________________
હેમચંદ્રાચાર્ય
[ ૧૫
ધરતીને અહિંસાના ઓજસથી અજવાળાં વેરતી બનાવી દીધી.... મીનળદેવીને સમજાવવામાં સફળ સેમચન્દ્રજી :
મુનિવરશ્રી સેમચન્દ્રજીની ઉજજવળ જ્ઞાનપ્રતિભા, અતિ ઝડપી જ્ઞાને પાર્જનશક્તિ અને પ્રખર બુદ્ધિમત્તાના કારણે ગુરુ દેવચંદ્રસૂરિજીના હૃદયમાં તેઓ વિશિષ્ટ સ્થાન પામ્યા હતા. ગુરુ પોતાના આ પ્રતિભાસંપન્ન શિષ્ય પ્રત્યે વિશેષ પ્રસન્ન રહેતા હતા.
સિદ્ધરાજની સભામાં જ્યારે દિગંબર સમ્મુદાયના પ્રખર વાદી આચાર્ય કુમુદચન્દ્ર સાથે વાદી દેવસૂરિજી મહારાજને શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતું, ત્યારે રાજમાતા મીનળદેવી દિગંબર-તરફી હતા, તેમની સહાનુભૂતિ શ્વેતામ્બર પક્ષે મેળવવામાં બાલમુનિ સેમચન્ટે વિશિષ્ટ ભાગ ભજવ્યો હતે.
વાત આમ બની હતી.
એક વાર બાલમુનિ સેમચ-દ્રને મીનળદેવીને ભેટે થઈ ગયો. ત્યારે રાજમાતાએ સાહજિક રીતે પૂછયું : “કેમ છે; બાલમુનિ !”
સેમચન્દ્રજી બોલ્યા : “માતાજી ! બધું ક્ષેમકુશળ છે. પણ એક વાતની મને ચિંતા થાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com