SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ધાતુ પરિવર્તનવિદ્યા, સ્ત્રીઓની ચાસડ કળા અને પુરુષની બહોંતર કળા, રતિશાસ્ત્ર, રોગવિદ્યા, મન્ન, તત્ર અને યત્ર વગેરે અનેક વિદ્યાઓના તેઓ (હેમચન્દ્રાચાર્ય) મહાસાગર હતા. આવા વિવાઓના મહાસાગર સાધુપુરુષને તે કાળના લકે કળિકાળસર્વજ્ઞ' કહે, એ જરાયે વધુ પડતું નથી. આજની ભાષામાં “ જીવંત વિશ્વકષ” અને એ કાળની ભાષામાં “કલિકાલસર્વજ્ઞ” એ બંને શબ્દો એક જ ભાવના વાચક છે. એમના જેવા કલિકાલસર્વજ્ઞને લીધે તે વખતે ગુજરાતનું ગૌરવ હતું, તેમ આજે પણ છે. [ “પરબ” માસિક–વર્ષ : ૨૯; અંક : ૧૧-૧૨, પૃ. ૧૨] પ્રસિદ્ધ સાક્ષર કનૈયાલાલ માણેકલાલ સુનશીએ કહ્યું છે કેઃ “હેમચંદ્ર માત્ર “કલિકાલસર્વજ્ઞ” નહોતા, એમણે વિદ્વાને જીત્યા. અથાગ જ્ઞાનને વલોવી કૃતિઓ રચી. એમણે ગુજરાતીઓને સંસ્કૃત સાહિત્યમાં સ્થાન અપાવ્યું. એ મુત્સદીએમાં ઘૂમ્યા. અને રાજ્યાધિકાર પર નૈતિક સત્તા બેસાડી. મહત્ત્વાકાંક્ષાથી ઉછળતા ગુજરાતની મહત્તાને શબ્દદેહ આપે. પણ એ ઉપરાંત એ મહ ત્તાને કહ૫નાજન્ય અપૂર્વતાનો એમણે ઓપચડાવ્યો.” શ્રી ભેગીલાલ જ. સાંડેસરા લખે છે કે સિદ્ધરાજ-કુમારપાળના રાજ્યકાળમાં અસામાન્ય દીપ્તિ જણાય છે. એ દીપ્તિ જાણે કે હેમચંદ્રના શાંત પ્રતિભાવાન નયનેમાંથી બહાર પડી રહી છે. એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urvatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy