________________
શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ.
૨૮૯ શા કામની? તથા તપસ્યા કર્યા છતાં ચિત્તની સ્વસ્થતા ન થઈ, ઊલટ ક્રોધને ઉદ્દભવ થયે, પારણે કે ઉત્તરપારણે આહારની તીવ્ર ઈચ્છા જાગી, તો પછી તે તપ શા કામનો ? તથા કઈ પ્રકારની કળા મેળવી, તેના ફળ તરીકે ઘણી ધનપ્રાપ્તિ થઈ, પરંતુ તેથી ચિત્તની શાંતિ ન થઈ, તો પછી તે કળા પણ શા કામની? સર્વ વ્યર્થ જ છે; કેમકે જગતના છ શાંતિ, સુખ અને શીતળતા માટે જ રાજ્યાદિકની વાંછા કરે છે, તો રાજ્યાદિકની પ્રાપ્તિ થયા છતાં પણ શાંત્યાદિક કાર્યની ઉત્પત્તિ ન થાય અને ઊલટા તૃષ્ણ, ક્રોધ, લોભ, પ્રમાદ વિગેરે વૃદ્ધિ પામે તે તે સર્વ નિષ્ફળ છે. ૨૫. - ચિત્તની સ્વસ્થતાનો ગુણ કહે છે – रुष्टैर्जनैः किं यदि चित्तशान्ति-स्तुष्टैर्जनैः किं यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान् , स्वस्थः सदौदासपरो हि योगी
અર્થ –હે પ્રાણી! (૪) જે (નિત્તરાત્તિ) તારા હૃદયમાં શાંતિ છે, તે ( લિં) લેક રૂષ્ટમાન થાય તેથી શું ? અને (ર) જે (ચિત્તતાપઃ) તારા હદયમાં સંતાપ-અશાતિ છે, તે (ત : ) લેકે તુષ્ટમાન થાય તેથી પણ શુ ? આ પ્રમાણે જાણુને (f) અધ્યાત્મજ્ઞાની મુનિ (અચાન) બીજા જીવને (નો ઈormતિ) રંજન કરતા નથી, (૪) અને (નૈવ કુતિ ) દુખ ઉત્પન્ન કરતા નથી; (હિ) કારણ કે તે યોગી (1) સર્વદા (ઘર) શાંત અને (શૌવારVT) ઉદાસીનપણમાં જ તત્પર હોય છે.
વિશેષાર્થ: આ જગતના જ પિતાની શાંતિ કે અશાંતિને વિચાર કર્યા સિવાય અન્ય જન પિતાની ઉપર રોષાયમાન થયા છે કે તુષ્ટમાન થયા છે? તેની ચિંતા કર્યા કરે છે. જ્ઞાની કહે છે કે-બીજાના રોષ કે તેષથી તને હાનિ કે લાભ શું છે? તારે તો તારા આત્માની જ શાંતિ કે અશાંતિનો વિચાર કરો એગ્ય છે. જે તારે આત્મા શાંતિનો અનુભવ કરતો હોય અને તેમાં સ્વસ્થતાને નિવાસ થયો હોય તે પછી લોકો ભલે રૂછમાન થાય, તેથી તેને કોઈ હાનિ થવાની નથી. અને જે તારા ચિત્તમાં શાંતિ-સ્વસ્થતા નથી પણ કેવળ સંતાપ જ ભરેલો છે, તે લેકે ભલે તારા પર પ્રસન્નતા બતાવે, તારી પ્રશંસા કરે, પણ તેથી તને કાંઈ પણ ફળ નથી, લાભ નથી; માટે લોકોના રોષ કે તોષને વિચાર નહીં કરતાં તારા જ આત્માની શાંતિ કે અશાંતિનો વિચાર કરી જે પ્રકારે તારા આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને અશાંતિનો નાશ થાય તેવા પ્રયત્ન કર. ૨૬.
ઉદાસીનપણું અંગીકાર કરવામાં કારણભૂત એકત્વ ભાવના છે, તે કહે છે – ૩૭