SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક હતા. પોતાના ગુરુભાઈ “ગુણચન્દ્રસૂરિજી” ની સાથે તેમણે “નાટયદર્પણ” એ નાટયશાસ્ત્રને અને “કાવ્યાલંકાર' એ ન્યાયશાસ્ત્રને ગ્રન્થ પણ લખ્યો છે. રામચંદ્રસૂરિજી તર્ક, લક્ષણ (વ્યાકરણ) અને સાહિત્યના જ્ઞાતા–વિવેદી–હતા. ઉપરાંત સમર્થ કવિવર હતા. કલિકાલસર્વજ્ઞના અન્ય શિખ્યામાં – આ. મહેન્દ્રસૂરિજીએ “અનેકાર્થસંગ્રહ' ઉપર ટીકા લખી છે. જેનું નામ “અનેકાર્થ કેરવાકર કૌમુદી” છે. વર્ધમાનગણિએ રામચન્દ્રસૂરિકૃત “કુમારવિહારપ્રશસ્તિ ” કાવ્ય ઉપર ટીકા લખીને તેના ૧૧૬ અર્થ કરી બતાવ્યા છે. બાલચન્દ્રસૂરિ નામના બીજ એક શિષ્ય “સ્નાતસ્યા ” નામની સુપ્રસિદ્ધ કૃતિની રચના કરી હતી. જો કે આ શિષ્ય ઉચ્છખલ અને ઉદ્ધત હેવાથી તેને “આચાર્યપદ” આપવાની હેમચન્દ્રસૂરિએ ના પાડી હતી. છતાં તેણે સરિદેવના કાળધર્મ બાદ ક્રૂર રાજા અજયપાળની સહાયથી પરાણે “આચાર્યપદ” લઈ લીધું હતું. ઉદયચન્દ્રજી મહાન વૈયાકરણ હતા. વર્ધમાનગણિ અને દેવચન્દ્રમુનિ (ચન્દ્રલેખાવિજયપ્રકરણના કર્તા) વગેરે સમર્થ વિદ્વાન સાધુઓ સૂરિદેવશ્રીના શિષ્ય હતા. ક્રમવાર મુખ્ય શિષ્યોના નામ આ પ્રમાણે છે. (૧) આ. શ્રી રામચંદ્રસૂરિજી (૨) આ. શ્રી ગુણShree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy