કરવાના પ્રયત્ન પ્રથમ કરવા. તેના જય કર્યા પછી આત્મહિત કરવામાં કાંઇ પણ મુશ્કેલી રહેશે નહીં. ૨૮.
સસારના સારભૂત પદાર્થોમાં પણ મનેાજય મુખ્ય ગણ્યા છે, તે જ બતાવે છે. मनोलयान्नास्ति परो हि योगो, ज्ञानं तु तत्त्वार्थविचारणाच्च । समाधिसौख्यान्न परं च सौख्यं, संसारसारं त्रयमेतदेव ॥ २९ ॥
અર્થ:— મનોયાર્ ) આત્માને વિષે મનની એકાગ્રતા સિવાય ( : ) બીજો કાઇ ( એT: ) યાગ (નાસ્તિ હિઁ ) નથી જ, ( ૬ ) અને (૩) પુનઃ વળી ( તત્ત્વાર્થવિચારાત્ ) તત્ત્વાર્થના ચિંતવનથકી ખીજુ કાઇ ( જ્ઞાનૢ ) જ્ઞાન નથી, ( ૪ ) તથા ( સમાધિસૌ યાત્) સમાધિના સુખથકી ( i ) બીજું કાંઈ (સૌથૅ ૬) સુખ નથી. ( ત ્વ ) આ જ ( ત્રયં ) ત્રણ ( સંજ્ઞાનતં) સંસારને વિષે સારભૂત છે.
વિશેષા:-પરબ્રહ્મસ્વરૂપ આત્માને વિષે મનની એકાગ્રતા કરવી તે
Page #307
--------------------------------------------------------------------------
________________
- પ્રકરણસંગ્રહ. જ મેટેગ છે અને સ્ત્રી, ધનાદિક સાંસારિક વિષયમાં મનની એકાગ્રતા કરવી તે કેવળ સંસારભ્રમણનું જ કારણ છે, તથા જીવાજીવાદિક તની વિચારણા કરવી તે જ ખરું જ્ઞાન છે, ઇતિહાસ, ભૂગોળ વિગેરેનું જ્ઞાન તો સંસારની આસક્તિનું જ કારણ છે. તથા સમાધિથી ઉત્પન્ન થયેલું જે સુખ તે જ સાચું સુખ છે, વિષયાથી ઉત્પન્ન થતું સુખ ક્ષણિક અને નશ્વર હોવાથી તથા ઉપાધિજન્ય હોવાથી પરિણામે દુઃખરૂપ જ છે. આ પ્રમાણે મનની એકાગ્રતા, તત્ત્વજ્ઞાન અને સમાધિ સુખ એ ત્રણ જ સંસારમાં સારભૂત છે, તે સિવાય બીજું સર્વ અસાર છે. ર૯. - મલયાદિકે કરીને જ્યારે ચિત્ત પ્રસન્ન થાય છે ત્યારે સિધ્યાદિક સર્વ વિષ સમાન લાગે છે, તે કહે છે – याः सिद्धयोऽष्टावपि दुर्लभा ये, रसायनं चाश्चनधातुवादाः । ध्यानानि मन्त्राश्च समाधियोगा-श्चित्ते प्रसन्ने विषवद्भवन्ति ॥३०॥
અર્થ–(ચાર) જે (ફુર્ટમ) દુર્લભ એવી ( gિ) આઠે (સિદ્ધ) અણિમાદિક સિદ્ધિએ, જે દુર્લભ એવું (રાયચં) રસાયણ છે, (૪) અને (મસા) અદશ્યાદિક અંજન, (ધાતુવા) ધાતુવાદ, (દયાનાનિ) ધ્યાન, (મત્રાશ્ચ) વશીકરણદિક મંત્ર, (સમાધિ ) સમાધિ અને મેગ, આ સર્વે (ત્તિ કરજે) ચિત્ત પ્રસન્ન હોય ત્યારે (વિધવત્ મવત્તિ) વિષ સમાન લાગે છે. અર્થાત્ સચ્ચિદાનંદપણું પ્રાપ્ત થવાની હદે પહોંચેલ પ્રાણને આ સર્વ કાંઈ પણ સારા લાગતા નથી, માત્ર આત્મસ્વરૂપમાં રમણ કરવું એ જ તેને આનદદાયક લાગે છે; કારણ કે અણિમાદિક સિદ્ધિઓ વિગેરે પ્રાપ્ત થવાથી તેના તુચ્છ આનંદમાં જે પ્રાણું મગ્ન થાય તો તે આત્માનંદથી ભ્રષ્ટ થાય છે, તેથી આત્માનંદીને તે તે સર્વ ઝેર સમાન લાગે છે. ૩૦.
કેવા જીવોને સમાધિ સુખ મળી શકતું નથી ? તે બતાવે છે– विदन्ति तत्त्वं न यथास्थितं वै, संकल्पचिन्ताविषयाकुला ये। संसारदुःखैश्च कदर्थितानां, स्वप्नेऽपि तेषां न समाधिसौख्यम् ३१
અર્થ – સંક્રા) મનની અસ્થિરતાને લીધે કર્તવ્ય કે અકર્તવ્યને વિષે નિશ્ચયપણારહિતહેવાથી થતા સંકલ્પ-વિકલ્પવડે, (વિતા) ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિના અને અનિષ્ટ વસ્તુના વિયોગના ઉપાય સંબંધી વિચારવડે અને (વિપચ) પાંચે ઇંદ્રિયોના વિષયવડે મારા) આકુળ-વ્યાકુળ થયેલા () જે હોય છે તે (વૈ) નિચે (અથરથi) યથાર્થ પણે (તરવે) તત્ત્વને (ન વિનિત) જાણતા જ નથી, (તે) તેઓને-(સંપાદુ વૈશ્ચ) સંસારના દુઃખાવડે (વરચિતા) વિડંબના–પીડા
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ
૨૩ પામેલાઓને ( ડ) સ્વમને વિષે પણ (સમાધિષ્ય 7) સમાધિનું સુખ હેતું નથી. સમાધિ સુખની પ્રાપ્તિ તો યથાસ્થિત તત્વસ્વરૂપને જાણનાર તેમજ સંક૯પ, ચિંતા અને ઇંદ્રિયના વિષયેથી જે વિરક્ત હોય તેને જ થાય છે અને તેને સંસારના દુઃખ પણ કદર્થના કરી શકતા નથી. ૩૧ - જનરંજન માટે અનેક ગ્રંથે ભણ્યા કરતાં તત્ત્વજ્ઞાનને એક જ લેક ભણ સારે છે, તે વાતને દષ્ટાંત સહિત કહે છે – श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय। संजीवनीति वरमौषधमेकमेव,व्यर्थश्रमप्रजननोन तुमूलभारः ३२
અર્થ –(77મરરવાથી ) પરમ તત્ત્વમાર્ગને-મોક્ષમાર્ગને પ્રકાશ કરનાર ( : ) એક લેક પણ (f) સારો છે શ્રેષ્ઠ છે, પરંતુ (કાનાર) લેકને રંજન કરવા માટે (ઝરથરિષદ) કરોડ ગ્રંથોનું (લોકેનું) ભણવું તે (ર) સારું નથી. જેમકે (સંજીવની તિ) સભ્યપ્રકારે વ્યાધિ, જરાદિકનો નાશ કરીને પ્રાણીને જીવાડે એટલે આયુષ્યની વૃદ્ધિ કરે તેવી સંજીવની એવા નામની (પ
વ) એક જ (ચૌધં) ઔષધિ (૧૬) શ્રેષ્ઠ છે. (સુ) પરંતુ(શ્ચર્થઝમમઝનઃ) રેગાદિકનો નાશ ન કરવાથી તથા આયુષ્યની વૃદ્ધિ નહીં કરવાથી વ્યર્થ-ફેગટ જ માત્ર પરિશ્રમને ઉત્પન્ન કરનાર (મૂત્રમાર) વૃક્ષના મૂળીયાને સમૂહ (7) શ્રેષ્ઠ નથી.
વિવેચન –આ કાવ્યમાં કાવ્યકર્તા આ પ્રાણીને બહુ પ્રયાસ કરવાનો નિષેધ કરી અપપ્રયાસે માત્ર એક જ વસ્તુ મેળવવાથી કાર્યસિદ્ધિ થઈ જાય તેવી અપૂર્વ કુંચી બતાવે છે. તે કહે છે કે-હે ભવ્ય પ્રાણી ! તમે અનેક ગ્રંથો ભણવા વાંચવાને પ્રયાસ જે લોકરંજન માટે કરે છે, સારા સારા વ્યાખ્યાન વાંચીને, સારી સારી કથાઓ કહીને શ્રોતાઓને રીઝવે છે તેમાં ઘણે પ્રયાસ પડે છે અને આત્માને ગુણ થતો નથી, તેથી તેવું નહીં કરતાં માત્ર આત્મતત્ત્વને જ જણાવનાર એટલે મોક્ષમાર્ગને બતાવનાર એક જ લોકને સારી રીતે અભ્યાસ કરી, સમજી, વિચારી, વારંવાર મનન કરી, તેમાં જ લીન થઈ આત્માને જ આનંદ આપો તે થોડા પ્રયાસે મોટો લાભ પ્રાપ્ત કરશે. ૩ર.
જ્યાં સુધી ચિત્તની સ્વસ્થતા ન હોય ત્યાં સુધી જ વિષયાદિકનો અભિલાષ વૃદ્ધિ પામે છે, પરંતુ મનની સ્વસ્થતા પ્રાપ્ત થાય તે પછી કોઈ પણ અભિલાષા રહેતી જ નથી, તે ઉપર કહે છે – तावत्सुखेच्छा विषयादिभोगे, यावन्मनः स्वास्थ्यसुखं न वेत्ति । लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा॥
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૪ :
પ્રકરણસંગ્રહ.
અર્થ:– આ સંસારમાં પ્રાણી (થોર) જ્યાં સુધી (મન ચાહથનુર્ણ) મનની સ્વસ્થતાના સુખને (ર વેરિ) જાણતા નથી, (તાવત) ત્યાં સુધી જ તેને (વિવામિ ) વિષયાદિક ભેગવવામાં (જુણે છા) સુખની ઈચ્છા હોય છે, પરંતુ (મના શ્વાસુ ) મનની સ્વસ્થતારૂપી સુખને એક લેશ માત્ર પણ (૪) પ્રાપ્ત થયે સતે (તરા) તે પ્રાણુને (ગ્રાન્ટેડ) ત્રણ જગતના રાજ્યને વિષે પણ (વાછાં ) ઈચ્છા થતી નથી.
વિશેષાર્થ-સ્વસ્થપણાના સુખનો અંશ પણ એટલો બધે કીમતી છે કે જેની પાસે ત્રણ લોકના રાજ્યનું સુખ પણ તુલનામાં આવી શકતું નથી, કેમકે પ્રથમનું સુખ (મનની સ્વસ્થતાનું સુખ) અવિનાશી છે, ત્યારે બીજું વિષયાદિકથી થતું સુખ વિનાશી અને કર્મનો તીવ્ર બંધ કરાવનાર છે. પહેલું સુખ સંસારમાંથી મુક્ત કરાવનાર છે, ત્યારે બીજું સુખ સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. ઇત્યાદિ અનેક પ્રકારે તે બન્ને પ્રકારના સુખમાં અત્યંત તફાવત છે. ૩૩.
મનની સ્વસ્થતાના સુખ પાસે ચક્રવર્યાદિકના વૈભવનું સુખ પણ તુચ્છ માત્ર છે, તે કહે છેन देवराजस्य न चक्रवर्तिन-स्तद्वै सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदाऽऽत्म-निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ३४
અર્થ:-(7) જે સુખ (વીતરાજી) રાગદ્વેષ રહિત તથા (1) નિરંતર (૩મરમનિષા) આત્મતત્ત્વના વિચારને વિષે જ તત્પર થયેલા (મુ), મુનિના (વિ)ચિત્તને વિષે (રિચાતાં) સ્થિરતાને (થાતિ) પામે છે, (ર) તે (હ) સુખ (વૈ) નિચે (ગુર) રાગ-દ્વેષથી યુક્ત એવા વડાચ વ) ઇંદ્રને હોતું નથી, તેમ જ ( વવત્તિના) ચક્રવતીને પણ () હોતું નથી. (મળે) એમ હું માનું છું.
વિશેષાર્થ:–આ સંસારમાં કેટલાક પ્રાણીઓ મેટી રાજદ્ધિ, સુખ, સભાગ્ય, સ્ત્રી-પુત્ર પરિવાર વિગેરેની પ્રાપ્તિવાળા મનુષ્યોને તેમજ ઇંદ્ર અને ચક્રવતી વિગેરેને જોઈને તેમને પરમ સુખી માને છે અને તેવું સુખ પ્રાપ્ત કરવા પોતે પણ ઈચ્છે છે પરંતુ જ્ઞાની કહે છે કે- હે ભવ્ય પ્રાણ ! ઇંદ્રાદિકનું સુખ પરને આધીન છે, ક્ષણિક છે અને ઉપાધિથી ઉત્પન્ન થયેલું છે, તેમ જ વાસ્તવિક રીતે વિચારતાં તે દુઃખ રૂપ જ છે, આવું સુખ આત્મનિષ્ઠ મુનિના સુખની પાસે અનંતમા ભાગે પણ નથી. કેમકે વિતરાગી આત્મનિષ્ઠ મુનિરાજને જ વાસ્તવિક સુખ હોય છે, અન્યત્ર તેવા સુખના બિદુને પણ સંભવ નથી. ૩૪.
વિચારશૂન્ય પ્રાણીને આ આત્મતત્ત્વ દૂર જતું રહે છે, તે કહે છે –
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રી હૃદયપ્રદીપષટત્રિશિકા પ્રકરણ.
૨૯૫ यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् । तथा तथा तत्त्वमिदं दुरापं, हृदि स्थितं सारविचारहीनैः ॥३५॥
અર્થ:-(૬) આ સંસારમાં (જૈ) નિચે (૪થા કથા) જેમ જેમ (વાર્યતાપુરું) સેંકડે કાવડે વ્યાકુળ થયેલું (ચિત્ત) આ ચિત્ત (કુરા) કેઈપણ ઠેકાણે ( નો વિશ્વમતિ) વિશ્રામને પામતું નથી, (તથા તથા) તેમ તેમ (સાવિદ્યાદી) સાર-તત્વના વિચાર રહિત પ્રાણીઓને (હૃદ્ધિ ચિત) હૃદયમાં રહેલા એવા પણ (હું તત્ત્વ) આ આત્મતત્વની પ્રાપ્તિ (સુi) દુર્લભ થાય છે. જે સારાસારનો વિચાર હોય તો પછી અસારભૂત કાર્યમાં ચિત્ત ન આપતાં સારભૂત કાર્યમાં જ ચિત્ત પરે, જેથી ચિત્ત વિશ્રાંતિને પામે અને આત્મહિત થાય.
વિશેષાર્થ –આ પ્રાણીને આ સંસારમાં કર્તવ્ય તરીકે અનેક કાર્યો ઉપસ્થિત થાય છે, પરંતુ તે સર્વે કરી શકાતા નથી અને એવી રીતે અનેક કાર્યોમાં વ્યગ્ર રહેવાથી તેનું ચિત્ત એક પણ કાર્યમાં બરાબર એકાગ્ર થઈ શકતું નથી, તેથી આ કાવ્યમાં એવી શિક્ષા આપવામાં આવે છે કે હે ભવ્ય પ્રાણી ! જે તારે કેઈપણ કાર્ય બરાબર કરવું હોય તે પ્રથમ સારાસાર કાર્યને વિચાર કર અને પછી તેમાં જે કાર્ય વિશેષ સારભૂત જણાય તે કાર્ય કરવાનો પ્રયત્ન કરકેમકે માત્ર એક જ કાર્ય જે કર્તવ્યપણે નકકી થશે અને તેમાં જ પૂરતા પ્રયત્ન કરવામાં આવશે તો તે કાર્ય બરાબર થશે, અને ચિત્તને પણ વિશ્રાંતિ મળશે. ૩૫.
હવે ગ્રંથકાર પ્રશમ સુખને પામેલા આત્માને મોક્ષની પ્રાપ્તિ માટે ચિત્તની સમાધિને ઉપદેશ આપી આ પ્રકરણને સમાપ્ત કરે છે
शमसुखरसलेशाद् द्वेष्यतां संप्रयाता,
विविधविषयभोगात्यन्तवाञ्छाविशेषाः । परमसुखमिदं यद्धज्यतेऽन्तःसमाधौ,
मनसि सति तदा ते शिष्यते किं वदान्यत् ॥३६॥ અર્થ –હે આત્મા ! ( રામકુણાસરેરાત ) પ્રશમ વડે ઉત્પન્ન થયેલા સુપરસના લેશથી–લેશ માત્ર સુખથી (વિવિધવિરામો વિતવાચ્છાવિષ) વિવિધ પ્રકારના વિષય સંબંધી તારી વિશેષ પ્રકારની અત્યંત વાંછાઓ જે (જોતાં) અરુચિપણને (સંકયાતા) પામેલી છે–પ્રશમરસના સુખવડે તારી વિષયસંબંધી ઈચ્છાઓ સર્વ પ્રકારે નષ્ટ થયેલી છે તે તે બહુ ઠીક થયું છે. હવે (૨) જે (અત્ત સમાધી) અંત સમાધિને વિષે (મતિ રતિ)
Page #311
--------------------------------------------------------------------------
________________
પ્રકરણસંગ્રહ.
મન રહે તે (૬) આ (પામ પુર્ણ) આત્મતત્ત્વનું સુખ (મુચ ) તારાવડે ભેગવાતું હોય (તરા) (તે) તારે ( 7) બીજુ (જિં) શું (શિષ્ય) બાકી રહ્યું છે-અધુરું છે (વર) તે તું કહે જે સમાધિવાળા મનને વિષે પ્રશમરૂપ તત્ત્વનું સુખ ભેગવાતું હોય તો પછી બીજું કાંઈ બાકી રહેતું નથી. સર્વ પ્રાપ્ત થયું છે એમ જાણવું
વિશેષાર્થ – આ છેલ્લા કાવ્યમાં આખા ગ્રંથના તાત્પર્યરૂપે ઉપશમ સુખ અને અંતઃકરણની સમાધિ-એકાગ્રતા આ બે આત્મહિતકારી વસ્તુઓ જ બતાવી છે. આ આખા ગ્રંથમાં પણ છે જે બાબતે કહી છે તે આ બે વસ્તુને ઉદ્દેશીને જ કહી છે અને હૃદયની અંદર રહેલા અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવા માટે તેમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ કરે એ આ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ છે. તેથી આનું નામ હદયપ્રદીપ સાર્થક છે. તેના લેક છત્રીશ હેવાથી તેનું નામ હૃદયપ્રદીપષ ત્રિશિકા રાખવામાં આવ્યું છે. આ કાવ્ય જે અક્ષરશઃ વાંચવામાં આવે અને તેને અર્થ બરાબર મનનપૂર્વક વિચારવામાં આવે છે જેથી પરમાનંદની પ્રાપ્તિ થાય તે જ્ઞાન પ્રદીપ હૃદયમાં અવશ્ય પ્રગટ થાય. માટે ભવ્ય પ્રાણીઓએ આ ગ્રંથ હૃદયમાં વારંવાર વિચારવા યોગ્ય છે. ૩૬.
દેશ* જીરુ
ઈતિ હૃદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ
અર્થ વિવેચનયુક્ત સંપૂર્ણ
Page #312
--------------------------------------------------------------------------
_