Page #1
--------------------------------------------------------------------------
________________
મૈતાના અનોખા આવિર્ભાવક છે
Whlbjudka Ibolkblic 1% 5
દાદાસાહેબ, ભાવનગર. ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
થદાચાર્ય
પ્રેરક પૂ. ગણીશ્રી જિતચદસાગરજી મ. લેખક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, wwwalumaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
C( જયપ પ્રકાશન-પુ૫ ૧ લું
6
=
=
=
ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક
હેમચન્દ્રાચાર્ય
: પ્રેરક : પૂ. ગણિવર્ય શ્રી જિનચન્દ્રસાગરજી મ. પૂ. મુનિવર્ય શ્રી જયચન્દ્રવિજયજી મ.
લેખક :
* પંડિત શ્રી ધનંજય જે. જેને પ્રેમકેતુ
પ્રકાશક : “જયપમ પ્રકાશન કાંદિવલી (ઇસ્ટ), મુંબઈ-૪૦૦૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
જયપ” પ્રકાશન સંચાલિકા : સૌ. જ્યોતિ ડી. જૈન સી-૧૦, અરિહંત સેસાયટી, ૪થા માળે. દાદરવાડીની સામે, ચક્રવતી અશોક રોડ, કાંદિવલી (ઈ.) મુંબઈ-૪૦૧૦૧.
પ્રથમવૃત્તિઃ પ્રત-૨૦૦૦ પિષ દસમી. સં. ૨૦૪૬ તા. ૨૨-૧૨-૧૯૮૯.
મૂલ્ય : દસ રૂપિયા
રુદ્રક : ભાવના પ્રિન્ટરી. કબાઈનગર પાસે, મહેસાણા-૩૮૪૦૦૨
ટાઈટલ : હેમાંગ પ્રિન્ટ, મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પૂ. સ્વ. સાદેવીશ્રી પદ્મયશાશ્રીજી મહારાજ
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
# “જયપમ પ્રકાશનને પુણ્ય પ્રારંભ પૂ. જિનશાસનપ્રભાવનાપરાયણ, પ્રખર પ્રવચનકાર, પંન્યાસ પ્રવર શ્રી ગુરુદેવ શ્રીચદ્રશેખરવિજયજી મહારાજના સુવિનીત શિષ્યરત્ન અને મારા અન તેપકારી, પરમ હિતવત્સલ, પરમ સંયમમૂર્તિ, મારા સાંસારિક પિતાજી, ગુરુદેવ મુનિરાજ શ્રી જયચન્દ્ર વિજયજી મહારાજની પ્રવર્તમાન સુંદર સંયમજીવનની અનુમોદનાથે–
તથા પૂ. વર્ધમાન તપોવારિધિ, સહજ સુંદર ક્ષમામૂતિ, સાવી શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજ સા. ના સુવિનીત શિષ્યા અને મારા અનોપકારી, ૨૨ વર્ષની નિર્મળ સંયમજીવનની સાધના સાધીને, તેની જ ફલશ્રુતિ રૂપે વાંછનીય સુંદર સમાધિમૃત્યુને સાધી જનારા-મારા માતુશ્રી સામવીશ્રી
પદ્યયશાશ્રીજી મહારાજની પુનિત સ્મૃતિ નિમિત્તે આરંભ થાય છે આ “જયપ પ્રકાશનને ! તેનું આ છે પ્રથમ પુષ્પ : ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
હેમચન્દ્રાચાર્ય આપના કરકમલમાં મૂકતાં અમે અતિ આનંદ અનુભવીએ છીએ.
– ધનંજય છે. જેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
છ સમર્પણુ
જેમણે
મારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવનઘડતરમાં અપૂવ કાળા આપ્યા છે,
મને
જેમની કૃપાએ બનાવ્યા છે; શ્રી જિનશાસનના અનન્ય રાગી;
.... પરમ સયમમૂર્તિ અને પરમ ત્યાગી સ્વ. પૂ. માતા—સાધ્વી પદ્મયશાશ્રીજી [પૂ. તપાવારિધિ સાઘ્વીરત્નશ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્યા ] મહારાજને...
- સેવક ધન જય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
સા. શ્રી પદ્મયશાશ્રીનુ જીવન યેાગી જેવું !
—પૂ. પં. શ્રી ચન્દ્રરીખર વિજયજી ગણિવર
[ સ્વ. પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી અદ્ભુત સમાધિમરણને પામ્યા બાદ, તેમના ગુરુણીજી પૂ. સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મ. ને ઉદ્દેશીને પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજે લખેલા પત્રનું અક્ષરશઃ અવતરણ....]
મહા સુદ ૧૪, સુરત.
સાધ્વી શ્રી જિનેશ્રીજી !
ચન્દ્રશેખર વિ. ના અનુવંદનાદિ.
પદ્મયશાશ્રી ખૂબ જ ઉત્તમ કક્ષાની સમાધિ સાથે વિદાય થયાના સમાચાર જાણુતાં એ વિચાર આવ્યા કે, તમારી બધી મહેનતનું પરિણામ તમને મળ્યું. તમે એમને સમાધિ આપી શકયા.
કોઈ શિષ્યા પણ ન કરે એવી સેવા તમે તમારી શિષ્યાની—તેના ગુરુ હોવા છતાં–કરી. કમાલ કરી છે તમે ! આવી ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરવા બદલ તમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
અંતરના ય અંતરથી ઉમળકાભર્યાં આશિષ પાઠવુ` છું'. તમારા સૌંચમી જીવનનું તમે આ ઉત્કૃષ્ટતમ સુકૃત આરાધી લીધુ છે. કદાચ વધુ માન તપની સા એળીનું સુકૃત પશુ, આ સુકૃતની તાલે નહિ આવી શકે.
હવે નવી જવાબદારી એ શિષ્યાની માથે આવી રહી છે. તમે તેમાંથી પાર ઉતરશેા તેવા મને વિશ્વાસ છે.
પદ્મયશાશ્રીના પ્રત્યેક શબ્દો યાદ આવે છે. ખ ઉત્તમ કાટિના, લઘુકમી, જિનશાસનના અવ્વલ ભક્ત–તેમના આત્મા ગણી શકાય. વ્યવહારથી તેમણે ભલે ઘણું ન સાધ્યું જણાતુ. હાય, પણ નિશ્ચયથી એ આત્માએ પૂરું સાધી લીધું. એ આત્માના છેલ્લા મહિનાઓના ઉદ્ગારા જીવનમાંથી વિદાય લેતાં કાઇ ચેાગીના જેવા હતા.
ખૂબ પ્રસન્નતાપૂર્વક આગળ વધે એ જ અભિલાષા.
-ય’. વિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
| શ્રી લેવા –પાપનાશાય નમઃ શ્રી હેમચન્દ્રાચાર્યની જીવનકથા ! ગાતાં હરીએ નિજ–ભવવ્યથા !!
લેખકીય] કવિશિરોમણિ શ્રી હેમચન્દ્રાચાર્યે “કવિ અને પ્રતિભા ના લક્ષણે “કાવ્યાનુશાસન” નામના સ્વરચિત ગ્રન્થમાં નીચેના લેકે દ્વારા ઓળખાવ્યા છે.
"प्रज्ञा नवनवोल्लेख-शालिनी प्रतिभा मता । तदनुप्राणनाजीवद्-वर्णनानिपुणः कविः ॥"
અર્થાત્ “નવા નવા ઉન્મેષ (ક૯૫નાઓ)થી શાલિની (શેભતી-ઝળહળતી) પ્રજ્ઞાનું જ નામ છે પ્રતિભા”; અને એવી પ્રતિભાથી અનુપ્રાણિત વર્ણનમાં જે નિપુણ હેય; તે છે “કવિ'.”
આવી પ્રતિભાના નિત્ય-નવાં રમણીય ગુલાબ જેમના બુદ્ધિ–સરોવરમાં સદા ખીલેલાં રહેતાં અને જેમની માત્ર કાવ્ય પ્રતિભા જ નહિ, જ્ઞાન-વિજ્ઞાનના સર્વ ક્ષેત્રે વિષેની પ્રતિભા રમ્ય અને ભવ્ય હતી તેવા, “કલિકાલસર્વજ્ઞ શબ્દથી સર્વોત્તમ સન્માનને વરેલા સૂરિદેવશ્રી હેમચન્દ્રાચાર્ય વિષે, તેમની હમણું જ પૂર્ણ થયેલી નવસેમી જન્મ જયંતિના વર્ષમાં કેટલાંક વિદ્વાન અને વિચક્ષણ લેખકેએ સુન્દર લખ્યું છે. અને છતાં હેમચન્દ્રાચાર્યના અલૌકિક અને સર્વજન-આદરણય જીવન અને કવન વિશે હજી પણ ઘણું બધુ લખી કે કહી શકાય તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તિકામાં સર્વજન ગ્રાહ્ય બને તે રીતે, સરળ અને સુચારુ શૈલી દ્વારા હેમચન્દ્રાચાર્યજીની જીવનકથાને, મહત્વના પ્રસંગે કે ઘટનાઓને સાંકળી લેવાપૂર્વક લખવાને પ્રયાસ કરાયો છે.
સદ્દગુણ પુરુષ પ્રત્યેની અંતરંગ ભક્તિ એ જ જેનું સુફળ છે તેવા, આ આલેખનની પ્રેરણાનું શ્રેય છે ? મારા અનત ઉપકારી, પિતા-ગુરુદેવ પૂજનીય-વંદનીય, સાધુપ્રવર મુનિરાજ શ્રી જયચન્દ્રવિજયજી મહારાજને ! તેઓશ્રીની ખાસ પ્રેરણાથી જ હું આ જીવનથાને આલેખી શક્યો છું. વંદન તે ઉપકારમૂર્તિને ! | હેમચન્દ્રાચાર્યજીના તેજસ્વી બહિરંગ વ્યક્તિત્વ વિષે અને ઓજસ્વી અંતરંગ અસ્તિત્વ વિષે આછેરી ઝલક તે તેમની આ જીવનપરિચયની પુસ્તિકા દ્વારા જ પમાશે. તેથી તે અંગે અહીં વિશેષ કશું કથવું નથી.
અહીં તે હું માત્ર કૃતજ્ઞતાનું જ પ્રગટીકરણ કરીશ. આ પુસ્તિકાના આલેખનમાં મુખ્યત્વે મેં આટલા ગ્રન્થ આધારરૂપે નજર સમક્ષ રાખ્યા હતા. (૧) પૂ. પંન્યાસપ્રવર ગુરુદેવ શ્રી ચન્દ્ર
ખરવિજયજી મહારાજ-લિખિત અષ્ટાક્ષિકાપ્રત. (૨) ધૂમકેતુ લિખિત – “હેમચન્દ્રાચાર્ય (૩) છે. રમણલાલ ચી. શાહ લિખિત-કવિકાલ–સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય અને (૪).પરમ માસિકને “હેમચન્દ્રાચાર્ય-વિશેષાંક : (નવે. ક્ષિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૯૮૮) આ સિવાય, એટલે આપેલા આચાર્યશ્રીને અગ્રણીઓની અંજલિ એ અવતરણે તથા “હેમીવાણી-પૂ. પં. શ્રી શીલચન્દ્રવિજયજી ગણિવર સંપાદિત હેમસ્વાધ્યાય–પોથી' માંથી લીધા છે. આ સહુ પ્રત્યે, અંતરના આદર સાથે મારી કુતરાતા વ્યક્ત કરું છું.
આ ઉપરાંત, આ પુસ્તિકા માટે સુન્દર પ્રસ્તાવના” લખી આપનાર પૂ. વિધર્યું, અને નેહાળ કલ્યાણમિત્ર ગણિવર્ય શ્રી હેમચન્દ્રસાગરજી મહારાજને પણ મારી સસ્નેહ વંદના સાદર કરું છું.
ચાલે ત્યારે....હવે વાંચીએ...“ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક હેમચન્દ્રાચાર્યની આ જીવનકથા ! અને ગુણીજનેના ગુણ ગાવતાં, હરીએ આપણી ભવવ્યથા !!
– ધનંજય જે. જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણુમ છે
પ્રસ્તાવના
સમય-સરિતાના નવ નવ સૈકાઓની સામે પાર ઊભેલી એ વિભૂતિ! કેવી મનમોહક જણાઈ રહી છે.
સપ્રમાણ એ દેહયષ્ટિ વિરાટની ઓળખ આપી રહી છે. એ દેહ દારિક–આણુઓથી નહીં, જાણે જ્ઞાનના જ અણુ-પરમાણુઓથી ગોઠવાયેલ નથી લાગતો શું ?
સૂર્યશુ એ મુખમંડળ ઝળહળતી આભા વેરી રહ્યું છે. મસ્તક ઉપર રહેલા સફેદ છતાં ય ગીચ કેશના ઝુલ્ફા હવાની લહેરથી આમ-તેમ થતાં દેખાય છે. જાણે મસ્તિષ્કમાં ભરેલી બુદ્ધિના વલોણુમાંથી નીકળેલું માખણ ઊભરાતું ન હાય !
ચમકતાં એ નયન-કાળાંમાંથી કેવી તેજસ્વી કિરણાવલી વછૂટી રહી છે ! દાઢી-મૂછની સફેદાઈ વચ્ચે પરવાળા-શા રંગીલા હેઠે ભેગા-છૂટા થઈ રહ્યાં છે ને એમાંથી વરસતાં ક–સુમને સમયસરિતાની સાથે વહેતાં વહેતાં આજેય અહી સુવાસ ફેલાવી રહ્યાં છે.
સુલક્ષાણું કર્ણયુગલ અને આજનબાહુની જોડી, ને વળી દેહ પર વીંટાયેલું ધવલ-પરિધાન પવનની પીઠ પર અસવાર બન્યું છે.
કે પડછંદ અને પ્રકાશમાન એ દેહ છે ? કેણ છે એ ?' એમ સવાલ પૂછે છે? રે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
સ્પષ્ટ તે દેખાય છે. નથી આંખ ઉપર હાથની છાજલી બનાવવાની જરૂર, કે નથી ટેલિસ્કોપ કે બાયનેકયુલરના દૂરબીન લગાવવાની જરૂરત ! એ સ્પષ્ટ–સુસ્પષ્ટ પ્રતિમા છે કલિકાલ–સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ !
સમયની દૂર-સુદૂરવતી ધરતી પર એ ઊભેલા છતાં આજે ય ચાખા-ચટ જણાઈ રહ્યા છે.
વચમાં એવી એકેય ટેકરી નથી ઊભી કે જે એ અસ્તિત્વની આડશ ઉભી કરી શકે ! નથી એવા ધુમ્મસના ધૂધલા પટ્ટા બાઝયા જે એ અસ્મિતાને એઝલ બનાવી શકે કે, નથી એવા ઝાડ-ઝાંખરા જામ્યા જેની જળ-જજલ એ જીવત જોતિના પ્રકાશને આવરી શકે !
નવ નવ સૈકાથી જેના જીવનનું અમર ગાન ધરતીના આ માનવો ગાતાં થાકતાં નથી... એ વિરલ–વ્યક્તિત્વના સ્વામી કલિકાલ સર્વજ્ઞી હેમચંદ્રાચાર્ય ભગવંતના જીવન-કવન ઉપર અનેક ચત્રિગ્રંથો પ્રકાશિત થયાં છે, થતાં રહે છે. એમાં જ આ એક અદને પ્રયાસ છે.
નેહી પડિત શ્રી ધનજયભાઈની ક્લમ સાચે જ કમનીય કલમ છે.શેલી એવી પ્રાસાદિક અને પ્રાવાહિક છે કે એમના લેખન પર વાચક અનાયાસ જ તણાતે રહે છે.....હા નદીમાં જેમ લાકડું તણુય ને, તેમ જ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
નાની–શી આ પુસ્તિકામાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવંતના મોટા ભાગના મુખ્ય મુખ્ય પ્રસંગે-ઘટનાઓ આવરી લીધા છે...
નાનાથી માંડીને મોટેરા સુધીનાં સહુ જને માટે એક–સરખું આકર્ષણ જન્માવનારું આ પ્રકાશન બહફલદાયી નીવડશે એમાં વિસંવાદને અવકાશ નથી.
નવમી શતાબ્દીના છેડે નજર નાંખતું નવલું આ નજરાણું પૂજ્યશ્રી પ્રતિ કૃતભાવનું પ્રતીક બની રહેશે એ જ ઉમદા આશા.
મૌન એકાદશી, સં. ૨૦૪૬
ગણી હેમચન્દ્રસાગર
કૈલાસનગર, સુરત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
અ નુ ક્રમ
પ્રકરણ
પૃષ્ઠ
[૧] આંસુ...બદલે છે ઈતિહાસનું પાસું ૧/૬ [૨] ચંગદેવમાંથી સેમચન્દ્ર
૭/૧૮ [૩] આચાર્યપદને અભિષેક
૧૯૨૪ [૪] સિદ્ધરાજ અને સૂરિદેવ
૨૫/૩૪ [૫] સમદશી અને સમય સૂરિસમ્રાટ ૩૫/૪૯ [૬] રાજા કુમારપાળને પ્રતિબંધ ૫૦૬૫ [૭] “પતિત’માંથી પરમાત્
६९/७१ [૮] નમ્રતાના ઉત્તુંગ શિખર પર ૭૭/૮૩ [૯] સુવિશાલ સાહિત્યના સર્જક ૮૪/૫ [૧૦] મુતિયાત્રા પ્રતિ મંગલ-પ્રયાણ ૧૬/૧૦૦ [૧૧] આચાર્યશ્રીને અગ્રણીઓની અંજલિ ૧૦૧/૧૦૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકના પ્રાપ્તિસ્થાને [૧] ધનંજય છે. જેના
સી-૧૦, અરિહંત સા., ૪ થા માળે દાદરવાડી સામે, ચક્રવતી અશોક રોડ, કાંદિવલી (ઇસ્ટ ) Bombay-400101
[૨] કીતિ પ્રકાશન.
C/o. ધર્મેશ આર. ઝવેરી ૧૦/૧૨૭૦, હાથીવાલા દેરાસર સામે, ગોપીપુરા. સુરત (દ. ગુજરાત)
[૩] ઉપા. શ્રી યશોવિજયજી સંસ્કાર સદન
સંચાલક : પ્રમોદ આર. મહેતા. C/૦. કલાપ્રકાશ, ટીલક રોડ, માલેગામ, (M.S.) PIN–423203
[૪] ઉપા. શ્રી યશોવિજયજી સરસ્કાર-સદન
સંચાલક : બી. સી. શાહ છે. જેના વિદ્યાલય, કે. જી. હોસ્પિટલ પાસે, નવસારી. (દ. ગુ.) PIN-396445.
[૫] શ્રી યશોવિજયજી જેન સેવાસદન
C/o. એસ. એમ. શાહ, વિમલજ', શ્રીમાળીવાળા, ડાઇ. (શ.)PIN-39iii0.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકની પ્રાપ્તિસ્થાને
[૬] આગમેદ્ધારક પ્રતિષ્ઠાન.
બિપીનચન્દ્ર એસ. શાહ. વાણીયાવાડ છાણી (જિ. વડેદરા) (ગુજરાત)
[૭] વસ્તુપાળ જે. જૈન.
૫૦, વર્ધમાન ફલેટસ. પાલડી, સરખેજ રોડ જેન મર્ચન્ટ સો. ની સામે. અમદાવાદ-380007
[૮] વિનેદ બી. શાહ
નેમુભાઈની વાડીના ઉપાશ્રય સામે. ગોપીપુરા-સુરત (દ. ગુ.).
: વિશેષ શુદ્ધિ પેજ નં. ૬૪-સૌથી છેલ્લી લીટી
તવતોષથર્થ' ના બદલે સ્વામિનયષ્યર્થ” આ પાઠ શુદ્ધ જાણુ.
– લેખક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
સુકૃતના સહભાગી !
૧૫૦૧] પૂ. પરમ સૌંયમમૂતિ, ઉત્તમ સમાધિમૃત્યુને વરીને સ યમનું સાફલ્ય વરનારા સ્વ. સા. શ્રી પદ્મયશાશ્રીજી મ. ની પુણ્યસ્મૃતિ નિમિત્તે....તેઓશ્રીના ગુરુણીજી પૂ. સહજ-સુન્દર–ક્ષમામૂર્તિ, વમાન તાવારિધિ, સા. શ્રી જિનેશ્રીજી મ. ની પ્રેરણાથી....ગુરુભક્તો તરફથી આગાતરા ગ્રાહકરૂપે...!
૧૦૦૧] શ્રીમતી શારદાબેન નવનીતલાલ શાહ તરફથી ભેટ !
૧૦૦૧ શ્રીમતી ગીતાબેન શ્રેયસકુમાર દેશી તરફથી ભેટ !
૨૫૧] શ્રમતી કુસુમબેન શાંતિલાલ ઝવેરી તરફથી ભેટ !
સુકૃતના આ સહભાગીઓને અંતરના અગ્નિ
નન્દન
-સુચાલિકા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
[૧]
આંસુ... બદલે છે ઈતિહાસનું પાસું !
હેમચન્દ્રાચાય નુ શૌશવ રૂપ : ચાંગા
અહિંસાની સ*સ્કૃતિથી શામતા ગૂર્જર નામે દેશ છે. રૂડી અને રળિયામણી ધંધુકા નામે નગરી છે. તેમાં ધર્મીજનામાં અગ્રેસર એક શેઠે વસે. નામ તેનુ' ચાચ.
ચાચની ધર્મ પત્નીનું નામ પાહિણીદેવી ! નખશિખ સદાચાર અને સત્પ્રેમની જાણે પ્રતિમા ! શ્રદ્ધા અને સસ્કારની જાણે કલકલ વહેતી સરિતા !
ચાચ અને પાહિણીના ઘરમાં એક કુળદીપકના જન્મ થયા. વિક્રમની અગિયારસેા પિસ્તાનીશની
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૨ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
એ સાલ અને કાર્તિક પૂર્ણિમાને એ દિવસ. આ શુભ દિવસે પાહિણીએ એક પાવન પુત્રને જન્મ આપ્યા.
પૂનમના ચાંદ સમાન સમુજજવળ, ધવલ અને કાંતિમાન એ બાળને દેહ હતું. જેના જાજરમાન
વ્યક્તિત્વથી ગુજરાતની ધરતી અહિંસાની સંસ્કૃતિથી સભર બની અને જેના જ્ઞાનના આલોકે જેનધર્મને સાહિત્યબાગ સેંકડો સાહિત્યિક કૃતિરૂપી ગુલાબથી મહોરી ઉઠયે, તે કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યના એ શૈશવ-રૂપને સંસારે “ચાંગે” નામ આપ્યું હતું.
પાહિણું ચામુંડ ગોત્રના હતા, એટલે બાળકનું નામ “ચ” અક્ષરથી પાડવાનું માતા-પિતાએ વિચાર્યું. વળી બાળક જ્યારે માતાના ગર્ભમાં હતું, ત્યારે માતાને (ચાંગ) સુંદર સ્વપ્ન આવતા, શુભ વિચાર જાગૃત થતા, અને કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવદિવાળી જેવા ચાંગ (સારા દિવસે બાળકને જન્મ થયો....આ બધા કારણેસર માતા. ચાંગદેવ (હેમચન્દ્રાચાર્ય)ને નાને ભાઈ
કહાનજી” નામને હતે. તે ઉલેખ “ચતરશિતિપ્રબંધમાં છે. અને નેમિનાથ નામના તેમના મામા હતા, જે “શ્રાવક હતા. તે
ઉલેખ “પ્રબંધ કેશમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૩
પિતાએ પોતાના કુટુંબીજને સમક્ષ પુત્રનું “ચાંગ” ઉર્ફે “ચંગદેવ” નામાભિધાન કર્યું.
આચાર્યના આંસુ..બદલે ઇતિહાસનું પાસું
ચાંગાના જન્મ પહેલાં, આચાર્યશ્રી દેવચંદ્રસૂરીશ્વરજીના જીવનમાં બનેલી એક ઘટના તરફ દષ્ટિપાત કરીએ.
તે સમયે સનાતન ધમીઓના જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ઉપર જોરદાર શાબ્દિક હુમલાઓ ચાલી રહ્યા હતા. શંકરાચાર્યે જેનધર્મ સામે જેહાદ જગાવી હતી. જેને “નાતિક”, “ધર્મદ્રોહી”, “ઈશ્વરવિરોધી” વગેરે કહેવા દ્વારા હલકા ચિતરાઈ રહ્યા હતા.
મહાન જૈનાચાર્ય શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી મહારાજ શાના વિશિષ્ટ જ્ઞાતા અને સમર્થ સાહિત્યકાર હતા. જ્યોતિષ, સામુદ્રિક લક્ષણ વગેરે વિદ્યાએના પણ વિદ્વાન હતા. “શાંતિનાથ ચરિત્ર” વગેરે ગ્રન્થની રચના તેમણે કરી હતી. એક પ્રખર અને પ્રતાપી જૈનાચાર્ય તરીકે તેમની કીર્તિ ત્યારે ફેલાચેલી હતી. ઉદયન મત્રીશ્વર જેવા રાજપુરુષે પણ તેમને ઉપદેશ સાંભળતા અને તેમનું માર્ગદર્શન સ્વીકારતા હતા.
આમ છતાં સનાતનીઓને સફળ પ્રતિકાર કરવામાં જ્યારે આચાર્યશ્રી દેવચસૂરીશ્વરજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૪ ] ગુજરાતની અસ્મિતાના અનાખા આવિર્ભાવક
કામિયાબ ન બની શકયા ત્યારે, એક રાતે તે બેચેન બની ગયા. તેમનુ* હૃદય ડ`ખ અનુભવવા લાગ્યું.
એએશ્રીની મનેાવ્યથાના આ રહ્યા તે સંસ્કૃતભાષાના શબ્દો :
“વાયનિł--ળમટ્ટિ--ત્રાર્થ-લપુટાય: પ્રભાવના: પુરામવન્ સૂયો ફૂરિતાસ્યા: (?) આચાર્યા: बहवः सन्ति इदानीमस्मदादयः । न तेषु तादृशः कोऽपि शासनोन्नतिकारकः । उपद्रवन्त्यहो जैनान् भृशं मिथ्यादृशोऽधुना । धिगस्मान् अश्मसंकाशान्, ચેવુ તેવુ સમસરા: '
અર્થ : “પાદલિપ્તસૂરિ, બપ્પભટ્ટિસૂરિ, વા સ્વામી, ખપુટસૂરિ, વગેરે અનેક પ્રભાવક-પુરુષા પહેલાં થઈ ગયા. અત્યારે અમારા જેવા આચાર્યાં તા ઘણા છે. પરંતુ તેમાં કોઈ શાસનની મહાન ઉન્નતિ કરનારા દેખાતા નથી. અત્યારે મિથ્યાદૃષ્ટિએ (વિધી એ) જૈનાને હેરાન-પરેશાન કરી રહ્યા છે ત્યારે, જેને ને તેને વિષે ઈર્ષ્યાળુ એવા પથ્થર જેવા અમાને ધિક્કાર થાએ.”
આ મનાવેદનામાંથી એમની માંખામાં આંસુ ધસી આવ્યા. શ્રી જિનશાસનની ઊંડી દાઝ અને શાસનરાગની ઉત્કટ આગમાંથી પ્રગટેલાં એ ઊનાં ઊનાં આંસુએ શાસનદેવીને નીચે ધરતી પર ખેચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૫
લાવ્યા. સૂરિજીએ પોતાની મનોવેદના વાણી દ્વારા શાસનદેવી સમક્ષ વ્યક્ત કરી. ત્યારે, શાસનદેવીએ કહ્યું : “આપ નિશ્ચિત બની જાઓ અને ધંધુકા તરફ પ્રયાણ કરે. ત્યાં આપને એક તેજસ્વી બાળની પ્રાપ્તિ થશે. “ચા” નામના મેઢ વણિકના તે “ચાંગા નામના બાળકને તમે દીક્ષા આ પજે. જિનશાસનના આકાશમાં તે અપૂર્વ સૂરજની જેમ ચમકશે અને તમારી સમગ્ર ચિંતાઓને તે દૂર કરશે.”
આમ...કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિના પ્રાગટયનું કારણ બન્યું.....
દેવચંદ્રસૂરીજીના આંખના આંસુ ! જેણે બદલી નાંખ્યું
જૈન શાસનના ઈતિહાસનું પાસું !! હવે....જીવનકથાના એ ઘટનાક્રમમાં આગળ વધીએ....
# # પાહિણીનું ઉત્તમ સ્વપ્ન
ચાંગાના જન્મ પહેલાં, આચાર્ય શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી જેવા પરમભૃત વિદ્વાન-પુરુષ પાસે આવીને પાહિણીએ, ગુરુવંદના કરીને એક દિવસ એક વાત કરી હતી ? “ભગવાન ! મેં એક સ્વપ્ન
જોયું હતું, મેં એક અતિ ઉત્તમ અને અભુત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૬ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
ચિંતામણીરત્ન આપને સમર્પિત કર્યું. ! પ્રભા ! મને આ સ્વપ્નનું ફળ કથન કરશેા ?”
ક્ષણભર ગુરુદેવચન્દ્રસૂરિજી વિચારમાં પડી ગયા. તે ક્ષણે તેમને શાસનદેવીએ ભાખેલી ભવિષ્યવાણીનું સ્મરણ થયું. સ્વય. તેા બહુશ્રુત હતા જ. તેમની જ્ઞાનદૃષ્ટિ ભાવિના લેખને ઉકેલી રહી : “પાહિણી ! તું ચિંતામણીરત્નની પ્રસૂતા ખનીશ. તારુ' તે પુત્રરત્ન સંસારને ઉજાળશે. તારે તે પુત્ર તુ' અમને અર્પણુ કરજે. વીતરાગના શાસનના પ્રકાશ સત્ર ફેલાવનાર તે જિનશાસનના સૂરજ બનશે. અપૂવ જ્ઞાન-વિજ્ઞાનના તે મહાસાગર બનશે.” પાહિણી ગુરુ-કથન સાંભળીને અતિ પુલકિત બની ગઈ. વિનત—નયનાએ તેણે ગુરુવાણીના સ્વીકાર કર્યાં.
·
મ
મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
[૨]
‘ચંગદેવ’માંથી સેમચન્દ્ર’
વર્ષ બાદ....ચાંગાના જન્મ થયા અને તે માતાની આંગળી પકડીને ચાલતા થયા ત્યારે....બાળ ચ'ગદેવને લઈને પાહિણી ગુરુશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીને વદના કરવા આવી.
તે સમયે એક ઘટના ઘટી.
આચાય ગુરુદેવ તેમના આસને ન હતા. આસન ખાલી પડયુ હતું. ત્યારે...અચાનક બાળ ચાંગા, માતાની નજર ચૂકવીને ગુરુદેવના આસન ઉપર બેસી ગયેા. માતા પાહિણીદેવી જ્યારે બાજુના ખ`ડમાં બિરાજમાન ગુરુદેવને વંદન કરીને બહાર આવી ત્યારે પળભર તેની વિહ્વળ નજર ચંગદેવને શેાધવા આકુળવ્યાકુળ બની ગઈ. પેાતાના ચાંગા ઝટ નજરે ન પડતાં ક્ષણભર વત્સલા–માતાનું હૃદય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
ધ્રુજી ઊઠયું : એણે સાદ દીધું : “બેટા ચાંગા ! તું કયાં ગયે ?” અને ત્યાં જ પાહિણીની નજર ચાંગા પર પડી. નાનકડો ચંગદેવ, ગુરુદેવની પાટ ઉપર કઈ યોગીપુરુષની અનોખી છટાથી બેઠેલો દેખાયા.
માતા વ્યગ્ર બની ગઈ. એ દોડી... અને બાળ ચંગદેવને ઉઠાડતી બેલી : “બેટા ! ત્યાં આપણાથી ન બેસાય. એ તે ગુરુદેવનું આસન છે.” ત્યાં તે પાછળથી એક વત્સલ-વાણું ઉપાશ્રયમાં ગૂંજી ઊઠી :
ચગદેવ માટે ગુરુની માંગણી :
પાહિણી ! એ બાળ ભલે બેઠો ! એ બાળ કેાઈ સામાન્ય બાળ નથી; એ તે ભાવિને જિનશાસનને રખેવાળ છે. વિધાતાનું એ વિરલ સર્જન છે. યાદ કર ! તે દિવસે તને આવેલા સ્વપ્નને ! એ સ્વપ્નમાં તે મને અર્પણ કરેલું અદ્દભુત ચિંતામણીરત્ન તે આ જ બાળક છે.
નિસર્ગની મહાજના પ્રમાણે આ બાળક આ જીવન દરમ્યાન સુધર્મા ગણધરની પાટને ઉજાળશેઅજવાળશે. આ અંગદેવ કેઈ ચણા-મમરા વેચમારી કરિયાણાની દુકાન માલિક થવા સાથે નથી. કેઈ મેલો મુત્સદ્દી રાજકારણ કે સંસારના ભાગે ભેગવનારો વિલાસી લખપતિ થવા નથી
સજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
એ તે બનશે..... ધર્મને ધારણહાર !
સમાજને તારણહાર !! દેશ અને દુનિયા માટે દીવાદાંડી સમે આધાર !
એક પ્રતાપી દિવાકર ! જે બનશે વિશ્વના લાખે દુ:ખી લેકેના અંધકાર
–મય જીવનપથને ઉજાળનાર !!! જિનશાસનના મસ્તક-મુગુટ પર એ મણિસમ સેહશે. માટે જ..આજે આ બાળરત્નને હું તારી પાસે, પ્રત્યક્ષપણે યાચું છું. પેલા સ્વપ્નને સત્ય કરવાને લાખેણે અવસર આજ તારા હાથમાં આવી લાગે છે. તું એક વાત્સલ્યમયી માતા છે. પુત્રના ભાવિહિતને ખાતર અવસર આવે. માતા પિતાના સર્વસ્વને ન્યોછાવર કરવા તૈયાર થાય છે. માટે જ હું કહું છું કે તારા પુત્રની અન તકાળની ભાવિ દુઃખપરંપરાને મિટાવવા અને જિનશાસનના એક ઉજજવળ ઈતિહાસનું નિર્માણ કરવા તું તારા મેહનું બલિદાન આપ અને પ્રભુશાસનના ચરણે આ બાળને અર્પણ કરી દે.”
ગુરુની વાણી સાંભળીને પાહિણી ક્ષણભર વિહળ બની ગઈ. એને પુત્ર પ્રેમ વિરહની કલ્પનામાત્રથી એને ધજાવી ગયે. એ બોલીઃ “ગુરુદેવ ! ચંગદેવના પિતા તો ખંભાત ગયા છે. તેમની રજા વગર હું શું કરી શકું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦ ] ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક
પાહિણીએ કરેલું “કલેજાના ટુકડાનું દાન
પણ... ત્યાર બાદ તુરંત પાહિણીની કલ્પનાચક્ષુ સમક્ષ...પિતાને પુત્ર દેવચન્દ્રસૂરીશ્વરજીના વારસદાર તરીકે દેખાયે..આ મારો લાડલો ગૃહદી૫ નહીં, પણ સમગ્ર જિનશાસનને તેજદીપ બનશે. દીપ મટીને પિતાના સહસ્ત્રગુણકિરણેએ સંસારને પ્રકાશથી ભરી દેતે આકાશભાનુ બનશે... એ શ્રદ્ધાએ અને એ અરમાનેએ પાહિણીનું હૃદય મજબૂત બની ગયું. અને કે” અગમ-ઉલ્લાસથી તેણે ગુરુ-ચરણમાં ચંગદેવને ધરી દીધું. ના, પિતાનું સર્વસ્વ જાણે સમપી દીધું.
એ પળે...એની આંખમાં આંસુ હતા... વાત્સલ્યના ! પુત્રપ્રેમના ! પોતે અણુના અવસરે લીધેલા અણુમેલ અને અનુપમ આત્મનિર્ણયનો ! એના એ આંસુ માતૃહદયની ગહરી વ્યથાના ન હતા. એ આંસુ તો જિનશાસનના ઈતિહાસને બદલી નાંખનારુ એક અજબ પાસુ હતું. દુરભાતે દિલે લીધેલાં કેઈ દુઃખદ નિર્ણયનું એ આંસુ ન હતું. એ આંસુ તે હતું....જિનશાસનના યશેજજવલ સમુદ્ધાર ખાતર, એક મહાન શ્રાવિકા પોતાના કલેજાના ટુકડાનું દાન અને પુત્રમેહનું બલિદાન કેવી શાસનાનેષ્ઠાથી આપી શકે છે. એનું જીવંત
અને જાગૃત પ્રતીક ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
હેમચ'દ્રાચાય
પાહિણીના આંસુના મહાન સન્દેશ ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિવરે પાહિણીની આંખામાંથી ટપકતું એ આંસુ જોયું......અને એ આંસુમાં પુત્રના આધ્યાત્મિક ઉત્થાન કાજે અને પ્રભુશાસનની સેવા કાજે એક ધન્ય માતાની અદ્ભુત સમર્પણુગાથાની પ્રતિચ્છાયા પ્રતિબિસ્મિત બનેલી દેખાઇ. પાહિણીનું એ આંસુ માણસ જાતને મહાન સંદેશ આપે છે કે...“હે માનવ ! આત્મકલ્યાણની અનેાખી યાત્રા સુવર્ણ અને સુન્દરીના સાતત્યહીન સુખમા નથી. સાચા અનેવાસ્તવિક આનંદ બત્રીશા પકવાન્ન અને છત્રીશા શાકભર્યા ભાજનના રસથાળમાં નથી. માનવજીવનનું પૂર્ણ-સુખ એ બાળકેાથી અને પ્રેમાળ પત્નીથી હર્યા-ભર્યા કુટુંબમેળામાં નથી. માનવમાત્ર માટે ધર્મની આરાધના એ જ કલ્યાણયાત્રા ખની રહેવી ઘટે. દેહધારણામાં જે મૂલ્ય પાણી અને પવનનુ છે...એવુ' જ મૂલ્ય આત્મવિકાસમાં સદ્ધની સેવનાનું છે.
[ ૧૧
આત્મવિકાસની આ અનાખી યાત્રામાં સફળતા ત્યારે જ સાધ્ય બને છે કે જ્યારે ઉત્તમ ગુરુને ઉત્તમ અને સમર્પિત શિષ્યની પ્રાપ્તિ થાય છે. અને ત્યારે તે અનેાખીયાત્રા મુક્તિના મોંગલઢારે જઈને જ અટકે છે. લેાકશાસનમાં માતા અને પુત્રના સમ્બન્ધને સૌથી ઉત્તમ ગણવામાં આવ્યા છે. પણ જિનશાસનમાં ગુરુ અને શિષ્યના સમ્બન્ધને સર્વોત્તમ ગણ્યા છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨ 1 ગુજરાત ની અસ્મિતાના અનોખા આવિર્ભાવક
આવું તત્વજ્ઞાન માતા પાહિણી પીને પચાવી ચૂકી હતી. માટે જ તેણે પોતાની આંખોના અણમેલ રતન જેવા ચંગદેવને, ગુરુદેવના ચરણે સમપી દીધો. ત્યાગ અને બલિદાનની આ કથાને જગતના ઈતિહાસમાં સૌથી પ્રથમ પંક્તિમાં પહેલું સ્થાન મળવું ઘટે. આ જ ચગદેવ આગળ જતાં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય' તરીકે પ્રસિદ્ધ થયે. પિતા ચાચની પણ સપ્રેમ સંમતિ :
પાહિણી, આચાર્યશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીને ચરણે ચાંગાનું સમર્પણ કરી તે આવી. પરંતુ દેશાવરેથી પાછા ફર્યા બાદ ચાંગાના પિતાની નજરો ઘરમાં આવીને ચાંગાને શોધવા લાગી : “બેટા ! ચાંગા ! તું ક્યાં છે ?' પિતા સાદ દઈ રહ્યા.
પણ....જ્યારે ઘરમાં ચાંગો ન દેખાય, ત્યારે માતા પાહિણીએ જણાવ્યું કે, “આપણું ચાંગાના ઉજજવળ ભવિષ્ય કાજે ગુરુ શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી મેં ચાંગાને ગુરુચરણે સેપી દીધે છે.”
અને..પિતાનું હૈયું ફાટી ગયું. પુત્રપ્રેમમાં ઝરતા પિતાના શાકનો પાર ન રહ્યો. તેઓ દોડતા ખંભાત આવ્યા. પિતાના પુત્રને આ રીતે અન્યાયથી ગુરુદેવે આંચકી લીધું છે એમ તે માનતો હતો. પુત્રને પાછા મેળવવા ચાચે, તે સમયના ખભાતના
સબા અને જેનકુલભૂષણુ મત્રીશ્વર ઉદયન પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bwrivatumaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૧૩.
હત સમરજીતના
ધા નાંખી. “મન્નીશ્વર ! આ તે હડહડતે અન્યાય છે. મારી ગેરહાજરીમાં મારી પત્નીને ભેળવીને ગુરુએ મારા પુત્રને પડાવી લીધું છે. તમે મને મારે પુત્ર પાછો અપાવે...”
પણ ઉદયન ખૂબ ચાલાક અને વણિકબુદ્ધિને સ્વામી હતા. આહંન્દુ ધર્મને તે અને આરાયક હતું. તેણે પોતાની મધુર વાણીથી અને કુશળતાથી ચાચને સમજાવતાં કહ્યું : “ભવિષ્યમાં પિતાના અનુપમ ધમ તેજથી ગુજરાતભરમાં ધર્મધજાને ફરકાવનારો અને સાહિત્યના અણમોલ સર્જન દ્વારા સંસારની સૂરત સુધારનારે સરસ્વતી પુત્ર, તે તારુ જ આ લાડલું સંતાન હશે. પોતાની સમ્યજ્ઞાનની પ્રભાથી સમગ્ર ગુજરાતને અને મહારાજ સિદ્ધરાજની ઈન્દ્રસભા સરખી રાજસભામાં વિરાજીને ગૂર્જરની ત્યારની રાજધાની પાટણને શોભાવનારે એ યશસ્વી સાધુ, પાહિણ અને ચાચને સુપુત્ર હશે.”
અને... અંતરમાં એ દિવ્ય અરમાને અને એ ભવ્ય આશાએ લઈને ચાચે, ચંગદેવને સંયમી બનાવવા કાજે, આચાર્યદેવશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીને સપ્રેમ સમ્મતિ સમપી દીધી.... ચગદેવ’ બન્યો “બાલમુનિ સેમચન્દ્ર
વિ. સં. ૧૧૫૪ માં, નવ વર્ષની વયે શ્રીમદ્ દેવચંદ્રસૂરિજીના વરદ કરકમળો દ્વારા ખંભાતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kuivatumaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
આંગણે ચંગદેવને ભારે ઠાઠમાઠ સાથે ભવ્ય દીક્ષામહોત્સવ ઉજવાયે. ચંગદેવના ઉછેર, જીવન-ઘડતર અને દિક્ષામાં મન્દીશ્વર ઉદયને ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યા.
દીક્ષા બાદ, ચંગદેવ બાલમુનિ સેમચન્દ્ર બન્યા. દીક્ષા લીધા બાદ બાર વર્ષ સુધી સેમચનદ્રમુનિ ગુરુચરણેની સેવા અને શાસ્ત્રોના અભ્યાસમાં રમમાણુ બન્યા. પિતાની કુશાગ્ર બુદ્ધિ અને પારદશી પ્રતિભાના બળે, ન્યાય-વ્યાકરણ-કાવ્ય-તત્વજ્ઞાનરોગ-ઈતિહાસ-પુરાણ-આગમ-સાહિત્ય અને શબ્દશાસ્ત્ર વગેરેમાં તેમણે પરમ નિપુણતા પ્રાપ્ત કરી. અને આમ ગી, સંયમી, પરમ તેજસ્વી અને યુવાન છતાં જિતેન્દ્રિય સાધુવર સેમચન્દ્ર પિતાની એકાગ્રચિત્ત-પ્રતિભાના બળે સમ્યજ્ઞાનના મહાસાગરને પિતાના અંતરમાં ભરી દીધો.
આ ઉપરાંત તત્કાલીન દેશ-કાળની પહેચાન, રાજા અને પ્રજાના મનોભાનું મર્મસ્પશી અવલેકિન કરવાની દીર્ઘ દૃષ્ટિ, હૃદયની ઉદાર અને વિશાળ મનવૃત્તિ, દંભવિહેણું જીવન, ભાષામાં નીતરતી સુમધુરતા, મોટા ચમરબંધી શહેનશાહની પણ શરમમાં ન તણાય તેવી ઉજવલ તેજસ્વિતા, આવા અનેક ગુણે સેમચન્દ્રમુનિમાં ભવા લાગ્યા. આ બધાના પ્રતાપે સંસારને મા શારદાના એક
એવા દિવ્ય-પુત્રની ભેટ મળી...જેણે ગુજરાતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૧૫
ધરતીને અહિંસાના ઓજસથી અજવાળાં વેરતી બનાવી દીધી.... મીનળદેવીને સમજાવવામાં સફળ સેમચન્દ્રજી :
મુનિવરશ્રી સેમચન્દ્રજીની ઉજજવળ જ્ઞાનપ્રતિભા, અતિ ઝડપી જ્ઞાને પાર્જનશક્તિ અને પ્રખર બુદ્ધિમત્તાના કારણે ગુરુ દેવચંદ્રસૂરિજીના હૃદયમાં તેઓ વિશિષ્ટ સ્થાન પામ્યા હતા. ગુરુ પોતાના આ પ્રતિભાસંપન્ન શિષ્ય પ્રત્યે વિશેષ પ્રસન્ન રહેતા હતા.
સિદ્ધરાજની સભામાં જ્યારે દિગંબર સમ્મુદાયના પ્રખર વાદી આચાર્ય કુમુદચન્દ્ર સાથે વાદી દેવસૂરિજી મહારાજને શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતું, ત્યારે રાજમાતા મીનળદેવી દિગંબર-તરફી હતા, તેમની સહાનુભૂતિ શ્વેતામ્બર પક્ષે મેળવવામાં બાલમુનિ સેમચન્ટે વિશિષ્ટ ભાગ ભજવ્યો હતે.
વાત આમ બની હતી.
એક વાર બાલમુનિ સેમચ-દ્રને મીનળદેવીને ભેટે થઈ ગયો. ત્યારે રાજમાતાએ સાહજિક રીતે પૂછયું : “કેમ છે; બાલમુનિ !”
સેમચન્દ્રજી બોલ્યા : “માતાજી ! બધું ક્ષેમકુશળ છે. પણ એક વાતની મને ચિંતા થાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
રાજમાતા કહે : “બાલમુનિજી ! તમને વળી શાની ચિંતા છે ?” ત્યારે અતિ ચાલાક બાલમુનિએ કહ્યું : “મને તે આપની ચિંતા થાય છે ! આ દિગમ્બરે અમારી સાથે રાજસભામાં શાસ્ત્રાર્થ કરી રહ્યા છે તે તે આપ જાણેા જ છે. તે દિગમ્બર કહે છે કે આપના-સ્ત્રીનેા-માક્ષ કદાપિ થાય જ નહી'. કેમ કે તમે સ્ત્રી છે. જ્યારે અમે તા એ સિદ્ધ કરવાના છીએ કે સ્ત્રીના પણ માક્ષ થઈ શકે છે. સ્ત્રી, સ્ત્રીદેહધારી હેાય તેથી તેને મેાક્ષે જવાના અધિકાર નથી તેવું તમારુ' (દિગંબરાનું) કથન જૂઠ્ઠું છે. આમ અમે તેા આપની (સ્ત્રીની) તરફેણમાં છીએ.”
•
આ સાંભળી રાજમાતા ચેાંકી ઉઠયા. તેમણે સિદ્ધરાજને જણાવ્યું કે, “મેં તને પહેલાં કહ્યુ હતુ. કે તુ દિગંબરની હાર થાય તેમ ન થવા દઈશ. દિગ‘ખરાના વિજય જ થવા હવે હુ' તને કહું છું કે જેની વાત તેના જ વિજય થવા જોઈએ. શ્વેતામ્બર હોય કે દિગમ્બર !”
જોઇએ. પરંતુ સત્ય હાય, પછી ભલે તે
અને..કુમુદચન્દ્ર સાથેના વાદમાં વાદીદેવસૂરિજી મહારાજ જબરદસ્ત વિજયને વર્યાં. તેમાં મીનળદેવીને નિષ્પક્ષ બનાવવામાં અને કાંઇક અશે શ્વેતાંબર પ્રત્યે પ્રેમાળ બનાવવામાં મુનિ સામચન્દ્રજીના અસાધારણ ફાળેા હતા. તેમની વિશિષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૧૭
શક્તિઓથી ત્યારે ગુરુવર્યો અને સકળ શ્રીસંઘ પ્રભાવિત થયા હતા. મા સરસ્વતીનું વરદાન
એક સમયે મુનિ સોમચન્દ્રજીને સરસ્વતી દેવીની વિશિષ્ટ સાધના કરવાનું મન થયું. તે સમયે કાશ્મીરમાં બ્રાહ્મીદેવી (સરસ્વતીદેવી) નું ખાસ સાધના-મથક હતું. ત્યાં જઈને જે સાધના કરવામાં આવે છે, જલદી સિદ્ધિ પ્રાપ્ત થાય. આ માટે મુનિવર સેમચન્દ્ર ગુરુદેવની સમ્મતિ પણ મેળવી લીધી અને કાશમીર જવા માટે વિહાર પણ આદર્યો.
તેઓ ગિરનાર સુધી પહોંચ્યા. પિત એક રાત્રે સરસ્વતીના ધ્યાનમાં બેઠા હતા. તે વખતે સરસ્વતીદેવીએ સાક્ષાત્ દર્શન આપ્યા અને પ્રસન્ન થઈને જણાવ્યું કે, “તમારે મારી સાધના કરવા માટે કાશ્મીર સુધી આવવાની જરૂર નથી. તમે કયાંય પણ સાધના કરશે તે પણ વિદ્યા પ્રાપ્ત કરી શકશે. વળી તમે ગુજરાતમાં જ રહે કારણ કે તમારા દ્વારા ગુજરાતમાં ઘણે ઉપકાર થશે.”
ત્યાર બાદ....વર્ષો બાદ... આત્મિક સંયમસાધના અને સમ્યજ્ઞાનના બળે ગુર્જર દેશની સંસ્કારલક્ષમીના સર્જક સૂરીશ્વર હેમચન, અવનિ પરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૮] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
આકાશને આઈ-દર્શનરૂપી સહસ્ત્રભાનુના તેજસ્વી કિરણેથી પ્રકાશમાન બનાવી દીધું. ગુજરાતને અહિંસાને અણમોલ વારસે ભેટ ધરનારા જેનાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી આજે નવનવસે વર્ષો પસાર થવા છતાં વિદજજનેના હૃદયભુવનમાં એક વન્દનીય અને વિશેષ સ્મરણય વિભૂતિ તરીકે વિલસી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
[3]
આચાય પદને અભિષેક
ગુરુદેવ શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી વૃદ્ધાવસ્થાએ પહાંચ્યા ત્યારે પેાતાના પ્રભાવક અને અને પુણ્યવાન પટ્ટધર સામચદ્રમુનિને આચાય પદવી આપવાના નિ ય કર્યાં.
તે સમયની એક પ્રસિદ્ધ દંતકથા આ પ્રમાણે છે : કાલસામાંથી હેમ (સુવર્ણ') નિર્માણ
પાટણમાં તે સમયે એક શ્રીમંત શેઠ રહેતા હતા. ધનદ તેમનું નામ. અશુભ કર્મના ઉદયે તેઓ દરિદ્ર બની ગયા. એક વખત વીરચન્દ્રેજી નામના એક વૃદ્ધ મુનિવરની સાથે ખાલમુનિશ્રી સામચન્દ્રજી ગેાચરી વહારવા ધનદ શેને ત્યાં ગયા. ત્યારે સામચન્દ્રમુનિને ધનદશેઠ જેવા ઉત્તમ શ્રાવકની આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
દ્રદ્રિ-અવસ્થા જોઇને દુઃખ થયું. તેમણે વડીલ મુનિશ્રી વીરચન્દ્રજીને ધનદ શેઠની દરિદ્રતાનું કારણ પૂછ્યું.
ત્યારે વીરચન્દ્રમુનિએ કહ્યું : “ધનદ શેઠ અશુભ કર્મોની પ્રબળતાના કારણે દરિદ્ર છે. શેઠના ઘરમાં અઢળક સ ́પત્તિ છે. પરંતુ અશુભ કર્મના ઉદયે તેમના ઘરમાં રહેલી સુવણુ મહારા પણ તેમને કેાલસાની ભૂકીરૂપે દેખાય છે અને તેથી તેને ગમે ત્યાં પડી રહેવા દે છે. ”
અને ખરેખર....ત્યારે ઘરની બહાર કાલસાની ઢગલીએ – જે વાસ્તવમાં સુવર્ણમહારા હતીસેામચન્દ્રમુનિએ જોઇ. તેથી તેઓ ત્યાં ોઇ જ રહ્યા. ત્યારે ધનદ શેઠે પૂછ્યું: “ ખાલમુનિજી! આપ આ શું જોઈ રહ્યા છે ?
""
ખાલમુનિએ ઉત્તર આપ્યા : “ તમે ઘરની બહાર આ રીતે આ ‘ હેમ ’ (હેમ એટલે સેાનું) રખડતુ મૂકયુ છે, તે હું જોઇ રહયા છું.”
યેાગાનુયાગ વીરચન્દ્રમુનિની વાત ધનદ શેઠ સાંભળી ગયા હતા. તેથી તેમણે તરત જ માલમુનિને જણાવ્યુ' : ગુરુદેવ ! આ કોલસીના ઢગલાને સ્પર્શ કરી અને આપની પવિત્રતાના બળે મારી દરિદ્રતા દૂર કરો.” મુનિ સેામચન્દ્રે તે ઢગલાને સ્પર્શ કર્યાં અને તરત જ કેાલસા જેવી કાળીમેશ સુવર્ણ - મુદ્રાએ ફરી ઝગમગ ઝગમગ તેજ વેવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
સેમચન્દ્રમાંથી “હેમચન્દ્રસૂરિ
આ પ્રસંગ બાદ કેટલાક વર્ષો પછી, વિ. સં. ૧૧૬૬ની સાલે.અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે રાજસ્થાનમાં નાગપુર (નાગર) મુકામે ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીએ સંયમી અને સુવિનીત સેમચન્દ્ર મુનિને સૂરિપદ (આચાર્યપદ) સમર્પિત કર્યું. તે સમયે અભુત મહોત્સવ ઉજવાયો હતે.
સેમચન્દ્રમુનિને આચાર્યપદ અર્પિત થયું ત્યારના વિધિ-પ્રસંગનું વર્ણન કરતાં પ્રભાવક-ચરિત્રમાં લખ્યું છે કે, “ચારે તરફ મંગલ-ધ્વનિ દર્શાવતાં વાદ્યો વાગી રહ્યાં હતાં, ત્યારે દેવચન્દ્રસૂરીશ્વરજીએ પોતે સેમચન્દ્રમુનિના શ્રવણને (કાન) અગરુ, કપૂર અને ચંદનથી અચિંત કર્યા અને સૂરિમ-ત્ર સંભળાવ્યો. ”
સંયમ-સ્વીકારના બાર વર્ષ બાદ, સેમચન્દ્ર મુનિ આચાર્યપદ પામ્યા ત્યારે, કેલસામાંથી હેમ (સુવર્ણ)ના નિર્માણના પ્રસંગની સ્મૃતિ ચિરંજીવ રાખવા માટે “હેમ” શબ્દને નામમાં જોડી દેવા માટે ધનદ શેઠે વિનંતી કરી. તે વિનંતીને ગુરુદેવ સ્વીકારી અને ગુરુએ સેમચન્દ્રજીનું નવું નામકરણ કર્યું –
આચાર્ય હેમચન્દ્રસૂરિ.” ત્યાર બાદ જગતે એમને વિશેષતઃ “હેમચંદ્રાચાર્ય તરીકે જ ઓળખ્યા.
માત્ર એકવીશ વર્ષની નાનકડી ઉંમરમાં તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૨] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
આચાર્ય પદ પામ્યા. તે જ તેમની પરમ ચેાગ્યતા, સચ્ચારિત્રશીલતા અને અનુપમ જ્ઞાનપ્રતિભાને દર્શાવવાં પૂરતાં છે.
પુત્રના પથે પાહિણીનું પ્રયાણુ
નિજપુત્રના આચાય પદના આ પનાતા પ્રસંગને પ્રત્યક્ષ નિહાળવા, શ્રદ્ધા અને વાત્સલ્યના સાગરસમી માતા પાહિણીદેવી હાજર રહ્યા હતા અને પેાતાના જીવનની સાર્થકતા અનુભવતા હતા. એક વખતના પેાતાના લીલૂડા લાડકડા લાલ, આજે ધવલ-વસ્ત્રામાં વિરાગમૂર્તિ વિરલ મહાત્મા તરીકે શેાભી રહ્યો છે. જૈન શાસનના જવાહીર બન્યા છે અને જૈનાચાય પદે આરૂઢ થયા છે-એ જોઇન પાહિણીદેવીની રામરાજી વિકસ્વર બની ગઇ હતી. ત્યારે ધર્મવિભાર બનેલી માતાએ ભાવભીના હૃદયે નવાદિત આચાર્ય હેમચન્દ્રને મધુર-વાણીમાં જણાવ્યું કે, “ હૈ શાસન સૂરજ નૂતન સૂરિરાજ! મને પણ તમારા આ પુનિત-પથ પ્રાપ્ત થાઓ. આપના સાધ્વીસઘમાં મને સયમધમ આપેા.”
આ સાંભળીને હેમચન્દ્રસૂરિજી પરમ પ્રસન્નતા પામ્યા અને પ્રેમમૂર્તિ માતાને ભાવસભરનેત્રે નિરખી રહ્યા. પછી મેલ્યા: “માતાજી! જે ધર્મપંથ મને દર્શાવીને તમે મારા ઉપર અદ્વિતીય ઉપકાર કર્યાં છે, તે ઉપકારને અદા કરવાના આથી અનુપમ માગ ખીને શા હાઇ શકે ? તમારી કૃપાથી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૨૩
લાધેલે આ ધર્મધ્વજ (ઘે) તમને પણ અર્પણ કરાવિને આજે મનભર આત્મતેષ હું પામીશ.”
પછી નૂતન આચાર્ય હેમચન્દ્રસૂરિજીના માતા પાહિણને ગુરુદેવ શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીએ સાધ્વીજીવન સમપ્યું આમ પાહિણુ માનવજીવનને કૃતાર્થ બનાવવા કટીબદ્ધ બન્યા.
પુત્રના પંથે પ્રયાણ કરીને પાહિણી પુલક્તિ બની ઉઠયા.
માતાને મુક્તિને મંગલમાર્ગ અર્પીને મુનિવર મલકી ઉઠ્યા.
પ્રત્રજ્યા (દીક્ષા) સ્વીકાર બાદ, સાધ્વી પાહિણીએ પણ સુંદર શાસ્ત્રાભ્યાસ કર્યો. ઉત્તમ પ્રકારે ચારિત્ર્ય પાવ્યું. તેમની યોગ્યતાને કારણે તેમને “પ્રવતિની” પદ અપાયું. વર્ષો સુધી દીક્ષા પાળ્યા બાદ, વિકમ સં. ૧૨૧૧માં તેઓ સમાધિપૂર્ણ કાળધર્મ પામ્યા.
માતાના સાધુતામય સાધવી જીવનની અને સમાધિમય પંડિતમરણની અનુમોદના નિમિત્તે હેમચન્દ્રાચાર્યે એક કરોડ નવકારમંત્રનો જાપ કર્યો. હેમચન્દ્રાચાર્યનું પાટણ-પ્રયાણ
જ્યારે શ્રી હેમચન્દ્રાચાર્ય પોતાના કૌવનકાળમાં અપૂર્વ જ્ઞાન-તેજવડે અને વાવૈભવવડે હજાર પ્રજાજનોમાં પરમ આદર પામ્યા હતા, ત્યારે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪] ગુજરાતની અસ્મિતાના અને ખા આવિર્ભાવક
સમયે ગુર્જરધરા પર મહાન રાજવી સિદ્ધરાજ જયસિંહ ગુજરાતની રાજધાની પાટણમાં એવું સુન્દર રાજ્ય ચલાવતો હતો કે જેની કીતિ સારાયે ભારતદેશમાં સર્વત્ર પ્રસાર પામી હતી.
સિદ્ધરાજ સિંહ જેવા શૂરવીર હતે. શત્રુ રાજાએને જીતી લેવામાં પરાક્રમી હતો. રાજ્ય, નીતિ અને ધર્મ, આ ત્રણેયને તે પૂરતું મહત્વ આપતો હતું. આ ત્રણેય ગુણેની ઉત્તમ વૃત્તિ અને પ્રવૃત્તિએનું ધમધમતું મથક તે સમયે પાટણ શહેર હતું.
આથી જ હેમચન્દ્રસૂરિજીએ વિચાર કર્યો કે પાટણ શહેરમાં જવાથી જિનધર્મને જયજયકાર ફેલાશે. રાજા અને પ્રજા, સહ જિન ધર્મના રાગી અને તેના અહિંસાદિ સિદ્ધાન્તના અનુરાગી બનશે. આથી જ આચાર્યશ્રી પાટણ પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
[ ૪ ]
સિદ્ધરાજ અને સૂરિદવ
પાટણ પધાર્યા બાદ, યુવાન, ૫૨મ તેજસ્વી અને પ્રખર વિદ્વાન જૈનાચાય હેમચન્દ્રસૂરિજીની કીર્તિ જોતજોતામાં સર્વત્ર ફેલાઈ ગઈ હતી. સિદ્ધરાજને પણ આચાય શ્રીની જ્ઞાનપ્રતિભાની વાતા સાંભળીને તેમને મળવાની ઝંખના જાગી હતી.
સિદ્ધરાજ અને હેમચન્દ્રાચાર્યની પ્રથમ મુલાકાત અંગેના પ્રસંગ ‘પ્રભાવક—ચરિત્ર’ અને ‘કુમારપાલ–પ્રમ‘ધ' માં વર્ણવવામાં આવ્યા છે. હેમચન્દ્રાચાય ના સિદ્ધરાજને આશીવદ એક વખતની વાત છે.
પાટણના મુખ્ય માર્ગો પરથી સિદ્ધરાજ હાથી ઉપર એસીને પસાર થઇ રહ્યા હતા. ત્યારે હેમચન્દ્રસૂરિજી ખીજા મુનિએ સાથે સામેથી આવી રહ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૬ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
રાજ હાથી ઉપર આવી રહ્યા હતા, તેથી હેમચન્દ્રાચાર્યજી બાજુ ઉપર ઊભા રહ્યા.
આ બાજુ સિદ્ધરાજને કેઈએ જણાવ્યું કે : “આ સામે ઊભા છે તે પ્રખર જૈનાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિજી છે.” તેથી તરત જ સિદ્ધરાજે સૂરીશ્વરને પ્રણામ કર્યા અને આશીર્વાદ આપવા જણાવ્યું.
ત્યારે સૂરિદેવ હેમચન્ટે કહ્યું : 'कारय प्रसरं सिद्ध ! हस्तिराजमशंकितम । अस्यन्तु दिग्गजाः कि तैर्भूत्वयैबोद्धता यतः ।।'
અર્થાત્ ઃ “હે રાજા સિદ્ધરાજ ! તમારા હસ્તિરાજન (હાથીને) નિઃશંક બનીને આગળ વધવા દો. તેનાથી દિગ્ગજોને ભયભીત થાય તે ભલે થાય. કારણ કે ભૂમિને ભાર તે હવે તમે જ વહન કરે છે. એથી એ દિગ્ગજોની પરવા હવે કેને છે?”
આ શ્લેક સાંભળીને સિદ્ધરાજ અત્યંત પુલ. કિત અને પ્રભાવિત થયા હતા. ત્યારે જ તેમણે પિતાની રાજસભામાં પધારવા માટે હેમચન્દ્રસૂરિજીને આમત્રણ આપ્યું.
ત્યારબાદ હેમચંદ્રાચાર્યજીના નિરંતર સહવાસ અને સત્સંગથી સિદ્ધરાજને તેમના પ્રત્યે પૂબ જ આકર્ષણ અને સન્માન પેદા થયા હતા. હેમચંદ્રાચાર્ય દ્વારા થતી સિદ્ધરાજની અવસરચિત
પ્રશસ્તિની પાછળ સિદ્ધરાજ દ્વારા ભાવિમાં અનેકવિધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૨૭
ધર્મપ્રભાવક સત્કૃત્ય કરાવવાની દૂરંદેશિતા અને બુદ્ધિમત્તા નિહિત હતી. હેમચન્દ્રાચાર્યની પ્રતિભાથી પ્રભાવિત સિદ્ધરાજ
આવો જ એક બીજો પ્રસંગ પણ આ પ્રમાણે છે.
ગુજરાતના પાટણ અને માલવાની વચ્ચે વર્ષોથી પેઢી દર પેઢી–વૈર ચાલ્યું આવતું હતું. સિદ્ધરાજે બાર વર્ષ સુધી અસીમ પુરુષાર્થ ફેરવીને અવંતીને જીતી લીધું હતું. સિદ્ધરાજના પ્રતાપી પૂર્વ જેચામુંડ, દુર્લભરાજ,ભીમ અને કર્ણ-સહુએ અવંતીના વિજયની ઝંખના કરી હતી પણ અવંતીના માથે પાટણની વિજયધજા લહેરાવવાનું ભવ્ય સૌભાગ્ય સિદ્ધરાજને જ મળ્યું.
બાર બાર વર્ષ સુધી યુદ્ધ કરીને પોતાના અપૂર્વ સામર્થ્યબળે સિદ્ધરાજ માલવા ઉપર વિજયની વરમાળા વરીને પાટણમાં પ્રવેશી રહ્યો હતે. આથી સમસ્ત પાટણની પ્રજા રાજાના વિજયેત્સવમાં પાગલ બની હતી. સિદ્ધરાજને વધાવવા સહુ ઉત્સુક બન્યા હતા. પાટણના ઘેર ઘેર મંગળ તોરણે બંધાયા હતા. વિદ્વાને પ્રશસ્તિગીત લલકારતા હતા. આ ભવ્ય વિજયયાત્રામાં સિદ્ધરાજ ગજરાજ ઉપર આરુઢ બનીને આવી રહ્યો હતો. | વિજયયાત્રામાં કેદ કરેલા માળવાના રાજાને
અને વિજય બાદ પ્રાપ્ત થયેલા અઢળક ધનવૈભવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urvatumaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
મૂલ્યવાન ચીજ-વસ્તુઓને પણ માર્ગો ઉપર ફેરવાયા હતા.
આ પ્રસંગે સિદ્ધરાજને ઉદેશીને હેમચન્દ્રાચાયે, તેમની અદભુત ક૯૫નાશકિતના પ્રતીક સમે નીચેને શ્લોક કહ્યો :
'भूमि कामगवि ! स्वगोमयर सैरासिञ्च रत्नाकरा ! मुक्ता स्वस्तिकमातनु ध्वमुडुप ! त्वं पूर्णकुम्भो भव । धृत्वा कल्पतरोदलानि सरलैदिग्वारणा स्तोरणा न्याधत्त स्कक रैविजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ।।'
અર્થાત્ “ હે કામધેનુ! તું તારા ગોરસ (દૂધદહીં)થી પૃથ્વીને સીંચી દે.
હે રત્નાકરો ! તમે મોતીઓના સાથિયા રચે. હે ચન્દ્રમા ! તું પૂર્ણ કુમ્ભ બની જા
હે દિગૃહસ્તિઓ! તમે પણ કલ્પતરુના પર્ણોનાં સુન્દર તેરણે રચે....કારણ કે આજે સિદ્ધરાજ પૃથ્વીને જીતીને આવી રહ્યો છે.”
| હેમચંદ્રાચાર્યની આ અદ્દભુત કાવ્યશક્તિ, કલ્પનાશક્તિ અને જ્ઞાનપ્રતિભાના કારણે સિદ્ધરાજનું હદય આચાર્યશ્રી પ્રત્યે વધુ ને વધુ આકર્ષિત થવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
હેમચ`દ્રાચાય
[ ર૯
વ્યાકરણ-નિર્માણ માટે સિદ્ધરાજની પ્રાથના
આ દરમ્યાન એક ઘટના ઘટી.
માલવદેશ ઉપર વિજય મેળવ્યા બાદ પ્રાપ્ત થયેલી ઉત્તમ ચીજવસ્તુએમાં એક અતિ ઉત્તમ ચીજ હતી અને તે ચીજ એટલે રાજા ભેાજનુ' ‘સરસ્વતી ક‘ઠાભરણુ’ નામનું મહાન વ્યાકરણ !રાજા ભાજ અને માલવની અનુપસ્થિતિમાં ય વિદ્વજ્જનાના હૃદયમ`દિરમાં તે બન્નેની અમર ઉપસ્થિતિને શાશ્વત રાખનારું એક ચિરંજીવ વ્યાકરણ !
તત્કાલીન વિદ્વાનેાના મુખેથી પણ જેની પુષ્કળ પ્રશ'સા સિદ્ધરાજેસાંભળી હતી. અને શત્રુરાજાની પ્રશંસા પણ સાંભળવા નહીં ઇચ્છતું એનું મન, ઝંખતું હતું કે ગુર્જર દેશનું ગૌરવ જગતમાં ૯ન્નત કરે તેવા નૂતન વ્યાકરણની રચના કેાઈ ગુર્જર પરમ વિદ્વાનના હાથે થાય.
સિદ્ધરાજે ભરી સભામાં પ્રશ્ન કર્યો કે : “ છે કોઇ એવા મહાપડિત આ ગરવી ગુજરાતમાં, કે જે ગૂર્જરદેશની ધરાને જગતમાં શિરેામણી સાબિત કરી શકે એવા નવીન વ્યાકરણના રચિયતા મને માલવ દેશ અને ત્યાંના રાજાને તે મેં જીત્યા, પરંતુ માલવની વિદ્યા તવામાં હું અસફળ રહ્યો છું. હું ઇચ્છું છું કે ગુજરાતના કોઇ પદ્માતા પુત્ર ગુજરાતની માતા શારદાને ય સદા સર્વાપરી રાખી શકે તેવી વ્યાકરણ-વિદ્યાના નિર્માતા બને. અને ગુજરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૦ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
તની અસ્મિતાને ઊંચે આકાશમાં સદા ઝગમગતી રાખી શકે. છે કેાઈ એ ગૂર્જરધરાને દિવ્ય લાલ?”
અને..સભામાંથી કોઈ સિદ્ધરાજને પડકાર ઝીલવા તૈયાર ન થયું. ત્યારે અનેક વિદ્વાને અને પંડિત યુવા–આચાર્ય હેમચંદ્રસૂરિજી તરફ સમુ
સુક નજરે જોવા લાગ્યા. સિદ્ધરાજને પણ આવા મહાન કાર્ય માટેનું સામર્થ્ય અને શક્તિ હેમચન્દ્રાચાર્યમાં હવાની સવિશેષ શ્રદ્ધા જાગી. ત્યારે સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્યજીને વિનંતી કરતાં કહ્યું.
"यशो मम तव ख्यातिः, पुण्यं च मुनिनायक ! विश्वलोकोपकाराय, कुरु व्याकरणं नवम् ॥"
અર્થાત- “હે મુનિનાયકી મને યશ મળશે અને આપને પ્રસિદ્ધિ અને પુણ્ય–બેઉ મળશે. તેથી વિશ્વના લોકે ઉપર ઉપકાર થાય તે માટે આપ નવીન વ્યાકરણની રચના કરો.”
હેમચન્દ્રાચાર્યના હૈયે આનદને ઉદધિ ઉછાળા મારી રહ્યો કારણ કે સિદ્ધરાજની વિનતિ–વાણી માં તેમને પોતાની અંતરભૂમિનું સપનું જાણે આકાર ધારણ કરીને સત્ય બનતું દેખાતું હતું. એક વર્ષમાં સાંગોપાંગ વ્યાકરણનું નિર્માણ
ગુજરાતની અસ્મિતાને ઈતિહાસના આકાશમાં ચિરંજીવ કરવાનું બીડું હેમચન્દ્રાચાર્યે ઝડપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, lowwatumaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૩૧
લીધું. આ માટે ઉપયોગી તમામ સાહિત્યસામગ્રીઓ સિદ્ધરાજે મંગાવી આપી. ઠેઠ કાશ્મીરથી પણ વિશિષ્ટ ગ્રન્થ મંગાવવામાં આવ્યા.
અને...એક પ્રાત:કાળના પુનિત પહોરે હેમચન્દ્રસૂરિએ હાથમાં કલમ ગ્રહણ કરી. ભાગિરથીના ખળખળ વહેતાં સલિલની જેમ સૂરિદેવની કલમમાંથી સાહિત્યની સરવાણુ સદા વહેતી જ રહી. જેના શિર પર સાક્ષાત્ મા સરસ્વતીની કૃપાધારા વહેતી હેય એનું સાહિત્યનિર્માણ “અદ્દભુત હોય એમાં સંદેહ શાને ? | હેમચન્દ્રાચાર્યને જન્મદિન કાર્તિક પૂર્ણિમા !
એ શુભ દિવસે આરંભાયેલું વ્યાકરણસર્જનનું મહાન કાર્ય બીજી કાર્તિક પૂર્ણિમાએ–બરાબર એક વર્ષે–પૂર્ણ થયું. મૂલસૂત્ર, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન એમ પાંચેય અંગેથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના તેમણે કરી. જેમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેવામાં આવ્યું હતું. કુલ સવા લાખ શ્લોક પ્રમાણ આ વ્યાકરણની રચના થઈ.
હેમચન્દ્રસૂરિજીએ વ્યાકરણનું નામ રાખ્યું : “સિદ્ધશબ્દાનુશાસન”! મહારાજ સિદ્ધરાજે જ્યારે એ નામ વાંચ્યું, ત્યારે તે અહંભાવથી આચાર્યને ઝકી પડયા. સૂરિદેવ બાલ્યા : “આ વ્યાકરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૨ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
તમારી વિનંતિના કારણે સર્જાયું છે, તેથી મેં “સિદ્ધ) શબ્દ સ્થાપે છે.”
સિદ્ધરાજ કહે : “પણુ ગુરુદેવ ! મારી વિનંતીથી સજાયેલ આ મહાવ્યાકરણ સર્યું તો આપે જ ને ! તેથી તેમાં આપનું નામાંકન પણ કરવું જ જોઈએ.”
અને એ વ્યાકરણનું નામ “સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન' રખાયું. સંસ્કૃત-પ્રાકૃત ભાષાને એ અદ્દભુત વ્યાકરણ ગ્રન્થ આજે ય અલૌકિક છે. મા સરસ્વતીના શિર પર જે મુગુટમણિની જેમ શોભી રહ્યો છે. સિદ્ધહેમ'નું શહેનશાહી સન્માન
આ વ્યાકરણ “સિદ્ધહેમ” એવા ટૂંકા નામે વધુ જાણીતું બન્યું. સિદ્ધરાજના હૃદયમાં હર્ષને મહાસાગર ઉછળી રહ્યો હતો. કારણ કે પિતાની ગુર્જરધરાના એક પરમસાધુપુરુષે ગુજરાતની વિમલકીર્તિને દિગંતવ્યાપી બનાવે એવું સાંગોપાંગ વ્યાકરણ સજર્યું હતું. અને તેમાં નિમિત્તભૂત પિતે બન્યો હતો.
સાક્ષાત્ મા શારદાને સન્માને એ રીતે, રાજ્યના મુખ્ય હાથી “શ્રી કરણ ઉપર અંબાડીમાં “સિદ્ધહેમ'ની સુવર્ણ પ્રતને સ્થાપિત કરીને સિદ્ધરાજે પાટણના વિશાળ રાજમાર્ગો ઉપર તેની મહાન
શોભાયાત્રા કાઢી. શોભાયાત્રામાં આ મહાગ્રથને Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૩૩
બે ચામરધારિણીઓ ચામર વીંઝતી હતી અને ઉપર શ્વેત છત્ર હતું. ત્રણસે લહિયાઓ પાસે તેની હજારો નકલો તૈયાર કરાવી. તેની સુવર્ણાક્ષરે લખાચેલી પ્રતે પણ તૈયાર કરીને બહુમાનપૂર્વક રાજ્યભંડારમાં સ્થાપિત કરી.
રાજ્યસભામાં એ સમગ્ર વ્યાકરણનું વાંચન કરાયું.
તત્કાલીન વિદ્વાનોએ એ વ્યાકરણને હૈયાના હર્ષથી વધાવ્યું અને પોતાની હાર્દિક સંમતિ અર્પી.
નેપાલ, કર્ણાટક, કાંકણુ, સૌરાષ્ટ્ર....અરે ! ઈરાન અને લંકા સુધી–તે નકલોને મોકલવામાં આવી. કાશમીરમાં આ વ્યાકરણની આઠ નકલ મેકલવામાં આવી હતી.
પાટણમાં “કકકલ’ નામના વિદ્વાન અને હેમવ્યાકરણના સૌ પ્રથમ વૈયાકરણ દ્વારા આ નવીન વ્યાકરણ ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી. દર મહિનાની સુદ પાંચમે તેની પરીક્ષાઓ લેવાતી અને તેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનું રાજ્ય તરફથી શાલ, સુવર્ણ મુદ્રા વગેરે અર્પીને સન્માન કરાતું.
સંસ્કૃત ભાષાના ઈતિહાસમાં પાણિનીએ રચેલાં વ્યાકરણને બાદ કરતાં, “સિદ્ધહેમ” જેવું સર્વોત્તમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kuwatumaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૪] ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક અને સુવ્યવસ્થિત વ્યાકરણ બીજું કઈ રચાયું નથી એમ અવશ્ય કહેવું જોઈએ.
સિદ્ધરાજની સભામાં હેમચન્દ્રાચાર્યનું અદ્વિતીય સ્થાન હતું. હેમચન્દ્રાચાર્યના સત્સંગથી સિદ્ધરાજમાં અને સાહિત્યપ્રેમ અને ધર્મપ્રેમ જાગૃત થયો હતે. સિદ્ધરાજે આચાર્યશ્રીને પોતાના માર્ગદર્શક, મિત્ર અને ગુરુ તરીકે જીવનમાં સ્થાન આપ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
[ પ ]
સમદર્શી અને સમયજ્ઞ સરિસમ્રાટ
હેમચન્દ્રાચાર્યની કુશળતા, બુદ્ધિમત્તા અને વિદ્વત્તા ખરેખર અજોડ હતી. તેમની તાર્કિક પ્રતિભા અને વાદ–કૌશલ્ય પણ ખરેખર અદ્ભુત હતું.
હેમચન્દ્રસૂરિજી એક વખત પાટણમાં ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે, ભગવાનશ્રી નેમિનાથસ્વામીના જીવનચરિત્ર ઉપર પ્રવચન આપતા હતા. ત્યારે તે સાંભળવા માટે અનેક વિદ્વાના, પંડિતા અને રાજા પણ આવતા હતા.
વ્યાખ્યાનમાં પાંડવાના વિષય આવ્યા, ત્યારે જૈન મહાભારત” પ્રમાણે સૂરિદેવે જણાવ્યું કે, “પાંડવાએ જૈન દીક્ષા ગ્રહણ કરી હતી અને તે શત્રુંજયગિરિ ઉપર મેક્ષે પધાર્યા હતા.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૬ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
આ સમયે અરેન વિદ્વાનોએ સિદ્ધરાજ આગળ ફરિયાદ કરી કે : “હેમચન્દ્રાચાર્યજી પાંડવેએ જૈન દીક્ષા લીધી અને શત્રુંજય ઉપર મેસે પધાર્યાની વાતે રજૂ કરે છે. જે આપણા ધર્મની માન્યતાથી સાવ વિરુદ્ધ છે. આ તે ન જ ચાલી શકે. ”
સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યજીને મળીને આ બાબતને ખુલાસે આપવા અને વિદ્વાનોના મનની શંકાનું સમાધાન કરવા વિનંતી કરી.
ત્યાર બાદ હેમચન્દ્રાચાર્યજીએ, સિદ્ધરાજે આજેલી વિદ્વાનની સભામાં જણાવ્યું : “અમારા જેને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પાંડવોએ જેન દીક્ષા લીધી હતી. અને તેઓ શત્રુંજય ઉપર મેસે પધાર્યા હતા. ત્યાં પાંડવોની મૂર્તિઓ પણ છે. પરંતુ એક જ નામની અનેક વ્યક્તિઓ આ અનંત ભૂતકાળમાં થઈ હોય છે. તેથી શત્રુંજય ઉપર મેસે પધાર્યા તે પાંડ અને તમારા મહાભારતના પાંડવો જુદા-જુદા હોઈ જ શકે છે. આથી કે વિરોધ રહેતા જ નથી.
“જો આમ નહિ માને છે, તમારા મહાભારતમાં ભીષ્મ પર્વમાં એમ જણુવ્યું છે કે ભીષ્મપિતામહે પોતાના કુટુમ્બીજનેને એમ કહ્યું હતું કે “જ્યાં કોઈને પણ કયારેય અગ્નિદાહ થા ન હોય
ત્યાં મારે અગ્નિસંસ્કાર કરજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૩૭
“પછી...ભીષ્મ પિતામહના શબને હિમાલયના શિખર ઉપર અગ્નિ-સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા, અને જ્યાં અગ્નિદાહ દેવાની તૈયારી કરવામાં આવી ત્યારે આકાશવાણ થઈ કે...
अत्र भीष्मशतं दग्धं, पाण्डवानां शतत्रयम् । द्रोणाचार्यसहस्र तु, कर्णसङख्या न विद्यते ।।
અર્થાત્ : “આ જગ્યાએ તે સે ભીમનાં, ત્રણસે પાંડનાં અને હજાર દ્રોણાચાર્યના શબને
અગ્નિસંસ્કાર થઈ ગયા છે. અને કર્ણના શાની સંખ્યાને તે પાર નથી.”
આમ તમારા મહાભારતમાં જ અનેક ભીષ્મ, અનેક પાંડવે, અને અનેક દ્રોણ-કર્ણોની વાત આવે છે. આથી “પાંડની જેન દીક્ષા અને શત્રુજય પર મોક્ષની વાતથી” તમારે વિરોધ કરવાનું કોઈ કારણ જ રહેતું નથી.” | હેમચ દ્રાચાર્યની કુશળ બુદ્ધિમત્તા અને તર્કપ્રતિભાથી પંડિતે ઠંડાગાર થઈ ગયા. કેાઈની પાસે બીજી કોઈ દલીલે બાકી રહી ન હતી. તેથી પંડિતોએ હેમચન્દ્રાચાર્યની ક્ષમા માંગી સૂરિદેવની સતર્ક–પ્રતિભાથી સિદ્ધરાજ ખૂબ પ્રસન્ન થયા.
હેમચન્દ્રાચાર્યની પ્રતિભાને બીને એક પ્રસંગ આ પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
હેમચન્દ્રાચાર્ય પ્રત્યે ઈર્ષાભાવ ધરાવતા બ્રાહ્મએ એક વાર સિદ્ધરાજને કહ્યું : “રાજન ! તમે જેનું ખૂબ બહુમાન કરો છો તે સૂર્યને હેમચન્દ્રાચાર્ય “ભગવાન રૂપે સન્માન આપતા નથી.”
સિદ્ધરાજે સૂરિદેવને આ અંગે ખુલાસે પૂછો. ત્યારે સૂરિવરે કહ્યું : “અમે જેને સૂર્યને જેટલું બહુમાન આપીએ છીએ તેટલું તે બ્રાહ્મણે કદી આપતાં નથી. કારણ કે જેનો સૂરજ ડૂબી ગયા બાદ, તેના વિરહના શાકમાં ખાવા-પીવાનું (રાત્રિભજન) છેડી દે છે. અને જ્યારે બીજે દિવસે ફરી આકાશમાં સૂર્ય ઊગે પછી અડતાળીસ મિનિટ પછી જ અન્ન-પાછું લેવાનું શરૂ કરે છે. સૂર્યદેવનું આથી ઊંચું બહુમાન બીજું કેણ કરે છે?”
સૂરિદેવના, તેમની ગીતાર્થતાને છાજે તેવા, આ જવાબથી સિદ્ધરાજ વિશેષ પ્રસન્ન થ. કષાયવિજેતા સુરિદેવ
પ્રબંધચિંતામણિમાં પંડિત વામર્ષિને એક પ્રસંગ વર્ણવાયેલો છે. વાર્ષિ શવ-પંડિત હતા. તેને હેમચન્દ્રાચાર્ય પ્રત્યે વિષ હતે. | હેમચન્દ્રાચાર્ય તે અન્ય-ધર્મી પંડિત અને . વિદ્વાને પ્રત્યે પણ સહાનુભૂતિ અને સમભાવ જ ધારણ કરતા.
એક વાર હેમચન્દ્રાચાર્યને જોઈને વાર્ષિએ, વદ્વત્સભામાં એક કલાક કહ્યો. જે કલાકને અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, vounatumaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૩૯
હેમચન્દ્રાચાર્યની ટીકા-મશ્કરી સ્વરૂપ હતો વામર્ષિએ કહ્યું : "सोऽयं हेमडसेवडः पिलपिलत्खलि. समागच्छति'
આ સમયે હેમચન્દ્રસૂરિજીએ અત્યંત સ્વસ્થતાથી કહ્યું. “તમારી લોક-રચના ખરેખર સુંદર છે. પણ તેમાં વ્યાકરણની દૃષ્ટિએ દેાષ છે. ફેમસેવક' ના બદલે “ફેવરમર' જોઈએ. કારણ કે વિશેષણ પહેલાં અને વિશેષ્ય પછી આવે.”
વાર્ષિની ક૯૫ના હતી કે મારે લોક સાંભળીને હેમચન્દ્રાચાર્ય ગુસ્સે થશે, ક્રેધિત થશે. પરંતુ આચાર્યની સરળતા તથા વ્યાકરણની વિદ્વત્તા અને પિતાની ભૂલ જોઈને વાર્ષિ ઠ ડેગાર થઈ ગયે.
કેવા ક્રોધાદિ કષાયના વિજેતા હતા હેમચદ્રાચાર્ય ! આચાર્યવરની હાજરજવાબી
આચાર્ય વરની પ્રત્યુત્પન્નમતિ [તત્કાળ હાજર જવાબ આપવાની પ્રતિભાને જણાવનારે એક - સરસ પ્રસંગ બન્યું હતું. તેઓ વિનોદવૃત્તિના અને હાજરજવાબી પણ હતા.
એક વખત જુદા જુદા ધર્મોના પંડિતો-વિહાનેની સભા મળી હતી. તેમાં હેમચન્દ્રાચાર્યજીને પણ આમત્રણ અપાયું હતું. બીજા પંડિતે ગૃહસ્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૦ ] ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક
હેવાથી સુંદર વસ્ત્રાલંકારથી સુસજજ બનીને આવ્યા હતા. જ્યારે હેમચંદ્રાચાર્યજી તે સાધુપુરુષ હતા. તેથી તેઓ ધવલ વસ્ત્રોમાં, હાથમાં દાંડે અને ખભે કામળી નાંખીને આવ્યા.
તે સમયે દેવાધિ નામના પંડિતે–જેને હેમચદ્રાચાર્ય પ્રત્યે ઈર્ષાભાવ હત-મશ્કરી કરતાં શ્લોકાર્ધ કહ્યો :
___ 'आगतो हेमगोपालो दण्ड-कम्बलमुद्वहन् ।' [અર્થાત્-દાંડે અને કાંબળીને ધારણ કરનારે “હેમ” નામને ગોવાળિયો આવી ગયો.]
આ પ્લેકાર્બની પાદપૂર્તિ કરતા હેમચન્દ્રાચાયે તુરત જ કલોકને ઉત્તરાર્ધ કહ્યો :
“ષત્રનપશુપં, જૈનવાર ' [અર્થ-જૈન દર્શનરૂપી વાડામાં છ દર્શનરૂપી પશુઓના સમૂહને ચરાવનાર આ હેમગોપાલ છે.]
આમ હેમચન્દ્રાચાર્યે છ દર્શનને પશુતુલ્ય ગણાવી જેનદર્શનને તેના નાયકરૂપે વર્ણવ્યું. હેમચન્દ્રસૂરિજીની આવી અદ્દભુત હાજરજવાબી જોઈને સભા ખુશખુશાલ બની ગઈ. અને દેવાધિ પંડિત ઝંખવાણે પડી ગયા. ' હવે હસે છે
હેમચન્દ્રાચાર્યજી રમૂજવૃત્તિના પણ હતા.
એક સમયે કપર્દી નામના મગ્નીશ્વર, સૂરીશ્વરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urnatumaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૪૧
વન્દન કરવા આવ્યા. તેમની બંધ મુઠ્ઠીમાં “હરડે’ હતી. હેમચન્દ્રાચાર્યે પુછ્યું :
“મન્નીશ્વર ! હાથમાં શું છે ?”
કપર્દીએ જવાબ આપ્યોઃ હરડઈ” (“હરડઈ એ હરડે માટે પ્રાકૃતભાષામાં વપરાતે શબ્દ છે.)
હેમચન્દ્રાચાર્યે સિમત સાથે શ્લેષ કરતાં કહ્યું? “હું રડઈ ? અર્થાત્ હજી “હું રડે છે ?”
વર્ણાક્ષરેમાં “” છેલે હેવાથી રડે છે, એમ કહેવાતું હતું. ત્યારે કપર્દી હેમચન્દ્રાચાર્યને કલેષ સમજી ગયા. તેમણે કહ્યું : “ના ! ગુરુદેવ ! પહેલાં રડતે હતે. કેમ કે તે વર્ણાક્ષરેમાં છેલે છે. પરંતુ હવે તો આપના નામમાં શું પ્રથમ આવી ગયે. તેથી હવે હું હસે છે.” શત્રુ પ્રત્યે સમષ્ટિ-મિત્રષ્ટિ
દેવાધિ પંડિતને હેમચન્દ્રાચાર્ય પ્રત્યે ઈર્ષ્યાભાવ હતે. છતાં ય સૂરિદેવ તો તેના પ્રત્યે પણ નિર્મળ સ્નેહભાવ-મિત્રભાવ રાખતા હતા.
સિદ્ધરાજે રાજવિહાર જિનાલય બંધાવ્યું હતું. તેમાં ભગવાન શ્રી આદીશ્વરપ્રભુની પ્રતિષ્ઠા-પ્રસંગે દેવબોધિ ત્યાં આવ્યા હતા. દેવાધિ પ્રખર પંડિત હતું. તેણે એક સંસ્કૃત-લક કહ્યા. જેમાં જિનભગવાનની સ્તુતિ કરવામાં આવી હતી. તે કને ભાવાર્થ આ પ્રમાણે હતું ઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kuwatumaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૨ ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
શંકર જેવો કઈ રાગી નથી; જે સદા અર્ધનારીશ્વર રહ્યો. અને જિન જે કઈ રીતરાગી નથી. જે સંપૂર્ણપણે નારીસંગથી મુકત રહ્યો છે. બાકીના બધા તો વચ્ચે અટવાયા છે. નથી તેઓ પૂરા વિષયે ભેગવી શક્યા કે નથી તો તેના પૂર્ણ ત્યાગી બની શકયા.”
આ સાંભળીને સિદ્ધરાજ ખૂબ પ્રસન્ન થા. તેણે દેવધિ પંડિતને એક લાખ સુવર્ણ મુદ્રાઓ આપવાનો નિર્ણય કર્યો. પણ જ્યારે પાછળથી સિદ્ધરાજે જાણ્યું કે દેવાધિ સુરાપાન (દારૂપાન) કરે છે ત્યારે તે ઈનામ આપવાનું મુલતવી રાખ્યું.
કેટલાક સમય બાદ, દેવબોધિ સાવ દરિદ્ર બની ગયો. આ વાતની હેમચંદ્રસૂરિજીને ખબર પડી. તેમણે દેવાધિને બેલાવ્યો. તેને સિદ્ધરાજ પાસેથી ધન અપાવવા અંગે આશ્વાસન આપ્યું. અને જણાવ્યું કે: “પંડિતવર ! તમારી અસાધારણ વિદ્વત્તા પ્રત્યે મને અત્યંત આદર છે.”
આ સાંભળીને દેવબોધિ મનથી સ્વસ્થ અને પ્રસન્ન બન્યો. એક સમય એવો હતો કે જ્યારે દેવબોધિ અને શ્રીપાળ જેવા પ્રખર પંડિતે પરસ્પર ઈર્ષાથી ઝઘડતા હતા, ત્યારે તે બે વરચે હેમચન્દ્રસૂરિજીએ પોતાની અત્યંત કુશળતાથી મૈત્રી પ્રસ્થાપિત કરાવી હતી. દેવાધિની આ વિષમ સ્થિતિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, lowwatumaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૪૩
અવસરે આ જ શ્રીપાળ નામના વિદ્વાન કવિ દ્વારા રાજા સિદ્ધરાજને હેમચન્દ્રસૂરિજીએ ભલામણ કરી અને જણાવ્યું કે એક લાખ સુવર્ણ મુદ્રાઓનું જે ઈનામ, સિદ્ધરાજે દેવાધિને આપવા પહેલાં નક્કી કર્યું હતું, તે તેને અવશ્ય આપવું.
કલિકાલસર્વજ્ઞશ્રીની સૂચનાથી સિદ્ધરાજે દેવબાધિને લાખ સુવર્ણ મહારે આપી. આનાથી દેવબેધિનું મન સૂરીશ્વર પ્રત્યે ખૂબ અહોભાવયુક્ત બન્યું. એટલે તેણે બધુ ત્યાગી દીધું. અને આત્મકલ્યાણ માટે ગંગા કિનારે નિવાસ કર્યો.
શત્રુભાવ ધરનારા પ્રત્યે પણ સૂરિદેવ હેમચન્દ્રની આ કેવી મહાન ઉદારતા !
સર્વધર્મો પ્રત્યે સમદશિતા
સિદ્ધરાજ જયસિંહ ઉપર હેમચન્દ્રસૂરિજીને પ્રખર પ્રભાવ હતો. હેમચનદ્રાચાર્યની ઉદારતા, બુદ્ધિમત્તા, વિદ્વત્તા, ક્ષમાશીલતા, સ્નેહાળતા, કુનેહ અને કુશળતા, આ બધા ગુણે સિદ્ધરાજના હૃદય ઉપર અમિટ છાપ મૂકી હતી.
પિતાના મનની શંકાઓના સમાધાન માટે સિદ્ધરાજ હેમચન્દ્રસૂરિજીને પ્રશો પૂછતા. એક વાર જુદા જુદા પંડિતોને પોતાની સભામાં સિદ્ધરાજે પ્રશ્ન
પૂછોઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૪ | ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
જગતમાં અનેક ધર્મો છે...
સાચે ધર્મ
કયો ?”
આ પ્રશ્નનો ઉત્તર જુદા જુદા પંડિતોએ આપે ત્યારે સહુએ જણાવ્યું કે પોતાને જ ધર્મ સાચે છે.
પરંતુ જ્યારે હેમચન્દ્રાચાર્યને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, “ આ પ્રશ્નના જવાબરૂપે હું એક પૌરાણિક કથા કહેશ.”
શંખપુર નામના નગરમાં શંખ નામને એક વેપારી વસતે હતો. તેને યશોમતી નામની પત્ની. જયારે શખ યશોમતી પ્રત્યે વિરકત થઈને બીજી સ્ત્રીના પ્રેમમાં પડે ત્યારે યશોમતી દુઃખી દુઃખી થઈ ગઈ તેણે અનેક યોગીઓ અને સિદ્ધપુરુષને પતિને વશમાં રાખવાને ઉપાય પૂછો.
એમાં એક સિદ્ધપુર પતિને મન્નપ્રયોગ દ્વારા પશુ બનાવી દેવાની વિદ્યા યશોમતીને શિખવી. યશેમતીએ મંત્ર પ્રયેાગ દ્વારા શંખને બળદ બનાવી દીધો. પણ પાછળથી તેને ખૂબ પશ્ચાત્તાપ થયે. હવે તે પેતાના પતિને પુનઃ માણસ બનાવવા ઈચ્છતી હતી. પણ તે માટે તેની પાસે કેઈ મન્ન કે વિદ્યા ન હતી.
તે સતત વિલાપ કરતી. રડતી. પોતાના બળદપતિને ચારે ચરાવવા ખેતરમાં લઈ જતી. એક દિવસ યશોમતી એક ઝાડ નીચે બેસીને વિલાપ
કરી રહી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૪૫
ત્યારે આકાશમાગે શિવ-પાર્વતી પસાર થઈ રહ્યા હતા. પાર્વતીએ શિવજીને આ સ્ત્રીના ૨ડવાનું કારણ પૂછ્યું, ત્યારે શિવજીએ પૂરી હકીકત પાર્વતીને જણાવી. પાર્વતીએ પૂછયું : “એ કેઈ ઉપાય છે કે જેનાથી આ સ્ત્રીને પતિ પુનઃ માણસ બની જાય?”
ત્યારે શિવજી બોલ્યા : “હા....આ જ વૃક્ષની પાસે એક વનસ્પતી-ઔષધ છે કે જે ખાવાથી આ બળદ ફરી માણસ બની શકે.”
આ વાર્તાલાપ યમતીએ સાંભળે. પણ તેટલી વારમાં તો શિવ-પાર્વતી આગળ ચાલ્યા ગયા. હવે યશેમતી વિચારવા લાગી કે એ ઔષધિને ઓળખવી શી રીતે ? તેણે તે વૃક્ષની આસપાસની તમામ વનસ્પતિઓ પોતાના પતિને ખવડાવવા માંડી. એમાં જ્યાં પેલી ઔષધિ આવી કે તે બળદ ફરી માણસ બની ગયે.” - આ વાર્તાનો ઉપસંહાર કરતાં હેમચંદ્રાચાર્યજીએ જણાવ્યું કેઃ “રાજન ! બરાબર આ જ રીતે કર્યો ધર્મ સાચે તે એકાંતે કહેવું બહુ મુકેલ છે. પરંતુ તમામ ધર્મોને અને તેના મુખ્ય ગ્રન્થને અભ્યાસ કરવામાં આવે તો સત્ય ધર્મની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય....અને આત્મકલ્યાણની માગ
અવશ્ય પ્રાપ્ત થઈ જાય.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૬ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
આ વાતના સ'સ્કૃત-àાક જે સૂરિદેવે સિદ્ધરાજને કહેલા તે આ પ્રમાણે છેઃ "तिरोधीयते दभाद्यैर्यथा दिव्यं तदौषधम्, तथाऽमुष्मिन् युगे सन्यो धर्मो धर्मान्तरैर्नृप ! परं समग्र धर्माणां सेवनात् कस्यचित् क्वचित् जायते शुद्धधर्माप्ति दर्भच्छन्नौषधाप्तिवत् ॥ "
ભાવા: “ જેમ દર્ભાદિ(ઘાસ વગેરે) સાથે ભેળસેળ થઈ જવાથી દિવ્ય ઔષધ છાનું રહે છે તેમ
આ યુગમાં અનેક ધર્મોમાં ભેળસેળ થઈ જવાથી સાચા ધર્મ છુપાઇ ગયા છે. જેમ દ(ઘાસ) વગેરેમાં છુપાયેલી ઔષધિ તે સના સેવનથી મળી જાય છે; તેમ સમગ્ર ધર્મોના સેવનથી (જાણકારી-જ્ઞાનમેળવવાથી) કયારેક કાઇને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ જાય છે.”
હેમચન્દ્રાચાય જીએ આપેલા નિષ્પક્ષ અને સધર્મા પ્રત્યેની ઉદારતાથી ભરેલા ઉત્તરથી સિદ્ધરાજ પ્રસન્નતાને પામ્યા, તેનું સૂરિદેવ પ્રત્યેનું માન વધી ગયું.
સિદ્ધરાજની સભામાં અનેક કવિઓ, ૫'ડિતા, ચારણા અને વિદ્વાનેા આવતા હતા. સિદ્ધરાજને જ્ઞાનની ભારે પ્રેમ હતા. તેથી તે અવારનવાર જ્ઞાનગાષ્ઠિ અને ધમ ગોષ્ઠિઓ ગાઠવતા જ રહેતા. આ બધા પ્રસંગામાં હેમચન્દ્રાચાર્ય પ્રમુખસ્થાને રહેતા. આચાર્ય શ્રી અન્ય પડિતા અને કવિએને પણ મહત્વ આપતાં. તેમને પૂરી રીતે સાષ પમાડતાં. માથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૪૭ આચાર્યશ્રી અને સિદ્ધરાજની યશકીતિ ચારેબાજુ ગવાવા લાગી
અગાધ જ્ઞાનના મહાસાગર છતાં અત્યંત નિરભિમાની, જેન ધર્મમાં પરમ નિષ્ઠાવાન છતાં અન્ય ધર્મો પ્રત્યે પણ ઔદાય ધરાવનાર હેમચન્દ્રાચાર્ય, રાજા સિદ્ધરાજ અને સમગ્ર પ્રજામાં પરમ પ્રેમાદરનું પાત્ર બની ગયા હતા. સોમનાથની યાત્રાએ સિદ્ધરાજ અને સરિદેવ
સિદ્ધરાજને કોઈ સંતાન ન હતું, તેથી તેનું મન છેલ્લા વર્ષોમાં સંતાપશીલ રહ્યા કરતું. તેને પુત્રની પ્રાપ્તિની ઝંખના અદમ્ય હતી. તે માટે તે સોમનાથ મહાદેવની યાત્રા કરવા નીકળે. સિદ્ધરાજની ચિત્ત પ્રસન્નતા ખાતર તેની વિનંતીથી હેમચન્દ્રાચાર્યજી પણ સાથે આવવા તૈયાર થયા.
આચાર્યશ્રીની સૂચનાથી શત્રુંજય અને ગિરનાર તીર્થોએ જઈને સોમનાથ જવાને રસ્તે સિદ્ધરાજે નકકી કર્યો. આ માટે પાટણથી વિરાટ સંઘ નીકળ્યો. જેમાં હાથી, ઘોડા, ઊંટ, બળદો અને વાહનોનો કઈ પાર ન હતો.
સાગરની જેમ ગાજતે અને ગર્જતે એ સંઘ, અનેક જગ્યાએ પડાવ નાંખતે આગળ વધવા લાગ્યો. સિદ્ધરાજે અને સકળ સંઘે શત્રુજય અને ગિરનાર બને તીર્થોની ભક્તિપૂર્વક યાત્રા કરી. સેવાShree Sudharmaswami Gyanbhandar-Umara, løvrnatumaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
પૂજા પણ કરી. ગિરનારમાં જિનભક્ત એવા સાજન મસ્ત્રીની કુશળતાથી ગિરનાર તીર્થનો જિર્ણોદ્ધાર સિદ્ધરાજે પોતાના ખર્ચે કરાવ્યો.
ત્યાંથી હેમચન્દ્રાચાર્યજી, સિદ્ધરાજ અને શ્રી સંઘ સોમનાથ આવ્યા. સોમનાથના મંદિરમાં મહાદેવ (શિવજી)ના દર્શન કરતાં સૂરિદેવ અર્થગંભીર સ્તુતિ બેલ્યા હતા;
"यत्र तत्र समये यथा तथा योऽसि सोऽत्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान्
* ઇવ મવન | નમોડસ્તુ તે ” [ અર્થ: ગમે તે સમયે, ગમે તે રીતે, અને ગમે તે નામવડે જે વીતરાગ અર્થાત્ રાગદ્વેષાદિ પાપોથી સર્વથા રહિત છે, તે વીતરાગ એક જ છે. અને તે તું હો તો, હે ભગવાન! તને મારા નમસ્કાર હો.] "भवबीजाकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।" [ અર્થ: સંસારના બીજાંકુરને પેદા કરનારા (અર્થાત્ ભવ પરંપરાને વધારનારા) રાગ-દ્વેષ-મહાદિ દોષે જેના ક્ષીણ થઈ ગયા છે, એ પછી–બ્રહ્યા છે, વિપશુ છે, મહાદેવ હો કે જિન હે–ગમે તે હો, તેમને મારે નમસ્કાર થાઓ.]
હેમચન્દ્રાચાર્ય મહાગીતાર્થ (શાસ્ત્રમર્મર). Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
હેમચદ્રાચાય
પુરુષ હતા. જૈનદર્શનના ઉત્સ-અપવાદ માના સમર્થ જાણુકાર હતા. આથી કયા સમયે, કયી પ્રવૃત્તિ સમ્યગ્ છે કે અસમ્યગ્ , તેના યથાયેાગ્ય વિવેક અવશ્ય કરી શકતા. અલબત્ત સાધારણ કક્ષાના સાધુએ કે સ`સારીએ તેમનુ અનુકરણ કરી શકે નહિ.
૪૯
ગમે તેમ, પણ હેમચન્દ્રાચાય ની ઉદાર અને વિશાળ મનેાવૃત્તિના કારણે સિદ્ધરાજ જીવનના અંત સુધી તેમના પ્રખર આદર કરતા રહ્યો. સૂરિદેવને તેણે પેાતાના પરમ કલ્યાણમિત્ર અને સન્માર્ગ દર્શક તરીકે સ્વીકાર્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
=== = = = = = = = રાજા કુમારપાળને પ્રતિબંધ AAAAAAAAAA
પુત્રપ્રાપ્તિની સિદ્ધરાજની ઝંખના જીવનના અંત સુધી અધૂરી જ રહી. તેને પુત્ર ન જ થયે. તેથી તેનું મન વારંવાર વિષાદયુક્ત બની જતું હતું. તેને અંબિકાદેવીની ઉપાસના દ્વારા જાણ થઈ હતી કે, “હે સિદ્ધરાજ ! તને પુત્ર નહી થાય અને તારા પછી તારી ગાદીએ કુમારપાળ આવશે.”
કુમારપાળ પિતાના પછી રાજા બને તે વાત સિદ્ધરાજને મંજૂર ન હતી. તેથી કુમારપાળને મરાવી નાંખવા સિદ્ધરાજે ઘણું પ્રયત્ન કર્યા હતા. પણ સિદ્ધરાજના દરેક પ્રયત્નને કુમારપાળે નિષ્ફળ બના
વ્યા અને લલાટના લેખ સિદ્ધ થઈને જ રહ્યા. કુમારપાળને સંરક્ષતા સૂરિવર્થ
કુમારપાળને સિદ્ધરાજના ભયથી સદા નાસતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૫૧
ભાગતા રહેવું પડતું. એક સમયની વાત છે. કુમા૨પાળ ત્રણસે તાપસેના ટાળામાં તાપસ વેશે પાટણ આવ્યા હતા.
પરંતુ કુમારપાળના પગમાં રહેલી રાજ રેખાએના કારણે સિદ્ધરાજના ગુપ્તચરોને વહેમ પડયો. કુમારપાળને પકડવા માટે સિપાઈઓ દોડયા. પણ કુમારપાળ છટકી ગયા. ભાગીને તે સીધા હેમચન્દ્રાચાર્યજીના ઉપાશ્રયે આવ્યા. ત્યારે કુમારપાળને ભયભીત જાણુંને, સર્વસત્વસાધારણું કરુણાના સાગરસમાં સૂરિદેવે તેમને તાડપત્રોના ઢગલાની વચ્ચે સંતાડી દીધા. આખી રાત કુમારપાળ ત્યાં રહ્યા અને વહેલી પરોઢે સૂરિદેવની સલાહ મુજબ તેઓ ગુપ્ત વેશે નાસી છૂટયા.
આ પછી આચાર્યદેવે પાટણથી વિહાર કર્યો. સૂરિવરની લોકહિતકારી ધર્મોપદેશની પાવનગંગા ગુજરાતના ગ્રામ-નગરોમાં વહેવા લાગી. સૂરિદેવ ફરતા ફરતા ખંભાત આવી પહોંચ્યા. ખંભાતમાં જે પૌષધશાળામાં સૂરિવર બિરાજમાન હતા, ત્યાં તો જ્ઞાનપ્રેમી સજજનેની વિરાટ ભીડ જમા થતી. જાણે કઈ મહાવિદ્યાલય ન હોય, તેવું દય સજતું હતું. સૂરિજીની ભવિષ્યવાણી
એક વખત કુમારપાળ ખંભાત આવી ચઢયા. ગુપ્તવેશે રાતના સમયે તે સૂરિદેવને મળવા આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૨ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
સામુદ્રિક શાસ્ત્રના જાણકાર સૂરિજીએ કુમારપાળના લક્ષણે જોઈને તેને જણાવ્યું કે, “હે કુમારપાળ ! તમારા ઉજજવળ દિવસે હવે નજદિકમાં જ છે. આજથી સાતમા વર્ષે તમે રાજા થશે. વિક્રમ સંવત ૧૧૯૯ના માગસર વદ ચેાથ અને રવિવારે ત્રીજા પહોરે પુષ્ય નક્ષત્રમાં તમારો રાજયાભિષેક થશે. *
આવી ચક્કસ અને સચોટ આગાહી સૂરિદેવે કરી તે સાંભળીને કુમારપાળ પ્રસન્ન થયા. અને તેણે જણાવ્યું કે, “સૂરિવર્ય! જે આપની આગાહી સાચી પડશે અને હું રાજા થઈશ તે, આપને મરા ગુરુ તરીકે સ્થાપિત કરીશ. પણ હા...તે માટે મારી બે શરતે છે. એક, હું શિવજીને કટ્ટર ભક્ત છું. તેથી તમારે મને “જેને બનાવવાનો પ્રયત્ન કરવો નહિ, અને બીજી, તમારે મને માંસાહાર છેડવાની વાત કરવી નહિ, કેમકે માંસ મને અતિ પ્રિય છે.”
ત્યારે સૂરિદેવે કહ્યું : “ કુમારપાળ ! આવી શરતે કરવાની કોઈ જરૂર નથી. એ તે જ સમયે, જે એગ્ય હશે તે થશે.”
ત્યારબાદ મન્ની ઉદયન સાથે કુમારપાળને પરિચય કરાવીને તેને સંપૂર્ણ સહાયતા કરવાની ખાસ સૂચના સૂરિદેવે ઉદયનને આપી.
કુમારપાળે કરેલી શરતે ઉપરથી સમજી શકાય છે કે તેનું જીવન મિથ્યાત્વ અને અવિરતિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૫૩
કેવા ભીષણ સકંજામાં ભીંસાયેલું હતું છતાં, આવા પુરુષને પણ પોતાની જ્ઞાનપ્રતિભા અને સંયમશુદ્ધિના પ્રબળ સામર્થ્યથી હેમચન્દ્રાચાર્યે “પરમાઈ ની કક્ષા સુધી લાવી મૂક્યો. આ વાત હેમચન્દ્રસૂરિજીના પ્રખર અને પનેતા પ્રભાવનું પ્રતીક છે. કુમારપાળને રાજ્યાભિષેક
હેમચન્દ્રાચાર્યની ભવિષ્યવાણી સાચી પડી. સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ બાદ, છેલ્લાં સાત-સાત વર્ષને કાળ કપરા સંકટમાં પસાર કરીને, અંતે વિ. સં. ૧૧લ્માં કુમારપાળ ગાદીએ આવ્યા. સૂરિદેવે ભાખેલી તિથિ, વાર અને નક્ષત્ર સમયે જ કુમારપાળને રાજયાભિષેક થયો.
સિદ્ધરાજના અવસાન બાદ, તેના અમાત્યાએ જ કુમારપાળની રેગ્યતા જોઈને તેને રાજા તરીકે. પસંદ કર્યા.
પચાસ વર્ષની ઉમ્મરે તેઓ રાજા બન્યા.
કુમારપાળને પોતાના પ્રાણુરક્ષક જીવનદાતા હેમચન્દ્રાચાર્ય પ્રત્યે અથાગ બહુમાન હતું. તેથી તેણે ખાસ વિનંતી કરી અને તેથી હેમચન્દ્રસૂરિજી પાટણ પધાર્યા.
કુમારપાળે સૂરિદેવનું ભારે બહુમાન કર્યું. તેમને નમસ્કાર કરીને કહ્યું: “આચાર્ય વર ! આપે તો મને જીવનદાન આપ્યું છે. વળી આપની આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૪ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
ગાહી સંપૂર્ણ સાચી પડી છે. માટે આ રાજ્ય આપનું જ છે. આપ તેને સ્વીકાર કરે. અને મને ઋણમુક્ત કરે.” ત્યારે હેમચન્દ્રાચાર્યે કહ્યું: “ હે રાજન ! અમે તે સંયમી સાધુ છીએ. પંચ મહાવ્રતના પાલણહાર છીએ. અમને ધન, સંપત્તિ કે સત્તાને પરિગ્રહ ન ખપે. પરંતુ તમે તમારા રાજ્યમાં અહિંસાનું સામ્રાજ્ય સ્થાપો. તે અમે ખૂબ પ્રસન્નતા પામીશું.”
પરંતુ કુમારપાળ સમગ્ર રાજયમાં અમારિની ઘાષણું ત્યારે જ કરાવી શકે...કે જયારે તે પોતે માંસાહારને ત્યાગી બને. સૂરિદેવ આ માટે કોઈ સુયોગ્ય તકની પ્રતીક્ષામાં હતા અને એ તક એક સમયે સાંપડી ગઈ. સુરિદેવ સાથે સેમનાથયાત્રા
પ્રભાસ પાટણના સોમનાથ મહાદેવના મંદિરનો જિર્ણોદ્ધાર કરીને તેને પત્થરનું ભવ્ય મંદિર બનાવવા માટે પૂજારીઓએ કુમારપાળને વિનંતી કરી. ત્યારે તેણે સૂરિદેવને પૂછયું : “ ગુરુદેવ ! આપ જાણે છે કે હું શિવજીને ભક્ત છું. મારા ભગવાનનું મન્દિર જલદી પૂર્ણ થાય અને નિર્વિને બની જાય તે માટે હું શું કરું ?”
ત્યારે સમયજ્ઞ સૂરિદેવ બોલ્યા: “ રાજની આ માટે તે કાં તે તમારે પૂર્ણ બ્રહ્મચર્ય—ત્રત લેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18wrivatumaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
હેમચદ્રાચાય
[ ૫૫
જોઇએ અથવા તમને ખૂબ વહાલી જે ચીજ હોય તે છેાડવી એઈએ. તા વિઘ્નાના વાદળાં
વિખેરાઈ
""
જાય.
કુમારપાળે પેાતાને અતિ પ્રિય માંસના-જયાં સુધી મન્દિર નિર્માણનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધીત્યાગ કર્યાં, બે વર્ષમાં જ મન્દિરના પુનરુદ્ધાર પૂર્ણ થયેા. ત્યારે વિનયી કુમારપાળે ગુરુદેવને પૂછ્યું : ગુરુદેવ ! હવે તા હું માંસ ખાઇ શકું ને ? મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ છે. ”
''
ત્યારે અતિકુશળ આચાય માલ્યા : “ જ્યાં સુધી સામનાથના શિવજીના દર્શન ન કરે ત્યાં સુધી તમે આ પ્રતિજ્ઞા છેડા તે ઉચિત નથી.”
કુમારપાળને આ વાત યેાગ્ય લાગી. તેણે પે તાના પુરાહિતાને જણાવ્યુ.....ત્યારે તે, જિનધર્માંના પરમાપાસક આ જૈનાચાય શિવજી પ્રત્યે આટલે આદર કેમ દર્શાવે છે.” તે માટે નવાઈ પામ્યા. પણ તેમણે વિચાર્યું' કે, ‘ને આ આચાય કુમારપાળને ‘પેાતાના' બનાવવા માટે જ આવી ચાલબાજી રમતા હાય તે આપણે તેમને ઉઘાડાં પાડી દઇશું.”
પુરોહિતેાએ કહ્યું : “ રાજન્ । આચાય શ્રીની વાતા તા ઘણી સારી છે. આપે જરૂર સામનાથન યાત્રાએ જવુ જોઇએ, પણ તે માટે આપે સૂરિવરને પણ સાથે જ લેવા રહ્યા.
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૬ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
રાજાએ જયારે સૂરિદેવને પણ સાથે જ સેમનાથયાત્રા પ્રસંગે પધારવા વિનંતી કરી ત્યારે સૂરિવરે તેને સ્વીકાર કર્યો. તે જાણુને પુરોહિત ખરેખર સ્તબ્ધ બની ગયા.
સોમનાથ મહાદેવનું મન્દિર દેવવિમાન તુલ્ય ભવ્યતાને પામ્યું હતું. શત્રુંજયની યાત્રા કરીને સરિદેવ સોમનાથ પધારી ગયા. ત્યારે કુમારપાળની સાથે, રાજાની વિનંતીથી સૂરિદેવે મહાદેવની સ્તુતિ કરતાં “પત્ર તત્ર સમજે.” અને “ભવવગર ગાના.”
લોકે ઉચ્ચાર્યા અને મહાદેવને (નિશ્ચયથી તે વીતરાગદેવને) નમસ્કાર કર્યા. .
કુમારપાળને સૂરિદેવની આ સમદર્શિતા અને નિષ્પક્ષવૃત્તિના કારણે અતિશય બહુમાન પેદા થઈ ગયું.
મંદિરના ગભારામાં કુમારપાળે સૂરિવરને પૂછયું : “ગુરુદેવ! મહાદેવ જે આ જગતમાં કેઈ દેવ નથી. આપના જેવા કે ગુરુ નથી. અને
. એક મતાનુસાર આ બન્ને કલેકે સિદ્ધરાજ સાથેની સોમનાથયાત્રામાં હેમચન્દ્રાચાર્ય બેલ્યા છે. અન્ય મતે, કુમારપાળ સાથેના ઉક્ત પ્રસંગે સૂરિદેવ આ લોકે બેલ્યા છે. અને રાજાઓ સાથે સૂરિ ચાત્રા કરી હોય, અને બન્ને વખતે આ કલેકે બોલ્યા હોય, તેમ પણ અસંભાવ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૫૭
મારા જે કઈ તત્વાથી (તત્વજિજ્ઞાસું) નથી. કે ભવ્ય થયો છે આ ત્રિવેણી સંગમ ! તે આપ મને કહે કે, બધા ધર્મો પરસ્પર વિરોધી વાત કરે છે તે તેમાં સાચું શુ ?”
ત્યારે સૂરિદેવે જણાવ્યું : “આ બધી શાસ્ત્રચર્ચાઓને કેાઈ અંત નથી. અને તેને અત્યારે અર્થ પણ નથી. પરંતુ તારો આ સવાલ તું શિવજીને પૂછી લે. તેઓ તે અવશ્ય સાચા જવાબ આપશે ને ? હું મજાપ કરું છું. અને તું તેમના ઉપર કપૂર નાંખતે રહે. અને હમણાં જ શિવજી પ્રગટ થશે.”
બસ...સૂરિવયે મત્રજાપ શરૂ કર્યો. અને થેડી જ ક્ષણેમાં એક દિવ્ય વર્તુળ પેદા થયું. એક તેજપુજમાંથી શિવજી (મહાદેવ) પ્રગટ થયા. ગળામાં સર્ષ ! સપના માથે ફણું ! માથામાંથી ઉઠતી ગગાની ઉદ્દગમ જલધારા ! સૂરિદેવ બેલ્યા : “આ રહ્યા મહાદેવ શિવજી ! રાજન ! તમે તમારા પ્રશ્ન પૂછી લ્યો. ”
કુમારપાળે પૂછ્યું: “મહાદેવજી ! સાચા ધર્મ કર્યો ?”
ત્યારે મહાદેવજીએ કહ્યું: “રાજન ! તને ધન્ય છે. તારી તત્ત્વજિજ્ઞાસાને પણ ધન્ય છે. જે
ખરેખર તું સાચો ધર્મ જાણવા ઈચ્છતા હોય તે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urvatumaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
તારા સદ્દગુરુની જ તું ઉપાસના કર. તેઓ જ તને સદ્ધર્મને રાહ ચીંધશે. તારા આ ગુરુ સંયમી શિરોમણું છે. પ્રત્યક્ષ પરમબ્રહ્ના છે. તેમની સેવાથીઆશાના સ્વીકારથી-તું તારે આ જનમ સફળ કરી શકીશ.'
કુમારપાળને માંસાહારત્યાગ
બસ આટલું કહીને શિવજી અન્તર્ધાન થઈ ગયા. ત્યારબાદ કુમારપાળે હેમચન્દ્રાચાર્યને કહ્યું : “બસ ગુરુદેવ! હવે તો આપ જ મારા ગુરુ છે. મારા જેવા પતિતના પાવન-સમુદ્ધારક છે.”
આ સમયથી કુમારપાળે હેમચન્દ્રજીસૂરિને પિતાના પરમકલ્યાણમિત્ર સદગુરુ તરીકે, જીવનના સમુદ્ધારક સર્વસ્વ તરીકે, સ્વીકારી લીધા પછી તેણે પૂછયું : “ગુરુદેવ ! આપે સિદ્ધરાજથી મને બચાવ્યા અને જીવનદાન આપ્યું....મારે આ ભવ સુધાર્યો. હવે આપ મને સદ્ધર્મનું દાન કરો અને મારો આત્મા સુધારે. મારા પરભવને પણ સુધારો.”
આ સમયે, સમયજ્ઞ સૂરીશ્વરે, જેમ તપેલા લેઢા પર કુશળ લુહાર ઘા ઝીંકી દે છે તેમ, કુમારપાળને જણાવ્યું: “સદ્ધર્મ પામવા માટે સૌથી પહેલાં, હે રાજન્ ! તમે માંસભક્ષણને જીવનભર સંપૂર્ણ ત્યાગ કરે.”
અને કુમારપાળે ગુરુવાણુને, ચાતક જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૫૯
મેઘજળને પીએ તેમ, અંતરમાં ઉતારી લીધી. ગુરુઆદેશ અનુસાર કુમારપાળે માંસાહારત્યાગની પ્રતિજ્ઞા લઈ લીધી. એટલું જ નહિ, ગુરૂઆદેશના પ્રતાપે માંસ, મદિરા, જુગાર, શિકાર, ચેરી અને અસત્ય-આ સઘળા પાપ કુમારપાળે તજી દીધા.
આ પછી તે ધીરે ધીરે હેમચન્દ્રાચાર્યના સત્સંગની અને સમેત્રીની એવી પ્રચંડ અસર કુમા૨પાળ ઉપર થઈ, કે સિદ્ધરાજ અને હેમચન્દ્રસૂરિજીની સમૈત્રી કરતાં પણ તે જબરજસ્ત પૂરવાર થઈ. ગુજરાતની ધરતીને અહિંસાથી મઢી દેવામાં, નાનામાં નાની જને મારનારને પણ સખત શિક્ષા કરવા દ્વારા અહિંસાને ગુજરાતમાં-આજ દિન સુધી વ્યાપક બનાવવામાં કુમારપાળ દ્વારા હેમચન્દ્રસૂરીશ્વરજી મહાન સિદ્ધિ હાંસલ કરવામાં સફળ બન્યા હતા.
કુમારપાળ જૈન બન્યા. ચુસ્ત શ્રાવક બન્યા. સમ્યગ્દર્શન પામ્યા. તે અંગે પણ ચમત્કાયુક્ત કથા પ્રચલિત છે. દેવબોધિ દ્વારા ચમકાર
દેવબોધિ નામને એક પંડિત મત્ર-તત્ર અને ગવિદ્યાને પ્રખર જાણકાર હતે. તેને જેનધર્મ પ્રત્યે ભારે દ્વેષ હતે. કુમારપાળ હેમચન્દ્રાચાર્ય તરફ વિશેષ પ્રીતિ ધરાવતા અને જૈન ધર્મ તરફ
અનુરક્ત થયા છે તે જાણીને તેને ખૂબ અકળામણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૦ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
થઈ. તે પાટણ આવ્યો અને વિવિધ ચમત્કારે દ્વારા પાટણની પ્રજાને મેહિત કરવા લાગ્યા. કુમા૨પાળે પણ તેને રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું.
તે કુમારપાળની રાજસભામાં આવ્યા. તે જે રીતે આવ્યું તે જોઈને રાજા અને સમાજને આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા. એ પાલખીમાં બેઠે હતો. કમળની કામળ નાળના દંડવાળી તે પાલખી હતી. કેળના પાંદડાંઓનું આસન હતું. કાચા સૂતરના તાંતણે તે બંધાયેલી હતી. આઠ વર્ષના બાળકેએ તેને ઊંચકી હતી. તેમાં કદાવર કાયાવાળે પંડિત દેવધિ વિરાજિત થયે હતે. ગવિદ્યાના પ્રભાવથી તેણે પોતાની કાયાને હલકી ફુલ જેવી બનાવી દીધી હતી. દેવબોધિએ બીજા પણ અનેક પ્રયોગ કરીને રાજસભાને આશ્ચર્યયુક્ત કરી મૂકી
રાત્રિનિવાસ તેણે ત્યાં જ કર્યો. દેવબોધિએ રાજા સાથે ધર્મચર્ચા કરતાં કહ્યું : “રાજન્ ! જેને વેદોને “અપ્રમાણુ” (ખાટાં) માને છે. તેથી તમારે જેનોને કે જેનાચાર્યોને બહુમાન આપવું ન જોઈએ.”
ત્યારે કુમારપાળે સાફ કહ્યું : “પંડિતજી ! વેદોમાં પરસ્પર ઘણે વિસંવાદ (અગડ બગડ) આવતે હોવાથી હવે મને વેદો પ્રત્યે બહુમાન ર
નથી.”
તત્વચર્ચામાં દેવધિ ન ફાવ્યો, તેથી તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૬૧
ફરી ચમત્કારો બતાવવા માંડ્યા. દેવબોધિએ બ્રહ્મા વિષણુ અને મહેશને સાક્ષાત્ હાજર કર્યા. મૂળરાજ વગેરે કુમારપાળના સાત પેઢીના પૂર્વજોને–તેના માતા પિતાને પણ સદેહે હાજર કર્યા. અને તે સહુએ કુમારપાળને કહ્યું: “બેટા ! તે આપણે કુલધર્મ (કુળ પરંપરાથી ચાલ્યો આવતે વૈદિક ધર્મ) છેડી દીધું અને જૈન ધર્મ સ્વીકાર્યો છે તે ગ્ય કર્યું નથી. તારે વેદોને જ પ્રમાણ (સાચા) માનવાં જોઈએ.”
આ બધાં દશ્યો જોઈને કુમારપાળ ખૂબ મુંઝવણમાં પડી ગયા. તેમણે મત્રીશ્વર વાગભટ્ટને બધી વાત કરી અને છેલે પૂછયું : “મારા ગુરુદેવ પાસે આવા કેઈ ચમત્કાર હશે ખરા ?”
“મારા ગુરુ” આ શબ્દો સાંભળતાં જ મસ્ત્રીશ્વર પુલક્તિ બની ગયા. તેમને થયું : “ગમે તે થયુ હેય પણ હેમચન્દ્રસૂરિજી પ્રત્યે કુમારપાળનું મમણે ત્વ-બહુમાન–અવિચલ છે. અને તેથી ચોકકસ તેને પુનઃ જિનધર્મમાં સ્થિર કરી શકાશે.”
મન્ચીશ્વર તરત સૂરિદેવ પાસે ગયા. અને તેમણે દેવબોધિના ચમત્કાર વગેરેની વાત કરી. કુમારપાળના મનનું સમાધાન કરવા માટે સૂરિદેવે મસ્ત્રીને જણાવ્યું કે : “મત્રીશ્વર ચિંતા કરવાની જરાય જરૂર નથી. આવતીકાલે રાજાને પ્રવચન સાંભળવા મારી પાસે લઈ આવજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૨ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
હેમચન્દ્રાચાર્ય દ્વારા સવાઈ ચમત્કારે
બીજે દિવસે કુમારપાળ, મત્રીશ્વર વગેરે સહુ પ્રવચન સાંભળવા ઉપાશ્રયમાં આવ્યા ત્યારે સૂરિદેવ હેમચઢે સાત પાટે ગોઠવડાવી. અને તેની ઉપર બેસીને પ્રવચન આપવા લાગ્યા. પછી શિષ્ય દ્વારા–એક પછી એક-એમ પાટે ખસેડાતી ગઈ. આમ સાતે ય પાટે જયારે ખસેડાઈ ગઈ ત્યારે આકાશમાં અદ્ધર–કઈ પણ જાતના આધાર વગર બેઠેલા આચાર્યદેવે દોઢ પ્રહર સુધી ધર્મદેશના આપી. કુમારપાળ તો આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયો.
દેવધિ કરતાં પણ આ દશ્ય તે અતિશય આશ્ચર્યકારક હતું... કેમકે દેવાધિ તે પાલખીમાં કેળના પાંદડા ઉપર બેઠા હતા, જયારે સૂરિદેવ તે સાવ જ અદ્ધર બેઠા હતા.
ધર્મદેશના પૂરી કરીને હેમન્દ્રસૂરિજી નીચે પિતાના આસને બેઠા. થોડી વારમાં તે ઉપાશ્રયની બહાર વાજાં વાગવા લાગ્યા. કુમારપાળે પૂછ્યું : “ગુરુદેવ! આ શેને અવાજ છે?”
સરિદેવ બેલ્યાઃ “ચવીશ તીર્થંકર અહીં પધારી રહ્યા છે. મૂળરાજ વગેરે તારા એકવીશ પેઢીના પૂર્વજે પણ અહીં તને મળવા આવે છે.”
અને...ખરેખર! આ બધા જ ત્યાં પધાર્યા. અને તે સહુએ રાજાને કહ્યું: “બેટા ! તેં જે અરિShree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
હત પ્રભુનો ધર્મ સ્વીકાર્યો છે તે ખૂબ જ સરસ કર્યું છે. તેને જે ગુરુ મળ્યા છે તે અતિ ઉત્તમ છે. માટે તું સદ્ધર્મ એવા જિનધર્મથી ચાલત થઈશ
નહી. એ
- કુમારપાળની મુંઝવણને પાર ન રહ્યો. તેમણે કહ્યું : “ગુરુદેવ! મને દેવાધિ દ્વારા આવેલા પૂર્વજે કહે છે કે, “શિવધર્મ પાળજે.' અને આપના દ્વારા આવેલા પૂર્વજો કહે છે કે “જિનધર્મ પાળજે. તે આ બધામાં સાચું શું?”
ત્યારે હેમચન્દ્રાચાર્યે કહ્યુંઃ “રાજન ! દેવધિ દ્વારા સર્જાયેલા દો કે મારા દ્વારા સર્જાયેલા દ-બેમાંથી એકે સાચાં નથી. આ બધી માયાજાળ છે. ઈદ્રજાળ છે. સાચું માત્ર તે જ છે કે.. જે તમને સામેશ્વર મહાદેવે કહ્યું હતું. માટે તમે જે જિન ધર્મ પામ્યા છે તેમાંથી ચલાયમાન થવાની જરૂર નથી.”
આ પ્રસંગ બાદ..કુમારપાળના મનનું સમાધાન થઈ ગયું. તેઓ નિર્મળ સમ્યગ્દષ્ટિ બન્યા. જિનવચનમાં તેમને વિશ્વાસ ચેલમજીઠના રંગ જે બની ગયો. ત્યારબાદ તેઓ ઉત્તમ દેશવિરતિધર શ્રાવક બન્યા. એટલું જ નહીં, એક સમયે તેઓ એવી સિદ્ધિ પામ્યા કે સૂરિદેવ હેમચને તેમને
પરમાહ” [પરમ શ્રાવક] અને “રાજર્ષિ” [રાજા છતાં ઋષિ જેવા માનવંતા બિરુદથી સન્માન્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૪ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક કુમારપાળની પ્રભુ-પ્રાર્થના
સૂરીશ્વર હેમચન્દ્રના પુનિત પ્રતાપે કુમારપાળને જિનધર્મ પ્રત્યે કે અવિહડ પ્રેમ જ હતો તે તેમની નીચેની પ્રાર્થના ઉપરથી સમજી શકાય
" विषयानुबन्धबन्धुर-मन्यन्न किमप्यतः फलं याचे । પુછાળે ગન્મનિ, ગિનમતા પરત્રા ” અર્થાતુ-“જેના દ્વારા વિષયની પરંપરાનું સર્જન થાય તેવા કોઈ સુંદર (ભૌતિક રીતે સરસ) અન્ય કેઈ ફળની હ, હે પ્રભે! યાચના કરતા નથી.
હું તે, પ્રભે! નવા જન્મમાં પણ એક માત્ર જિનમતના અનુરાગને પામું એ જ ઈચ્છું છું.”
આ ઉપરાંત, કુમારપાળની વિદ્વત્તાના પ્રતીક સમી, તેણે સ્વયં રચેલી “આત્મનિન્દા-દ્વાત્રિશિકા” ની છેલી–તેત્રીશમી સ્તુતિ પણ અતિશય ભાવવાહી છે અને કુમારપાળના જિનવચન પ્રત્યેના અવિહડ આદરભાવને અનુપમ રીતે રજૂ કરે છે. આ રહી તે સ્તુતિઃ પ્રાપ્ત agfમ: સુમતિ -સૂકામળિયેંચતા, निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रमुः । तन्नात: परमस्ति वस्तु किमपि
तवापतोऽभ्यर्थये Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૬૫
किन्तु त्वद्वचनादरः प्रतिभवं
स्ताद् वर्धमानो मम ॥
(શાર્દૂલવિક્રીડિત) અર્થાત્“ઘણું પુણ્યના ઉદયથી મને તારા જેવા ત્રણ જગતના ચૂડામણિ-સમાન “દેવ” પ્રાપ્ત છે!! અને નિર્વાણ (મોક્ષ)ને અપાવી શકવામાં સમર્થ આ ગુરુ શ્રી હેમચન્દ્રસૂરિજી મળ્યાં છે !! આનાથી ચડિયાતી કઈ ચીજ આ દુનિયામાં નથી, કે જેની હું તારી આગળ માંગણી કરુ! હા !! માત્ર એટલું માગું છું કે ભવભવને વિષે મારે તારા વચન પ્રત્યે આદરભાવ સતત વર્ધમાન (વધતે જતો) બની રહે. ”
પ્રભુ પ્રત્યેની આ પ્રાર્થનાઓમાં કેવો અદ્દભુત ઝગારા મારી રહ્યો છે ? રાજા કુમારપાળને વાંછનીય જિનમતપ્રેમ !
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
[ ૭]
પતિત માંથી “પરમહંત'
કુમારપાળને જૈનદર્શનને સ્વાદુવાદ (અનેકાંતવાદ) ખૂબ ગમી ગયે હતે. સ્યાદવાદ ને સિદ્ધાંત અને સ્યાદવાદ-શૈલીના જીવંત સમારાધક સૂરિશ્રીના સત્સંગના કારણે કુમારપાળ પનોતા પ્રભાવક પુણ્યપુરુષ બન્યા.
આ સિવાય અન્ય કારણમાં–કુમારપાળને રાજગાદી મળી ત્યારે તેની વય પચાસ વર્ષની હતી. ત્યાર બાદ લગભગ બીજા કેટલાક વર્ષો તેને રાજકીય સ્થિરતા પ્રાપ્ત કરવામાં ગયા. આ બધા વર્ષોમાં હેમચંદ્રાચાર્યનો સત્સંગ અને ચૌલુકયવંશની પરંપરાની પણ અસર તેના ઉપર થઈ હતી. રાજકાજમાં તેને મળેલા ઉદયન, આમભટ્ટ અને વાગૂભટ્ટ વગેરે મંત્રીએ ચુસ્ત જેન હતા. અને હેમચંદ્રસરિજીના ભક્ત હતા. આ બધાના કારણે પણ હેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
હેમચ'દ્રાચાય
[ ૬૭
ચન્દ્રાચાય પ્રત્યે કુમારપાળનું આકષ ણુ વધુ રહ્યું. સતત આચાર્ય શ્રીના સત્સંગના કારણે તે પરમ અહિંસાપ્રેમી અને વૈરાગી બની ગયા હતા.
કુમારપાળ દ્વારા અમારિનું પ્રવતન
..
“ સગઠ્ઠો દિકરિ નીવયા ’’- સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિના માર્ગ જીવદયા જ છે, તેથી તેનું જ તું પાલન કર-હેમચન્દ્રાચાય ના આ ઉપદેશને કુમારપાળે જીવનમાં વણી લીધા. પરિણામે કુમારપાળ જીવ માત્ર પ્રત્યે કરુણાના સાગર બની ગયે. અન્ય જીવાની પીડાને સ્વયં અનુભવતા આ રાજન્ રાજા મટીને રાષિ' ખની ગયા.
જે ખેલી શકતા નથી તેવા મૂંગા પ્રાણીઓના વધ થતા અટકાવવા માટે, કુમારપાલે ખાસ આદેશે! (વટહુકમા) બહાર પાડયા હતા. ગુજરાતના કવિ નાનાલાલના શબ્દોમાં કહીએ તા – જે જન્મે તેને જીવવાના હકક–આ શબ્દોને “ અમારિધેાષણા ” દ્વારા કુમારપાળે યથાર્થ ઠરાવ્યા હતા. અને એ રીતે ગુજરાતભરમાં પ્રેમ અને અહિંસાનુ` તેમણે સામ્રાજ્ય સ્થાપ્યું હતું.
રાજા કુમારપાળના અઢાર રાજ્યામાં–સવ ત્રજીવહિંસા ઉપર સખત પ્રતિબંધ હતા. એક વાર એક પ્રસગ બન્યા.
એક સ્ત્રીએ પેાતાના માથામાંથી જ કાઢીને શ્ તેના પતિને આપી. પતિએ તે જૂને મારી નાંખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
અને બોલ્યો : “લે ! આ જૂ મારી નાંખી. પેલે કુમારપાળ મને શું કરી નાંખવાનો છે ?”
રાજાના ગુપ્તચરે આ વાત સાંભળી ગયા. તે જ મારનારા લાખપતિ શેઠને પકડવામાં આવ્યા. તેનું તમામ ધન રાજાએ લઈ લીધું અને તેમાંથી “ ચુકાવિહાર ” નામનું જિનમન્દિર બંધાવાયું.
રાજા કુમારપાળે પોતાના અઢાર રાજ્ય ઉપરાંત બીજા ચૌદ રાજાઓના રાજ્યોમાં પણ મૈત્રીના સંબંધ કે અઢળક ધનદાન કરીને તે રાજ્યોમાં પણ સંપૂર્ણ “અમારિનું પ્રવર્તન કરાવ્યું હતું. એક સમયના માંસાહારલક્ષી કુમારપાળનું આ કેવું આહૂલાદપ્રેરક અને અનુમોદનીય જીવન પરિવર્તન ! મકડાની પણ જીવરક્ષા કરતા રાજા
એક વાર રાજા કુમારપાળે પૌષધવ્રત આરાધ્યું. તેમના હાથ ઉપર એક કેડે ચાંટી ગયો. તેને દૂર કરવા તેમણે પ્રયત્ન કર્યો. બીજા શ્રાવકે જ્યારે તેને ખેંચી લઈને દૂર કરવા તૈયાર થયા ત્યારે કુમારપાળે તેને અટકાવ્યા, કારણ કે તેમ કરવામાં સંકેડે મરી જવાને સંભવ હતો. તેમણે તરત એક ધારદાર છરી મંગાવી અને જાતે જ તેટલી ચામડી ઉતરડી લીધી. અને ચામડી-સહિત મંકેડાને દૂર મૂકીને તેને જીવનદાન આપ્યું.
ગુજરાધિપતિ કુમારપાળ પાસે અગિયાર લાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
ઘડાઓ હતા. આ તમામ ઘેડાઓને કુણઘેર ગામમાં (જે આજે ય પાટણ પાસે વિદ્યમાન છે) રખાતા. ત્યાં વિશાળ અશ્વશાળાઓ હતી. આ તમામ ઘેડાએને ગાળેલું જ પાણી પીવડાવવાની ગોઠવણ કરવામાં આવી હતી. દરેક ઘોડાની પલાણ ઉપર એક પૂંજણું બાંધવામાં આવતી. પૂજણ દ્વારા પલાણને પૂજા બાદ જ તેની ઉપર અસ્વાર સવાર થઈ શકતો. રાજાની આ આજ્ઞાને ચુસ્તતાપૂર્વક અમલ કરવામાં આવતે હતે. દયાળુ છતાં સત્ત્વશાળી કુમારપાળ
નિર્દોષ જીવેની સદા રક્ષા કરતા કુમારપાળ અવસર આવે, રાજ્યના શત્રુઓની સામે તલવાર ચલાવવામાં જરા ય ઉણા ઉતરતા ન હતા.
એક વખત તેમને યુદ્ધમાં ઘડાની પલાણને પંજણીથી પૂજતા અને નાના જીવોની રક્ષા કરતા જોઈને એક રાજપૂત હસી પડશે અને બોલ્યો : “આ દયાળુ રાજા શત્રુઓને શી રીતે મારી શકશે ?
આ વાત કુમારપાળ સાંભળી ગયા. અને તેઓ બાલ્યા: “આ કુમારપાળનું સત્ત્વ તારે જેવું છે? તે લે જે.” આમ કહીને રાજાએ પોતાના જ પગ ઉપર તલવારને ભાલો ઝીકી દીધો. લેહીની સેર વછૂટી. પણ કુમારપાળનું મુખ મલકી રહ્યું હતું. પછી તેમણે કહ્યું : “જે કુમારપાળ નિર્દોષ અને અબાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૦ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
પ્રાણુઓની દયા અને રક્ષા કરી શકે છે, તે જ કુમારપાળ અવસર આવે રાજ્ય, ધર્મ, સંસ્કૃતિ અને નિર્દોષ પ્રજાજનેના દુશમનના માથા પણ વાઢી શકે છે, એ ભૂલીશ નહિ. રાજર્ષિ અને મહર્ષિના ધર્મો જુદા જુદા છે. કુમારપાળ રાજર્ષિ છે. અને રાજર્ષિને ધર્મ છે : સદેષને શિક્ષા અને નિર્દોષની રક્ષા ! જયારે મહર્ષિના (સાધુનો) ધર્મ છે. સદોષ અને નિર્દોષ બેઉની રક્ષા ! બેઉની દયા !”
રાજર્ષિ કુમારપાળની આ શૂરવીરતા અને આ ધર્મ ધીરતા જોઈને પેલે રાજપૂત ખુશ થઈ ગયે. તેણે રાજર્ષિની ક્ષમા માંગી. કંટકેશ્વરીના રેપ સામે અણનમ રાજા | હેમચન્દ્રસૂરિજીના પુનિત સત્સંગના પ્રભાવથી કુમારપાળે પશુધના પ્રતિબંધની રાજાજ્ઞા ફરમાવી હતી. પણ તેની સામે તે સમયના રૂઢિચુસ્ત ધર્માધે તરફથી વિરોધી સૂર જમ્યા હતા. રાજાએ કંટકેશ્વરી દેવીને અપાતે પશુગ બંધ કરાવ્યો ત્યારે, એવી વાતે પ્રજામાં ફેલાવાઈ કે, “જે દેવીને પશુબલિ આપવામાં નહિ આવે તે રાજ્ય ઉપર અને પ્રજા ઉપર તેની મહાન આફત ઉતરી આવશે.” પરંતુ કુમારપાળે તે વાતની કશી જ પરવા ન કરી.
કંટકેશ્વરી દેવીએ, કુળપરંપરાથી ચાલ્યા આવતા પશુગને આપવા માટે કુમારપાળને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
હેમચ’દ્રાચાય
[ ૭૧
આગ્રહ કર્યો ત્યારે તેણે સાફ ના પાડી દીધી. તે ખાતર જરૂર પડે અઢાર દેશનું સ્વામિત્વ તજી દેવાની તત્પરતા પણ બતાવી અંતે ઉગ્ર રાષે ભરાચેલી દેવીએ ત્રિશૂળ દ્વારા કુમારપાળને કુષ્ટ રાગી બનાવી દ્વીધા. પરંતુ પાછળથી, જિનધની અવહેલના ના થાય તે માટે, ચેાગલબ્ધિના ભંડાર એવા હેમચન્દ્રાચાય જીએ કુમારપાળના દેહ પુનઃ પૂર્ણ નીરાગી અને સ્વસ્થ બનાવી દીધા.
આમ, જીવમાત્રની સુરક્ષા કરવા માટે પોતે કરેલી ‘ અમારિઘાષણા ’ ને કુમારપાળે પ્રાણના ભાગે જાળવી રાખી હતી. કુમારપાળે સમગ્ર ગુજરાતમાં અહિંસાના મહાન વિજયધ્વજ લહેરાતા મૂકયેા. નિવ“શનું ધન રાજા કબજે કરી લે, આવા અમાનુષી નિયમને કુમારપાળે રદબાતલ કરાવ્યા હતા. કુમારપાળના હૃદયમાં હેમચન્દ્રસૂરીશ્વરજીએ જગાવેલી પરમ કારુણ્યવૃત્તિના પ્રતીક રૂપ આ હકીકતા આપણને ‘ કુમારપાળ અને હેમચન્દ્રાચાર્યે ગુજરાતને અપેલી અદ્ભુત સ`સ્કાર સમૃદ્ધિ ' ના ખ્યાલ આપી જાય છે.
ભગવાને મહાવીર કરતાં ય ચડિયાતી જીવરક્ષા
હેમચન્દ્રસૂરિજી અને કુમારપાળ દ્વારા જે મહાન જીવરક્ષાના ધમ ફેલાયા હતા, તે ખુદ ત્રિલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૨ ] ગુજરાતની અસ્મિતાના અને ખા આવિર્ભાવક
કનાથ જગપૂજનીય પરમાત્મા મહાવીરદેવ અને રાજા શ્રેણિક કરતાં પણ મહાન હતે.
આ અંગે એક અતિ સુંદર શ્લોક છે : * श्री वीरे परमेश्वरेऽपि भगवत्याख्याति धर्म स्वयं, प्रज्ञावत्यभयेऽपि मन्त्रिणि न यां कक्षमः श्रेणिकः । अक्लेशेनापि कुमारपाल नृपतिस्तां जीवरक्षां व्यधाद्, यस्यासाद्य वचः सुधां स परमः श्री हेमचन्द्रो गुरु : ।।
અર્થાત્ – “જે સમયે પરમાત્મા મહાવીરદેવ સ્વયં ધર્મદેશના વહાવી રહ્યા હતા; શ્રી અભય. કુમાર જેવા બુદ્ધિનિધાન મહામંત્રી હાજર હતા તે છતાં શ્રેણિક જેવા પરમ શ્રાવક જે જીવરક્ષા કરાવી ના શકયા, તે જીવરક્ષાને, પરમગુરુ શ્રી હેમચન્દ્રસૂરિજીની અમૃતતુલ્ય વચનધારાને પીને (પામીને) અતિ સહજતાથી (કલેશરહિતપણે) કુમારપાળ રાજા કરાવી શકયા.”
કુમારપાળના હૃદયમાં રહેલી દયાવૃત્તિ, કારુણ્યધર્મ, વિનમ્રતા, સરળતા, સાહદયતા, વિશ્વ પ્રત્યેને “ વાત્સલ્યભાવ, જિનધર્મ પ્રત્યેની અસીમ નિષ્ઠા અને ગુરુ પ્રત્યેને ભક્તિભાવ.... આ બધા સદ્દગુણના કારણે કુમારપાળને મળેલું “પરમાત” બિરુદ યથાર્થ જ હતું. અને આ રીતે એક સમયના
પતિત” કુમારપાળને “પરમાત” બનાવવામાં હેમચન્દ્રાચાર્યજીને નિશંકપણે અપૂર્વ ફાળે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
વાત્સલ્યતા , સરળતા રહેલી હયાત
Page #92
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૭૩
આરતિ ઉતારી રાજા કુમારપાળે
કુમારપાળ અરિહંત ભક્તિ અને આરાધક હતે. પિતાના જીવનકાળમાં તેણે ચૌદસો શિખરબંધી જિનાલયે સ્વદ્રવ્યથી (પોતાના પૈસે) બંધાવ્યા હતા. પોતાના પિતાશ્રી ત્રિભુવનપાળના નામનું ત્રિભુવનપાળ-વિહાર” છનું કરોડ સોના મહેરેના સવ્યયપૂર્વક બંધાવ્યું હતું. સેળસે પ્રાચીન જિનમન્દિરને તેણે જિર્ણોદ્ધાર કરાવ્યો હતે. રોજ ચતુરંગિણી સેના સાથે, મધ્યાહ્નકાળે ભારે ઠાઠપૂર્વક રાજ જિનપૂજા કરવા જતા, ત્યારે અનેક કરડાધિપતિએ રાજર્ષિ સાથે જોડાતા. રાજર્ષિ જાતે પ્રભુજીની ભવ્ય અંગરચના કરતા. ઉત્તમ કેટિના તાજા પુષ્પ દ્વારા તેઓ “કુલપૂજા કરતા. - એક વાર એક જિનાલયમાં, ધૂળેવા મંડપમાં આરતિ ઉતારતા છ યે તુના કુલ એક સાથે ચઢાવીને તેના દ્વારા પરમાત્માની આંગી બનાવવાને મને રથ કુમારપાળને પેદા થયો. અને સંકલ્પના પ્રચંડ બળે દૈવીશક્તિના પ્રભાવે ષતુઓના કુલ બગીચામાં પેદા થઈ ગયા. તેની ભવ્ય આગી બનાવીને રાજર્ષિએ પોતાના ઉપવાસનું પારણું કર્યું હતું. આથી જ આપણે આરતિમાં ગાઈએ છીએ ને કે. આરતિ ઉતારી રાજ કુમારપાળે.”
સાત વખત શત્રુંજય તીર્થને છ રી’ પાળતે સંઘ કાઢયે હતે. યાત્રિકેને શીળી છાંયડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૪ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
દેતા વૃક્ષોને પણ તે પ્રણામ કરતા. ખુલ્લા પગે ચાલતા કાંટા અને કાંકરાઓ પણ વાગતા. છતાં તેની પરવા કર્યા વગર ધર્મનિષ્ઠ આ પરમાઈને જયારે સૂરિદેવે અપવાદ રૂપે જેડા વાપરવાની છૂટ આપી ત્યારે પણ તે છૂટને રાજર્ષિએ વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો હતે.
આમ, હેમચન્દ્રસૂરિજીના પુનિત પ્રભાવથી, રાજા કુમારપાળ : અત્યંત વિનમ્ર અને વિશિષ્ટ ગુરુભક્ત બન્યા. સંસારના પ્રાણીમાત્રનો તે પરમમિત્ર બન્યો. અહિંસા-ધર્મને તે અઠંગ ઉપાસક બન્યા. અરિહંતભક્તિને તે અને આરાધક બચે. સમ્યજ્ઞાનને તે અનુપમ રસિક બન્યો.
પચાસ વર્ષે કુમારપાળ રાજ્ય પામ્યું હતું, છતાં તેનું બાહુબળ અને બુદ્ધિબળ– બને બહુ જોરદાર હતા. બાહુના બળે તેણે સુન્દર રીતે રાજ્ય ચલાવ્યું અને બુદ્ધિના બળે તેણે મોટી ઉંમરે પણ પિતાને જ્ઞાનપ્રેમ, સાહિત્યપ્રેમ જાળવી રાખ્યો હતે. સાઈઠ વર્ષની ઉંમરે કુમારપાળે આખું “હેમવ્યાકરણ’ [ છ હજાર લોક પ્રમાણ] કંઠસ્થ કર્યું હતું. સાધમિકેને સમુધારક કુમારપાળ
કુમારપાળે પોતાના સાધર્મિકોના ઉદ્ધાર માટે પણ અનેરું ધન વાપર્યું હતું. તેને એક સુંદર
પ્રસંગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૭૫ -
હેમચન્દ્રાચાર્યજી જવું' ખરબચડાં જેવું વસ્ત્ર પહેરીને એક ભવ્ય શોભાયાત્રામાં ચાલી રહ્યા હતા. ત્યારે કુમારપાળે સૂરિજીને જોયા. તેનું ગુરુભક્ત હૈયું વ્યથિત થયું. ઉપાશ્રયે આવ્યા બાદ તેણે સૂરીશ્વરને પૂછયું : “ગુરુદેવ ! અઢાર દેશને રાજ કુમારપાળ આપને ભક્ત હોય અને આપને આવું ખરબચડું વસ્ત્ર પહેરવું પડે, તે શું ગ્ય છે? આમાં તે મારી નાલેશી થાય.”
ત્યારે હેમચન્દ્રાચાર્ય બાલ્યા : “કુમારપાળ ! આવું વસ્ત્ર મને વહોરાવનાર તારો જ રાજ્યમાં રહેતો તારે જૈન સાધર્મિક છે. એ કે દરિદ્ર હશે! જેની પાસે ઉત્તમ વસ્ત્ર વહેરાવી શકાય તેટલું દ્રવ્ય જ નથી. આવા દીન-દુખી જીવોના ઉદ્ધાર માટે તું શું કાંઈ જ નહિ કરે?”
અને ત્યારબાદ દર વર્ષે એક કરોડ સુવર્ણસુદ્રાઓ કુમારપાળ દીન સાધર્મિકોના ઉદ્ધાર માટે વાપરતા હતા. આ પ્રસંગ બાદ ચૌદ વર્ષ કુમારપાળ જીવ્યા હતા. અને ચૌદ કરોડ સુવર્ણમુદ્રાઓ દીના ઉદ્ધાર માટે તેમણે ખચી હતી.
આમ સિદ્ધરાજ અને કુમારપાળે-ગુજરાતના બે મહાન રાજવીઓની સહાયથી હેમચંદ્રાચાર્યે ગુજરાતને તેના અણમોલ સંસ્કારવારસાથી સમૃદ્ધ કરી આપે. સાહિત્યથી સમૃદ્ધ, સંસ્કારથી સુશેભિત અને અહિંસાથી આલોકિત ગુર્જરનું નિર્માણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૬ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
કરવામાં હેમચંદ્રસૂરિજીનો અદ્વિતીય ફાળો છે, એમ નિઃશંક કહેવું જોઈએ.
ગુજરાતમાં સમન્વયિતા છે અને વિદ્યાવ્યાસંગની વિશિષ્ટતા છે, સહિષ્ણુતા અને સમભાવના છે, ઉદાર-મતવાદિતા છે, તેમાં હેમચંદ્રાચાર્ય, જેના ધર્મને સ્યાદવાદ અને બે રાજવીઓ : સિદ્ધરાજ અને કુમારપાળ-આ ચતુઃસંગમ મહાન કારણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
L
[૮]
azazazazaza નમ્રતાના ઉત્તુંગ શિખર પર
જ્ઞાનની સિદ્ધિ છતાં નમ્રતાની ટોચે હેમચન્દ્રસૂરિ
“લઘુતામું પ્રભુતા બસે, પ્રભુતાસે પ્રભુ દૂર જે માણસે પોતાની જાતને પ્રભુ (સમર્થ-મહાન) માની લે છે. ખરેખર તેઓ પ્રભુતાથી પરમ દૂર હોય છે. સાચી પ્રભુતા તે પોતાની અજ્ઞતાના સ્વીકારમાં છે –ભારતીય સંસ્કૃતિમાં આ સંસ્કાર તે પાયાના ગુણ રૂપે સ્વીકૃત છે. સાધુપુરુષમાં આ ગુણ તે શિરમારસ્થાને હોય જ ને !
જ્ઞાનની સિદ્ધિની સાથે સાથે નમ્રતા ભળે તે એને મહિમા અપરંપાર બની જાય છે. શાસ્ત્રજ્ઞો અને શાસ્ત્ર-સિદ્ધાંતસંરક્ષકના મૃગજળભાસી આ યુગમાં આચાર્યોમાં આજે વિનમ્રતા દોહ્યલી બની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૮] ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક
ગઈ છે ત્યારે, પિતાની અજ્ઞતા અને અલપઝતાને સ્વીકાર કરનારા સૂરીશ્વર હેમચંદ્રના આ ગુણ પ્રત્યે સવિશેષ સમાદર થયા વગર રહેતું નથી.
જે સમયે તત્કાલીન વિદ્વાને અને પંડિતે જેમને “કલિકાલસર્વજ્ઞ” કહીને નવાજતા હતા, ત્યારે હેમચન્દ્રસૂરિ પોતાની જાત માટે “વીતરાગ તેત્રમાં” “પશુથી પણ હું પશુ !” એવા શબ્દો આલેખે છે.
“નવાઝું િપશુવ્વતરાજક્તા: કવ ર ”
અર્થાતૂ-કયાં હું પશુથી પણ પશુ ! અને ક્યાં વીતરાગપ્રભુની સ્તવના !”
માત્ર વીતરાગ પ્રભુની સામે જ પોતાની અલપજ્ઞતા અંગે સૂરીશ્વર સભાન હતા, એમ નહિ... પોતાનાથી પૂર્વકાલીન પૂજ્ય પુરુષ પ્રત્યે પણ તેઓ અતિ વિનમ્ર હતા. તે પૂર્વપુરુષોની ઉત્તમતા જાહેર કરતાં અને જાહેરમાં તેમની પ્રશંસા કરતા તેમણે સંકોચ પણ અનુભવ્યું નથી.
પતે સમર્થ કવિ હોવા છતાં પિતાના પુરગામી મહાન જૈનાચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ. અને તેમણે “સર્વોત્તમ કવિ” જાહેર કરતાં કહ્યું છે “અનુદ્ધિસેન વાવ:' અર્થાત્ “બધા કવિઓ સિદ્ધસેનસૂરિની પાછળ છે.”
સિદ્ધસેનસૂરિજીની સ્તુતિઓની પ્રશંસા કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૭૯
અને પોતાની જાતને તેમની તુલનામાં અશિક્ષિત (અભણ) કહેતાં પણ તેઓ ખમચાયા નથી.
"क्व सिद्धसेनस्तुतयो महार्था । રિલિતાલાપના કર વૈષT T”
અર્થાત્ – “ક્યાં સિક્રસેનદિવાકરસૂરિજીની મહાન અર્થવાળી ગંભીર સ્તુતિઓ ! અને કયાં મારી – આ અભણ માણસની–આલાપકલા જેવી સ્તુતિ ! ! ” કવિ ધનપાનની સ્તુતિ ગાતા સૂરિદેવ
“કુમારપાલ પ્રબંધ' માં હેમચંદ્રસૂરિજીની વિનમ્રતાનો એક પ્રસંગ આ પ્રમાણે છે.
એક સમયે હેમચન્દ્રાચાર્યજી કુમારપાળની સાથે શત્રુંજય તીર્થે ગયા હતા. ત્યારે ત્યાં યુગાદિદેવ ઋષભદેવ ભગવંતની સમક્ષ કવિવર્ય શ્રી ધનપાલ પંડિતે રચેલી “ઋષભ પંચાશિકા ” ની ગાથાએ બાલવા દ્વારા તેમણે પ્રભુની સ્તવના કરી.
અવસર જોઈને કુમારપાળે પૂછ્યું : “ગુરુદેવ! આ૫ તે સ્વયં મહાન સ્તુતિકાર અને કલેકાર છે. અનેક ગ્રંથોના રચયિતા એવા આપ શીઘ્રકવિ પણ છે. તે પછી આ૫ આપની સ્વરચિત સ્તુતિઓ પરમાત્મા સમક્ષ ન બોલતાં, ધનપાળ કવિની સ્તુતિઓ શા માટે બેલ્યા ?”
ત્યારે મૂર્ધન્યકક્ષાના મહામનીષિ આચાર્યશ્રી બાલ્યા : “ધનપાળ કવિએ જે સ્તુતિઓ રચી છે તે એવી ઉત્કૃષ્ટ અને સદ્ભક્તિ ગર્ભિત છે કે તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૦ ] ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક
ઉત્તમ સ્તુતિઓ મારી પણ નથી.” હેમચન્દ્રાચાર્યજીની આ પરમ વિનમ્રતા, આપણું જેવા મિથ્યાભિમાનીઓ માટે મહામૂલા બોધપાઠ જેવી છે. | હેમચન્દ્રસૂરિજીની વિનમ્રતાના અનેક ઉદાહરણ ટાંકી શકાય તેમ છે. પોતે રચેલી “સિદ્ધહેમશબ્દાનુશાસન” ની બૃહદ્દટીકામાં તેમણે કહ્યું છે: “ઉત્કૃષ્ટ મહાકવિ તો સિદ્ધસેનસૂરિજી હતા. ઉત્કૃષ્ટ મહાતાર્કિક તો મલવાદિષ્ટ હતા, શ્રેષ્ઠ સંગ્રહકાર તે ઉમાસ્વાતિજી અને ઉત્કૃષ્ટ વ્યાખ્યાનકાર તો જિનનદ્રગણું ક્ષમાશ્રમણ હતા.'
આ રીતે અન્ય મહાન વિદ્વાન અને પૂર્વાચાર્યો પ્રત્યે પોતાને ગુણાનુરાગ તેમણે બુલંદ કંઠે ગાય છે. સદા સંઘર્ષ નિવારણના પક્ષકાર સૂરિદેવ
‘૩qમત્રવત્ વિદ્યાવળાતુ' –વિદ્યાબીજનું જે કઈ ફળ હોય તે તે ઉપશમરૂપ ફળ છે.” આ વાતને હેમચંદ્રાચાર્યજીએ પોતાના જીવનમાં ઉતારી હતી. તેઓ સ્પષ્ટપણે, ધર્મનું ફળ ઉપશમભાવની પ્રાપ્તિ છે, તેમ માનતા હતા. ધાર્મિક પુરુષમાં વ્રતસ્થ સાધુ-ભગવંતે મૂર્ધન્ય સ્થાને છે. તેથી વ્રતસ્થ મુનિઓનું પરમ અને પ્રથમ કર્તવ્ય છે કે તેમણે વિરોધને ઉપશમ અવશ્ય કરવું જોઈએ. “સાલો gf zતસ્થાનાં, વિઘોરામ રહg ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
અને તેમની આ વિચારધારાની સંપુષ્ટિમાં એક સચોટ પ્રસંગ પણ ઉપલબ્ધ થાય છે, “કુમારપાળચરિત્રસંગ્રહ [ લેખક : શ્રીમતિલકસૂરિજી : પૃષ્ઠ ૩૧- ક- ૬૭૪ થી ૬૮૩ ]માં આ પ્રસંગ વર્ણવાયે છે.
વર્ષોથી – કલિકાચાર્યજી મહારાજાએ ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરી તે પહેલાં – ભાદરવા સુદ પાંચમની જ સંવત્સરી હતી. અને અષાડ સુદ પૂનમના દિવસે ચૌમાસી – શરૂઆત થતી. પરંતુ કાલિકાચાર્યજીએ અમુક વિશિષ્ટ કારણો - સર ભાદરવા સુદ ચોથની સંવત્સરી અને અષાડ સુદ ચૌદશની ચૌમાસી શરૂ કરી.
પ્રસંગ એ બન્યો કે કેટલાક બ્રાહ્મણેએ રાજને (કુમારપાળને) ચડાવ્યા કે : “તમારા જૈનમાં પણ પૂનમ-ચૌદસના મતાનતર છે ?' આ વાત જ્યારે રાજાએ હેમચન્દ્રસૂરિજીને કહી ત્યારે સૂરિદેવે કહ્યું: “જલ અને જલધરની જેમ આ ભેદ કેઈ બહુ મહત્ત્વનું નથી. તળાવ, નદી વગેરે ભિન્ન ભિન્ન ભૂમિમાં હોવા છતાં તેમાં કાંઈક અભેદ તે છે જ. એ જ રીતે પૂનમ–ચૌદશના ભેદ હોવા છતાં સહુના જિનપતિ તે એક જ છે. પૂનમ ચૌદશના ભેદ તે પાછળથી થયા છે, તે વિદ્વાને ચિંતા કરવા લાયક નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, lowrnatumaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૨ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
ત્યાર બાદ રાજાના મનની કલુષિતતા દૂર કરવા માટે સૂરિદેવે પૂનમીયા ગચ્છના બધા મુનિપુગને તેડાવ્યા. અને તેમણે કહ્યું: “તમે બધા જે સાધુએ કરેલી પ્રતિષ્ઠાને માન્ય કરતા હો, તે અમે પણ આગમમાં કહેલી વિધિ મુજબ પૂનમની પખી સ્વીકારીએ.”
આ વાતને ત્યારે તે સ્વીકાર કરીને પૂનમીઆ ગ૭વાળા સાધુઓ વિદાય થયા. પરંતુ પાછળથી મૂઢતાવાળી એક વૃદ્ધ સાધ્વીએ સુમતિસૂરિજીને કહ્યું: શ્રાવકેની પ્રતિષ્ઠાના પક્ષને છોડી દેતાં અને સિદ્ધાંત અને ગુરુના તિરસ્કારનું પાપ કરતાં તેમને શરમ ના આવી ?”
ચંડિકા જેવી તે સાધ્વીના ઠપકાથી સુમતિસૂરિજી પ્રહત થઈ ગયા. અને તેમણે હેમચન્દ્રાચાર્યઅને જઈને કહી દીધું કે: “અત્યારે જેમ ચાલે છે તેમજ ચાલવા દો.” સૂરિવરે જ્યારે રાજાને આ વાત કરી ત્યારે રાજાએ સુમતિસૂરિજીને અન્યત્ર ચાલ્યા જવા જણાવ્યું. તેથી તેઓ ગુજરાત છેડીને કાંકણુ ચાલ્યા ગયા. કેટલાક સાધુએ હેમચન્દ્રાચાયની નિશ્રામાં રહ્યા અને સાચા સાધુત્વથી શાળ્યા.
સમગ્ર સંઘના સંઘર્ષના નિવારણ માટે અને શ્રીસંધની સમાધિની સુરક્ષા કાજે આજે સંવત્સરી
ચાથની છે તે પાંચમની કેમ ના કરી શકાય ?” આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, vounatumaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
હેમચ’દ્રાચાય
[ ૮૩
સવાલ આજના કહેવાતા અવિચ્છિન્ન સામાચારી સંરક્ષકાને પૂછવા જોઇએ.
કલિકાલસર્વજ્ઞ સૂરિદેવને આ બધી સામાચારી આના અને શાસ્ત્રના સૈદ્ધાંતિક પાઠાના ખ્યાલ નહિ હાય શુ? હકીકત તા એ છે કે કલિકાલસર્વ જ્ઞશ્રીજી શ્રીસ ઘની એકતા અને સ શાંતિને અતિશય મહત્વની ખાખત ગણતા હતા.
પુત્રમૃત્યુના શૈાકના નિવારણાર્થે માત્ર એક રાજાની વિનતીથી જે કાલકસૂરિજી મહારાજા પરાપૂર્વથી ચાલી આવતી પાંચમને ચાથમાં ફેરવી શકે, તા સમગ્ર ભારતના સકળ શ્રી સ`ધની ઉપશમભાવપ્રાપ્તિ કાજે પાંચમની સ“વત્સરીના માગ વર્તમાન આચાર્યો શા માટે ન સ્વીકારી શકે તે આજના યક્ષપ્રશ્ન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
[ ૯ ]
સુવિશાલ સાહિત્યના સર્જક
અલૌકિક અને દિવ્ય પ્રતિભાના સ્વામી હેમચન્દ્રસૂરિવરે જે વિપુલ અને વિશાળ સાહિત્યની રચનાએની જૈનસ'ધને અને સમગ્ર વિદ્વજગતને ભેટ ધરી છે તેના વિચાર કરતાં ભલભલા વિદ્વાનનુ શિર તેમના ચરણે ઝુકી ગયા વગર રહે જ નહિ. તે સમયે ભારતમાં ખેડાયેલી સમગ્ર વિદ્યાઓમાં હેમચન્દ્રસૂરિજીએ નવીન અને પ્રમાણભૂત રચનાઓ આપી. તે તે વિષયના ઉત્તમ અને અદ્ભુત પાયગ્રન્થા તેમણે સર્જ્યો. આ હકીકતને સ‘ક્ષિપ્તમાં કહેવા માટે, હેમચન્દ્રસૂરિજીના લઘુવયસ્ક સમકાલીન અને ‘કુમારપાલ પ્રતિમાધ'ના ફ્ક્ત શ્રી સામપ્રભસૂરિજીના આ લેાક જાણવા જેવા છે
"क्लृप्तं व्याकरणं नवं विरचितं, छन्दो नवं दृद्व्याश्रयालङ्कारौ प्रथितो नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
હેમચ’દ્રાચાય
[ ૮૫
तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवम् વતં યેનન મેનઝેન વિધિના મોર્ફે નૃત: ટૂરત: ।'
'
અર્થાત્-‘જેમણે નવું વ્યાકરણ (સિદ્ધહેમશબ્દાનુ શાસન) રચ્યું. નવું છંદશાસ્ત્ર (છંદાનુશાસન) રચ્યું.નવા વ્યાશ્રય (સંસ્કૃત ‘વ્યાશ્રય’ અને પ્રાકૃત ‘વ્યાશ્રય’-કુમારપાલ ચરિત) અને અલકારશાસ્ત્ર (કાવ્યાનુશાસન) પ્રસિદ્ધ કર્યો. નવું ચેાશાસ્ત્ર પ્રકટ કર્યું. નવુ" તર્કશાસ્ત્ર (પ્રમાણમીમાંસા) રચ્યું. તથા જિનેશ્વર આદિનું નવુ. ચરિત્ર (ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર અને પરિશિષ્ટ પ) નિષ્ક્ર કર્યું”, તે હેમચન્દ્રાચાર્ય' (આપણુ) અજ્ઞાન કઈ કઈ રીતે દૂર નથી કર્યું ? અર્થાત્ સર્વ રીતે દૂર કર્યુ છે.” હેમચન્દ્રાચાય ના વિવિધ સાહિત્યને ટ્રેક પરિચય
.
હેમચન્દ્રાચાય જીએ ચાર સમ શબ્દકથા રચી આપ્યાં (૧) અભિધાન ચિંતામણી. = (લાક: ૧૫૪૧) (૨) અનેકા સંગ્રહ (શ્લેાકઃ ૧૮૨૯) (૩) દેશી નામમાલા (લેાકઃ ૭૮૩) અને (૪) નિધ‘ટુસંગ્રહ (àાક: ૩૯૬)
‘કાવ્યાનુશાસન’ એ અલકારશાસ્ત્રના ગ્રન્થ
ઇ. સ. ૧૮૦૮માં ‘કાલબ્રુક’ નામના એક અંગ્રેજે સૌ પ્રથમ કલકત્તાથી અભિધાન' પ્રગટ કર્યું
હતુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૬ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
હેમચન્દ્રસૂરિજીએ રચ્યો છે. તેના ઉપર “અલંકારચૂડામણિ નામની નાની અને “વિવેક' નામની મોટી ટીકા તેમણે રચી છે.
છનુશાસન' કુલ ૭૬૪ સૂત્રોમાં રચાયેલ ગ્રન્થ છે. ચારથી વધુ છે અને તેના પ્રયોગો સમજાવનાર આ ગ્રન્થ અસાધારણુ શાસ્ત્રગ્રન્થ છે.
પ્રમાણમીમાંસા” એ છે પ્રમાણુશાસ્ત્ર વિષે ગ્રન્થ ! જેનસૂત્ર-સિદ્ધાંત અને જેનન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને લખાયેલે આ ગ્રન્થ જેનન્યાયના અભ્યાસીઓ માટે આશીર્વાદરૂપ છે.
“વ્યાશ્રય-મહાકાવ્ય” આ મહાકાવ્યમાં આચાર્યશ્રીએ “સિદ્ધહેમ' વ્યાકરણના ઉદાહરણ આપવા માટે સેલંકી વંશની કથાવસ્તુનું નિરૂપણ કર્યું છે. આ મહાકાવ્ય સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષામાં છે.
મૂળરાજ સેલકથી સિદ્ધરાજ અને કુમારપાળના સમય સુધીનો સેલંકી–ઈતિહાસ એક બાજ ચાલે છે. તે બીજી બાજુ “સિદ્ધહેમ' વ્યાકરણમાં - ટાંકેલા ઉદાહરણોની હારમાળા ચાલે છે. આમ બે બે બાબતે સાથે સાથે ચાલવાથી તેનું નામ “દુવ્યાશ્રય (બે આશ્રયવાળું) મહાકાવ્ય પ્રસિદ્ધ થયું છે. ગુજરાતની અસ્મિતાને અને સંસ્કારિતાને આહલાદક પરિચય આપનારું આ ખરેખર તેજની મહાકાવ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૮૭
ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર' એ હેમચન્દ્રાચાર્યને છત્રીસ હજાર શ્લોકમાં આલેખાયેલો અદ્વિતીય ગ્રન્થ છે. જે મહાન પુરુષે અવશ્ય મેક્ષ પામી જવાના છે એવા મહાપુરુષોને “શલાકાપુરુષ” કહેવાય છે. ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના ચાવીશ તીર્થકરે, ભરત, સગર વગેરે બાર ચકવર્તીએ, રામ, બલરામ વગેરે નવ બળદ, લક્ષ્મણ, કૃષ્ણ વગેરે નવ વાસુદે, રાવણ, જરાસંઘ વગેરે નવ પ્રતિવાસુદેવ-આમ કુલ ત્રેસઠ શલાકા પુરુષના ચરિત્રો, રાજા કુમારપાળની વિનંતીથી લખાયેલા આ મહાન ગ્રન્થમાં, વર્ણવાયાં છે.
શ્રી મોતીચંદ ગિરધર કાપડિયાએ [“હેમચદ્રાચાર્યની કૃતિઓ –“પ્રસ્થાન વૈશાખ-
૧૫. પૃ. ૫૪] લખ્યું છે કે, “આ મહાગ્રન્થ જે સાત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કેશને અભ્યાસ થઈ જાય તેવી એની રચયિતાએ ગોઠવણ કરી છે.”—અને આજે પણ અભ્યાસી જૈનમુનિઓ આ ગ્રન્થનું સંપૂર્ણ પણે અધ્યયન-મનન કરે છે.
“પરિશિષ્ટ પવ' એ હેમચન્દ્રાચાર્યને અંતિમ ગ્રન્થ ગણાય છે. આ ગ્રન્થમાં ભગવાન મહાવીરદેવના નિર્વાણ પછીના, તેમની પટ્ટપરંપરામાં થયેલા સુધર્માસ્વામી, જબૂસ્વામી, ભદ્રબાહસ્વામી, આર્યરક્ષિતસૂરિ, વાસ્વામી ઈત્યાદિ મહાન પુરુષોનાં
જીવનચરિત્ર છે. ઉપરાંત આ ગ્રન્થમાં શ્રેણિક, સંShree Sudharmaswami Gyanbhandar-Umara, 18urnatumaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૮ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
પ્રતિ, ચન્દ્રગુપ્ત વગેરે રાજાઓના ઇતિહાસ પણ સુઉંદર પદ્યરચનામાં સાંકળી લેવામાં આવ્યા છે. આ ગ્રન્થમાં અનુષ્ટુપ છંદમાં કુલ ૩૪૫૦ શ્ર્લેાકેા રચાયાં છે. ચેાગશાસ્ત્રની રચના
‘ચેગશાસ્ર’ એ ખાસ રાજા કુમારપાળની વિનં તીથી અને તેના ઉપર સવિશેષ ઉપકાર કરવા માટે હેમચન્દ્રાચાર્યે લખેલેા ગ્રન્થ છે. માર પ્રકાશમાં અને કુલ એક હજારથી વધુ લેાકેામાં નિબદ્ધ આ અપૂર્વ ગ્રન્થરનમાં–મહાવ્રતા, અણુવ્રતા, માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ્ણા, સમ્યક્ત્વના લક્ષણેા, દ, જ્ઞાન અને ચારિત્ર, સૌંસારનુ' સ્વરૂપ, કાયા, ઇન્દ્રિયસયમ, બારે ભાવનાએ, ચૈત્રી આદિ ચાર ભાવનાઓ, પરકાયપ્રવેશાદિ સિદ્ધિ, પ્રાણાયામ, ધ્યાન, ધારણા વગેરે વિષયાની વિશદ વિચારણા કરવામાં આવી છે.
વામરાશિ નામના એક બ્રાહ્મણુ પ ́ડિત, હેમચન્દ્રસૂરિજી પ્રત્યેની ઇર્ષ્યાના કારણે તેમની ખૂબ નિંદા કરતા હતા. પર`તુ જયારે તેણે કેટલાક તપસ્વીઓના મુખેથી ચેાગશાસ્ત્ર' ના શ્લેાકેાના પાઠ સાંભળ્યા, ત્યારે તે એટલા પ્રભાવિત થઈ ગયા કે તે આલી ઉઠયા : જે જટાધારી યાગીઓના કઠમાંથી હેમચન્દ્રાચાય માટે ઝેર નીકળતું, તેમના કઠમાંથી હવે ચેાગશાસ્ત્ર રૂપી અમૃત બહાર આવી રહ્યુ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
વામરાશિની સૂરિદેવ પ્રત્યેની નિંદાપ્રવૃત્તિના કારણે કુમારપાળે તેની આજીવિકા બંધ કરી દીધે. લી, પરંતુ ઉપર્યુક્ત પ્રસંગ બાદ, હેમચંદ્રાચાર્ય. જીની સૂચનાથી કુમારપાળે તેની આજીવિકા ફરી ચાલુ કરી આપી...અને બમણી કરી આપી. આ પ્રસંગ “પ્રબંધચિંતામણિ” માં શ્રી મેરૂતુંગાચાર્યે આલેખ્યો છે. બે બત્રીશીઓ અને અન્ય સ્તોત્ર
શ્રી સિદ્ધસેનસૂરિજીની રચના–શૈલીથી આલેખાયેલી હેમચંદ્રાચાર્યજીની બે સૌથી લઘુ કૃતિઓઅયોગવ્યવછેદઢાત્રિશિકા” અને “અન્યગવ્યવછેદ દ્વાત્રિશિકા આ બત્રીશ બત્રીશ કલેકેના બે સ્તો છે.
આ બને તેત્રોમાં પ્રભુશ્રી મહાવીરદેવની સ્તવના કરવા પૂર્વક ન્યાય, વૈશેષિક, વૈદિક આદિ દશનેની સચોટ સમીક્ષા કરીને જેન દર્શનના સ્વાદુવાદ (અનેકાંતવાદ)ની સર્વોત્તમતા સિદ્ધ કરવામાં આવી છે. વીતરાગ સર્વજ્ઞ પ્રણીત હોવાથી જૈન દર્શનથી શ્રેષ્ઠ બીજ કેઈ દર્શન નથી. અને અનેકાંતવાદ સિવાય બીજે કઈ શ્રષ્ઠ ન્યાયમાર્ગ નથી એ વાત સૂરિદેવે સાબિત કરી છે.
“અન્યગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા ઉપર આ. શ્રી મલ્લિષેણસૂરિજીએ “સ્યાદવાદમંજરી” નામની Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૦ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
જૈન ન્યાયને રજૂ કરતી મહાન ટીકા રચી છે. અને એ ટીકા ઉપર ન્યાયવિશારદ પૂ. મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજે ‘સ્યાદ્વાદમ’જુષા’ નામની ટીકા રચી હતી. જે આજે ઉપલબ્ધ નથી. ‘સકલાત્ સ્તોત્ર'માં ચાવીશ તીર્થંકરાની સ્તવના છે. કવિ આચાર્ય વરના હૃદયમાં ઉછળી રહેલી અરિહંતભક્તિના, આ નાના પણ ભાવવાહી સ્તૂત્રમાં આપણુને દર્શન થાય છે.
‘મહાદેવસ્તાત્ર’એ. અનુષ્ટુપ અને આર્યા છંદમાં લખાયેલું' ચુમ્માળીશ લેાકનુ" કાવ્ય છે. મહાદેવનું ખરુ' સ્વરૂપ કેવુ' હાવુ. જોઇએ તે આ સ્તાત્રમાં વણુ વાયુ છે. હેમચન્દ્રસૂરિજીના અતિ પ્રસિદ્ધ લેાક, ‘ભવવીગાંકુર ગનના' આ જ સ્તાત્રના અતિમ બ્લેક છે. વીતરાગસ્તાત્રઃ ઇશભકિતનું અનેાજી' કાવ્ય
‘વીતરાગ સ્તાત્ર’ એ ઈશભક્તિનું અને ખુ અને આહ્લાદદાયી કાવ્ય છે. કુલ ૧૮૮ શ્લોકમાં અને ‘વીશ પ્રકાશ' માં વહેંચાયેલી આ કૃતિ પણુ કુમારપાળ રાજા માટે જ ખાસ રચાઈ છે. તે તેના પ્રથમ પ્રકાશના આ લેાક પરથી જાણી શકાય છેઃ श्री हेमचन्द्रप्रभवाद् वीतरागस्तवादितः ।
कुमारपालभूपालः प्राप्नोतु ન—મિસોતમ્ ।। અર્થાત્ “શ્રી હેમચન્દ્રસૂરિ દ્વારા જન્મેલા (રચાયેલા)
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
આ વીતરાગસ્તવ” દ્વારા કુમારપાળ ભૂપાળ પોતાના ઈચ્છિત ફળને પ્રાપ્ત કરે”
વીતરાગસ્તેત્ર એ જૈન દર્શનની મહત્તા, વિશિષ્ટતા અને સર્વોત્તમતાને દર્શાવનારુ ખરેખર એક દિવ્ય અને મધુરું સ્તોત્ર છે. “યોગશાસ્ત્રના બાર પ્રકાશ અને “વીતરાગ સ્તોત્રના બાર પ્રકાશ કુલ બત્રીશ પ્રકાશને મુખપાઠ કરીને પ્રતિદિન બત્રીશ દાંતના ભાવમંજનરે૫ કુમારપાળ રાજા, રોજ તેને સ્વાધ્યાય કરીને પછી જ, દ્રવ્યમજન કરતાં અને ભેજનાદિ લેતા હતા.
આ ઉપરાંત, “અહંન્નીતિ”, “અહંનામસમુરચય”, “અનેકાર્થશેષ”, “પ્રમાણશાસ્ત્ર', “શેષસંગ્રહ નામમાલા”, “સપ્તસંધાન મહાકાવ્ય” વગેરે અનેક કૃતિઓ કલિકાલસર્વજ્ઞશ્રીએ આલેખેલી છે.
હેમચન્દ્રાચાર્યના ગ્રન્થ વિષેની કેટલીક વિશેષ માહિતીઓ તરફ સંક્ષિપ્ત દષ્ટિપાત કરીએ: 9 આચાર્યશ્રી રચિત “ઉણાદિગણ નું સમ્પાદન
પ્રો. જહાન કસ્ટીએ કર્યું. અને પરિશિષ્ટ ટેમસ ઝંચારીએ કર્યું હતું. ૪ શ્રી સિદ્ધહેમ–વ્યાકરણના આઠમા અધ્યાય
(પ્રાકૃત)ને વ્યવસ્થિત રૂપે પ્રકાશમાં લાવનાર છે. પીશલ હતા.
આચાર્યશ્રીને સૌથી વધુ લેક સંખ્યા પ્રમાShree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૨ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
વાળે ગ્રન્થ “સિદ્ધહેમ' (૮૪,૦૦૦ કલેક) છે. “પ્રાકૃત વ્યાકરણ”ને વિ. સં. ૧૯૨માં મરાઠી વિદ્વાન શ્રી મહાલકૃષ્ણ પ્રથમ વાર પ્રસિદ્ધ કર્યું હતું. આચાર્યશ્રીના સૌથી નાના બે ગ્રન્થ-અયોગ વ્યવ છેદ દ્વાત્રિશિકા” અને “અન્યગ વ્યવચ્છેદ
દ્વત્રિશિકા છે. જેમાં ૩૨–૩૨ લોકે જ છે. મા સરસ્વતીના કૃપાપાત્ર સૂરિદેવ
હેમચન્દ્રાચાર્યજીની અસાધારણ અને ઉચ્ચતમ સાહિત્યસર્જકતા જોતાં એમ નિ:સંદેહ માનવું પડે કે તેઓશ્રી મા સરસ્વતીના અસીમ કૃપાપાત્ર વરદ-પુત્ર હતા. મા શારદાની કૃપા વગર આટલું અદ્દભુત અને આટલું વૈવિધ્યપૂર્ણ વિપુલ સાહિત્યનિર્માણ શી રીતે સંભાવ્ય બની શકે? સંસ્કૃતપ્રાકૃત અને અપભ્રંશ ભાષાના મહાન સર્જક, સંજક અને સંગ્રાહક આ સૂરિસમ્રાટે જીવનના અંત સુધી સાહિત્યસર્જનમાં પોતાને કીમતી કાળ વીતાવ્યું હતું.
તઓશ્રી મરદાની
વપલ સાહિત
સુરત્સવ” અને “કર્ણામૃતપ્રથા” વગેરે ગ્રંથના કર્તા અને ચુસ્ત વૈદિક તથા વસ્તુપાળતેજપાળે આબૂ અને ગિરનાર ઉપર બંધાવેલા જૈન
મંદિરના પ્રશસ્તિ-કાવ્યના રચયિતા પરિત સામેShree Sudharmaswami Gyanbhandar-Umara, vounatumaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
હેમચદ્રાચાય
[ ૯૩
ધર આચાય જેવા પણ હેમચન્દ્રાચાર્યનું સ્મરણ
કરતાં કહે છે.
"
सदा हृदि वहेम श्रीहेमसूरेः सरस्वतीम् ॥ અર્થાત્ — શ્રી હેમસૂરિની સરસ્વતી (વાણીને) ને અમે સદા હૃદયમાં ધારણ કરીએ છીએ,’
'
હેમચન્દ્રાચાર્ય જીના ગુરુદેવનું નામ · દેવચન્દ્ર સૂરિ' હતું. તેમ તેમના એક શિષ્ય પણ ‘ દેવચન્દ્ર ’ નામના હતા. તેમણે‘ચન્દ્રલેખાવિજય પ્રકરણ ’ નામનું કુમારપાળના વીરત્વને બિરદાવતું સુન્દર નાટક લખ્યુ છે, તેમાં પેાતાના ગુરુ શ્રી હેમચન્દ્રાચાય જી માટે ઉત્તમ શબ્દો વાપરતાં લખ્યુ છે કે, 'विद्याम्भोनिधिमन्थ मन्दरगिरि श्री हेमचन्द्रो गुरुः ।।' અર્થાત્ ‘ વિદ્યારૂપી સાગરના મથનમાં મંદરાચલ (મેરૂ) પર્યંત સમાન ગુરુ શ્રી હેમચન્દ્રસૂરિજી છે.’ હેમચન્દ્રાચાય નુ તેજસ્વી શિષ્યવૃન્દ
હેમચન્દ્રાચાય જીનું શિષ્યમંડળ પણ ખરેખર તેજસ્વી હતું. આવા સમર્થ ગુરુનું સાન્નિધ્ય પામીને શિષ્યે પણ પ્રખર વિદ્વાન અને તેજસ્વી અને તેમાં નવાઇ નથી.
હેમચન્દ્રાચાર્ય જીના હાથે જ ‘આચાય” પવી પામનારા ‘રામચન્દ્રસૂરિજી’ તેઓશ્રીના પ્રથમ અને પ્રખર શિષ્ય હતા. તેમણે ‘ રઘુવિલાસ ’, ‘નવિલાસ’ દ્રુવિલાસ ’ વગેરે અગિયાર ઉત્તમ નાટકો લખ્યાં
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૪] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
હતા. પોતાના ગુરુભાઈ “ગુણચન્દ્રસૂરિજી” ની સાથે તેમણે “નાટયદર્પણ” એ નાટયશાસ્ત્રને અને “કાવ્યાલંકાર' એ ન્યાયશાસ્ત્રને ગ્રન્થ પણ લખ્યો છે. રામચંદ્રસૂરિજી તર્ક, લક્ષણ (વ્યાકરણ) અને સાહિત્યના જ્ઞાતા–વિવેદી–હતા. ઉપરાંત સમર્થ કવિવર હતા.
કલિકાલસર્વજ્ઞના અન્ય શિખ્યામાં – આ. મહેન્દ્રસૂરિજીએ “અનેકાર્થસંગ્રહ' ઉપર ટીકા લખી છે. જેનું નામ “અનેકાર્થ કેરવાકર કૌમુદી” છે. વર્ધમાનગણિએ રામચન્દ્રસૂરિકૃત “કુમારવિહારપ્રશસ્તિ ” કાવ્ય ઉપર ટીકા લખીને તેના ૧૧૬ અર્થ કરી બતાવ્યા છે. બાલચન્દ્રસૂરિ નામના બીજ એક શિષ્ય “સ્નાતસ્યા ” નામની સુપ્રસિદ્ધ કૃતિની રચના કરી હતી. જો કે આ શિષ્ય ઉચ્છખલ અને ઉદ્ધત હેવાથી તેને “આચાર્યપદ” આપવાની હેમચન્દ્રસૂરિએ ના પાડી હતી. છતાં તેણે સરિદેવના કાળધર્મ બાદ ક્રૂર રાજા અજયપાળની સહાયથી પરાણે “આચાર્યપદ” લઈ લીધું હતું.
ઉદયચન્દ્રજી મહાન વૈયાકરણ હતા. વર્ધમાનગણિ અને દેવચન્દ્રમુનિ (ચન્દ્રલેખાવિજયપ્રકરણના કર્તા) વગેરે સમર્થ વિદ્વાન સાધુઓ સૂરિદેવશ્રીના શિષ્ય હતા.
ક્રમવાર મુખ્ય શિષ્યોના નામ આ પ્રમાણે છે. (૧) આ. શ્રી રામચંદ્રસૂરિજી (૨) આ. શ્રી ગુણShree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૯૫
ચન્દ્રસૂરિજી (૩) આ. શ્રી યશશ્ચન્દ્રસૂરિજી (૪) આ. શ્રીબાલચન્દ્રસૂરિજી (૫) આ. શ્રીઉદયચન્દ્રસૂરિજી (૬) આ. શ્રી મહેન્દ્રસૂરિજી (૭) શ્રી વર્ધમાન ગણિ (૮) દેવચન્દ્રમુનિ. આ બધા શિષ્ય પરમ વિદ્વાન અને બહુશ્રુત હતા.
હેમચંદ્રાચાર્યજીના ચાહક અને ભક્તવર્ગમાંના મુખ્ય, મહારાજા સિદ્ધરાજ જયસિંહ, પરમાત રાજા કુમારપાળ, મહામંત્રી ઉદયન, રાજપિતામહ આમભટ્ટ, દંડનાયક વામ્ભટ્ટ, રાજઘરટ્ટ ચાહક, તથા સેલાક, શ્રીપાળ, આમિગ, અર્ણોરાજ, ઉત્સાહ વગેરે રાજપુરુષ હતા. ધનદ શેઠ વગેરે કરેડપતિ શ્રાવકે હતા. આચાર્ય હેમચન્દ્રસૂરિના સમકાલીન આચાર્યોના નામ આ પ્રમાણે છે : શ્રીસેમપ્રભસૂરિ, મલ્લધારી શ્રી હેમચન્દ્રસૂરિ, શ્રીમલયગિરિસૂરિ, વાદી દેવસૂરિ, ઈત્યાદિ મહાન જૈનાચાર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ] augavmazza મુક્તિ યાત્રા પ્રતિ મંગલપ્રયાણ
રિદેવે કરેલી સ્વમૃત્યુ-આગાહી
જીવનની પળેપળને સુન્દર અને સફળ સદુપગ કરીને સંસારને ધર્મસંસ્કારને સદુપદેશ અર્ધનારા અને સાડા ત્રણ કરોડ લોક પ્રમાણ અદ્દભુત સાહિત્ય સર્જન કરનારા આ સૂરીશ્વર ચોર્યાસી વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી શકયા.
પિતાના અંતકાળની (મૃત્યુની) તેઓશ્રીને પહેલેથી જાણ થઈ ગઈ હતી. ઉત્તમ ચારિત્ર્યશીલ યેગી પુરુષોને માટે આ સિદ્ધિ સ્વાભાવિક હેય છે, તેમાં કશું જ અસંભવિત નથી. મૃત્યુના છ મહિના પહેલાં તેમણે પોતાના ગુરુબંધુ શ્રી પ્રદ્યુમ્નસૂરિને આની જાણ પણ કરી દીધી હતી. અને તેને શોક ન કરવા જણાવ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
અતિમ ક્ષમાપના : રાજાને આશ્વાસન
હેમચન્દ્રાચાર્યે છેલ્લા દિવસે માં અન્નજળના ત્યાગનું (અનશન) વ્રત અંગીકાર કર્યું હતું. મૃત્યુ સમયે પૂજ્ય આચાર્યશ્રીએ પોતાના મુખ્ય શિષ્યોને, શ્રીસંઘને અને રાજા કુમારપાળને પાસે બોલાવ્યા હતા. સહુની સાથે તેમણે ક્ષમાપના કરતા કહ્યું હતું क्षमयामि सर्वान् सत्वान्, सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ।।
અર્થાત- “હું સર્વ જીવેને ખમાવું છું. સહુ જી મારા વિષે ક્ષમા કરે. આપના (પરમાત્માના) એક માત્ર શરણે રહેલા મારે, સર્વ જીવોને વિષે મૈત્રીભાવ રહે.”
ગુરુદેવની અંતિમ ક્ષણે જેમ જેમ નજદીક આવતી ગઈ, તેમ તેમ રાજા કુમારપાળનું હૃદય વિષાદમય બની ગયું. એમની આંખમાં આંસુ ઉમટેલા જોઈને હેમચન્દ્રાચાર્યે કહ્યું : “રાજન ! મૃત્યુને શેક શા માટે ? આપણે તે માનવજીવનનું સાર્થકય કરીને વિદાય લઈએ છીએ. અહીં શોક ન હય, આનંદ જ હેય. “મર નં યા સરું તલ્ય ગોવન'– જેનું મરણ મંગલરૂ૫ છે, તેનું જીવન ખરેખર સફળ છે... મહાત્માઓ તે આવા સફળ જીવનને અને સફળ મૃત્યુને માણનારા હેય. આ મૃત્યુ તે અમારા માટે મંગલ મહત્સવરૂ૫ છે, રાજન !”
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૮ | ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
મુક્તિયાત્રા તરફે મ`ગલપ્રયાણુ
અને... સહુને ક્ષમાપના અપ`ને, જિનચર©ામાં સતત વંદના કરીને, વીતરાગ પ્રભુના ધ્યાનમાં લીન બનેલા યાગીશ્વર સૂરીશ્વરહેમચન્દ્ર, પ્રસનતાપૂર્વક અને સમાધિરસમાં નિમગ્ન બનીને આ નશ્વર દેહને તજી ગયા. બ્રહ્મરન્ધ્ર દ્વારા એમના આત્મા આ દેહ છોડી ગયા. હજારા નરનારીઓએ એમના અતિમ વદન કર્યાં.
ગુજરાતની ધરતીના એક પરમ તપસ્વી, વિદ્વાનાના મુગુટમાં મણિ સમાન તેજસ્વી, ગુજરાતની અસ્મિતાના અનાખા આવિર્ભાવક, ગુર્જરભૂમિમાં સ'સ્કારની સમૃદ્ધિના સર્જક, અહિંસાની અણુમાલ અહાલેક જગાડનાર એ સમથ શક્તિપુંજ સૂરીશ્વર વિ.સ. ૧૨૨૯ (ઇ.સ. ૧૧૭૩)માં ૮૪ વર્ષની જીવનયાત્રા પૂર્ણ કરીને મુક્તિયાત્રા તરફ્ મ ગલ પ્રયાણ કરી ગયા.
6
હેમચન્દ્રાચાય કાળધર્મ પામ્યા ત્યારે કીર્તિકૌમુદ્દી’ ના રચિયતા શૈવધમી સામેશ્વર પડિતે કહ્યું : ' વૈદુષ્ય વિપતાશ્રયં श्रितवति श्रीहेमचन्द्रे વિમ્ ।।' અર્થાત્ હેમચન્દ્રસૂરિજી દેવલાક પામતા વિદ્વત્તા હવે નિરાધાર બની ગઈ.’
જિનશાસનના એ અમર જ્યંતિ તુ ક્ષરજીવન ભલે સ કૈલાઈ ગયું, પણ તેનું વિપુલ અક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
હેમચાચાય
રજીવન અદ્યાવિધ સુરક્ષિત છે અને સૈકા સુધી ચિર જીવ રહેશે.
ર
ધ્રૂસકે રડતા રાજા કુમારપાળ
સૂરિદેવના જ્યારે અગ્નિસ સ્ટાર થઈ રહ્યો હતા ત્યારે, રાજષિ કુમારપાળ પોતાના ગુરુદેવના દેહ ભડભડ જલતી ચિતામાં વિલીન થઇ રહેલા જોઈ ને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા. બાજુમાં ઊભેલા મત્રીશ્વરે પૂછ્યું" : · રાજન ! ગુરુદેવની કૃપાથી આપ એટલું અવશ્ય જાણેા છે કે નાતસ્ય ध्रुवं मृत्युः - જે જન્મે છે તે અવશ્ય મરે છે. ગુરુદૈવ તા મહાન જીવન જીવી ગયા. અને મગલ મૃત્યુ સાથી ગયા. આ બધુ... આપ જાણે છેા, છતાં આવુ` રુદન શા માટે ?”
ત્યારે રાજષિ માલ્યા : · ગુરુદેવ તા અવશ્ય ઉચ્ચ ગતિને પામ્યા છે. પર`તુ મને હેવાન મટાડી ઈન્સાન બનાવનાર અને અતે ભગવાન વીતરાગના પરમ શ્રાવક મનાવનાર આ પરમ ગુરુદેવના પેટમાં મારા ઘરમાંથી અન્નના એક દાણેા કે પાણીનું એક ટીપુ" પણ ન ગયું, તેના મને અફ્સાસ થાય છે.’
‘હું રાજા હતા અને રાજાના ઘરનું અન્નજળ સાધુને ન ખપે એ શાસ્રનિયમના લીધે જ તે ગુરુદેવના માંમાં મારું જળ ન ગયું... પણ તેમના ચરણ પ્રક્ષાલનમાં ય તે ન વપરાયું, એનું મને અપાર દુઃખ થાય છે.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ] ગુજરાતની અસ્મિતાના અને આવિર્ભાવક
જે નરકનું સીધું દ્વાર છે તે રાજ્યને ત્યાગ કરીને હું સામાન્ય નાગરિક કેમ બની ન ગયે ? અરે! તે તે અવશ્ય ગુરુભક્તિને તમામ લાભ મને પ્રાપ્ત થઈ ગયો હત! પણ આજે મને ભાન આયું ! મારી બુદ્ધિ આજે ઠેકાણે આવી. હવે પશ્ચાતાપના આ આંસુ સારવા સિવાય મારા નસીબમાં બીજું શું રહ્યું છે?”
ઉપર્યુક્ત શબ્દોમાં રાજર્ષિ કુમારપાળની હેમચન્દ્રાચાર્ય પ્રત્યેની, આપણું હૈયાને પણ ગદગદિત કરી મૂકે તેવી, ભવ્ય ગુરુભક્તિના અમૂલાં દર્શન નથી થતાં શું ? અગ્નિસંસ્કાર સ્થળે “હેમખાડ”
સુરિસમ્રાટના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર પાટણ શહેરમાં જ્યાં કરાયો હતે, ત્યાં, તે સ્થળે તેઓશ્રીના નશ્વર દેહની પવિત્ર ભસ્મ લેવા માટે ભક્તોને એ જબરદસ્ત ધસારે થયો કે રાખ તે બધા લઈ ગયા પણ તે ધરતીની ધૂળને પણ પવિત્ર સમજીને લોકો લઈ ગયા. ત્યાં ઊંડે ખાડે પડી ગયા. આજે પણ એ સ્થળ પાટણમાં “હેમખાડ” તરીકે પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
,
જિનમ`ડન ગણિવરે સ‘વત ૧૪૯૨માં લખેલા ‘કુમારપાળ પ્રમ’ધ’માં જણાવ્યું છે કે, ‘દેવાધિએ હેમચન્દ્રાચાય ના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થઇને એમને કલિકાલસર્વજ્ઞ' તરીકે એળખાવ્યા હતા.’
[ ૧૧ ] આચાર્ય શ્રીને અગ્રણીઓની અ'જલિ
સ્વ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી કહે છે કે, ‘દેશ-વિદેશના લાખા જ નહિં, બલકે કરાડા કે અબો વર્ષોના ઇતિહાસ એકઠા કરવામાં આવે તો પણ ભગવાન હેમચ'દ્રાચાય જેવા નિલેપ, આદર્શ જીવી, વિદ્વાન, સાહિત્ય સર્જક, રાજનીતિનિપુણુ, વ્યવહારજ્ઞ, વ'સ્વી અને પ્રતિભાધારી પુરુષની જોડ જડવી અતિ મુશ્કેલ ખને અને એજ કારણસર ભગવાન શ્રી હેમચદ્રાચાય’ માટે ‘કલિકાલસર્વજ્ઞ'તુ જે બિરુદ યાજવામાં આવ્યું છે એમાં લેશ પણ અતિશયાક્તિ નથી.’ ૫. બેચરદાસ દેશી લખે છે કે...વ્યાકરણ, છંદ, અલ'કાર, વૈદ્યક, ધ શાસ્ત્ર, રાજધમ, નીતિધર્મ, યુદ્ધશાસ્ત્ર, સમાજવ્યવસ્થાશાએ, ઈન્દ્રજાળવિદ્યા, શિલ્પવિદ્યા, વનસ્પતિવિદ્યા, રત્નવિદ્યા, જ્યાતિષવિદ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
5
5
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ધાતુ પરિવર્તનવિદ્યા, સ્ત્રીઓની ચાસડ કળા અને પુરુષની બહોંતર કળા, રતિશાસ્ત્ર, રોગવિદ્યા, મન્ન, તત્ર અને યત્ર વગેરે અનેક વિદ્યાઓના તેઓ (હેમચન્દ્રાચાર્ય) મહાસાગર હતા.
આવા વિવાઓના મહાસાગર સાધુપુરુષને તે કાળના લકે કળિકાળસર્વજ્ઞ' કહે, એ જરાયે વધુ પડતું નથી. આજની ભાષામાં “ જીવંત વિશ્વકષ” અને એ કાળની ભાષામાં “કલિકાલસર્વજ્ઞ” એ બંને શબ્દો એક જ ભાવના વાચક છે. એમના જેવા કલિકાલસર્વજ્ઞને લીધે તે વખતે ગુજરાતનું ગૌરવ હતું, તેમ આજે પણ છે. [ “પરબ” માસિક–વર્ષ : ૨૯; અંક : ૧૧-૧૨, પૃ. ૧૨]
પ્રસિદ્ધ સાક્ષર કનૈયાલાલ માણેકલાલ સુનશીએ કહ્યું છે કેઃ “હેમચંદ્ર માત્ર “કલિકાલસર્વજ્ઞ” નહોતા, એમણે વિદ્વાને જીત્યા. અથાગ જ્ઞાનને વલોવી કૃતિઓ રચી. એમણે ગુજરાતીઓને સંસ્કૃત સાહિત્યમાં સ્થાન અપાવ્યું. એ મુત્સદીએમાં ઘૂમ્યા. અને રાજ્યાધિકાર પર નૈતિક સત્તા બેસાડી. મહત્ત્વાકાંક્ષાથી ઉછળતા ગુજરાતની મહત્તાને શબ્દદેહ આપે. પણ એ ઉપરાંત એ મહ ત્તાને કહ૫નાજન્ય અપૂર્વતાનો એમણે ઓપચડાવ્યો.”
શ્રી ભેગીલાલ જ. સાંડેસરા લખે છે કે સિદ્ધરાજ-કુમારપાળના રાજ્યકાળમાં અસામાન્ય દીપ્તિ જણાય છે. એ દીપ્તિ જાણે કે હેમચંદ્રના શાંત
પ્રતિભાવાન નયનેમાંથી બહાર પડી રહી છે. એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urvatumaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[૧૦૩
વિદ્યા, સંસ્કારિતા અને સર્વધર્મ સમભાવનું અદ્દભુત ઓજસ છે. હેમચંદ્ર આખા એક દેશની પ્રજાના જીવનનું અને તેની વિચારભૂમિકાનું પાસું ફેરવી નાંખ્યું.”
શ્રી કે. પીટસન કહે છે કે, “હેમચન્દ્ર એક મોટા આચાર્ય હતા. દુનિયા પર અથવા દુનિયામાંની કેાઈ પણ ચીજ પર તેમને રતિભાર પણ માહ હતે નહિ ને દુનિયામાં રહેલ સવ માહ ક્ષણભંગુર છે, એમ તે જાણતા હતા.
શ્રી કે. એમ. પાણિકકર કહે છે કે શ્રી હેમચન્દ્રસૂરિ યોગી હતા. શબ્દશાસ્ત્રના નિર્માતા હતા. મહાન કવિ હતા. ધર્મોપદેશક પણ હતા. તેમનું વ્યક્તિત્વ ખરેખર અદ્વિતીય છે. ભારતવર્ષે જે મહાનમાં મહાન સર્વશ્રેષ્ઠ પુરુષોને જન્મ આ છે તે પૈકીના એક શ્રીહેમચન્દ્રસૂરિ છે.”
દિ. બ. કૃષ્ણલાલ મો. ઝવેરી લખે છે કે એરિસ્ટોટલ અને પ્લેટે પણ હેમચન્દ્રસૂરિની કક્ષામાં આવી શકતા નથી. કારણ, હેમચન્દ્રાચાર્યની સાહિત્યકૃતિઓને વિસ્તાર વિષય સંબંધે સર્વગ્રાહી હતો. એરિસ્ટોટલ વગેરેને તે સર્વગ્રાહી ન હતે.”
શ્રી ચતુરભાઇ શકરભાઇ પટેલ લખે છે કે, “હેમચન્દ્ર એટલે સર્વતોમુખી પરિણત પ્રજ્ઞા, રસભરી સર્વોત્કૃષ્ટ સર્જકતા. હેમચન્દ્ર એટલે વિદ્યાના મહાસા
ગર, જીવત જ્ઞાનકોશ. એવા અગાધ શક્તિશાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
સપૂત માટે ગુજરાત જેટલાં ગર્વ અને ગૌરવ ધરે એટલાં ઓછાં છે. એઓ જેનેના જેટલા જ જૈનેતરના, સમસ્ત ગુજરાતીઓના માનને અને પૂજાને પાત્ર છે!”
પ્રાચીન શ્રાવક કવિ ઋષભદાસે, હેમચન્દ્રાચાય માટે બહુ સુન્દર કાવ્ય રચ્યું છે:
સર્ગ મૃત્યુ પાતાલમાં, દેશ વિદેહમાંહિટ હેમસૂરિ સરિખા જતિ, જગહ નહીં દીસઈ કયાંહિ; જે નિકલંક શીલઈ ભલે, ગુણ અંગિ કંઈ કેડિ, અવર પુરુષ જેયા ઘણ, દીસે અકેમિ ડિ.”
વિ ભા. મુસલગાંવકર કહે છે કે, “આ. હેમચન્દ્ર કે ગ્રન્થ નિશ્ચય હી સંસ્કૃત સાહિત્ય કે અલંકાર હ. ઈનકે ગ્રન્થ રોચક, મર્મસ્પશી એવ સજીવ હૈ. પશ્ચિમકે વિદ્વાન ઈન કે સાહિત્ય પર ઈતને મુગ્ધ હૈ કિ ઉન્હોંને ઈર્ષે Ocean of Knowledge-જ્ઞાનકા મહાસાગર કહા હૈ.”
૫. આનન્દશ કર ધ્રુવે લખ્યું છે કે, ઈ. સ. ૧૦૮૯ થી ૧૧૭૩ એ વર્ષો કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રના તેજથી દેદીપ્યમાન છે. હેમચદ્રાચાર્ય ધર્મ અને તત્ત્વજ્ઞાનના પણ બેશક સારા વિદ્વાન હતા, અને તે વિષયના કાત્રિશિકા વગેરે એમના કેટલાક ગ્રન્થ પણ છે. પરંતુ જેને વાડમયને એમની ચિરસ્થાયી સેવા તે આ વિષય કરતાં ભાષા અને સાહિત્યના વિષયમાં વધારે
થઈ છે, એમાં સંશય નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૧૦૫
પંડિત શ્રી શિવદત્ત શર્મા લખે છે કે, ભારત વર્ષના પ્રાચીન વિદ્વાનની ગણનામાં જૈન શ્વેતામ્બરાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિએ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્કૃત સાહિત્ય અને વિક્રમાદિત્યના ઈતિહાસમાં જે સ્થાન કાલિદાસનું અને શ્રી હર્ષના દરબારમાં બાણભટ્ટનું , પ્રાયઃ તે જ સ્થાન બારમી સદીમાં ચૌલુક્યવંશી ગૂર્જરનરેન્દ્રસિદ્ધરાજ જયસિંહના ઈતિહાસમાં હેમચન્દ્રનું છે.”
શ્રી મેહનલાલ દલીચદ દેસાઇ કહે છે કે, “હમયુગ એ જૈનશાસન માટે, વાડુમય માટે અતિ વૈભવ, પ્રતાપ અને વિજયથી દેદીપ્યમાન હતા. તેની અસર સમગ્ર ગુજરાત પર અનેક રીતે સ્મરણમાં રહે તેવી થઈ છે. હેમચન્દ્રના નામ પ્રમાણે તેને યુગ પણ હેમમય – સુવર્ણમય હતો. અને ચિરકાળ સુધી તેને પ્રભાવ રહેશે.”
વિદ્વાન લેખક શ્રી ધૂમકેતુએ લખ્યું છે કે, જેમ શિવાજી રામદાસ વિના, વિકમ કવિકુલગુરુ કાલિદાસ વિના, અને ભેજ ધનપાળ વિના શૂન્ય લાગે છે, તેમ સિદ્ધરાજ અને કુમારપાળ, હેમચદ્રાચાર્ય વિના શુન્ય લાગે છે.”
“ધૂમકેતુ” એ લખેલા “હેમચંદ્રાચાર્ય”પુસ્તકના અંતિમ વાકયના આલેખનપૂર્વક આ જીવનચરિત્રનું આપણે સમાપન કરીએ – “ સૂર્યોદય સમયે સરસ્વતી નદીના કિનારે ઊભેલી એક મહાન શક્તિ, પિતાના પ્રકાશથી–તેજથી આખા ગુજરાતને છાઈ
દેતી કલપે...અને તમને હેમચંદ્રાચાર્ય દેખાશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રાચાય જીના જીવન ઉપર સ`ક્ષિપ્ત પ્રકાશ ફેંકતું આ પુસ્તક જો આપને ગમ્યુ' હાય તા !
શુ આપ આટલું નહિ કરે ?
- હેમચ'દ્રાચાય જીના સદુપદેશથી રાજા કુમારપાળે ચૌદ કરાડ સુવણુ મુદ્રાઓ ખચી ને હજારા સાધમ કાના સમુદ્ધાર કર્યા હતા, તે આપ માત્ર એક સાધર્મિક કુટુંબના સંપૂર્ણ ઉદ્ધાર કરવા ધનને સદ્દવ્યય નહિ કરેા
હેમચદ્રાચાય જીની પ્રેરણા પામીને રાજા સિદ્ધરાજે ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર કરાવ્યા, તા શુ' કાક પ્રાચીન તીર્થંભૂમિમાં ચાલી રહેલા જીર્ણોદ્વારમાં આપ પાંચ, ત્રણ કે એક હજાર રૂપિયાનુ દાન નહિ કરા
* માતા પાહિણીએ પેાતાના અતિવ્હાલા પુત્ર ચાંગાને જિનશાસનના ચરણે સમર્પિત કરી દીધેા, તેા શુ' આપ આપના બાળકને આપની સાથે આંગળીએ વળગાડીને રાજ જિનપૂજા નહિ કરાવા
– હેમચંદ્રાચાય જીએ પેાતાની અન તાપકારિણી માતાને ધર્મ ધ્વજ (દીક્ષા) અપી ને અદ્ભુત માતૃભક્તિ અદા કરી, તમે શુ તમારા માતા કે પિતાને પ્રતિદિન પ્રણામ કરવા દ્વારા માતા-પિતા પ્રત્યેની ભક્તિની અભિવ્યક્તિ નહિ કરે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૧૦૭
| રાજા કુમારપાળે ૫૦ વર્ષની ઉંમરે છે હજાર લૈંક પ્રમાણુ “હેમવ્યાકરણ” કંઠસ્થ કર્યું, તે તમે શું માત્ર બે પ્રતિક્રમણ કે પાંચ પ્રતિકમણના સૂત્રે જાતે કંઠસ્થ કરવા અને તમારા સંતાનેને પણ કરાવવા કટિબદ્ધ નહિ બને?
! રાજા કુમારપાળે પિતાના અઢાર રાજ્યમાં મહાન “અમારિ પ્રવર્તન કરાવ્યું હતું. આપણે શું વર્ષે એક વાર એક મેટા જીવને અભયદાન અપાવવા સંપત્તિને સદ્વ્યય ન કરી શકીએ શું ?
. કુમારપાળે પૌષધમાં કેડાની રક્ષા ખાતર પિતાના શરીરની ચામડી ઉતરડી લીધી. આવા અદ્દભુત પૌષધના આરાધકને આદર્શ બનાવીને આપણે પર્યુષણના આઠે દિવસનાં-છેવટે એક સંવત્સરીને – પૌષધ કરવાની પ્રતિજ્ઞા ન લઈ શકીએ શું ?
i અતિ મહાન અને પરમ વિદ્વાન હવા છતાં હેમચંદ્રાચાર્ય પોતાના પૂર્વ-પુરુષને સતત વિનય–બહુમાન કરતા અને પોતાની જાતને તુચ્છ લેખતા. આપણે આપણા વડીલે, પૂજ્ય અને આચાર્યાદિ પ્રત્યે વિનય-વિનમ્રતા કેળવવા કટિબદ્ધ નહિ બનીએ શુ ?
કુમારપાળની સ્તુતિઓમાં જિનમત પ્રત્યેનો તેમને અવિહડ અનુરાગ ઝગારા મારતે જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
મળે છે. એ જાણ્યા પછી, આપણુ' હૈયુ' પણ આવા જિનવચનરાગ–સુખસાગરમાં ઝીલવાનું સદ્ભાગ્ય પામે તેવી પ્રભુને રાજ પ્રાર્થના ન કરી શકીએ શું ? – રાજા કુમારપાળ રાજ વીતરાગસ્તાત્ર’ ૮ અને ‘ચેાગશાસ્ર’ ના કુલ ખત્રીશ પ્રકાશના સ્વાધ્યાય કરીને જ ‘ નવકારશી ’ કરતા હતા. તમે કમસે કમ નવકારશી ' તું પચ્ચખ્ખાણ કરવાના પણ સકલ્પ નહિ કરે શુ?
“ જો આવા કાક સદ્ગુણ્ણાની સરિતાને જીવનધરતી ઉપર વહેતી નહિ કરીએ, તેા હેમચ'. દ્રાચાય જીના તાજેતરમાં પસાર થયેલા નવસેામી જન્મજયંતિના વ માં માત્ર તેમનું ચુકી ન કરી નાંખ્યાથી કાઈ અથ નહિ સરે!
—ધન જય જન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૩૯૬
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિઓ ગ્રંથ
લોક સિદ્ધહેમલઘુવૃત્તિ
૬,૦૦૦ સિદ્ધહેમબૃહદવૃત્તિ
૧૮,૦૦૦ સિદ્ધહેમબૃહન્યાસ
૮૪,૦૦૦ સિદ્ધહેમપ્રાકૃતવૃત્તિ
૨,૨૦૦ લિગાનુશાસન
૩,૬૮૪ ઉણાદિગણ વિવરણ
૩,૨૫૦ ધાતુ પારાયણ વિવરણ
૫,૬૦૦ અભિધાનચિંતામણી
૧૦,૦ ૦ ૦ અભિધાન પરિશિષ્ટ
२०४ અનેકાથ કેશ
૧,૮૨૮ નિઘટકોશ દેશીનામમાલા
૩,૫૦૦ કાવ્યાનુશાસન
૬,૮૦૦ છ દાનુશાસન
૩, ૦ ૦ ૦ સંસ્કૃત પ્રયાશ્રય
૨,૮૨૮ પ્રાકૃત દ્વયાશ્રય
૧,૫૦૦ પ્રમાણ મીમાંસા (અપૂર્ણ)
૨,૫૦૦ વેદાંકુશ
૧,૦૦૦ ત્રિષષ્ઠિશલાકા પુરૂષચરિત્ર
૩ર,૦૦૦ પરિશિષ્ટ પર્વ
૩,૫૦૦ યેગશાસ્ત્ર પત્તવૃત્તિ સહિત
૧૨,૭૫૦ વીતરાગ ઑત્ર
૧૮૮ અન્યગવ્યવછેદકાત્રિશિકા (કાવ્ય) . અગવ્યવચ્છેદઢાત્રિશિકા (કાવ્ય) મહાદેવસ્તાત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
૩૨
૩૨
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ] ગુજરાતની અસ્મિતાના અને ખા આવિર્ભાવક
હેમી –વાણી आद्यो धर्मो व्रतस्थानां विरोधोपशमः खलुः ।।
વિવાદો શમાવવા તે જ વ્રતધારીઓનું પ્રથમ કર્તવ્ય છે. नहि सीदन्ति कुर्वन्तो देशकालोचितां क्रियाम् ।। A દેશ અને કાળને અનુકૂળ વર્તનારે સદાવાનું રહે નહિ. अवर्णवादी न क्वापि राजादिषु विशेषतः ॥
કોઈને યે અવર્ણવાદ બેલ નહિ, રાજાનોરાજપુરુષોને તે નહીં જ. भाविकार्यानुसारेण वागुच्छलति जल्पताम् ।।
ભાવી જેવું નિર્માણ થયું હોય, તેવી જ વાણું નીકળે. महान्तः शक्तिमन्तोऽपि प्रथमं साम कुर्वते ।।
મહાજન શક્તિશાળી હોય તે, પહેલાં શાંતિની જ શોધ કરે છે. यत् कुर्वते महान्तो हि तदाचाराय कल्पते ।।
મોટાઓની પ્રત્યેક પ્રવૃત્તિ લોકાચારને આદર્શ બને છે. विना सावद्ययोगेन न स्याद् धर्म-प्रभावना ।।
સાવદ્ય-વ્યાપાર પ્રવર્તાવ્યા વિના ધર્મપ્રભાવના થાય નહિ. उपादेया शास्त्र-लोक-व्यवहारानुगा हि गीः ॥
શાસ્ત્ર અને લોકવ્યવહારને અનુસરનારું વચન આદરણીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્ય
[ ૧૧૧
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી
|| ગત વર્ષે (સં. ૨૦૪૫) ઉપર્યુક્ત નામે આ જ લેખકશ્રીની એક અતિલઘુ-પુસ્તિકા બહાર પડી હતી. તેની સમાલોચના વઢવાણથી પ્રકાશિત થતાં કલ્યાણ માસિકના વર્ષ –૪૫- અંક- ૧૧. જાન્યુ. ૧૯૮ના અંકમાં (સજાતું સાહિત્ય વિભાગમાં) પ્રગટ થયેલ. જે અહી પ્રકાશિત છે.]
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય લેખક શ્રી ધનંજય છે. જેને “પ્રેમકેતુ’ સી-૧૦, અરિહંત સે. ૪થે માળે, દાદરવાડીની સામે, અશોક ચક્રવતી રોડ, કાંદિવલી-ઈસ્ટ, મુંબઈ–૧૦૧. બુકલેટ સાઈજના ૧૬ પેજ ધરાવતી આ પુસ્તિકામાં કલિકાલસર્વજ્ઞશ્રીનું જીવન ટૂંકમાં છતાં સારગ્રાહી–શૈલીમાં રજૂ કરવામાં આવ્યું છે. પ્રારંભમાં કલિકાલસર્વજ્ઞની વિશિષ્ટ-કૃતિઓની નોંધ, ત્યાર પછીના પૃષ્ઠોમાં જીવન-પ્રસંગો અને છેલે “શું આ૫ આટલું નહિ કરે ?” શીર્ષક હેઠળ રજુ થયેલું પ્રેરક–લખાણુ...આદિથી નાનકડી આ પુસ્તિકા ખૂબ જ પ્રેરક બની છે. લેખન શૈલી વાચકને આકર્ષી લે એવી છે. મૂલ્ય અપ્રકાશિત છે. કલિકાલસર્વજ્ઞશ્રીના નવમ શતાબ્દી-વર્ષ ટાણે આ
પુસ્તિકા જરૂર પ્રેરક–બાધક બની રહેશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૮-૦૦
= = = = = = === = શ્રી ધનંજય જે. જેને પ્રેમકેતુ' દ્વારા જ
લિખિત અથવા સંકલિત સાધ – પ્રેરક સુપ્રકાશને
• લિખિત . ૧. તત્ત્વજ્ઞાન-પ્રવેશિકા.
૮-૦ ૦ ૨. કથા-પ્રવેશિકા
૮-૦ ૦ ૩. સૂત્રાર્થ–પ્રવેશિકા.
૮-૦ ૦ ૪. જીવન ઘડતર-પ્રવેશિકા. ૫. જૈન ધર્મકા અણમેલ તત્ત્વજ્ઞાન (હિન્દી)૧૬-૦૦ ૬. તીર્થકર ભગવાન શ્રી મહાવીરદેવ. ૬-૦૦ ૭. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય. અપ્રાપ્ય ૮. ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક હેમચન્દ્રાચાર્ય. ૧૦-૦૦
જ સંકલિત જ ૯. ભાવના ભદધિજહાજ
અપ્રાપ્ય ૧૦. ભવિયા ! એ ગુણ જ્ઞાન રસાળ. અપ્રાપ્ય ૧૧. અંધેરેમેં એક પ્રકાશ.
૩૦-૦૦ ૧૨. શિવમ સુન્દરમ
૭-૦૦ ૧૩. પવનું ભૂષણ, જીવનનું આભૂષણ. ૧૦-૦૦ ૧૪. મંગલ મંદિર ખોલે.
૨૦-૦૦ ૧૫. સર્વ મંગલ માંગલ્યમ
અપ્રાપ્ય ૧૬. નિકલા સૂરજ હુઆ સવેરા. અપ્રાપ્ય
- - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________ RIMA રોના દાન મટતા કttષ્ટપળને ભાવિનો ટાસન પ્રભાવક શ્રમજી ભોયમાં સંતાડતા 5. હેમચન્દાસ્થાયી ભાવનગ૨. ねで Shree Sudharmaswami Gyanbhandar-Umara, wewnatumaragyanbhandar.com