________________
૧૭૦
પ્રકરણસંગ્રહ
થાય તે. (૩દિમ) ૨ તેથી ઊર્ધ્વસ્થિત સિદ્ધ થએલ સંખ્યાતગુણ, ઊર્ધ્વસ્થિત એટલે ઊભા ઊભા કાસગે રહેલા. (૩હિ ) ૩ તેથી ઉત્કટ આસને સિદ્ધ થએલા સંખ્યાતગુણા, એટલે બે પગના તળીયાં જમીન ઉપર રાખીને અધર બેસીને સિદ્ધિ પામેલા. ( વીણ) ૪ તેથી વીરાસન સિદ્ધ સંખ્યાતગુણ એટલે ખુરસી ઉપર બેઠાં થકાં પાછળથી તે આસન લઈ લઈએ અને જે આસન થાય તે આસન વીરાસન કહેવાય છે. ( નિ ક ) ૫ તેથી ન્યુજાસને સિદ્ધ થયેલા સંખ્યાતગુ. એટલે બેસીને નીચે દષ્ટિ રાખવી એ આસને બેઠેલા તે ન્યુજાસન સિદ્ધ કહેવાય છે. (પણg ) ૬ તેથી એક પાસે સૂઈ રહીને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણ. ( સત્તા સિતા ૩) ૭. તેથી ચત્તા સૂઈ રહીને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણ. આ બધા (મેજ સંવગુor) અનુક્રમે સંખ્યાતગુણ જાણવા. એવી રીતે પંદરકારે અલ્પબહુત કહ્યું.
હવે સર્વગત અલ્પબદ્ધત્વમાં વિશેષ દેખાડવાને નવમું સંનિકર્ષદ્રાર કહે છે. સંનિકર્ષ એટલે સંયોગ અથવા સંબંધ. હસ્વ દીર્ઘની જેમ. વિવક્ષિત કે કેઈને લઈને વિવક્ષિત બીજાને અલ્પપણે કે બહપણે અથવા અવસ્થાનપણે હોવું તે સંબંધ સમજ. पणवीस पन्न अडसय, पण दस वीसा य ति पण दसगं च । संख असंख अणंत य, गुणहाणि चउठआइंता ॥ ४९ ॥ इग दुग इग दुग चउ बहुणंत, बहु असंखणंतगुणहीणा। इय सिद्धाण सरूवं, लिहिअं देविंदसूरीहिं ॥ ५० ॥
અર્થ – સંનિષદ્વારે-જ્યાં જ્યાં એક સો ને આઠ સિદ્ધ પામતા હોય ત્યાં ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ જાણવી. એક એક સિદ્ધિ પામેલા ઘણા, બે બે સિદ્ધિ પામેલા (સંત) સંખ્યાતગુગહીન, ત્રણ ત્રણ સિદ્ધિ પામેલા સંખ્યાતગુણહીન, એવી રીતે ચાર પાંચ યાવત્ (પાવીસ ) પચીશ સુધી સંખ્યાતગુણહીન સંખ્યાતગુણ હીન કહેવા. તેથી છવીશ સિદ્ધ (અવંa) અસંખ્યાતગુણહીન, તેથી સત્તાવીશ સિદ્ધ અસંખ્યાતગુણહીન, એમ એક એક વધારતાં (પન્ન) પચાશ સિદ્ધ સુધી અસંખ્યાતગુણહીન કહેવા. તેથી એકાવન સિદ્ધ (અવંત ) અનંતગુણહીન, તેથી બાવન સિદ્ધ અનંતગુણહીન, એમ એક એક વધારતાં એક સોને આઠ સુધી અનંતગુણહીન કહેવા.
જ્યાં જ્યાં વીશ સિદ્ધ થતા હોય ત્યાં આ પ્રમાણે વ્યાપ્તિ જાણવી. એક એક સિદ્ધ સર્વથી અધિક, તેથી બે બે સિદ્ધ (સંવ) સંખ્યાતગુરુહીન, તેથી ત્રણ ત્રણ સિદ્ધ સંખ્યાત ગુગુહીન, તેથી ચાર સિદ્ધ સંખ્યાતગુરુહીન, (vcr) તેથી પાંચ સિદ્ધ સંખ્યાતગુણહીન, તેથી છ સિદ્ધ (કાં) અસંખ્યાતગુણહીન,