________________
પ્રકરણસંગ્રહ હવે સમ્યક્ત્વના સડસઠ ભેદ વિશુદ્ધ વ્યવહારથી કહે છે – मू०-तिसुद्धि लिंग लक्खण, दूसण भूसण पभावगागारा ।
सद्दहण जयण भावण, ठाण विणय गुरुगुणाईयं ॥२४॥
અર્થ:–“(તિજ ) ત્રણ શુદ્ધિ, (હિ) ત્રણ લિંગ, (૪ ) પાંચ લક્ષણ, (દૂબ) પાંચ ફૂષણ, (મૂળ) પાંચ ભૂષણ, (માવજ) આઠ પ્રભાવક, (આખા) છ આગાર ( સદા ) ચાર સદ્દતણા. ( રજા ) છ જયણા, ( પ) છ ભાવના, (તા) છ સ્થાન, (વિથ ) દશ વિનય (ગુહપુvય) ગુરુગુણ વિગેરે જાણવા.” ૨૪ (છેલ્લે શબ્દ વિચારણીય છે)
વિસ્તરાર્થ– ત્રણ શુદ્ધિ–મનશુદ્ધિ ૧, વચનશુદ્ધિ ૨ અને કાયશુદ્ધિ ૩. ત્રણ લિગ-ધર્મશ્રવણની ઈચ્છા ૧, ધર્મરાગ ૨ અને દેવગુરુની વૈયાવચ્ચ ૩. પાંચ લક્ષણ–ઉપશમ ૧, સંવેગ ૨, નિવેદ ૩, અનુકંપા ૪ અને આસ્તિક્ય પ. પાંચ દૂષણ–શંકા ૧, કાંક્ષા ૨, વિચિકિત્સા ૩, મિથ્યાત્વીની પ્રશંસા ૪ અને
મિથ્યાત્વીને પરિચય ૫. પાંચ ભૂષણજિનશાસનમાં કુશળતા ૧, શાસનની પ્રભાવના ૨, તીર્થસેવા ૩,
ધર્મમાં નિશ્ચળતા ૪ અને શુદ્ધ દેવગુરુની ભક્તિ પ. આઠ પ્રભાવક–શાસ્ત્ર પારગામી ૧, અપૂર્વ ધર્મોપદેશક ૨, પરંવાદીને નિરુત્તર
કરનાર ૩, નૈમિત્તિક ૪, તપસ્વી ૫, મંત્ર અને વિદ્યામાં પ્રવીણ ૬,
સિદ્ધિસંપન્ન ૭ અને શ્રેષ્ઠ કાવ્ય રચનાર ૮. છ આગાર–રાજાભિગ ૧, ગણાભિગ ૨, બલાભિગ ૩, દેવાભિગ ૪,
કાંતારવૃત્તિ ૫ અને ગુરૂનિગ્રહ ૬. ચાર સહણા–પરમાર્થસંસ્તવ ૧, પરમાર્થ જ્ઞાનીની સેવા ૨, કુગુરુને ત્યાગ
૩ અને કુદર્શનને ત્યાગ ૪ છ જયણુ–પરતીર્થિકાદિકને વંદન કરવું ૧, તેમને નમસ્કાર કરવા ૨, તેમને પાત્ર
બુદ્ધિએ એક વાર દાન આપવું ૩, વારંવાર દાન આપવું ૪, તેમની સાથે
આલાપ-એક વાર બોલવું ૫, સંલાપ–વારંવાર બોલવું ૬, એનું વર્જન. છ ભાવના–સમક્તિ ધર્મવૃક્ષનું મૂળ છે ૧, ધર્મરૂપ નગરનું દ્વાર છે. ૨, ધર્મરૂપ
મહેલનો પાયો છે ૩, ધર્મને આધાર છે ૪, ધર્મનું ભાજન છે " અને ધર્મનું નિધાન છે ૬. આ પ્રમાણે ભાવવું તે ભાવના.