SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક પાહિણીએ કરેલું “કલેજાના ટુકડાનું દાન પણ... ત્યાર બાદ તુરંત પાહિણીની કલ્પનાચક્ષુ સમક્ષ...પિતાને પુત્ર દેવચન્દ્રસૂરીશ્વરજીના વારસદાર તરીકે દેખાયે..આ મારો લાડલો ગૃહદી૫ નહીં, પણ સમગ્ર જિનશાસનને તેજદીપ બનશે. દીપ મટીને પિતાના સહસ્ત્રગુણકિરણેએ સંસારને પ્રકાશથી ભરી દેતે આકાશભાનુ બનશે... એ શ્રદ્ધાએ અને એ અરમાનેએ પાહિણીનું હૃદય મજબૂત બની ગયું. અને કે” અગમ-ઉલ્લાસથી તેણે ગુરુ-ચરણમાં ચંગદેવને ધરી દીધું. ના, પિતાનું સર્વસ્વ જાણે સમપી દીધું. એ પળે...એની આંખમાં આંસુ હતા... વાત્સલ્યના ! પુત્રપ્રેમના ! પોતે અણુના અવસરે લીધેલા અણુમેલ અને અનુપમ આત્મનિર્ણયનો ! એના એ આંસુ માતૃહદયની ગહરી વ્યથાના ન હતા. એ આંસુ તો જિનશાસનના ઈતિહાસને બદલી નાંખનારુ એક અજબ પાસુ હતું. દુરભાતે દિલે લીધેલાં કેઈ દુઃખદ નિર્ણયનું એ આંસુ ન હતું. એ આંસુ તે હતું....જિનશાસનના યશેજજવલ સમુદ્ધાર ખાતર, એક મહાન શ્રાવિકા પોતાના કલેજાના ટુકડાનું દાન અને પુત્રમેહનું બલિદાન કેવી શાસનાનેષ્ઠાથી આપી શકે છે. એનું જીવંત અને જાગૃત પ્રતીક ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy